મહિલાઓ પર વિશેષ ધ્યાન: ડ્રોન વડે 2 કરોડ લખપતિ દીદીઓ બનાવવાથી લઈને 15,000 મહિલા સ્વસહાય જૂથોને સશક્ત બનાવવા સુધીની યોજનાઓની ચર્ચા થઈ
જન ઔષધિ સ્ટોર્સના કવરેજને 10,000થી 25,000 સુધી ઝડપથી વિસ્તરણ કરવાની યોજના પણ કાર્યરત

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના સ્વતંત્રતા દિવસના ભાષણના આધારે અમલમાં મુકવામાં આવનારી યોજનાઓની પ્રગતિની ચર્ચા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી.

પ્રધાનમંત્રીએ 2 કરોડ લખપતિ દીદીઓ બનાવવાની એટલે કે 2 કરોડ મહિલાઓને SHG અથવા આંગણવાડીઓમાં લખપતિ બનાવવાની વાત કરી હતી. તેમણે આ લક્ષ્‍યાંક હાંસલ કરવા માટે આયોજિત વિવિધ આજીવિકા હસ્તક્ષેપનો સ્ટોક લીધો હતો.

તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં, પ્રધાનમંત્રીએ 15,000 મહિલા સ્વ-સહાય જૂથોને કૃષિ અને સંબંધિત હેતુઓ માટે ડ્રોનથી સજ્જ કરવાની વાત કરી હતી. પીએમને આને અમલમાં મૂકવાની યોજનાઓની ઝાંખી આપવામાં આવી હતી, જેમાં મહિલા સ્વસહાય જૂથોની તાલીમથી લઈને પ્રવૃત્તિ પર દેખરેખનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રીએ પોસાય તેવી દવાઓની પહોંચ વધારવા માટે ભારતમાં જન ઔષધિ સ્ટોરની સંખ્યા 10,000થી 25,000 સુધી લઈ જવાની વાત પણ કરી હતી. પ્રધાનમંત્રીએ આ વિસ્તરણ માટે અમલીકરણ વ્યૂહરચનાની સમીક્ષા કરી.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Railways' financial health improves in last 10 yrs, surplus revenue after meeting cost: Ashwini Vaishnaw

Media Coverage

Railways' financial health improves in last 10 yrs, surplus revenue after meeting cost: Ashwini Vaishnaw
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 7 ફેબ્રુઆરી 2026
February 07, 2026

Empowering the Nation: Trade Deals, Tech Innovations, and Rural Revival Under PM Modi