પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીર સાવરકરજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ કહ્યું, "સ્વતંત્રતા ચળવળમાં તેમના અદમ્ય સાહસ અને સંઘર્ષની ગાથા કૃતજ્ઞ રાષ્ટ્ર ક્યારેય ભૂલી શકશે નહીં. દેશ માટે તેમનું બલિદાન અને સમર્પણ વિકસિત ભારતનું નિર્માણ કરવામાં માર્ગદર્શક રહેશે."
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ભારત માતાના સાચા સપૂત વીર સાવરકરજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. વિદેશી શાસનના કઠોર ત્રાસ પણ માતૃભૂમિ પ્રત્યેની તેમની ભક્તિને ડગાવી શક્યા નહીં. કૃતજ્ઞ રાષ્ટ્ર સ્વતંત્રતા ચળવળમાં તેમના અદમ્ય સાહસ અને સંઘર્ષની ગાથાને ક્યારેય ભૂલી શકશે નહીં. દેશ માટે તેમનું બલિદાન અને સમર્પણ વિકસિત ભારતના નિર્માણમાં માર્ગદર્શક પ્રકાશ બની રહેશે."
भारत माता के सच्चे सपूत वीर सावरकर जी को उनकी जन्म-जयंती पर आदरपूर्ण श्रद्धांजलि। विदेशी हुकूमत की कठोर से कठोर यातनाएं भी मातृभूमि के प्रति उनके समर्पण भाव को डिगा नहीं पाईं। आजादी के आंदोलन में उनके अदम्य साहस और संघर्ष की गाथा को कृतज्ञ राष्ट्र कभी भुला नहीं सकता। देश के लिए… pic.twitter.com/3OsxSN905I
— Narendra Modi (@narendramodi) May 28, 2025


