Quoteજો તમારું શરીર સ્વસ્થ હશે તો તમે માનસિક રીતે પણ ફિટ રહેશો : : પ્રધાનમંત્રી મોદી
Quoteજીવનશૈલીની બીમારીઓ જીવનશૈલીમાં વિકારના કારણે વધી રહી છે અને તંદુરસ્તી પ્રત્ય સભાનતા થી આપણે તેને અટકાવી શકીએ છીએ : પ્રધાનમંત્રી મોદી
Quoteચાલો આપણે ફિટ ઇન્ડિયા અભયાનને જન આંદોલન બનાવીએ : પ્રધાનમંત્રી મોદી

મંત્રી પરિષદના મારા સહયોગી શ્રીમાન નરેન્દ્ર સિંહજી તોમર, ડૉક્ટર હર્ષવર્ધનજી, રમેશ પોખરિયાલ નિશંકજી અને આ સમગ્ર અભિયાનનું જે નેતૃત્વ સંભાળી રહ્યા છે, શ્રીમાન કિરેન રિજીજુજી, અહિં ઉપસ્થિત તમામ વરિષ્ઠ મહાનુભાવો, ખેલ જગતના બધા જ તારલાઓ અને મારા વ્હાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો,

કેટલાક લોકોને લાગતું હશે કે અમે તો શાળાએ જતા નથી, કોલેજમાં જતા નથી, પરંતુ મોદીજીએ માત્ર વિદ્યાર્થીઓને કેમ કહ્યું. તમે લોકો અહિં આવ્યા છો, ઉંમર કોઇપણ હોય, પરંતુ મને વિશ્વાસ છે તમારી અંદરનો વિદ્યાર્થી જીવિત છે.

આપ સૌને રાષ્ટ્રીય ખેલકૂદ દિવસની અનેક અનેક શુભકામનાઓ. આજના જ દિવસે આપણને મેજર ધ્યાનચંદના રૂપમાં એક મહાન રમતવીર મળ્યા હતા. પોતાની તંદુરસ્તી, સ્ફૂર્તિ અને હોકી સ્ટીક વડે દુનિયાને તેમણે મંત્રમુગ્ધ કરી હતી. એવા મેજર ધ્યાનચંદજીને હું આજે આદરપૂર્વક નમન કરું છું.

|

આજના દિવસે ફિટ ઇન્ડિયા અભિયાન, આવી પહેલની શરૂઆત કરવા માટે એક તંદુરસ્ત ભારતની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું અને આ ખ્યાલ વડે આંદોલન માટે, હું રમતગમત મંત્રાલયને, યુવા વિભાગને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

અહિયાં આગળ આજે જે રજૂઆત થઇ છે, તે રજૂઆતમાં દરેક ક્ષણે તંદુરસ્તીનો કોઈ ને કોઈ સંદેશ હતો. પરંપરાઓને યાદ કરીને સહજ રૂપે આપણે આપની જાતને તંદુરસ્ત કઈ રીતે રાખી શકીએ છીએ, ખૂબ જ શ્રેષ્ઠ રીતે આ વસ્તુઓને રજૂ કરવામાં આવી. અને આ બાબતો એટલી સુંદર રીતે રજૂ કરવામાં આવી કે મને મારા ભાષણની કોઈ જરૂર નથી લાગતી હવે. અહિયાં રજૂઆતમાં જેટલી વાતો કહેવામાં આવી છે, તેને જ જો આપણે ગાંઠ બાંધી લઈએ અને એકાદ બેને જીવનનો હિસ્સો બનાવી લઈએ; તો હું નથી માનતો કે તંદુરસ્તી માટે મારે કોઈ ઉપદેશ આપવાની જરૂર પડે.

આ ઉત્તમ કાર્યરચના માટે, આ શ્રેષ્ઠ પ્રકારની પ્રસ્તુતિ માટે, જેમણે આને ખ્યાલબદ્ધ સંકલિત કરી હશે, જેમણે આમાં નવા-નવા રૂપ રંગ ઉમેર્યા હશે, અને જેમણે પરિશ્રમ કરીને આને રજૂ કરી છે; આપ સૌ ખૂબ-ખૂબ અભિનંદનના અધિકારી છો. હું ભવિષ્યમાં ઈચ્છીશ કે આમાંથી જ એક વ્યવસાયિક વીડિયો બનાવીને તમામ શાળાઓ, કોલેજોમાં દેખાડવામાં આવે જેથી કરીને સહજ રૂપે, કારણ કે એક જન આંદોલન બનવું જોઈએ.

|

સાથીઓ,

આજનો આ દિવસ આપણા તે યુવા ખેલાડીઓને અભિનંદન આપવાનો પણ છે, જેઓ સતત વિશ્વના મંચ પર તિરંગાની શાનને નવી બુલંદી આપી રહ્યા છે. બેડમિન્ટન હોય, ટેનિસ હોય, એથ્લેટિકસ હોય, બોક્સિંગ હોય, કુશ્તી હોય કે પછી અન્ય રમતો, આપણા ખેલાડીઓ આપની આશાઓ અને આકાંક્ષાઓને નવી પાંખ લગાવી રહ્યા છે. તેમના દ્વારા જીતવામાં આવેલ મેડલ, તેમના તપ અને તપસ્યાનું પરિણામ તો છે જ, પરંતુ તે નવા ભારતના નવા જોશ અને નવા આત્મવિશ્વાસનો માપદંડ પણ છે. મને ખુશી છે કે વીતેલા પાંચ વર્ષોમાં ભારતના ખેલકૂદ માટે વધુ સારો માહોલ બનાવવાનો જે પ્રયાસ થયો છે, તેનો લાભ આજે આપણને જોવા મળી રહ્યો છે.

સાથીઓ, ખેલકૂદનો સીધો સંબંધ તંદુરસ્તી સાથે છે. પરંતુ આજે જે ફિટ ઇન્ડિયા અભિયાનની શરૂઆત થઇ છે, તેનો વિસ્તાર ખેલકૂદથી પણ આગળ વધીને આગળ જવાનો છે. તંદુરસ્તી એક શબ્દ નથી પરંતુ સ્વસ્થ અને સમૃદ્ધ જીવનની એક જરૂરી શરત છે. આપણી સંસ્કૃતિમાં તો હંમેશાથી જ તંદુરસ્તી પરખૂબ વધુ જોર આપવામાં આવ્યું છે. કોઇપણ બીમારી બાદ પરેજી કરતા વધુ આપણે સારા સ્વાસ્થ્ય માટે કરવામાં આવનાર ઉપાયોને પ્રાથમિકતા આપી છે, તેમને શ્રેષ્ઠ માન્યા છે. તંદુરસ્તી આપણા જીવનનો મહત્વનો ભાગ રહી છે. અને આપણે ત્યાં તો આપણા પૂર્વજોએ, આપણા સાથીઓએ વારે વારે કહ્યું છે-

વ્યાયામાત લભતે સ્વાસ્થ્યમ દીર્ઘાયુષ્યમ બલં સુખં,

આરોગ્યમ પરમં ભાગ્યમ્ સ્વાસ્થ્યમ સર્વાર્થસાધનમ્.

|

એટલે કે વ્યાયામથી જ સ્વાસ્થ્ય, લાંબી ઉંમર, શક્તિ અને સુખની પ્રાપ્તિ થાય છે. નિરોગી રહેવું એ સર્વશ્રેષ્ઠ ભાગ્ય છે અને સ્વાસ્થ્ય દ્વારા અન્ય બધા જ કાર્યો સિદ્ધ થાય છે. પરંતુ સમય જતા જતા પરિભાષાઓ બદલાઈ ગઈ- પહેલા આપણને શીખવાડવામાં આવતું હતું, આપણને સાંભળવા મળતું હતું કે સ્વાસ્થ્ય વડે જ બધા કાર્ય સિદ્ધ થાય છે, હવે સાંભળવા મળે છે કે સ્વાર્થ વડે જ બધા કાર્ય સિદ્ધ થાય છે. અને એટલા માટે આ સ્વાર્થ ભાવને સ્વાસ્થ્ય ભાવ સુધી ફરીથી પાછા લઇ જવાનો એક સામુહિક પ્રયાસ જરૂરી થઇ પડ્યો છે.

સાથીઓ,

હું જાણું છું કે કેટલાક લોકો એવું વિચારી રહ્યા હશે કે તંદુરસ્તી જરૂરી છે એ તો અમને પણ ખબર છે, તો પછી અચાનક આ પ્રકારની અભિયાનની જરૂર શા માટે છે? સાથીઓ, જરૂર છે અને આજે કદાચ ખૂબ જ વધારે જરૂર છે. તંદુરસ્તી આપણા જીવનની રીતભાતો, આપણી રહેણીકરણીનું અભિન્ન અંગ રહી છે પરંતુ એ પણ સત્ય છે કે સમયની સાથે તંદુરસ્તીને લઇને આપણા સમાજ જીવનમાં, આપણા સમાજમાં એક ઉદાસીનતા આવી ગઈ છે.

સમય કઈ રીતે બદલાયો છે, તેનું એક ઉદાહરણ હું તમને આપું છું. કેટલાક દાયકાઓ પહેલા સુધી એક સામાન્ય વ્યક્તિ એક દિવસમાં 8-10 કિલોમીટર પગે ચાલીને જતો હતો, કેટલાક એકાદ કલાક સુધી સાયકલ ચલાવી લેતા હતા, ક્યારેક બસ પકડવા માટે ભાગતા હતા. એટલે કે જીવનમાં શારીરિક ગતિવિધિ સહજ થયા કરતી હતી. પછી ધીમે ધીમે ટેકનોલોજી બદલાઈ, આધુનિક સાધનો આવ્યા અને વ્યક્તિનું પગે ચાલવાનું ઓછું થઇ ગયું. શારીરિક પ્રવૃત્તિ ઓછી થઇ ગઈ. અને હવે સ્થિતિ શું છે? ટેકનોલોજીએ આપણી એવી હાલત કરી નાખી છે કે આપણે ચાલીએ છીએ ઓછું અને તે જ ટેકનોલોજી આપણને ગણી ગણીને બતાવે છે કે આજે તમે આટલા પગલા ચાલ્યા, હજુ 5 હજાર પગલા નથી થયા, 2 હજાર પગલા નથી થયા, અને આપણે મોબાઇલ ફોન જોતા રહીએ છીએ. અહિં ઉપસ્થિત તમારામાંથી કેટલા લોકો 5 હજાર, 10 હજાર પગલાવાળું આ કામ કરો છો? કેટલાય લોકો હશે જેમણે આ પ્રકારની ઘડિયાળ પહેરી હશે અથવા મોબાઇલ ફોન પર એપ નાખીને રાખી હશે. મોબાઇલ પર ચેક કરતા રહે છે કે આજે કેટલા પગલા થયા.

|

સાથીઓ,

તમારામાંથી ઘણા લોકો સજાગ છો, સતર્ક છો પરંતુ દેશમાં ઘણી મોટી સંખ્યા એવા લોકોની પણ છે કે જેઓ પોતાના જીવનમાં એટલા વ્યસ્ત છે કે પોતાના સ્વાસ્થ્ય તરફ ધ્યાન જ નથી આપી શકતા. તેમાંથી કેટલાક લોકો તો એના કરતા પણ વિશેષ છે. અને તમે જોયું હશે કે કેટલીક ચીજવસ્તુઓ ફેશન સ્ટેટમેન્ટ થઇ જાય છે. અને એટલા માટે તંદુરસ્તીની જરા વાત કરવી મિત્રોમાં- ભોજનના ટેબલ પર બેઠા છે, ભરપુર ખાઈ રહ્યા છે, જરૂર કરતા બમણું ખાઈ ચૂક્યા છે અને ખૂબ આરામથી ડાયેટિંગની ચર્ચા કરી રહ્યા છે. મહિનામાં ઓછામાં ઓછા દસ દિવસ તમને આવો અનુભવ થતો હશે કે તમે ભોજનના ટેબલ પર બેઠા છો, ભરપુર ખાઈ રહ્યા છો અને ખૂબ મોજથી ડાયેટિંગ પર સરસ સરસ ઉપદેશ આપી રહ્યા છો. એટલે કે આવા લોકો જોશમાં આવીને વાતો પણ કરે છે અને તેની સાથે જોડાયેલા ગેજેટ્સ પણ ખરીદતા રહે છે. અને તેમને ધ્યાનમાં રહે છે કે આવું કોઈ ગેજેટ્સ નવું આવ્યું હશે, કદાચ મારી તંદુરસ્તી સારી થઇ જાય. અને તમે જોયું હશે, ઘરમાં તો બહુ મોટું જીમ બનાવીને રાખ્યું હશે, તંદુરસ્તી માટે બધું જ હશે પરંતુ તેની સફાઈ માટે પણ નોકર રાખવા પડે છે કારણકે ક્યારેય જતા જ નથી અને થોડા દિવસો પછી તે સામાન ઘરના સૌથી ખૂણાવાળા ઓરડામાં મૂકી દેવામાં આવે છે. લોકો મોબાઇલ પર ફિટનેસવાળી એપ પણ ડાઉનલોડ કરવામાં સૌથી આગળ રહેતા હોય છે, પરંતુ કેટલાક દિવસ બાદ તે એપને જોતા પણ નથી, એટલે કે જેવા હતા એવા ને એવા જ.

|

મારો જન્મ ગુજરાતમાં થયો. અમારે ત્યાં ગુજરાતમાં એક જ્યોતીન્દ્ર ભાઈ દવે કરીને એક બહુ ઉત્તમ પ્રકારના હાસ્ય લેખક હતા. વ્યંગ લખતા હતા અને ખૂબ રસપ્રદ લખતા હતા. અને મોટા ભાગે તેઓ પોતાના પર જ વ્યંગ લખતા હતા. સારું, તેમના શરીરનું જે વર્ણન કરતા – તેઓ કહેતા હતા કે હું ક્યાંક ઉભો રહું છું, દીવાલની પાસે ઉભો છું તો લોકોને લાગે છે કે હેન્ગર પર કેટલાક કપડા ટીંગાયેલ છે, એટલે કે તેઓ એટલા દુબળા હતા કે એવું લાગતું હતું કે જાણે હેન્ગર પર કપડા લટકેલા છે, તો કોઈ માનવા તૈયાર જ નહોતું થતું કે હું કોઈ માણસ ત્યાં ઉભેલો છું. પછી તેઓ લખતા હતા કે હું ઘરેથી નીકળું છું તો મારા ખિસ્સામાં પથ્થર ભરીને ચાલુ છું. તેઓ કોટ પહેરતા હતા, બધા જ ખિસ્સામાં પથ્થર ભરતા હતા. તો લોકોને લાગતું હતું કે કદાચ હું હિંસા કરી નાખીશ, મારી દઈશ કોઈને. તો લોકો મને પૂછતાં હતા – આટલા બધા પથ્થર લઇને કેમ ચાલો છો? તો તેમણે કહ્યું કે મને બીક લાગે છે કે ક્યાંક હવા આવે અને હું ઉડી ન જાઉં. આવી બહુ મજેદાર વસ્તુઓ લખતા હતા. એકવાર કોઈએ તેમને કહ્યું કે પથ્થર-બથ્થર લઈને ફર્યા કરતા તમે જરા વ્યાયામ કરતા રહો, વ્યાયામશાળામાં જાવ. તો તેમણે તે સજ્જનને પૂછ્યું કે કેટલો વ્યાયામ કરવો જોઈએ, તો કહે બસ પરસેવો વળી જાય એટલો તો શરુ કરો પહેલા. વ્યાયામશાળામાં જાવ અને પરસેવો આવી જાય, તેટલો તો કરો. તો કહે- સારું, કાલથી જઈશ. તો બીજા દિવસે કહે- હું વ્યાયામશાળામાં પહોંચી ગયો અને આ જે આપણા કુશ્તીબાજો હોય છે, તે લોકો અખાડામાં પોતાની કુશ્તી કરી રહ્યા હતા. કહે – જઈને હું તો જોવા લાગ્યો અને જોત જોતામાં જ મારો પરસેવો છૂટી ગયો તો મને લાગ્યું કે મારી કસરત થઇ ગઈ. એટલે કે આ વાત હસવાની જરૂર છે, મજાક પોતાની જગ્યાએ છે પરંતુ સ્વાસ્થ્યની માટે સારું પણ છે, પણ કેટલીક ચિંતાઓ આના કરતા પણ વધુ મોટી છે.

|

આજે ભારતમાં ડાયાબિટીસ, હાયપરટેન્શન જેવા અનેક જીવન શૈલીને લગતા રોગો વધતા જઈ રહ્યા છે. ક્યારેક ક્યારેક તો સાંભળવા મળે છે કે પરિવારમાં 12-15 વર્ષનું બાળક ડાયાબિટીસનું દર્દી બની ગયું છે. તમારી આસપાસ જુઓ, તો તમને અનેક લોકો તેનાથી પીડિત જોવા મળી જશે.પહેલા આપણે સાંભળતા હતા કે 50-60ની ઉંમર પછી હૃદય રોગનો ખતરો વધી જાય છે, પરંતુ આજે ક્યારેક-ક્યારેક સમાચાર આવે છે ૩૦ વર્ષ, 35 વર્ષ, 40 વર્ષનો નવયુવાન દીકરા-દીકરી જતા રહ્યા, હૃદય રોગના હુમલા આવી રહ્યા છે. આ સ્થિતિ વાસ્તવમાં ખૂબ ચિંતાજનક છે, પરંતુ આ બધી જ સ્થિતિઓમાં પણ આશાનું એક કિરણ પણ છે. હવે તમે વિચારશો કે આ બીમારીઓની વચ્ચે પણ આશાના એક કિરણની વાત કઈ રીતે કહી રહ્યો છું. હું સ્વભાવથી ખૂબ જ હકારાત્મક વિચારધારા ધરાવનાર માણસ છું. એટલા માટે હું તેમાંથી પણ કઈક સારી વસ્તુ શોધી કાઢું છું.

સાથીઓ,

જીવનશૈલીને લગતા રોગો થઇ રહ્યા છે, અનિયંત્રિત જીવનશૈલીના કારણે. હવે જીવનશૈલીને લગતા રોગોને આપણે જીવન શૈલીમાં પરિવર્તન લાવીને, તેમાં બદલાવ લાવીને, તેને સરખા પણ કરી શકીએ છીએ. તમામ એવી બીમારીઓ છે જેમને આપણા દૈનિક જીવનમાં નાના નાના પરિવર્તનો લાવીને, પોતાની જીવન શૈલીમાં બદલાવ કરીને તેનાથી આપણે બચી શકીએ છીએ, તેને દૂર રાખી શકીએ છીએ. આ પરિવર્તનો માટે દેશને પ્રેરિત કરવાનું નામ જ ફિટ ઇન્ડિયા અભિયાન છે. અને આ કોઈ સરકારી અભિયાન નથી. સરકાર તો એક ઉત્સેચક ઘટકના રૂપમાં આ વિષયને આગળ વધારશે, પરંતુ એક રીતે દરેક પરીવારનું લક્ષ્ય બનવું જોઈએ, તે દરેક પરિવારની ચર્ચાનો વિષય બનવો જોઈએ. જો વેપારી દર મહીને હિસાબ કરે છે કેટલી કમાણી કરી, શિક્ષણમાં રૂચી ધરાવનાર પરિવારોમાં ચર્ચા થાય છે સંતાનોને કેટલા માર્ક્સ આવ્યા; તે જ રીતે પરિવારની અંદર સહજ રૂપે શારીરિક શ્રમ, શારીરિક વ્યાયામ, શારીરિક તંદુરસ્તી, એ રોજબરોજની જિંદગીની ચર્ચાનો વિષય બનવા જોઈએ.

|

અને સાથીઓ, ભારતમાં જ અચાનક આ પ્રકારની જરૂરિયાત અનુભવાઈ હોય એવું નથી. સમયની સાથે પરિવર્તન માત્ર ભારતમાં જ આવી રહ્યું છે, એવું પણ નથી. સમગ્ર વિશ્વમાં આજે આ પ્રકારના અભિયાનોની જરૂરિયાત અનુભવાઈ રહી છે. અનેક દેશો પોતાને ત્યાં તંદુરસ્તી પ્રત્યે જાગૃતિ વધારવા માટે મોટા મોટા અભિયાનો ચલાવી રહ્યા છે. આપણા પાડોશમાં ચીન-તંદુરસ્ત ચીન 2030, તેનાપર મિશન મોડમાં કામ કરી રહ્યું છે. એટલે કે 20૩૦ સુધી ચીનનો દરેક નાગરિક તંદુરસ્ત હોય, તેના માટે તેમણે આખું સમયપત્રક બનાવ્યું છે. એ જ રીતે ઓસ્ટ્રેલિયા પોતાના નાગરિકોની શારીરિક પ્રવૃત્તિ વધારવા અને શીથીલતા એટલે કે આળસ જે છે, કઈ કરવાનું નહી, તે સ્વભાવને બદલવા માટે તેમણે લક્ષ્ય નિર્ધારિત કર્યું છે કે 20૩૦ સુધી દેશના 15 ટકા નાગરિકોને આળસમાંથી બહાર કાઢીને તંદુરસ્તી માટે, સક્રિયતા માટે અમે કામ કરીશું. બ્રિટનમાં જોર-શોરથી અભિયાન ચાલી રહ્યું છે કે 2020 સુધી પાંચ લાખ નવા લોકો રોજની કસરતના દૈનિક ક્રમ સાથે જોડાય, તેમણે આવું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. અમેરિકા 2021 સુધી પોતાના એક હજાર શહેરોને ફ્રિ ફિટનેસ અભિયાન સાથે જોડવાનું કામ કરી રહ્યું છે. જર્મનીમાં પણ ફિટ ઇનસ્ટેડ ઓફ ફેટ, તેનું બહુ મોટું અભિયાન ચાલી રહ્યું છે.

સાથીઓ, મે તમને માત્ર કેટલાક જ દેશોના નામ ગણાવ્યા છે. અનેક દેશ ઘણા લાંબા સમયથી આનાપર કામ શરુ કરી ચુક્યા છે. આ બધા જ દેશોમાં લોકો તંદુરસ્તીના મહત્વને સમજે છે, પરંતુ તેમ છતાં તેમણે પોતાને ત્યાં એક વિશેષ અભિયાન શરુ કર્યું છે. જરા વિચારો – આખરે શા માટે? કારણ કે માત્ર કેટલાક લોકોના તંદુરસ્ત રહેવાથી નહી પરંતુ સમગ્ર દેશ તંદુરસ્ત રહેવાથી જ દેશનો ફાયદો થશે. નવા ભારતનો દરેક નાગરિક તંદુરસ્ત રહે, પોતાની ઊર્જા બીમારીઓના ઈલાજમાં નહી પરંતુ પોતાની જાતને આગળ વધારવામાં, પોતાના પરિવાર, પોતાના દેશને આગળ વધારવામાં લગાવે, તે દિશામાં આપણે આગળ વધવાનું છે.

સાથીઓ,

જીવનમાં જ્યારે તમે એક લક્ષ્ય નિર્ધારિત કરી લો છો તો તે લક્ષ્યને અનુરૂપ જ આપણું જીવન ઘડાવાનું શરુ થઇ જાય છે. જીવન ઢળી જાય છે, આપણી આદતો એવી બની જાય છે, આપણી દિનચર્યા તેવી બની જાય છે. આપણને સવારે આઠ વાગે ઉઠવાની આદત હોય, પરંતુ ક્યારેક સવારે 6 વાગે જો વિમાન પકડવાનું છે, 6 વાગે ટ્રેન પકડવાની છે, તો આપણે ઉઠીએ જ છીએ, તૈયાર થઇને જઈએ જ છીએ. કોઈ વિદ્યાર્થીએ જો એવું નક્કી કરી લીધું હોય કે મારે 10માં કે 12માં ધોરણના બોર્ડમાં ઓછામાં ઓછા આટલા ટકા લાવવાના જ છે, તો તમે જોયું હશે કે તે પોતાની જાતે જ, પોતાની અંદર એક બહુ મોટું પરિવર્તન લાવવાનું શરુ કરી દે છે. પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવાની ધૂનમાં તેની આળસ ખતમ થઇ જાય છે, તેનીબેસવાની ક્ષમતા વધી જાય છે, તેની એકાગ્રતા ક્ષમતા વધી જાય છે, તે મિત્રોમાં સમય ધીમે-ધીમે ઓછો કરતો જાય છે, થોડી ખાવાપીવાની આદતો ઓછી કરતો જાય છે, ટીવી જોવાનું બંધ કરી દે છે, એટલે કે જીવનને ઘડવા લાગી જાય છે કારણ કે મનમાં લક્ષ્ય થઇ ગયું છે કે મારે આ કરવાનું છે.

એ જ રીતે કોઈ જો પોતાના જીવનનું લક્ષ્ય સંપત્તિ નિર્માણ બનાવે છે તો તેનું જીવન પણ બદલાઈ જાય છે. તે ચોવીસ કલાક પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં લાગેલો રહે છે. એ જ રીતે જ્યારે જીવનમાં તંદુરસ્તી પ્રત્યે જાગૃતિ આવી જાય છે, સ્વાસ્થ્ય માટે સજાગતા આવી જાય છે, મન એકવાર નક્કી કરી લે કે ભાઈ હું બિલકુલ પણ ક્યારેય થાકીશ નહી, ક્યારેય શ્વાસ ફૂલશે નહી, ચાલવું પડશે તો ચાલીશ, દોડવું પડશે તો દોડીશ, ચડવું પડશે તો ચડીશ, રોકાઈશ નહી. તમે જુઓ, ધીમે-ધીમે તમારા જીવનની દીનચર્યા પણ એ જ રીતની બનવાની શરુ થઇ જશે. અને પછી એવી વસ્તુઓ કે જે શરીરને નુકસાન કરે છે, તેનાથી તે વ્યક્તિ દૂર રહે છે કારણ કે તેની અંદર એક ચેતના આવી જાય છે, જાગૃત થઇ જાય છે. જેમ કે તે ડ્રગ્સની પકડમાં ક્યારેય નહી આવે, તેના માટે ક્યારેય ડ્રગ્સ કુલ નહી હોય, સ્ટાઈલ સ્ટેટમેન્ટ નહી બને.

સાથીઓ,

સ્વામી વિવેકાનંદજી પણ કહેતા હતા કે જો જીવનમાં ઉદ્દેશ્ય હોય, સંપૂર્ણ જોશની સાથે તેના માટે કામ કરવામાં આવે તો સારું સ્વાસ્થ્ય, સુખ સમૃદ્ધિ તેના પેટા પેદાશોના રૂપમાં તમારા જીવનમાં આવી જાય છે. પોતાના જીવનના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે આપણી અંદર એક ઝનૂન, એક ઈચ્છાશક્તિ, એક ધૂન સવાર થયેલી હોવી પણ એટલી જ જરૂરી છે. જ્યારે એક ઉદ્દેશ્યની સાથે, ઝનૂનની સાથે આપણે કામ કરીએ છીએ, આગળ વધીએ છીએ તો સફળતા આપણા પગ પખારવા માટે તૈયાર થઇ જાય છે. અને સફળતા પર તમે તે કહેવત તો સાંભળી જ હશે – સફળતાની કોઈ લીફ્ટ નથી હોતી, તમારે સીડી ચડવી જ પડશે. એટલે કે કહેવતમાં પણ તમને સીડીના પગથીયા ચડવા માટે જ કહેવામાં આવ્યું છે. પગથીયા તો તમે ત્યારે જ ચઢી શકશો ને જ્યારે તંદુરસ્ત હશો, નહિતર લીફ્ટ બંધ થઇ ગઈ તો વિચારશો યાર આજે નહી જઈએ, કોણ ચોથા માળે છેક જાય.

|

ભાઈઓ અને બહેનો,

સફળતા અને તંદુરસ્તીનો સંબંધ પણ એક બીજા સાથે જોડાયેલો છે. આજે તમે કોઇપણ ક્ષેત્રમાં જુઓ, તેના આદર્શ વ્યક્તિઓને જુઓ, તેમની સફળતાની ગાથાને જુઓ, પછી તે ખેલકૂદમાં હોય, ફિલ્મોમાં હોય, વ્યવસાયમાં હોય, તેમાંથી મોટાભાગના તંદુરસ્ત છે. આ માત્ર સંયોગ નથી. જો તમે તેમની જીવનશૈલીના વિષયમાં વાંચશો તો જાણવા મળશે કે એક વસ્તુ, તે દરેક વ્યક્તિમાં સામાન્ય છે. સફળ લોકોની સામાન્ય નિશાની છે – તંદુરસ્તી પર તેમનું ધ્યાન, તંદુરસ્તી પર તેમનો ભરોસો. તમે ઘણા બધા ડોકટરોને પણ જોયા હશે. ઘણા વિખ્યાત હોય છે અને દિવસમાં 10-10, 12-12 કલાક અનેક દર્દીઓના ઓપરેશન કરતા હોય છે. ઘણા બધા ઉદ્યમીઓ સવારે એક મીટીંગ એક શહેરમાં કરે છે, બીજી મીટીંગ બીજા શહેરમાં કરે છે, તેમના ચહેરા પર એક કરચલી પણ જોવા નથી મળતી. તેટલી જ સજાગતા સાથે કામ કરે છે. તમે કોઇપણ વ્યવસાયમાં હોવ, તમારે તમારા વ્યવસાયમાં અસરકારકતા લાવવી છે તો માનસિક અને શારીરિક તંદુરસ્તી ખૂબ જ જરૂરી છે. પછી તે બોર્ડરૂમ હોય કે બોલીવુડ, જે તંદુરસ્ત છે તે આકાશને આંબી શકે છે. શરીર સ્વસ્થ છે તો મન પણ સ્વસ્થ છે.

સાથીઓ,

જ્યારે તંદુરસ્તી તરફ આપણે ધ્યાન આપીએ છીએ, આપણે સ્વસ્થતા પર ધ્યાન આપતા પોતાની જાતને તંદુરસ્ત કરવાનો પ્રયાસ કરીએ છીએ, તો તેનાથી આપણને આપણા શરીરને સમજવાનો અવસર પણ મળે છે. તે આશ્ચર્યની વાત છે, પરંતુ આપણે આપણા શરીરના વિષયમાં, આપણી શક્તિ, આપણી નબળાઈઓના વિષયમાં બહુ ઓછું જાણીએ છીએ. એટલા માટે જ્યારે આપણે તંદુરસ્તીની આપણી યાત્રા પર નીકળીએ છીએ તો આપણા શરીરને સારી રીતે સમજવાનું શરુ કરીએ છીએ. અને મેં એવા અનેક લોકોને જોયા છે જેમણે આમ જ પોતાના શરીરની શક્તિને જાણી છે, ઓળખી છે. તેનાથી તેમનો આત્મવિશ્વાસ પણ વધ્યો છે, જેનાથી એક વધુ સારા વ્યક્તિત્વના નિર્માણમાં તેમને મદદ મળી છે.

સાથીઓ,

ફિટ ઇન્ડિયા અભિયાન ભલે સરકારે શરુ કર્યું છે પરંતુ તેનું નેતૃત્વ આપ સૌએ જ કરવાનું છે. દેશની જનતા જ આ અભિયાનને આગળ વધારશે અને સફળતાના શિખર પર પહોંચાડશે. હું મારા અંગત અનુભવ પરથી કહી શકું છું કે તેમાં રોકાણ શૂન્ય છે, પરંતુ વળતર અસીમિત છે.

અહિયાં મંચ પર માનવ સંસાધન વિકાસ મંત્રી, ગ્રામીણ વિકાસ મંત્રી પણ છે. મારો તેમને વિશેષ આગ્રહ છે કે દેશના દરેક ગામમાં, દેશની દરેક પંચાયતમાં, દેશની દરેક શાળામાં આ અભિયાન પહોંચવું જોઈએ. આ અભિયાન માત્ર એક મંત્રાલયનું જ નથી, માત્ર સરકારનું જ નથી, આ સરકાર ભલે કેન્દ્રની હોય, કે રાજ્યની હોય, કે નગર પાલિકા હોય, પંચાયત હોય, કોઇપણ દળ હોય, કોઈ પણ વિચારધારા હોય, તંદુરસ્તીના સંબંધમાં કોઈને કોઈ પણ સમસ્યા ના હોવી જોઈએ. આખો દેશ, દરેક પરિવાર આના પર જોર આપે. હમણાં આપણે કાર્યક્રમમાં જોયું, આપણે ત્યાં તંદુરસ્તીની સાથે-સાથે વીરતાનું પણ મહત્વ છે, પરંતુ દુર્ભાગ્યે મર્યાદિત વિચારધારાના કારણે, સંપૂર્ણ વિચારશક્તિના અભાવને કારણે આપણે આપણી મહાન પરંપરાઓની ગાડીને એવી તો પાટા પરથી ઉતારી નાખી છે, જેમ કે ક્યારેક આપણે ત્યાં જે 60-70-80 વર્ષની ઉંમરના લોકો હશે, જ્યારે તેઓ શાળામાં ભણતા હતા તો ત્યારે તલવારનો ‘ત’ ભણાવવામાં આવતો હતો. ‘ત’ તલવારનો ‘ત’. પછીથી કેટલાક બુદ્ધિમાન લોકોએ વિવાદ ઉભો કર્યો, મર્યાદિત વિચારધારાનું પરિણામ હતું કે ભાઈ તલવાર બાળકોને ભણાવવાથી તેમની અંદર હિંસક મનોવૃત્તિ આવે છે. તો શું કરીએ, તો તલવારને કાઢી નાખો, ‘ત’ તરબૂચનો ‘ત’ ભણાવો. એટલે કે આપણે કઈ રીતે મનોવૈજ્ઞાનિક રૂપે પણ આપણી મહાન પરંપરાઓમાંથી વીરતાને પણ, શારીરિક સામર્થ્યને પણ, તંદુરસ્તીને પણ બહુ ઊંડી ઈજા પહોંચાડી છે.

અને એટલા માટે હું ઈચ્છીશ કે દરેક પ્રકારે આપણે તંદુરસ્તીને એક ઉત્સવના રૂપમાં, જીવનના એક ભાગના રૂપમાં, પરિવારની સફળતાના જેટલા પણ માપદંડો હોય, તેમાં તંદુરસ્તી પણ પરિવારની સફળતાનો એક માપદંડ હોવો જોઈએ. વ્યક્તિના જીવનની સફળતાઓમાં પણ તંદુરસ્તી તેનો પણ એક માપદંડ હોવો જોઈએ. જો આ ભાવને લઈને આપણે ચાલીએ છીએ અને રાજ્ય સરકારો હોય, હું તેમને પણ કહીશ કે ફિટ ઇન્ડિયા અભિયાનને વધુમાં વધુ વિસ્તાર આપવા, તેને દેશના દૂર-સુદૂરના ક્ષેત્રોમાં પહોંચાડવા માટે દરેક વ્યક્તિ આગળ આવે. પોતાની શાળાઓમાં, પોતાની કચેરીઓમાં, પોતાના રાજ્યના લોકોમાં તંદુરસ્તી માટે જાગૃતતા વધારીને, તેમના માટે જરૂરી સંસાધનો એકઠા કરીને આપણે વધુમાં વધુ લોકોને દરરોજ પોતાનો થોડો સમય તંદુરસ્તીને આપવા માટે પ્રેરિત કરવા પડશે. સ્વસ્થ વ્યક્તિ, સ્વસ્થ પરિવાર અને સ્વસ્થ સમાજ, એ જ નવા ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવાનો રસ્તો છે. જેમ તમે સ્વચ્છ ભારત અભિયાનને તમારા જીવનનો હિસ્સો બનાવ્યું છે, તે જ રીતે ફિટ ઇન્ડિયા અભિયાનને પણ તમારા જીવનનો હિસ્સો બનાવવાનું છે.

આવો, તમે આજે એ સંકલ્પ લો, એ પ્રતિજ્ઞા લો કે તમે પોતે પણ તંદુરસ્ત રહેશો, તમારા પરિવાર, મિત્રો, પડોશીઓ અને જેમને પણ તમે જાણો છો, તે સૌને તંદુરસ્ત રહેવા માટે પ્રોત્સાહિત કરશો. હું તંદુરસ્ત તો ભારત તંદુરસ્ત.

એ જ એક આગ્રહની સાથે એક વાર ફરી આ અભિયાનની માટે દેશવાસીઓને મારી અનેક અનેક શુભકામનાઓ છે અને સમાજના દરેક તબક્કામાં નેતૃત્વ કરનારા લોકોને મારો આગ્રહ છે કે તમે આગળ આવો, આ અભિયાનને વેગ આપો, સમાજના સ્વસ્થ હોવામાં તમે પણ ભાગીદાર બનો. એ જ એક અપેક્ષાની સાથે, અનેક અનેક શુભકામનાઓની સાથે આપ સૌનો ખૂબખૂબ આભાર!

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
How India’s ‘Digital Lifeline’ UPI Is Transforming Payments At Home & Abroad

Media Coverage

How India’s ‘Digital Lifeline’ UPI Is Transforming Payments At Home & Abroad
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Our government is making the vision of women-led development the axis of development: PM Modi in Bhopal, Madhya Pradesh
May 31, 2025
QuotePM inaugurates, lays foundation stone of multiple development projects in Bhopal
QuoteThe name of Lokmata Devi Ahilyabai Holkar fills us with reverence, Words fall short to speak about her great personality: PM
QuoteDevi Ahilyabai was a great guardian of India's heritage: PM
QuoteMata Ahilyabai is a symbol of invaluable contribution of our women power in nation building: PM
QuoteOur government is making the vision of women-led development the axis of development: PM
QuoteThe Namo Drone Didi campaign is encouraging the rural women, increasing their income: PM
QuoteToday, a large number of women scientists are working in all our major space missions: PM
QuoteOperation Sindoor has also become a symbol of the strength of our women power: PM

मध्य प्रदेश के राज्यपाल श्रीमान मंगुभाई पटेल, हमारे लोकप्रिय मुख्यमंत्री श्रीमान मोहन यादव जी, टेक्नोलॉजी के माध्यम से हमारे साथ जुड़े हुए केंद्रीय मंत्री, इंदौर से तोखन साहू जी, दतिया से राम मोहन नायडू जी, सतना से मुरलीधर मोहोल जी, यहां मंच पर उपस्थित राज्य के उपमुख्यमंत्री जगदीश देवड़ा जी, राजेंद्र शुक्ला जी, लोकसभा में मेरे साथी वी डी शर्मा जी, अन्य मंत्रिगण, जनप्रतिनिधिगण और विशाल संख्या में आए हुए मेरे प्यारे भाइयों और बहनों।

सबसे पहले मैं मां भारती को भारत की मातृशक्ति को प्रणाम करता हूं। आज यहां इतनी बड़ी संख्या में माताएं-बहनें-बेटियां हमें आशीर्वाद देने आई हैं। मैं आप सभी बहनों के दर्शन पाकर धन्य हो गया हूं।

भाइयों और बहनों,

आज लोकमाता देवी अहिल्याबाई होल्कर जी की तीन सौवीं जन्म जयंती है।140 करोड़ भारतीयों के लिए ये अवसर प्रेरणा का है, राष्ट्र निर्माण के लिए हो रहे भागीरथ प्रयासों में अपना योगदान देने का है। देवी अहिल्याबाई कहती थीं, कि शासन का सही अर्थ जनता की सेवा करना और उनके जीवन में सुधार लाना होता है। आज का कार्यक्रम, उनकी इस सोच को आगे बढ़ाता है। आज इंदौर मेट्रो की शुरुआत हुई है। दतिया और सतना भी अब हवाई सेवा से जुड़ गए हैं। ये सभी प्रोजेक्ट मध्य प्रदेश में सुविधाएं बढ़ाएंगे, विकास को गति देंगे और रोजगार के अनेक नए अवसर बनाएंगे। मैं आज इस पवित्र दिवस पर विकास के इन सारे कामों के लिए आप सबको, पूरे मध्य प्रदेश को बहुत-बहुत बधाई देता हूं।

|

साथियों,

लोकमाता देवी अहिल्याबाई होलकर, ये नाम सुनते ही मन में श्रद्धा का भाव उमड़ पड़ता है। उनके महान व्यक्तित्व के बारे में बोलने के लिए शब्द कम पड़ जाते हैं। देवी अहिल्याबाई प्रतीक हैं, कि जब इच्छाशक्ति होती है, दृढ़ प्रतिज्ञा होती है, तो परिस्थितियां कितनी ही विपरीत क्यों ना हों, परिणाम लाकर दिखाया जा सकता है। ढाई-तीन सौ साल पहले, जब देश गुलामी की जंजीरों में जकड़ा हुआ था, उस समय ऐसे महान कार्य कर जाना, कि आने वाली अनेक पीढ़ियां उसकी चर्चा करें, ये कहना तो आसान है, करना आसान नहीं था।

साथियों,

लोकमाता अहिल्याबाई ने प्रभु सेवा और जन सेवा, इसे कभी अलग नहीं माना। कहते हैं, वे हमेशा शिवलिंग अपने साथ लेकर चलती थीं। उस चुनौतीपूर्ण कालखंड में एक राज्य का नेतृत्व कांटों से भरा ताज, कोई कल्पना कर सकता है, कांटों से भरा ताज पहनने जैसा वो काम, लेकिन लोकमाता अहिल्याबाई ने अपने राज्य की समृद्धि को नई दिशा दी। उन्होंने गरीब से गरीब को समर्थ बनाने के लिए काम किया। देवी अहिल्याबाई भारत की विरासत की बहुत बड़ी संरक्षक थीं। जब देश की संस्कृति पर, हमारे मंदिरों, हमारे तीर्थ स्थलों पर हमले हो रहे थे, तब लोकमाता ने उन्हें संरक्षित करने का बीड़ा उठाया, उन्होंने काशी विश्वनाथ सहित पूरे देश में हमारे अनेकों मंदिरों का, हमारे तीर्थों का पुनर्निर्माण किया। औऱ ये मेरा सौभाग्य है कि जिस काशी में लोकमाता अहिल्याबाई ने विकास के इतने काम किए, उस काशी ने मुझे भी सेवा का अवसर दिया है। आज अगर आप काशी विश्वनाथ महादेव के दर्शन करने जाएंगे, तो वहां आपको देवी अहिल्याबाई की मूर्ति भी वहाँ पर मिलेगी।

|

साथियों,

माता अहिल्याबाई ने गवर्नेंस का एक ऐसा उत्तम मॉडल अपनाया, जिसमें गरीबों और वंचितों को सबसे ज्यादा प्राथमिकता दी गई। रोजगार के लिए, उद्यम बढ़ाने के लिए उन्होंने अनेक योजनाओं को शुरू किया। उन्होंने कृषि और वन-उपज आधारित कुटीर उद्योग और हस्तकला को प्रोत्साहित किया। खेती को बढ़ावा देने के लिए, छोटी-छोटी नहरों की जाल बिछाई, उसे विकसित किया, उस जमाने में आप सोचिए 300 साल पहले। जल संरक्षण को बढ़ावा देने के लिए उन्होंने कितने ही तालाब बनवाए और आज तो हम लोग भी लगातार कह रहे हैं, catch the rain, बारिश के एक एक बूंद पानी को बचाओ। देवी अहिल्या जी ने ढाई सौ-तीन सौ साल पहले हमें ये काम बताया था। किसानों की आय बढ़ाने के लिए उन्होंने कपास और मसालों की खेती को प्रोत्साहित किया। आज ढाई सौ-तीन सौ साल के बाद भी हमें बार बार किसानों को कहना पड़ता है, कि crop diversification बहुत जरूरी है। हम सिर्फ धान की खेती करके या गन्ने की खेती करके अटक नहीं सकते, देश की जरूरतों को, सारी चीजों को हमें diversify करके उत्पादित करना चाहिए। उन्होंने आदिवासी समाज के लिए, घुमन्तु टोलियों के लिए, खाली पड़ी जमीन पर खेती की योजना बनाई। ये मेरा सौभाग्य है, कि मुझे एक आदिवासी बेटी, आज जो भारत के राष्ट्रपति पद पर विराजमान है, उनके मार्गदर्शन में मेरे आदिवासी भाई-बहनों की सेवा करने का मौका मिला है। देवी अहिल्या ने विश्व प्रसिद्ध माहेश्वरी साड़ी के लिए नए उद्योग लगाए और बहुत कम लोगों को पता होगा, कि देवी अहिल्या जी हूनर की पारखी थी और वो जूनागढ़ से गुजरात में, जूनागढ़ से कुछ परिवारों को माहेश्वर लाईं और उनको साथ जोड़कर के, आज से ढाई सौ-तीन सौ साल पहले ये माहेश्वरी साड़ी का काम आगे बढ़ाया, जो आज भी अनेक परिवारों को वो गहना बन गया है, और जिससे हमारे बुनकरों को बहुत फायदा हुआ।

साथियों,

देवी अहिल्याबाई को कई बड़े सामाजिक सुधारों के लिए भी हमेशा याद रखा जाएगा। आज अगर बेटियों की शादी की उम्र की चर्चा करें, तो हमारे देश में कुछ लोगों को सेक्यूलरिज्म खतरे में दिखता है, उनको लगता है ये हमारे धर्म के खिलाफ है। ये देवी अहिल्या जी देखिए, मातृशक्ति के गौरव के लिए उस जमाने में बेटियों की शादी की उम्र के विषय में सोचती थीं। उनकी खुद की शादी छोटी उम्र में हुई थी, लेकिन उनको सब पता था, बेटियों के विकास के लिए कौन सा रास्ता होना चाहिए। ये देवी अहिल्या जी थीं, उन्होंने महिलाओं का भी संपत्ति में अधिकार हो, जिन स्त्रियों के पति की असमय मृत्यु हो गई हो, वो फिर विवाह कर सकें, उस कालखंड में ये बातें करना भी बहुत मुश्किल होता था। लेकिन देवी अहिल्याबाई ने इन समाज सुधारों को भरपूर समर्थन दिया। उन्होंने मालवा की सेना में महिलाओं की एक विशेष टुकड़ी भी बनाई थी। ये पश्चिम की दुनिया के लोगों को पता नहीं है। हमें कोसते रहते हैं, हमारी माताओं बहनों के अधिकारों के नाम पर हमें नीचा दिखाने की कोशिश करते हैं। ढाई सौ-तीन सौ साल पहले हमारे देश में सेना में महिलाओं का होना, साथियों महिला सुरक्षा के लिए उन्होंने गांवों में नारी सुरक्षा टोलियां, ये भी बनाने का काम किया था। यानी माता अहिल्याबाई, राष्ट्र निर्माण में हमारी नारीशक्ति के अमूल्य योगदान का प्रतीक हैं। मैं, समाज में इतना बड़ा परिवर्तन लाने वाली देवी अहिल्या जी को आज श्रद्धापूर्वक नमन करता हूं, उनके चरणों में प्रणाम करता हूं और मैं उनसे प्रार्थना करता हूं, कि आप जहां भी हों, हम सभी पर अपना आशीर्वाद बरसाए।

साथियों,

देवी अहिल्या का एक प्रेरक कथन है, जो हम कभी भूल नहीं सकते। और उस कथन का अगर मोटे-मोटे शब्दों में मैं कहूं, उसका भाव यही था, कि जो कुछ भी हमें मिला है, वो जनता द्वारा दिया ऋण है, जिसे हमें चुकाना है। आज हमारी सरकार लोकमाता अहिल्याबाई के इन्हीं मूल्यों पर चलते हुए काम कर रही है। नागरिक देवो भव:- ये आज गवर्नेंस का मंत्र है। हमारी सरकार, वीमेन लेड डवलपमेंट के विजन को विकास की धुरी बना रही है। सरकार की हर बड़ी योजना के केंद्र में माताएं-बहनें-बेटियां हैं। आप भी जानती हैं, गरीबों के लिए 4 करोड़ घर बनाए जा चुके हैं और इनमें से अधिकतर घर हमारी माताओं-बहनों के नाम पर हैं, मालिकाना हक मेरी माताओं-बहनों को दिया है। इनमें से ज्यादातर महिलाएं ऐसी हैं, जिनके नाम पर पहली बार कोई संपत्ति दर्ज हुई है। यानी देश की करोड़ों बहनें पहली बार घर की मालकिन बनी हैं।

|

साथियों,

आज सरकार, हर घर तक नल से जल पहुंचा रही है, ताकि हमारी माताओं-बहनों को असुविधा न हो, बेटियां अपनी पढ़ाई में ध्यान दे सकें। करोड़ों बहनों के पास पहले, बिजली, एलपीजी गैस और टॉयलेट जैसी सुविधाएं भी नहीं थीं। ये सुविधाएं भी हमारी सरकार ने पहुंचाईं। और ये सिर्फ सुविधाएं नहीं हैं, ये माताओं-बहनों के सम्मान का हमारी तरफ से एक नम्र प्रयास है। इससे गांव की, गरीब परिवारों की माताओं-बहनों के जीवन से अनेक मुश्किलें कम हुईं हैं।

साथियों,

पहले माताएं-बहनें अपनी बीमारियां छुपाने पर मजबूर थीं। गर्भावस्था के दौरान अस्पताल जाने से बचती थीं। उनको लगता था, कि इससे परिवार पर बोझ पड़ेगा और इसलिए दर्द सहती थीं, लेकिन परिवार में किसी को बताती नहीं थीं। आयुष्मान भारत योजना ने उनकी इस चिंता को भी खत्म किया है। अब वो भी अस्पताल में 5 लाख रुपए तक का मुफ्त इलाज करा सकती हैं।

साथियों,

महिलाओं के लिए पढ़ाई और दवाई के साथ ही जो बहुत जरूरी चीज है, वो कमाई भी है। जब महिला की अपनी आय होती है, तो घर में उसका स्वाभिमान और बढ़ जाता है, घर के निर्णयों में उसकी सहभागिता और बढ़ जाती है। बीते 11 वर्षों में हमारी सरकार ने देश की महिलाओं को आर्थिक रूप से सशक्त करने के लिए निरंतर काम किया है। आप कल्पना कर सकते है, 2014 से पहले, आपने मुझे सेवा करने का मौका दिया उसके पहले, 30 करोड़ से ज्यादा बहनें ऐसी थीं, जिनका कोई बैंक खाता तक नहीं था। हमारी सरकार ने इन सभी के बैंक में जनधन खाते खुलवाए, इन्हीं खातों में अब सरकार अलग-अलग योजनाओं का पैसा सीधा उनके खाते में भेज रही है। अब वे गांव हो या शहर अपना कुछ ना कुछ काम कर रही हैं, आर्थिक उपार्जन कर रही हैं, स्वरोजगार कर रही हैं। उन्हें मुद्रा योजना से बिना गारंटी का लोन मिल रहा है। मुद्रा योजना की 75 प्रतिशत से ज्यादा लाभार्थी, ये हमारी माताएं-बहनें-बेटियां हैं।

|

साथियों,

आज देश में 10 करोड़ बहनें सेल्फ हेल्प ग्रुप्स से जुड़ी हैं, जो कोई न कोई आर्थिक गतिविधि करती हैं। ये बहनें अपनी कमाई के नए साधन बनाएं, इसके लिए सरकार लाखों रुपयों की मदद कर रही है। हमने ऐसी 3 करोड़ बहनों को लखपति दीदी बनाने का संकल्प लिया है। मुझे संतोष है कि अब तक डेढ़ करोड़ से ज्यादा बहनें, लखपति दीदी बन भी चुकी हैं। अब गांव-गांव में बैंक सखियां लोगों को बैंकिंग से जोड़ रही हैं। सरकार ने बीमा सखियां बनाने का अभियान भी शुरु किया है। हमारी बहनें-बेटियां अब देश को बीमा की सुरक्षा देने में भी बहुत बड़ी भूमिका निभा रही हैं।

साथियों,

एक समय था, जब नई टेक्नोलॉजी आती थी, तो उससे महिलाओं को दूर रखा जाता था। हमारा देश आज उस दौर को भी पीछे छोड़ रहा है। आज सरकार का प्रयास है कि आधुनिक टेक्नॉलॉजी में भी हमारी बहनें, हमारी बेटियां आगे बढ़कर के नेतृत्व दें। अब जैसे आज खेती में ड्रोन क्रांति आ रही है। इसको हमारी गांव की बहनें ही नेतृत्व दे रही हैं। नमो ड्रोन दीदी अभियान से गांव की बहनों का हौसला बढ़ रहा है, उनकी कमाई बढ़ रही है और गांव में उनकी एक नई पहचान बन रही है।

साथियों,

आज बहुत बड़ी संख्या में हमारी बेटियां वैज्ञानिक बन रही हैं, डॉक्टर-इंजीनियर और पायलट बन रही हैं। हमारे यहां साइंस और मैथ्स पढ़ने वाली बेटियों की संख्या लगातार बढ़ रही है। आज जितने भी हमारे बड़े स्पेस मिशन हैं, उनमें बड़ी संख्या में वैज्ञानिक के नाते हमारी माताएं-बहनें-बेटियां काम कर रही हैं। चंद्रयान थ्री मिशन, पूरा देश गौरव कर रहा है। चंद्रयान थ्री मिशन में तो 100 से अधिक महिला वैज्ञानिक और इंजीनियर शामिल थीं। ऐसे ही जमाना स्टार्ट अप्स का है, स्टार्ट अप्स के क्षेत्र में भी हमारी बेटियां अदभुत काम कर रही हैं। देश में लगभग पैंतालीस परसेंट स्टार्ट अप्स की, उसमे कम से कम एक डायरेक्टर कोई न कोई हमारी बहन है, कोई न कोई हमारी बेटी है, महिला है। और ये संख्या लगातार बढ़ रही है।

साथियों,

हमारा प्रयास है, कि नीति निर्माण में बेटियों की भागीदारी लगातार बढ़े। बीते एक दशक में इसके लिए एक के बाद एक अनेक कदम उठाए गए हैं। हमारी सरकार में पहली बार पूर्ण कालिक महिला रक्षामंत्री बनीं। पहली बार देश की वित्तमंत्री, एक महिला बनीं। पंचायत से लेकर पार्लियामेंट तक, महिलाओं की संख्या लगातार बढ़ रही है। इस बार 75 सांसद महिलाएं हैं। लेकिन हमारा प्रयास है कि ये भागीदारी और बढ़े। नारीशक्ति वंदन अधिनियम के पीछे भी यही भावना है। सालों तक इस कानून को रोका गया, लेकिन हमारी सरकार ने इसे पारित करके दिखाया। अब संसद और विधानसभाओं में महिला आरक्षण पक्का हो गया है। कहने का अर्थ ये है कि भाजपा सरकार, बहनों-बेटियों को हर स्तर पर, हर क्षेत्र में सशक्त कर रही है।

|

साथियों,

भारत संस्कृति और संस्कारों का देश है। और सिंदूर, ये हमारी परंपरा में नारीशक्ति का प्रतीक है। राम भक्ति में रंगे हनुमान जी भी सिंदूर को ही धारण किए हुए हैं। शक्ति पूजा में हम सिंदूर का अर्पण करते हैं। और यही सिंदूर अब भारत के शौर्य का प्रतीक बना है।

साथियों,

पहलगाम में आतंकियों ने सिर्फ भारतीयों का खून ही नहीं बहाया, उन्होंने हमारी संस्कृति पर भी प्रहार किया है। उन्होंने हमारे समाज को बांटने की कोशिश की है। और सबसे बड़ी बात, आतंकवादियों ने भारत की नारीशक्ति को चुनौती दी है। ये चुनौती, आतंकवादियों और उनके आकाओं के लिए काल बन गई है काल। ऑपरेशन सिंदूर, आतंकवादियों के खिलाफ भारत के इतिहास का सबसे बड़ा और सफल ऑपरेशन है। जहां पाकिस्तान की सेना ने सोचा तक नहीं था, वहां आतंकी ठिकानों को हमारी सेनाओं ने मिट्टी में मिला दिया। सैंकड़ों किलोमीटर अंदर घुसकर के मिट्टी में मिला दिया। ऑपरेशन सिंदूर ने डंके की चोट पर कह दिया है, कि आतंकवादियों के जरिए छद्म युद्ध, proxy war नहीं चलेगा। अब घर में घुसकर भी मारेंगे और जो आतंकियों की मदद करेगा, उसको भी इसकी भारी कीमत चुकानी पड़ेगी। अब भारत का एक-एक नागरिक कह रहा है, 140 करोड़ देशवासियों की बुलंद आवाज कह रही है- अगर, अगर तुम गोली चलाओगे, तो मानकर चलों गोली का जवाब गोले से दिया जाएगा।

साथियों,

ऑपरेशन सिंदूर हमारी नारीशक्ति के सामर्थ्य का भी प्रतीक बना है। हम सभी जानते हैं, कि BSF का इस ऑपरेशन में कितना बड़ा रोल रहा है। जम्मू से लेकर पंजाब, राजस्थान और गुजरात की सीमा तक बड़ी संख्या में BSF की हमारी बेटियां मोर्चे पर रही थीं, मोर्चा संभाल रही थीं। उन्होंने सीमापार से होने वाली फायरिंग का मुंहतोड़ जवाब दिया। कमांड एंड कंट्रोल सेंटर्स से लेकर दुश्मन की पोस्टों को ध्वस्त करने तक, BSF की वीर बेटियों ने अद्भुत शौर्य दिखाया है।

|

साथियों,

आज दुनिया, राष्ट्ररक्षा में भारत की बेटियों का सामर्थ्य देख रही है। इसके लिए भी बीते दशक में सरकार ने अनेक कदम उठाए हैं। स्कूल से लेकर युद्ध के मैदान तक, आज देश अपनी बेटियों के शौर्य पर अभूतपूर्व भरोसा कर रहा है। हमारी सेना ने पहली बार सैनिक स्कूलों के दरवाज़े बेटियों के लिए खोले हैं। 2014 से पहले एनसीसी में सिर्फ 25 प्रतिशत कैडेट्स ही बेटियां होती थीं, आज उनकी संख्या 50 प्रतिशत की तरफ आगे बढ़ रही है। कल के दिन देश में एक औऱ नया इतिहास बना है। आज अखबार में देखा होगा आपने, नेशनल डिफेंस एकेडमी यानी NDA से महिला कैडेट्स का पहला बैच पास आउट हुआ है। आज सेना, नौसेना और वायुसेना में बेटियां अग्रिम मोर्चे पर तैनात हो रही हैं। आज फाइटर प्लेन से लेकर INS विक्रांत युद्धपोत तक, वीमेन ऑफीसर्स अपनी जांबाजी दिखा रही हैं।

साथियों,

हमारी नौसेना की वीर बेटियों के साहस का ताज़ा उदाहरण भी देश के सामने है। आपको मैं नाविका सागर परिक्रमा के बारे में बताना चाहता हूं। नेवी की दो वीर बेटियों ने करीब ढाई सौ दिनों की समुद्री यात्रा पूरी की है, धरती का चक्कर लगाया है। हज़ारों किलोमीटर की ये यात्रा, उन्होंने ऐसी नाव से की जो मोटर से नहीं बल्कि हवा से चलती है। सोचिए, ढाई सौ दिन समंदर में, इतने दिनों तक समंदर में रहना, कई कई हफ्ते तक जमीन के दर्शन तक नहीं होना और ऊपर से समंदर का तूफान कितना तेज होता है, हमें पता है, खराब मौसम, भयानक तूफान, उन्होंने हर मुसीबत को हराया है। ये दिखाता है, कि चुनौती कितनी भी बड़ी हो, भारत की बेटियां उस पर विजय पा सकती हैं।

साथियों,

नक्सलियों के खिलाफ ऑपरेशन हों या फिर सीमापार का आतंक हो, आज हमारी बेटियां भारत की सुरक्षा की ढाल बन रही हैं। मैं आज देवी अहिल्या की इस पवित्र भूमि से, देश की नारीशक्ति को फिर से सैल्यूट करता हूं

|

साथियों,

देवी अहिल्या ने अपने शासनकाल में विकास के कार्यों के साथ साथ विरासत को भी सहेजा। आज का भारत भी विकास और विरासत, दोनों को साथ लेकर चल रहा है। आधुनिक इंफ्रास्ट्रक्चर के निर्माण को देश कैसे गति दे रहे है, आज का कार्यक्रम इसका उदाहरण है। आज मध्य प्रदेश को पहली मेट्रो सुविधा मिली है। इंदौर पहले ही स्वच्छता के लिए दुनिया में अपनी पहचान बना चुका है। अब इंदौर की पहचान उसकी मेट्रो से भी होने जा रही है। यहां भोपाल में भी मेट्रो का काम तेज़ी से चल रहा है। मध्य प्रदेश में, रेलवे के क्षेत्र में व्यापक काम हो रहा है। कुछ दिन पहले ही केंद्र सरकार ने रतलाम-नागदा रूट को चार लाइनों में बदलने के लिए स्वीकृति दे दी है। इससे इस क्षेत्र में और ज्यादा ट्रेनें चल पाएंगी, भीड़भाड़ कम होगी। केंद्र सरकार ने इंदौर–मनमाड रेल परियोजना को भी मंजूरी दे दी है।

साथियों,

आज मध्य प्रदेश के दतिया और सतना भी हवाई यात्रा के नेटवर्क से जुड़ गए हैं। इन दोनों हवाई अड्डों से बुंदेलखंड और विंध्य क्षेत्र में एयर कनेक्टिविटी बेहतर होगी। अब माँ पीतांबरा, मां शारदा देवी और पवित्र चित्रकूट धाम के दर्शन करना और सुलभ हो जाएगा।

|

साथियों,

आज भारत, इतिहास के उस मोड़ पर है, जहां हमें अपनी सुरक्षा, अपने सामर्थ्य और अपनी संस्कृति, हर स्तर पर काम करना है। हमें अपना परिश्रम बढ़ाना है। इसमें हमारी मातृशक्ति, हमारी माताओं-बहनों-बेटियों की भूमिका बहुत बड़ी है। हमारे सामने लोकमाता देवी अहिल्याबाई जी की प्रेरणा है। रानी लक्ष्मीबाई, रानी दुर्गावती, रानी कमलापति, अवंतीबाई लोधी, कित्तूर की रानी चेनम्मा, रानी गाइडिन्ल्यू, वेलु नाचियार, सावित्री बाई फुले, ऐसे हर नाम हमें गौरव से भर देते हैं। लोकमाता अहिल्याबाई की ये तीन सौवीं जन्मजयंती, हमें निरंतर प्रेरित करती रहे, आने वाली सदियों के लिए हम एक सशक्त भारत की नींव मजबूत करें, इसी कामना के साथ आप सभी को फिर से एक बार बहुत-बहुत शुभकामनाएं देता हूं। अपना तिरंगा ऊपर उठाकर के मेरे साथ बालिए –

भारत माता की जय!

भारत माता की जय!

भारत माता की जय!

वंदे मातरम!

वंदे मातरम!

वंदे मातरम!

वंदे मातरम!

वंदे मातरम!

वंदे मातरम!

वंदे मातरम!

वंदे मातरम!

वंदे मातरम!