પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પીએમ વિશ્વકર્મા કાર્યક્રમમાં ભાગ લેશે
પ્રધાનમંત્રી અમરાવતીમાં પીએમ મિત્રા પાર્કનો શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ યોજના અને પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકર મહિલા સ્ટાર્ટ-અપ યોજનાનો શુભારંભ કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરનાં રોજ મહારાષ્ટ્રનાં વર્ધાની મુલાકાત લેશે. સવારે 11:30 વાગ્યે તેઓ પ્રધાનમંત્રી વિશ્વકર્મા અંતર્ગત એક વર્ષની પ્રગતિની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રીય 'પીએમ વિશ્વકર્મા' કાર્યક્રમમાં ભાગ લેશે.

કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી વિશ્વકર્માનાં લાભાર્થીઓને પ્રમાણપત્રો અને લોન આપશે. આ યોજના હેઠળ કારીગરોને મળેલા નક્કર સાથસહકારનું પ્રતીક બનીને તેઓ પ્રધાનમંત્રી વિશ્વકર્મા હેઠળ 18 ટ્રેડ હેઠળનાં 18 લાભાર્થીઓને ધિરાણનું વિતરણ પણ કરશે. સમાજમાં તેમના વારસા અને સ્થાયી પ્રદાનને શ્રદ્ધાંજલિ સ્વરૂપે તેઓ પ્રધાનમંત્રી વિશ્વકર્માનાં નેતૃત્વમાં પ્રગતિનાં એક વર્ષનાં પ્રતીક સ્વરૂપે એક સ્મારક સ્ટેમ્પ પ્રસિદ્ધ કરશે.

પ્રધાનમંત્રી મહારાષ્ટ્રનાં અમરાવતીમાં પ્રધાનમંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપરલ (પીએમ મિત્રા) પાર્કનો શિલાન્યાસ કરશે. 1000 એકરના આ પાર્કને મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ (એમઆઈડીસી) દ્વારા રાજ્ય અમલીકરણ એજન્સી તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. ભારત સરકારે ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સાંજે 7 વાગ્યે મિત્રા પાર્ક સ્થાપિત કરવાની મંજૂરી આપી હતી. ટેક્સટાઇલ ઉત્પાદન અને નિકાસ માટે ભારતને વૈશ્વિક કેન્દ્ર બનાવવાની દ્રષ્ટિને સાકાર કરવા માટે પીએમ મિત્રા પાર્ક્સ એક મહત્વપૂર્ણ પગલું છે. તેનાથી વૈશ્વિક સ્તરનું ઔદ્યોગિક માળખું ઊભું કરવામાં મદદ મળશે, જે પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) સહિત મોટા પાયે રોકાણને આકર્ષશે તથા આ ક્ષેત્રની અંદર નવીનતા અને રોજગારીનાં સર્જનને પ્રોત્સાહન આપશે.

પ્રધાનમંત્રી મહારાષ્ટ્ર સરકારની "આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ કેન્દ્ર" યોજનાનો શુભારંભ કરશે. 15થી 45 વર્ષની વયના યુવાનોને તાલીમ આપવા માટે રાજ્યભરની જાણીતી કોલેજોમાં કૌશલ્ય વિકાસ તાલીમ કેન્દ્રો સ્થાપવામાં આવશે, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે અને રોજગારીની વિવિધ તકો મેળવી શકે. રાજ્યભરના 150000 જેટલા યુવાનોને દર વર્ષે વિનામૂલ્યે કૌશલ્ય વિકાસની તાલીમ આપવામાં આવશે.

પ્રધાનમંત્રી "પુણ્યશલોક અહલ્યાદેવી હોલકર વિમેન સ્ટાર્ટઅપ સ્કીમ"નો પણ શુભારંભ કરશે. આ યોજના હેઠળ મહારાષ્ટ્રમાં મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સને પ્રારંભિક તબક્કાનું સમર્થન આપવામાં આવશે. ₹25 લાખ સુધીની આર્થિક મદદ કરવામાં આવશે. આ યોજના હેઠળની કુલ જોગવાઈઓમાંથી 25 ટકા જોગવાઈઓ સરકાર દ્વારા નિર્દિષ્ટ કર્યા મુજબ પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. તે મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સને આત્મનિર્ભર અને સ્વતંત્ર બનવામાં મદદ કરશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India Post posts Rs 15,296 crore revenue in FY26, up 16%: Scindia

Media Coverage

India Post posts Rs 15,296 crore revenue in FY26, up 16%: Scindia
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays homage to Adi Shankaracharya
April 21, 2026

The Prime Minister, Shri Narendra Modi, paid tributes to one of India’s greatest spiritual luminaries, Adi Shankaracharya, on his Jayanti today. Shri Modi remarked that his profound teachings, thoughts and philosophy of Advaita Vedanta continue to guide innumerable people globally. And his efforts to revitalise spiritual thought and establish spiritual centres across the nation remain a lasting inspiration."May his wisdom continue to illuminate our path and strengthen our commitment to truth, compassion and collective well-being", Shri Modi added.

The Prime Minister posted on X:

"On the sacred occasion of Adi Shankaracharya Jayanti, paying homage to one of India’s greatest spiritual luminaries. His profound teachings, thoughts and philosophy of Advaita Vedanta continue to guide innumerable people globally. He emphasised harmony, discipline and the oneness of all existence. His efforts to revitalise spiritual thought and establish spiritual centres across the nation remain a lasting inspiration. May his wisdom continue to illuminate our path and strengthen our commitment to truth, compassion and collective well-being."