‘વોકલ ફોર લોકલ’ અને આત્મનિર્ભર અભિયાનની સફળતા આપણા યુવાનો પર નિર્ભર છે: પ્રધાનમંત્રી
NCC અને NSS તેમજ અન્ય સંગઠનોને રસી અંગે લોકજાગૃતિ ફેલાવવા માટે આહ્વાન કર્યું

મંત્રીમંડળના મારા વરિષ્ઠ સહયોગી, દેશના સંરક્ષણ મંત્રી શ્રીમાન રાજનાથ સિંહજી, શ્રી અર્જૂન મૂંડાજી, ડો. કિરણ રિજિજજુજી, શ્રીમતી રેણુકા સિંહ સરૂટાજી અને સમગ્ર દેશમાંથી અહીં આવેલા મારા વ્હાલા નવયુવાન સાથીઓ. કોરોનાએ હકીકતમાં ઘણું બધુ બદલી નાંખ્યુ છે. માસ્ક, બે ગજનુ અંતર, આ બધુ એવું લાગી રહ્યું છે કે જાણે રોજબરોજની જીંદગીનો હિસ્સો બની ગયુ હોય. અગાઉ જ્યારે ફોટો પડાવવા જતા હતા ત્યારે કેમેરામેન કહેતો હતો કે સ્માઈલ, હવે માસ્કને કારણે તે બોલતો નથી. આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે અલગ અલગ બેસવાની વ્યવસ્થા કરવી પડી છે. ખુબ જ ફેલાઈને બેસવું પડે છે, પરંતુ આ બધા છતાં તમારો ઉત્સાહ, તમારો ઉમંગ, એમાં કોઈ ઊણપ વર્તાતી નથી, એ એવોને એવો જ છે.

સાથીઓ,

તમે અહીં દેશના અલગ અલગ ખૂણેથી આવ્યા છો. અહીંયાં દૂર દૂર જનજાતિ વિસ્તારોમાંથી આવેલા લોકો છે. એનસીસી અને એનએસએસના ઉર્જાવાન યુવકો પણ છે અને રાજપથ ઉપર અલગ અલગ રાજ્યોની ઝલક બાકીના દેશ સુધી પહોંચાડનાર સાથી કલાકારો પણ છે. રાજપથ ઉપર જ્યારે તમે જોશની સાથે કદમ તાલ કરો છો ત્યારે ત્યારે દરેક દેશવાસીનું દિલ જોશથી ભરાઈ જાય છે. જ્યારે તમે ભારતની સમૃધ્ધ કલા, સંસ્કૃતિ, પરંપરા અને વારસાની ઝલક જુઓ છો ત્યારે દરેક દેશવાસીનું મસ્તક ગૌરવથી ઉંચુ થઈ જાય છે અને મેં જોયુ છે કે પરેડ વખતે મારી સાથે કોઈને કોઈ દેશના પ્રમુખ રહેતા હોય છે. આટલી બધી ચીજો જોઈને તેમને ખૂબ જ અચરજ થાય છે. ઘણાં બધા સવાલ પૂછતા રહેતા હોય છે કે દેશના કયા ખૂણામાં શું છે, કેવુ છે, તે જાણવાનો પ્રયાસ કરતા રહે છે. જ્યારે આપણા આદિવાસી સાથીઓ રાજપથ ઉપર સંસ્કૃતિના રંગ ફેલાવે છે ત્યારે સમગ્ર ભારત એ રંગોમાં રંગાઈ જાય છે, ઝૂમી ઉઠે છે. ગણતંત્ર દિવસની પરેડ ભારતની મહાન સામાજિક - સાંસ્કૃતિક વારસાની સાથે સાથે આપણા લશ્કરી સામર્થ્યને પણ નમન કરે છે. ગણતંત્રની પરેડ એ દુનિયાના સૌથી મોટા લોકતંત્રને જીવંત કરનાર આપણા બંધારણને નમન કરે છે. હું તમને 26 જાન્યુઆરીના બહેતર પ્રદર્શન માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવુ છું. મારો તમને એક આગ્રહ પણ છે. હાલમાં દિલ્હીમાં ઠીક ઠીક ઠંડી પડી રહી છે. જે લોકો દક્ષિણમાંથી આવ્યા હશે તેમને તો ઘણી વધારે તકલીફ પડતી હશે. અને તમે ઘણાં દિવસથી અહીંયાં છો, પણ તમારામાંથી ઘણા બધા લોકો, મેં કહ્યું તે મુજબ ઠંડી સહન કરવાની આદત ધરાવતા નથી, આટલી વહેલી સવારે ઉઠીને તમારે ડ્રીલ માટે જવું પડતું હશે. હું તમને કહીશ કે તમે તમારી તબિયતનો જરૂરથી ખ્યાલ રાખજો.

સાથીઓ,

આ વર્ષે આપણો દેશ આપણી આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. આ વર્ષ ગુરૂ તેગ બહાદૂરજીનું 400મુ પ્રકાશ પર્વ પણ છે. આને આ વર્ષે હાલમાં આપણે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ મનાવી રહ્યા છીએ. હવે દેશે નક્કી કર્યુ છે કે નેતાજીના જન્મ દિવસને આપણે પરાક્રમ પર્વ તરીકે મનાવીશું. કાલે પરાક્રમ દિવસ પ્રસંગે હું તેમની જન્મભૂમિ કોલકતામાં જ હતો. આઝાદીનુ 75મુ વર્ષ, ગુરૂ તેગ બહાદૂરજીનું જીવન, નેતાજીનું શૌર્ય, આ બધુ આપણા સૌના માટે ખૂબ જ પ્રેરણા સમાન છે. આપણને આપણા દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરવાની તક મળી નથી, કારણ કે આપણામાંથી ઘણાં બધા લોકોએ આઝાદી પછી જન્મ લીધો છે, પરંતુ દેશે આપણને પોતાનું સર્વસ્વ અર્પણ કરવાની તક જરૂર પૂરી પાડી છે. આપણે દેશ માટે જે કાંઈ સારૂ કરી શકીએ તેમ છીએ તે આપણે કરવુ જોઈએ.

સાથીઓ,

અહીં ગણતંત્ર દિવસની પરેડની તૈયારીઓ દરમિયાન તમે પણ અનુભવ કર્યો હશે કે આપણો દેશ કેવા વૈવિધ્યથી ભરેલો છે. અનેક ભાષાઓ, અનેક બોલીઓ, અલગ અલગ ખાન-પાન, કેટલુ બધુ નોખું નોખું છે, પરંતુ ભારત એક છે. ભારત એટલે કરોડો કરોડો સામાન્ય માણસોના લોહી અને પરસેવાની, આકાંક્ષાઓ અને અપેક્ષાઓની સામૂહિક શક્તિ, ભારત એટલે રાજ્ય અનેક પણ રાષ્ટ્ર એક. ભારત એટલે પંથ અનેક પણ લક્ષ્ય એક, ભારત એટલે રિવાજ અનેક, પણ મૂલ્ય એક, ભારત એટલે ભાષાઓ અનેક પણ અભિવ્યક્તિ એક, ભારત એટલે કે રંગ અનેક, પણ તિરંગો એક, જો આ બધું એક જ વાક્યમાં કહેવું હોય તો ભારતમાં રસ્તા ભલે અલગ અલગ હોય, પણ જવાનું એક જ સ્થળે હોય છે, મંઝીલ એક જ હોય છે, એક ભારત શ્રેષ્ઠ ભારત.

સાથીઓ,

આજે એક ભારત શ્રેષ્ઠ ભારતની આ શાશ્વત ભાવના દેશના દરેકે દરેક ખૂણામાં પ્રગટ થઈ રહી છે. તમે જોયું અને સાંભળ્યું પણ હશે કે મિઝોરમની 4 વર્ષની બાલિકા, તેણે જ્યારે વંદે માતરમ ગાયું ત્યારે સાંભળનાર સૌને ગર્વથી ભરી દીધા હતા. કેરળની શાળાની એક બાળકી, કઠીન પરિશ્રમથી શીખીને એક હિમાચલી ગીત ખૂબ જ યોગ્ય રીતે ગાઈ રહી હતી. આ બધાથી રાષ્ટ્રની તાકાતનો અનુભવ થઈ રહ્યો છે. તેલુગુ ભાષા બોલનારી બેટી, જ્યારે પોતાના સ્કૂલ પ્રોજેકટમાં ખૂબ જ રોચક રીતે હરિયાણવી ખાણી- પીણીનો પરિચય આપે છે ત્યારે આપણને ભારતની શ્રેષ્ઠતાના દર્શન થાય છે.

સાથીઓ,

ભારતની આ તાકાતનો દેશ અને દુનિયા સાથે પરિચય કરાવવા માટે એક ભારત, શ્રેષ્ઠ ભારત પોર્ટલ બનાવવામાં આવ્યુ છે. અને તમે બધા તો ડિજિટલ જનરેશન વાળા છો. તો આ પોર્ટલ ઉપર જરૂર જજો અને આ પોર્ટલ ઉપર જે વાનગી અને તેને બનાવવાની પધ્ધતિનો વિભાગ છે, તેમાં એક હજારથી વધુ લોકોએ પોતાની વાનગીઓ જણાવી છે. ક્યારેક સમય કાઢીને આ પોર્ટલ જરૂરથી જોજો અને પરિવારમાં પણ આ બધુ બતાવશો તો તેમને ખૂબ જ આનંદ થશે.

સાથીઓ,

વિતેલા દિવસોમાં, કોરોના કાળમાં શાળા- કોલેજો વગેરે બંધ હોવાને કારણે, દેશના યુવકોએ ડિજિટલ માધ્યમથી અન્ય રાજ્યોની સાથે વેબીનાર કર્યા છે. આ વેબીનારમાં સંગીત, નૃત્ય, ખાણી-પીણી અંગે અલગ અલગ રાજયોની અલગ શૈલીઓ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી છે. આજે સરકારની પણ એ કોશિશ રહે છે કે દરેક પ્રાંત, દરેક વિસ્તારની ભાષાઓ, ખાન-પાનનો, કલાનો સમગ્ર દેશમાં પ્રચાર- પ્રસાર થાય. દેશના દરેક રાજ્યની રહેણી-કરણી, ત્રીજ તહેવારની બાબતમાં વધુ જાગૃતિ પેદા થાય અને ખાસ કરીને આપણી સાંસ્કૃતિક પરંપરાઓ, કલા અને કસબ મારફતે દેશ ઘણું બધુ શીખી શકે છે. આ બધી બાબતોને આગળ ધપાવવામાં એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન ખૂબ જ મદદ કરી રહ્યું છે.

સાથીઓ,

આજકાલ તમે સાંભળ્યું હશે કે દેશમાં ઘણું બોલવામાં આવી રહ્યુ છે, લોકલ પોર વોકલ જેવા શબ્દો સાંભળવા મળે છે. આપણાં ઘરની આસપાસ જે ચીજો બની રહી છે તે સ્થાનિક સ્તર ઉપર બની રહી છે. તેના માટે માન દાખવવું, તેના માટે ગર્વ કરવો, તેને પ્રોત્સાહિત કરવી, એ જ છે લોકલ ફોર વોકલ, પણ લોકલ ફોર વોકલની ભાવના ત્યારે જ મજબૂત થશે જ્યારે તેને એક ભારત શ્રેષ્ઠ ભારતમાંથી શક્તિ પ્રાપ્ત થશે. હું તામિલનાડુમાં રહેતો હોઉ તો પણ મને હરિયાણાની કોઈ ચીજ બાબતે મને ગર્વ થવો જોઈએ. એક ક્ષેત્રની સ્થાનિક પ્રોડકટ અંગે બીજો વિસ્તાર ગર્વ કરશે તો તેમાં એક ગ્લોબલ પ્રોડકટ બનવાની તાકાત પેદા થશે.

સાથીઓ,

આ લોકલ ફોર વોકલથી આત્મનિર્ભર ભારત અભિયાન, તેની સફળતા તમારા જેવા નવયુવાન ઉપર આધાર રાખે છે. આજે મારી સામે એનસીસી અને એનએસએસના આટલા બધા નવયુવાનો છે તેમને તો આ જ દિક્ષા અને શિક્ષા આપવામાં આવે છે. આજે હું તમને નાનું સરખું કામ સોંપવા માગુ છું. સમગ્ર દેશના એનસીસીના નવયુવાનો મને આ કામમાં જરૂર મદદ કરશે. તમે સૌ એક કામ કરો, સવારે ઉઠીને રાત્રે સુઈ જાવ ત્યાં સુધી તમે જે ચીજોનો ઉપયોગ કરો છો- ભલે ને તે ટૂથપેસ્ટ હોય, બ્રશ હોય કે કાંસકો હોય, ગમે તે હોય, ઘરમાં એસી હોય મોબાઈલ ફોન હોય, જે કાંઈ પણ હોય, તમે જરા જોઈ લો કે કેટલી ચીજોની તમને જરૂર પડે છે. અને તેમાં કેટલી ચીજો એવી છે કે જેમાં દેશના મજૂરનો પરસેવો મહેંકી રહ્યો છે. એવી કેટલી ચીજો છે કે જેમાં આપણાં દેશની માટીની સુગંધ છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે જાણે- અજાણે કેટલી બધી વિદેશી ચીજો આપણાં જીવનમાં ઘૂસી ગઈ છે એની આપણને ખબર પણ નથી. એક વાર આ બધી ચીજો સામે જોશો તો ખબર પડશે કે આત્મનિર્ભર બનવાનું કર્તવ્ય સૌથી પહેલાં અહીંથી જ શરૂ કરવુ જોઈએ. આનો અર્થ હું એવો કરી રહ્યો નથી કે તમારી પાસે કોઈ વિદેશી ચીજ હોય તો તેને જઈને ફેંકી દો. હું એવુ પણ નથી કહી રહ્યો કે દુનિયામાં કોઈ સારી ચીજ હોય અને આપણે ત્યાં ના હોય તો તેને લેવાની મનાઈ કરો એવુ થઈ શકે નહીં, પરંતુ આપણને ખબર પણ નથી કે એવી ચીજો છે કે જેણે આપણા રોજબરોજના જીવનમાં આપણને ગુલામ બનાવી દીધા છે, માનસિક ગુલામ બનાવી દીધા છે. મારા નવયુવાન સાથીઓને હું આગ્રહ કરીશ કે એનસીસી અને એનએસએસના શિસ્તબધ્ધ જવાનોને હું આગ્રહ કરીશ કે તમારા પરિવારના બધા સભ્યોને સાથે બેસાડીને જરા યાદી તો બનાવો, એકવાર બનાવી જુઓ, પછી તમારે ક્યારેય મારી વાત યાદ નહીં કરવી પડે. તમારો આત્મા જ કહેશે કે આપણે આપણાં દેશને કેટલું નુકસાન પહોંચાડી દીધુ છે.

સાથીઓ,

ભારત કોઈના કહેવાથી આત્મનિર્ભર નહીં બની શકે, પરંતુ મેં જે રીતે તમને કહ્યું તે મુજબ દેશના યુવાનો કરશે તો જ તે થઈ શકશે અને તમે ત્યારે જ સૌથી બહેતર રીતે કરી શકશો કે જ્યારે તમારી પાસે યોગ્ય સ્કીલ- સેટ હશે.

સાથીઓ,

સ્કીલના, કૌશલ્યના આ મહત્વને જોઈને જ વર્ષ 2014માં સરકારે જ કૌશલ્ય વિકાસ માટે એક વિશેષ મંત્રાલયની રચના કરી હતી. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં સાડા પાંચ કરોડ કરતાં વધુ યુવાન સાથીઓને અલગ અલગ કલા અને કૌશલ્યની તાલીમ અપાઈ ચૂકી છે. કૌશલ્ય વિકાસના આ કાર્યક્રમ હેઠળ માત્ર તાલીમ જ આપવામાં આવે છે એવું નથી, પણ લાખો યુવાનોને રોજગાર અને સ્વરોજગાર માટે પણ મદદ કરવામાં આવી રહી છે. લક્ષ્ય એવું છે કે ભારત પાસે કુશળ યુવાનો હોય અને સ્કીલ-સેટના આધારે તેમને નવી રોજગારી પણ મળી શકે.

સાથીઓ,

આત્મનિર્ભર ભારત માટે યુવાનોના કૌશલ્ય પર આ રીતે ધ્યાન કેન્દ્રિત કરવાની કામગીરી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ રજૂ કરવામાં આવી છે. તમે પણ તે જોઈ શકશો કે તેમાં ભણતરની સાથે-સાથે ભણતરનો ઉપયોગ એટલે કે એપ્લિકેશન ઉપર એટલો જ ભાર મૂકવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિની કોશિશ એ રહી છે કે વિદ્યાર્થીઓને પોતાની રૂચિ મુજબ વિષય પસંદ કરવાની આઝાદી મળે. તેમણે ક્યારે અભ્યાસ કરવો છે અને ક્યારે ફરીથી શરૂ કરવો તે બાબતે તેમને સુગમતા પૂરી પાડવામાં આવી છે. પ્રયાસ એવો રહ્યો છે કે આપણાં વિદ્યાર્થીઓ જે બાબતો જાતે કરવા માંગે છે તેમાં તે આગળ ધપતા રહે.

સાથીઓ,

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પ્રથમ વખત વ્યવસાયલક્ષી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવાનો ગંભીર પ્રયાસ કરવામાં આવ્યો છે. ધોરણ-6ના વિદ્યાર્થીઓને સ્થાનિક જરૂરિયાતો અને સ્થાનિક વ્યવસાયો સાથે જોડીને પોતાની અભિરૂચિ મુજબ કોઈપણ અભ્યાસક્રમ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ માત્ર ભણાવવાનો જ અભ્યાસક્રમ નથી, શીખવા અને શીખવાડવાના અભ્યાસક્રમ છે અને તેમાં સ્થાનિક કુશળ કારીગરોની સાથે-સાથે પ્રેક્ટીકલ અનુભવ પણ આપવામાં આવશે. તે પછી તબક્કાવાર પધ્ધતિ તમામ મિડલ સ્કૂલોના શૈક્ષણિક વિષયોમાં વ્યવસાયિક શિક્ષણને એકીકૃત કરવાનું લક્ષ્ય પણ છે. આજે હું તમને આ બધુ વિસ્તારથી એટલા માટે કહી રહયો છું કે તમે જેટલા જાગૃત રહેશો તેટલું જ તમારૂં ભવિષ્ય ઉજ્જવળ બની રહેશે.

સાથીઓ,

આપ સૌ આત્મનિર્ભર ભારત અભિયાનના સાચા સૂત્રધાર છો. એનસીસી હોય કે એનએસએસ હોય કે પછી બીજુ કોઈ સંગઠન હોય, તમારે દેશની સામે આવનારા દરેક પડકાર, દરેક સંકટ સમયમાં પોતાની ભૂમિકા નિભાવવાની છે. કોરોના કાળમાં પણ તમે સ્વયંસેવક તરીકે જે કામ કર્યું છે તેની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે. જ્યારે દેશને, શાસન- પ્રશાસનને સૌથી વધારે જરૂર હતી ત્યારે તમે સ્વયંસેવક તરીકે આગળ આવીને વ્યવસ્થાઓ ઉભી કરવામાં મદદ કરી છે. આરોગ્ય સેતુ એપને જન-જન સુધી પહોંચાડવાની હોય કે પછી કોરોના સંક્રમણ સાથે જોડાયેલી અન્ય જાણકારીઓ બાબતે જાગૃતિ ફેલાવવાની હોય, તમે પ્રશંસનીય કામ કર્યું છે. કોરોનાના આ સમયમાં ફીટ ઇન્ડિયા અભિયાનના માધ્યમથી ફીટનેસ તરફ જાગૃતિ પેદા કરવામાં પણ તમારી ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે.

સાથીઓ,

તમે જે અત્યાર સુધી કર્યું છે તે બધી બાબતોને આગળના ક્રમ સુધી લઈ જવાનો સમય આવી ગયો છે. અને હું આપ સૌને એટલા માટે કહી રહ્યો છું કે તમારી પહોંચ દેશના દરેક ભાગમાં અને દરેક સમાજ સુધી છે. મારો તમને એ આગ્રહ છે કે તમારે દેશમાં ચાલી રહેલા કોરોના રસી અભિયાનમાં પણ દેશની મદદ માટે આગળ આવવાનું છે. તમારે રસી બાબતે સાચી માહિતી દેશના ગરીબમાં ગરીબ અને સામાન્યમાં સામાન્ય નાગરિક સુધી પહોંચાડવાની છે. કોરોનાની રસી ભારતમાં બનાવીને ભારતના વૈજ્ઞાનિકોએ પોતાનું કર્તવ્ય સારી રીતે નિભાવ્યું છે અને હવે આપણે આપણું કર્તવ્ય નિભાવવાનું છે. જૂઠ અને અફવા ફેલાવનાર દરેક તંત્રને આપણે સાચી જાણકારી આપીને પરાસ્ત કરવાનું છે. આપણે એ બાબત પણ યાદ રાખવાની છે કે આપણું ગણતંત્ર એટલા માટે મજબૂત છે કારણ કે તેમાં કર્તવ્યની ભાવનાનો સંકલ્પ છે. આપણે આ ભાવનાને મજબૂત કરવાની છે અને તેનાથી જ આપણું ગણતંત્ર મજબૂત બનશે અને આત્મનિર્ભરતાનો આપણો સંકલ્પ પણ સિધ્ધ થશે. આપ સૌને આ મહત્વના રાષ્ટ્રીય પર્વમાં સામેલ થવાની તક મળી છે. મનને ઘડવાનો અને દેશને જાણવાનો તથા દેશ માટે કશુંક કરી છૂટવાનો આટલો મોટો સંસ્કાર બીજો કોઈ હોઈ શકે નહીં. આપ સૌને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે પ્રમાણે મને વિશ્વાસ છે કે 26 જાન્યુઆરીના આ ભવ્ય સમારંભ પછી તમે જ્યારે ઘરે પાછા ફરશો ત્યારે આપ અહીંની અનેક ચીજોને યાદ રાખીને જશો, પણ સાથે-સાથે એ બાબત ક્યારેય પણ ભૂલશો નહીં કે આપણે આપણાં દેશને આપણું સર્વ શ્રેષ્ઠ અર્પિત કરવાનું જ છે. કરવાનું જ છે. મારી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

ખૂબ ખૂબ ધન્યાવાદ !

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Govt directs faster processing of city gas projects, hikes commercial LPG allocation to ease supply stress

Media Coverage

Govt directs faster processing of city gas projects, hikes commercial LPG allocation to ease supply stress
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
This is the New India that leaves no stone unturned for development: PM Modi
March 23, 2026
Today, India is moving forward with a new confidence; Now India faces challenges head-on: PM
From the Gulf to the Global West and from the Global South to neighbouring countries, India is a trusted partner for all: PM
What gets measured gets improved and ultimately gets transformed: PM
This is the new India, It is leaving no stone unturned for development: PM

नमस्कार!

पिछले कुछ समय में मुझे एक-दो बार टीवी9 भारतवर्ष देखने का मौका मिला है। नॉर्मली भी युद्धों और मिसाइलों पर आपका बहुत फोकस होता है और आजकल तो आपको कंटेंट की ओवरफीडिंग हो रही है। बड़े-बड़े देश टीवी9 को इतना सारा कंटेंट देने पर तुले हुए हैं, लेकिन On a Serious Note, आज विश्व जिन गंभीर परिस्थितियों से गुजर रहा है, वो अभूतपूर्व है और बेहद गंभीर है। और इन स्थितियों के बीच, आज टीवी-9 नेटवर्क ने विचारों का एक बेहद महत्वपूर्ण मंच बनाया है। आज इस समिट में आप सभी India and the world, इस विषय पर चर्चा कर रहे हैं। मैं आप सबको बधाई देता हूं। इस समिट के लिए अपनी शुभकामनाएं देता हूं। सभी अतिथियों का अभिनंदन करता हूं।

साथियों,

आज जब दुनिया, conflicts के कारण उलझी हुई है, जब इन conflicts के दुष्प्रभाव पूरी दुनिया पर दिख रहे हैं, तब India and the world की बात करना बहुत ही प्रासंगिक है। भारत आज वो देश है, जिसकी अर्थव्यवस्था तेजी से आगे बढ़ रही है। 2014 के पहले की स्थितियों को पीछे छोड़कर के आज भारत एक नए आत्मविश्वास के साथ आगे बढ़ रहा है। अब भारत चुनौतियों को टालता नहीं है बल्कि चुनौतियों से टकराता है। आप बीते 5-6 साल में देखिए, कोरोना की महामारी के बाद चुनौतियां एक के बाद एक बढ़ती ही गई हैं। ऐसा कोई साल नहीं है, जिसने भारत की, भारतीयों की परीक्षा न ली हो। लेकिन 140 करोड़ देशवासियों के एकजुट प्रयास से भारत हर आपदा का सामना करते हुए आगे बढ़ रहा है। इस समय युद्ध की परिस्थितियों में भी भारत की नीति और रणनीति देखकर, भारत का सामर्थ्य देखकर दुनिया के अनेकों देश हैरान हैं। हमारे यहां कहावत है, सांच को आंच नहीं। 28 फरवरी से दुनिया में जो उथल-पुथल मची है, इन कठोर विपरीत परिस्थितियों में भी भारत प्रगति के, विकास के, विश्वास के संकल्प के साथ आगे बढ़ रहा है। इन 23 दिनों में भारत ने अपनी Relationship Building Capacity दिखाई है, Decision Making Capacity दिखाई है और Crisis Management Capacity दिखाई है।

साथियों,

आज जब दुनिया इतने सारे खेमों में बंटी हुई है, भारत ने अभूतपूर्व और अकल्पनीय bridges बनाए हैं। Gulf से लेकर Global West तक, Global South से लेकर पड़ोसी देशों तक भारत सभी का trusted partner है। कुछ लोग पूछते हैं, हम किसके साथ हैं? तो उनको मेरा जवाब यही है कि हम भारत के साथ हैं, हम भारत के हितों के साथ हैं, शांति के साथ हैं, संवाद के साथ हैं।

साथियों,

संकट के इसी समय में जब global supply chains डगमगा रही हैं, भारत ने diversification और resilience का मॉडल पेश किया है। Energy हो, fertilizers हों या essential goods अपने नागरिकों को कम से कम परेशानी हो, इसके लिए भारत ने निरंतर प्रयास किया है और आज भी कर रहे है।

साथियों,

जब राष्ट्रनीति ही राजनीति का मुख्य आधार हो, तब देश का भविष्य सर्वोपरि होता है। लेकिन जब राजनीति में व्यक्तिगत स्वार्थ हावी हो जाता है, तब लोग देश के फ्यूचर के बजाय अपने फ्यूचर के बारे में सोचते हैं। आप ज़रा याद कीजिए 2004 से 2010 के बीच क्या हुआ था? तब कांग्रेस सरकार के समय पेट्रोल-डीजल और गैस की कीमतों का संकट आया था और तब कांग्रेस ने देश की नहीं बल्कि अपनी सत्ता की चिंता की। उस वक्त कांग्रेस ने एक लाख अड़तालीस हज़ार करोड़ रुपए के ऑयल बॉन्ड जारी किए थे और प्रधानमंत्री मनमोहन सिंह जी ने खुद कहा था कि वो आने वाली पीढ़ी पर कर्ज का बोझ डाल रहे हैं। यह जानते हुए भी कि ऑयल बॉन्ड का फैसला गलत है, जो रिमोट कंट्रोल से सरकार चला रहे थे, उन लोगों ने अपनी सत्ता बचाने के लिए यह गलत निर्णय किया क्योंकि जवाबदेही उस समय नहीं होनी थी, उस बॉन्ड पर री-पेमेंट 2020 के बाद होनी थी।

साथियों,

बीते 5-6 वर्षों में हमारी सरकार ने कांग्रेस सरकार के उस पाप को धोने का काम किया है, और इस धुलाई का खर्चा कम नहीं आया है, ऐसी लाँड्री आपने देखी नहीं होगी। 1 लाख 48 हज़ार करोड़ रुपए की जगह, देश को 3 लाख करोड़ रुपए से अधिक की पेमेंट करनी पड़ी क्योंकि इसमें ब्याज भी जुड़ गया था। यानी हमने करीब-करीब दोगुनी राशि चुकाने के लिए मजबूर हुए। आजकल कांग्रेस के जो नेता बयानों की मिसाइलें दाग रहे हैं, मिसाइल आई तो टीवी9 को मजा आएगा, उनकी इस विषय का जिक्र आते ही बोलती बंद हो जाती है।

साथियों,

पश्चिम एशिया में बनी परिस्थितियों पर मैंने आज लोकसभा में अपना वक्तव्य दिया है। दुनिया में जहां भी युद्ध हो रहे हैं, वो भारत की सीमा से दूर हैं। लेकिन आज की व्यवस्थाओं में कोई भी देश युद्धों से दुष्प्रभाव से दूर रहे, ऐसा संभव नहीं होता। अनेक देशों में तो स्थिति बहुत गंभीर हो चुकी है। और इन हालातों में हम देख रहे हैं कि राजनीतिक स्वार्थ से भरे कुछ लोग, कुछ दल, संकट के इस समय में भी अपने लिए राजनीतिक अवसर खोज रहे हैं। इसलिए मैं टीवी9 के मंच से फिर कहूंगा, यह समय संयम का है, संवेदनशीलता का है। हमने कोरोना महासंकट के दौरान भी देखा है, जब देशवासी एकजुट होकर संकट का सामना करते हैं, तो कितने सार्थक परिणाम आते हैं। इसी भाव के साथ हमें इस युद्ध से बनी परिस्थितियों का सामना करना है।

साथियों,

दुनिया की हर उथल-पुथल के बीच, भारत ने अपनी प्रगति की गति को भी बनाए रखा है। अगर मैं 28 फरवरी को युद्ध शुरू होने के बाद, बीते 23 दिनों का ही ब्यौरा दूं, तो पूरब से पश्चिम तक, उत्तर से दक्षिण तक देश में हजारों करोड़ के डेवलपमेंट प्रोजेक्ट्स का काम हुआ है। दिल्ली मेट्रो रेल के महत्वपूर्ण कॉरिडोर्स का लोकार्पण, सिलचर का हाई स्पीड कॉरिडोर का शिलान्यास, कोटा में नए एयरपोर्ट का शिलान्यास, मदुरै एयरपोर्ट को इंटरनेशनल एयरपोर्ट का दर्जा देना, ऐसे अनेक काम बीते 23 दिनों में ही हुए हैं। बीते एक महीने के दौरान ही औद्योगिक विकास को गति देने के लिए भव्य स्कीम को मंजूरी दी गई है। इसके तहत देशभर में 100 plug-and-play industrial parks विकसित किए जाएंगे। देश में Small Hydro Power Development Scheme को भी हरी झंडी दी गई है। इससे आने वाले वर्षों में 1,500 मेगावाट नई hydro power capacity जोड़ी जाएगी। इसी दौरान जल जीवन मिशन को साल 2028 तक बढ़ाने का निर्णय लिया गया है। किसानों के हित में भी अनेक बड़े निर्णय लिए गए हैं। बीते एक महीने में ही पीएम किसान सम्मान निधि के तहत 18 हजार करोड़ रुपए से अधिक सीधे किसानों के खातों में ट्रांसफर किए गए हैं। और जो हमारे MSMEs हैं, जो हमारे निर्यातक हैं, उनके लिए भी करीब 500 करोड़ रुपए के राहत पैकेज की भी घोषणा की गई है। यह सारे कदम इस बात का प्रमाण हैं कि विकसित भारत बनाने के लिए देश कितनी तेज गति से काम कर रहा है।

साथियों,

Management की दुनिया में एक सिद्धांत कहा जाता है - What gets measured, gets managed. लेकिन मैं इसमें एक बात और जोड़ना चाहता हूं, What gets measured, gets improved और ultimately, gets transformed. क्योंकि आकलन जागरूकता पैदा करता है। आकलन जवाबदेही तय करता है और सबसे महत्वपूर्ण आकलन संभावनाओं को जन्म देता है।

साथियों,

अगर आप 2014 से पहले के 10-11 साल और 2014 के बाद के 10-11 साल का आप आकलन करेंगे, तो यही पाएंगे कि कैसे इसी सिद्धांत पर चलते हुए, भारत ने हर सेक्टर को Transform किया है। जैसे पहले हाईवे बनते थे, करीब 11-12 किलोमीटर प्रति दिन की रफ्तार से, आज भारत करीब 30 किलोमीटर प्रतिदिन की स्पीड से हाईवे बना रहा है। पहले पोर्ट्स पर शिप का Turnaround Time, 5-6 दिन का होता था। आज वही काम, करीब-करीब 2 दिन से भी कम समय में पूरा हो रहा है। पहले Startup Culture के बारे में चर्चा ही नहीं होती थी। 2014 से पहले, हमारे देश में 400-500 स्टार्ट अप्स ही थे। आज भारत में 2 लाख से ज्यादा रजिस्ट्रर्ड स्टार्ट अप्स हैं। पहले मेडिकल education में सीटें भी सीमित थीं, करीब 50-55 हजार MBBS seats थीं, आज यह बढ़कर सवा लाख से ज्यादा हो चुकी हैं। पहले देश के Banking system से भी करोड़ों लोग बाहर थे। देश में सिर्फ 25 करोड़ के आसपास ही बैंक account थे। वहीं जनधन योजना के माध्यम से 55 करोड़ से ज्यादा बैंक अकाउंट खुले हैं। पहले हमारे देश में airports की संख्या भी 70 से कम थी। आज एयरपोर्ट्स की संख्या भी बढ़कर 160 से ज्यादा हो चुकी है।

साथियों,

पहले भी योजनाएं तो बनती थीं, लेकिन आज फर्क है, आज परिणाम दिखते हैं। पहले गति धीमी थी, आज भारत fastrack पर है। पहले संभावनाएं भी अंधकार में थीं, आज संकल्प सिद्धियों में बदल रहे हैं। इसलिए दुनिया को भी यह संदेश मिल रहा है कि यह नया भारत है। यह अपने विकास के लिए कोई कोर-कसर बाकी नहीं छोड़ रहा है।

साथियों,

आज हमारा प्रयास है कि अतीत में विकास का जो असंतुलन पैदा हो गया था, उसको अवसरों में बदला जाए। अब जैसे हमारा पूर्वी भारत है। हमारा पूर्वी भारत संसाधनों से समृद्ध है, दशकों तक वहां जिन्होंने सरकारें चलाई हैं, उनकी उपेक्षा ने पूर्वी भारत के विकास पर ब्रेक लगा दी थी। अब हालात बदल रहे हैं। जिस असम में कभी गोलियों की आवाज सुनाई देती थी, आज वहां सेमीकंडक्टर यूनिट बन रही है। ओडिशा में सेमीकंडक्टर से लेकर पेट्रोकेमिकल्स तक अनेक नए-नए सेक्टर का विकास हो रहा है। जिस बिहार में 6-7 दशक में गंगा जी पर एक बड़ा पुल बन पाया था एक, उस बिहार में पिछले एक दशक में 5 से ज्यादा नए पुल बनाए गए हैं। यूपी में कभी कट्टा मैन्युफैक्चरिंग की कहानियां कही जाती थीं, आज यूपी, मोबाइल फोन मैन्युफैक्चरिंग में दुनिया में अपनी पहचान बना रहा है।

साथियों,

पूर्वी भारत का एक और बड़ा राज्य पश्चिम बंगाल है। पश्चिम बंगाल, एक समय में भारत के कल्चर, एजुकेशन, इंडस्ट्री और ट्रेड का हब होता था। बीते 11 वर्षों में केंद्र सरकार ने पश्चिम बंगाल के विकास के लिए बड़ी मात्रा में निवेश किया है। लेकिन दुर्भाग्य से, आज वहां एक ऐसी निर्मम सरकार है, जो विकास पर ब्रेक लगाकर बैठी है। TV9 बांग्ला के जो दर्शक हैं, वो जानते हैं कि बंगाल में आयुष्मान योजना पर निर्मम सरकार ने ब्रेक लगाया हुआ है। पीएम सूर्यघर मुफ्त बिजली योजना पर ब्रेक लगाया हुआ है। पीएम आवास योजना पर ब्रेक लगाया हुआ है। चाय बागान श्रमिकों के लिए शुरू हुई योजना के लिए ब्रेक लगाया हुआ है। यानी विकास और जनकल्याण से ज्यादा प्राथमिकता निर्मम सरकार अपने राजनीतिक स्वार्थ को दे रही है।

साथियों,

देश में इस तरह की राजनीति की शुरुआत जिस दल ने की है, वो अपने गुनाहों से बच नहीं सकती और वो पार्टी है - कांग्रेस। कांग्रेस पार्टी की राजनीति का एक ही लक्ष्य रहा है, किसी भी तरह विकास का विरोध और कांग्रेस यह तब से कर रही है, जब मैं गुजरात में था। गुजरात में वर्षों तक जनता ने हमें आशीर्वाद दिया, तो कांग्रेस ने उस जनादेश को स्वीकार नहीं किया। उन्होंने गुजरात की छवि पर सवाल उठाए, उसकी प्रगति को कटघरे में खड़ा किया और जब यही विश्वास पूरे देश में दिखाई दिया, तो कांग्रेस का विरोध भी रीजनल से नेशनल हो गया।

साथियों,

जब राजनीति में विरोध, विकास के विरोध में बदल जाए, जब आलोचना देश की उपलब्धियों पर सवाल उठाने लगे, तब यह सिर्फ सरकार का विरोध नहीं रह जाता, यह देश की प्रगति से असहज होने की मानसिकता बन जाती है। आज कांग्रेस इसी मानसिकता की गुलाम बन चुकी है। आज स्थिति यह है कि देश की हर सफलता पर प्रश्न उठाया जाता है, हर उपलब्धि में कमी खोजी जाती है और हर प्रयास के असफल होने की कामना की जाती है। कोविड के समय, देश ने अपनी वैक्सीन बनाई, तो कांग्रेस ने उस पर भी संदेह जताया। Make in India की बात हुई, तो कहा गया कि यह सफल नहीं होगा, बब्बर शेर कहकर इसका मजाक उड़ाया गया। जब देश में डिजिटल इंडिया अभियान शुरू हुआ, तो उसका मजाक उड़ाया गया। लेकिन हर बार यह कांग्रेस का दुर्भाग्य और देश का सौभाग्य रहा कि भारत ने हर चुनौती को सफलता में बदला। आज भारत दुनिया की सबसे बड़ी वैक्सीनेशन ड्राइव का उदाहरण है। भारत डिजिटल पेमेंट्स में दुनिया का अग्रणी देश है। भारत मैन्युफैक्चरिंग और स्टार्टअप्स में नई ऊंचाइयों को छू रहा है।

साथियों,

लोकतंत्र में विरोध जरूरी होता है। लेकिन विरोध और विद्वेष के बीच एक रेखा होती है। सरकार का विरोध करना लोकतांत्रिक अधिकार है। लेकिन देश को बदनाम करना, यह कांग्रेस की नीयत पर सवाल खड़ा करता है। जब विरोध इस स्तर तक पहुंच जाए कि देश की उपलब्धियां भी असहज करने लगें, तो यह राजनीति नहीं, यह दृष्टिकोण की समस्या है। अभी हमने ग्लोबल AI समिट में भी देखा है। जब पूरी दुनिया भारत में जुटी हुई थी, तो कांग्रेस के लोग कपड़े फाड़ने वहां पहुंच गए थे। इन लोगों को देश की इज्जत की कितनी परवाह है, यह इसी से पता चलता है। इसलिए आज आवश्यकता है कि देशहित को, दलहित से ऊपर रखा जाए क्योंकि अंत में राजनीति से ऊपर, राष्ट्र होता है, राष्ट्र का विकास होता है।

साथियों,

आज का यह दिन भी हमें यही प्रेरणा देता है। आज के ही दिन शहीद भगत सिंह, शहीद राजगुरु और शहीद सुखदेव ने देश के लिए सर्वोच्च बलिदान दिया था। आज ही, समाजवादी आंदोलन के प्रखर आदर्श डॉ. राम मनोहर लोहिया जी की जयंती भी है। यह वो प्रेरणाएं हैं, जिन्होंने देश को हमेशा स्व से ऊपर रखा है। देशहित को सबसे ऊपर रखने की यही प्रेरणा, भारत को विकसित भारत बनाएगी। यही प्रेरणा भारत को आत्मनिर्भर बनाएगी। मुझे पूरा विश्वास है कि टीवी9 की यह समिट भी भारत के आत्मविश्वास और दुनिया के भरोसे पर, भारतीयों पर जो भरोसा है, उस भरोसे को और सशक्त करेगी। आप सभी को मेरी तरफ से बहुत-बहुत शुभकामनाएं हैं और आपके बीच आने का अवसर दिया, आप सबसे मिलने का मौका लिया, इसलिए बहुत-बहुत धन्यवाद!

नमस्‍कार!