PM Modi, PM Hasina of Bangladesh jointly inaugurate two railway projects and a power link
Railway projects between India and Bangladesh to boost trade and connectivity
India to supply an additional 500MW power to Bangladesh, through the existing Bheramara-Baharampur interconnection
Enhanced cooperation between India and Bangladesh augurs well for our peoples as well as progress of both countries: PM Modi

બાંગ્લાદેશના પ્રધાનમંત્રી આદરણીય શેખ હસીના,

ભારત અને બાંગ્લાદેશના વિદેશ મંત્રી,

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુશ્રી મમતા બેનર્જીજી,

ત્રિપુરાના મુખ્યમંત્રી શ્રી બિપ્લવ કુમાર દેવજી,

થોડા દિવસો અગાઉ કાઠમંડુમાં બિમ્સટેક શિખર સંમેલન દરમિયાન શેખ હસીનાજી સાથે મારી મુલાકાત થઇ હતી. તેના પહેલા પણ અમે મે મહિનામાં શાંતિનિકેતનમાં અને એપ્રિલમાં કોમનવેલ્થ સમિટ સમયે લંડનમાં મળ્યા હતા.

અને મને પ્રસન્નતા છે કે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમને એક વાર ફરી આપને મળવાનો અવસર મળ્યો છે.

મેં પહેલા પણ ઘણી વાર કહ્યું છે કે પાડોશી દેશોના નેતાઓની સાથે પાડોશીઓ જેવા જ સંબંધો હોવા જોઈએ. જ્યારે મન થયું તો વાત થવી જોઈએ, જ્યારે ઇચ્છીએ ત્યારે મુલાકાત થવી જોઈએ. આ બધા વિષયો પર આપણે પ્રોટોકોલના બંધનમાં ન રહેવું જોઈએ.

અને આ નિકટતા પ્રધાનમંત્રી શેખ હસીનાજીની સાથેના મારા સંપર્કમાં સ્પષ્ટપણે જોવા મળે છે. અનેક મુલાકાતો ઉપરાંત આ અમારી ચોથી વીડિયો કોન્ફરન્સ છે અને નજીકના ભવિષ્યમાં એક બીજી પણ વીડિયો કોન્ફરન્સ થવાની છે.

આ વીડિયો કોન્ફરન્સની સૌથી મોટી વાત છે કે આપણા બંને દેશોના સહયોગના પ્રોજેક્ટ્સનો શુભારંભ કે ઉદઘાટન કોઈ વીઆઈપી મુલાકાતને આધીન નથી.

મહાનુભવ, જારે પણ આપણે જોડાણની વાત કરીએ છીએ તો મને હંમેશા તમારા 1965 પહેલાના જોડાણને બહાલ કરવાના વિઝનનો વિચાર આવે છે.

અને મારા માટે ઘણી પ્રસન્નતાનો વિષય છે કે આપણે છેલ્લા કેટલાક વર્ષોમાં સતત આ દિશામાં પગલાઓ ભરી રહ્યા છીએ.

આજે આપણે આપણું ઊર્જા જોડાણ વધાર્યું છે અને રેલવેના જોડાણને વધુ મજબુત કરવા માટે બે પ્રોજેક્ટ શરુ કર્યા છે.

2015માં જ્યારે બાંગ્લાદેશ આવ્યો હતો ત્યારે અમે બાંગ્લાદેશને 500 મેગાવોટ વધારાની વીજળી પૂરી પાડવાનો નિર્ણય લીધો હતો અને તેના માટે પશ્ચિમ બંગાળથી બાંગ્લાદેશની ટ્રાન્સમિશન લાઈનને ઉપયોગમાં લેવામાં આવી રહી છે. આ કામને પૂર્ણ કરવામાં સહયોગ માટે હું મુખ્યમંત્રી સુશ્રી મમતા બેનર્જીને અભિનંદન પાઠવુ છું.

આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી હવે 1.16 ગીગાવૉટ વીજળી ભારતમાંથી બાંગ્લાદેશને પૂરી પાડવામાં આવી રહી છે. હું સમજુ છું કે મેગાવૉટથી ગીગાવૉટની આ હરણફાળ આપણા સંબંધોના સોનેરી અધ્યાયનું પ્રતીક છે.

રેલવેના ક્ષેત્રમાં પણ આપણું જોડાણ સતત વધી રહ્યું છે. તેમાં બાંગ્લાદેશનું આંતરિક જોડાણ અને ભારત સાથેની કનેક્ટિવિટી આપણા સહયોગના મુખ્ય પાસાઓ છે.

અખૌડા-અગરતલાનું રેલવે જોડાણનું કામ પૂરું થવાથી આપણા સરહદ પારના જોડાણની વધુ એક કડીનો ઉમેરો થઇ જશે. આ પ્રોજેક્ટમાં સહયોગ માટે હું મુખ્યમંત્રી શ્રી વિપ્લવ કુમાર દેવને અભિનંદન પાઠવું છું.

પ્રધાનમંત્રી શેખ હસીનાજીએ બાંગ્લાદેશના વિકાસ માટે મહત્વાકાંક્ષી લક્ષ્યો નિર્ધારિત કર્યા છે – 2021 સુધીમાં મધ્યમ આવક ધરાવતો દેશ અને 2041 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાના તેમના વિઝનને સાકાર કરવા માટે સહયોગ કરવો એ અમારા માટે ગર્વની બાબત છે.

મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જેમ-જેમ આપણે આપણા સંબંધો વધારીશું અને લોકોની વચ્ચે સંબંધો મજબુત બનાવીશું તેમ આપણે વિકાસ અને સમૃદ્ધિના નવા આકાશને પણ આંબીશું.

આ કામમાં સહયોગ આપવા બદલ અને આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ હું પ્રધાનમંત્રી શેખ હસીનાજીનો, અને પશ્ચિમ બંગાળ તથા ત્રિપુરાના મુખ્યમંત્રીઓનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરું છું.

આભાર!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India steps up semiconductor push, seeks to turn ‘Make In India’ into ‘Engineer in India’

Media Coverage

India steps up semiconductor push, seeks to turn ‘Make In India’ into ‘Engineer in India’
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
The inauguration of Swaminarayan Temple is a new milestone in the cultural relations between India and France: PM Modi
September 06, 2026
It is a matter of great joy that BAPS Swaminarayan Hindu Mandir is being inaugurated in Paris: PM
This temple will surely enrich the diversity of France and energize our cultural relations: PM
India-France Strategic Partnership is special as it rests on the strong foundation of old cultural and political bonds: PM

पूज्य महंत स्वामी, फ्रांस सरकार के सम्मानित प्रतिनिधिगण, उपस्थित अतिथिगण, इंडियन कम्युनिटी के मेरे साथी, देश दुनिया से जुड़े सभी हरि भक्त, देवियों और सज्जनों, जय स्वामीनारायण!

आज फ्रांस की राजधानी पेरिस में भव्य स्वामीनारायण मंदिर का लोकार्पण हो रहा है। यह लोकार्पण भारत और फ्रांस के सांस्कृतिक संबंधों का नया युग स्तंभ है। पूज्य संत जनों और सनातन परंपरा के श्रेष्ठ जनों के आशीर्वाद के साथ आज इस लोकार्पण का मंच ‘वसुधैव कुटुम्बकम’ के भाव का मंच बन गया है। भगवान स्वामीनारायण की कृपा और हमारे संतों का स्नेह, संतों का आशीर्वाद, मेरा सौभाग्य है कि मुझे ऐसे पुण्य अवसरों से जुड़ने का अवसर हमेशा मिलता रहता है। आज भी मैं भले ही पेरिस में आप सबके बीच उपस्थित नहीं हूं, लेकिन मन से और हृदय से, मैं स्वयं को आपके बीच ही अनुभव कर रहा हूं।

साथियों,

आज इस अवसर पर मैं परम पूज्य प्रमुख स्वामी जी महाराज का भी श्रद्धापूर्वक स्मरण करता हूं। प्राचीन काल में भारत का जो सांस्कृतिक आध्यात्मिक वैभव था, उन्होंने उसके पुनर्जागरण का एक अभियान शुरू किया था। आज उसका प्रकाश यूरोप समेत पूरी दुनिया में फैल रहा है। 2024 में अबू धाबी में भव्य मंदिर का लोकार्पण हुआ था। आज वहां हजारों लोग दर्शन करने जाते हैं और अब यहां पेरिस में स्वामीनारायण मंदिर का निर्माण सृजन की यह निरंतरता, यह संतों की संकल्प शक्ति का ही प्रमाण है। मैं पुनीत कार्य के लिए पूज्य महंत स्वामी का आभार प्रकट करता हूं, मैं उनके चरणों में प्रणाम करता हूं। मैं BAPS स्वामीनारायण संस्था को और करोड़ों हरि भक्तों को इस अवसर पर हृदय की गहराई से बधाई देता हूं।

साथियों,

BAPS के माध्यम से जब अलग-अलग देश में मंदिरों की प्राण प्रतिष्ठा होती है, तो वहां भारत के प्राचीन विचार और मानवीय मूल्य भी साथ-साथ ही जाते हैं और भारत का विचार कहता है ‘समानं मनः सह चित्तमेषाम्’ अर्थात हमारे मन समान हो, हमारे हृदय साथ जुड़े। इसलिए आज जब फ्रांस में इतना भव्य मंदिर बनकर तैयार हुआ है, यह फ्रांस की विविधता को तो समृद्ध करेगा ही, इससे भारत और फ्रांस के सांस्कृतिक संबंधों को भी ऊर्जा मिलेगी।

साथियों,

बीते वर्षों में भारत और फ्रांस के संबंध नई ऊंचाइयों तक पहुंचे हैं। मेरे मित्र, प्रेसिडेंट मैक्रों के साथ मिलकर दोनों देश एक Special Global Strategic Partnership बना रहे हैं। Technology, AI और Defence से लेकर Space और Climate Action तक हम एक नई गति और नई ऊर्जा के साथ मिलकर के आगे बढ़ रहे हैं। हम 2026 को India-France Year of Innovation के रूप में भी सेलिब्रेट कर रहे हैं। भारत-फ्रांस की ये Strategic Partnership इसलिए भी खास है, क्योंकि ये हमारे पुराने सांस्कृतिक-राजनैतिक सम्बन्धों की मजबूत बुनियाद पर टिकी है। इतिहास गवाह है, फ्रांस में भारतीय सैनिकों के बलिदान का इतिहास आज भी मन-मंदिर में जीवित है। भाषा से जुड़े विषयों में रुचि रखने वाले लोग यह भी जानते हैं कि फ्रेंच स्कॉलर्स ने संस्कृत को लोकप्रिय बनाने में कितनी अहम भूमिका निभाई है। रामकृष्ण परमहंस और स्वामी विवेकानंद पर रोमाँ रोलाँ की की लेखनी हमारी सोसाइटीज़ को और करीब लाई है। पेरिस से पुडुचेरी के अरबिंदो आश्रम तक 'The mother' की spiritual journey, उसने कितने ही भारतीय और फ्रेंच साधकों को inspire किया है।

साथियों,

दशकों पहले श्रील प्रभुपाद स्वामी भी फ्रांस आए थे। इस्कॉन के जरिए भारत फ्रांस के बीच आध्यात्मिक सम्बन्धों का नया अध्याय उन्होंने शुरू किया था। आज योग भी भारत-फ्रांस के people to people कनेक्ट का एक माध्यम बन चुका है। 'इंटरनेशनल योगा डे' पर एफिल टॉवर के सामने से आने वाली तस्वीरें फ्रांस में योग की लोकप्रियता का उदाहरण बनती हैं और अब BAPS के इस भव्य मंदिर के जरिए, हमारे उन सांस्कृतिक सम्बन्धों में एक नया अध्याय जुड़ रहा है।

साथियों,

इन दिनों, भारत फ्रांस Joint Ventures की संभावनाओं पर बातें होती हैं। स्वामीनारायण मंदिर ने इस संभावना में भी एक नया आयाम जोड़ा है। यह मंदिर 'मेड इन इंडिया' है और 'बिल्ट इन फ्रांस' है। इसके काफी पत्थरों को भारत में तराशा गया है। भारत की प्राचीन प्रतिभा यहाँ फ्रांस में आधुनिक इंजीनियरिंग से आकर जुड़ चुकी है। पेरिस में इस भव्य मंदिर ने आकार लिया है। इसलिए, मैं आशा करता हूँ, यह मंदिर सदियों तक भारत और फ्रांस के बीच सहयोग और संभावनाओं का भी प्रतीक बनकर उभरेगा।

साथियों,

स्वामीनारायण मंदिर हमेशा से भक्ति के साथ-साथ सेवा का माध्यम भी रहे हैं। मुझे बताया गया है, यह मंदिर भी सेवा प्रकल्पों का वैसा ही केंद्र बनेगा। मुझे विश्वास है कि यहाँ से भारतीय संस्कृति के जो स्वर निकलेंगे, उनका लाभ पूरे यूरोप में लोगों को मिलेगा। भविष्य में मुझे जब भी समय मिलेगा, मैं इस मंदिर में दर्शन करने का प्रयास अवश्य करूंगा। इन्हीं शब्दों के साथ, एक बार फिर आज के इस लोकार्पण समारोह में सम्मिलित सभी अतिथिगणों को, सभी परिवारों को, सभी हरि भक्तों को और पूरी Indian Diaspora को मेरी ओर से इस शुभारंभ पर्व की ढेरों शुभकामनाएं!

बहुत-बहुत धन्यवाद!

मर्सी बोकू!

जय स्वामीनारायण!