મહિલા દિવસનાં અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં નવસારીમાં લખપતિ દીદીઓ સાથે નારી સશક્તિકરણનાં મહત્ત્વ અને સમાજમાં તેમનાં યોગદાન વિશે વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આજે જ્યારે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે આપણી પરંપરા અને સંસ્કૃતિમાં આ દિવસની શરૂઆત માતા પ્રત્યેના આદરભાવથી થાય છે, 'માતૃ દેવો ભવ'. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમારા માટે વર્ષનો દરેક દિવસ 'માતૃ દેવો ભવ' છે.

 

એક લખપતિ દીદીએ શિવાની મહિલા મંડળ સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો હતો, જ્યાં તેઓ સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક કળા મણકામાં જોડાયેલા છે. તેમણે જણાવ્યું હતું કે તેઓએ 400થી વધુ બહેનોને મણકાના કામની તાલીમ આપી છે, જેમાં અન્ય બહેનો માર્કેટિંગ અને એકાઉન્ટિંગ કાર્યો સંભાળે છે. પ્રધાનમંત્રીએ પૂછપરછ કરી હતી કે શું માર્કેટિંગ ટીમ રાજ્યની બહાર પ્રવાસ કરે છે, જેના પર તેમણે પુષ્ટિ કરી હતી કે તેમણે ભારતના લગભગ તમામ મોટા શહેરોને આવરી લીધા છે. સહભાગીએ અન્ય લખપતિ દીદી, પારૂલ બહેનની સફળતા પર પ્રકાશ પાડ્યો હતો, જે 40,000 રૂપિયાથી વધુની કમાણી કરે છે, અને લખપતિ દીદીઓની સિદ્ધિનો સ્વીકાર કર્યો. શ્રી મોદીએ ત્રણ કરોડ લખપતિ દીદીઓ બનાવવાનું પોતાનું સ્વપ્ન વ્યક્ત કર્યું અને વિશ્વાસ કર્યો કે તેઓ પાંચ કરોડ સુધી પહોંચી શકશે.

બીજી એક લખપતિ દીદીએ 65 મહિલાઓ સાથે ખાંડની ચાસણીમાંથી કેન્ડી બનાવવાની તેમની સફર શેર કરી, જેનાથી તેમને વાર્ષિક 25 થી 30 લાખ રૂપિયાનું ટર્નઓવર પ્રાપ્ત કરવામાં મદદ મળી. તેમણે કહ્યું કે સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલા પ્લેટફોર્મથી તેઓ લાચાર મહિલાઓને મદદ કરી શક્યા છે અને તેમના બાળકોને શિક્ષિત કરી શક્યા છે. તેમણે પોતાના પ્રયાસો વિશે વધુ વિગતવાર જણાવ્યું અને કહ્યું કે તેમણે પોતાની માર્કેટિંગ પ્રવૃત્તિઓ માટે વાહનો પણ ખરીદ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે તેમણે મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી હોવાના બોજ વિના મોટાભાગના લખપતિ દીદીઓના સ્ટોલની મુલાકાત લીધી હતી અને તે તેમના માટે સામાન્ય બાબત હતી.

 

પોતાના અનુભવને શેર કરતા અન્ય એક લખપતિ દીદીએ ખાતરી આપી હતી કે, તેઓ સખત મહેનત કરીને થોડા વર્ષોમાં કરોડપતિ બની જશે. તેમણે પ્રધાનમંત્રીનો તેમને સફળતાનો માર્ગ દેખાડવા બદલ આભાર માન્યો હતો. એક ડ્રોન દીદીએ પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે તે લગભગ 2 લાખ રૂપિયાની કમાણી કરી રહી છે. પ્રધાનમંત્રીએ એક મહિલા વિશેના અનુભવ સાથે જવાબ આપ્યો જે સાયકલ ચલાવતા નથી જાણતી, પરંતુ તે ડ્રોન પાઇલટ છે. મહારાષ્ટ્રના પુણેમાં તાલીમ લેનારી આ મહિલાએ ઉમેર્યું હતું કે તેના સંબંધીઓ અને મિત્રો તેને 'પાઇલટ' તરીકે ઓળખે છે. તેમણે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો કે તેમણે આજે તેમને ડ્રોન દીદી બનવાની તક આપી હતી અને બદલામાં લખપતિ દીદી બનવાની તક આપી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ડ્રોન દીદી હવે દરેક ગામની ઓળખ બની ગઈ છે.

આ પછી, શ્રી મોદીએ એક બેંક સખી સાથે વાત કરી જે દર મહિને લગભગ 4 થી 5 લાખ રૂપિયાનો વ્યવસાય કરે છે. બીજી એક મહિલાએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી કે તે બીજી મહિલાઓને પણ પોતાની જેમ લખપતિ દીદી જેવી બનાવે.

 

પ્રધાનમંત્રીએ ઓનલાઇન બિઝનેસ મોડલ સ્થાપિત કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને તેમની પહેલોને અપગ્રેડ કરવા માટે સરકારી સાથસહકારની ખાતરી આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઘણી મહિલાઓ પાયાનાં સ્તરે જ કમાણી કરી રહી છે અને દુનિયાએ જાણવું જોઈએ કે ભારતીય મહિલાઓ માત્ર ઘરનાં કામ પૂરતી મર્યાદિત નથી, પણ મહત્ત્વપૂર્ણ આર્થિક પરિબળ છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, ગ્રામીણ મહિલાઓ ભારતની આર્થિક તાકાતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. તેમણે નિરીક્ષણ કર્યું હતું કે મહિલાઓ ઝડપથી ટેકનોલોજીને અપનાવી લે છે, ડ્રોન દીદીઓ સાથે પોતાનો અનુભવ વહેંચે છે, જેમણે ત્રણથી ચાર દિવસની અંદર ડ્રોન ચલાવવાનું શીખી લીધું હતું અને નિષ્ઠાપૂર્વક પ્રેક્ટિસ કરી હતી. તેમણે સંઘર્ષ, સર્જન, સંવર્ધન અને સંપત્તિનું સર્જન કરવા માટે ભારતમાં મહિલાઓની અંતર્ગત ક્ષમતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ તાકાતથી દેશને મોટો ફાયદો થશે.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Khichdi To Moringa Paratha: 7 Traditional Foods PM Modi Loves

Media Coverage

Khichdi To Moringa Paratha: 7 Traditional Foods PM Modi Loves
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રી 27મી ઓગસ્ટે ખેલો ઈન્ડિયા ડાયલોગમાં યુવાનોને સંબોધિત કરશે
August 26, 2026
ખેલો ઈન્ડિયા ડાયલોગ રમતગમત, યુવા નેતૃત્વ, નાગરિક જવાબદારી, સ્વયંસેવા, ફિટનેસ અને રાષ્ટ્ર નિર્માણને એક સામાન્ય મંચ પર લાવશે
ખેલો ઈન્ડિયા ડાયલોગ અંતર્ગત યુવા સંવાદ પાંચ મુખ્ય થીમ પર ધ્યાન કેન્દ્રિત કરશે: રમતગમત, ઓલિમ્પિક આકાંક્ષાઓ, યુવા નેતૃત્વ, વિકસિત ભારત અને નશા મુક્ત યુવા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27મી ઓગસ્ટે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ખેલો ઈન્ડિયા ડાયલોગને સંબોધિત કરશે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય યુવાનોને ભારતની રમતગમતની યાત્રા સાથે જોડાવા, તેમની આકાંક્ષાઓ શેર કરવા અને મજબૂત યુવા સંચાલિત વિકસિત ભારત માટે વિચારોનું યોગદાન આપવામાં મદદ કરવાનો છે.

રાષ્ટ્રીય રમતગમત દિવસ 2026ની ઉજવણીના ભાગરૂપે મેરા યુવા ભારત (MY Bharat) દ્વારા આયોજિત આ કાર્યક્રમ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના દરેક જિલ્લાની બે કોલેજોમાં યુવાનોની ભાગીદારી સાથે દેશભરમાં યોજાશે. રાષ્ટ્રીય વિકાસ એજન્ડાના કેન્દ્રમાં યુવાનોની આકાંક્ષાઓને રાખીને ફિટ, શિસ્તબદ્ધ અને રમતગમત ધરાવતા રાષ્ટ્રના નિર્માણના પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

દેશવ્યાપી ખેલો ઈન્ડિયા ડાયલોગ રમતગમત, યુવા નેતૃત્વ, નાગરિક જવાબદારી, સ્વયંસેવા, ફિટનેસ અને રાષ્ટ્ર નિર્માણને એક સામાન્ય મંચ પર લાવશે. તે યુવાનોને દેશની રમતગમતની આકાંક્ષાઓ સાથે સીધા જોડાવા માટે એક માધ્યમ પૂરું પાડશે, જ્યારે તેમના વિચારો અને દ્રષ્ટિકોણ ભારતની યુવા અને રમતગમત ઈકોસિસ્ટમ પર સતત ચાલતી ચર્ચાનો ભાગ બને તે સુનિશ્ચિત કરશે.

રાષ્ટ્રીય કાર્યક્રમ બાદ યુવા પ્રતિભાગીઓ, માય ભારત સ્વયંસેવકો, સ્થાનિક ખેલાડીઓ અને જનપ્રતિનિધિઓને આવરી લેતી સ્થાનિક ક્રિયાપ્રતિક્રિયાઓ થશે. આ પહેલની એક મુખ્ય વિશેષતા રમતગમતમાં રસ ધરાવતા યુવાનો અને ભારતના અગ્રણી ખેલાડીઓ તથા મેડલ વિજેતાઓ વચ્ચે સીધો સંવાદ હશે. કાર્યક્રમની એક મધ્યસ્થ વિશેષતા યુવા સંવાદ હશે જ્યાં યુવા પ્રતિભાગીઓને તેમના પોતાના વિચારો, દ્રષ્ટિકોણ અને આકાંક્ષાઓ વ્યક્ત કરવા માટે આમંત્રિત કરવામાં આવશે. આ સંવાદ પાંચ થીમની આસપાસ રચાયેલ હશે:

  • વધુ સારી સુવિધાઓ, કોચિંગ, સ્પોર્ટ્સ સાયન્સ અને સમાવેશી ભાગીદારી દ્વારા ભારતની રમતગમત ઈકોસિસ્ટમમાં સુધારો કરવો;
  • વૈજ્ઞાનિક ક્ષમતા ઓળખ, પારદર્શક પસંદગી અને લાંબા ગાળાના એથલીટ વિકાસ દ્વારા 2036 ઓલિમ્પિક માટે પ્રતિભાને પોષવી;
  • ગવર્નન્સ પ્લેટફોર્મ્સ અને માય ભારતની આગેવાની હેઠળની સ્વયંસેવા દ્વારા યુવા નેતાઓ તૈયાર કરવા;
  • નાગરિક માનસિકતા, ભવિષ્ય માટે તૈયાર કૌશલ્યો અને સંરચિત સ્વયંસેવાના નિર્માણ દ્વારા વિકસિત ભારત માટે યુવાનોને સશક્ત બનાવવું;
  • નશા મુક્ત યુવા ચળવળને પ્રોત્સાહન આપવું જે નશાખોરી સામે લડવા માટે રમતગમત અને સમવયસ્ક નેટવર્કનો ઉપયોગ કરે છે, જેને 2 ઓગસ્ટ 2026ના રોજ શરૂ કરાયેલા પ્રધાનમંત્રીના 100-અઠવાડિયાના દેશવ્યાપી અભિયાન હેઠળ સાપ્તાહિક જન ભાગીદારી પ્રવૃત્તિઓ દ્વારા બળ મળે છે.