જો તમારું શરીર સ્વસ્થ હશે તો તમે માનસિક રીતે પણ ફિટ રહેશો : : પ્રધાનમંત્રી મોદી
જીવનશૈલીની બીમારીઓ જીવનશૈલીમાં વિકારના કારણે વધી રહી છે અને તંદુરસ્તી પ્રત્ય સભાનતા થી આપણે તેને અટકાવી શકીએ છીએ : પ્રધાનમંત્રી મોદી
ચાલો આપણે ફિટ ઇન્ડિયા અભયાનને જન આંદોલન બનાવીએ : પ્રધાનમંત્રી મોદી

મંત્રી પરિષદના મારા સહયોગી શ્રીમાન નરેન્દ્ર સિંહજી તોમર, ડૉક્ટર હર્ષવર્ધનજી, રમેશ પોખરિયાલ નિશંકજી અને આ સમગ્ર અભિયાનનું જે નેતૃત્વ સંભાળી રહ્યા છે, શ્રીમાન કિરેન રિજીજુજી, અહિં ઉપસ્થિત તમામ વરિષ્ઠ મહાનુભાવો, ખેલ જગતના બધા જ તારલાઓ અને મારા વ્હાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો,

કેટલાક લોકોને લાગતું હશે કે અમે તો શાળાએ જતા નથી, કોલેજમાં જતા નથી, પરંતુ મોદીજીએ માત્ર વિદ્યાર્થીઓને કેમ કહ્યું. તમે લોકો અહિં આવ્યા છો, ઉંમર કોઇપણ હોય, પરંતુ મને વિશ્વાસ છે તમારી અંદરનો વિદ્યાર્થી જીવિત છે.

આપ સૌને રાષ્ટ્રીય ખેલકૂદ દિવસની અનેક અનેક શુભકામનાઓ. આજના જ દિવસે આપણને મેજર ધ્યાનચંદના રૂપમાં એક મહાન રમતવીર મળ્યા હતા. પોતાની તંદુરસ્તી, સ્ફૂર્તિ અને હોકી સ્ટીક વડે દુનિયાને તેમણે મંત્રમુગ્ધ કરી હતી. એવા મેજર ધ્યાનચંદજીને હું આજે આદરપૂર્વક નમન કરું છું.

આજના દિવસે ફિટ ઇન્ડિયા અભિયાન, આવી પહેલની શરૂઆત કરવા માટે એક તંદુરસ્ત ભારતની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું અને આ ખ્યાલ વડે આંદોલન માટે, હું રમતગમત મંત્રાલયને, યુવા વિભાગને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

અહિયાં આગળ આજે જે રજૂઆત થઇ છે, તે રજૂઆતમાં દરેક ક્ષણે તંદુરસ્તીનો કોઈ ને કોઈ સંદેશ હતો. પરંપરાઓને યાદ કરીને સહજ રૂપે આપણે આપની જાતને તંદુરસ્ત કઈ રીતે રાખી શકીએ છીએ, ખૂબ જ શ્રેષ્ઠ રીતે આ વસ્તુઓને રજૂ કરવામાં આવી. અને આ બાબતો એટલી સુંદર રીતે રજૂ કરવામાં આવી કે મને મારા ભાષણની કોઈ જરૂર નથી લાગતી હવે. અહિયાં રજૂઆતમાં જેટલી વાતો કહેવામાં આવી છે, તેને જ જો આપણે ગાંઠ બાંધી લઈએ અને એકાદ બેને જીવનનો હિસ્સો બનાવી લઈએ; તો હું નથી માનતો કે તંદુરસ્તી માટે મારે કોઈ ઉપદેશ આપવાની જરૂર પડે.

આ ઉત્તમ કાર્યરચના માટે, આ શ્રેષ્ઠ પ્રકારની પ્રસ્તુતિ માટે, જેમણે આને ખ્યાલબદ્ધ સંકલિત કરી હશે, જેમણે આમાં નવા-નવા રૂપ રંગ ઉમેર્યા હશે, અને જેમણે પરિશ્રમ કરીને આને રજૂ કરી છે; આપ સૌ ખૂબ-ખૂબ અભિનંદનના અધિકારી છો. હું ભવિષ્યમાં ઈચ્છીશ કે આમાંથી જ એક વ્યવસાયિક વીડિયો બનાવીને તમામ શાળાઓ, કોલેજોમાં દેખાડવામાં આવે જેથી કરીને સહજ રૂપે, કારણ કે એક જન આંદોલન બનવું જોઈએ.

સાથીઓ,

આજનો આ દિવસ આપણા તે યુવા ખેલાડીઓને અભિનંદન આપવાનો પણ છે, જેઓ સતત વિશ્વના મંચ પર તિરંગાની શાનને નવી બુલંદી આપી રહ્યા છે. બેડમિન્ટન હોય, ટેનિસ હોય, એથ્લેટિકસ હોય, બોક્સિંગ હોય, કુશ્તી હોય કે પછી અન્ય રમતો, આપણા ખેલાડીઓ આપની આશાઓ અને આકાંક્ષાઓને નવી પાંખ લગાવી રહ્યા છે. તેમના દ્વારા જીતવામાં આવેલ મેડલ, તેમના તપ અને તપસ્યાનું પરિણામ તો છે જ, પરંતુ તે નવા ભારતના નવા જોશ અને નવા આત્મવિશ્વાસનો માપદંડ પણ છે. મને ખુશી છે કે વીતેલા પાંચ વર્ષોમાં ભારતના ખેલકૂદ માટે વધુ સારો માહોલ બનાવવાનો જે પ્રયાસ થયો છે, તેનો લાભ આજે આપણને જોવા મળી રહ્યો છે.

સાથીઓ, ખેલકૂદનો સીધો સંબંધ તંદુરસ્તી સાથે છે. પરંતુ આજે જે ફિટ ઇન્ડિયા અભિયાનની શરૂઆત થઇ છે, તેનો વિસ્તાર ખેલકૂદથી પણ આગળ વધીને આગળ જવાનો છે. તંદુરસ્તી એક શબ્દ નથી પરંતુ સ્વસ્થ અને સમૃદ્ધ જીવનની એક જરૂરી શરત છે. આપણી સંસ્કૃતિમાં તો હંમેશાથી જ તંદુરસ્તી પરખૂબ વધુ જોર આપવામાં આવ્યું છે. કોઇપણ બીમારી બાદ પરેજી કરતા વધુ આપણે સારા સ્વાસ્થ્ય માટે કરવામાં આવનાર ઉપાયોને પ્રાથમિકતા આપી છે, તેમને શ્રેષ્ઠ માન્યા છે. તંદુરસ્તી આપણા જીવનનો મહત્વનો ભાગ રહી છે. અને આપણે ત્યાં તો આપણા પૂર્વજોએ, આપણા સાથીઓએ વારે વારે કહ્યું છે-

વ્યાયામાત લભતે સ્વાસ્થ્યમ દીર્ઘાયુષ્યમ બલં સુખં,

આરોગ્યમ પરમં ભાગ્યમ્ સ્વાસ્થ્યમ સર્વાર્થસાધનમ્.

એટલે કે વ્યાયામથી જ સ્વાસ્થ્ય, લાંબી ઉંમર, શક્તિ અને સુખની પ્રાપ્તિ થાય છે. નિરોગી રહેવું એ સર્વશ્રેષ્ઠ ભાગ્ય છે અને સ્વાસ્થ્ય દ્વારા અન્ય બધા જ કાર્યો સિદ્ધ થાય છે. પરંતુ સમય જતા જતા પરિભાષાઓ બદલાઈ ગઈ- પહેલા આપણને શીખવાડવામાં આવતું હતું, આપણને સાંભળવા મળતું હતું કે સ્વાસ્થ્ય વડે જ બધા કાર્ય સિદ્ધ થાય છે, હવે સાંભળવા મળે છે કે સ્વાર્થ વડે જ બધા કાર્ય સિદ્ધ થાય છે. અને એટલા માટે આ સ્વાર્થ ભાવને સ્વાસ્થ્ય ભાવ સુધી ફરીથી પાછા લઇ જવાનો એક સામુહિક પ્રયાસ જરૂરી થઇ પડ્યો છે.

સાથીઓ,

હું જાણું છું કે કેટલાક લોકો એવું વિચારી રહ્યા હશે કે તંદુરસ્તી જરૂરી છે એ તો અમને પણ ખબર છે, તો પછી અચાનક આ પ્રકારની અભિયાનની જરૂર શા માટે છે? સાથીઓ, જરૂર છે અને આજે કદાચ ખૂબ જ વધારે જરૂર છે. તંદુરસ્તી આપણા જીવનની રીતભાતો, આપણી રહેણીકરણીનું અભિન્ન અંગ રહી છે પરંતુ એ પણ સત્ય છે કે સમયની સાથે તંદુરસ્તીને લઇને આપણા સમાજ જીવનમાં, આપણા સમાજમાં એક ઉદાસીનતા આવી ગઈ છે.

સમય કઈ રીતે બદલાયો છે, તેનું એક ઉદાહરણ હું તમને આપું છું. કેટલાક દાયકાઓ પહેલા સુધી એક સામાન્ય વ્યક્તિ એક દિવસમાં 8-10 કિલોમીટર પગે ચાલીને જતો હતો, કેટલાક એકાદ કલાક સુધી સાયકલ ચલાવી લેતા હતા, ક્યારેક બસ પકડવા માટે ભાગતા હતા. એટલે કે જીવનમાં શારીરિક ગતિવિધિ સહજ થયા કરતી હતી. પછી ધીમે ધીમે ટેકનોલોજી બદલાઈ, આધુનિક સાધનો આવ્યા અને વ્યક્તિનું પગે ચાલવાનું ઓછું થઇ ગયું. શારીરિક પ્રવૃત્તિ ઓછી થઇ ગઈ. અને હવે સ્થિતિ શું છે? ટેકનોલોજીએ આપણી એવી હાલત કરી નાખી છે કે આપણે ચાલીએ છીએ ઓછું અને તે જ ટેકનોલોજી આપણને ગણી ગણીને બતાવે છે કે આજે તમે આટલા પગલા ચાલ્યા, હજુ 5 હજાર પગલા નથી થયા, 2 હજાર પગલા નથી થયા, અને આપણે મોબાઇલ ફોન જોતા રહીએ છીએ. અહિં ઉપસ્થિત તમારામાંથી કેટલા લોકો 5 હજાર, 10 હજાર પગલાવાળું આ કામ કરો છો? કેટલાય લોકો હશે જેમણે આ પ્રકારની ઘડિયાળ પહેરી હશે અથવા મોબાઇલ ફોન પર એપ નાખીને રાખી હશે. મોબાઇલ પર ચેક કરતા રહે છે કે આજે કેટલા પગલા થયા.

સાથીઓ,

તમારામાંથી ઘણા લોકો સજાગ છો, સતર્ક છો પરંતુ દેશમાં ઘણી મોટી સંખ્યા એવા લોકોની પણ છે કે જેઓ પોતાના જીવનમાં એટલા વ્યસ્ત છે કે પોતાના સ્વાસ્થ્ય તરફ ધ્યાન જ નથી આપી શકતા. તેમાંથી કેટલાક લોકો તો એના કરતા પણ વિશેષ છે. અને તમે જોયું હશે કે કેટલીક ચીજવસ્તુઓ ફેશન સ્ટેટમેન્ટ થઇ જાય છે. અને એટલા માટે તંદુરસ્તીની જરા વાત કરવી મિત્રોમાં- ભોજનના ટેબલ પર બેઠા છે, ભરપુર ખાઈ રહ્યા છે, જરૂર કરતા બમણું ખાઈ ચૂક્યા છે અને ખૂબ આરામથી ડાયેટિંગની ચર્ચા કરી રહ્યા છે. મહિનામાં ઓછામાં ઓછા દસ દિવસ તમને આવો અનુભવ થતો હશે કે તમે ભોજનના ટેબલ પર બેઠા છો, ભરપુર ખાઈ રહ્યા છો અને ખૂબ મોજથી ડાયેટિંગ પર સરસ સરસ ઉપદેશ આપી રહ્યા છો. એટલે કે આવા લોકો જોશમાં આવીને વાતો પણ કરે છે અને તેની સાથે જોડાયેલા ગેજેટ્સ પણ ખરીદતા રહે છે. અને તેમને ધ્યાનમાં રહે છે કે આવું કોઈ ગેજેટ્સ નવું આવ્યું હશે, કદાચ મારી તંદુરસ્તી સારી થઇ જાય. અને તમે જોયું હશે, ઘરમાં તો બહુ મોટું જીમ બનાવીને રાખ્યું હશે, તંદુરસ્તી માટે બધું જ હશે પરંતુ તેની સફાઈ માટે પણ નોકર રાખવા પડે છે કારણકે ક્યારેય જતા જ નથી અને થોડા દિવસો પછી તે સામાન ઘરના સૌથી ખૂણાવાળા ઓરડામાં મૂકી દેવામાં આવે છે. લોકો મોબાઇલ પર ફિટનેસવાળી એપ પણ ડાઉનલોડ કરવામાં સૌથી આગળ રહેતા હોય છે, પરંતુ કેટલાક દિવસ બાદ તે એપને જોતા પણ નથી, એટલે કે જેવા હતા એવા ને એવા જ.

મારો જન્મ ગુજરાતમાં થયો. અમારે ત્યાં ગુજરાતમાં એક જ્યોતીન્દ્ર ભાઈ દવે કરીને એક બહુ ઉત્તમ પ્રકારના હાસ્ય લેખક હતા. વ્યંગ લખતા હતા અને ખૂબ રસપ્રદ લખતા હતા. અને મોટા ભાગે તેઓ પોતાના પર જ વ્યંગ લખતા હતા. સારું, તેમના શરીરનું જે વર્ણન કરતા – તેઓ કહેતા હતા કે હું ક્યાંક ઉભો રહું છું, દીવાલની પાસે ઉભો છું તો લોકોને લાગે છે કે હેન્ગર પર કેટલાક કપડા ટીંગાયેલ છે, એટલે કે તેઓ એટલા દુબળા હતા કે એવું લાગતું હતું કે જાણે હેન્ગર પર કપડા લટકેલા છે, તો કોઈ માનવા તૈયાર જ નહોતું થતું કે હું કોઈ માણસ ત્યાં ઉભેલો છું. પછી તેઓ લખતા હતા કે હું ઘરેથી નીકળું છું તો મારા ખિસ્સામાં પથ્થર ભરીને ચાલુ છું. તેઓ કોટ પહેરતા હતા, બધા જ ખિસ્સામાં પથ્થર ભરતા હતા. તો લોકોને લાગતું હતું કે કદાચ હું હિંસા કરી નાખીશ, મારી દઈશ કોઈને. તો લોકો મને પૂછતાં હતા – આટલા બધા પથ્થર લઇને કેમ ચાલો છો? તો તેમણે કહ્યું કે મને બીક લાગે છે કે ક્યાંક હવા આવે અને હું ઉડી ન જાઉં. આવી બહુ મજેદાર વસ્તુઓ લખતા હતા. એકવાર કોઈએ તેમને કહ્યું કે પથ્થર-બથ્થર લઈને ફર્યા કરતા તમે જરા વ્યાયામ કરતા રહો, વ્યાયામશાળામાં જાવ. તો તેમણે તે સજ્જનને પૂછ્યું કે કેટલો વ્યાયામ કરવો જોઈએ, તો કહે બસ પરસેવો વળી જાય એટલો તો શરુ કરો પહેલા. વ્યાયામશાળામાં જાવ અને પરસેવો આવી જાય, તેટલો તો કરો. તો કહે- સારું, કાલથી જઈશ. તો બીજા દિવસે કહે- હું વ્યાયામશાળામાં પહોંચી ગયો અને આ જે આપણા કુશ્તીબાજો હોય છે, તે લોકો અખાડામાં પોતાની કુશ્તી કરી રહ્યા હતા. કહે – જઈને હું તો જોવા લાગ્યો અને જોત જોતામાં જ મારો પરસેવો છૂટી ગયો તો મને લાગ્યું કે મારી કસરત થઇ ગઈ. એટલે કે આ વાત હસવાની જરૂર છે, મજાક પોતાની જગ્યાએ છે પરંતુ સ્વાસ્થ્યની માટે સારું પણ છે, પણ કેટલીક ચિંતાઓ આના કરતા પણ વધુ મોટી છે.

આજે ભારતમાં ડાયાબિટીસ, હાયપરટેન્શન જેવા અનેક જીવન શૈલીને લગતા રોગો વધતા જઈ રહ્યા છે. ક્યારેક ક્યારેક તો સાંભળવા મળે છે કે પરિવારમાં 12-15 વર્ષનું બાળક ડાયાબિટીસનું દર્દી બની ગયું છે. તમારી આસપાસ જુઓ, તો તમને અનેક લોકો તેનાથી પીડિત જોવા મળી જશે.પહેલા આપણે સાંભળતા હતા કે 50-60ની ઉંમર પછી હૃદય રોગનો ખતરો વધી જાય છે, પરંતુ આજે ક્યારેક-ક્યારેક સમાચાર આવે છે ૩૦ વર્ષ, 35 વર્ષ, 40 વર્ષનો નવયુવાન દીકરા-દીકરી જતા રહ્યા, હૃદય રોગના હુમલા આવી રહ્યા છે. આ સ્થિતિ વાસ્તવમાં ખૂબ ચિંતાજનક છે, પરંતુ આ બધી જ સ્થિતિઓમાં પણ આશાનું એક કિરણ પણ છે. હવે તમે વિચારશો કે આ બીમારીઓની વચ્ચે પણ આશાના એક કિરણની વાત કઈ રીતે કહી રહ્યો છું. હું સ્વભાવથી ખૂબ જ હકારાત્મક વિચારધારા ધરાવનાર માણસ છું. એટલા માટે હું તેમાંથી પણ કઈક સારી વસ્તુ શોધી કાઢું છું.

સાથીઓ,

જીવનશૈલીને લગતા રોગો થઇ રહ્યા છે, અનિયંત્રિત જીવનશૈલીના કારણે. હવે જીવનશૈલીને લગતા રોગોને આપણે જીવન શૈલીમાં પરિવર્તન લાવીને, તેમાં બદલાવ લાવીને, તેને સરખા પણ કરી શકીએ છીએ. તમામ એવી બીમારીઓ છે જેમને આપણા દૈનિક જીવનમાં નાના નાના પરિવર્તનો લાવીને, પોતાની જીવન શૈલીમાં બદલાવ કરીને તેનાથી આપણે બચી શકીએ છીએ, તેને દૂર રાખી શકીએ છીએ. આ પરિવર્તનો માટે દેશને પ્રેરિત કરવાનું નામ જ ફિટ ઇન્ડિયા અભિયાન છે. અને આ કોઈ સરકારી અભિયાન નથી. સરકાર તો એક ઉત્સેચક ઘટકના રૂપમાં આ વિષયને આગળ વધારશે, પરંતુ એક રીતે દરેક પરીવારનું લક્ષ્ય બનવું જોઈએ, તે દરેક પરિવારની ચર્ચાનો વિષય બનવો જોઈએ. જો વેપારી દર મહીને હિસાબ કરે છે કેટલી કમાણી કરી, શિક્ષણમાં રૂચી ધરાવનાર પરિવારોમાં ચર્ચા થાય છે સંતાનોને કેટલા માર્ક્સ આવ્યા; તે જ રીતે પરિવારની અંદર સહજ રૂપે શારીરિક શ્રમ, શારીરિક વ્યાયામ, શારીરિક તંદુરસ્તી, એ રોજબરોજની જિંદગીની ચર્ચાનો વિષય બનવા જોઈએ.

અને સાથીઓ, ભારતમાં જ અચાનક આ પ્રકારની જરૂરિયાત અનુભવાઈ હોય એવું નથી. સમયની સાથે પરિવર્તન માત્ર ભારતમાં જ આવી રહ્યું છે, એવું પણ નથી. સમગ્ર વિશ્વમાં આજે આ પ્રકારના અભિયાનોની જરૂરિયાત અનુભવાઈ રહી છે. અનેક દેશો પોતાને ત્યાં તંદુરસ્તી પ્રત્યે જાગૃતિ વધારવા માટે મોટા મોટા અભિયાનો ચલાવી રહ્યા છે. આપણા પાડોશમાં ચીન-તંદુરસ્ત ચીન 2030, તેનાપર મિશન મોડમાં કામ કરી રહ્યું છે. એટલે કે 20૩૦ સુધી ચીનનો દરેક નાગરિક તંદુરસ્ત હોય, તેના માટે તેમણે આખું સમયપત્રક બનાવ્યું છે. એ જ રીતે ઓસ્ટ્રેલિયા પોતાના નાગરિકોની શારીરિક પ્રવૃત્તિ વધારવા અને શીથીલતા એટલે કે આળસ જે છે, કઈ કરવાનું નહી, તે સ્વભાવને બદલવા માટે તેમણે લક્ષ્ય નિર્ધારિત કર્યું છે કે 20૩૦ સુધી દેશના 15 ટકા નાગરિકોને આળસમાંથી બહાર કાઢીને તંદુરસ્તી માટે, સક્રિયતા માટે અમે કામ કરીશું. બ્રિટનમાં જોર-શોરથી અભિયાન ચાલી રહ્યું છે કે 2020 સુધી પાંચ લાખ નવા લોકો રોજની કસરતના દૈનિક ક્રમ સાથે જોડાય, તેમણે આવું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. અમેરિકા 2021 સુધી પોતાના એક હજાર શહેરોને ફ્રિ ફિટનેસ અભિયાન સાથે જોડવાનું કામ કરી રહ્યું છે. જર્મનીમાં પણ ફિટ ઇનસ્ટેડ ઓફ ફેટ, તેનું બહુ મોટું અભિયાન ચાલી રહ્યું છે.

સાથીઓ, મે તમને માત્ર કેટલાક જ દેશોના નામ ગણાવ્યા છે. અનેક દેશ ઘણા લાંબા સમયથી આનાપર કામ શરુ કરી ચુક્યા છે. આ બધા જ દેશોમાં લોકો તંદુરસ્તીના મહત્વને સમજે છે, પરંતુ તેમ છતાં તેમણે પોતાને ત્યાં એક વિશેષ અભિયાન શરુ કર્યું છે. જરા વિચારો – આખરે શા માટે? કારણ કે માત્ર કેટલાક લોકોના તંદુરસ્ત રહેવાથી નહી પરંતુ સમગ્ર દેશ તંદુરસ્ત રહેવાથી જ દેશનો ફાયદો થશે. નવા ભારતનો દરેક નાગરિક તંદુરસ્ત રહે, પોતાની ઊર્જા બીમારીઓના ઈલાજમાં નહી પરંતુ પોતાની જાતને આગળ વધારવામાં, પોતાના પરિવાર, પોતાના દેશને આગળ વધારવામાં લગાવે, તે દિશામાં આપણે આગળ વધવાનું છે.

સાથીઓ,

જીવનમાં જ્યારે તમે એક લક્ષ્ય નિર્ધારિત કરી લો છો તો તે લક્ષ્યને અનુરૂપ જ આપણું જીવન ઘડાવાનું શરુ થઇ જાય છે. જીવન ઢળી જાય છે, આપણી આદતો એવી બની જાય છે, આપણી દિનચર્યા તેવી બની જાય છે. આપણને સવારે આઠ વાગે ઉઠવાની આદત હોય, પરંતુ ક્યારેક સવારે 6 વાગે જો વિમાન પકડવાનું છે, 6 વાગે ટ્રેન પકડવાની છે, તો આપણે ઉઠીએ જ છીએ, તૈયાર થઇને જઈએ જ છીએ. કોઈ વિદ્યાર્થીએ જો એવું નક્કી કરી લીધું હોય કે મારે 10માં કે 12માં ધોરણના બોર્ડમાં ઓછામાં ઓછા આટલા ટકા લાવવાના જ છે, તો તમે જોયું હશે કે તે પોતાની જાતે જ, પોતાની અંદર એક બહુ મોટું પરિવર્તન લાવવાનું શરુ કરી દે છે. પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવાની ધૂનમાં તેની આળસ ખતમ થઇ જાય છે, તેનીબેસવાની ક્ષમતા વધી જાય છે, તેની એકાગ્રતા ક્ષમતા વધી જાય છે, તે મિત્રોમાં સમય ધીમે-ધીમે ઓછો કરતો જાય છે, થોડી ખાવાપીવાની આદતો ઓછી કરતો જાય છે, ટીવી જોવાનું બંધ કરી દે છે, એટલે કે જીવનને ઘડવા લાગી જાય છે કારણ કે મનમાં લક્ષ્ય થઇ ગયું છે કે મારે આ કરવાનું છે.

એ જ રીતે કોઈ જો પોતાના જીવનનું લક્ષ્ય સંપત્તિ નિર્માણ બનાવે છે તો તેનું જીવન પણ બદલાઈ જાય છે. તે ચોવીસ કલાક પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં લાગેલો રહે છે. એ જ રીતે જ્યારે જીવનમાં તંદુરસ્તી પ્રત્યે જાગૃતિ આવી જાય છે, સ્વાસ્થ્ય માટે સજાગતા આવી જાય છે, મન એકવાર નક્કી કરી લે કે ભાઈ હું બિલકુલ પણ ક્યારેય થાકીશ નહી, ક્યારેય શ્વાસ ફૂલશે નહી, ચાલવું પડશે તો ચાલીશ, દોડવું પડશે તો દોડીશ, ચડવું પડશે તો ચડીશ, રોકાઈશ નહી. તમે જુઓ, ધીમે-ધીમે તમારા જીવનની દીનચર્યા પણ એ જ રીતની બનવાની શરુ થઇ જશે. અને પછી એવી વસ્તુઓ કે જે શરીરને નુકસાન કરે છે, તેનાથી તે વ્યક્તિ દૂર રહે છે કારણ કે તેની અંદર એક ચેતના આવી જાય છે, જાગૃત થઇ જાય છે. જેમ કે તે ડ્રગ્સની પકડમાં ક્યારેય નહી આવે, તેના માટે ક્યારેય ડ્રગ્સ કુલ નહી હોય, સ્ટાઈલ સ્ટેટમેન્ટ નહી બને.

સાથીઓ,

સ્વામી વિવેકાનંદજી પણ કહેતા હતા કે જો જીવનમાં ઉદ્દેશ્ય હોય, સંપૂર્ણ જોશની સાથે તેના માટે કામ કરવામાં આવે તો સારું સ્વાસ્થ્ય, સુખ સમૃદ્ધિ તેના પેટા પેદાશોના રૂપમાં તમારા જીવનમાં આવી જાય છે. પોતાના જીવનના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે આપણી અંદર એક ઝનૂન, એક ઈચ્છાશક્તિ, એક ધૂન સવાર થયેલી હોવી પણ એટલી જ જરૂરી છે. જ્યારે એક ઉદ્દેશ્યની સાથે, ઝનૂનની સાથે આપણે કામ કરીએ છીએ, આગળ વધીએ છીએ તો સફળતા આપણા પગ પખારવા માટે તૈયાર થઇ જાય છે. અને સફળતા પર તમે તે કહેવત તો સાંભળી જ હશે – સફળતાની કોઈ લીફ્ટ નથી હોતી, તમારે સીડી ચડવી જ પડશે. એટલે કે કહેવતમાં પણ તમને સીડીના પગથીયા ચડવા માટે જ કહેવામાં આવ્યું છે. પગથીયા તો તમે ત્યારે જ ચઢી શકશો ને જ્યારે તંદુરસ્ત હશો, નહિતર લીફ્ટ બંધ થઇ ગઈ તો વિચારશો યાર આજે નહી જઈએ, કોણ ચોથા માળે છેક જાય.

ભાઈઓ અને બહેનો,

સફળતા અને તંદુરસ્તીનો સંબંધ પણ એક બીજા સાથે જોડાયેલો છે. આજે તમે કોઇપણ ક્ષેત્રમાં જુઓ, તેના આદર્શ વ્યક્તિઓને જુઓ, તેમની સફળતાની ગાથાને જુઓ, પછી તે ખેલકૂદમાં હોય, ફિલ્મોમાં હોય, વ્યવસાયમાં હોય, તેમાંથી મોટાભાગના તંદુરસ્ત છે. આ માત્ર સંયોગ નથી. જો તમે તેમની જીવનશૈલીના વિષયમાં વાંચશો તો જાણવા મળશે કે એક વસ્તુ, તે દરેક વ્યક્તિમાં સામાન્ય છે. સફળ લોકોની સામાન્ય નિશાની છે – તંદુરસ્તી પર તેમનું ધ્યાન, તંદુરસ્તી પર તેમનો ભરોસો. તમે ઘણા બધા ડોકટરોને પણ જોયા હશે. ઘણા વિખ્યાત હોય છે અને દિવસમાં 10-10, 12-12 કલાક અનેક દર્દીઓના ઓપરેશન કરતા હોય છે. ઘણા બધા ઉદ્યમીઓ સવારે એક મીટીંગ એક શહેરમાં કરે છે, બીજી મીટીંગ બીજા શહેરમાં કરે છે, તેમના ચહેરા પર એક કરચલી પણ જોવા નથી મળતી. તેટલી જ સજાગતા સાથે કામ કરે છે. તમે કોઇપણ વ્યવસાયમાં હોવ, તમારે તમારા વ્યવસાયમાં અસરકારકતા લાવવી છે તો માનસિક અને શારીરિક તંદુરસ્તી ખૂબ જ જરૂરી છે. પછી તે બોર્ડરૂમ હોય કે બોલીવુડ, જે તંદુરસ્ત છે તે આકાશને આંબી શકે છે. શરીર સ્વસ્થ છે તો મન પણ સ્વસ્થ છે.

સાથીઓ,

જ્યારે તંદુરસ્તી તરફ આપણે ધ્યાન આપીએ છીએ, આપણે સ્વસ્થતા પર ધ્યાન આપતા પોતાની જાતને તંદુરસ્ત કરવાનો પ્રયાસ કરીએ છીએ, તો તેનાથી આપણને આપણા શરીરને સમજવાનો અવસર પણ મળે છે. તે આશ્ચર્યની વાત છે, પરંતુ આપણે આપણા શરીરના વિષયમાં, આપણી શક્તિ, આપણી નબળાઈઓના વિષયમાં બહુ ઓછું જાણીએ છીએ. એટલા માટે જ્યારે આપણે તંદુરસ્તીની આપણી યાત્રા પર નીકળીએ છીએ તો આપણા શરીરને સારી રીતે સમજવાનું શરુ કરીએ છીએ. અને મેં એવા અનેક લોકોને જોયા છે જેમણે આમ જ પોતાના શરીરની શક્તિને જાણી છે, ઓળખી છે. તેનાથી તેમનો આત્મવિશ્વાસ પણ વધ્યો છે, જેનાથી એક વધુ સારા વ્યક્તિત્વના નિર્માણમાં તેમને મદદ મળી છે.

સાથીઓ,

ફિટ ઇન્ડિયા અભિયાન ભલે સરકારે શરુ કર્યું છે પરંતુ તેનું નેતૃત્વ આપ સૌએ જ કરવાનું છે. દેશની જનતા જ આ અભિયાનને આગળ વધારશે અને સફળતાના શિખર પર પહોંચાડશે. હું મારા અંગત અનુભવ પરથી કહી શકું છું કે તેમાં રોકાણ શૂન્ય છે, પરંતુ વળતર અસીમિત છે.

અહિયાં મંચ પર માનવ સંસાધન વિકાસ મંત્રી, ગ્રામીણ વિકાસ મંત્રી પણ છે. મારો તેમને વિશેષ આગ્રહ છે કે દેશના દરેક ગામમાં, દેશની દરેક પંચાયતમાં, દેશની દરેક શાળામાં આ અભિયાન પહોંચવું જોઈએ. આ અભિયાન માત્ર એક મંત્રાલયનું જ નથી, માત્ર સરકારનું જ નથી, આ સરકાર ભલે કેન્દ્રની હોય, કે રાજ્યની હોય, કે નગર પાલિકા હોય, પંચાયત હોય, કોઇપણ દળ હોય, કોઈ પણ વિચારધારા હોય, તંદુરસ્તીના સંબંધમાં કોઈને કોઈ પણ સમસ્યા ના હોવી જોઈએ. આખો દેશ, દરેક પરિવાર આના પર જોર આપે. હમણાં આપણે કાર્યક્રમમાં જોયું, આપણે ત્યાં તંદુરસ્તીની સાથે-સાથે વીરતાનું પણ મહત્વ છે, પરંતુ દુર્ભાગ્યે મર્યાદિત વિચારધારાના કારણે, સંપૂર્ણ વિચારશક્તિના અભાવને કારણે આપણે આપણી મહાન પરંપરાઓની ગાડીને એવી તો પાટા પરથી ઉતારી નાખી છે, જેમ કે ક્યારેક આપણે ત્યાં જે 60-70-80 વર્ષની ઉંમરના લોકો હશે, જ્યારે તેઓ શાળામાં ભણતા હતા તો ત્યારે તલવારનો ‘ત’ ભણાવવામાં આવતો હતો. ‘ત’ તલવારનો ‘ત’. પછીથી કેટલાક બુદ્ધિમાન લોકોએ વિવાદ ઉભો કર્યો, મર્યાદિત વિચારધારાનું પરિણામ હતું કે ભાઈ તલવાર બાળકોને ભણાવવાથી તેમની અંદર હિંસક મનોવૃત્તિ આવે છે. તો શું કરીએ, તો તલવારને કાઢી નાખો, ‘ત’ તરબૂચનો ‘ત’ ભણાવો. એટલે કે આપણે કઈ રીતે મનોવૈજ્ઞાનિક રૂપે પણ આપણી મહાન પરંપરાઓમાંથી વીરતાને પણ, શારીરિક સામર્થ્યને પણ, તંદુરસ્તીને પણ બહુ ઊંડી ઈજા પહોંચાડી છે.

અને એટલા માટે હું ઈચ્છીશ કે દરેક પ્રકારે આપણે તંદુરસ્તીને એક ઉત્સવના રૂપમાં, જીવનના એક ભાગના રૂપમાં, પરિવારની સફળતાના જેટલા પણ માપદંડો હોય, તેમાં તંદુરસ્તી પણ પરિવારની સફળતાનો એક માપદંડ હોવો જોઈએ. વ્યક્તિના જીવનની સફળતાઓમાં પણ તંદુરસ્તી તેનો પણ એક માપદંડ હોવો જોઈએ. જો આ ભાવને લઈને આપણે ચાલીએ છીએ અને રાજ્ય સરકારો હોય, હું તેમને પણ કહીશ કે ફિટ ઇન્ડિયા અભિયાનને વધુમાં વધુ વિસ્તાર આપવા, તેને દેશના દૂર-સુદૂરના ક્ષેત્રોમાં પહોંચાડવા માટે દરેક વ્યક્તિ આગળ આવે. પોતાની શાળાઓમાં, પોતાની કચેરીઓમાં, પોતાના રાજ્યના લોકોમાં તંદુરસ્તી માટે જાગૃતતા વધારીને, તેમના માટે જરૂરી સંસાધનો એકઠા કરીને આપણે વધુમાં વધુ લોકોને દરરોજ પોતાનો થોડો સમય તંદુરસ્તીને આપવા માટે પ્રેરિત કરવા પડશે. સ્વસ્થ વ્યક્તિ, સ્વસ્થ પરિવાર અને સ્વસ્થ સમાજ, એ જ નવા ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવાનો રસ્તો છે. જેમ તમે સ્વચ્છ ભારત અભિયાનને તમારા જીવનનો હિસ્સો બનાવ્યું છે, તે જ રીતે ફિટ ઇન્ડિયા અભિયાનને પણ તમારા જીવનનો હિસ્સો બનાવવાનું છે.

આવો, તમે આજે એ સંકલ્પ લો, એ પ્રતિજ્ઞા લો કે તમે પોતે પણ તંદુરસ્ત રહેશો, તમારા પરિવાર, મિત્રો, પડોશીઓ અને જેમને પણ તમે જાણો છો, તે સૌને તંદુરસ્ત રહેવા માટે પ્રોત્સાહિત કરશો. હું તંદુરસ્ત તો ભારત તંદુરસ્ત.

એ જ એક આગ્રહની સાથે એક વાર ફરી આ અભિયાનની માટે દેશવાસીઓને મારી અનેક અનેક શુભકામનાઓ છે અને સમાજના દરેક તબક્કામાં નેતૃત્વ કરનારા લોકોને મારો આગ્રહ છે કે તમે આગળ આવો, આ અભિયાનને વેગ આપો, સમાજના સ્વસ્થ હોવામાં તમે પણ ભાગીદાર બનો. એ જ એક અપેક્ષાની સાથે, અનેક અનેક શુભકામનાઓની સાથે આપ સૌનો ખૂબખૂબ આભાર!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'Will walk shoulder to shoulder': PM Modi pushes 'Make in India, Partner with India' at Russia-India forum

Media Coverage

'Will walk shoulder to shoulder': PM Modi pushes 'Make in India, Partner with India' at Russia-India forum
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Today, India is becoming the key growth engine of the global economy: PM Modi
December 06, 2025
India is brimming with confidence: PM
In a world of slowdown, mistrust and fragmentation, India brings growth, trust and acts as a bridge-builder: PM
Today, India is becoming the key growth engine of the global economy: PM
India's Nari Shakti is doing wonders, Our daughters are excelling in every field today: PM
Our pace is constant, Our direction is consistent, Our intent is always Nation First: PM
Every sector today is shedding the old colonial mindset and aiming for new achievements with pride: PM

आप सभी को नमस्कार।

यहां हिंदुस्तान टाइम्स समिट में देश-विदेश से अनेक गणमान्य अतिथि उपस्थित हैं। मैं आयोजकों और जितने साथियों ने अपने विचार रखें, आप सभी का अभिनंदन करता हूं। अभी शोभना जी ने दो बातें बताई, जिसको मैंने नोटिस किया, एक तो उन्होंने कहा कि मोदी जी पिछली बार आए थे, तो ये सुझाव दिया था। इस देश में मीडिया हाउस को काम बताने की हिम्मत कोई नहीं कर सकता। लेकिन मैंने की थी, और मेरे लिए खुशी की बात है कि शोभना जी और उनकी टीम ने बड़े चाव से इस काम को किया। और देश को, जब मैं अभी प्रदर्शनी देखके आया, मैं सबसे आग्रह करूंगा कि इसको जरूर देखिए। इन फोटोग्राफर साथियों ने इस, पल को ऐसे पकड़ा है कि पल को अमर बना दिया है। दूसरी बात उन्होंने कही और वो भी जरा मैं शब्दों को जैसे मैं समझ रहा हूं, उन्होंने कहा कि आप आगे भी, एक तो ये कह सकती थी, कि आप आगे भी देश की सेवा करते रहिए, लेकिन हिंदुस्तान टाइम्स ये कहे, आप आगे भी ऐसे ही सेवा करते रहिए, मैं इसके लिए भी विशेष रूप से आभार व्यक्त करता हूं।

साथियों,

इस बार समिट की थीम है- Transforming Tomorrow. मैं समझता हूं जिस हिंदुस्तान अखबार का 101 साल का इतिहास है, जिस अखबार पर महात्मा गांधी जी, मदन मोहन मालवीय जी, घनश्यामदास बिड़ला जी, ऐसे अनगिनत महापुरूषों का आशीर्वाद रहा, वो अखबार जब Transforming Tomorrow की चर्चा करता है, तो देश को ये भरोसा मिलता है कि भारत में हो रहा परिवर्तन केवल संभावनाओं की बात नहीं है, बल्कि ये बदलते हुए जीवन, बदलती हुई सोच और बदलती हुई दिशा की सच्ची गाथा है।

साथियों,

आज हमारे संविधान के मुख्य शिल्पी, डॉक्टर बाबा साहेब आंबेडकर जी का महापरिनिर्वाण दिवस भी है। मैं सभी भारतीयों की तरफ से उन्हें श्रद्धांजलि अर्पित करता हूं।

Friends,

आज हम उस मुकाम पर खड़े हैं, जब 21वीं सदी का एक चौथाई हिस्सा बीत चुका है। इन 25 सालों में दुनिया ने कई उतार-चढ़ाव देखे हैं। फाइनेंशियल क्राइसिस देखी हैं, ग्लोबल पेंडेमिक देखी हैं, टेक्नोलॉजी से जुड़े डिसरप्शन्स देखे हैं, हमने बिखरती हुई दुनिया भी देखी है, Wars भी देख रहे हैं। ये सारी स्थितियां किसी न किसी रूप में दुनिया को चैलेंज कर रही हैं। आज दुनिया अनिश्चितताओं से भरी हुई है। लेकिन अनिश्चितताओं से भरे इस दौर में हमारा भारत एक अलग ही लीग में दिख रहा है, भारत आत्मविश्वास से भरा हुआ है। जब दुनिया में slowdown की बात होती है, तब भारत growth की कहानी लिखता है। जब दुनिया में trust का crisis दिखता है, तब भारत trust का pillar बन रहा है। जब दुनिया fragmentation की तरफ जा रही है, तब भारत bridge-builder बन रहा है।

साथियों,

अभी कुछ दिन पहले भारत में Quarter-2 के जीडीपी फिगर्स आए हैं। Eight परसेंट से ज्यादा की ग्रोथ रेट हमारी प्रगति की नई गति का प्रतिबिंब है।

साथियों,

ये एक सिर्फ नंबर नहीं है, ये strong macro-economic signal है। ये संदेश है कि भारत आज ग्लोबल इकोनॉमी का ग्रोथ ड्राइवर बन रहा है। और हमारे ये आंकड़े तब हैं, जब ग्लोबल ग्रोथ 3 प्रतिशत के आसपास है। G-7 की इकोनमीज औसतन डेढ़ परसेंट के आसपास हैं, 1.5 परसेंट। इन परिस्थितियों में भारत high growth और low inflation का मॉडल बना हुआ है। एक समय था, जब हमारे देश में खास करके इकोनॉमिस्ट high Inflation को लेकर चिंता जताते थे। आज वही Inflation Low होने की बात करते हैं।

साथियों,

भारत की ये उपलब्धियां सामान्य बात नहीं है। ये सिर्फ आंकड़ों की बात नहीं है, ये एक फंडामेंटल चेंज है, जो बीते दशक में भारत लेकर आया है। ये फंडामेंटल चेंज रज़ीलियन्स का है, ये चेंज समस्याओं के समाधान की प्रवृत्ति का है, ये चेंज आशंकाओं के बादलों को हटाकर, आकांक्षाओं के विस्तार का है, और इसी वजह से आज का भारत खुद भी ट्रांसफॉर्म हो रहा है, और आने वाले कल को भी ट्रांसफॉर्म कर रहा है।

साथियों,

आज जब हम यहां transforming tomorrow की चर्चा कर रहे हैं, हमें ये भी समझना होगा कि ट्रांसफॉर्मेशन का जो विश्वास पैदा हुआ है, उसका आधार वर्तमान में हो रहे कार्यों की, आज हो रहे कार्यों की एक मजबूत नींव है। आज के Reform और आज की Performance, हमारे कल के Transformation का रास्ता बना रहे हैं। मैं आपको एक उदाहरण दूंगा कि हम किस सोच के साथ काम कर रहे हैं।

साथियों,

आप भी जानते हैं कि भारत के सामर्थ्य का एक बड़ा हिस्सा एक लंबे समय तक untapped रहा है। जब देश के इस untapped potential को ज्यादा से ज्यादा अवसर मिलेंगे, जब वो पूरी ऊर्जा के साथ, बिना किसी रुकावट के देश के विकास में भागीदार बनेंगे, तो देश का कायाकल्प होना तय है। आप सोचिए, हमारा पूर्वी भारत, हमारा नॉर्थ ईस्ट, हमारे गांव, हमारे टीयर टू और टीय़र थ्री सिटीज, हमारे देश की नारीशक्ति, भारत की इनोवेटिव यूथ पावर, भारत की सामुद्रिक शक्ति, ब्लू इकोनॉमी, भारत का स्पेस सेक्टर, कितना कुछ है, जिसके फुल पोटेंशियल का इस्तेमाल पहले के दशकों में हो ही नहीं पाया। अब आज भारत इन Untapped पोटेंशियल को Tap करने के विजन के साथ आगे बढ़ रहा है। आज पूर्वी भारत में आधुनिक इंफ्रास्ट्रक्चर, कनेक्टिविटी और इंडस्ट्री पर अभूतपूर्व निवेश हो रहा है। आज हमारे गांव, हमारे छोटे शहर भी आधुनिक सुविधाओं से लैस हो रहे हैं। हमारे छोटे शहर, Startups और MSMEs के नए केंद्र बन रहे हैं। हमारे गाँवों में किसान FPO बनाकर सीधे market से जुड़ें, और कुछ तो FPO’s ग्लोबल मार्केट से जुड़ रहे हैं।

साथियों,

भारत की नारीशक्ति तो आज कमाल कर रही हैं। हमारी बेटियां आज हर फील्ड में छा रही हैं। ये ट्रांसफॉर्मेशन अब सिर्फ महिला सशक्तिकरण तक सीमित नहीं है, ये समाज की सोच और सामर्थ्य, दोनों को transform कर रहा है।

साथियों,

जब नए अवसर बनते हैं, जब रुकावटें हटती हैं, तो आसमान में उड़ने के लिए नए पंख भी लग जाते हैं। इसका एक उदाहरण भारत का स्पेस सेक्टर भी है। पहले स्पेस सेक्टर सरकारी नियंत्रण में ही था। लेकिन हमने स्पेस सेक्टर में रिफॉर्म किया, उसे प्राइवेट सेक्टर के लिए Open किया, और इसके नतीजे आज देश देख रहा है। अभी 10-11 दिन पहले मैंने हैदराबाद में Skyroot के Infinity Campus का उद्घाटन किया है। Skyroot भारत की प्राइवेट स्पेस कंपनी है। ये कंपनी हर महीने एक रॉकेट बनाने की क्षमता पर काम कर रही है। ये कंपनी, flight-ready विक्रम-वन बना रही है। सरकार ने प्लेटफॉर्म दिया, और भारत का नौजवान उस पर नया भविष्य बना रहा है, और यही तो असली ट्रांसफॉर्मेशन है।

साथियों,

भारत में आए एक और बदलाव की चर्चा मैं यहां करना ज़रूरी समझता हूं। एक समय था, जब भारत में रिफॉर्म्स, रिएक्शनरी होते थे। यानि बड़े निर्णयों के पीछे या तो कोई राजनीतिक स्वार्थ होता था या फिर किसी क्राइसिस को मैनेज करना होता था। लेकिन आज नेशनल गोल्स को देखते हुए रिफॉर्म्स होते हैं, टारगेट तय है। आप देखिए, देश के हर सेक्टर में कुछ ना कुछ बेहतर हो रहा है, हमारी गति Constant है, हमारी Direction Consistent है, और हमारा intent, Nation First का है। 2025 का तो ये पूरा साल ऐसे ही रिफॉर्म्स का साल रहा है। सबसे बड़ा रिफॉर्म नेक्स्ट जेनरेशन जीएसटी का था। और इन रिफॉर्म्स का असर क्या हुआ, वो सारे देश ने देखा है। इसी साल डायरेक्ट टैक्स सिस्टम में भी बहुत बड़ा रिफॉर्म हुआ है। 12 लाख रुपए तक की इनकम पर ज़ीरो टैक्स, ये एक ऐसा कदम रहा, जिसके बारे में एक दशक पहले तक सोचना भी असंभव था।

साथियों,

Reform के इसी सिलसिले को आगे बढ़ाते हुए, अभी तीन-चार दिन पहले ही Small Company की डेफिनीशन में बदलाव किया गया है। इससे हजारों कंपनियाँ अब आसान नियमों, तेज़ प्रक्रियाओं और बेहतर सुविधाओं के दायरे में आ गई हैं। हमने करीब 200 प्रोडक्ट कैटगरीज़ को mandatory क्वालिटी कंट्रोल ऑर्डर से बाहर भी कर दिया गया है।

साथियों,

आज के भारत की ये यात्रा, सिर्फ विकास की नहीं है। ये सोच में बदलाव की भी यात्रा है, ये मनोवैज्ञानिक पुनर्जागरण, साइकोलॉजिकल रेनसां की भी यात्रा है। आप भी जानते हैं, कोई भी देश बिना आत्मविश्वास के आगे नहीं बढ़ सकता। दुर्भाग्य से लंबी गुलामी ने भारत के इसी आत्मविश्वास को हिला दिया था। और इसकी वजह थी, गुलामी की मानसिकता। गुलामी की ये मानसिकता, विकसित भारत के लक्ष्य की प्राप्ति में एक बहुत बड़ी रुकावट है। और इसलिए, आज का भारत गुलामी की मानसिकता से मुक्ति पाने के लिए काम कर रहा है।

साथियों,

अंग्रेज़ों को अच्छी तरह से पता था कि भारत पर लंबे समय तक राज करना है, तो उन्हें भारतीयों से उनके आत्मविश्वास को छीनना होगा, भारतीयों में हीन भावना का संचार करना होगा। और उस दौर में अंग्रेजों ने यही किया भी। इसलिए, भारतीय पारिवारिक संरचना को दकियानूसी बताया गया, भारतीय पोशाक को Unprofessional करार दिया गया, भारतीय त्योहार-संस्कृति को Irrational कहा गया, योग-आयुर्वेद को Unscientific बता दिया गया, भारतीय अविष्कारों का उपहास उड़ाया गया और ये बातें कई-कई दशकों तक लगातार दोहराई गई, पीढ़ी दर पीढ़ी ये चलता गया, वही पढ़ा, वही पढ़ाया गया। और ऐसे ही भारतीयों का आत्मविश्वास चकनाचूर हो गया।

साथियों,

गुलामी की इस मानसिकता का कितना व्यापक असर हुआ है, मैं इसके कुछ उदाहरण आपको देना चाहता हूं। आज भारत, दुनिया की सबसे तेज़ी से ग्रो करने वाली मेजर इकॉनॉमी है, कोई भारत को ग्लोबल ग्रोथ इंजन बताता है, कोई, Global powerhouse कहता है, एक से बढ़कर एक बातें आज हो रही हैं।

लेकिन साथियों,

आज भारत की जो तेज़ ग्रोथ हो रही है, क्या कहीं पर आपने पढ़ा? क्या कहीं पर आपने सुना? इसको कोई, हिंदू रेट ऑफ ग्रोथ कहता है क्या? दुनिया की तेज इकॉनमी, तेज ग्रोथ, कोई कहता है क्या? हिंदू रेट ऑफ ग्रोथ कब कहा गया? जब भारत, दो-तीन परसेंट की ग्रोथ के लिए तरस गया था। आपको क्या लगता है, किसी देश की इकोनॉमिक ग्रोथ को उसमें रहने वाले लोगों की आस्था से जोड़ना, उनकी पहचान से जोड़ना, क्या ये अनायास ही हुआ होगा क्या? जी नहीं, ये गुलामी की मानसिकता का प्रतिबिंब था। एक पूरे समाज, एक पूरी परंपरा को, अन-प्रोडक्टिविटी का, गरीबी का पर्याय बना दिया गया। यानी ये सिद्ध करने का प्रयास किया गया कि, भारत की धीमी विकास दर का कारण, हमारी हिंदू सभ्यता और हिंदू संस्कृति है। और हद देखिए, आज जो तथाकथित बुद्धिजीवी हर चीज में, हर बात में सांप्रदायिकता खोजते रहते हैं, उनको हिंदू रेट ऑफ ग्रोथ में सांप्रदायिकता नज़र नहीं आई। ये टर्म, उनके दौर में किताबों का, रिसर्च पेपर्स का हिस्सा बना दिया गया।

साथियों,

गुलामी की मानसिकता ने भारत में मैन्युफेक्चरिंग इकोसिस्टम को कैसे तबाह कर दिया, और हम इसको कैसे रिवाइव कर रहे हैं, मैं इसके भी कुछ उदाहरण दूंगा। भारत गुलामी के कालखंड में भी अस्त्र-शस्त्र का एक बड़ा निर्माता था। हमारे यहां ऑर्डिनेंस फैक्ट्रीज़ का एक सशक्त नेटवर्क था। भारत से हथियार निर्यात होते थे। विश्व युद्धों में भी भारत में बने हथियारों का बोल-बाला था। लेकिन आज़ादी के बाद, हमारा डिफेंस मैन्युफेक्चरिंग इकोसिस्टम तबाह कर दिया गया। गुलामी की मानसिकता ऐसी हावी हुई कि सरकार में बैठे लोग भारत में बने हथियारों को कमजोर आंकने लगे, और इस मानसिकता ने भारत को दुनिया के सबसे बड़े डिफेंस importers के रूप में से एक बना दिया।

साथियों,

गुलामी की मानसिकता ने शिप बिल्डिंग इंडस्ट्री के साथ भी यही किया। भारत सदियों तक शिप बिल्डिंग का एक बड़ा सेंटर था। यहां तक कि 5-6 दशक पहले तक, यानी 50-60 साल पहले, भारत का फोर्टी परसेंट ट्रेड, भारतीय जहाजों पर होता था। लेकिन गुलामी की मानसिकता ने विदेशी जहाज़ों को प्राथमिकता देनी शुरु की। नतीजा सबके सामने है, जो देश कभी समुद्री ताकत था, वो अपने Ninety five परसेंट व्यापार के लिए विदेशी जहाज़ों पर निर्भर हो गया है। और इस वजह से आज भारत हर साल करीब 75 बिलियन डॉलर, यानी लगभग 6 लाख करोड़ रुपए विदेशी शिपिंग कंपनियों को दे रहा है।

साथियों,

शिप बिल्डिंग हो, डिफेंस मैन्यूफैक्चरिंग हो, आज हर सेक्टर में गुलामी की मानसिकता को पीछे छोड़कर नए गौरव को हासिल करने का प्रयास किया जा रहा है।

साथियों,

गुलामी की मानसिकता ने एक बहुत बड़ा नुकसान, भारत में गवर्नेंस की अप्रोच को भी किया है। लंबे समय तक सरकारी सिस्टम का अपने नागरिकों पर अविश्वास रहा। आपको याद होगा, पहले अपने ही डॉक्यूमेंट्स को किसी सरकारी अधिकारी से अटेस्ट कराना पड़ता था। जब तक वो ठप्पा नहीं मारता है, सब झूठ माना जाता था। आपका परिश्रम किया हुआ सर्टिफिकेट। हमने ये अविश्वास का भाव तोड़ा और सेल्फ एटेस्टेशन को ही पर्याप्त माना। मेरे देश का नागरिक कहता है कि भई ये मैं कह रहा हूं, मैं उस पर भरोसा करता हूं।

साथियों,

हमारे देश में ऐसे-ऐसे प्रावधान चल रहे थे, जहां ज़रा-जरा सी गलतियों को भी गंभीर अपराध माना जाता था। हम जन-विश्वास कानून लेकर आए, और ऐसे सैकड़ों प्रावधानों को डी-क्रिमिनलाइज किया है।

साथियों,

पहले बैंक से हजार रुपए का भी लोन लेना होता था, तो बैंक गारंटी मांगता था, क्योंकि अविश्वास बहुत अधिक था। हमने मुद्रा योजना से अविश्वास के इस कुचक्र को तोड़ा। इसके तहत अभी तक 37 lakh crore, 37 लाख करोड़ रुपए की गारंटी फ्री लोन हम दे चुके हैं देशवासियों को। इस पैसे से, उन परिवारों के नौजवानों को भी आंत्रप्रन्योर बनने का विश्वास मिला है। आज रेहड़ी-पटरी वालों को भी, ठेले वाले को भी बिना गारंटी बैंक से पैसा दिया जा रहा है।

साथियों,

हमारे देश में हमेशा से ये माना गया कि सरकार को अगर कुछ दे दिया, तो फिर वहां तो वन वे ट्रैफिक है, एक बार दिया तो दिया, फिर वापस नहीं आता है, गया, गया, यही सबका अनुभव है। लेकिन जब सरकार और जनता के बीच विश्वास मजबूत होता है, तो काम कैसे होता है? अगर कल अच्छी करनी है ना, तो मन आज अच्छा करना पड़ता है। अगर मन अच्छा है तो कल भी अच्छा होता है। और इसलिए हम एक और अभियान लेकर आए, आपको सुनकर के ताज्जुब होगा और अभी अखबारों में उसकी, अखबारों वालों की नजर नहीं गई है उस पर, मुझे पता नहीं जाएगी की नहीं जाएगी, आज के बाद हो सकता है चली जाए।

आपको ये जानकर हैरानी होगी कि आज देश के बैंकों में, हमारे ही देश के नागरिकों का 78 thousand crore रुपया, 78 हजार करोड़ रुपए Unclaimed पड़ा है बैंको में, पता नहीं कौन है, किसका है, कहां है। इस पैसे को कोई पूछने वाला नहीं है। इसी तरह इन्श्योरेंश कंपनियों के पास करीब 14 हजार करोड़ रुपए पड़े हैं। म्यूचुअल फंड कंपनियों के पास करीब 3 हजार करोड़ रुपए पड़े हैं। 9 हजार करोड़ रुपए डिविडेंड का पड़ा है। और ये सब Unclaimed पड़ा हुआ है, कोई मालिक नहीं उसका। ये पैसा, गरीब और मध्यम वर्गीय परिवारों का है, और इसलिए, जिसके हैं वो तो भूल चुका है। हमारी सरकार अब उनको ढूंढ रही है देशभर में, अरे भई बताओ, तुम्हारा तो पैसा नहीं था, तुम्हारे मां बाप का तो नहीं था, कोई छोड़कर तो नहीं चला गया, हम जा रहे हैं। हमारी सरकार उसके हकदार तक पहुंचने में जुटी है। और इसके लिए सरकार ने स्पेशल कैंप लगाना शुरू किया है, लोगों को समझा रहे हैं, कि भई देखिए कोई है तो अता पता। आपके पैसे कहीं हैं क्या, गए हैं क्या? अब तक करीब 500 districts में हम ऐसे कैंप लगाकर हजारों करोड़ रुपए असली हकदारों को दे चुके हैं जी। पैसे पड़े थे, कोई पूछने वाला नहीं था, लेकिन ये मोदी है, ढूंढ रहा है, अरे यार तेरा है ले जा।

साथियों,

ये सिर्फ asset की वापसी का मामला नहीं है, ये विश्वास का मामला है। ये जनता के विश्वास को निरंतर हासिल करने की प्रतिबद्धता है और जनता का विश्वास, यही हमारी सबसे बड़ी पूंजी है। अगर गुलामी की मानसिकता होती तो सरकारी मानसी साहबी होता और ऐसे अभियान कभी नहीं चलते हैं।

साथियों,

हमें अपने देश को पूरी तरह से, हर क्षेत्र में गुलामी की मानसिकता से पूर्ण रूप से मुक्त करना है। अभी कुछ दिन पहले मैंने देश से एक अपील की है। मैं आने वाले 10 साल का एक टाइम-फ्रेम लेकर, देशवासियों को मेरे साथ, मेरी बातों को ये कुछ करने के लिए प्यार से आग्रह कर रहा हूं, हाथ जोड़कर विनती कर रहा हूं। 140 करोड़ देशवसियों की मदद के बिना ये मैं कर नहीं पाऊंगा, और इसलिए मैं देशवासियों से बार-बार हाथ जोड़कर कह रहा हूं, और 10 साल के इस टाइम फ्रैम में मैं क्या मांग रहा हूं? मैकाले की जिस नीति ने भारत में मानसिक गुलामी के बीज बोए थे, उसको 2035 में 200 साल पूरे हो रहे हैं, Two hundred year हो रहे हैं। यानी 10 साल बाकी हैं। और इसलिए, इन्हीं दस वर्षों में हम सभी को मिलकर के, अपने देश को गुलामी की मानसिकता से मुक्त करके रहना चाहिए।

साथियों,

मैं अक्सर कहता हूं, हम लीक पकड़कर चलने वाले लोग नहीं हैं। बेहतर कल के लिए, हमें अपनी लकीर बड़ी करनी ही होगी। हमें देश की भविष्य की आवश्यकताओं को समझते हुए, वर्तमान में उसके हल तलाशने होंगे। आजकल आप देखते हैं कि मैं मेक इन इंडिया और आत्मनिर्भर भारत अभियान पर लगातार चर्चा करता हूं। शोभना जी ने भी अपने भाषण में उसका उल्लेख किया। अगर ऐसे अभियान 4-5 दशक पहले शुरू हो गए होते, तो आज भारत की तस्वीर कुछ और होती। लेकिन तब जो सरकारें थीं उनकी प्राथमिकताएं कुछ और थीं। आपको वो सेमीकंडक्टर वाला किस्सा भी पता ही है, करीब 50-60 साल पहले, 5-6 दशक पहले एक कंपनी, भारत में सेमीकंडक्टर प्लांट लगाने के लिए आई थी, लेकिन यहां उसको तवज्जो नहीं दी गई, और देश सेमीकंडक्टर मैन्युफैक्चरिंग में इतना पिछड़ गया।

साथियों,

यही हाल एनर्जी सेक्टर की भी है। आज भारत हर साल करीब-करीब 125 लाख करोड़ रुपए के पेट्रोल-डीजल-गैस का इंपोर्ट करता है, 125 लाख करोड़ रुपया। हमारे देश में सूर्य भगवान की इतनी बड़ी कृपा है, लेकिन फिर भी 2014 तक भारत में सोलर एनर्जी जनरेशन कपैसिटी सिर्फ 3 गीगावॉट थी, 3 गीगावॉट थी। 2014 तक की मैं बात कर रहा हूं, जब तक की आपने मुझे यहां लाकर के बिठाया नहीं। 3 गीगावॉट, पिछले 10 वर्षों में अब ये बढ़कर 130 गीगावॉट के आसपास पहुंच चुकी है। और इसमें भी भारत ने twenty two गीगावॉट कैपेसिटी, सिर्फ और सिर्फ rooftop solar से ही जोड़ी है। 22 गीगावाट एनर्जी रूफटॉप सोलर से।

साथियों,

पीएम सूर्य घर मुफ्त बिजली योजना ने, एनर्जी सिक्योरिटी के इस अभियान में देश के लोगों को सीधी भागीदारी करने का मौका दे दिया है। मैं काशी का सांसद हूं, प्रधानमंत्री के नाते जो काम है, लेकिन सांसद के नाते भी कुछ काम करने होते हैं। मैं जरा काशी के सांसद के नाते आपको कुछ बताना चाहता हूं। और आपके हिंदी अखबार की तो ताकत है, तो उसको तो जरूर काम आएगा। काशी में 26 हजार से ज्यादा घरों में पीएम सूर्य घर मुफ्त बिजली योजना के सोलर प्लांट लगे हैं। इससे हर रोज, डेली तीन लाख यूनिट से अधिक बिजली पैदा हो रही है, और लोगों के करीब पांच करोड़ रुपए हर महीने बच रहे हैं। यानी साल भर के साठ करोड़ रुपये।

साथियों,

इतनी सोलर पावर बनने से, हर साल करीब नब्बे हज़ार, ninety thousand मीट्रिक टन कार्बन एमिशन कम हो रहा है। इतने कार्बन एमिशन को खपाने के लिए, हमें चालीस लाख से ज्यादा पेड़ लगाने पड़ते। और मैं फिर कहूंगा, ये जो मैंने आंकडे दिए हैं ना, ये सिर्फ काशी के हैं, बनारस के हैं, मैं देश की बात नहीं बता रहा हूं आपको। आप कल्पना कर सकते हैं कि, पीएम सूर्य घर मुफ्त बिजली योजना, ये देश को कितना बड़ा फायदा हो रहा है। आज की एक योजना, भविष्य को Transform करने की कितनी ताकत रखती है, ये उसका Example है।

वैसे साथियों,

अभी आपने मोबाइल मैन्यूफैक्चरिंग के भी आंकड़े देखे होंगे। 2014 से पहले तक हम अपनी ज़रूरत के 75 परसेंट मोबाइल फोन इंपोर्ट करते थे, 75 परसेंट। और अब, भारत का मोबाइल फोन इंपोर्ट लगभग ज़ीरो हो गया है। अब हम बहुत बड़े मोबाइल फोन एक्सपोर्टर बन रहे हैं। 2014 के बाद हमने एक reform किया, देश ने Perform किया और उसके Transformative नतीजे आज दुनिया देख रही है।

साथियों,

Transforming tomorrow की ये यात्रा, ऐसी ही अनेक योजनाओं, अनेक नीतियों, अनेक निर्णयों, जनआकांक्षाओं और जनभागीदारी की यात्रा है। ये निरंतरता की यात्रा है। ये सिर्फ एक समिट की चर्चा तक सीमित नहीं है, भारत के लिए तो ये राष्ट्रीय संकल्प है। इस संकल्प में सबका साथ जरूरी है, सबका प्रयास जरूरी है। सामूहिक प्रयास हमें परिवर्तन की इस ऊंचाई को छूने के लिए अवसर देंगे ही देंगे।

साथियों,

एक बार फिर, मैं शोभना जी का, हिन्दुस्तान टाइम्स का बहुत आभारी हूं, कि आपने मुझे अवसर दिया आपके बीच आने का और जो बातें कभी-कभी बताई उसको आपने किया और मैं तो मानता हूं शायद देश के फोटोग्राफरों के लिए एक नई ताकत बनेगा ये। इसी प्रकार से अनेक नए कार्यक्रम भी आप आगे के लिए सोच सकते हैं। मेरी मदद लगे तो जरूर मुझे बताना, आईडिया देने का मैं कोई रॉयल्टी नहीं लेता हूं। मुफ्त का कारोबार है और मारवाड़ी परिवार है, तो मौका छोड़ेगा ही नहीं। बहुत-बहुत धन्यवाद आप सबका, नमस्कार।