મહારાષ્ટ્રમાં પીએમએવાય-અર્બન હેઠળ 90,000થી વધારે મકાનો દેશને અર્પણ કરવામાં આવ્યાં
સોલાપુરમાં રાયનગર હાઉસિંગ સોસાયટીના 15,000 મકાનોનું લોકાર્પણ કર્યું
પીએમ-સ્વનિધિનાં 10,000 લાભાર્થીઓને પહેલો અને બીજો હપ્તો વહેંચવાનો શુભારંભ કર્યો
"અમારી સરકાર પહેલા દિવસથી જ પ્રયાસ કરી રહી છે કે દેશમાં શ્રી રામના આદર્શોને અનુસરીને દેશમાં સુશાસન થાય અને દેશમાં પ્રામાણિકતાનું શાસન ચાલે"
"જ્યારે હજારો પરિવારોના સ્વપ્નો સાકાર થાય છે અને તેમના આશીર્વાદ મારી સૌથી મોટી સંપત્તિ બની જાય છે ત્યારે તે અપાર સંતોષ આપે છે"
"22 જાન્યુઆરીએ રામ જ્યોતિ ગરીબીના અંધકારને દૂર કરવા માટે પ્રેરણારૂપ બનશે"
"સરકારનો માર્ગ 'શ્રમનું ગૌરવ', 'આત્મનિર્ભર કામદાર' અને 'ગરીબોનું કલ્યાણ' છે
ગરીબોને પાકું મકાન મળે, શૌચાલય મળે, વીજળીનું કનેક્શન મળે, પાણી મળે, આવી તમામ સુવિધાઓ સામાજિક ન્યાયની પણ ગેરંટી છે"

મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી રમેશ બૈન્સજી, મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજી, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, અજીત દાદા પવારજી, મહારાષ્ટ્ર સરકારના અન્ય મંત્રીઓ, જનપ્રતિનિધિઓ, શ્રી નરસૈયા આદમજી અને સોલાપુરના ભાઈઓ અને બહેનો, નમસ્કાર.

હું પંઢરપુરચા વિઠ્ઠલ અને સિદ્ધેશ્વર મહારાજને વંદન કરું છું. આ સમય આપણા બધા માટે ભક્તિથી ભરપૂર છે. તે ઐતિહાસિક ક્ષણ 22 જાન્યુઆરીએ આવવાની છે જ્યારે આપણા ભગવાન રામ તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થવાના છે. તંબુઓમાં આપણા આરાધ્ય દેવના દર્શન કરવાની દાયકાઓ જૂની પીડા હવે દૂર થવા જઈ રહી છે.

રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં, હું કેટલાક સંતોના માર્ગદર્શન હેઠળ મારા યમ નિયમમાં વ્યસ્ત છું, અને હું તેનું ખૂબ કડક પાલન પણ કરું છું. અને તમારા બધાના આશીર્વાદથી હું આ 11 દિવસમાં તે સાધના કરી શકીશ, જેથી મારાથી કોઈ ચૂક ન રહી જાય. અને આ પવિત્ર કાર્ય કરવાની મને જે પણ તક મળી છે, હું સાક્ષીભાવથી તમારા આશીર્વાદ સાથે ત્યાં જઈશ.

મિત્રો,

આ પણ એક યોગાનુયોગ છે કે તેની શરૂઆત મહારાષ્ટ્રથી...મારા આ અનુષ્ઠાનની શરૂઆત મહારાષ્ટ્રના નાસિકની પંચવટીની ભૂમિથી થઈ છે. આજે રામ ભક્તિથી ભરપૂર વાતાવરણમાં મહારાષ્ટ્રના 1 લાખથી વધુ પરિવારોનો ગૃહપ્રવેશ થઈ રહ્યો છે. હવે મને કહો, મારી ખુશી અનેકગણી વધી જશે કે નહીં? તમારી પણ વધશે કે નહીં? મને ખૂબ જ આનંદ છે કે મહારાષ્ટ્રના આ 1 લાખથી વધુ ગરીબ પરિવારો પણ 22મી જાન્યુઆરીએ સાંજે તેમના પાકાં ઘરોમાં રામ જ્યોતિ પ્રગટાવશે. કરશોને...બધા રામ જ્યોતિ પ્રગટાવશે? સાંજે કરશો? આખા ભારતમાં કરશો?

 

હવે રામના નામ પર તમારા મોબાઈલની ફ્લેશ ચાલુ કરો અને રામ જ્યોતિની પ્રતિજ્ઞા લો. દરેકના મોબાઈલની ફ્લેશ ચાલુ કરો...દરેક વ્યક્તિના. જેના હાથમાં મોબાઈલ ફોન છે. એ…ત્યાં દૂરના લોકો પણ છે…મેં તો વિચાર્યું ન હતું. ફ્લેશ લાઇટ પછી, તે દૃશ્યમાન બને છે કે આટલી મોટી ભીડ છે. કૃપા કરીને તમારા હાથ ઊંચા કરીને બતાવો... શું 22મીએ સાંજે રામ જ્યોતિ પ્રગટાવવામાં આવશે? શાબ્બાશ.

આજે, મહારાષ્ટ્રના વિવિધ શહેરો માટે રૂ. 2000 કરોડના મૂલ્યના 7 AMRUT પ્રોજેક્ટ્સ પણ લોન્ચ કરવામાં આવ્યા છે. હું સોલાપુરના લોકોને અને મહારાષ્ટ્રના મારા ભાઈ-બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને હમણાં જ હું માનનીય મુખ્યમંત્રીને સાંભળી રહ્યો હતો, તેમણે એક વાત કહી કે મોદીજીના કારણે મહારાષ્ટ્રનું ગૌરવ ઘણું વધી રહ્યું છે. શ્રી શિંદેજી, આ સાંભળીને તો સારું લાગે અને રાજકારણીને પણ સારું લાગે. પરંતુ સત્ય એ છે કે મહારાષ્ટ્રની જનતાની મહેનત અને તમારા જેવી પ્રગતિશીલ સરકારને કારણે મહારાષ્ટ્રનું નામ રોશન થઈ રહ્યું છે પ્રખ્યાત થઈ રહ્યું છે. અને તેથી સમગ્ર મહારાષ્ટ્ર અભિનંદનને પાત્ર છે.

મિત્રો,

ભગવાન રામે હંમેશા આપણને આપણા વચનનું ગૌરવ જાળવવાનું શીખવ્યું છે. મને ખુશી છે કે અમે સોલાપુરના હજારો ગરીબો અને હજારો મજૂરો માટે જે સંકલ્પ લીધો હતો તે આજે પૂરો થઈ રહ્યો છે. આજે પીએમ આવાસ યોજના હેઠળ બનેલી દેશની સૌથી મોટી સોસાયટીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને મેં જઈને જોયું છે...મને પણ લાગ્યું કે કાશ! મને પણ બાળપણમાં આવા ઘરમાં રહેવાનો મોકો મળ્યો હોત. જ્યારે હું આ વસ્તુઓ જોઉં છું, ત્યારે મને ખૂબ સંતોષ થાય છે. જ્યારે હજારો પરિવારોના સપના સાકાર થાય છે, ત્યારે તેમના આશીર્વાદ મારી સૌથી મોટી સંપત્તિ બની જાય છે. અને જ્યારે હું આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવા આવ્યો હતો, ત્યારે મેં તમને ખાતરી આપી હતી કે હું તમારા ઘરની ચાવીઓ સોંપવા માટે વ્યક્તિગત રીતે આવીશ. આજે મોદીએ આ ગેરંટી પૂરી કરી છે. તમે જાણો જ છો, મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી. એટલે કે મોદીચી ગારંટી મ્હણજે ગારંટી પૂર્ણ હોણ્યાચી સંપૂર્ણ ગારંટી.

હવે લાખો રૂપિયાના આ મકાનો તમારી મિલકત છે. હું જાણું છું કે જે પરિવારોને આ મકાનો મળ્યા છે તેમની ઘણી પેઢીઓએ બેઘર રહીને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. મને વિશ્વાસ છે કે આ ઘરો સાથે, દુઃખનું દુષ્ચક્ર તૂટી જશે અને તમારા બાળકોને તમે જે જોયું છે તે જોવાની જરૂર નહીં પડે. 22મી જાન્યુઆરીએ તમે જે રામ જ્યોતિ પ્રગટાવશો તે તમારા બધાના જીવનમાંથી ગરીબીના અંધકારને દૂર કરવાની પ્રેરણા બનશે. તમારું જીવન ખુશીઓથી ભરેલું રહે, આ જ ભગવાન રામને મારી પ્રાર્થના છે.

અને હું રામજીનું જે અદ્ભુત ભાષણ સાંભળી રહ્યો હતો તે જોઈ રહ્યો હતો. મને આનંદ થયો કે જ્યારે હું તેમને 2019માં મળ્યો ત્યારે એકદમ પાતળા હતા. આજે જુઓ, ફળો ખાધા પછી, સફળતાના ફળોથી વજન ઘણું વધી ગયું છે. અને આ પણ મોદીની ગેરંટીનું પરિણામ છે. મારા વહાલા ભાઈઓ અને બહેનો, જ્યારે તમને આ ઘરો મળી રહ્યા છે, જ્યારે જીવન શરૂ થઈ રહ્યું છે, ત્યારે મારી એ જ લાગણી છે - "આપલે જીવન સુખાને ભરુન રાહો, હીચ રામ પ્રભુચી ઈચ્છા આહે"

મારા પરિવારજનો,

અમારી સરકાર શ્રી રામના આદર્શોને અનુસરીને દેશમાં સુશાસન આવે અને દેશમાં ઈમાનદારીનું શાસન થાય તે સુનિશ્ચિત કરવા માટે પહેલા દિવસથી જ પ્રયાસ કરી રહી છે. તે રામરાજ્ય છે જેણે સબ કા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસની પ્રેરણા આપી છે. સંત તુલસીદાસજી માનસમાં કહે છે કે-

 

જેહિ વિધિ સુખી હોહિં પુર લોગ. કરહિં કૃપાનિધિ સોઈ સંજોગા.

મતલબ કે કૃપાળુ શ્રી રામચંદ્રજી જેનાથી જનતા ખુશ થાય. જનતાની સેવા કરવાની આનાથી મોટી પ્રેરણા કઈ હોઈ શકે? તેથી જ 2014માં સરકાર બની કે તરત જ મેં કહ્યું હતું કે...મારી સરકાર ગરીબોને સમર્પિત સરકાર છે. તેથી, અમે એક પછી એક એવી યોજનાઓ અમલમાં મૂકી, જેનાથી ગરીબોની મુશ્કેલીઓ ઓછી થાય અને તેમનું જીવન સરળ બને.

 

મિત્રો,

ઘર અને શૌચાલય ન હોવાને કારણે ગરીબોને દરેક પગલે અપમાનિત થવું પડતું હતું. ખાસ કરીને આપણી માતાઓ, બહેનો અને પુત્રીઓ માટે આ બહુ મોટી સજા હતી. અને તેથી સૌ પ્રથમ અમે ગરીબો માટે ઘરો અને શૌચાલય બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અમે 10 કરોડથી વધુ શૌચાલય બનાવ્યા અને ગરીબોને આપ્યા. તે માત્ર શૌચાલય નથી...અમે ઈજ્જતઘર આપ્યું છે, મારી માતાઓ અને બહેનો માટે ઈજ્જતની ગેરંટી આપી છે.

અમે 4 કરોડથી વધુ પાકાં મકાનો બનાવ્યાં અને ગરીબોને આપ્યાં. તમે વિચારી શકો છો… જેમને અહીં ઘર મળ્યું છે તેમને પૂછો… તેમને જીવનમાં કેટલો સંતોષ છે. આ તો માત્ર ત્રીસ હજાર છે, અમે ચાર કરોડને આપી ચૂક્યા છીએ... કેટલો સંતોષ થયો હશે. બે પ્રકારના વિચારો હોય છે. એક- લોકોને ઉશ્કેરતા રહો, ઉશ્કેરતા રહો, લોકોને રાજકીય હેતુ પાર પાડવા ઉશ્કેરતા રહો. અમારો માર્ગ શ્રમના ગૌરવનો છે, અમારો માર્ગ આત્મનિર્ભર કામદારોનો છે, અમારો માર્ગ ગરીબોનું કલ્યાણ છે. અને હું તમને કહેવા માંગુ છું કે નવા ઘરોમાં કોણ રહેવા જઈ રહ્યા છે, તમારે મોટા સપના જોવા જોઈએ, નાના સ્વપ્ન ન જોવા જોઈએ. અને આ તમારા સપનાની મોદીની ગેરંટી છે...આ મારો સંકલ્પ છે.

પહેલાના સમયમાં જે શહેરોમાં માત્ર ઝૂંપડપટ્ટીઓ જ ઝૂંપડપટ્ટી બની હતી, આજે અમે તે ઝૂંપડપટ્ટીમાં રહેવાસીઓને પાકા ઘર આપવાનું કામ કરી રહ્યા છીએ. સરકાર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે ગામડાઓમાંથી આવતા લોકોને આજીવિકા માટે ભાડા પર ઝૂંપડપટ્ટીમાં રહેવું ન પડે. આજે, શહેરોમાં આવી વસાહતો બનાવવામાં આવી રહી છે, જ્યાં આવા મિત્રોને વ્યાજબી ભાડા પર મકાનો મળી શકે છે. અમે એક મોટું અભિયાન ચલાવી રહ્યા છીએ. અમારો પ્રયાસ એ સુનિશ્ચિત કરવાનો છે કે લોકો જ્યાં કામ કરે છે તેની નજીક આવાસ આપવામાં આવે.

મારા પરિવારજનો,

આપણા દેશમાં લાંબા સમય સુધી ગરીબી હટાવવાના નારા લાગતા રહ્યા. પરંતુ આ નારાઓ છતાં ગરીબી દૂર થઈ નથી. આવા નારા ચાલતા હતા...આધી રોટી ખાએંગે. અરે કેમ ભાઈ... લોકો કહેતા હતા કે અડધી રોટલી ખાઈશું અને તમને વોટ આપીશું. તમે અડધી રોટલી કેમ ખાશો... મોદી છે, આખી ખાઈશું. આ સપનું, આ જનતાનો સંકલ્પ... આ જ તો ફરક છે.

અને મિત્રો,

જેમ સોલાપુર કામદારોનું શહેર છે તેમ મારું કાર્યક્ષેત્ર અમદાવાદ હતું. તે પણ કામદારોનું શહેર છે, તે પણ કાપડ કામદારોનું શહેર છે. અમદાવાદ અને સોલાપુર વચ્ચે આટલો ગાઢ સંબંધ છે. અને સોલાપુર સાથે તો મારો વધુ ગાઢ સંબંધ છે. પદમશાલી, ઘણા પરિવારો અમદાવાદમાં રહે છે. અને હું મારા જીવનમાં ભાગ્યશાળી હતો, મારો પદમશાલી પરિવાર મને મારા પૂર્વાશ્રમમાં મહિનામાં ત્રણ-ચાર વખત ખવડાવતો હતો. એક નાનકડી ચાલીમાં રહેતો હતો, ત્રણ જણને બેસવા માટે જગ્યા નહોતી, પણ તેઓ મને ક્યારેય ભૂખ્યો સૂવા દેતા નહોતા. અને મને આશ્ચર્ય થયું, એક દિવસ સોલાપુરના એક સજ્જન... ઘણા વર્ષો થઈ ગયા, મને તેમનું નામ યાદ નથી; તેણે મને ખૂબ જ સરસ ચિત્ર મોકલ્યું, ખૂબ જ સારી રીતે ગોઠવેલું અને વણેલું. મારા જીવનને ઘડવામાં મોટી ભૂમિકા ભજવનાર મહારાષ્ટ્રના સતારાના પ્રખ્યાત વકીલ લક્ષ્મણ રાવ... ક્યાંકથી એ ચિત્ર બનાવ્યું હતું અને તેમણે મને એ અદ્ભુત ચિત્ર મોકલ્યું હતું. આજે પણ સોલાપુર મારા હૃદયમાં વસેલું છે.

મારા પરિજનો,

લાંબા સમયથી આપણા દેશમાં 'ગરીબોને હટાવો' જેવા નારા લગાવવામાં આવ્યા હતાને, પરંતુ આ નારાઓ છતાં ગરીબી દૂર થઈ નહીં. અને તેનું સૌથી મોટું કારણ એ હતું કે ગરીબોના નામે યોજનાઓ બનાવવામાં આવી હતી, પરંતુ તેના વાસ્તવિક લાભાર્થીઓને તેનો લાભ મળ્યો નથી. અગાઉની સરકારોમાં ગરીબોના પૈસા વચેટિયાઓ લૂંટતા હતા. મતલબ કે અગાઉની સરકારોના ઈરાદા, નીતિઓ અને વફાદારી કઠેડામાં હતી. અમારો ઈરાદો સ્પષ્ટ છે અને અમારી નીતિ ગરીબોને સશક્ત કરવાની છે. અમારી વફાદારી દેશ પ્રત્યે છે. મારી નિષ્ઠા ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની છે.

તેથી જ મોદીએ ગેરંટી આપી હતી કે સરકારી લાભો હવે સીધા લાભાર્થીઓ સુધી પહોંચશે... કોઈ વચેટિયા નહીં. અમે લાભાર્થીઓના માર્ગમાં ઊભા રહેલા વચેટિયાઓને દૂર કરવાનું કામ કર્યું. આ લોકો કંઈક બૂમો પાડે છેને, તેનું કારણ એ છે કે તેઓનું મલાઈ ખાવાનું બંધ થઈ ગયું છે. અમે છેલ્લા 10 વર્ષમાં 30 લાખ કરોડ રૂપિયાથી વધુ સીધા ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા છે. જન ધન, આધાર અને મોબાઈલ કવચ બનાવીને અમે લગભગ 10 કરોડ નકલી લાભાર્થીઓને દૂર કર્યા છે જેઓ જન્મ્યા પણ ન હતા અને જેઓ તમારા કલ્યાણના પૈસા ખાઈ રહ્યા હતા. જે દીકરીનો જન્મ ન થયો હોય તે વિધવા થઈ જતી અને સરકાર પાસેથી પૈસા લેવામાં આવતા. બીમાર દર્શાવીને જન્મી ન હોય તેવી વ્યક્તિના નામે પૈસા પડાવવામાં આવતા હતા.

 

મિત્રો,

જ્યારે અમારી સરકારે ગરીબોને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને કામ કર્યું છે અને ગરીબ કલ્યાણ માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે, તેના પરિણામો પણ મળ્યા છે. અમારી સરકારના 9 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ આંકડો નાનો નથી, દસ વર્ષની તપસ્યાનું પરિણામ છે. તે ગરીબો માટે જીવન બલિદાન આપવાના સંકલ્પનું પરિણામ છે. અને જ્યારે આપણે સાચી ઈચ્છા, નિષ્ઠા અને પવિત્રતા સાથે કામ કરીએ છીએ, ત્યારે તેના પરિણામો પણ આપણી આંખો સમક્ષ દેખાય છે, સાહેબ. અને તેના કારણે અન્ય સાથીઓએ પણ આત્મવિશ્વાસ મેળવ્યો છે કે તેઓ પણ ગરીબીને હરાવી શકશે.

મિત્રો,

દેશના 25 કરોડ લોકોએ કેવી રીતે ગરીબીને હરાવી, આ દેશની જનતાની મોટી સફળતા છે. મેં હંમેશા કહ્યું છે કે જો કોઈ ગરીબ વ્યક્તિને સંસાધનો મળે છે, તો તેની પાસે એટલી શક્તિ છે કે તે ગરીબીને હરાવી શકે છે. તેથી, અમે દેશના ગરીબોને સુવિધાઓ, સંસાધનો આપ્યા અને તેમની તમામ ચિંતાઓને દૂર કરવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો. એક સમય એવો હતો જ્યારે ગરીબોની સૌથી મોટી ચિંતા બે ટાઈમ ખાવાની હતી. આજે, અમારી સરકારે દેશના ગરીબોને મફત રાશન આપીને ઘણી ચિંતાઓમાંથી મુક્ત કર્યા છે... તે અડધી રોટલી ખાધા પછી નારા નહીં લગાવે.

કોરોનાના સમયમાં શરૂ થયેલી આ સ્કીમ હવે આગામી 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે. અને હું દેશવાસીઓને વચન આપું છું, મને સંતોષ છે કે 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. અને હું એ પણ જાણું છું કે આવનારા પાંચ વર્ષમાં જે લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે તેમને આપણે બળ આપતા રહેવાનું છે, જેથી કરીને તેઓ કોઈ પણ કારણસર ગરીબીમાં પાછા ન આવે અને ફરી મુશ્કેલીમાં ફસાઈ ન જાય. અને તેથી જ તેઓ ત્યાંની યોજનાઓનો લાભ મેળવતા રહેશે. ખરેખર, આજે મને એમને વધુ આપવાનું મન થાય છે કારણ કે 25 કરોડ લોકો... હિંમતથી મારો સંકલ્પ પૂરો કરવા માટે 50 કરોડ હાથ આજે મારા સાથી બન્યા છે.

અને મિત્રો,

અમે માત્ર મફત રાશનની વ્યવસ્થા જ નથી કરી પરંતુ રેશનકાર્ડને લગતી સમસ્યાનું પણ નિરાકરણ કર્યું છે. અગાઉ એક જગ્યાએ બનેલા રેશનકાર્ડ બીજા રાજ્યમાં માન્ય નહોતા. જો કોઈ મિત્ર કામ માટે બીજા રાજ્યમાં જાય તો તેને ત્યાં રાશન મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. અમે એક દેશ, એક રાશન કાર્ડની વ્યવસ્થા બનાવી છે. આ સાથે, એક રાશન કાર્ડ સમગ્ર દેશ માટે માન્ય છે. જો સોલાપુરનો કોઈ વ્યક્તિ ચેન્નાઈ જઈને વેપાર કરે છે અને પોતાનું જીવનનિર્વાહ કમાય છે, તો તેણે નવું રેશન કાર્ડ ઈશ્યુ કરવાની જરૂર નહીં પડે. ચેન્નાઈમાં પણ તેમને આ રેશન કાર્ડ દ્વારા ભોજન મળતું રહેશે અને આ મોદીની ગેરંટી છે.

મિત્રો,

દરેક ગરીબને હંમેશા ચિંતા રહે છે કે જો તે બીમાર પડી જશે તો તેની સારવાર કેવી રીતે થશે? અને એક વખત ગરીબ પરિવારમાં રોગ આવે છે, પછી મહેનત કરીને ગરીબીમાંથી બહાર આવવાની તેની તમામ યોજનાઓ તૂટી જાય છે, તે રોગને કારણે ફરીથી ગરીબીમાં ફસાઈ જાય છે… આખો પરિવાર ફરીથી મુશ્કેલીમાં ફસાઈ જાય છે. આને સમજીને, અમારી સરકારે આયુષ્માન યોજના શરૂ કરી જે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર પૂરી પાડે છે. આજે આ યોજનાએ ગરીબોને 1 લાખ કરોડ રૂપિયા ખર્ચતા બચાવ્યા છે.

તમે કલ્પના કરી શકો છો, જો મેં 1 લાખ કરોડ રૂપિયાની સ્કીમ જાહેર કરી હોત તો છ દિવસ સુધી અખબારોમાં અથવા તો ટીવી પર હેડલાઈન્સ ચાલતી હોત. પરંતુ આ મોદીની ગેરંટી છે... આ યોજનાએ તમારા ખિસ્સામાં એક લાખ કરોડ રૂપિયા બચાવ્યા અને જીવન બચાવ્યું અને આજે સરકાર પીએમ જન ઔષધિ કેન્દ્રો પર 80 ટકા ડિસ્કાઉન્ટ પર દવાઓ આપી રહી છે. જેના કારણે 30 હજાર કરોડ રૂપિયા ગરીબો દ્વારા ખર્ચવામાં આવતા તે બચી ગયા છે. ગરીબ પરિવારોમાં ગંદુ પાણી પણ રોગનું મુખ્ય કારણ છે. તેથી જ અમારી સરકાર આજે જલ જીવન મિશન ચલાવી રહી છે, દરેક ઘરને પાણીના કનેક્શન સાથે જોડે છે.

મિત્રો,

આ યોજનાઓના લાભાર્થીઓમાં સૌથી વધુ સંખ્યા પછાત અને આદિવાસી સમુદાયના લોકોની છે. ગરીબોને કાયમી ઘર, શૌચાલય, વિજળી કનેક્શન, પાણી, આવી તમામ સુવિધાઓ મળવી જોઈએ... સાચા અર્થમાં સામાજિક ન્યાયની આ મોદીની ગેરંટી છે. સંત રવિદાસજીએ આ સામાજિક ન્યાયનું સ્વપ્ન જોયું હતું. કબીરદાસજીએ આ ભેદભાવ રહિત અવસરની વાત કરી હતી. આ સામાજિક ન્યાયનો માર્ગ જ્યોતિબા ફૂલે-સાવિત્રીબાઈ ફૂલે અને બાબા સાહેબ આંબેડકરે બતાવ્યો હતો.

 

મારા પરિવારજનો,

ગરીબમાં ગરીબને પણ આર્થિક સુરક્ષાનું કવચ મળવું જોઈએ એ મોદીની ગેરંટી છે. 10 વર્ષ પહેલા સુધી ગરીબ પરિવારો જીવન વીમા વિશે વિચારી પણ શકતા ન હતા. આજે તેમને રૂપિયા 2-2 લાખ સુધીનું અકસ્માત અને જીવન વીમા રક્ષણ મળ્યું છે. આ વીમા સુરક્ષા મેળવ્યા પછી, આ આંકડો તમને પણ ખુશ કરશે... એવા ગરીબ પરિવારોને 16 હજાર કરોડ રૂપિયા મળ્યા છે જેમણે તેમના પરિવારમાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને તે વીમાના રૂપમાં તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા.

મિત્રો,

આજે મોદીની ગેરંટી તે લોકો માટે સૌથી વધુ ઉપયોગી છે જેમની પાસે બેંકની ગેરંટી આપવા માટે કંઈ જ નહોતું. અહીં આ ગૃહમાં પણ એવા ઘણા મિત્રો છે જેમનું 2014 સુધી બેંક ખાતું પણ નહોતું. જ્યારે તેમની પાસે બેંક ખાતા ન હતા તો તેઓ બેંકો પાસેથી લોન કેવી રીતે મેળવી શકે? જન ધન યોજના ચલાવીને અમારી સરકારે 50 કરોડ ગરીબ લોકોને દેશની બેંકિંગ સિસ્ટમ સાથે જોડ્યા છે. આજે અહીં PM સ્વાનિધિના 10 હજાર લાભાર્થીઓને પણ બેંકો તરફથી મદદ આપવામાં આવી છે...અને મને અહીં કેટલાક ટોકન્સ આપવાની તક મળી છે.

દેશભરમાં શેરી વિક્રેતાઓ અને ફૂટપાથ પર નાની-મોટી નોકરી કરતા લોકો... જે લોકો તેમની સોસાયટીમાં શાકભાજી વેચવા આવે છે, દૂધ વેચતા લોકો, અખબાર વેચતા લોકો, રસ્તા પર ઉભા રહીને રમકડા વેચતા લોકો, ફૂલો વેચતા લોકો... કોઈએ અગાઉ આવા લાખો મિત્રોને પૂછ્યું નહતું. અને જેમને કોઈએ પૂછ્યું નહીં, મોદીએ તેમની પૂજા કરી. આજે મોદીએ પહેલીવાર તેમને પૂછ્યું છે અને તેમની મદદ માટે આગળ આવ્યા છે. અગાઉ આ મિત્રોએ બજારમાંથી મોંઘા વ્યાજે લોન લેવી પડતી હતી કારણ કે તેમની પાસે બેંકને આપવાની કોઈ ગેરંટી ન હતી. મોદીએ તેમની ગેરંટી લીધી…મેં બેંકોને કહ્યું, આ મારી ગેરંટી છે, તેમને પૈસા આપો, આ ગરીબ લોકો તે પરત કરશે…મને ગરીબોમાં વિશ્વાસ છે. અને આજે આ સ્ટ્રીટ વેન્ડરોને બેંકો પાસેથી કોઈ ગેરંટી વગર લોન મળી રહી છે. અત્યાર સુધી આવા મિત્રોને હજારો કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે.

મારા પરિવારજનો,

સોલાપુર એ ઉદ્યોગોનું શહેર છે, મહેનતુ મજૂર ભાઈઓ અને બહેનોનું શહેર છે. અહીં ઘણા મિત્રો બાંધકામ અને લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો સાથે જોડાયેલા છે. સોલાપુરનો કાપડ ઉદ્યોગ દેશ અને દુનિયામાં ઓળખાય છે. સોલાપુરી ચાદર વિશે કોણ નથી જાણતું? દેશમાં ગણવેશમાં કામ કરતા MSMEનું સૌથી મોટું ક્લસ્ટર સોલાપુરમાં છે. મને કહેવામાં આવ્યું છે કે વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં યુનિફોર્મ માટે ઓર્ડર આવે છે.

મિત્રો,

કપડાં સીવવાનું આ કામ ઘણી પેઢીઓથી ચાલતું આવ્યું છે. પેઢીઓ બદલાઈ, ફેશન બદલાઈ, પણ કપડાં સિલાઈ કરનારા મિત્રો વિશે કોઈએ ક્યારેય વિચાર્યું? હું તેમને મારા વિશ્વકર્મા સાથી માનું છું. આવા દરેક વિશ્વકર્મા મિત્રનું જીવન બદલવા માટે અમે PM વિશ્વકર્મા યોજના બનાવી છે. અને ક્યારેક તમે મારું જેકેટ જુઓ છો, સોલાપુરનો મારો એક મિત્ર તેમાંથી કેટલાક જેકેટ બનાવે છે અને મને મોકલે છે. જ્યારે હું ના પાડું ત્યારે પણ તે મોકલતો રહે છે. એકવાર મેં તેને ફોન કર્યો અને ખૂબ ઠપકો આપ્યો...ભાઈ, મને મોકલશો નહીં. કહ્યું ના સાહેબ, આજે પણ મળી ગયો, બલ્કે... હું લાવ્યો છું.

 

મિત્રો,

વિશ્વકર્મા યોજના હેઠળ આ સાથીઓને તાલીમ આપવામાં આવી રહી છે અને આધુનિક સાધનો આપવામાં આવી રહ્યા છે. તેમના કામને આગળ વધારવા માટે, તેઓ કોઈપણ ગેરેંટી વિના બેંકો પાસેથી લાખો રૂપિયાની લોન પણ મેળવી રહ્યા છે. તેથી, હું સોલાપુરના તમામ વિશ્વકર્મા મિત્રોને આ યોજનામાં ઝડપથી જોડાવા માટે કહીશ. આજકાલ વિકાસ ભારત સંકલ્પ યાત્રા દરેક ગામ અને વિસ્તાર સુધી પહોંચી રહી છે. આ મોદીની ગેરંટીવાળી ગાડી છે. આમાં તમે પીએમ વિશ્વકર્મા સહિત સરકારની દરેક યોજના સાથે જોડાઈ શકો છો.

મારા પરિવારજનો,

વિકસિત ભારત બનાવવા માટે આત્મનિર્ભર ભારત બનવું જરૂરી છે. વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે આત્મનિર્ભર ભારત બનાવવું જરૂરી છે. અને આત્મનિર્ભર ભારત બનાવવામાં આપણા નાના, સૂક્ષ્મ અને કુટીર ઉદ્યોગોનો મોટો ફાળો છે. તેથી, કેન્દ્ર સરકાર MSME અને નાના ઉદ્યોગોને સતત પ્રોત્સાહન આપી રહી છે. જ્યારે MSMEs કોરોનાના સમયગાળા દરમિયાન સંકટમાં હતા, ત્યારે સરકારે તેમને લાખો કરોડ રૂપિયાની સહાય પૂરી પાડી હતી. આનાથી નાના પાયાના ઉદ્યોગોમાં મોટી સંખ્યામાં નોકરીઓ જતી રહી.

આજે સરકાર દેશના દરેક જિલ્લામાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ સ્કીમ પણ ચલાવી રહી છે. વોકલ ફોર લોકલનું અભિયાન આજે આપણા નાના ઉદ્યોગો વિશે પણ જાગૃતિ લાવી રહ્યું છે. આજે જેમ જેમ વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી રહી છે તેમ મેડ ઈન ઈન્ડિયા ઉત્પાદનોની શક્યતાઓ પણ વધી રહી છે. કેન્દ્ર સરકારના આ તમામ અભિયાનોનો લાભ સોલાપુરના લોકો અને અહીંના ઉદ્યોગોને મળી રહ્યો છે.

 

મારા પરિવારજનો,

અમારી કેન્દ્ર સરકારના ત્રીજા કાર્યકાળમાં ભારત પણ વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થવા જઈ રહ્યું છે. મેં દેશવાસીઓને બાંયધરી આપી છે કે મારા આવનારા કાર્યકાળમાં હું ભારતને વિશ્વના પ્રથમ ત્રણ દેશોમાં સ્થાન અપાવીશ... મોદીએ આ ગેરંટી આપી છે. અને તમારા વિશ્વાસથી મને લાગે છે કે મારી આ ગેરંટી પૂરી થશે. તમારા આશીર્વાદની શક્તિ છે. આપણા મહારાષ્ટ્રના સોલાપુર જેવા ઘણા શહેરોની અર્થવ્યવસ્થાના આ વિસ્તરણમાં મોટી ભૂમિકા છે.

 

તેથી ડબલ એન્જિન સરકાર આ શહેરોમાં પાણી અને ગટર જેવી સુવિધાઓમાં સતત સુધારો કરી રહી છે. શહેરોને સારા રસ્તા, રેલ્વે અને હવાઈ માર્ગોથી જોડવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. સંત જ્ઞાનેશ્વર મહારાજ પાલખી માર્ગ હોય કે સંત તુકારામ પાલખી માર્ગ, આના પર પણ કામ ઝડપથી ચાલી રહ્યું છે. રત્નાગીરી, કોલ્હાપુર અને સોલાપુર વચ્ચે ફોર લેન હાઈવેનું કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આવા વિકાસ માટે તમારા પરિવારના તમામ સભ્યોએ અમને બધાને આશીર્વાદ આપ્યા છે.

આ આશીર્વાદ આવા જ રહે, આ વિશ્વાસ સાથે આજે જે મિત્રોને પોતાનું કાયમી ઘર મળ્યું છે તેમને ફરી અભિનંદન. મારી સાથે બોલો, બંને હાથ ઉંચા કરીને કહો-

ભારત માતાની જય...નો અવાજ સમગ્ર મહારાષ્ટ્ર સુધી પહોંચવો જોઈએ.

ભારત માતા અમર રહે

ભારત માતા અમર રહે

ભારત માતા અમર રહે

તમે જે જયકાર કરી રહ્યા છો…આ જયકારમાં દેશના દરેક ગરીબમાં નવો આત્મવિશ્વાસ પેદા કરવાની શક્તિ છે.

ખૂબ ખૂબ આભાર.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Enclosures Along Kartavya Path For R-Day Parade Named After Indian Rivers

Media Coverage

Enclosures Along Kartavya Path For R-Day Parade Named After Indian Rivers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
The Beating Retreat ceremony displays the strength of India’s rich military heritage: PM
January 29, 2026
Prime Minister shares Sanskrit Subhashitam emphasising on wisdom and honour in victory

The Prime Minister, Shri Narendra Modi, said that the Beating Retreat ceremony symbolizes the conclusion of the Republic Day celebrations, and displays the strength of India’s rich military heritage. "We are extremely proud of our armed forces who are dedicated to the defence of the country" Shri Modi added.

The Prime Minister, Shri Narendra Modi,also shared a Sanskrit Subhashitam emphasising on wisdom and honour as a warrior marches to victory.

"एको बहूनामसि मन्य ईडिता विशं विशं युद्धाय सं शिशाधि।

अकृत्तरुक्त्वया युजा वयं द्युमन्तं घोषं विजयाय कृण्मसि॥"

The Subhashitam conveys that, Oh, brave warrior! your anger should be guided by wisdom. You are a hero among the thousands. Teach your people to govern and to fight with honour. We want to cheer alongside you as we march to victory!

The Prime Minister wrote on X;

“आज शाम बीटिंग रिट्रीट का आयोजन होगा। यह गणतंत्र दिवस समारोहों के समापन का प्रतीक है। इसमें भारत की समृद्ध सैन्य विरासत की शक्ति दिखाई देगी। देश की रक्षा में समर्पित अपने सशस्त्र बलों पर हमें अत्यंत गर्व है।

एको बहूनामसि मन्य ईडिता विशं विशं युद्धाय सं शिशाधि।

अकृत्तरुक्त्वया युजा वयं द्युमन्तं घोषं विजयाय कृण्मसि॥"