રાષ્ટ્રીય અંતિરક્ષ દિવસ ભારતના યુવાનો માટે ઉત્સાહ અને પ્રેરણાનો પ્રસંગ બની ગયો છે, રાષ્ટ્ર માટે ગર્વની વાત છે; હું આ પ્રસંગે અંતરિક્ષ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકો - વૈજ્ઞાનિકો અને યુવા નાગરિકોને મારી શુભેચ્છાઓ પાઠવું છું: પ્રધાનમંત્રી
અંતરિક્ષ ક્ષેત્રમાં એક પછી એક સીમાચિહ્ન હાંસલ કરવા એ હવે ભારત અને તેના વૈજ્ઞાનિકો માટે એક સ્વભાવિક ગુણ બની ગયો છે: પ્રધાનમંત્રી
ભારત સેમી-ક્રાયોજેનિક એન્જિન અને ઇલેક્ટ્રિક પ્રોપલ્શન જેવી મહત્વપૂર્ણ તકનીકોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે, અને ખૂબ જ ટૂંક સમયમાં, આપણા વૈજ્ઞાનિકોના સમર્પિત પ્રયાસોથી, ભારત ગગનયાન મિશન લોન્ચ કરશે અને આગામી વર્ષોમાં પોતાનું સ્પેસ સ્ટેશન પણ બનાવશે: પ્રધાનમંત્રી
ભારતમાં અંતરિક્ષ ટેકનોલોજી શાસનનો અભિન્ન ભાગ બની રહી છે - પછી ભલે તે પાક વીમા યોજનાઓમાં ઉપગ્રહ-આધારિત મૂલ્યાંકન હોય, માછીમારો માટે ઉપગ્રહ-આધારિત માહિતી અને સુરક્ષા હોય, આપત્તિ વ્યવસ્થાપન પ્રયાસો હોય કે પછી પ્રધાનમંત્રી ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનમાં ભૂ-અવકાશી ડેટાનો ઉપયોગ હોય: પ્રધાનમંત્રી
અંતરિક્ષમાં ભારતની પ્રગતિ હવે સામાન્ય નાગરિકોના જીવનને સરળ બનાવવામાં સીધી રીતે ફાળો આપી રહી છે: પ્રધાનમંત્રી

કેન્દ્રીય મંત્રીમંડળના સાથીઓ, ઇસરો અને અંતરિક્ષ ક્ષેત્રના તમામ વૈજ્ઞાનિકો અને ઇજનેરો અને મારા પ્રિય દેશવાસીઓ!

રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની આપ સૌને શુભકામનાઓ. આ વખતે અંતરિક્ષ દિવસની થીમ છે - આર્યભટ્ટથી ગગનયાન સુધી! તેમાં ભૂતકાળનો આત્મવિશ્વાસ અને ભવિષ્ય માટેનો સંકલ્પ છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે આટલા ટૂંકા સમયમાં, રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ આપણા યુવાનોમાં ઉત્સાહ અને આકર્ષણનો પ્રસંગ બની ગયો છે. આ દેશ માટે ગર્વની વાત છે. હું અંતરિક્ષ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકો, વૈજ્ઞાનિકો, તમામ યુવાનોને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ પર અભિનંદન આપું છું. તાજેતરમાં ભારતે ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર પર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડનું પણ આયોજન કર્યું છે. વિશ્વના સાઠથી વધુ દેશોના લગભગ 300 યુવાનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ભારતના યુવાનોએ પણ મેડલ જીત્યા, આ ઓલિમ્પિયાડ અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતના ઉભરતા નેતૃત્વનું પ્રતીક છે.

અંતરિક્ષ ક્ષેત્રમાં એક પછી એક નવા સીમાચિહ્નો બનાવવા એ ભારત અને તેના વૈજ્ઞાનિકોનો સ્વભાવ બની ગયો છે. બે વર્ષ પહેલાં, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચીને ઇતિહાસ રચનાર પ્રથમ દેશ બન્યો. આપણે અંતરિક્ષમાં ડોકિંગ-અનડોકિંગ કરવાની ક્ષમતા ધરાવતો વિશ્વનો ચોથો દેશ પણ બન્યો છીએ. માત્ર ત્રણ દિવસ પહેલાં હું ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને મળ્યો હતો. તેમણે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથક પર ત્રિરંગો લહેરાવીને દરેક ભારતીયને ગર્વથી ભરી દીધો હતો. તે ક્ષણ જ્યારે તેઓ મને ત્રિરંગો બતાવી રહ્યા હતા તે અનુભૂતિ શબ્દોની બહાર છે. ગ્રુપ કેપ્ટન શુભાંશુ સાથેની મારી ચર્ચામાં, મેં નવા ભારતના યુવાનોની અપાર હિંમત અને અનંત સપના જોયા છે. આ સપનાઓને આગળ વધારવા માટે અમે ભારતનો "અંતરિક્ષયાત્રી પૂલ" પણ તૈયાર કરવા જઈ રહ્યા છીએ. આજે, અંતરિક્ષ દિવસ પર હું મારા યુવા મિત્રોને ભારતના સપનાઓને પાંખો આપવા માટે આ અંતરિક્ષયાત્રી પૂલમાં જોડાવા આમંત્રણ આપું છું.

મિત્રો,

આજે ભારત સેમી-ક્રાયોજેનિક એન્જિન અને ઇલેક્ટ્રિક પ્રોપલ્શન જેવી પ્રગતિશીલ તકનીકોમાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. ટૂંક સમયમાં આપ સૌ વૈજ્ઞાનિકોની મહેનતથી, ભારત ગગનયાન પણ ઉડાવશે અને આવનારા સમયમાં, ભારત પોતાનું અંતરિક્ષ મથક પણ બનાવશે. અત્યારે આપણે ચંદ્ર અને મંગળ પર પહોંચી ગયા છીએ. હવે આપણે અંતરિક્ષના તે ભાગોમાં તપાસ કરવાની છે, જ્યાં માનવતાના ભવિષ્ય માટે ઘણા મહત્વપૂર્ણ રહસ્યો છુપાયેલા છે! આકાશગંગાની પેલે પાર આપણી ક્ષિતિજ છે!!!

મિત્રો,

અનંત અંતરિક્ષ હંમેશા આપણને એવો અનુભવ કરાવે છે કે કોઈ પણ વિરામ અંતિમ વિરામ નથી. મારું માનવું છે કે અંતરિક્ષ ક્ષેત્રમાં, નીતિગત સ્તરે પણ કોઈ અંતિમ વિરામ હોવો જોઈએ નહીં. અને તેથી જ, મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, આપણો માર્ગ સુધારા, પ્રદર્શન અને પરિવર્તનનો માર્ગ છે. એટલા માટે છેલ્લા 11 વર્ષોમાં દેશે અંતરિક્ષ ક્ષેત્રમાં એક પછી એક મોટા સુધારા કર્યા છે. એક સમય હતો જ્યારે અંતરિક્ષ જેવા ભવિષ્યવાદી ક્ષેત્રને દેશમાં અનેક પ્રતિબંધો સાથે બાંધવામાં આવ્યું હતું. અમે આ બેડીઓ ખોલી નાખી છે. અમે અંતરિક્ષ-ટેકમાં ખાનગી ક્ષેત્રને મંજૂરી આપી છે, અને આજે જુઓ દેશમાં 350થી વધુ સ્ટાર્ટઅપ્સ અંતરિક્ષ-ટેકમાં નવીનતા અને પ્રવેગના એન્જિન તરીકે ઉભરી રહ્યા છે. તેમની હાજરી પણ આ કાર્યક્રમમાં દેખાય છે. આપણા ખાનગી ક્ષેત્ર દ્વારા બનાવેલ પ્રથમ PSLV રોકેટ પણ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. મને ખુશી છે કે ભારતનો પ્રથમ ખાનગી સંચાર ઉપગ્રહ પણ બનાવવામાં આવી રહ્યો છે. જાહેર ખાનગી ભાગીદારી દ્વારા પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ નક્ષત્ર લોન્ચ કરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. જેમ તમે કલ્પના કરી શકો છો, અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતના યુવાનો માટે મોટી સંખ્યામાં તકો ઊભી થવા જઈ રહી છે.

મિત્રો,

15 ઓગસ્ટના રોજ, લાલ કિલ્લા પરથી મેં એવા ઘણા ક્ષેત્રોનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં ભારત માટે આત્મનિર્ભર બનવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેં દરેક ક્ષેત્રને પોતાના લક્ષ્યો નક્કી કરવા કહ્યું છે. આજે અંતરિક્ષ દિવસ પર, હું દેશના અંતરિક્ષ સ્ટાર્ટઅપ્સને પૂછીશ કે શું આપણે આગામી પાંચ વર્ષમાં અંતરિક્ષ ક્ષેત્રમાં પાંચ યુનિકોર્ન બનાવી શકીએ? હાલમાં આપણે ભારતીય ધરતી પરથી એક વર્ષમાં 5-6 મોટા પ્રક્ષેપણ જોઈ રહ્યા છીએ. હું ઈચ્છું છું કે ખાનગી ક્ષેત્ર આગળ આવે અને આગામી 5 વર્ષમાં આપણે એવી સ્થિતિમાં પહોંચીએ જ્યાં આપણે દર વર્ષે પચાસ રોકેટ લોન્ચ કરી શકીએ. દર અઠવાડિયે એક, આ માટે સરકાર પાસે દેશને જરૂરી આગામી પેઢીના સુધારા કરવાનો ઈરાદો અને ઇચ્છાશક્તિ છે. હું તમને ખાતરી આપું છું કે સરકાર દરેક પગલે તમારી સાથે ઉભી છે.

મિત્રો,

ભારત અંતરિક્ષ ટેકનોલોજીને વૈજ્ઞાનિક સંશોધન તેમજ જીવનની સરળતાનું માધ્યમ માને છે. આજે ભારતમાં અંતરિક્ષ-ટેકનોલોજી પણ શાસનનો ભાગ બની રહી છે. પાક વીમા યોજનામાં ઉપગ્રહ-આધારિત મૂલ્યાંકન હોય, ઉપગ્રહ દ્વારા માછીમારોને આપવામાં આવતી માહિતી અને સુરક્ષા હોય, આપત્તિ વ્યવસ્થાપન હોય કે પછી પીએમ ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનમાં ભૂ-અવકાશી ડેટાનો ઉપયોગ હોય, આજે અંતરિક્ષમાં ભારતની પ્રગતિ સામાન્ય નાગરિકોના જીવનને સરળ બનાવી રહી છે. આ દિશામાં કેન્દ્ર અને રાજ્યોમાં અંતરિક્ષ-ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે ગઈકાલે રાષ્ટ્રીય મીટ 2.0નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હું ઈચ્છું છું કે ભવિષ્યમાં પણ આવા પ્રયાસો ચાલુ રહે. આપણા અંતરિક્ષ સ્ટાર્ટઅપ્સ નાગરિકોની સેવા માટે નવા ઉકેલો પૂરા પાડે, નવી નવીનતાઓ કરે. મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં, અંતરિક્ષમાં ભારતની સફર નવી ઊંચાઈઓને સ્પર્શશે. આ વિશ્વાસ સાથે, ફરી એકવાર રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ પર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આભાર!

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India Post posts Rs 15,296 crore revenue in FY26, up 16%: Scindia

Media Coverage

India Post posts Rs 15,296 crore revenue in FY26, up 16%: Scindia
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays homage to Adi Shankaracharya
April 21, 2026

The Prime Minister, Shri Narendra Modi, paid tributes to one of India’s greatest spiritual luminaries, Adi Shankaracharya, on his Jayanti today. Shri Modi remarked that his profound teachings, thoughts and philosophy of Advaita Vedanta continue to guide innumerable people globally. And his efforts to revitalise spiritual thought and establish spiritual centres across the nation remain a lasting inspiration."May his wisdom continue to illuminate our path and strengthen our commitment to truth, compassion and collective well-being", Shri Modi added.

The Prime Minister posted on X:

"On the sacred occasion of Adi Shankaracharya Jayanti, paying homage to one of India’s greatest spiritual luminaries. His profound teachings, thoughts and philosophy of Advaita Vedanta continue to guide innumerable people globally. He emphasised harmony, discipline and the oneness of all existence. His efforts to revitalise spiritual thought and establish spiritual centres across the nation remain a lasting inspiration. May his wisdom continue to illuminate our path and strengthen our commitment to truth, compassion and collective well-being."