રાષ્ટ્રપતિજીએ વિકસિત ભારત તરફની ભારતની યાત્રામાં છેલ્લા એક વર્ષમાં થયેલી ઝડપી પ્રગતિ પર સ્પષ્ટપણે પ્રકાશ પાડ્યો છે: PM
આ સદીનો બીજો ક્વાર્ટર વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ રહેશે: પ્રધાનમંત્રી
દરેક નાગરિક અનુભવે છે કે રાષ્ટ્ર એક નિર્ણાયક ક્ષણે પહોંચ્યું છે અને પાછું વળીને જોયા વગર આગળ વધતું રહેવું જોઈએ: PM
ભારત ગ્લોબલ સાઉથના મજબૂત અવાજ તરીકે ઉભરી આવ્યું છે: PM
રાષ્ટ્રના યુવાનો માટે, આ અનંત તકોનો સમય છે: PM
ગમે તેટલા પડકારો હોય, આપણી પાસે 140 કરોડ ઉકેલો છે: PM
ભારત હવે તક ગુમાવશે નહીં, તે હવે આગળથી નેતૃત્વ કરશે: PM

આદરણીય સભાપતિજી,

રાષ્ટ્રપતિ જીના અભિભાષણ પર આભાર વ્યક્ત કરવા માટે હું ઉપસ્થિત થયો છું.

આદરણીય સભાપતિજી,

આ આભાર પ્રસ્તાવ પર સમર્થન માટે આ સદનમાં પોતાની ભાવનાઓ વ્યક્ત કરવી તેને હું મારું સૌભાગ્ય માનું છું.

આદરણીય સભાપતિજી,

વિકસિત ભારતની યાત્રામાં વિતેલા વર્ષો દેશની ઝડપી પ્રગતિથી વિકાસના વર્ષો રહ્યા છે. જીવનના દરેક ક્ષેત્રમાં, સમાજના દરેક વર્ગને, તેમના જીવનમાં પરિવર્તનનો એક કાળખંડ રહ્યો છે, એક સાચી દિશામાં, ઝડપી ગતિએ દેશ આગળ વધી રહ્યો છે. આદરણીય રાષ્ટ્રપતિજીએ ખૂબ જ સરસ રીતે, પૂરી સંવેદનશીલતા સાથે, તેમણે આ વિષયને આપણા સૌની સામે પ્રસ્તુત કર્યો છે.

આદરણીય સભાપતિજી,

મારી એક પ્રાર્થના છે, આદરણીય ખડગેજીની ઉંમર જોતા, તેઓ બેસીને પણ સૂત્રો બોલી શકે છે, તો સારું રહેશે, જેથી તેમને કષ્ટ ના થાય, પાછળ યુવાનો ઘણા લોકો છે, તો ખડગેજીને તમે બેસતા-બેસતા પણ સૂત્રો ત્યાંથી જ (બોલવાની) અનુમતિ આપી દો.

આદરણીય સભાપતિજી,

રાષ્ટ્રપતિજીએ આ દેશના મધ્યમ વર્ગ, આ દેશના નિમ્ન મધ્યમ વર્ગ, આ દેશના ગરીબ, આ દેશના ગામડાં, આ દેશના કિસાન, મહિલાઓ, વિજ્ઞાન હોય, ટેકનોલોજી હોય, કૃષિ હોય, તમામ વિષયોને લઈને ખૂબ જ વિગતવાર ભારતની પ્રગતિનો એક સૂર સંસદમાં ગુંજ્યો છે. દેશના યુવાનો ભારતના સામર્થ્યને કેવી રીતે આગળ વધારી રહ્યા છે, તેની પણ વિગતવાર ચર્ચા કરી છે. દરેક વર્ગના સામર્થ્યને તેમણે શબ્દાંકિત કર્યું છે, અને એટલું જ નહીં, આદરણીય રાષ્ટ્રપતિ જીએ ભારતના ઉજ્જવળ ભવિષ્ય પ્રત્યે એક વિશ્વાસ વ્યક્ત કર્યો છે, આ પોતાનામાં જ, આપણા સૌના માટે પ્રેરક છે.

આદરણીય સભાપતિજી,

21મી સદીનો પ્રથમ ક્વાર્ટર (પચીસ વર્ષ) પૂરો થઈ ચૂક્યો છે, પરંતુ આ બીજો ક્વાર્ટર જેમ પાછલી શતાબ્દીમાં ભારતની આઝાદીના જંગમાં બીજો ક્વાર્ટર ખૂબ જ નિર્ણાયક રહ્યો હતો. હું સાફ-સાફ જોઈ રહ્યો છું કે વિકસિત ભારતના નિર્માણની દિશામાં આ બીજો ક્વાર્ટર પણ એટલો જ સામર્થ્યવાન થવાનો છે, એટલી જ ઝડપી ગતિએ આગળ વધવાનો છે.

અને તેથી જ આદરણીય સભાપતિજી,

રાષ્ટ્રની દરેક વ્યક્તિ આ અનુભવી રહી છે કે, એક મહત્વના પડાવ પર આપણે પહોંચી ચૂક્યા છીએ, હવે ના આપણે રોકાવું છે, ના આપણે પાછળ વળીને જોવું છે, હવે આપણે આગળ ને આગળ જ જોવાનું છે, અને ઝડપી ગતિએ ચાલવાનું છે, અને લક્ષ્ય પ્રાપ્ત કરીને જ આપણે શ્વાસ લેવાનો છે, તે દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ.

આદરણીય સભાપતિજી,

વર્તમાનમાં જો આપણે જોઈએ તો ભારતના ભાગ્યના અનેક સુયોગો એકસાથે આપણને નસીબ થયા છે. આ પોતાનામાં જ ખૂબ જ ઉત્તમ સંયોગ છે એવું હું માનું છું. સૌથી મોટી વાત એ છે કે, વિશ્વના સમૃદ્ધમાં સમૃદ્ધ દેશો પણ વૃદ્ધ થતા જઈ રહ્યા છે, ત્યાંની વસ્તી ઉંમરના તે પડાવ પર પહોંચી છે, જેમને આપણે વૃદ્ધ તરીકે ઓળખતા હતા. આપણો દેશ એવો છે, જે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે, તે જ સમયે દિવસે-દિવસે આપણો દેશ યુવાન થતો જઈ રહ્યો છે, યુવા વસ્તી ધરાવતો દેશ છે, આ પોતાનામાં એક ખૂબ જ સારો સુયોગ છે.

આદરણીય સભાપતિજી,

બીજી તરફ હું જોઈ રહ્યો છું, જે પ્રકારે વિશ્વનું ભારત પ્રત્યે આકર્ષણ વધ્યું છે, અને તેમાં પણ વિશ્વ ભારતના ટેલેન્ટ (પ્રતિભા) નું માહાત્મ્ય સમજી રહ્યું છે. આપણી પાસે આજે દુનિયાનો બહુ જ મહત્વપૂર્ણ ટેલેન્ટ પૂલ છે, યુવા ટેલેન્ટ પૂલ છે, જેની પાસે સપના પણ છે, સંકલ્પ પણ છે, સામર્થ્ય પણ છે, અને તેથી આ બીજો સુયોગ છે, શક્તિના આશીર્વાદ આપણી સાથે છે.

આદરણીય સભાપતિજી,

ભારત આજે વિશ્વમાં જે પડકારો ઉભા થઈ રહ્યા છે, તે પડકારોનું સમાધાન આપનારો એક દેશ આશાનું કિરણ બની રહ્યો છે, અને આપણે સમાધાન આપી રહ્યા છીએ. તેવો એક મહત્વપૂર્ણ સુયોગ છે કે આજે મેજર ઇકોનોમીમાં ભારતનો ગ્રોથ (વૃદ્ધિ દર) ખૂબ જ હાઈ છે, અને હાઈ ગ્રોથ અને લો ઇન્ફ્લેશન (નીચો ફુગાવો), આ બહુ જ યુનિક સંયોગ છે, અને આ આપણી અર્થવ્યવસ્થાની મજબૂતીને પ્રદર્શિત કરે છે.

આદરણીય સભાપતિજી,

આપણે જે ગતિએ આગળ વધી રહ્યા છીએ, જ્યારે આપણને દેશની જનતાએ સેવા કરવાની તક આપી, ત્યારે ‘Fragile Five’ (પાંચ નબળા અર્થતંત્રો) તરીકે આ દેશ ઓળખાતો હતો, જ્યારે આપણને અવસર મળ્યો ત્યારે, દેશ આઝાદ થયો ત્યારે આપણે દુનિયામાં 6 નંબરની ઇકોનોમી હતા પરંતુ આ લોકોએ એવી હાલત કરીને રાખી કે 11 પર પહોંચાડી દીધા, આજે આપણે ત્રણ પર જવાની દિશામાં ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છીએ.

આદરણીય સભાપતિજી,

આજે કોઈ પણ સેક્ટર જોઈ લો પછી ભલે સાયન્સ હોય, સ્પેસ હોય, સ્પોર્ટ્સ હોય, દરેક ક્ષેત્રમાં આજે ભારત એક કોન્ફિડન્સ (વિશ્વાસ) સાથે, આત્મવિશ્વાસથી ભરેલું ભારત છે. કોવિડ પછી વિશ્વમાં જે સ્થિતિઓ પેદા થઈ, અને એવી નવી-નવી વસ્તુઓ જોડાઈ ગઈ, આજે દુનિયા સંભાળી નથી શકતી, એવામાં સાફ-સાફ નજર આવી રહ્યું છે કે દુનિયા એક નવા ગ્લોબલ ઓર્ડર તરફ, નવા વર્લ્ડ ઓર્ડર તરફ આગળ વધી રહી છે. સેકન્ડ વર્લ્ડ વોર (બીજા વિશ્વયુદ્ધ) પછી, એક વર્લ્ડ ઓર્ડર બન્યો હતો, હવે એક નવા વર્લ્ડ ઓર્ડર તરફ વિશ્વ બહુ ઝડપથી આગળ વધી રહ્યું છે, અને સૌથી મોટી ખુશીની વાત છે કે, બધી જ ઘટનાઓનું અરાજકીય રીતે, નિષ્પક્ષ ભાવે વિશ્લેષણ કરશો, તો ઝુકાવ ભારત તરફ છે. વિશ્વ મિત્ર તરીકે, વિશ્વ બંધુ તરીકે, આજે ભારત અનેક દેશોનો વિશ્વાસપાત્ર પાર્ટનર બન્યું છે, અને આપણે ખભેથી ખભો મિલાવીને, વિશ્વ કલ્યાણની દિશામાં પણ પોતાની ઉચિત ભૂમિકા ભજવી રહ્યા છીએ, પોતાના સામર્થ્યથી સહાય પણ કરી રહ્યા છીએ.

આદરણીય સભાપતિજી,

આજે આખું વિશ્વ ગ્લોબલ સાઉથની ચર્ચા કરે છે, પરંતુ તે ચર્ચાના સૂત્રધાર તરીકે આજે ભારત વૈશ્વિક મંચો પર ગ્લોબલ સાઉથનો બુલંદ અવાજ બની ગયું છે. અનેક દેશોની સાથે આજે ભારત ‘ફ્યુચર રેડી ટ્રેડ ડીલ્સ’ (ભવિષ્ય માટે તૈયાર વ્યાપાર કરારો) કરી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયમાં જ દુનિયાના મહત્વપૂર્ણ 9 મોટા દેશો સાથે, 9 મોટા, આપણા ટ્રેડ ડીલ થયા છે, અને તેમાં “Mother of all Deals” એકસાથે 27 દેશોની સાથે, યુરોપિયન યુનિયન સાથે. જે લોકો થાકી ગયા, બિચારા ચાલ્યા ગયા, પરંતુ ક્યારેક ને ક્યારેક તેમને જવાબ આપવો પડશે કે દેશની એવી હાલત કેવી રીતે બનાવીને રાખી હતી કે દુનિયાનો કોઈ દેશ આપણી સાથે ડીલ કરવા માટે આગળ આવતો નહોતો. તમે કોશિશ કરી હશે, પાછળ-પાછળ-પાછળ બહુ ચક્કર લગાવ્યા હશે, પરંતુ કોઈએ તમારી તરફ જોયું પણ નહીં હોય. શું સ્થિતિ એવી પેદા થઈ? દુનિયાના દેશો એમ જ ભારતની સાથે ડીલ નથી કરી રહ્યા.

આદરણીય સભાપતિજી,

આની પાછળ સૌથી મોટી વાત એ છે કે જ્યારે એક ડેવલપ્ડ કન્ટ્રી (વિકસિત દેશ), એક ડેવલપિંગ કન્ટ્રી (વિકાસશીલ દેશ) સાથે ડીલ કરે છે ને, તે પોતાનામાં જ અર્થ જગત માટે એક બહુ મોટો સંદેશ છે અને મારા માટે આ નવી વાત નથી. જ્યારે મને ગુજરાતમાં સેવા કરવાની તક મળી હતી, ત્યારે હું એક વાઇબ્રન્ટ ગુજરાત સમિટ કરતો હતો અને મારા માટે ગર્વની વાત હતી કે એક રાજ્ય, હિંદુસ્તાનનું એક રાજ્ય, મારી આ વાઇબ્રન્ટ સમિટનું પાર્ટનર કન્ટ્રી વિકસિત દેશ જાપાન હતું. એક રાજ્યએ આ સામર્થ્ય બતાવ્યું હતું, આજે મારો દેશ આ સામર્થ્ય બતાવી રહ્યો છે.

આ ત્યારે થાય છે, જ્યારે તમારી પાસે આર્થિક સામર્થ્ય હોય, તમારી પાસે તમારા નાગરિકોની અંદર દેશવાસીઓમાં એક ઊર્જા હોય અને ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ માટે એક મજબૂત ઇકોસિસ્ટમ હોય, ત્યારે જઈને વિશ્વ તમારી સાથે ડીલ કરવા માટે આગળ આવે છે. વોટ બેંકની રાજનીતિમાં ડૂબેલા લોકોએ ક્યારેય પણ દેશના આવા અનેક પાસાઓ પર મજબૂતી આપવી જોઈએ, તે ક્યારેય તેમની પ્રાથમિકતા રહી નથી અને તેનું જ આ પરિણામ છે. અને જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટીનો સવાલ છે, હું સાફ-સાફ કહેવા માંગુ છું અને જો મારા શબ્દો પર ભરોસો નથી, તો હું દેશના લોકોને કહું છું કે કાંઈ ન કરો, માત્ર લાલ કિલ્લા પરથી કોંગ્રેસના પ્રધાનમંત્રીઓના જે ભાષણો છે, માત્ર તે ભાષણોનું એનાલિસિસ (વિશ્લેષણ) કરી લો, તમને સાફ-સાફ લાગશે કે ના તેમની પાસે કોઈ વિચાર હતો, ના તેમની પાસે કોઈ વિઝન હતું અને ના તો કોઈ ઈચ્છાશક્તિ હતી અને તેનું પરિણામ છે કે દેશને આટલું ભોગવવું પડ્યું.

આદરણીય સભાપતિજી,

હું કોટિ-કોટિ દેશવાસીઓનો આભારી છું, તેમણે સેવા કરવાની તક આપી. અમારી ઘણી શક્તિ તેમની ભૂલોને ઠીક કરવામાં જઈ રહી છે. દુનિયાના મનમાં જે તેમના સમયની છબી છે, તે છબીને ધોવામાં મારી તાકાત લાગે છે. એવું બરબાદ કરીને રાખ્યું હતું અને આ કામ માટે અમે ફ્યુચર રેડી પોલિસીઝ (ભવિષ્ય માટે તૈયાર નીતિઓ) પર ભાર આપ્યો છે અને આજે તમે જોયું હશે, દેશ નીતિના આધારે ચાલી રહ્યો છે, પોલિસીઝના આધારે ચાલી રહ્યો છે, એડહોકિઝમ (adhocism) નો અમે ત્યાગ કરી દીધો છે અને તેના કારણે વિશ્વનો વિશ્વાસ બને છે. અમે રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મના મંત્રને લઈને આગળ વધ્યા અને આજે સ્થિતિ એવી છે કે દેશ રિફોર્મ એક્સપ્રેસ પર સવાર થઈ ચૂક્યો છે. અમે સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ કર્યા છે, પ્રોસેસ સાથે જોડાયેલા રિફોર્મ્સ કર્યા છે, પોલિસીઝમાં રિફોર્મ કર્યા છે. આપણું મેન્યુફેક્ચરિંગ સેક્ટર, આપણા ઉદ્યોગસાહસિકો, આ સશક્ત બને, ભારતની દરેક વસ્તુનું વેલ્યુ એડિશન (મૂલ્યવર્ધન) થાય, તે દિશામાં અમે પ્રયાસ કર્યો છે અને હું આજે વિશ્વાસ સાથે કહી શકું છું, આજે ભારત વિશ્વ સાથે સ્પર્ધા કરવા માટે પૂરી રીતે તૈયાર છે. જ્યારે હું વિશ્વના CEO ફોરમની સમિટ જોઉં છું, આજે દુનિયા આપણા ઉદ્યોગસાહસિકોને સમાનતાના રૂપમાં જુએ છે, અને જ્યારે પાછલા દિવસોમાં તમામ પક્ષોના ડેલિગેશન વિશ્વમાં ગયા હતા, આ ભાવ તેમણે પણ અનુભવ્યો અને આવીને મને તમામ પક્ષના માનનીય સાંસદોએ પોતાના અનુભવો જણાવ્યા, તેઓ બહુ ગર્વથી કહી રહ્યા હતા કે હા બરાબરીથી વાત થઈ રહી છે. આ આપણા માટે પોતાનામાં જ એક વાત છે.

આદરણીય સભાપતિજી,

MSME નું બહુ મોટું નેટવર્ક જેટલું સામર્થ્યવાન હોય છે, તે લાંબા સમય સુધી ઇકોનોમીને એક તાકાત આપે છે. અમે તે દિશામાં ભાર આપ્યો છે અને અમે ઘણા રિફોર્મ્સ કર્યા છે. આજે અમારા MSMEs નેટવર્ક પર દુનિયાનો ભરોસો વધી રહ્યો છે. મોટા-મોટા હોઈ શકે છે, અમે હવાઈ જહાજ નહીં બનાવતા હોઈએ, પરંતુ ઘણા હવાઈ જહાજ હોય છે, હવાઈ જહાજ છે, જેમાં ઘણા પુર્જાઓ મારા દેશના નાનામાં નાના MSMEs બનાવે છે.

આદરણીય સભાપતિજી,

દેશમાં થયેલા આ પ્રયાસોનું પરિણામ બધાની સામે છે. મોટા-મોટા દેશો ભારત સાથે વ્યાપારિક સંબંધો બનાવવા માટે બહુ જ આતુર છે. યુરોપિયન સંઘનો ટ્રેડ ડીલ હોય, અમેરિકા સાથે હમણાં જ થયેલ જે ટ્રેડ ડીલ હોય અને કાલે આપણા પીયૂષજીએ સદનમાં વિગતવાર જાણકારી પણ આપી છે અને આખું વિશ્વ ખુલીને આ ટ્રેડ ડીલના વખાણ કરી રહ્યું છે અને તેમાં જ્યારે યુરોપિયન યુનિયન સાથે ટ્રેડ ડીલ થઈ, તો વિશ્વને એક ભરોસો થયો કે હવે વૈશ્વિક સ્તર પર સ્થિરતાની સંભાવના વધશે. અમેરિકા સાથે ટ્રેડ ડીલ થયા પછી વિશ્વને વધુ ભરોસો થઈ ગયો કે જે સ્થિરતાનો અહેસાસ થઈ રહ્યો હતો, હવે ગતિનો પણ અહેસાસ થવા લાગ્યો છે અને આ વિશ્વ માટે શુભ સંકેત છે.

આદરણીય સભાપતિજી,

આનો સૌથી મોટો લાભ આપણા દેશના નવયુવાનોને થશે અને જ્યારે હું નવયુવાન કહું છું, તો તેમાં મધ્યમ વર્ગનો પણ નવયુવાન હોય છે, શહેરનો નવયુવાન પણ હોય છે, ગામડાનો નવયુવાન પણ હોય છે. દીકરો પણ હોય છે, દીકરી પણ હોય છે અને તેથી તેને ટુકડાઓમાં ના જોવામાં આવે. મારા દેશના યુવાઓના સામર્થ્યનું આપણે ગૌરવ કરવું જોઈએ અને તેમના માટે આખું વિશ્વ બજાર હવે ખુલી ચૂક્યું છે. હવે તેમના માટે અવસર જ અવસર છે અને હું તેમને કહું છું, આવો દોસ્તો, હું તમારી સાથે ખભેથી ખભો મિલાવીને ઉભો છું, હિંમત કરો! આગળ વધો! દેશ તમારી સાથે ઉભો છે અને દુનિયા તમારું સ્વાગત કરવા માટે રાહ જોઈ રહી છે.

આદરણીય સભાપતિજી,

જે પ્રકારે દુનિયામાં આપણા યુવા પ્રોફેશનલ્સની માંગ વધી રહી છે, ઇવન કેરગીવર્સ (caregivers) ની માંગ વધી રહી છે. દરેક કોઈ મળે છે (ત્યારે કહે છે), અમને આ પ્રકારના લોકો જોઈએ છે, કેટલાક લોકો તો પોતાની સ્પેશિયલ ઓફિસો અહીં બનાવી રહ્યા છે રિક્રૂટ કરવા માટે, યોગ્ય ટેલેન્ટની શોધ માટે. આનો અર્થ થયો કે ભારતના પ્રોફેશનલ્સ માટે પણ વિશ્વમાં બહુ મોટા અવસરો બની રહ્યા છે.

આદરણીય સભાપતિજી,

આ સંસદનું ઉચ્ચ સદન, આ એક પ્રકારે રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે અને હવે જે ચર્ચાની બારીકીઓ મેં જોઈ, મારું મન કહે છે કે થોડું સ્તર આનું ઉપર હોવું જોઈતું હતું અને ત્યાંથી તો વધારે હોવું જોઈએ, તેઓ તો કેટલા વર્ષો સુધી સરકારોમાં રહ્યા છે. ત્યાંથી જરા ચર્ચાનું સ્તર ઊંચું હોવું જોઈતું હતું, પરંતુ તેમણે આ તક પણ ગુમાવી દીધી. દેશ તેમના પર કેવી રીતે ભરોસો કરી શકે.

આદરણીય સભાપતિજી,

હું કાલે એક માનનીય સભ્યને સાંભળી રહ્યો હતો, આમ તો તેઓ પોતાની જાતને રાજા કહેવડાવવામાં બહુ ગર્વ કરે છે, પરંતુ તેઓ આર્થિક અસમાનતાની ચર્ચા કરી રહ્યા હતા, વિચારો! જે પોતાની જાતને રાજા માને અને તે આર્થિક અસમાનતાની વાત કરે, ત્યારે લાગે છે કે શું આ જ દિવસો જોવાના બાકી રહી ગયા હતા કે શું?

આદરણીય સભાપતિજી,

આપણા ટીએમસી (TMC) ના સાથીઓએ ઘણું બધું કહ્યું. જરા પોતાની અંદર તો જુએ. નિર્મમ સરકાર, પતનના જેટલા પણ પેરામીટર્સ (માપદંડો) છે, તે તમામ પેરામીટર્સમાં નવા-નવા રેકોર્ડ બનાવતા જઈ રહ્યા છે અને અહીં ઉપદેશ આપી રહ્યા છે. શું હાલત કરીને રાખી છે? એવી નિર્મમ સરકારથી ત્યાંના લોકોનું ભવિષ્ય અંધકારમાં ડૂબી રહ્યું છે, પરંતુ તેમને કોઈ પરવા નથી. સત્તા સુખ સિવાય કોઈ આકાંક્ષા નથી અને તેઓ અહીં ઉપદેશ આપે છે. ઘૂસણખોરી, દુનિયાનો સમૃદ્ધમાં સમૃદ્ધ દેશ પણ પોતાના ત્યાં ગેરકાયદેસર નાગરિકોને બહાર કાઢી રહ્યો છે. આપણા દેશમાં ઘૂસણખોરોને બચાવવા માટે અદાલતો સુધીના ઉપર પ્રેસર (દબાણ) પેદા કરવામાં આવી રહ્યું છે. મારા દેશનો નવયુવાન કેવી રીતે આવા લોકોને માફ કરશે, જે ઘૂસણખોરોની વકાલત કરવા માટે તાકાત લગાવી રહ્યા છે, અને ઘૂસણખોરો મારા દેશના નવયુવાનોના હક છીનવી રહ્યા છે, તેમની રોજી-રોટી છીનવી રહ્યા છે, આદિવાસીઓની જમીન છીનવી રહ્યા છે, દીકરા-દીકરીઓના જિંદગી પર જોખમો પેદા થઈ રહ્યા છે, પરંતુ તેમના માટે મહિલાઓ પર અત્યાચાર થતા રહ્યા, થતા રહ્યા. સત્તા નીતિ સિવાય કાંઈ કરવું નથી અને તેઓ અહીં આવીને અમને ઉપદેશ આપી રહ્યા છે અને એવા ચિંતાજનક તમામ વિષયો પર આંખો મીંચીને બેઠેલા તે લોકો છે. એક આપણા માનનીય સભ્ય ઘણું બધું બોલી રહ્યા હતા, જેની આખી સરકાર દારૂમાં ડૂબી ગઈ હોય, જેના શીશમહેલ ઘરે-ઘરે નફરતનું કારણ બની ગયા, હવે કદાચ તેમને બ્લેક (Black) શબ્દ વધારે પસંદ છે, દરેકનો પોતાનો એક ભૂતકાળ હોય છે. ખબર નહીં બ્લેક સાથે તેમનો શું જૂનો સંબંધ છે.

આદરણીય સભાપતિજી,

એવા તમામ સાથીઓને હું આજે જરૂર કહીશ, તમે દુનિયાને કેટલું છેતરશો, તમે દુનિયાને કેટલું છેતરશો, અરીસો જોઈ લીધો તો પોતાની સચ્ચાઈ ક્યાં છુપાવશો? કોંગ્રેસ હોય, ટીએમસી હોય, ડીએમકે હોય, લેફ્ટ હોય, આ દાયકાઓથી કેન્દ્રમાં સત્તામાં રહ્યા છે, સત્તાના ભાગીદાર રહ્યા છે. રાજ્યોમાં પણ તેમને સરકારો ચલાવવાની તક મળી છે, પરંતુ તેમની ઓળખ શું બની? આજે ડીલની ચર્ચા થાય છે, તો ગૌરવથી કહેવાય છે, ત્યારે ડીલની ચર્ચા થતી હતી, તો બોફોર્સ ડીલ યાદ આવતી હતી, આ ડીલ થતી હતી. તેમણે માત્ર ખિસ્સા ભરવાનું કામ કર્યું. નાગરિકોના જીવનમાં પરિવર્તન આવવું, તે તેમની પ્રાથમિકતા નહોતી.

આદરણીય સભાપતિજી,

હું કેટલાક ઉદાહરણો સાથે પણ વાત જણાવવા માંગુ છું કારણ કે અહીં ચર્ચામાં આ બધા વિષયો આવ્યા છે અને તેથી મારે આ કહેવું બહુ જરૂરી છે. હવે એક ઉદાહરણ આપું છું હું બેંકિંગ સેક્ટરનું, બેંકિંગ સેક્ટર એક પ્રકારે અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ હોય છે. 2014 પહેલા, ફોન બેંકિંગનો કાળખંડ હતો. નેતાના ફોન જતા હતા અને તેના આધારે કરોડો રૂપિયા આપી દેવામાં આવતા હતા અને ગરીબોને તો બેંકોમાં જાકારો મળતો હતો, નફરત મળતી હતી. દેશની 50% થી વધુ વસ્તી બેંકના દરવાજા સુધી જોઈ શકી નહોતી. કોંગ્રેસના નેતાઓના ફોન પર અબજો રૂપિયા લોકોને આપી દેવામાં આવ્યા અને જે લઈ જતા હતા, તે પોતાની પર્સનલ પ્રોપર્ટી માનીને પૈસા હજમ કરી જતા હતા, આ જ ખેલ ચાલતો રહ્યો. કોંગ્રેસ અને યુપીએના રાજમાં અને આજે જે ઇન્ડી એલાયન્સ (Indi Alliance) બનીને બેઠા છે, તેમના રાજમાં બેંકિંગ વ્યવસ્થા તબાહીના આરે ઉભી હતી. મને નવો-નવો પ્રધાનમંત્રીના પદનો કાર્યભાર મળ્યો, હું એક દેશના વડાને મળ્યો, એમ જ વાત કરી રહ્યો હતો. મેં કહ્યું બેંકિંગની દ્રષ્ટિએ આપણે કંઈક આગળ વધવું જોઈએ, તેમણે કહ્યું પહેલા એકવાર સાહેબ જરા તમે હજુ નવા-નવા છો, તમારી બેંકોની વ્યવસ્થાનો અભ્યાસ કરી લો. અમે કેવી રીતે હિંમત કરીએ? એક દેશના નેતાને આ જાણકારીઓ હતી, તેણે મને જણાવ્યું. અહીં આમને કોઈ પરવા જ નથી, એટલે કે એક પ્રકારે તેમણે જે પ્રકારે બેંકિંગ વ્યવસ્થા છે, એનપીએ (NPA) ના પહાડ ઉભા કરી દીધા હતા. જ્યાં પણ જુઓ, ચર્ચા ચાલતી હતી, એનપીએનું શું થશે? એનપીએનું શું થશે? કેવી રીતે બચીશું?

આદરણીય સભાપતિજી,

પડકાર મોટો હતો, પરંતુ અમે સમજદારીથી કામ લીધું. બેંકિંગ વ્યવસ્થાના તમામ કર્તા-હર્તાઓને વિશ્વાસમાં લીધા. રિફોર્મની આવશ્યકતા હતી, હિંમત સાથે રિફોર્મ કર્યા. પારદર્શી વ્યવસ્થા બનાવી, ઢગલાબંધ બેંકિંગ રિફોર્મ્સ થયા અને જે સરકારી બેંક નબળી પડી ચૂકી હતી, ઠીક ચાલી શકતી નહોતી, તેને અમે મોટી બેંક સાથે મર્જર કરી દીધી અને મને યાદ છે, કોઈ એક મહાશય, પોતાની જાતને મોટા વિદ્વાન માનનારાએ લખ્યું હતું, જો મોદી સરકાર બેંકોમાં આ કરી લે, તો હિંદુસ્તાનનું બહુ મોટું રિફોર્મ થઈ જશે. તે કામ મેં આવતાની સાથે જ કરી દીધા હતા.

આદરણીય સભાપતિજી,

અને આ બધી વસ્તુઓનું પરિણામ એ આવ્યું કે, બેંકોમાં જે બીમારી ઘર કરી ગઈ હતી, તે બીમારીમાંથી બેંકોને મુક્તિ મળી. બેંકોનું સ્વાસ્થ્ય સુધર્યું, સતત સુધર્યું અને અત્યારે પણ ઝડપથી આગળ દોડી રહ્યા છે અને બેંકિંગનું જ્યારે સ્વાસ્થ્ય સુધર્યું, તો લેણ-દેણનો કારોબાર પણ તેમનો વધ્યો, લોકોને પૈસા મળવા લાગ્યા, સામાન્ય માનવીને પૈસા મળ્યા. એવા-એવા ગરીબ લોકોને લોન મળી, જેમના માટે ક્યારેય બેંકના દરવાજા બંધ હતા, તે બિચારો દૂરથી જોઈને તેમને જવું પડતું હતું. આજે મુદ્રા યોજના, મુદ્રા યોજના જે દેશના નવયુવાનને પોતાના પગ પર ઉભા રહેવાની તાકાત આપે છે. મુદ્રા યોજના જે સ્વરોજગારની પ્રેરણા આપે છે, પરંતુ સ્વરોજગારના ભાષણથી કામ નથી થતું, તેનો હાથ પકડવો પડે છે, તેને સાથ આપવો પડે છે, તેને સહાય આપવી પડે છે અને અમે મુદ્રા યોજના દ્વારા 30 લાખ કરોડ રૂપિયા, 30 લાખ કરોડ રૂપિયાથી વધુ લોન મુદ્રા યોજનાના માધ્યમથી અને ગેરંટી વગર દેશના નવયુવાનોના હાથમાં આપી અને તેમણે પોતાના કારોબારને આગળ વધાર્યો અને ગર્વની વાત છે, તેમાં બહુ મોટી માત્રામાં માતાઓ-બહેનો પણ હકદાર બની છે, આની લાભાર્થી છે. સેલ્ફ હેલ્પ ગ્રુપ (Self Help Group), આ દિવસોમાં ગ્રામીણ મહિલાઓ મોટા સપના જુએ છે. પોતે પોતાના પગ પર ઉભી રહેવા માંગતી હતી. વુમન સેલ્ફ હેલ્પ ગ્રુપનો અમે વિસ્તાર તો કર્યો જ કર્યો, પરંતુ 10 કરોડ બહેનોને અમે સીધી આર્થિક મદદની વ્યવસ્થા કરી. અમારા એમએસએમઈ (MSME) સેક્ટરને અમે ભરપૂર લોન આપી અને હું આજે મોટા સંતોષ સાથે, મોટી જવાબદારી સાથે, આ પવિત્ર સદનમાં કહેવા માંગુ છું. અમે એનપીએ જેના પહાડ હોતા હતા, 2014 ના પહેલા, આજે તેને અમે નીચે નિમ્ન સ્તર પર લાવીને ઉભી કરી દીધી છે. આજે એનપીએ એક ટકાથી પણ નીચે છે, આ પોતાનામાં જ બેંકોના સ્વાસ્થ્ય માટે બહુ ઉત્તમ કામ અમે કર્યું છે. એટલું જ નહીં, અમારી બેંકોનો પ્રોફિટ આજે રેકોર્ડ પર છે, હાઈ રેકોર્ડ છે તેના, આ પોતાનામાં જ દેશની અર્થવ્યવસ્થાને તાકાત આપવા માટે બેંકિંગ વ્યવસ્થા મજબૂત થાય છે, તો બાકી અર્થવ્યવસ્થાને પણ મજબૂતી મળે છે, તે કામ કર્યું છે.

આદરણીય સભાપતિજી,

હું એક બીજું ઉદાહરણ આપવા માંગુ છું. આપણા PSUs, સામાન્ય રીતે PSUs ના સંબંધમાં એવી માન્યતા બની ચૂકી હતી કે, તે બને જ છે બીમાર થવા માટે, તે બને જ છે બરબાદ થવા માટે, તે બને જ છે બંધ થવા માટે, અમે આ પૂરી માનસિકતાને હકીકતોના આધારે બદલવામાં સફળતા પ્રાપ્ત કરી છે અને આ લોકો PSUs ને લઈને કેટલી ખોટી વાતો ફેલાવતા હતા. અર્બન નક્સલની જેમ, આવા PSUs ના દરવાજાની બહાર મજૂરોની મીટિંગ કરીને ભડકાવવાનું પાપ કરતા હતા, ગેરમાર્ગે દોરવાનું કામ કરતા હતા. તેમણે LIC, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બીજા પણ HAL એવા દરેકને બહુ ભલું-બૂરું અને એટલી બિભત્સ રીતે, જ્યારે તેમની સરકાર હતી, ત્યારે તો આ આ વસ્તુઓ સંભાળી શકતા નહોતા. તેને કંઈ કરી પણ શકતા નહોતા.

આદરણીય સભાપતિજી,

અમે આમાં પણ હિંમત બતાવી. અમે PSUs ના સંબંધમાં પણ રિફોર્મ્સ કર્યા. રિફોર્મ્સની એક સતત પરંપરા ચલાવી. આજે LIC શ્રેષ્ઠ રીતે, તેણે પૂરા કાર્યકાળમાં જ્યારે LIC નો જન્મ થયો ત્યારથી, ઉત્તમમાં ઉત્તમ પરફોર્મન્સનો કાળખંડ તેમનો પસાર થયો છે. જે PSUs ને કોંગ્રેસના નેતાઓ તાળા મરાવવાના આરે પહોંચાડી ચૂક્યા હતા અને તેના પર જ પોતાની રાજકીય રોટલી શેકવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, આજે અમારા PSUs રેકોર્ડ પ્રોફિટ પર છે. એટલું જ નહીં, તે પોતાના પરફોર્મન્સથી મેક ઇન ઇન્ડિયાને પણ ગતિ આપી રહ્યા છે. મેક ઇન ઇન્ડિયાનું જે સપનું છે, તેને પૂરું કરવામાં તે પણ એક બહુ મોટા કેટાલિટિક એજન્ટ (catalytic agent) તરીકે આજે ભૂમિકા ભજવી રહ્યા છે. રેકોર્ડ સંખ્યામાં રોજગાર બનાવી રહ્યા છે. એટલું જ નહીં, અમારા કેટલાક PSUs આજે વિશ્વની અંદર જઈ રહ્યા છે. વિશ્વમાં પણ પોતાની તાકાત બતાવી રહ્યા છે. વિશ્વ સાથે જોડાઈ રહ્યા છે, દુનિયાના ઘણા દેશોની વિકાસ યાત્રામાં તેઓ ભાગીદાર બની રહ્યા છે. આજે અમારા PSUs ને બહુ મોટા-મોટા ઓર્ડર દેશમાંથી પણ અને દેશની બહારથી પણ મળવા લાગ્યા છે, આ પોતાનામાં જ હું જે કહું છું ને, એક બહુ મહત્વપૂર્ણ પડાવ પર આ દેશ છે, આ જે 25 વર્ષ છે, તેનો સંકેત અહીં નજર આવે છે.

આદરણીય સભાપતિજી,

કોંગ્રેસે વિશ્વાસઘાત કરવાના વિષયમાં પણ અમારા દેશના અન્નદાતાને પણ છોડ્યા નથી. આ દેશમાં 10 કરોડ ખેડૂતો એવા છે, જેમની પાસે 2 હેક્ટરથી પણ ઓછી જમીન છે, નાના ખેડૂતો છે. તેમની તરફ ક્યારેય પરવા કરવામાં ન આવી, તેમની તરફ ક્યારેય જોવામાં ન આવ્યું, ના તો તેમના મગજમાં આ નાના ખેડૂતોનું કોઈ માહાત્મ્ય હતું. તેમને લાગે છે કે કેટલાક મોટા લોકોને સંભાળી લીધા, તો ગાડી ચાલી જશે અને આ જ રાજનીતિ કરતા રહ્યા છે.

આદરણીય સભાપતિજી,

અમારા દિલમાં નાના ખેડૂતો પ્રત્યે એક દર્દ હતું. અમે જમીની હકીકતોથી પરિચિત હતા અને તેના જ કારણે અમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના લઈને આવ્યા છીએ અને તમે આટલા ઓછા સમયમાં અમારા નાના ખેડૂતોના ખાતામાં 4 લાખ કરોડ રૂપિયા અમે આપ્યા છે. 4 લાખ કરોડ રૂપિયાનો આંકડો નાનો હોતો નથી આદરણીય સભાપતિજી અને તેણે અમારા નાના ખેડૂતોને એક નવી તાકાત આપી છે. નવા સપના જોવાનું સામર્થ્ય આપ્યું છે અને મને આ પાકો વિશ્વાસ છે કે અમારો ખેડૂત તે દિશામાં જરૂર ભારતની આશા-અપેક્ષાને અનુરૂપ પરિણામ આપશે.

આદરણીય સભાપતિજી,

અહીં કેટલાક સાથીઓએ ઇમ્પ્લીમેન્ટેશન (અમલીકરણ) ના સંબંધમાં ફરિયાદોનું ભાષણ ઘણું કર્યું છે. કદાચ તેઓ નક્કી કરીને આવ્યા હતા કે આવું-આવું બોલવું છે, તો આમાં તો તેમનું એલાયન્સ દેખાતું હતું, બાકીનામાં તો નથી દેખાતું.

આદરણીય સભાપતિજી,

જ્યારે આ ઇમ્પ્લીમેન્ટેશનને લઈને કેટલી મોટી-મોટી વાતો કરે છે. હું એક જરા કિસ્સો સંભળાવું છું. હું કોઈનું ભલું-બૂરું કહેવા માટે નથી કહી રહ્યો, હું માત્ર હકીકત રાખી રહ્યો છું. પરેશાની જેમને થશે, તેમને થશે, પરંતુ તથ્યો તો તથ્યો જ હોય છે. અમારા દેશના એક નેતા હિમાચલ પ્રદેશના પ્રવાસે ગયા હતા અને ત્યાંથી આવ્યા પછી તેમણે પોતે આ ઘટના ક્યાંક સંભળાવી, રેકોર્ડ પર ઉપલબ્ધ છે. તેમાં તેમણે કહ્યું, તે નેતાએ શું કહ્યું, હું તેમના જ શબ્દો વાંચી રહ્યો છું. “ઘણા લાંબા સમય સુધી મારે યોજના આયોગ (Planning Commission) સાથે સંઘર્ષ કરવો પડ્યો કારણ કે તેઓ પહાડી વિસ્તારો માટે અલગ યોજનાઓ બનાવવા માટે તૈયાર જ નહોતા, હું હિમાચલ પ્રદેશ ગઈ હતી. જ્યારે હું પાછી આવી, તો મેં યોજના આયોગમાં કહ્યું કે અમારા કામદારોને, વર્કર્સને જીપની જરૂર નથી પરંતુ ખચ્ચરોની આવશ્યકતા છે, જેથી ઓછામાં ઓછું તેના પર સામાન વગેરે લાદી શકાય.” આગળ તેમણે કહ્યું, પરંતુ મને કહેવામાં આવ્યું, “અમે પૈસા તો જીપ માટે જ આપીશું કારણ કે ખચ્ચરો માટે પૈસા આપવાની પોલિસી નથી.” આ જ ભાષણમાં આગળ તે કહે છે, “હવે ત્યાં રસ્તા જ નહોતા”, તેમના કહેવાનું કારણ એ હતું કે હિમાચલમાં જ્યાં તેઓ ગયા, ત્યાં રસ્તા જ નહોતા. હવે ત્યાં રસ્તા જ નહોતા, તો પછી તેના પર જીપનો શું લાભ થઈ શકે? જીપ લઈને કોણ જશે, જ્યાં રોડ નથી. પરંતુ તે સમયે યોજના આયોગનો જોર હતો કાં તો જીપ કાં તો કંઈ પણ નહીં.

આદરણીય સભાપતિજી,

આ ભાષણ કોઈ બીજાનું નથી, આ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનું ભાષણ છે. કોંગ્રેસના લાંબા શાસનકાળમાં આ જ કાર્યશૈલી રહી અને જેને ઇન્દિરા જી પોતે જાણતા પણ હતા કે આ પાપ ચાલી રહ્યું છે, પરંતુ આ કાર્ય સંસ્કૃતિને સુધારવા માટે તેમણે કોઈ પગલું ન ભર્યું અને ઇન્દિરા ગાંધી જે પ્લાનિંગ કમિશનના ધજાગરા ઉડાવી રહ્યા હતા, તેના જન્મદાતા તેમના સ્વયંના પિતાજી હતા અને આ પ્લાનિંગ કમિશન બન્યું અને ઇન્દિરાજીએ જ્યારે કહ્યું, તેની વચ્ચે બે દાયકા વીતી ચૂક્યા હતા, પરંતુ હાલત આ જ હતી અને 2014 સુધી, બધા દુઃખી હતા, બધા પરેશાન હતા, બધા ભૂલ જોઈ રહ્યા હતા, પરંતુ સુધારો કરવા માટે તૈયાર જ નહીં. 2014 પછી, જ્યારે તમે અમને તક આપી અને કોંગ્રેસે જે પ્રકારે પ્લાનિંગ કમિશન અટકાવવા, લટકાવવા, ભટકાવવા વાળી કાર્યશૈલી બનાવી દીધી હતી, 2014 માં જ્યારે અમને તક મળી, તો અમે આવીને કામ કર્યું. પ્લાનિંગ કમિશનને ખતમ કરી દીધું અને નીતિ આયોગ (NITI Aayog) ને બનાવ્યું. આજે નીતિ આયોગ બહુ ઝડપી ગતિએ કામ કરી રહ્યું છે. તમે જુઓ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ (Aspirational District), તે પણ એક મોટું પ્રેરક ઉદાહરણ અને હું તો જોઈ રહ્યો છું કે ડેવલપિંગ કન્ટ્રીઝ માટે વિકાસ માટે એક મોડેલ તરીકે વૈશ્વિક સંસ્થાઓ આને અનુમોદન આપી રહી છે. આ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટની આ સફળતા બની છે. દેશના કેટલાય જિલ્લા એવા છે, જેને કોઈ પછાત માનીને છોડી દેવામાં આવ્યા હતા અને ત્યાં કરોડો લોકોની જે મૌલિક જરૂરિયાતો હતી, તેને પણ નકારી દેવામાં આવી હતી. તેમને તો એમ જ જીવવા માટે મજબૂર કરી દેવામાં આવ્યા હતા અને જે પછાત વિસ્તારો હતા, તે વધુ પછાત થતા ગયા અને બરબાદી આવતી ગઈ અને હાલત તો સરકારમાં એવી હતી કે જ્યારે કોઈને પનિશમેન્ટ ટ્રાન્સફર કરવી હોય, પનિશમેન્ટ પોસ્ટિંગ આપવું હોય, તો આવા જ જિલ્લાઓમાં મોકલવામાં આવતા હતા, જેથી વધુ ખરાબ કરે તે, આ હાલત બની ગઈ હતી, આ વર્ક કલ્ચર બની ગયું હતું. અમે આ સ્થિતિને બદલી, સૌથી પહેલા આવીને યંગ (યુવાન) હોનહાર અફસરોને લગાવવામાં આવશે અને પૂરી ત્રણ વર્ષની તક તેને આપવામાં આવે કામ કરવાની, એક પછી એક નિર્ણય કર્યા અને આજે જુઓ કે સીમાઓ છત્તીસગઢનો અમારો બસ્તર એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટમાં હતો. આજે તે બસ્તર પૂરા દેશમાં બસ્તર ઓલિમ્પિકના નામે ચર્ચામાં છે. આજે વિકાસની ધારા બસ્તરના ગામે-ગામ પહોંચી રહી છે. હજુ કેટલાક ગામમાં પહેલીવાર બસ જોઈ છે. આખા ગામે ઉત્સવ મનાવ્યો બસ્તરમાં, આ પરિસ્થિતિઓ છોડીને ગયેલા છે લોકો અને અહીં ખબર નહીં કઈ રીતે દેશને ક્યાં લઈ જવા માંગે છે લોકો!

આદરણીય સભાપતિજી,

ઇમ્પ્લીમેન્ટેશન શું હોય છે, આ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ એક બહુ મોટું શાનદાર ઉદાહરણ છે. એવા તો સેંકડો ઉદાહરણો છે, પરંતુ હું એક કહેવા માટે આનો ઉલ્લેખ કરી રહ્યો છું. કોંગ્રેસના અમારા સાથીઓને આ જે બદલાવ આવી રહ્યો છે, તેમાં ઇમ્પ્લીમેન્ટેશન નજર નથી આવી રહ્યું અને તેમનું તો એક જ પ્લાનિંગ કમિશન વાળું મોડેલ છે. જીપ અને ખચ્ચર વાળું મોડેલ, આ જ તે લોકો જાણે છે. તેનાથી આગળ કંઈ જાણતા નથી અને આ ઇમ્પ્લીમેન્ટેશન કેવી રીતે કરે છે, મારો જન્મ નહોતો થયો, તેના પહેલા સરદાર વલ્લભભાઈ પટેલે નર્મદા નદી પર ડેમ બાંધવાની કલ્પના કરી, વિષય તો નક્કી થઈ ગયો, સરદાર સાહેબ ન રહ્યા. ખેર, નેહરુ જીએ શિલાન્યાસ કર્યો. હવે ઇમ્પ્લીમેન્ટ જુઓ આમને, મારો જન્મ નહોતો થયો, જ્યારે આની કલ્પના કરવામાં આવી હતી અને પ્રધાનમંત્રી બન્યા પછી મેં આનું ઉદ્ઘાટન કર્યું, આ હાલત છે અને તેમનું ઇમ્પ્લીમેન્ટેશન જુઓ, મારે મુખ્યમંત્રી રહેતા ત્રણ દિવસ ઉપવાસ પર બેસવું પડ્યું હતું, નર્મદા સરદાર સરોવર ડેમ માટે મારા દેશ, મારા રાજ્યના ખેડૂતો માટે, મેં મારી જાતને દાવ પર લગાવી દીધી હતી, ત્યારે જઈને ભારત સરકારને નમવું પડ્યું અને ત્યારે જઈને સરદાર સરોવર ડેમની કન્સ્ટ્રક્શન (બાંધકામ) ને ગતિ મળી અને અહીં હું પહોંચ્યો, ત્યારે મને આનું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય મળ્યું અને આજે કચ્છ સુધી ખાવડા બીએસએફ (BSF) ના લોકો જ્યાં બેસે છે, ત્યાં સુધી નર્મદાનું શુદ્ધ પાણી પીવા માટે પહોંચી રહ્યું છે. ઇમ્પ્લીમેન્ટેશન શું હોય છે અને અહીં ઇમ્પ્લીમેન્ટેશન ઇમ્પ્લીમેન્ટેશન કોણે શબ્દ પકડાવી દીધો, દરેકના મોઢામાંથી એ જ નીકળતું હતું. અમે કોંગ્રેસની કાર્યશૈલીને બદલવા માટે જ્યારે મેં જોયું, ઘણા એવા કામ હતા, અટકેલા પડ્યા હતા, કોઈ પૂછવા વાળું નહોતું, ફાઈલોમાં અને પોલિટિકલ ફાયદા માટે અનાઉન્સમેન્ટ કરી દીધા, દીવા પ્રગટાવી દીધા, પથ્થર લગાવી દીધા, કરવાનું કંઈ નહીં. આખરે મેં એક ટેકનોલોજી વાળું પ્લેટફોર્મ બનાવ્યું અહીં આવીને 'પ્રગતિ' (PRAGATI) ના નામે, આ પ્રગતિ પ્લેટફોર્મનું હું ઉદાહરણ આપું છું, તમે હેરાન થઈ જશો, મને એક્ઝેટ યાદ નથી, પરંતુ કદાચ હિમાચલમાં એક ટ્રેન તેમણે પાર્લામેન્ટમાં ઘોષિત કરી હતી, કદાચ ઉના, ઉના કે બીજી કોઈ, મારા આવવા સુધી તે કાગળ પર પણ તેનું ડ્રોઇંગ નહોતું બન્યું, વિચારો! અને ચૂંટણી જીતવા માટે તે ઘોષણા કરી દીધી. પ્રગતિની અંદર મારી સામે આ વિષય આવ્યો. એવા ઘણા વિષયો મારી સામે આવ્યા અને તે પ્રગતિની અંદર અમે એક-એક પ્રોજેક્ટ કેમ અટકેલા છે, કોસ્ટ (ખર્ચ) કયા ડિપાર્ટમેન્ટના કામમાં શું મુસીબત આવી છે, કોણે ખોટી રીતે આને આગળ વધાર્યો અને બજેટ તો વધતું જ ગયું હતું. જે યોજના 900 કરોડમાં થવાની હતી, તે 90 હજાર કરોડ સુધી પહોંચી, આ હાલત કરીને મૂકી દીધી હતી તેમણે. અમે એક ટેકનોલોજી પ્લેટફોર્મ બનાવ્યું, દર મહિને બેઠો, હમણાં મેં 50મો એપિસોડ પૂરો કર્યો તે મીટિંગનો અને સતત કામ કરતા-કરતા અને સંબંધિત રાજ્યોને પણ બેસાડ્યા, તેમની મુશ્કેલીઓને પણ સમજી. તેના ઇમ્પ્લીમેન્ટેશનમાં કઈ મિનિસ્ટ્રી શું પૂરી પરેશાની થઈ રહી છે! કયા સ્ટેટની પરેશાની થઈ રહી છે! કયા કાયદાની પરેશાની થઈ રહી છે! દરેકની બારીકીથી જોયું અને આજે હું ગૌરવથી કહી શકું છું કે આ પ્રગતિના ઇમ્પ્લીમેન્ટેશનને બારીકીથી પ્રધાનમંત્રીના સ્તર પર જોવામાં આવવાના કારણે 85 લાખ કરોડ રૂપિયાના કામને ગતિ મળી, 85 લાખ કરોડ રૂપિયાનું કામ, તમે કલ્પના કરો. દેશની કેટલી મોટી શક્તિને અનલોક (Unlock) કરી અમે, ઇમ્પ્લીમેન્ટેશન કેવું હોય છે, તે અમે કરીને બતાવ્યું છે. રેલવે હોય, રોડ હોય, સિંચાઈ હોય, ગ્રામીણ વ્યવસ્થાનું કામ હોય, બધી વસ્તુઓને અમે તેમાં લીધી. હવે જેમ કે જમ્મુ ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ લાઇન, આજે આ પ્રોજેક્ટ પૂરો થયો છે અને બરફવર્ષામાં આ દિવસોમાં તમે જોયું એક વીડિયો બહુ પોપ્યુલર થયો છે. બરફની વચ્ચેથી ચારે બાજુ બરફની ચાદર છવાયેલી છે અને વંદે ભારત ટ્રેન નીકળી રહી છે અને લોકો કહે છે, ભૂલ ના કરતા, આ વિદેશ નથી, આ હિંદુસ્તાન છે. આ રીલ ચાલી રહી છે બજારમાં, પરંતુ ત્રણ દાયકાથી આ જ પ્રોજેક્ટ લટકેલો હતો. ત્રણ દાયકા 30 વર્ષ તમે કલ્પના કરી શકો છો, બે પેઢી આગળ વધી જાય, આ અહીંના અહીં અટકેલા પડ્યા હતા. અમારી સરકારે આને પૂરો કર્યો.

આદરણીય સભાપતિજી,

હું અસમની વાત કરું છું અને કોઈ એવું ના વિચારે કે ચૂંટણી છે, એટલે હું બોલી રહ્યો છું. આ તેમના પાપ છે, એટલે મારે કહેવું પડી રહ્યું છે. કોંગ્રેસ માત્ર ઇમેજિન (કલ્પના) કરે છે અને ઇમ્પ્લીમેન્ટ કરવા સાથે તેમને કોઈ લેવા-દેવા જ હોતા નથી. હવે અસમનો બોગી બ્રિજ, બોગીબીલ બ્રિજ, આ બોગીબીલ બ્રિજ અરુણાચલ અને અસમને જોડનારો બહુ મહત્વપૂર્ણ બ્રિજ છે. કેટલાય વર્ષો સુધી આ પ્રોજેક્ટ લટકેલો રહ્યો, અમે પ્રગતિ (PRAGATI) ના માધ્યમથી આને રિવ્યૂ કર્યો અને અસમ સહિત આખા નોર્થ ઈસ્ટને બહુ મોટી સુવિધા મળે તેવું આ કામ અમે પૂરું કર્યું.

આદરણીય સભાપતિજી,

ઇમ્પ્લીમેન્ટેશનની વાતો જ્યારે કરે છે, તો એકવાર અમારું (જોઈ લેવું જોઈએ) અને અમારી પાસે તો તથ્યો સાથે વસ્તુઓ છે કે અમે આ વસ્તુઓને સમયસર પૂરી કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ અને આ દિવસોમાં તો જે કામ કરી રહ્યા છીએ, તે સમય પહેલા થઈ રહ્યું છે. અમે આખી દુનિયાને કહ્યું હતું કે અમે 2030 સુધીમાં અહીં પહોંચીશું, સોલરમાં અમે તે કામ 2025 માં કરી દીધું. અમે એથેનોલનો સમય નક્કી કર્યો હતો, અમે તેમાં પણ બે-ત્રણ વર્ષ પહેલા જ કામ પૂરું કરી લીધું, તો એડવાન્સમાં અમે કામ પૂરું કરવાની, ઇમ્પ્લીમેન્ટેશનની તાકાત અમારી તો તેનાથી પણ વધારે છે.

આદરણીય સભાપતિજી,

ભાજપ હોય, એનડીએ હોય, અમારો એપ્રોચ (અભિગમ) વસ્તુઓ તરફ જોવાનો અમારો દૃષ્ટિકોણ, સમસ્યાના સમાધાન માટે અમારી વિચારધારા અને કોંગ્રેસ વચ્ચે આકાશ-પાતાળનો તફાવત છે. બહુ ફરક છે. હું તમને ઉદાહરણ આપું છું. અમારી વિચારધારા એ છે કે 140 કરોડ દેશવાસીઓ એટલા સામર્થ્યવાન છે કે તેઓ પડકારોને સમાધાન આપી શકે છે. આ અમારી વિચારધારા છે. અમારો ભરોસો છે દેશવાસીઓ પર, તેમના સામર્થ્ય પર અમારો ભરોસો છે અને આ જ લોકશાહીની પણ સાચી તાકાત હોય છે. પરંતુ કોંગ્રેસ દેશવાસીઓને જ સમસ્યા માને છે. હવે હું આટલું બોલીને છોડી દઈશ, તો આજે ખબર નહીં રાત્રે તેમને ઊંઘ નહીં આવે અને ગાળો કાલે કેવી રીતે આપવી, તેનું પ્લાનિંગ ચાલશે. પરંતુ હું ઉદાહરણ સાથે જણાવવા માંગુ છું. કયા પ્રકારે આ લોકો વિચારતા હતા દેશવાસીઓ માટે, દેશના લોકો વિશે નેહરુ જી અને ઇન્દિરાજીની વિચારધારા શું હતી? હું તેના વિશે જણાવવા માંગુ છું. ઇન્દિરાજી એકવાર ઈરાન ગયા હતા અને ઈરાનમાં તેઓ ભાષણ આપી રહ્યા હતા અને તે ભાષણમાં તેમણે નેહરુજી સાથે જે વાતચીત થઈ હતી, તેનો ઉલ્લેખ કર્યો. પોતે કહ્યું છે, તેમણે કહ્યું અને હું જે ઇન્દિરાજીએ કહ્યું હતું તેને ક્વોટ કરી રહ્યો છું- “જ્યારે કોઈએ મારા પિતાજીને પૂછ્યું એટલે કે નેહરુજીને પૂછ્યું કે તેમની સામે કેટલી સમસ્યાઓ છે? તો તેમણે ઉત્તર આપ્યો હતો - 35 કરોડ.” નેહરુ જીએ જવાબ આપ્યો હતો કે તેમની સામે કેટલી સમસ્યાઓ છે? બોલ્યા 35 કરોડ, તે સમયે આપણા દેશની જનસંખ્યા હતી 35 કરોડ. હવે આગળ જુઓ 35 કરોડ દેશવાસીઓ નેહરુ જીને સમસ્યા લાગતા હતા. આવો કોઈ મુખિયા હોઈ શકે ખરો જી? અને આ વાતનું ઉદાહરણ આપતા ઇન્દિરા જીએ આગળ કહ્યું કે આજે દેશની જનસંખ્યા 57 કરોડ છે. તેથી મારી સમસ્યાઓની સંખ્યા પણ એટલી જ મોટી છે. એટલે કે પિતાજીને 35 કરોડ સમસ્યાવાળા દેશવાસીઓ લાગતા હતા. હવે 57 કરોડ તેમને સમસ્યા, કોઈ એવું હોઈ શકે, જે પોતાના જ દેશવાસીઓને સમસ્યા માને? આ ફરક છે, તેમની વિચારધારા અને અમારી વિચારધારામાં, આ ફરક છે તેમના એપ્રોચ અને અમારા એપ્રોચમાં. નેહરુજી હોય કે ઇન્દિરાજી હોય કે આખી કોંગ્રેસી બિરાદરી હોય, આ લોકો ભારતના લોકોને સમસ્યા માને છે.

આદરણીય સભાપતિજી,

મારા ઘણા કોટેશન મળશે. મેં દુનિયાની સામે કહ્યું છે, દેશની સામે કહ્યું છે અને કહ્યું છે એટલે નહીં, આ મારું કન્વિક્શન (દ્રઢ માન્યતા) છે. અરે પડકારો કેટલાય કેમ ના હોય, 140 કરોડ સમાધાન અમારી પાસે છે. અમારા માટે દેશવાસી સમર્થક એક પૂંજી છે. અમારા માટે દરેક દેશવાસી ભારતના ઉજ્જવળ ભવિષ્યનો નિયંતા છે, નિર્માતા છે, કર્તા-હર્તા છે. અમે તેને સમસ્યા કેવી રીતે કહી શકીએ? એવી વિચારધારાવાળા લોકો પોતાના પરિવારનું જ ભલું કરશે અને કોનું કરશે?

આદરણીય સભાપતિજી,

દેશના લોકોનું અપમાન કરતા રહેવું, આ કોંગ્રેસના સ્વભાવમાં પડેલું છે. તેમના સંસ્કારોમાં પડેલું છે. કોંગ્રેસે વિતેલા દિવસોમાં રાષ્ટ્રપતિજીનું અપમાન કર્યું. ચૂંટણી પછી જે પ્રકારે આપણા રાષ્ટ્રપતિજી માટે શબ્દો કહેવામાં આવ્યા છે. શરમ અનુભવાય છે કે આ કેવા લોકો છે? ભારતના રાષ્ટ્રપતિ માટે શું બોલી રહ્યા છે આ લોકો?

આદરણીય સભાપતિજી,

કાલે લોકસભામાં પણ રાષ્ટ્રપતિજીના અભિભાષણ પર ચર્ચા ના થઈ શકી. આ રાષ્ટ્રપતિ પદ, તેનું ઘોર અપમાન કર્યું છે, તેમને સંવિધાન શબ્દ મોઢામાંથી બોલવાનો અધિકાર રહેતો નથી. જે લોકો ગરીબીમાંથી નીકળેલી એક મહિલા, આદિવાસી પરિવારમાંથી આવેલી એક મહિલા, જ્યારે તમે લોકસભામાં જે વ્યવહાર કર્યો છે. તમે આદિવાસી સમાજનું અપમાન કર્યું છે, તમે મહિલાનું અપમાન કર્યું છે, ભારતના સર્વોચ્ચ પદ પર બિરાજમાન સંવિધાને જેમને સર્વોચ્ચ પદ આપ્યું છે, તમે તેમનું અપમાન કર્યું છે, તમે સંવિધાનનું અપમાન કર્યું છે.

આદરણીય સભાપતિજી,

તેમને ગમે તે લાગતું હોય. કોંગ્રેસને આ ગુનો...

આદરણીય સભાપતિજી,

સમય વધારવા માટે હું તમારો અને સદનનો બહુ આભાર વ્યક્ત કરું છું.

આદરણીય સભાપતિજી,

બહુ દર્દનાક લોકસભાની ઘટના છે અને કદાચ હતાશા નિરાશા તો અમે સમજી શકીએ છીએ, પરંતુ આના માટે દેશના પવિત્ર લોકશાહીના મંદિરને જ આ રૂપમાં કરી દેવું અને તે સમયે ચેર પર અસમના જ આપણા એક માનનીય સાંસદ બેઠા હતા અને તે સમયે કાગળ ફેંકવામાં આવ્યા, ટેબલ પર ચડી જવામાં આવ્યું. શું આ નોર્થ ઈસ્ટનું અપમાન નથી? શું અસમના નાગરિકોનું અપમાન નથી? કાલે ફરીથી તેમણે કર્યું અને તે સમયે આંધ્રના દલિત પરિવારનો દીકરો ચેર પર બેઠો હતો. તેમણે તેને પણ અપમાનિત કર્યો. એટલે કે તમે નોર્થ ઈસ્ટનું અપમાન ચેર પર બેઠા (વ્યક્તિનું), અપમાન કરો. સદને તેમને કામ આપેલું છે. બધાએ મળીને કામ આપેલું છે, પરંતુ તેઓ દલિત સમાજમાંથી આવે છે, એટલે તમે અપમાન કરો છો અને એવું લાગે છે, કોંગ્રેસના લોકોને અસમની જનતા પ્રત્યે બહુ નફરત છે. તેમને લાગે છે કે તેની જનતાએ તેમનો સાથ છોડી દીધો મતલબ તેમના દુશ્મન થઈ ગયા. શું ક્યારેય લોકશાહીમાં આવું વિચારે છે કોઈ? મને તો ત્યારે બહુ પીડા થઈ હતી, જ્યારે ભારત રત્ન ભૂપેન હજારિકાજી જેઓ આ દેશના બહુ જ સન્માનનીય વ્યક્તિત્વ છે જી. આજે પણ ઘરે-ઘરે તેમને લોકો સ્મરણ કરે છે. તેમના પ્રત્યે જે ભક્તિનો ભાવ છે, તમે કલ્પના નથી કરી શકતા, પરંતુ તેમને આની પણ કોઈ પરવા નથી અને જે પ્રકારે અને અમારું સૌભાગ્ય હતું કે અમે ભૂપેન હજારિકાજીનું દેશ માટે જે તેમનું યોગદાન હતું, નોર્થ ઈસ્ટ જેવા વિસ્તારથી આખા દેશને પોતાની વાણીથી, પોતાના વિચારોથી, પોતાની અભિવ્યક્તિથી બાંધી રાખ્યો હતો. અમે ભારત રત્ન આપવાનો નિર્ણય કર્યો. આના પર પણ તેમને વાંધો અને હું તો હેરાન છું, ખડગેજી જો હોત, તો હું તેમની હાજરીમાં કહેત આ, તેમણે જે પ્રકારે દેશ (સામે) બોલ્યા ને, ભારત રત્નની વાત, તે વીડિયો પર તેમનો ચહેરો જોશો ને, તમને લાગશે અરે આ એવા લોકો છે, આવો વ્યવહાર કરે છે અને આ ક્યાં અરે આ તો એક સિંગર (ગાયક) હતા, હું સમજું છું કે આ કોઈનું પણ અપમાન કરવામાં ક્યારેય પાછળ રહેતા નથી. તેમણે ભૂપેન હજારિકાજીને ભારત રત્ન આપ્યો, તેનો પણ વિરોધ કર્યો. આ આખા આસામનો વિરોધ છે, આખા દેશના કલા પ્રેમીઓનો વિરોધ છે. અને મને પાકો વિશ્વાસ છે, અસમ ક્યારેય આ અપમાનને ભૂલવાનું નથી.

આદરણીય સભાપતિજી,

કાલે જે ઘટના ઘટી, આ જ સદનના એક માનનીય સાંસદ કોંગ્રેસના, જેમનું દિમાગ શાતિર છે, એવા યુવરાજે તેમને ગદ્દાર કહી દીધા. અહંકાર કેટલા સાતમા આસમાને પહોંચી ચૂક્યો છે તેમનો અને કોંગ્રેસને છોડીને કેટલાય લોકો નીકળ્યા છે. કોંગ્રેસના કેટલા ટુકડા થયા છે. ઘણા લોકો બીજા પક્ષોમાં ગયા છે. પરંતુ બીજા કોઈને ગદ્દાર નથી કહ્યા તેમણે. પરંતુ કાલે સાંસદને ગદ્દાર એટલા માટે કહ્યા કારણ કે તેઓ શીખ હતા. આ શીખોનું અપમાન હતું. આ ગુરુઓનું અપમાન હતું અને કોંગ્રેસની અંદર જે કૂટી-કૂટીને શીખો પ્રત્યે નફરત ભરેલી પડી છે ને, તેની તે અભિવ્યક્તિ હતી અને આ જ સદનના માનનીય સાંસદ છે તેઓ અને તેમને જરાય દર્દ નથી, નહીંતર આજે ઉભા થઈને કહી શક્યા હોત કે કાલે જે થયું, આ જ સંસદની, સંસદની ગરિમાને અનુરૂપ નહોતું, અમને ખેદ છે. એક શબ્દ તો બોલી લેતા, પરંતુ શીખો પ્રત્યે તેમના મનમાં જે નફરત ભરેલી પડી છે અને તેના જ કારણે તેમણે કાલે અને જેનો પરિવાર દેશ માટે શહાદત આપનારો પરિવાર છે તે સભ્ય છે, તેમણે પોતાના રાજકીય વિચારોમાં પરિવર્તન કર્યું, એટલે ગદ્દાર થઈ ગયા અને એક ગદ્દાર શબ્દ નાનો નથી. મારા દેશવાસીને કોઈ ગદ્દાર કહે, આ દેશ કેવી રીતે સહન કરશે અને તે પણ એક શીખ છે, એટલે ગદ્દાર કહેવું, બહુ દુર્ભાગ્યની વાત છે અને આવા લોકો કોંગ્રેસને નહીં ડુબાડે તો શું કરશે?

આદરણીય સભાપતિજી,

એક તરફ આ દ્રશ્ય છે અને બીજી તરફ અમારા સદાનંદજી માસ્ટરનું દ્રશ્ય છે. રાજકીય દ્વેષના કારણે તેમના બંને પગ કાપી નાખવામાં આવ્યા. ભરી જુવાનીમાં બંને પગ કાપી નાખ્યા. કપાયેલા પગ સાથે જિંદગી વિતાવી રહ્યા છે. પરંતુ સંસ્કાર એટલા ઊંચા છે કે વાણીમાં પણ અપશબ્દ નથી નીકળતો. વર્તનમાં પણ કટુતા નજર નથી આવતી. ગર્વ થાય છે અને કાલે જ્યારે દેશ જ્યારે તેમનું પહેલું ભાષણ થઈ રહ્યું હતું સદનમાં અને તેમણે જ્યારે પોતાની બેન્ચ પર તમારી રજા લઈને પોતાના કપાયેલા પગ માટે તેઓ જે લિમ્બ (Limb) નો ઉપયોગ કરે છે, આર્ટિફિશિયલ લિમ્બનો, તેમણે જ્યારે મૂક્યો, તે દ્રશ્ય દેશ માટે પીડાનાક હતું કે આ દેશમાં આવી જ બંધારણની વાતો કરનારા ઇન્ડી એલાયન્સના લોકો અને આ ઇન્ડિયા એલાયન્સ પૂરેપૂરું જવાબદાર છે આના માટે, વૈચારિક અસહમતિના કારણે એક નવયુવાનના અને તે પણ એક ટીચર શિક્ષક પ્રત્યે ગર્વથી આદરથી જોવામાં આવે છે, તેના પગ કાપે છે. પરંતુ તેમને કોઈ ખેદ નથી. તેમને કોઈ દર્દ નથી. પરંતુ હું માસ્ટર સદાનંદજીને હૃદયથી અભિનંદન આપું છું કે તેમણે જે પ્રકારે આટલા ભયાનક હુમલા પછી પણ દેશની સેવાનો પોતાનો વ્રત ચાલુ રાખ્યો અને આજે દેશની નીતિ નિર્ધારણની અંદર પોતાનું યોગદાન આપી રહ્યા છે. આ ગર્વની વાત છે અને આવા લોકોના સહારે અમે રાજનીતિમાં જીવીએ છીએ, કામ કરીએ છીએ. દેશ માટે જીવવા-મરવાની પ્રેરણા મળે છે. આ સંસ્કાર અમને મળ્યા છે. આવા લાખો કાર્યકર્તાઓના તપથી મેળવ્યા છે.

આદરણીય સભાપતિજી,

આ દિવસોમાં અને આમ તો કોંગ્રેસના અમારા સાથીઓનો મારા પર જરા વિશેષ પ્રેમ છે. તે સ્પેશિયલ પ્રેમ છે. અને જ્યારે મને જવાબદારી જે મળી છે, તેના હેઠળ અને જવાબદારી ના મળતી તો પણ દેશ માટે જીવવાનું અમે શીખ્યા છીએ. અમે વિકસિત ભારતની જમીન મજબૂત કરી રહ્યા છીએ. તેને એક તાકાત આપી રહ્યા છીએ. એક તરફ દેશના યુવાઓ માટે મજબૂત જમીન તૈયાર કરી રહ્યો છું, તો કોંગ્રેસ મોદીની કબર ખોદવાના કાર્યક્રમો કરાવી રહી છે. અને મોહબ્બતની દુકાન ખોલનારા 'મોદી તેરી કબર ખુદેગી' ના સૂત્રો લગાવી રહ્યા હતા. આ કઈ મોહબ્બતની દુકાન છે, જે દેશના જ કોઈ નાગરિકની કબર ખોદવાના સપના જોતી હોય? આ કયું સંવિધાનથી તેમણે શીખ્યું છે, જે દેશના જ કોઈ નાગરિકની કબર ખોદવાની વાત કરે છે? શું આ સંવિધાનનું અપમાન નથી? શું આ માનવતાનું અપમાન નથી? શું આ જાહેર જીવનની મર્યાદાઓનું અપમાન નથી? અને તેમને આનો કોઈ ખેદ નથી. જો આના પછી શું નિવેદન આપશે, નિવેદન જુઓ 'પ્રધાનમંત્રી રાજ્યસભામાં પણ રડી રહ્યા હતા'. કયા પ્રકારના સંસ્કાર અને વૃત્તિઓથી ઉછરેલા આ લોકો છે...

આદરણીય સભાપતિજી,

મારા માટે એક અનુભવ મારો બહુ જૂનો છે. 2002 થી જ્યારે તેઓ વિપક્ષમાં હતા, ત્યારથી અને 2004 થી જ્યારે તેઓ સત્તામાં આવ્યા, ત્યારથી અને 2014 થી હું જ્યારે અહીં આવ્યો, ત્યારથી, છેલ્લા 25 વર્ષથી સંસદનું એક પણ સત્ર એવું નથી ગયું, (જેમાં) મોદી સંસદના સભ્ય નહોતા. એક પણ સત્ર એવું નથી ગયું, જેમાં આ સદનની અંદર મોદીને ગાળો દેવાનું કામ ના કર્યું હોય આ લોકોએ, 25 વર્ષ અને મને કોઈએ પૂછ્યું હતું કે 'મોદીજી તમારા સ્વાસ્થ્યનું શું રહસ્ય છે?' મેં કહ્યું 'હું ડેઈલી (દરરોજ) બે કિલો ગાળો ખાઉં છું'.

આદરણીય સભાપતિજી,

આ મોદીની કબર કેમ ખોદવા માંગે છે? આ માત્ર સૂત્ર નથી. આ તેમની અંદર પડેલી નફરતનું પ્રતિબિંબ છે. તેની અભિવ્યક્તિ છે અને તે એટલા માટે છે, અમે 370 ની દીવાલ પાડી દીધી, એટલે તેઓ મોદીની કબર ખોદવા માંગે છે. અમે નોર્થ ઈસ્ટમાં બોમ્બ-બંદૂક અને આતંકનો જે પડછાયો બની રહેતો હતો, નોર્થ ઈસ્ટમાં શાંતિ અને વિકાસનો રાહ અપનાવ્યો, એટલે તેઓ મોદીની કબર ખોદવાનું વિચારી રહ્યા છે. પાકિસ્તાની આતંકીઓને ઘરમાં ઘૂસીને જવાબ આપીએ છીએ, એટલે મોદીની કબર ખોદવાની વાત કરે છે. 'ઓપરેશન સિંદૂર' કરીએ છીએ, તેની તેમને પરેશાની થાય છે અને એટલે તેઓ મોદીની કબર ખોદે છે. માઓવાદી આતંકથી દેશને મુક્તિ અપાવવા માટે સાહસપૂર્ણ પગલાં ભરી રહ્યા છીએ, એટલે મોદીની કબર ખોદવી છે તમારે. અમે નેહરુ જીએ દેશની સાથે બહુ મોટો અન્યાય કર્યો હતો 'સિંધુ જળ કરાર' કરીને, તે સિંધુ જળ કરારને અમે એબિયન્સ (abeyance - સ્થગિત) માં નાખી દીધો, શું એટલે... એટલે તમે મોદીની કબર ખોદવાના સૂત્રો લગાવી રહ્યા છો?

આદરણીય સભાપતિજી,

કોંગ્રેસની પરેશાની કંઈક બીજી છે. તેઓ પચાવી નથી શકતા કે મોદી અહીં સુધી પહોંચ્યા કેવી રીતે? અને તેમની પરેશાની વધતી જાય છે કે ભાઈ પહોંચ્યા તો પહોંચ્યા, પણ અત્યાર સુધી ટક્યા કેમ છે? અને તેથી જ હવે એક જ રસ્તો તેમના માટે બચેલો હોય તેમ લાગે છે કે 'મોદી તેરી કબર ખુદેગી'.

આદરણીય સભાપતિજી,

આ તો માનીને બેઠા હતા. તેમને લોકશાહી કે સંવિધાન સાથે કોઈ લેવા-દેવા નથી. તેમને તો લાગે છે કે પ્રધાનમંત્રી પદ તેમના પરિવારની જાગીર છે. તેના પર કોઈ બીજું બેસી ના શકે. આ જે તેમની અંદર નફરત પડી છે ને, મોહબ્બતની દુકાનમાં જે આગ ભરેલી પડી છે ને, તેનું પરિણામ છે અને તેથી જ કોઈ કેમ બેઠું, અમારો પૈતૃક અધિકાર હતો, એટલે મોદીની કબર ખોદવાનું સૂત્ર લઈને તેઓ ચાલી રહ્યા છે.

આદરણીય સભાપતિજી,

કોંગ્રેસના શાહી પરિવારને દેશે દાયકાઓ સુધી તક આપી છે. એવું નથી, દેશે તમારા માટે પણ પોતાનું ભવિષ્ય દાવ પર લગાવ્યું હતું, પરંતુ તમે 'ગરીબી હટાવો' ના સૂત્રો લગાવ્યા, ગેરમાર્ગે દોર્યા. લાલ કિલ્લા પરથી કોંગ્રેસના એક પણ પ્રધાનમંત્રીના ભાષણમાં ગરીબી હટાવવાની વાત ના આવી હોય, એવું નથી થયું. પરંતુ કોઈ પણ પ્રધાનમંત્રીએ ગરીબી હટાવવા માટે શું કર્યું, તે એક વાર પણ ના આવ્યું. અને સૂત્રથી વધુ કંઈ નહોતું તેમનું અને મોદીએ રસ્તો અપનાવ્યો ગરીબને એમ્પાવર (Empower - સશક્ત) કરવાનો, ગરીબને સશક્ત કરવાનો અને મારા દેશના ગરીબોને હું સલામ કરું છું. તેમણે દેશની યોજનાઓને સમજી, સ્વીકારી અને પોતાના સામર્થ્યને વધારવા માટે પ્રયાસ કર્યો. હું દેશના ગરીબોનું ગૌરવ ગાન કરું છું કે અમારી નીતિઓ પર ભરોસો કરીને, અમારી નીયત પર ભરોસો કરીને તેમણે પણ પોતાની જાતને ઘસી નાખવામાં કોઈ કમી નથી રાખી અને 25 કરોડ મારા ગરીબ પરિવારના ભાઈઓએ ગરીબીને પરાજિત કરી અને પોતે ગરીબીમાંથી બહાર આવ્યા છે. હું તેમને સલામ કરું છું, મારા 25 કરોડ દેશવાસીઓ, જે નિરાશામાં પડેલા હતા, દૂર એક આશા દેખાઈ, ઉભા થઈ ગયા અને આજે અમારી સાથે ચાલી નીકળ્યા.

આદરણીય સભાપતિજી,

2014 ના પહેલા તેઓ ઇમ્પ્લીમેન્ટેશનની વાતો કરતા હતા. અમારે ત્યાં સેંકડો લોકો રેલવે ક્રોસિંગ પર મરતા હતા. સ્કૂલની બસ રેલવે ક્રોસિંગથી જઈ રહી છે, 20-20, 25-25 સ્કૂલના બાળકો મરવાના સમાચાર આવતા હતા. અનમેન્ડ (Unmanned) રેલવે ક્રોસિંગ, તે એટલું મોટું કામ નહોતું કે ના કરી શકતા હોત. આ કામ પણ મારે કરવું પડ્યું અને અમે બધા જ અનમેન્ડ ક્રોસિંગ બંધ કરી દીધા. લાખો લોકોની જિંદગી બચાવી લીધી. એટલે, એટલે આ મોદીની કબર ખોદવા માંગે છે.

આદરણીય સભાપતિજી,

2014 ના પહેલા આ દેશમાં 18,000 ગામ એવા હતા, જેમને વીજળીનો મતલબ ખબર નહોતો. વીજળીનો કોઈ તાર હોય છે, કોઈ બલ્બ હોય છે, કોઈ દીવો બળતો હોય, તેમાંથી અજવાળું નીકળે છે, ખબર નહોતી તેમને. 18,000 ગામ 2014 પછી જ્યારે તમે અમને જવાબદારી દેશવાસીઓએ આપી, તે 18,000 ગામ જેમણે ક્યારેય વીજળીનું મોઢું પણ જોયું નહોતું. વીજળીનો એક શબ્દ પણ કાન પર સાંભળ્યો નહોતો. તે ગામોમાં અજવાળું પહોંચાડ્યું. એટલે, એટલે જ આમને મોદીની કબર ખોદવા સિવાય હવે કોઈ રસ્તો દેખાતો નથી.

 

 

આદરણીય સભાપતિજી,

એક સમય એવો પણ હતો, જ્યારે દેશમાં વારંવાર સમાચારો આવતા હતા. મીડિયામાં હેડલાઇન્સ રહેતી હતી. સરહદની સ્થિતિ અંગે નિવેદનો આવતા હતા. દારૂગોળો નથી, બુલેટ પ્રૂફ જેકેટ નથી, બરફમાં ઉભો છે, બરફમાં ઉભા રહેવા માટે જે બૂટ જોઈએ, તે બૂટ પણ તેની પાસે નથી. આ સમાચારો આવતા હતા. અમે દેશના જવાનો માટે તિજોરી ખોલી દીધી. દેશના જવાનોને જે જોઈએ તે આપવાનો સંકલ્પ લીધો, અને તેથી જ, તેથી જ તેઓ ઈચ્છે છે કે હવે તો કોઈ રસ્તો બચ્યો નથી, બસ કબર ખુદશે મોદીની. આ જ એક રસ્તો તેમના માટે બચ્યો છે.

આદરણીય સભાપતિજી,

એકવાર ઉત્તર પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી જીએ સદનમાં ભાષણ કરતા-કરતા તેઓ રડી પડ્યા હતા. મગજના તાવ (એન્સેફાલીટીસ) ને કારણે બાળકો, અસંખ્ય બાળકો મરી રહ્યા હતા. આમને ક્યારેય સૂઝ્યું નહીં કે આ મગજના તાવમાંથી મુક્તિ અપાવી શકાય છે.

આદરણીય સભાપતિજી,

આંખની બીમારી ટ્રેકોમા (Trachoma), લોકો પરેશાન થતા હતા. આંખો જતી રહેતી હતી અને વિજ્ઞાન પ્રગતિ કરી ચૂક્યું હતું, થઈ શકતું હતું, પણ તેઓ ના કરી શક્યા. અમે મગજના તાવમાંથી પણ મુક્તિ અપાવી અને અમે ટ્રેકોમાથી પણ દેશના લોકોની આંખો બચાવી. આ જ સફળતાઓ છે, આ જ સંવેદનશીલતા છે, સમાજ માટે જીવવા-મરવાનો આ જ સંકલ્પ છે, પળેપળ સમાજ માટે વિતાવવી, ઘસાવું, તે તેમને પરેશાન કરી રહ્યું છે. ત્યારે જઈને 'મોદી તેરી કબર ખુદેગી', આ મંત્ર લઈને ચાલી રહ્યા છે, આ સપના જોઈને ચાલી રહ્યા છે અને વાતો લોકશાહીની કરે છે. મોહબ્બતની દુકાનના સાઈન બોર્ડ લગાવે છે. શું જાહેર જીવનમાં આવી નફરત હોય છે?

આદરણીય સભાપતિજી,

તેમની સરકાર રિમોટથી ચાલતી હતી. મારી સરકાર પણ રિમોટથી ચાલે છે. 140 કરોડ દેશવાસીઓ મારું રિમોટ છે. 140 કરોડ દેશવાસીઓના સપના, 140 કરોડ દેશવાસીઓની આકાંક્ષાઓ, દેશના નવયુવાનોના સંકલ્પ, આના માટે અમે જીવીએ છીએ, આના માટે સરકાર ચલાવીએ છીએ. સત્તા અમારા માટે સુખનો રસ્તો નથી, સત્તા અમારા માટે સેવાનું માધ્યમ છે. મુદ્રા યોજનાથી લાખો કરોડોને મદદ મળી, સ્વરોજગારને બળ આપ્યું. કોંગ્રેસે ક્યારેય સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રમોટ જ ન કર્યું. કેટલાક સેંકડોમાં સ્ટાર્ટઅપ બિચારા હતા, તેમને ખબર પણ નહોતી અને આમાં તો હાલત એ છે આદરણીય સભાપતિજી, પોતાના ઘરના સ્ટાર્ટઅપને પણ તેઓ લિફ્ટ નથી કરી શકતા. અને અમારી સરકારમાં આજે 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ છે, અને જ્યારે સફળતા એક પછી એક જનસામાન્યના દિલ જીતે છે ને, ત્યારે જઈને તેમની પાસે એક જ રસ્તો બચ્યો છે, 'મોદી તેરી કબર ખુદેગી'. પરંતુ તે જમાનો યાદ કરો, BSNL ને લઈને જોક્સ ચાલતા હતા, કાર્ટૂન બનતા હતા, આજે સ્વદેશી 4G સ્ટેક અમે ઉભો કરી દીધો. 5G દુનિયામાં સૌથી ઝડપી ગતિએ રોલ આઉટ કરવાનું કામ અમે કરી દીધું. કોમ્યુનિકેશનની નવી જનરેશન, નવી ટેકનોલોજી, નવી વિચારધારા આને અમે આગળ વધારી અને તેથી જ દર્દ જુબાન પર આવી રહ્યું છે, 'મોદી તેરી કબર ખુદેગી'.

આદરણીય સભાપતિજી,

ગરીબની સેવા, આ મારું સૌભાગ્ય છે. 4 કરોડ ગરીબોને પાકા ઘર આપવા, હું જીવનમાં સુકૂન માનું છું. વીજળી, પાણી, ગેસનો સિલિન્ડર, ટોયલેટની સુવિધા, મને લાગે છે કે હા પરમાત્માએ મને સાચી દિશામાં કામ કરવાની પ્રેરણા આપી છે. પહેલીવાર, ગામની મહિલા ગર્વથી કહી રહી છે, હા, હું 'લખપતિ દીદી' બની છું. તો બીજી કહી રહી છે, આ વર્ષ સુધીમાં હું લખપતિ દીદી બની જઈશ. જે બની ગઈ છે, તેમને જ્યારે પૂછું છું, તો કહે છે સાહેબ હવે તો કરોડપતિ માટે વિચારી રહ્યા છીએ. આ જે મિજાજ બદલાયો છે, જે આત્મવિશ્વાસ વધ્યો છે અને એવા દેશના કોટિ-કોટિ જનોના આશીર્વાદ જે ઇન્સાન પર હોય, કોટિ-કોટિ માતાઓ-બહેનોનું જેના પર રક્ષા કવચ હોય, સૂત્રો ગમે તેટલા લગાવી લો, કબર તમે નહીં ખોદી શકો. આ દેશની શક્તિ, આશીર્વાદ રૂપી કવચ, માતાઓ-બહેનોનો મારા પ્રત્યે જે ભાવ રહ્યો છે, જે શ્રદ્ધા ભાવથી મેં માતાઓ-બહેનોની સેવા કરવાનું કામ કર્યું છે, જેમને કોઈ પૂછતું નહોતું, તેને મોદી પૂજે છે. આ જ કારણ છે અને આ આશીર્વાદ જ છે, જે તેમને ખૂંચે છે અને તેથી જ કબર ખોદવા માંગે છે.

આદરણીય સભાપતિજી,

ચોરી કરવી જેનો પુસ્તૈની ધંધો છે. જેમણે એક ગુજરાતીની સરનેમ પણ ચોરી લીધી. મહાત્મા ગાંધીની સરનેમ ચોરી લીધી. આ લોકો અને દેશની જનતા એટલી સમજદાર છે કે એવી પછાડે છે, એવી પછાડે છે તમને લોકોને.

આદરણીય સભાપતિજી,

અમે એક વિકસિત ભારતનું સપનું લઈને ચાલ્યા છીએ અને આજે તે સપનું દેશના લોકોની ઊર્જા ને કારણે સંકલ્પમાં બદલાઈ ચૂક્યું છે. આજે ક્યાંય પણ જાઓ દરેક કોઈ એ જ કહે છે કે 2047 સુધીમાં વિકસિત ભારત બનવું છે. અને હું હેરાન છું, અમારા કેટલાક સાથીઓ સદનમાં એટલા નિરાશાવાદી, એટલા જમીનથી કપાયેલા લોકો, બદલાતી દુનિયાથી અજાણ લોકો, ખબર નહીં શું બોલી રહ્યા છે? તેઓ કહે છે, મોદી અત્યારે 2047 ની શું વાત કરી રહ્યો છે? 2047 કોણે જોયું છે? આપણા દેશ માટે આઝાદી માટે જે લડતા હતા, જે ફાંસીના માંચડે ચડી જતા હતા, જે લાઠીઓ ખાતા હતા, ગોળીઓ ખાતા હતા, જે કાલા પાણીની સજા માટે આંદામાન નિકોબારની સેલ્યુલર જેલમાં જિંદગી વિતાવી દેતા હતા, લાખો નવયુવાનો પોતાના ભણતરના ભવિષ્યનો વિચાર કર્યા વગર, કોઈ પરવા કર્યા વગર માત્ર દેશ માટે વિચારવા માટે નીકળી પડ્યા હતા. શું તેમણે ક્યારેય એવું વિચાર્યું હોત કે યાર અમારા કાળખંડમાં તો આઝાદી મળશે નહીં તો હું શું કામ કરું? તો શું દેશ ક્યારેય આઝાદ થાત? આ એટલા નિરાશાવાદી લોકો છે કે, જ્યારે હું ડિજિટલ ઇન્ડિયાની વાત કરતો હતો, હું ફિનટેક (Fintech) ની ચર્ચા કરતો હતો, હું યુપીઆઈ (UPI) ની વાત કરતો હતો, તો આ કહેતા હતા અરે આ દેશમાં ગરીબ માણસ મોબાઈલ ફોન પર કેવી રીતે પૈસાનો કારોબાર કરશે? ત્રણ વર્ષની અંદર જ દેશે બતાવી દીધું, આ થઈ શકે છે. અને હું હેરાન હતો, જે દિવસે સંસદમાં આવું ભાષણ થયું, દેશના મીડિયામાં પણ એવા લોકો તેમની જે ઇકોસિસ્ટમ છે, તે નાચી રહી હતી કે જુઓ મોદીને જડબાતોડ જવાબ આપ્યો. મોદીએ જવાબ નથી આપ્યો, તમારા હાથમાં મોબાઈલ ફોન જ્યારે યુપીઆઈથી ચાલે છે, કામ કરે છે ને, તો જવાબ પોતાની મેળે મળી જાય છે.

આદરણીય સભાપતિજી,

કોંગ્રેસના સમયે એક વ્યંગ ચાલતો હતો અને સામાન્ય રીતે ગંભીર ચર્ચાઓમાં પણ આવતો હતો, હસી-મજાકમાં પણ આવતો હતો - 'ઇન્ડિયા મિસ ધ બસ' (India missed the bus). આ કોમન શબ્દ બની ચૂક્યો હતો. ભાઈ તક ગુમાવી દીધી. બાજી હાથમાંથી જતી રહી. આ હંમેશા થતું હતું.

આદરણીય સભાપતિજી,

આજે ભારત કોઈ બસ મિસ નથી કરી રહ્યું. આજે ભારત કાફલાનું નેતૃત્વ કરી રહ્યું છે.

આદરણીય સભાપતિજી,

દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું છે. વર્તમાન પણ ઉજ્જવળ બનાવવા માટે અવિરત કાર્ય કરવું પડે છે. અમે વિકસિત ભારતના સપનાની ફ્લાઇટમાં 5 વર્ષની યોજના બનાવીએ છીએ અને દર વર્ષનું બજેટ બનાવીએ છીએ અને અમે દિશા નક્કી કરીને ચાલીએ છીએ કારણ કે અમારા માટે આગામી ચૂંટણી લક્ષ્ય હોતું નથી. અમારું લક્ષ્ય છે 2047, વિકસિત (ભારત). અરે ચૂંટણીઓ તો આવશે અને જશે, મારો દેશ અજર અમર રહેવાનો છે અને અમે, અમે દેશની યુવા પેઢીના હાથમાં સમૃદ્ધ હિંદુસ્તાન આપવાનું સપનું લઈને ચાલ્યા છીએ. જે બાળક આજે ઘરમાં બાળક છે ને, તેને પણ હું જોઈને વિચારું છું કે હું તેના હાથમાં એવું હિંદુસ્તાન આપીને જાઉં, જેથી આપણને આપણા કામનો સંતોષ થાય. 2047 કેમ, 2047 કેમ એવી વાતો કરે છે.

આદરણીય સભાપતિજી,

આજે જે પ્રકારે અમે ઇનિશિયેટિવ (પગલાં) લીધા છે, પછી તે સ્પેસ હોય, સાયન્સ હોય, ટેકનોલોજી હોય, સમુદ્રની ઊંડાઈ હોય, જળ-થળ-નભ, અંતરિક્ષ, દરેક ક્ષેત્રમાં નવા સંકલ્પ, નવી ઊર્જા, નવા કદમ અને નવી સિદ્ધિઓને લઈને દેશ આજે આગળ વધી રહ્યો છે. અમે ગ્રીન હાઈડ્રોજન પર કામ કરી રહ્યા છીએ. અમે આવનારા યુગને સમજી રહ્યા છીએ. અમે ક્વોન્ટમ કોમ્પ્યુટિંગની વાત કરી રહ્યા છીએ. અમે એઆઈ (AI) મિશનને લઈને ચાલી રહ્યા છીએ અને આજે દુનિયા માનવા લાગી છે કે એઆઈ મિશનમાં ભારત દુનિયાને ઘણું બધું આપી શકે છે, આ વિશ્વાસ આજે દુનિયામાં બન્યો છે. આજે દુનિયામાં ક્રિટિકલ મિનરલ અને રેર અર્થ (Rare Earth) રાજકીય હથિયાર બની ગયું છે, અમે તેના પર ફોકસ કરી રહ્યા છીએ, જેથી ક્યારેય ભારતને કોઈની પાસે હાથ ફેલાવવાની નોબત ના આવે.

આદરણીય સભાપતિજી,

એવા તો અસંખ્ય પ્રોજેક્ટ છે, જેમાં વિદેશનું ઇન્વેસ્ટમેન્ટ (રોકાણ) આવવાનું જ છે કારણ કે હવે દરેકને પોતાનું ભવિષ્ય ભારતની ભૂમિમાં દેખાઈ રહ્યું છે, દરેકને પોતાનું ભવિષ્ય ભારતના ટેલેન્ટના ભરોસે દેખાઈ રહ્યું છે, દરેકને પોતાનું ભવિષ્ય ભારતના ઉજ્જવળ ભવિષ્ય સાથે ખુદના ઉજ્જવળ ભવિષ્યને જોડીને દેખાય છે અને તેથી જ દુનિયા, તેથી જ દુનિયા આજે ભારત વિકસિત ભારતની વાત આપણે કેમ કરી રહ્યા છીએ, જેમના મગજમાં નથી ઉતરતું, દુનિયાને સમજ આવી રહ્યું છે કે ભારતે સાચી દિશા પકડી છે, ચાલો, હવે ચર્ચા ત્યાં ચાલી રહી છે, ક્યાંક આપણે બસ ના ચૂકી જઈએ. ગઈકાલ સુધી ચર્ચા ચાલતી હતી કે ભારત બસ મિસ કરે છે, હવે દુનિયાને લાગે છે કે હવે આપણે મોડા ના પડી જઈએ, ત્યાં આવવાની સ્પર્ધા ચાલી રહી છે.

આદરણીય સભાપતિજી,

આવનારો સમય ભારત માટે અવસરોથી ભરેલો છે. ભારતના નવયુવાનો માટે અવસરોથી ભરેલો છે. ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે હું પૂરી સંભાવનાઓ રેખાંકિત કરી શકું છું. હું જોઈ શકું છું અને તેની દિશામાં નીતિઓ બનાવીને અમે આગળ વધી રહ્યા છીએ. અમે આને અને હું ઈચ્છું છું, મારા દેશવાસીઓને નિમંત્રણ આપું છું અને હું દેશવાસીઓને આજે સદનમાંથી પણ કહેવા માંગીશ. મેં 'મન કી બાત' માં પણ આનો ઉલ્લેખ કર્યો હતો, હું અહીં તમામ માનનીય સાંસદોને પણ કહીશ કે તમે પણ પોતપોતાના ક્ષેત્રમાં એવા લોકોને જણાવો કે જ્યારે દુનિયાભરમાં આટલા અવસરો પેદા થયા છે, તેને સ્થાયિત્વ ત્યારે મળે છે, જ્યારે આપણે ઉત્તમ પ્રકારની વસ્તુઓને લઈને જઈએ, આપણે ક્વોલિટી (ગુણવત્તા) માં કોઈ બાંધછોડ ના કરીએ. નફો ભલે ઓછો કેમ ના હોય, પરંતુ ક્વોલિટીને અમે નિરંતર ઉત્તમ કરતા જઈશું, ઇનોવેશન કરવું પડશે તો કરીશું, રિસર્ચ કરવું પડશે તો કરીશું, પ્રોડક્ટમાં મટીરીયલ બદલવું પડશે, તો બદલીશું. પરંતુ આપણે દુનિયામાં ક્વોલિટીની દ્રષ્ટિએ ઉત્તમમાં ઉત્તમ હોઈએ ત્યારે જઈને જે આજે રાજકીય દ્રષ્ટિએ નિર્ણયો થાય છે, તેનો બેનિફિટ (લાભ) લેવામાં આપણે પાછળ ના રહેવું જોઈએ. મારા દેશવાસીઓને હું આજે એ જ આગ્રહ કરીશ કે તમે ક્વોલિટીના વિષયમાં મારો સાથ આપો. ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ ના કરો. તમે જુઓ દુનિયા માત્ર અને માત્ર 'મેડ ઇન ઇન્ડિયા', 'મેડ ઇન ભારત', 'મેડ ઇન ઇન્ડિયા', 'મેડ ઇન ભારત' માટે ગીતો ગાવા લાગશે.

આદરણીય સભાપતિજી,

હું કોંગ્રેસના મિત્રોનો પણ આજે આભાર વ્યક્ત કરું છું કે ઓછામાં ઓછું મને (બોલવા દીધો), તેમને ખબર હતી, પહેલા પ્રયોગ કરી ચૂક્યા હતા. છેલ્લા 10 વર્ષમાં મને પાંચ-છ વાર આ પ્રકારે બોલતા અટકાવવામાં આવ્યો હતો કારણ કે તેમને ખબર હતી, એકવાર શરૂ થાઉં છું તો અટકતો નથી. અને મેં કહ્યું હતું એકવાર 'એક અકેલા', તો હવે અનુભવથી શીખી ગયા કે આમાં કોઈ દાળ ગળવાની નથી, તો સમજદારીથી કામ લીધું અને એવી સમજ તેમને નિરંતર મળતી રહે, તેવી પણ હું પ્રાર્થના કરતો રહીશ.

આદરણીય સભાપતિજી,

હું રાષ્ટ્રપતિજીના ઉદ્બોધનમાં યોગદાન આપનારા તમામ સાંસદોનો પણ આભાર વ્યક્ત કરું છું. જે પણ ઉત્તમ વિચારો અહીં પ્રાપ્ત થયા છે, ઉત્તમ વિચારો દેશની પ્રગતિમાં જરૂર કામ આવશે, તેવો હું વિશ્વાસ આપું છું અને આદરણીય રાષ્ટ્રપતિ જીનો આ સંબોધન માટે હું હૃદયથી આભાર વ્યક્ત કરતા મારી વાણીને વિરામ આપું છું.

ખૂબ-ખૂબ ધન્યવાદ!

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India commemorates first anniversary of Operation Sindoor, marking decisive military action against terror

Media Coverage

India commemorates first anniversary of Operation Sindoor, marking decisive military action against terror
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister salutes armed forces on one year of Operation Sindoor
May 07, 2026
Prime Minister urges citizens to change social media display pictures as a mark of respect for armed forces

The Prime Minister, Shri Narendra Modi today saluted the courage, precision and resolve of the armed forces on the completion of one year of Operation Sindoor.

The Prime Minister said that the armed forces had given a fitting response to those who dared to attack innocent Indians at Pahalgam.

Shri Modi said that Operation Sindoor reflected India’s firm response against terrorism and its unwavering commitment to safeguarding national security.

The Prime Minister noted that the operation highlighted the professionalism, preparedness and coordinated strength of the armed forces. He further said that it showcased the growing jointness among the forces and underlined the strength that India’s quest for self-reliance in the defence sector has brought to national security.

Shri Modi reiterated that India remains steadfast in its resolve to defeat terrorism and destroy its enabling ecosystem.

Shri Modi said that during Operation Sindoor, the armed forces showcased their valour and gave a firm response to those who attacked the people of India. He said that every Indian is proud of the armed forces.

As a mark of respect to the armed forces and their success during Operation Sindoor, the Prime Minister urged citizens to change their display pictures on social media platforms, including X, Facebook, Instagram and WhatsApp, to the picture shared by him.

The Prime Minister posted on X;

“A year ago, our armed forces displayed unparalleled courage, precision and resolve during #OperationSindoor. They gave a fitting response to those who dared to attack innocent Indians at Pahalgam. The entire nation salutes our forces for their valour.

Operation Sindoor reflected India’s firm response against terrorism and an unwavering commitment to safeguarding national security. It also highlighted the professionalism, preparedness and coordinated strength of our armed forces. At the same time, it showcased the growing jointness among our forces and underlined the strength that India’s quest for self-reliance in the defence sector has brought to our national security.

Today, a year later, we remain as steadfast as ever in our resolve to defeat terrorism and destroy its enabling ecosystem.”

“A year ago, during #OperationSindoor, our armed forces showcased their valour and gave a firm response to those who attacked our people. Every Indian is proud of our armed forces. As a mark of respect to our forces and their success during #OperationSindoor, let us all change our display pictures on social media, including X, Facebook, Instagram and WhatsApp to the picture shared below.”