Launches Dharti Aaba Janjatiya Gram Utkarsh Abhiyan to benefit 63000 tribal villages in about 550 districts
Inaugurates 40 Eklavya Schools and also lays foundation stone for 25 Eklavya Schools
Inaugurates and lays foundation stone for multiple projects under PM-JANMAN
“Today’s projects are proof of the Government’s priority towards tribal society”

જોહાર!

ઝારખંડના આદરણીય રાજ્યપાલ શ્રી સંતોષ ગંગવારજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી શ્રી જુઅલ ઓરામજી, મારા સાથી મંત્રી અને આ ધરતીના પુત્રી અન્નપૂર્ણા દેવીજી, સંજય શેઠજી, શ્રી દુર્ગાદાસ ઉઇકેજી, આ મતવિસ્તારના સાંસદ શ્રી મનીષ જયસ્વાલજી, તમામ જનપ્રતિનિધિઓ અને અહિં પધારેલા મારા ભાઈઓ અને બહેનો!

આજે મને ફરી એક વાર ઝારખંડની વિકાસયાત્રામાં સામેલ થવાનું સૌભાગ્ય મળ્યું છે. થોડા દિવસ પહેલાં જ હું જમશેદપુર ગયો હતો. મેં જમશેદપુરથી ઝારખંડ માટે સેંકડો કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું. પીએમ-આવાસ યોજના હેઠળ ઝારખંડમાં હજારો ગરીબોને પોતાના કાયમી ઘર મળ્યા હતા. અને હું થોડા જ દિવસોમાં ફરીથી અહીં આવી ગયો છું. આજે ઝારખંડમાં 80,000 કરોડથી વધુની કિંમતની વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અથવા શિલાન્યાસ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ્સ આદિજાતિ સમુદાયના કલ્યાણ અને ઉત્થાન સાથે સંકળાયેલા છે. આ પ્રોજેક્ટ્સ સમગ્ર દેશમાં આદિવાસી સમુદાય માટે ભારત સરકારની પ્રાથમિકતાનો પુરાવો છે. હું આ વિકાસલક્ષી પહેલો માટે ઝારખંડના તમામ લોકોને અને સમગ્ર દેશના લોકોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.

 

મિત્રો,

આજે પૂજ્ય બાપુ મહાત્મા ગાંધીની જન્મજયંતી છે. આદિવાસી વિકાસ માટે તેમની દ્રષ્ટિ અને વિચારો આપણા માટે ખજાનો છે. ગાંધીજી માનતા હતા કે ભારતનો વિકાસ ત્યારે જ થઈ શકે જ્યારે આદિવાસી સમુદાય ઝડપથી પ્રગતિ કરે. મને ખુશી છે કે આજે અમારી સરકાર આદિવાસી સમુદાયના ઉત્થાન પર પહેલા કરતા વધારે ધ્યાન આપી રહી છે. મેં હમણાં જ એક મોટો કાર્યક્રમ શરૂ કર્યો છે– ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન. આ યોજના પાછળ લગભગ 80 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત 550 જિલ્લાઓમાં આશરે 63,000 આદિવાસી બહુમતી ધરાવતા ગામોનો વિકાસ કરવામાં આવશે. આદિવાસી બહુમતી ધરાવતા આ ગામોમાં સામાજિક-આર્થિક સ્થિતિ અને જીવનની ગુણવત્તા સુધારવાના પ્રયાસો કરવામાં આવશે. આ પહેલથી દેશભરનાં મારાં 5 કરોડથી વધારે આદિવાસી ભાઈઓ અને બહેનોને લાભ થશે. ઝારખંડના આદિજાતિ સમુદાયને પણ આ પહેલથી નોંધપાત્ર લાભ મળશે.

મિત્રો,

મને પ્રસન્નતા છે કે ભગવાન બિરસા મુંડાની ભૂમિ પરથી ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો શુભારંભ થઈ રહ્યો છે. ઝારખંડમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પર પીએમ-જનમાન યોજનાનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો. આવતા મહિને, અમે 15 નવેમ્બરના રોજ જનજાતીય ગૌરવ દિવસ (આદિજાતિ ગૌરવ દિવસ) પર પીએમ-જનમાન યોજનાની પ્રથમ વર્ષગાંઠ ઉજવીશું. પીએમ-જનમાન યોજના દ્વારા હવે વિકાસ એ આદિવાસી વિસ્તારો સુધી પહોંચી રહ્યો છે, જે એક સમયે પાછળ રહી ગયા હતા, જ્યાં કોઈએ ધ્યાન આપ્યું ન હતું. આજે પીએમ-જનમાન યોજના અંતર્ગત લગભગ 1300 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ આ અતિ પછાત આદિવાસી વિસ્તારોમાં જીવન સુધારવા માટે શિક્ષણ, આરોગ્ય સેવા અને માર્ગ સુવિધાઓનું નિર્માણ કરવામાં આવશે.

 

ભાઈઓ અને બહેનો,

માત્ર એક વર્ષમાં પીએમ-જનમાન યોજનાએ ઝારખંડમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. અતિ પછાત એવા 950થી વધુ ગામોમાં દરેક ઘર સુધી પાણી પહોંચાડવાનું કામ પૂર્ણ થયું છે. રાજ્યમાં 35 વનધન વિકાસ કેન્દ્રોને પણ મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત અંતરિયાળ આદિવાસી વિસ્તારોને મોબાઇલ કનેક્ટિવિટી સાથે જોડવાની કામગીરી ચાલી રહી છે. આ વિકાસ, આ પરિવર્તન આપણા આદિવાસી સમુદાયને પ્રગતિ માટે સમાન તકો પ્રદાન કરશે.

 

મિત્રો,

આપણો આદિવાસી સમાજ ત્યારે પ્રગતિ કરશે જ્યારે તેના યુવાનોને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક તકો પૂરી પાડવામાં આવશે. અમારી સરકાર આ સંબંધમાં આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય નિવાસી શાળાઓના નિર્માણના મિશન પર ખંતપૂર્વક કામ કરી રહી છે. આજે અહીંથી 40 એકલવ્ય નિવાસી શાળાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. ૨૫ નવી એકલવ્ય શાળાઓનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. અમે દરેક શાળા માટે બજેટ બમણું કર્યું છે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે તેઓ આધુનિક સુવિધાઓથી સજ્જ છે અને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પ્રદાન કરે છે.

 

ભાઈઓ અને બહેનો,

જ્યારે સાચા પ્રયાસો કરવામાં આવે છે, ત્યારે સાચાં પરિણામો આવે છે. હું માનું છું કે આપણા આદિવાસી યુવાનો પ્રગતિ કરશે અને તેમની સંભવિતતાનો લાભ દેશને મળશે.

 

 

મિત્રો,

હું અહીં લાંબું ભાષણ આપવાનો નથી, કારણ કે ટૂંક સમયમાં જ હું અહીંથી 3-4 કિલોમીટર દૂર આદિવાસી સમુદાયના એક મોટા મેળામાં જવાનો છું. હું મારા દિલની વાત કહીશ અને હું જુસ્સાભેર બોલીશ. તેથી, આ સરકારી કાર્યક્રમની સજાવટને માન આપીને, હું આ ભાષણ લાંબું નહીં કરું. જો કે, આવા સરકારી કાર્યક્રમમાં પણ આટલા બધા લોકો ભેગા થાય તો તેઓ કહેશે, "ઓહ... કાર્યક્રમ બહુ મોટો હતો." પરંતુ સરકારી કાર્યક્રમ માટે આ માત્ર એક નાનકડી વ્યવસ્થા હતી; મોટી ઘટના ટૂંક સમયમાં જ બનશે. જો આ કાર્યક્રમ આટલો મોટો હોય, તો કલ્પના કરો કે અન્ય કાર્યક્રમ કેટલો ભવ્ય હશે. આજે, જેવો હું ઉતર્યો કે તરત જ મેં ઝારખંડના મારા ભાઈઓ અને બહેનોનો અદ્ભુત પ્રેમ અને ટેકો જોયો. આ પ્રેમ અને આશીર્વાદ મને આદિવાસી સમાજની સેવા કરવાની શક્તિ વધુ આપશે. આ જ જુસ્સા સાથે, ફરી એક વાર, હું તમને બધાને આ વિકાસ કાર્યો માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું, અને હું તમારો ખૂબ-ખૂબ આભાર માનું છું. હું એ પણ આશા રાખું છું કે તમે બધા ત્યાં જરૂર આવશો અને મને બીજા પણ ઘણા મુદ્દાઓ પર બોલવાની તક મળશે.

જય જોહાર!

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Since 2019, a total of 1,106 left wing extremists have been 'neutralised': MHA

Media Coverage

Since 2019, a total of 1,106 left wing extremists have been 'neutralised': MHA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Welcomes Release of Commemorative Stamp Honouring Emperor Perumbidugu Mutharaiyar II
December 14, 2025

Prime Minister Shri Narendra Modi expressed delight at the release of a commemorative postal stamp in honour of Emperor Perumbidugu Mutharaiyar II (Suvaran Maran) by the Vice President of India, Thiru C.P. Radhakrishnan today.

Shri Modi noted that Emperor Perumbidugu Mutharaiyar II was a formidable administrator endowed with remarkable vision, foresight and strategic brilliance. He highlighted the Emperor’s unwavering commitment to justice and his distinguished role as a great patron of Tamil culture.

The Prime Minister called upon the nation—especially the youth—to learn more about the extraordinary life and legacy of the revered Emperor, whose contributions continue to inspire generations.

In separate posts on X, Shri Modi stated:

“Glad that the Vice President, Thiru CP Radhakrishnan Ji, released a stamp in honour of Emperor Perumbidugu Mutharaiyar II (Suvaran Maran). He was a formidable administrator blessed with remarkable vision, foresight and strategic brilliance. He was known for his commitment to justice. He was a great patron of Tamil culture as well. I call upon more youngsters to read about his extraordinary life.

@VPIndia

@CPR_VP”

“பேரரசர் இரண்டாம் பெரும்பிடுகு முத்தரையரை (சுவரன் மாறன்) கௌரவிக்கும் வகையில் சிறப்பு அஞ்சல் தலையைக் குடியரசு துணைத்தலைவர் திரு சி.பி. ராதாகிருஷ்ணன் அவர்கள் வெளியிட்டது மகிழ்ச்சி அளிக்கிறது. ஆற்றல்மிக்க நிர்வாகியான அவருக்குப் போற்றத்தக்க தொலைநோக்குப் பார்வையும், முன்னுணரும் திறனும், போர்த்தந்திர ஞானமும் இருந்தன. நீதியை நிலைநாட்டுவதில் அவர் உறுதியுடன் செயல்பட்டவர். அதேபோல் தமிழ் கலாச்சாரத்திற்கும் அவர் ஒரு மகத்தான பாதுகாவலராக இருந்தார். அவரது அசாதாரண வாழ்க்கையைப் பற்றி அதிகமான இளைஞர்கள் படிக்க வேண்டும் என்று நான் கேட்டுக்கொள்கிறேன்.

@VPIndia

@CPR_VP”