કન્યા કેળવણી શાળાપ્રવેશ મહોત્સવ  ર૦૧ર

જનઅભિયાનના પ્રારંભે વિડિયો કોન્ફરન્સથી સમાજની સામૂહિક શકિતને ઉજાગર કરતા મુખ્યમંત્રીશ્રી

શાળા પ્રવેશોત્સવ એ ૧પ વર્ષ પછીના સુશિક્ષિત ગુજરાતનો પાયો નાંખે છે

ગામપરિવારરાષ્ટ્રનું સંસ્કારનું કિલ્લોલ ઘોડીયું આંગણવાડીપ્રાથમિક શાળા છે

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજથી શરૂ થયેલા ત્રણ દિવસના કન્યા કેળવણી અને શાળાપ્રવેશ મહોત્સવના દશમા અભિયાનના પ્રારંભે વિડિયો કોન્ફરન્સથી વાલી સમાજને પ્રેરક અપીલ કરતાં જણાવ્યું હતું કે ગામમાં મંદિર જેટલું જ મહત્વ પ્રાથમિક શાળાનું છે. આપણા બાળકનું બાળપણ એમાં પ્રાણશકિત તરીકે ધબકતું રાખવાનું આપણું દાયિત્વ છે.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ૧પ વર્ષ પછીનું ગુજરાત સુશિક્ષિત હશે તેનો પાયો આ જનઅભિયાન બની રહેવાનું છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રીથી માંડીને આખી સરકાર અને જનપ્રતિનિધિઓ ગામેગામ દિકરીદિકરાને ભણાવવાનો ભેખ લઇને નીકળ્યા છે. ગામ આખું સુશિક્ષિત હોયગામની દિકરીદિકરો ડોકટરએન્જીનીયર ઉચ્ચ હોદ ઉપર પ્રતિષ્ઠા મેળવીને ગામને ગૌરવ અપાવે છે એ જ શિક્ષણનું મહત્વ સમજાવે છે. ગરીબ બાળકને શિક્ષિત બનાવવા આ સરકારે દશ જ વર્ષમાં શું નથી કર્યું? એવો પ્રશ્ન કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે બાળક શાળામાં દાખલ થયું એટલે એના જીવનનો વીમો સરકારે વિદ્યાદીપ યોજના નીચે ઊતારી દીધો છે.

શાળાના પ્રત્યેક બાળકના આરોગ્યનું પરિક્ષણ અને રોગોની સારવારની આ સરકારે જવાબદારી ઉપાડી લીધી છે. રાજ્ય સરકારના તમામ અધિકારીઓએ શિક્ષણસંસ્કાર માટે જે ઉત્તમ દાયિત્વમાં યોગદાન આપ્યું છે તેને બિરદાવતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે અનેક અધિકારીઓએ આંગણવાડી દત્તક લઇ લીધી છે. આ એવો અવસર છે કે શિક્ષણ માટે આખી સરકાર આટલી સંવેદનશીલ છે. ગુણોત્સવથી બે લાખની શિક્ષકોની સેનામાં નવી ચેતના જાગી છે ત્યારે ગામ આખું પણ એ માટે સંવેદનાથી શાળાના ઉત્તમ શિક્ષણ માટેની કાળજી લે એ જરૂરી છે.

દશ વર્ષની આ સરકારની તપસ્યા અને ભૂતકાળની સરકારોએ પ્રાથમિક શિક્ષણ માટે કરેલા આંખમિચામણાની તુલના કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ઼ કે બધી જ ૩૪૦૦૦ શાળાઓમાં શાળાના ઓરડા, શિક્ષકો, સેનીટેશન યુનિટ, વીજળી, કોમ્પ્યુટર લેબ, મધ્યાન્હ ભોજન, પોષક આહાર, વાંચે ગુજરાતનું અભિયાન અને પુસ્તકોની લાયબ્રેરી, રમતનું મેદાનબધી જ સુવિધાઓ આપી છે. શિક્ષકોને તેમણે કોમ્પ્યુટરનું જ્ઞાન અનિવાર્યપણે મેળવી લેવા આહ્વાન કર્યું હતું.

શાળા માટે સમાજની સંવેદના જગાવવા તિથી ભોજન માટે પણ તેમણે પ્રેરક અપીલ કરી હતી. દિકરીઓ ધો૭ પછી પણ માધ્યમિક શાળામાં આગળ ભણે તેવો અનુરોધ તેમણે કર્યો હતો. આંગણવાડીના ગરીબ ભૂલકાંઓ માટે લોકભાગીદારીથી લાખો લાખો રમકડાંની ભેટ આપવાની સમાજની સત્વશકિત ગુજરાતની આવતીકાલને ઉજ્જવળ બનાવવાનો સંકેત છે એમ તેમણે જણાવ્યું હતું.

ગામ નક્કી કરે કે ગામની શાળા ‘એ’ ગ્રેડમાં લાવવી જ છેએવો સંકલ્પ કરવાનું પ્રેરક આહ્વાન પણ તેમણે કર્યું હતું. આ પ્રસંગે પ્રાથમિક શિક્ષણ અગ્ર સચિવ શ્રીમતી સંગીતાસિંઘ અને પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી આર. સી. રાવળ ઉપસ્થિત રહ્યા હતા.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India among Asia's fastest-growing green economies with $110 billion revenue in 2025: LSEG

Media Coverage

India among Asia's fastest-growing green economies with $110 billion revenue in 2025: LSEG
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays homage to Bankim Chandra Chattopadhyay on His Jayanti
June 26, 2026

The Prime Minister, Shri Narendra Modi, today, paid tributes to the great Bankim Chandra Chattopadhyay on his Jayanti, remembering him as a towering literary luminary whose writings ignited the spirit of patriotism and cultural pride among generations of Indians.

Highlighting the significance of the year, Shri Modi noted that India is commemorating the 150th anniversary of Vande Mataram. He remarked that through Vande Mataram, Bankim Chandra Chattopadhyay gifted the Indian freedom movement and the nation one of its most enduring sources of inspiration.

The Prime Minister posted on X:

Tributes to the great Bankim Chandra Chattopadhyay on his Jayanti.

A towering literary luminary, his writings awakened a spirit of patriotism and cultural pride among generations of Indians. His rich literary work continues to illuminate minds and strengthen our collective resolve towards nation-building.

This is a time when we are marking the 150th anniversary of Vande Mataram. Through Vande Mataram, he gifted the freedom movement and our nation one of its most enduring inspirations.

মহান বঙ্কিম চন্দ্র চট্টোপাধ্যায়ের জয়ন্তীতে তাঁর প্রতি শ্রদ্ধাঞ্জলি।

এক সুবিশাল সাহিত্যিক আলোকবর্তিকা হিসেবে, তাঁর লেখা প্রজন্মান্তরের ভারতীয়দের মধ্যে দেশপ্রেম এবং সাংস্কৃতিক গৌরবের চেতনা জাগ্রত করেছিল। তাঁর সমৃদ্ধ সাহিত্যকর্ম মনকে উদ্ভাসিত করে চলেছে এবং জাতি গঠনের প্রতি আমাদের সম্মিলিত সংকল্পকে শক্তিশালী করছে।

এখন আমরা বন্দে মাতরমের ১৫০তম বার্ষিকী উদযাপন করছি। বন্দে মাতরমের মাধ্যমে, তিনি স্বাধীনতা আন্দোলন এবং আমাদের জাতিকে অন্যতম দীর্ঘস্থায়ী অনুপ্রেরণা উপহার দিয়েছিলেন।