Indian diaspora across the world are true and permanent ambassadors of the country, says PM Modi
In whichever part of the world Indians went, they not only retained their Indianness but also integrated the lifestyle of that nation: PM
Aspirations of India’s youth and their optimism about the country are at the highest levels: PM Modi
India, with its rich values and traditions, has the power to lead and guide the world dealing with instability: PM Modi
At a time when the world is divided by ideologies, India believes in the mantra of ‘Sabka Sath, Sabka Vikas’: PM

આપ સૌને પ્રવાસી ભારતીય દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ. પ્રવાસી દિવસની આ પરંપરામાં આજે, પ્રથમ “પ્રવાસી સાંસદ સંમેલન” એક નવો અધ્યાય ઉમેરી રહ્યું છે. હું ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, યુરોપ, એશિયા, પેસિફિક ક્ષેત્ર વગેરે વિશ્વના દરેક ખૂણેથી અહિયાં પધારેલા તમામ પ્રવાસી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું.

ભારતમાં આપનું સ્વાગત છે! આપના જ ઘરમાં આપનું સ્વાગત છે.

તમારી જૂની પેઢીઓ, જૂની યાદો ભારતના જુદા જુદા ભાગો સાથે જોડાયેલી છે. તમારા પૂર્વજોમાંથી કેટલાક લોકો વ્યાપાર માટે, કેટલાક લોકો શિક્ષણ માટે ગયા હતા. કેટલાક લોકોને જબરદસ્તી અહીંથી લઇ જવામાં આવ્યા, તો કેટલાકને ફોસલાવીને લઇ જવામાં આવ્યા. અહીંથી તેમના શરીર ભલે જતા રહ્યા હોય, પરંતુ પોતાના મનનો, પોતાની આત્માનો, એક અંશ આ માટી ઉપર મુકીને ગયા હતા. એટલા માટે આજે જ્યારે તમે ભારતના કોઈ એરપોર્ટ ઉપર ઉતરો છો તો તમને આ ધરતી ઉપર જોઇને આત્માનો એ જ અંશ પ્રફુલ્લિત થવા લાગે છે.

એ વખતે ગળું જરા રૂંધાયેલું અનુભવાય છે. કેટલીક લાગણીઓ આંખોમાંથી વહેવા માંગતી હોય છે. તમે તેને રોકવાના ભરપુર પ્રયત્નો કરો છો, પરંતુ તેને રોકી નથી શકતા. તમારી આંખો ભીની થાય છે, પરંતુ તેમાં ભારત આવવાની ચમક પણ અનુભવાય છે. તમારી તે ભાવના હું સમજી શકું છું. તે સ્નેહ, તે પ્રેમ, તે સમ્માન, તે અહીંની માટી, અહીંની હવાની મહેક, જે અંશના કારણે છે તેને હું નમન કરું છું. આજે તમને અહીંયા જોઇને તમારા પૂર્વજોને કેટલી પ્રસન્નતા થઇ રહી હશે, તેનો અંદાજો આપણે સૌ લગાવી શકીએ છીએ. તેઓ જ્યાં પણ હશે, તમને અહીંયા જોઇને સૌથી વધારે ખુશ હશે, પ્રસન્ન હશે.

સાથીઓ,

સેંકડો વર્ષોના કાળખંડમાં ભારતમાંથી જે પણ લોકો બહાર ગયા, ભારત તેમના મનમાંથી ક્યારેય દુર નથી થયું. વિશ્વના જે પણ ભૂ-ભાગમાં તેઓ ગયા, ત્યાં જ સંપૂર્ણ રીતે સ્થાયી બનીને, એ જગ્યાને પોતાનું ઘર બનાવી લીધું.

તેમણે જ્યાં એક તરફ પોતાની અંદર ભારતીયતાને જીવંત રાખી તો બીજી તરફ ત્યાની ભાષા, ત્યાની ખાણીપીણી, ત્યાની વેશ ભૂષામાં પણ સંપૂર્ણ રીતે ભળી ગયા.

ખેલકૂદ, કળા, સિનેમામાં ભારતીય મૂળના લોકોએ વૈશ્વિક મંચ પર પોતાની છાપ છોડી છે. રાજનીતિની વાત કરૂ તો હું જોઈ જ રહ્યો છું કે કઈ રીતે ભારતીય મૂળની એક નાનકડી વૈશ્વિક સંસદ મારી સામે હાજર છે. આજે ભારતીય મૂળના લોકો મોરેશિયસ, પોર્ટુગલ અને આયર્લેન્ડમાં પ્રધાનમંત્રી છે. ભારતીય મૂળના લોકો અન્ય પણ ઘણા દેશોમાં રાજ્યના વડા અને સરકારના વડા રહી ચુક્યા છે. આપણી માટે તે વિશેષ સન્માનની વાત છે કે ગુયાનાના પૂર્વ રાષ્ટ્રપતિજી શ્રી ભરત જગદેવજી આજે આપણી સાથે અહિયાં ઉપસ્થિત છે. આપ સૌ વિશેષ લોકો પણ પોત પોતાના દેશોમાં પ્રમુખ રાજનૈતિક ભૂમિકા અદા કરી રહ્યા છો.

સાથીઓ,

તમારા પૂર્વજોની માતૃભૂમી ભારતને તમારા પર ગર્વ છે. તમારી ઉપલબ્ધિઓ અને તમારી સફળતા અમારા માટે સન્માનનો વિષય છે. તમારા દ્વારા જ્યારે કોઈપણ પદ ગ્રહણ કરવાની વાત મીડિયામાં આવે છે, ક્યાંક તમે ચુંટણી માટે ઉમેદવારીપત્ર પણ ભરો છો તો તેને જોનારા અને વાંચનારા લોકોની સંખ્યા ભારતમાં ઘણી વધારે હોય છે. તમે જ્યાં છો, ત્યાં કઈ રીતે સમગ્ર ક્ષેત્રની જીઓ-પોલીટીક્સને પ્રભાવિત કરી રહ્યા છો, દેશની નીતિઓ બનાવી રહ્યા છો, એ પ્રકારના સમાચારોને અહિયાં લોકો રસથી વાંચે છે. એવી પણ ચર્ચા કરે છે કે જુઓ, કોઈ આપણું તે મહત્વના પદ પર પહોંચી ગયું છે. અમને તે ખુશી આપવા માટે, અમારું ગૌરવ વધારવા માટે તમે અભિનંદનને પાત્ર છો.

ભાઈઓ અને બહેનો,

આપ સૌ લાંબા સમયથી અલગ અલગ દેશોમાં રહો છો. તમે અનુભવ કર્યો હશે કે છેલ્લા ત્રણ ચાર વર્ષોમાં ભારત પ્રત્યેનો અભિગમ બદલાઈ ગયો છે. આપણા પર ધ્યાન વધ્યું છે, વિશ્વનો આપણા પ્રત્યેનો અભિગમ બદલાઈ રહ્યો છે, તો તેનું મુખ્ય કારણ એ જ છે કે ભારત પોતે બદલાઈ રહ્યું છે, પરિવર્તિત થઇ રહ્યું છે. આ બદલાવ આર્થિક, સામાજિક સ્તર પર હોવાની સાથે સાથે જ વૈચારિક સ્તર પર આવ્યો છે. “જેવું પહેલા હતું એમ જ ચાલતું રહેશે, કઈ બદલવાનું નથી, કઈ થવાનું નથી” એવી વિચારધારાથી ભારત હવે ખુબ આગળ વધી ગયું છે. ભારતના લોકોની આશાઓ, આકાંક્ષાઓ આ સમયે સર્વોચ્ચ સ્તર પર છે. વ્યવસ્થાઓમાં થઇ રહેલા સંપૂર્ણ પરિવર્તનનું, એક મક્કમ પરિવર્તનનું પરિણામ તમને દરેક ક્ષેત્રમાં જોવા મળશે.

તેનું જ પરિણામ છે કે, વર્ષ 2016-17માં 60 બિલિયન ડોલરનું અભૂતપૂર્વ વિદેશી મૂડીરોકાણ ભારતમાં આવ્યું. વ્યાપાર કરવાની સરળતાના રેન્કમાં છેલ્લા ત્રણ વર્ષોમાં 42 ક્રમાંકનો સુધારો થયો છે. છેલ્લા બે વર્ષોમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના વૈશ્વિક સ્પર્ધાત્મક અનુસૂચિમાં પણ 32 ક્રમાંકનો સુધારો થયો છે.

છેલ્લા બે વર્ષોમાં ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સના આપણા ક્રમાંકમાં 21 સ્થાનનો સુધારો થયો છે.

લોજિસ્ટિકસ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં 19 અંકોનો સુધારો થયો છે.

આજે વિશ્વ બેંક, આઈએમએફ, મૂડીઝ જેવી સંસ્થાઓ ભારત તરફ ખુબ હકારાત્મક દ્રષ્ટીએ જોઈ રહી છે.

બાંધકામ, હવાઈ હેરફેર, ખોદકામ, કમ્પ્યુટર સોફ્ટવેર- હાર્ડવેર, ઇલેક્ટ્રિકલ સાધનો જેવા ક્ષેત્રોમાં અત્યાર સુધી થયેલા કુલ મૂડીરોકાણનું અડધાથી વધુ રોકાણ માત્ર અને માત્ર છેલ્લા ત્રણ વર્ષોમાં જ થયું છે.

આ બધું એટલા માટે થયું છે કારણ કે અમે ભારતની અર્થવ્યવસ્થાના દરેક ભાગમાં દૂર સુધી પહોંચી શકનારા નીતિગત સુધારાઓ લાવી રહ્યા છીએ. “રીફોર્મ ટુ ટ્રાન્સફોર્મ (પરિવર્તન માટે સુધારા)” તે અમારો માર્ગદર્શક સિદ્ધાંત છે. અમારો ઉદ્દેશ્ય છે સમગ્ર વ્યવસ્થાને પારદર્શક અને જવાબદાર બનાવવી, ભ્રષ્ટાચારને મૂળથી નાબૂદ કરવો.

સાથીઓ,

વસ્તુ અને સેવા કર – જીએસટીના માધ્યમથી અમે દેશમાં સેંકડો કરવેરાની જાળને નાબુદ કરી છે, દેશનું આર્થિક એકીકરણ કર્યું છે. ખાણખોદકામ, ખાતર, કાપડ, ઉડ્ડયન, આરોગ્ય, સંરક્ષણ, બાંધકામ, રીયલ એસ્ટેટ, ખાદ્યાન્ન પ્રક્રિયા, એવું કોઈ પણ ક્ષેત્ર નહી હોય જેની અંદર અમે સુધારા ન લાવ્યા હોઈએ.

સાથીઓ,

ભારત આજે વિશ્વનો સૌથી નવયુવાન દેશ છે. નવયુવાનોનાં અસીમ સપનાઓ છે, આશાઓ છે. તેઓ પોતાની ઉર્જા સાચા ક્ષેત્રમાં લગાડે, પોતાની જાત મહેનત પર રોજગારી મેળવે, તે દિશામાં સરકાર સતત કામ કરી રહી છે.

સ્કીલ ઇન્ડિયા મિશન, સ્ટાર્ટ અપ યોજના, સ્ટેન્ડ અપ યોજના, મુદ્રા યોજના આના માટે જ શરૂ કરવામાં આવી છે. મુદ્રા યોજના હેઠળ સ્વરોજગાર માટે આશરે 10 કરોડ સુધીની લોન આના માટે સ્વીકારવામાં આવી છે. લોકોને 4 લાખ કરોડ રૂપિયાથી વધુનું ધિરાણ બેંક બાંહેધરી વિના આપવામાં આવ્યું છે. માત્ર આ જ એક યોજનાએ દેશને લગભગ 3 કરોડ નવા ઉદ્યોગ સાહસિકો આપ્યા છે. સરકાર 21મી સદીનાં ભારતની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને માળખાગત બાંધકામ પર, વાહનવ્યવહાર ક્ષેત્ર પર રોકાણ વધારી રહી છે. નીતિઓમાં એ વાતનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે, ભવિષ્યનાં ભારતને કયા પ્રકારનાં માલવહન જોઇશે. ધોરીમાર્ગ, રેલમાર્ગ, હવાઈમાર્ગ, જળમાર્ગ અને બંદરો એ રીતે વિકસિત કરવામાં આવી રહ્યા છે કે તેઓ એકબીજાને સહાય કરે, એક બીજાથી જોડાયેલા હોય.

સાથીઓ,

આજે ભારતમાં બમણા કરતા વધારે ઝડપથી નવી રેલવે લાઈનો પાથરવામાં આવી રહી છે, બમણી કરતા વધુ ઝડપથી રેલવે લાઈનોનું વિસ્તૃતિકરણ થઇ રહ્યું છે. બમણી ઝડપે રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. બમણા કરતા વધુ ઝડપથી પુનઃપ્રાપ્ય ઉર્જાની નવી ક્ષમતાને ગ્રીડ પાવર સાથે જોડવામાં આવી છે.

જ્યાં પહેલા જહાજ ઉદ્યોગમાં માલસામાન હેરફેરનો વિકાસ સાવ નકારાત્મક હતો, ત્યાં જ આ સરકારમાં 11 ટકાથી વધુની વૃદ્ધિ થઇ છે. આ બધા જ પ્રયાસોથી રોજગારના નવા અવસરો ઉભા થઇ રહ્યા છે. સ્થાનિક સ્તર પર નાના નાના ઉદ્યોગોને પણ નવું કામ મળી રહ્યું છે. જેમ કે ઉજ્જવલા યોજનાની વાત કરીએ તો તે માત્ર ગરીબ મહિલાઓને મફત ગેસના જોડાણો આપવા સુધી જ સીમિત નથી.

આ યોજનાથી અત્યાર સુધીમાં 3 કરોડથી વધુ મહિલાઓને ધુમાડાથી મુક્તિ મળી છે, રાજ્યોને કેરોસીન મુક્ત બનાવવામાં મદદ મળી છે, પરંતુ તેનો એક અન્ય ફાયદો થયો છે. ઉજ્જવલા યોજના પછીથી દેશમાં રસોઈ ગેસના ડીલર્સ બનાવવામાં આવ્યા છે, ઘરે ઘરે ગેસના સીલીન્ડર લઇ જનારાઓની સંખ્યા વધી છે. એટલે કે સામાજિક સુધારની સાથે સાથે સમાજનું આર્થિક સશક્તિકરણ પણ થઇ રહ્યું છે.

ભાઈઓ અને બહેનો,

વસુધૈવ કુટુંબકમની પરંપરામાં વિશ્વાસ રાખનારી આપણી સંસ્કૃતિએ વિશ્વને ઘણું આપ્યું છે. જયારે હું સૌપ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ગયો હતો, ત્યારે મેં વિશ્વની સામે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ મુક્યો હતો અને આપ સૌ જાણો છે તેમ 75 દિવસથી પણ ઓછા સમયમાં આ પ્રસ્તાવને સર્વ સંમતિથી માત્ર પસાર કરી દેવામાં નહોતો આવ્યો, પરંતુ તેને રેકોર્ડ બ્રેકીંગ સંખ્યામાં, 177 દેશોએ કો-સ્પોન્સર પણ કર્યો. આજે જે રીતે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં કરોડો લોકો યોગ દિવસને ઉજવે છે, તે તમારા અને અમારા માટે ગર્વની વાત છે.

સંપૂર્ણપણે જીવન જીવવાની આ પદ્ધતિ વિશ્વને ભારતની સમૃદ્ધ પરંપરાની ભેટ છે.

સાથીઓ,

જળવાયું પરિવર્તનના વિષય પર પેરીસ સંધિના સમયે મેં ફ્રાંસના રાષ્ટ્રપતિની સાથે મળીને આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સ બનાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. હવે તે વાસ્તવિકતામાં બદલાઈ ગયું છે. તેના માધ્યમથી આપણે સૂર્ય ઉર્જાથી સંપન્ન દેશો સાથે મળીને સૂર્ય તકનિક અને ધિરાણ પ્રવૃત્તિઓ માટે એક વૈશ્વિક મંચ બનાવી રહ્યા છીએ.

પ્રકૃતિની સાથે સંતુલન જાળવીને ચાલવાની આ પદ્ધતિ પણ પૌરાણિક સમયથી ભારતની જ દેન છે.

ભાઈઓ અને બહેનો,

જયારે નેપાળમાં ભૂકંપ આવ્યો હતો, કે શ્રીલંકામાં પુર આવ્યું, કે પછી માલદીવમાં જળ સંકટ આવ્યું, તો ભારત સૌપ્રથમ પ્રતિભાવકના રૂપમાં હાજર રહ્યું છે.

જ્યારે યમનમાં સંકટ આવ્યું તો અમે અમારા સાડા ચાર હજાર નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા, તો અન્ય 48 દેશોના બે હજાર વ્યક્તિઓને પણ અમે સુરક્ષિત રીતે બાહર કાઢી લાવ્યા હતા.

વિકટ પરિસ્થિતિમાં પણ માનવીય મુલ્યોની જાળવણીની આ પદ્ધતિ ભારતની વસુધૈવ કુટુંબકમની પરંપરાનો ભાગ છે.

સાથીઓ,

2018માં પ્રથમ વિશ્વ યુદ્ધની સમાપ્તિને સો વર્ષ પુરા થશે. પ્રથમ અને દ્વિતીય વિશ્વ યુદ્ધમાં દોઢ લાખથી પણ વધુ ભારતીય સૈનિકોનો જીવ ગયો હતો. અને આ ત્યારે થયું હતું જ્યારે ભારતને તે યુદ્ધો સાથે પ્રત્યક્ષ રીતે કંઈ લેવા દેવાનું નહોતુ. બંને વિશ્વ યુદ્ધોમાં એક ઇંચ જમીન જેટલું પણ ભારતનું હિત તેમાં નહોતું. વિશ્વએ માનવું પડશે કે, ભારતે કેટલું મોટું બલિદાન આપ્યું હતું. આઝાદી પછી પણ આ પરંપરા ચાલુ રહી છે. યુએન શાંતિ દળમાં સૌથી મોટું યોગદાન આપનારા દેશોમાં ભારત સામેલ છે. માનવીય મુલ્યો અને શાંતિ માટે બલિદાનનો આ સંદેશ વિશ્વને ભારતની દેન છે.

આ નિઃસ્વાર્થ ભાવઆ ત્યાગ અને સેવાની ભાવના આપણી ઓળખ છે.

આ જ માનવીય મુલ્યના કારણે વિશ્વમાં ભારતની એક વિશેષ સ્વીકૃતિ છે. અને ભારતની સાથે, ભારતીય મૂળના સમાજની તમારી પણ વિશેષ સ્વીકૃતિ છે.

મિત્રો,

હું જ્યારે પણ કોઈ દેશની યાત્રા કરું છું તો મારો એ જ પ્રયત્ન હોય છે કે ત્યાં રહેનારા ભારતીય મૂળના લોકોને જરૂરથી મળું. આ જ યાત્રાઓમાં તમારામાંથી કેટલાક લોકોને મળવાનું સૌભાગ્ય મને મળ્યું છે. મારા આ પ્રયાસનું સૌથી મોટું કારણ છે કે હું માનું છું વિશ્વની સાથે ભારતના સંબંધો માટે જો સાચા અર્થમાં કોઈ સ્થાયી રાજદૂતો છે તો તે ભારતીય મૂળના લોકો જ છે. અમારો સતત પ્રયાસ છે કે અમે પ્રવાસી ભારતીયો સાથે સતત જોડાયેલા રહીએ, તેમની સમસ્યાઓને ઉકેલીએ.

એક સમયે પ્રવાસી ભારતીયો માટે અલગ મંત્રાલય હતું, પરંતુ અમને પ્રવાસી ભારતીયો પાસેથી પ્રતિક્રિયા મળી કે વિદેશ મંત્રાલયની સાથે સહયોગ સાધવામાં ક્યાંક કોઈ ખામી રહી જાય છે. તમારા પ્રતિભાવો બાદ અમે બંને મંત્રાલયોને ભેળવીને એક બનાવી દીધા. તમને યાદ હશે અગાઉ પીઆઈઓ અને ઓસીઆઈ યોજના જુદી જુદી રહેતી હતી અને મોટા ભાગના લોકોને આમની વચ્ચેનો તફાવતની પણ ખબર નહોતી. અમે આ પ્રક્રિયાને સરળ બનાવી અને બંનેને ભેળવીને એક યોજના બનાવી.

અમારા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજજી માત્ર ભારતીય નાગરિકો જ નહી, પરંતુ પ્રવાસી ભારતીયોની સમસ્યા ઉપર પણ 24 કલાક ને 7 દિવસ નજર રાખે છે, તેઓ તમને સક્રિય જોવા મળશે. તેમના નેતૃત્વમાં વિદેશ મંત્રાલયે પ્રવાસી ફરિયાદોના વાસ્તવિક નિયંત્રણ અને પ્રતિભાવ માટે “મદદ” પોર્ટલની વ્યવસ્થા ઉભી કરી છે. પ્રવાસી ભારતીય દિવસનું આયોજન હવેથી દર એકાંતરા વર્ષે કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે જ પ્રાદેશિક પ્રવાસી ભારતીય દિવસ પણ ઉજવવામાં આવી રહ્યા છે. સુષ્માજી તાજેતરમાં જ સિંગાપુરમાં આવા જ એક સંમેલનમાં ભાગ લઈને આવ્યા છે.

ભાઈઓ અને બહેનો,

આજે અહિયાં જે ઈમારતમાં આપણે સૌ ઉપસ્થિત છીએ, તેને વર્ષ 2016માં 2જી ઓક્ટોબરના રોજ આપ સૌ પ્રવાસી ભારતીયોના નામ પર સમર્પિત કરવામાં આવી હતી. એ અત્યંત સુખદ વાત છે કે આટલા ઓછા સમયમાં જ આ કેન્દ્ર પ્રવાસી ભારતીયો માટે એક હબના રૂપમાં ઉપસી આવ્યું છે. અહિયાં આ ભવનમાં મહાત્મા ગાંધીના જીવન સાથે જોડાયેલ એક પ્રદર્શન પણ બનાવવામાં આવ્યું છે, હું આપ સૌને આગ્રહ કરીશ કે તમે તેને જરૂરથી જુઓ.

પ્રવાસી ભારતીયોના મન સાથે જોડાવાના આ પ્રયાસોનું પરિણામ આપણને “ભારતને ઓળખો” એટલે કે “નો ઇન્ડિયા” ક્વીઝ સ્પર્ધામાં જોવા મળ્યું છે. આ સ્પર્ધામાં આશરે સો દેશોનાં 5700થી પણ વધુ પ્રવાસી યુવાનોએ ભાગ લીધો છે. ભારત પ્રત્યે તેમનો ઉત્સાહ અને તેમની તલપ, આપણા સૌના માટે ખુબ જ ઉત્સાહજનક છે. તેમના પાસેથી પ્રોત્સાહન લઈને અમે આ વર્ષે તેને હજુ પણ વધુ મોટા પાયે આયોજિત કરી રહ્યા છીએ.

સાથીઓ,

પોત પોતાની કર્મ ભૂમિમાં પ્રગતિ માટે તમારા યોગદાનથી ભારતનું નામ ઊંચું થાય છે. અને ભારતમાં પ્રગતિ અને ઉન્નતિ થવાથી પ્રવાસી ભારતીય સમાજની પ્રતિષ્ઠા વધે છે. ભારતનાં વિકાસ માટે અમારા પ્રયત્નોમાં અમે પ્રવાસી ભારતીયોને અમારા સાથી માનીએ છીએ. નીતિ પંચે ભારતનાં વિકાસ માટે 2020 સુધીનો જે એક્શન એજન્ડા બનાવ્યો છે તેમાં પ્રવાસી ભારતીયોને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.

ભાઈઓ અને બહેનો,

ભારતની વિકાસ યાત્રામાં સહભાગી બનવા માટે પ્રવાસી ભારતીયો પાસે અનેક વિકલ્પો છે. સમગ્ર વિશ્વમાં પ્રવાસી ભારતીયો દ્વારા મોકલાયેલ રકમ સૌથી વધુ ભારત મેળવે છે.

ભારતની અર્થવ્યવસ્થામાં આ મહત્વપૂર્ણ યોગદાન માટે અમે વિદેશમાં રહેતા પ્રત્યેક ભારતીયના ઋણી છીએ. અર્થવ્યવસ્થા સાથે જોડાયેલ એક અન્ય માર્ગ છે ભારતમાં રોકાણનો. આજે વિશ્વમાં સીધા વિદેશી મૂડીરોકાણ માટે સૌથી વધુ આકર્ષક વ્યવસ્થા ભારતની છે, તો તેના પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને આ રોકાણને સુવિધા પ્રદાન કરવામાં પ્રવાસી ભારતીયોનો સિંહફાળો છે. હું સમજુ છું કે પોત-પોતાના સમાજમાં તમારી પ્રમુખ ભૂમિકાને ધ્યાનમાં રાખીને તેમાં તમે એક ઉદ્દીપકની ભૂમિકા નિભાવી શકો છો. એ જ સંદર્ભમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં પણ ભારતીય મૂળના સમુદાયનું ખુબ મહત્વનું યોગદાન હોઈ શકે છે.

સાથીઓ,

વિશ્વની અનેક મોટી કંપનીઓના સીઈઓ અને વડાઓ આપણા પ્રવાસી ભારતીયો છે. ભારતની અર્થવ્યવસ્થાને તેઓ ખુબ ઝીણવટથી પૂર્વક સમજે છે. એટલા માટે ભારતની વિકાસ યાત્રામાં તેમના મજબુત વિશ્વાસ માટે અમે તેમના આભારી છીએ. તેઓ આ બદલાવનો ભાગ બનવા માંગે છે, પોતાની જવાબદારી નિભાવવા માંગે છે.

વિશ્વ ફલક પર પોતાના ભારતને વધુ ઉપર જતું જોવા માંગે છે. અમે જાણીએ છીએ કે તમારો અનુભવ દેશમાં સામાજિક અને આર્થિક પરિવર્તન માટે કેટલો મહત્વપૂર્ણ છે. તમારો અનુભવ ભારતને મદદ કરી શકે તે માટે “વજ્ર” અર્થાત વીઝીટીંગ એડજંકટ જોઈન્ટ રીસર્ચ ફેકલ્ટી યોજના શરૂ કરવામાં આવી છે.

આ યોજના હેઠળ તમે ભારતની સંસ્થાઓમાં એકથી ત્રણ મહિના સુધી કામ કરી શકો છો.

આજે આ મંચ પરથી હું આપ સૌને આહ્વાન કરું છું કે આ યોજના સાથે જોડાવ અને પોતાના દેશમાં અન્ય ભારતીયોને પણ આની સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કરો. તમારા અનુભવનો ફાયદો, ભારતની યુવા પેઢીને મળશે, તો તમને પણ ખુબ જ સુખદ અનુભૂતિ થશે. ભારતની જરૂરિયાતો, શક્તિઓ અને વિશેષતાઓને વિશ્વ સુધી પહોંચાડવા માટેની જેટલી ક્ષમતા તમારામાં છે, અન્ય કોઈનામાં નથી.

દુનિયાનાં અસ્થિરતાથી ભરેલા વાતાવરણમાં ભારતીય સભ્યતા અને સંસ્કૃતિનાં મુલ્ય, સમગ્ર વિશ્વનું માર્ગદર્શન કરી શકે તેમ છે. વિશ્વમાં આરોગ્ય કાળજીને લઈને ચિંતા વધી રહી છે. તો તમે દુનિયાને તમારી પૌરાણિક સમગ્રતયા જીવન જીવવાની પરંપરા વિષે જણાવી શકો છો. જ્યાં વૈશ્વિક સમાજ જુદા જુદા સ્તરો અને વિચારધારાઓમાં વિભાજીત થઇ રહ્યો છે, ત્યાં તમે ભારતની સૌને સાથે લઈને ચાલવાના સંકલિત તત્વજ્ઞાન – “સૌનો સાથ સૌનો વિકાસ”નું ઉદાહરણ આપી શકો છો. જ્યાં વિશ્વમાં ઉગ્રવાદ અને આતંકવાદ વિષે ચિંતા વધી રહી છે ત્યાં તમે દુનિયાને ભારતીય સંસ્કૃતિના “સર્વ પંથસમભાવ”નો સંદેશ ફેલાવી શકો છો.

સાથીઓ,

આપ સૌ જાણો છો કે 2019માં પ્રયાગ અલાહાબાદમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવશે. એ પણ આપણા સૌ માટે એક ગૌરવની વાત છે કે, તાજેતરમાં જ કુંભ મેળાને યુનેસ્કોની ‘ઇન્ટેન્જીબલ કલ્ચરલ હેરીટેજ ઓફ હ્યુમનીટીની યાદીમાં સ્થાન મળ્યું છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આની વ્યાપક સ્તર પર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. મારો આગ્રહ છે કે આવતા વર્ષે જ્યારે તમે ભારત આવો તો એવી તૈયારી સાથે આવો કે પ્રયાગના દર્શન પણ જરૂરથી કરો. તમે તમારા દેશમાં આ ભવ્ય આયોજન વિષે જણાવશો તો તેઓ પણ ભારતીય સંસ્કૃતિની આ ધરોહરથી પરિચિત થશે.

ભાઈઓ અને બહેનો,

વિશ્વની સામે અનેક મોટા પડકારો છે, જેનો સામનો કરવા માટે ગાંધીજીના વિચારો આજે પણ પ્રાસંગિક છે. અહિંસા અને સત્યાગ્રહના માર્ગ પર ચાલીને કોઈપણ વિવાદ ઉકેલી શકાય તેમ છે. ઉગ્રવાદ અને કટ્ટરવાદને ડામનારી કોઈ વિચારધારા છે તો તે છે ગાંધીજીની વિચારધારા, ભારતીય મુલ્યોની વિચારધારા.

મિત્રો,

એક વિકસિત ભારતના નિર્માણ માટે, ન્યુ ઇન્ડિયાના સપનાને પૂરૂ કરવા માટે, અમે તમારી સાથે મળીને આગળ વધવા માંગીએ છીએ. આ સંમેલનમાં અમે તમારા અનુભવથી લાભાન્વિત થવા માંગીએ છીએ. ન્યુ ઇન્ડિયાનાં વિકાસ વિષે તમને જણાવવા માંગીએ છીએ, તમારી સાથે જોડાવા માંગીએ છીએ. તમે જ્યાં પણ હોવ, જે પણ દેશમાં રહો, તમારી વિકાસની યાત્રામાં પણ અમે સહભાગી બનવા માંગીએ છીએ.

સાથીઓ,

21મી સદીને એશિયાની સદી કહેવામાં આવી રહી છે. તેમાં નિશ્ચિતરૂપે ભારતની મહત્વની ભૂમિકા છે. આ ભૂમિકાનો પ્રભાવ, ભારતનાં વધતા કદનો પ્રભાવ તમે જ્યાં પણ રહેશો તેને અનુભવ કરશો. ભારતની વિકસી રહેલી અર્થવ્યવસ્થા, ભારતની વધી રહેલી તાકાત જોઇને જ્યારે તમારૂ માથું ઉપર ઉઠશે તો અમે હજી વધારે પરિશ્રમ કરવા માટે પ્રેરિત થઈશું.

ભાઈઓ અને બહેનો,

ભારત એ દેશ છે કે જેણે વિશ્વ ફલક ઉપર હંમેશા હકારાત્મક ભૂમિકા નિભાવી છે. આપણે કોઈપણ દેશ પ્રત્યે પોતાની નીતિને ફાયદા નુકસાનના ત્રાજવે નથી તોલી પરંતુ તેને માનવીય મુલ્યોના પરિમાણથી જોઈ છે.

અમારો વિકાસ સહાય આપવાનું મોડલ પણ “લેવડ-દેવડ”નાં મંત્ર પર આધારિત નથી. પરંતુ આ તે દેશોની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ ઉપર નિર્ભર કરે છે. અમારી ન તો કોઈ સંસાધનોનું શોષણ કરવાની ઈચ્છા રહી છે અને ન તો કોઈના ભૂ-ભાગ પર અમારી નજર છે. અમારું લક્ષ્ય હંમેશા ક્ષમતા નિર્માણ અને સંસાધન વિકાસ ઉપર જ રહ્યું છે. દ્વિપક્ષીય, બહુપક્ષીય મંચ, પછી તે કોમનવેલ્થ હોય, ભારત-આફ્રિકા ફોરમ સમીટ હોય, કે પછી ભારત-પેસિફિક આઈલેન્ડ કો-ઓપરેશન હોય, અમે દરેક મંચ પર સૌને સાથે લઈને આગળ વધવા માટે પ્રયત્નશીલ રહ્યા છીએ.

આસિયાન દેશો સાથેના અમારા સંબંધોને અમે આસિયાન સંગઠનની સાથે સંબંધ વધારીને વધુ મજબૂતાઈ આપી છે. ભારત-આસિયાન સંબંધોનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે તેની ઝાંખી હવેથી કેટલાક દિવસો બાદ ગણતંત્ર દિવસ ઉપર સમગ્ર દુનિયા જોઈ શકશે.

સાથીઓ,

ભારત સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, લોકતાંત્રિક મુલ્યો, સમાવેશીતા, સહયોગ અને ભાઈચારાનો હિમાયતી રહ્યો છે. આ એ જ સૂત્ર છે જે જન-પ્રતિનિધિઓના રૂપમાં તમને તમારા મત સાથે પણ જોડે છે. ભારત વિશ્વમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે યોગદાન આપતું રહે, એ જ અમારો પ્રયાસ છે અને એ જ અમારી પ્રતિબદ્ધતા છે.

મિત્રો,

અમારૂ આમંત્રણ સ્વીકારવા બદલ, પોતાના વ્યસ્ત કાર્યક્રમોમાંથી સમય કાઢીને અહિયાં આવવા બદલ, હું આપ સૌનો એકવાર ફરી હૃદયપૂર્વક આભાર પ્રગટ કરૂ છું. મને વિશ્વાસ છે કે તમારી સક્રિય ભાગીદારી વડે આ સંમેલન સફળ બનશે. હું આશા રાખું છું કે આવતા વર્ષે પ્રવાસી ભારતીય દિવસમાં તમને લોકોને ફરીથી મળવાનો મને અવસર મળશે. ખુબ ખુબ આભાર!!! જય હિંદ!!!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'Will walk shoulder to shoulder': PM Modi pushes 'Make in India, Partner with India' at Russia-India forum

Media Coverage

'Will walk shoulder to shoulder': PM Modi pushes 'Make in India, Partner with India' at Russia-India forum
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Today, India is becoming the key growth engine of the global economy: PM Modi
December 06, 2025
India is brimming with confidence: PM
In a world of slowdown, mistrust and fragmentation, India brings growth, trust and acts as a bridge-builder: PM
Today, India is becoming the key growth engine of the global economy: PM
India's Nari Shakti is doing wonders, Our daughters are excelling in every field today: PM
Our pace is constant, Our direction is consistent, Our intent is always Nation First: PM
Every sector today is shedding the old colonial mindset and aiming for new achievements with pride: PM

आप सभी को नमस्कार।

यहां हिंदुस्तान टाइम्स समिट में देश-विदेश से अनेक गणमान्य अतिथि उपस्थित हैं। मैं आयोजकों और जितने साथियों ने अपने विचार रखें, आप सभी का अभिनंदन करता हूं। अभी शोभना जी ने दो बातें बताई, जिसको मैंने नोटिस किया, एक तो उन्होंने कहा कि मोदी जी पिछली बार आए थे, तो ये सुझाव दिया था। इस देश में मीडिया हाउस को काम बताने की हिम्मत कोई नहीं कर सकता। लेकिन मैंने की थी, और मेरे लिए खुशी की बात है कि शोभना जी और उनकी टीम ने बड़े चाव से इस काम को किया। और देश को, जब मैं अभी प्रदर्शनी देखके आया, मैं सबसे आग्रह करूंगा कि इसको जरूर देखिए। इन फोटोग्राफर साथियों ने इस, पल को ऐसे पकड़ा है कि पल को अमर बना दिया है। दूसरी बात उन्होंने कही और वो भी जरा मैं शब्दों को जैसे मैं समझ रहा हूं, उन्होंने कहा कि आप आगे भी, एक तो ये कह सकती थी, कि आप आगे भी देश की सेवा करते रहिए, लेकिन हिंदुस्तान टाइम्स ये कहे, आप आगे भी ऐसे ही सेवा करते रहिए, मैं इसके लिए भी विशेष रूप से आभार व्यक्त करता हूं।

साथियों,

इस बार समिट की थीम है- Transforming Tomorrow. मैं समझता हूं जिस हिंदुस्तान अखबार का 101 साल का इतिहास है, जिस अखबार पर महात्मा गांधी जी, मदन मोहन मालवीय जी, घनश्यामदास बिड़ला जी, ऐसे अनगिनत महापुरूषों का आशीर्वाद रहा, वो अखबार जब Transforming Tomorrow की चर्चा करता है, तो देश को ये भरोसा मिलता है कि भारत में हो रहा परिवर्तन केवल संभावनाओं की बात नहीं है, बल्कि ये बदलते हुए जीवन, बदलती हुई सोच और बदलती हुई दिशा की सच्ची गाथा है।

साथियों,

आज हमारे संविधान के मुख्य शिल्पी, डॉक्टर बाबा साहेब आंबेडकर जी का महापरिनिर्वाण दिवस भी है। मैं सभी भारतीयों की तरफ से उन्हें श्रद्धांजलि अर्पित करता हूं।

Friends,

आज हम उस मुकाम पर खड़े हैं, जब 21वीं सदी का एक चौथाई हिस्सा बीत चुका है। इन 25 सालों में दुनिया ने कई उतार-चढ़ाव देखे हैं। फाइनेंशियल क्राइसिस देखी हैं, ग्लोबल पेंडेमिक देखी हैं, टेक्नोलॉजी से जुड़े डिसरप्शन्स देखे हैं, हमने बिखरती हुई दुनिया भी देखी है, Wars भी देख रहे हैं। ये सारी स्थितियां किसी न किसी रूप में दुनिया को चैलेंज कर रही हैं। आज दुनिया अनिश्चितताओं से भरी हुई है। लेकिन अनिश्चितताओं से भरे इस दौर में हमारा भारत एक अलग ही लीग में दिख रहा है, भारत आत्मविश्वास से भरा हुआ है। जब दुनिया में slowdown की बात होती है, तब भारत growth की कहानी लिखता है। जब दुनिया में trust का crisis दिखता है, तब भारत trust का pillar बन रहा है। जब दुनिया fragmentation की तरफ जा रही है, तब भारत bridge-builder बन रहा है।

साथियों,

अभी कुछ दिन पहले भारत में Quarter-2 के जीडीपी फिगर्स आए हैं। Eight परसेंट से ज्यादा की ग्रोथ रेट हमारी प्रगति की नई गति का प्रतिबिंब है।

साथियों,

ये एक सिर्फ नंबर नहीं है, ये strong macro-economic signal है। ये संदेश है कि भारत आज ग्लोबल इकोनॉमी का ग्रोथ ड्राइवर बन रहा है। और हमारे ये आंकड़े तब हैं, जब ग्लोबल ग्रोथ 3 प्रतिशत के आसपास है। G-7 की इकोनमीज औसतन डेढ़ परसेंट के आसपास हैं, 1.5 परसेंट। इन परिस्थितियों में भारत high growth और low inflation का मॉडल बना हुआ है। एक समय था, जब हमारे देश में खास करके इकोनॉमिस्ट high Inflation को लेकर चिंता जताते थे। आज वही Inflation Low होने की बात करते हैं।

साथियों,

भारत की ये उपलब्धियां सामान्य बात नहीं है। ये सिर्फ आंकड़ों की बात नहीं है, ये एक फंडामेंटल चेंज है, जो बीते दशक में भारत लेकर आया है। ये फंडामेंटल चेंज रज़ीलियन्स का है, ये चेंज समस्याओं के समाधान की प्रवृत्ति का है, ये चेंज आशंकाओं के बादलों को हटाकर, आकांक्षाओं के विस्तार का है, और इसी वजह से आज का भारत खुद भी ट्रांसफॉर्म हो रहा है, और आने वाले कल को भी ट्रांसफॉर्म कर रहा है।

साथियों,

आज जब हम यहां transforming tomorrow की चर्चा कर रहे हैं, हमें ये भी समझना होगा कि ट्रांसफॉर्मेशन का जो विश्वास पैदा हुआ है, उसका आधार वर्तमान में हो रहे कार्यों की, आज हो रहे कार्यों की एक मजबूत नींव है। आज के Reform और आज की Performance, हमारे कल के Transformation का रास्ता बना रहे हैं। मैं आपको एक उदाहरण दूंगा कि हम किस सोच के साथ काम कर रहे हैं।

साथियों,

आप भी जानते हैं कि भारत के सामर्थ्य का एक बड़ा हिस्सा एक लंबे समय तक untapped रहा है। जब देश के इस untapped potential को ज्यादा से ज्यादा अवसर मिलेंगे, जब वो पूरी ऊर्जा के साथ, बिना किसी रुकावट के देश के विकास में भागीदार बनेंगे, तो देश का कायाकल्प होना तय है। आप सोचिए, हमारा पूर्वी भारत, हमारा नॉर्थ ईस्ट, हमारे गांव, हमारे टीयर टू और टीय़र थ्री सिटीज, हमारे देश की नारीशक्ति, भारत की इनोवेटिव यूथ पावर, भारत की सामुद्रिक शक्ति, ब्लू इकोनॉमी, भारत का स्पेस सेक्टर, कितना कुछ है, जिसके फुल पोटेंशियल का इस्तेमाल पहले के दशकों में हो ही नहीं पाया। अब आज भारत इन Untapped पोटेंशियल को Tap करने के विजन के साथ आगे बढ़ रहा है। आज पूर्वी भारत में आधुनिक इंफ्रास्ट्रक्चर, कनेक्टिविटी और इंडस्ट्री पर अभूतपूर्व निवेश हो रहा है। आज हमारे गांव, हमारे छोटे शहर भी आधुनिक सुविधाओं से लैस हो रहे हैं। हमारे छोटे शहर, Startups और MSMEs के नए केंद्र बन रहे हैं। हमारे गाँवों में किसान FPO बनाकर सीधे market से जुड़ें, और कुछ तो FPO’s ग्लोबल मार्केट से जुड़ रहे हैं।

साथियों,

भारत की नारीशक्ति तो आज कमाल कर रही हैं। हमारी बेटियां आज हर फील्ड में छा रही हैं। ये ट्रांसफॉर्मेशन अब सिर्फ महिला सशक्तिकरण तक सीमित नहीं है, ये समाज की सोच और सामर्थ्य, दोनों को transform कर रहा है।

साथियों,

जब नए अवसर बनते हैं, जब रुकावटें हटती हैं, तो आसमान में उड़ने के लिए नए पंख भी लग जाते हैं। इसका एक उदाहरण भारत का स्पेस सेक्टर भी है। पहले स्पेस सेक्टर सरकारी नियंत्रण में ही था। लेकिन हमने स्पेस सेक्टर में रिफॉर्म किया, उसे प्राइवेट सेक्टर के लिए Open किया, और इसके नतीजे आज देश देख रहा है। अभी 10-11 दिन पहले मैंने हैदराबाद में Skyroot के Infinity Campus का उद्घाटन किया है। Skyroot भारत की प्राइवेट स्पेस कंपनी है। ये कंपनी हर महीने एक रॉकेट बनाने की क्षमता पर काम कर रही है। ये कंपनी, flight-ready विक्रम-वन बना रही है। सरकार ने प्लेटफॉर्म दिया, और भारत का नौजवान उस पर नया भविष्य बना रहा है, और यही तो असली ट्रांसफॉर्मेशन है।

साथियों,

भारत में आए एक और बदलाव की चर्चा मैं यहां करना ज़रूरी समझता हूं। एक समय था, जब भारत में रिफॉर्म्स, रिएक्शनरी होते थे। यानि बड़े निर्णयों के पीछे या तो कोई राजनीतिक स्वार्थ होता था या फिर किसी क्राइसिस को मैनेज करना होता था। लेकिन आज नेशनल गोल्स को देखते हुए रिफॉर्म्स होते हैं, टारगेट तय है। आप देखिए, देश के हर सेक्टर में कुछ ना कुछ बेहतर हो रहा है, हमारी गति Constant है, हमारी Direction Consistent है, और हमारा intent, Nation First का है। 2025 का तो ये पूरा साल ऐसे ही रिफॉर्म्स का साल रहा है। सबसे बड़ा रिफॉर्म नेक्स्ट जेनरेशन जीएसटी का था। और इन रिफॉर्म्स का असर क्या हुआ, वो सारे देश ने देखा है। इसी साल डायरेक्ट टैक्स सिस्टम में भी बहुत बड़ा रिफॉर्म हुआ है। 12 लाख रुपए तक की इनकम पर ज़ीरो टैक्स, ये एक ऐसा कदम रहा, जिसके बारे में एक दशक पहले तक सोचना भी असंभव था।

साथियों,

Reform के इसी सिलसिले को आगे बढ़ाते हुए, अभी तीन-चार दिन पहले ही Small Company की डेफिनीशन में बदलाव किया गया है। इससे हजारों कंपनियाँ अब आसान नियमों, तेज़ प्रक्रियाओं और बेहतर सुविधाओं के दायरे में आ गई हैं। हमने करीब 200 प्रोडक्ट कैटगरीज़ को mandatory क्वालिटी कंट्रोल ऑर्डर से बाहर भी कर दिया गया है।

साथियों,

आज के भारत की ये यात्रा, सिर्फ विकास की नहीं है। ये सोच में बदलाव की भी यात्रा है, ये मनोवैज्ञानिक पुनर्जागरण, साइकोलॉजिकल रेनसां की भी यात्रा है। आप भी जानते हैं, कोई भी देश बिना आत्मविश्वास के आगे नहीं बढ़ सकता। दुर्भाग्य से लंबी गुलामी ने भारत के इसी आत्मविश्वास को हिला दिया था। और इसकी वजह थी, गुलामी की मानसिकता। गुलामी की ये मानसिकता, विकसित भारत के लक्ष्य की प्राप्ति में एक बहुत बड़ी रुकावट है। और इसलिए, आज का भारत गुलामी की मानसिकता से मुक्ति पाने के लिए काम कर रहा है।

साथियों,

अंग्रेज़ों को अच्छी तरह से पता था कि भारत पर लंबे समय तक राज करना है, तो उन्हें भारतीयों से उनके आत्मविश्वास को छीनना होगा, भारतीयों में हीन भावना का संचार करना होगा। और उस दौर में अंग्रेजों ने यही किया भी। इसलिए, भारतीय पारिवारिक संरचना को दकियानूसी बताया गया, भारतीय पोशाक को Unprofessional करार दिया गया, भारतीय त्योहार-संस्कृति को Irrational कहा गया, योग-आयुर्वेद को Unscientific बता दिया गया, भारतीय अविष्कारों का उपहास उड़ाया गया और ये बातें कई-कई दशकों तक लगातार दोहराई गई, पीढ़ी दर पीढ़ी ये चलता गया, वही पढ़ा, वही पढ़ाया गया। और ऐसे ही भारतीयों का आत्मविश्वास चकनाचूर हो गया।

साथियों,

गुलामी की इस मानसिकता का कितना व्यापक असर हुआ है, मैं इसके कुछ उदाहरण आपको देना चाहता हूं। आज भारत, दुनिया की सबसे तेज़ी से ग्रो करने वाली मेजर इकॉनॉमी है, कोई भारत को ग्लोबल ग्रोथ इंजन बताता है, कोई, Global powerhouse कहता है, एक से बढ़कर एक बातें आज हो रही हैं।

लेकिन साथियों,

आज भारत की जो तेज़ ग्रोथ हो रही है, क्या कहीं पर आपने पढ़ा? क्या कहीं पर आपने सुना? इसको कोई, हिंदू रेट ऑफ ग्रोथ कहता है क्या? दुनिया की तेज इकॉनमी, तेज ग्रोथ, कोई कहता है क्या? हिंदू रेट ऑफ ग्रोथ कब कहा गया? जब भारत, दो-तीन परसेंट की ग्रोथ के लिए तरस गया था। आपको क्या लगता है, किसी देश की इकोनॉमिक ग्रोथ को उसमें रहने वाले लोगों की आस्था से जोड़ना, उनकी पहचान से जोड़ना, क्या ये अनायास ही हुआ होगा क्या? जी नहीं, ये गुलामी की मानसिकता का प्रतिबिंब था। एक पूरे समाज, एक पूरी परंपरा को, अन-प्रोडक्टिविटी का, गरीबी का पर्याय बना दिया गया। यानी ये सिद्ध करने का प्रयास किया गया कि, भारत की धीमी विकास दर का कारण, हमारी हिंदू सभ्यता और हिंदू संस्कृति है। और हद देखिए, आज जो तथाकथित बुद्धिजीवी हर चीज में, हर बात में सांप्रदायिकता खोजते रहते हैं, उनको हिंदू रेट ऑफ ग्रोथ में सांप्रदायिकता नज़र नहीं आई। ये टर्म, उनके दौर में किताबों का, रिसर्च पेपर्स का हिस्सा बना दिया गया।

साथियों,

गुलामी की मानसिकता ने भारत में मैन्युफेक्चरिंग इकोसिस्टम को कैसे तबाह कर दिया, और हम इसको कैसे रिवाइव कर रहे हैं, मैं इसके भी कुछ उदाहरण दूंगा। भारत गुलामी के कालखंड में भी अस्त्र-शस्त्र का एक बड़ा निर्माता था। हमारे यहां ऑर्डिनेंस फैक्ट्रीज़ का एक सशक्त नेटवर्क था। भारत से हथियार निर्यात होते थे। विश्व युद्धों में भी भारत में बने हथियारों का बोल-बाला था। लेकिन आज़ादी के बाद, हमारा डिफेंस मैन्युफेक्चरिंग इकोसिस्टम तबाह कर दिया गया। गुलामी की मानसिकता ऐसी हावी हुई कि सरकार में बैठे लोग भारत में बने हथियारों को कमजोर आंकने लगे, और इस मानसिकता ने भारत को दुनिया के सबसे बड़े डिफेंस importers के रूप में से एक बना दिया।

साथियों,

गुलामी की मानसिकता ने शिप बिल्डिंग इंडस्ट्री के साथ भी यही किया। भारत सदियों तक शिप बिल्डिंग का एक बड़ा सेंटर था। यहां तक कि 5-6 दशक पहले तक, यानी 50-60 साल पहले, भारत का फोर्टी परसेंट ट्रेड, भारतीय जहाजों पर होता था। लेकिन गुलामी की मानसिकता ने विदेशी जहाज़ों को प्राथमिकता देनी शुरु की। नतीजा सबके सामने है, जो देश कभी समुद्री ताकत था, वो अपने Ninety five परसेंट व्यापार के लिए विदेशी जहाज़ों पर निर्भर हो गया है। और इस वजह से आज भारत हर साल करीब 75 बिलियन डॉलर, यानी लगभग 6 लाख करोड़ रुपए विदेशी शिपिंग कंपनियों को दे रहा है।

साथियों,

शिप बिल्डिंग हो, डिफेंस मैन्यूफैक्चरिंग हो, आज हर सेक्टर में गुलामी की मानसिकता को पीछे छोड़कर नए गौरव को हासिल करने का प्रयास किया जा रहा है।

साथियों,

गुलामी की मानसिकता ने एक बहुत बड़ा नुकसान, भारत में गवर्नेंस की अप्रोच को भी किया है। लंबे समय तक सरकारी सिस्टम का अपने नागरिकों पर अविश्वास रहा। आपको याद होगा, पहले अपने ही डॉक्यूमेंट्स को किसी सरकारी अधिकारी से अटेस्ट कराना पड़ता था। जब तक वो ठप्पा नहीं मारता है, सब झूठ माना जाता था। आपका परिश्रम किया हुआ सर्टिफिकेट। हमने ये अविश्वास का भाव तोड़ा और सेल्फ एटेस्टेशन को ही पर्याप्त माना। मेरे देश का नागरिक कहता है कि भई ये मैं कह रहा हूं, मैं उस पर भरोसा करता हूं।

साथियों,

हमारे देश में ऐसे-ऐसे प्रावधान चल रहे थे, जहां ज़रा-जरा सी गलतियों को भी गंभीर अपराध माना जाता था। हम जन-विश्वास कानून लेकर आए, और ऐसे सैकड़ों प्रावधानों को डी-क्रिमिनलाइज किया है।

साथियों,

पहले बैंक से हजार रुपए का भी लोन लेना होता था, तो बैंक गारंटी मांगता था, क्योंकि अविश्वास बहुत अधिक था। हमने मुद्रा योजना से अविश्वास के इस कुचक्र को तोड़ा। इसके तहत अभी तक 37 lakh crore, 37 लाख करोड़ रुपए की गारंटी फ्री लोन हम दे चुके हैं देशवासियों को। इस पैसे से, उन परिवारों के नौजवानों को भी आंत्रप्रन्योर बनने का विश्वास मिला है। आज रेहड़ी-पटरी वालों को भी, ठेले वाले को भी बिना गारंटी बैंक से पैसा दिया जा रहा है।

साथियों,

हमारे देश में हमेशा से ये माना गया कि सरकार को अगर कुछ दे दिया, तो फिर वहां तो वन वे ट्रैफिक है, एक बार दिया तो दिया, फिर वापस नहीं आता है, गया, गया, यही सबका अनुभव है। लेकिन जब सरकार और जनता के बीच विश्वास मजबूत होता है, तो काम कैसे होता है? अगर कल अच्छी करनी है ना, तो मन आज अच्छा करना पड़ता है। अगर मन अच्छा है तो कल भी अच्छा होता है। और इसलिए हम एक और अभियान लेकर आए, आपको सुनकर के ताज्जुब होगा और अभी अखबारों में उसकी, अखबारों वालों की नजर नहीं गई है उस पर, मुझे पता नहीं जाएगी की नहीं जाएगी, आज के बाद हो सकता है चली जाए।

आपको ये जानकर हैरानी होगी कि आज देश के बैंकों में, हमारे ही देश के नागरिकों का 78 thousand crore रुपया, 78 हजार करोड़ रुपए Unclaimed पड़ा है बैंको में, पता नहीं कौन है, किसका है, कहां है। इस पैसे को कोई पूछने वाला नहीं है। इसी तरह इन्श्योरेंश कंपनियों के पास करीब 14 हजार करोड़ रुपए पड़े हैं। म्यूचुअल फंड कंपनियों के पास करीब 3 हजार करोड़ रुपए पड़े हैं। 9 हजार करोड़ रुपए डिविडेंड का पड़ा है। और ये सब Unclaimed पड़ा हुआ है, कोई मालिक नहीं उसका। ये पैसा, गरीब और मध्यम वर्गीय परिवारों का है, और इसलिए, जिसके हैं वो तो भूल चुका है। हमारी सरकार अब उनको ढूंढ रही है देशभर में, अरे भई बताओ, तुम्हारा तो पैसा नहीं था, तुम्हारे मां बाप का तो नहीं था, कोई छोड़कर तो नहीं चला गया, हम जा रहे हैं। हमारी सरकार उसके हकदार तक पहुंचने में जुटी है। और इसके लिए सरकार ने स्पेशल कैंप लगाना शुरू किया है, लोगों को समझा रहे हैं, कि भई देखिए कोई है तो अता पता। आपके पैसे कहीं हैं क्या, गए हैं क्या? अब तक करीब 500 districts में हम ऐसे कैंप लगाकर हजारों करोड़ रुपए असली हकदारों को दे चुके हैं जी। पैसे पड़े थे, कोई पूछने वाला नहीं था, लेकिन ये मोदी है, ढूंढ रहा है, अरे यार तेरा है ले जा।

साथियों,

ये सिर्फ asset की वापसी का मामला नहीं है, ये विश्वास का मामला है। ये जनता के विश्वास को निरंतर हासिल करने की प्रतिबद्धता है और जनता का विश्वास, यही हमारी सबसे बड़ी पूंजी है। अगर गुलामी की मानसिकता होती तो सरकारी मानसी साहबी होता और ऐसे अभियान कभी नहीं चलते हैं।

साथियों,

हमें अपने देश को पूरी तरह से, हर क्षेत्र में गुलामी की मानसिकता से पूर्ण रूप से मुक्त करना है। अभी कुछ दिन पहले मैंने देश से एक अपील की है। मैं आने वाले 10 साल का एक टाइम-फ्रेम लेकर, देशवासियों को मेरे साथ, मेरी बातों को ये कुछ करने के लिए प्यार से आग्रह कर रहा हूं, हाथ जोड़कर विनती कर रहा हूं। 140 करोड़ देशवसियों की मदद के बिना ये मैं कर नहीं पाऊंगा, और इसलिए मैं देशवासियों से बार-बार हाथ जोड़कर कह रहा हूं, और 10 साल के इस टाइम फ्रैम में मैं क्या मांग रहा हूं? मैकाले की जिस नीति ने भारत में मानसिक गुलामी के बीज बोए थे, उसको 2035 में 200 साल पूरे हो रहे हैं, Two hundred year हो रहे हैं। यानी 10 साल बाकी हैं। और इसलिए, इन्हीं दस वर्षों में हम सभी को मिलकर के, अपने देश को गुलामी की मानसिकता से मुक्त करके रहना चाहिए।

साथियों,

मैं अक्सर कहता हूं, हम लीक पकड़कर चलने वाले लोग नहीं हैं। बेहतर कल के लिए, हमें अपनी लकीर बड़ी करनी ही होगी। हमें देश की भविष्य की आवश्यकताओं को समझते हुए, वर्तमान में उसके हल तलाशने होंगे। आजकल आप देखते हैं कि मैं मेक इन इंडिया और आत्मनिर्भर भारत अभियान पर लगातार चर्चा करता हूं। शोभना जी ने भी अपने भाषण में उसका उल्लेख किया। अगर ऐसे अभियान 4-5 दशक पहले शुरू हो गए होते, तो आज भारत की तस्वीर कुछ और होती। लेकिन तब जो सरकारें थीं उनकी प्राथमिकताएं कुछ और थीं। आपको वो सेमीकंडक्टर वाला किस्सा भी पता ही है, करीब 50-60 साल पहले, 5-6 दशक पहले एक कंपनी, भारत में सेमीकंडक्टर प्लांट लगाने के लिए आई थी, लेकिन यहां उसको तवज्जो नहीं दी गई, और देश सेमीकंडक्टर मैन्युफैक्चरिंग में इतना पिछड़ गया।

साथियों,

यही हाल एनर्जी सेक्टर की भी है। आज भारत हर साल करीब-करीब 125 लाख करोड़ रुपए के पेट्रोल-डीजल-गैस का इंपोर्ट करता है, 125 लाख करोड़ रुपया। हमारे देश में सूर्य भगवान की इतनी बड़ी कृपा है, लेकिन फिर भी 2014 तक भारत में सोलर एनर्जी जनरेशन कपैसिटी सिर्फ 3 गीगावॉट थी, 3 गीगावॉट थी। 2014 तक की मैं बात कर रहा हूं, जब तक की आपने मुझे यहां लाकर के बिठाया नहीं। 3 गीगावॉट, पिछले 10 वर्षों में अब ये बढ़कर 130 गीगावॉट के आसपास पहुंच चुकी है। और इसमें भी भारत ने twenty two गीगावॉट कैपेसिटी, सिर्फ और सिर्फ rooftop solar से ही जोड़ी है। 22 गीगावाट एनर्जी रूफटॉप सोलर से।

साथियों,

पीएम सूर्य घर मुफ्त बिजली योजना ने, एनर्जी सिक्योरिटी के इस अभियान में देश के लोगों को सीधी भागीदारी करने का मौका दे दिया है। मैं काशी का सांसद हूं, प्रधानमंत्री के नाते जो काम है, लेकिन सांसद के नाते भी कुछ काम करने होते हैं। मैं जरा काशी के सांसद के नाते आपको कुछ बताना चाहता हूं। और आपके हिंदी अखबार की तो ताकत है, तो उसको तो जरूर काम आएगा। काशी में 26 हजार से ज्यादा घरों में पीएम सूर्य घर मुफ्त बिजली योजना के सोलर प्लांट लगे हैं। इससे हर रोज, डेली तीन लाख यूनिट से अधिक बिजली पैदा हो रही है, और लोगों के करीब पांच करोड़ रुपए हर महीने बच रहे हैं। यानी साल भर के साठ करोड़ रुपये।

साथियों,

इतनी सोलर पावर बनने से, हर साल करीब नब्बे हज़ार, ninety thousand मीट्रिक टन कार्बन एमिशन कम हो रहा है। इतने कार्बन एमिशन को खपाने के लिए, हमें चालीस लाख से ज्यादा पेड़ लगाने पड़ते। और मैं फिर कहूंगा, ये जो मैंने आंकडे दिए हैं ना, ये सिर्फ काशी के हैं, बनारस के हैं, मैं देश की बात नहीं बता रहा हूं आपको। आप कल्पना कर सकते हैं कि, पीएम सूर्य घर मुफ्त बिजली योजना, ये देश को कितना बड़ा फायदा हो रहा है। आज की एक योजना, भविष्य को Transform करने की कितनी ताकत रखती है, ये उसका Example है।

वैसे साथियों,

अभी आपने मोबाइल मैन्यूफैक्चरिंग के भी आंकड़े देखे होंगे। 2014 से पहले तक हम अपनी ज़रूरत के 75 परसेंट मोबाइल फोन इंपोर्ट करते थे, 75 परसेंट। और अब, भारत का मोबाइल फोन इंपोर्ट लगभग ज़ीरो हो गया है। अब हम बहुत बड़े मोबाइल फोन एक्सपोर्टर बन रहे हैं। 2014 के बाद हमने एक reform किया, देश ने Perform किया और उसके Transformative नतीजे आज दुनिया देख रही है।

साथियों,

Transforming tomorrow की ये यात्रा, ऐसी ही अनेक योजनाओं, अनेक नीतियों, अनेक निर्णयों, जनआकांक्षाओं और जनभागीदारी की यात्रा है। ये निरंतरता की यात्रा है। ये सिर्फ एक समिट की चर्चा तक सीमित नहीं है, भारत के लिए तो ये राष्ट्रीय संकल्प है। इस संकल्प में सबका साथ जरूरी है, सबका प्रयास जरूरी है। सामूहिक प्रयास हमें परिवर्तन की इस ऊंचाई को छूने के लिए अवसर देंगे ही देंगे।

साथियों,

एक बार फिर, मैं शोभना जी का, हिन्दुस्तान टाइम्स का बहुत आभारी हूं, कि आपने मुझे अवसर दिया आपके बीच आने का और जो बातें कभी-कभी बताई उसको आपने किया और मैं तो मानता हूं शायद देश के फोटोग्राफरों के लिए एक नई ताकत बनेगा ये। इसी प्रकार से अनेक नए कार्यक्रम भी आप आगे के लिए सोच सकते हैं। मेरी मदद लगे तो जरूर मुझे बताना, आईडिया देने का मैं कोई रॉयल्टी नहीं लेता हूं। मुफ्त का कारोबार है और मारवाड़ी परिवार है, तो मौका छोड़ेगा ही नहीं। बहुत-बहुत धन्यवाद आप सबका, नमस्कार।