યોજનાનો ઉદ્દેશ સ્વરોજગાર અને આજીવિકાની તકો દ્વારા મહિલા સશક્તીકરણને પ્રોત્સાહન આપવાનો છે
યોજના હેઠળ રાજ્યના દરેક પરિવારમાંથી એક મહિલાને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે
પ્રધાનમંત્રી બિહારની 75 લાખ મહિલાઓને સીધા રૂ. 7500 કરોડ ટ્રાન્સફર કરશે
દરેકને રૂ. 10, 000નું પ્રારંભિક ટ્રાન્સફર, ત્યારબાદ રૂ. 2 લાખ સુધીની વધારાની નાણાકીય સહાયનો અવકાશ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા બિહારમાં મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો શુભારંભ કરશે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી બિહારની 75 લાખ મહિલાઓના બેંક ખાતામાં પ્રત્યેકને 10,000 રૂપિયા સીધા ટ્રાન્સફર કરશે, જે કુલ 7,500 કરોડ રૂપિયા થશે.

બિહાર સરકારની પહેલ, આ યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને સ્વરોજગાર અને આજીવિકાની તકો દ્વારા મહિલા સશક્તીકરણને પ્રોત્સાહન આપવાનો છે. તે રાજ્યના દરેક પરિવારમાંથી એક મહિલાને નાણાકીય સહાય પૂરી પાડશે, જેનાથી તેઓ તેમની પસંદગીની રોજગાર અથવા આજીવિકા પ્રવૃત્તિઓ શરૂ કરી શકશે, જેનાથી આર્થિક સ્વતંત્રતા અને સામાજિક સશક્તીકરણને પ્રોત્સાહન મળશે.

આ યોજના હેઠળ, દરેક લાભાર્થીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા રૂ. 10000ની પ્રારંભિક ગ્રાન્ટ મળશે, જેના પછીના તબક્કામાં રૂ. 2 લાખ સુધીની વધારાની નાણાકીય સહાયની શક્યતા છે. આ સહાયનો ઉપયોગ લાભાર્થીની પસંદગીના ક્ષેત્રોમાં થઈ શકે છે જેમાં કૃષિ, પશુપાલન, હસ્તકલા, ટેલરિંગ, વણાટ અને અન્ય નાના પાયાના ઉદ્યોગોનો સમાવેશ થાય છે.

આ યોજના સમુદાય સંચાલિત હશે જેમાં, નાણાકીય સહાયની સાથે, સ્વ-સહાય જૂથો સાથે જોડાયેલા સમુદાય સંસાધન વ્યક્તિઓ તેમના પ્રયાસોને ટેકો આપવા માટે તાલીમ આપશે. તેમના ઉત્પાદનના વેચાણને ટેકો આપવા માટે, રાજ્યમાં ગ્રામીણ હાટ-બજારોનો વધુ વિકાસ કરવામાં આવશે.

મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાના પ્રારંભમાં રાજ્યના અનેક વહીવટી સ્તરો - જિલ્લા, બ્લોક, ક્લસ્ટર અને ગામ - પર રાજ્યવ્યાપી કાર્યક્રમ રજૂ કરવામાં આવશે જેમાં 1 કરોડથી વધુ મહિલાઓ આ કાર્યક્રમની સાક્ષી બનશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's defence production more than double in five years, hits record Rs 1.78 lakh crore

Media Coverage

India's defence production more than double in five years, hits record Rs 1.78 lakh crore
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the virtues of truth, service, learning and action
June 18, 2026

The Prime Minister, Shri Narendra Modi said that wealth follows truthfulness, fame follows selfless service, knowledge follows constant practice and wisdom follows action. He noted that these values play a vital role in shaping individual character and contributing to collective progress.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

“सत्यानुसारिणी लक्ष्मीः कीर्तिस्त्यागानुसारिणी।

अभ्याससारिणी विद्या बुद्धिः कर्मानुसारिणी।।”

The Prime Minister wrote on X;