આજની નિમણૂકો ફક્ત સરકારી નોકરીઓ નથી, પરંતુ રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવાની તક છે: પ્રધાનમંત્રી
જ્યારે યુવાનો સફળ થાય છે, ત્યારે રાષ્ટ્ર સફળ થાય છે: પ્રધાનમંત્રી
આપણી સરકારે ફક્ત રોજગાર મેળાઓ દ્વારા 11 લાખથી વધુ નિમણૂક પત્રો એનાયત કર્યા છે: પ્રધાનમંત્રી
દિવાળીના વેચાણનો રેકોર્ડ દર્શાવે છે કે GST બચત તહેવારે માંગ, ઉત્પાદન અને રોજગારમાં કેવી રીતે વધારો કર્યો છે: પ્રધાનમંત્રી
પ્રતિભા સેતુ પોર્ટલ ખાતરી કરે છે કે UPSC પ્રતિભાનો બગાડ ન થાય - તે રાષ્ટ્ર નિર્માણ તરફ દિશામાન થાય છે: પ્રધાનમંત્રી
યુવા કર્મયોગીઓ વિકસિત ભારત યાત્રાનું નેતૃત્વ કરશે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળાને સંબોધિત કર્યો. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વર્ષના પ્રકાશના તહેવાર, દિવાળીએ દરેકના જીવનમાં નવો પ્રકાશ લાવ્યો છે. તહેવારોની મોસમ વચ્ચે, કાયમી નોકરીઓ માટે નિમણૂક પત્રો મળવાથી આનંદનો બમણો ડોઝ - ઉત્સવનો આનંદ અને રોજગારની સફળતા બંને મળે છે. શ્રી મોદીએ નોંધ્યું કે આ ખુશી આજે દેશભરના 51,000થી વધુ યુવાનો સુધી પહોંચી છે. તેમણે તેમના પરિવારો માટે અપાર ખુશીનો સ્વીકાર કર્યો અને તમામ પ્રાપ્તકર્તાઓ અને તેમના પરિવારના સભ્યોને અભિનંદન આપ્યા. તેમણે તેમના જીવનમાં આ નવી શરૂઆત માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

પૂર્ણ થયેલા સપનાઓમાંથી આવેલા નવનિયુક્ત યુવાનોના ઉત્સાહ, સખત મહેનત કરવાની ક્ષમતા અને આત્મવિશ્વાસ પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ કહ્યું કે જ્યારે આ ભાવના રાષ્ટ્ર સેવા માટેના જુસ્સા સાથે જોડાય છે, ત્યારે તેમની સફળતા વ્યક્તિગત સિદ્ધિઓથી આગળ નીકળી જાય છે અને રાષ્ટ્ર માટે વિજય બની જાય છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આજની નિમણૂકો ફક્ત સરકારી નોકરીઓ નથી, પરંતુ રાષ્ટ્ર નિર્માણમાં સક્રિયપણે યોગદાન આપવાની તકો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે નિયુક્ત થયેલા લોકો સમર્પણ અને પ્રામાણિકતા સાથે કામ કરશે અને ભવિષ્યના ભારત માટે વધુ સારી વ્યવસ્થાના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવશે. પ્રધાનમંત્રીએ નવનિયુક્ત થયેલા લોકોને "નાગરિક દેવો ભવ"ના મંત્રને નહીં ભૂલવા અને સેવા અને સમર્પણની ભાવના સાથે કામ કરવા અપીલ કરી હતી.

 

પ્રધાનમંત્રીએ કહ્યું, "છેલ્લા 11 વર્ષથી, રાષ્ટ્ર વિકસિત ભારત બનાવવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે અને યુવાનો આ યાત્રામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. યુવા સશક્તિકરણ તેમની સરકાર માટે ટોચની પ્રાથમિકતા છે. રોજગાર મેળાઓ યુવા ભારતીયોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે એક શક્તિશાળી માધ્યમ બની ગયા છે, અને તાજેતરમાં, આ મેળાઓ દ્વારા 11 લાખથી વધુ  નિમણૂક પત્રો જારી કરવામાં આવ્યા છે." શ્રી મોદીએ વધુમાં જણાવ્યું કે આ પ્રયાસો ફક્ત સરકારી નોકરીઓ સુધી મર્યાદિત નથી. સરકારે 3.5 કરોડ યુવાનોને રોજગાર આપવાના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના શરૂ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે સ્કિલ ઇન્ડિયા મિશન જેવી પહેલ યુવાનોને જરૂરી તાલીમ આપી રહી છે, જ્યારે રાષ્ટ્રીય કારકિર્દી સેવા જેવા પ્લેટફોર્મ તેમને નવી તકો સાથે જોડે છે. તેમણે એ પણ માહિતી આપી કે આ પ્લેટફોર્મ દ્વારા 7 કરોડથી વધુ ખાલી જગ્યાઓ વિશેની માહિતી યુવાનો સાથે શેર કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ યુવાનો માટે એક મોટી પહેલની જાહેરાત કરી - "પ્રતિભા સેતુ પોર્ટલ", જે UPSC ની અંતિમ યાદીમાં સ્થાન મેળવનારા પરંતુ પસંદગી ન પામેલા ઉમેદવારોને તકો પૂરી પાડે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમના પ્રયાસો વ્યર્થ નહીં જાય, કારણ કે ખાનગી અને જાહેર બંને સંસ્થાઓ હવે પોર્ટલ દ્વારા આ પ્રતિભાશાળી વ્યક્તિઓ સાથે જોડાઈ રહી છે. શ્રી મોદીએ કહ્યું કે યુવા પ્રતિભાનો આ શ્રેષ્ઠ ઉપયોગ ભારતની યુવા ક્ષમતાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરશે.

 

GST બચત મહોત્સવ દ્વારા તહેવારોની મોસમને સમૃદ્ધ બનાવવા પર પ્રકાશ પાડતા, શ્રી મોદીએ દેશભરમાં GST દરોમાં ઘટાડા જેવા મહત્વપૂર્ણ સુધારાઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આ સુધારાઓની અસર ગ્રાહક બચતથી આગળ વધે છે, કારણ કે આગામી પેઢીના GST સુધારા રોજગારની તકો પણ વધારી રહ્યા છે. જ્યારે રોજિંદા વસ્તુઓ સસ્તી થાય છે, ત્યારે માંગ વધે છે; માંગમાં વધારો ઉત્પાદન અને પુરવઠા શૃંખલાને વેગ આપે છે; અને ફેક્ટરીઓમાં ઉત્પાદનમાં વધારો રોજગારની નવી તકો બનાવે છે. તેથી, GST બચત મહોત્સવ પણ રોજગાર ઉત્સવમાં પરિવર્તિત થઈ રહ્યો છે. પ્રધાનમંત્રીએ ધનતેરસ અને દિવાળી દરમિયાન રેકોર્ડબ્રેક વેચાણનો ઉલ્લેખ કર્યો, જેણે નવા રેકોર્ડ બનાવ્યા અને જૂના તોડી નાખ્યા, GST સુધારાઓએ દેશના અર્થતંત્રને કેવી રીતે નવી ગતિ આપી છે તેના ઉદાહરણો દર્શાવો છે. તેમણે MSME ક્ષેત્ર અને છૂટક વેપાર પર આ સુધારાઓની સકારાત્મક અસરની નોંધ લીધી, જે હવે ઉત્પાદન, લોજિસ્ટિક્સ, પેકેજિંગ અને વિતરણમાં નવી રોજગારીની તકો ઉભી કરી રહ્યા છે.

શ્રી મોદીએ કહ્યું, "ભારત હાલમાં વિશ્વનો સૌથી યુવા દેશ છે, અને ભારતના યુવાનોની તાકાત તેની સૌથી મોટી સંપત્તિ છે. આ વિશ્વાસ અને આત્મવિશ્વાસ વિદેશ નીતિ સહિત તમામ ક્ષેત્રોમાં દેશની પ્રગતિને માર્ગદર્શન આપે છે, જે હવે યુવા ભારતીયોના હિતોને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવી રહી છે." પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે ભારતના રાજદ્વારી જોડાણ અને વૈશ્વિક સમજૂતી કરારોમાં યુવા તાલીમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર સર્જન માટે જોગવાઈઓ વધુને વધુ સામેલ થઈ રહી છે. તેમણે નોંધ્યું કે બ્રિટિશ પ્રધાનમંત્રીની તાજેતરની મુલાકાત દરમિયાન, બંને દેશો કૃત્રિમ બુદ્ધિમત્તા Ai, નાણાકીય ટેકનોલોજી અને સ્વચ્છ ઉર્જા જેવા ક્ષેત્રોમાં રોકાણ વધારવા માટે સંમત થયા હતા. તેમણે ઉમેર્યું કે થોડા મહિના પહેલા ભારત અને યુકે વચ્ચે થયેલા મુક્ત વેપાર કરારથી પણ નવી તકો ખુલશે. તેવી જ રીતે, ઘણા યુરોપિયન દેશો સાથે રોકાણ ભાગીદારીથી હજારો નવી નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે. શ્રી મોદીએ કહ્યું કે બ્રાઝિલ, સિંગાપોર, કોરિયા અને કેનેડા જેવા દેશો સાથેના કરારો રોકાણને વેગ આપશે, સ્ટાર્ટઅપ્સ અને MSME ને ટેકો આપશે, નિકાસમાં વધારો કરશે અને યુવાનો માટે વૈશ્વિક પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે નવી તકો ઊભી કરશે.

 

આજે ચર્ચા કરવામાં આવી રહેલી સફળતાઓ અને દ્રષ્ટિકોણ ભવિષ્યમાં નવનિયુક્ત યુવાનો તરફથી નોંધપાત્ર યોગદાન જોવા મળશે તેના પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ વિકસિત ભારતના ધ્યેય તરફ સતત પ્રયાસો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે તેમના જેવા યુવા કર્મયોગીઓ આ સંકલ્પને સાકાર કરશે. તેમણે આ યાત્રામાં 'આઈ-ગોટ કર્મયોગી ભારત પ્લેટફોર્મ'ની ઉપયોગીતા પર પ્રકાશ પાડ્યો, નોંધ્યું કે લગભગ 15 મિલિયન સરકારી કર્મચારીઓ પહેલાથી જ તેના દ્વારા શીખી રહ્યા છે. તેમણે નવનિયુક્તોને આ પ્લેટફોર્મમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા, જે એક નવી કાર્ય સંસ્કૃતિ અને સુશાસનની ભાવનાને સ્થાપિત કરશે. શ્રી મોદીએ સમાપન કરીને કહ્યું કે તેમના પ્રયાસો દ્વારા જ ભારતનું ભવિષ્ય ઘડાશે અને તેના નાગરિકોના સપના સાકાર થશે. તેમણે ફરી એકવાર તમામ નિયુક્તોને શુભેચ્છાઓ પાઠવી હતી.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India to become second nation with commercial fast breeder reactor: Singh

Media Coverage

India to become second nation with commercial fast breeder reactor: Singh
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares a Sanskrit Subhashitam highlighting fundamental causes of progress
April 28, 2026

Prime Minister Shri Narendra Modi shared a Sanskrit Subhashitam today highlighting that effort, self-control, skill, vigilance, patience, memory, and initiating any task with thoughtful consideration are the fundamental causes of progress.

The Prime Minister remarked that hard work performed with patience and dedication can yield remarkable success, further pointing out that it also infuses the nation's prosperity and strength with fresh vigor.

The Prime Minister wrote on X:

"संयम और समर्पण के साथ किया गया परिश्रम अद्भुत सफलता दे सकता है। इससे राष्ट्र की समृद्धि और सामर्थ्य को भी एक नई ऊर्जा मिलती है।

उत्थानं संयमो दाक्ष्यमप्रमादो धृतिः स्मृतिः।

समीक्ष्य च समारम्भो विद्धिमूलं भवस्य तु॥"

Effort, self-control, skill, vigilance, patience, memory and initiating any task with thoughtful consideration, these are all the fundamental causes of progress.