પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​6-7 જુલાઈ 2025ના રોજ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં આયોજિત 17મી બ્રિક્સ સમિટમાં ભાગ લીધો હતો. નેતાઓએ બ્રિક્સ એજન્ડાના વિવિધ મુદ્દાઓ પર ઉપયોગી ચર્ચાઓ કરી હતી, જેમાં વૈશ્વિક શાસનમાં સુધારો, વૈશ્વિક દક્ષિણનો અવાજ વધારવા, શાંતિ અને સુરક્ષા, બહુપક્ષીયતાને મજબૂત બનાવવા, વિકાસના મુદ્દાઓ અને કૃત્રિમ બુદ્ધિમત્તાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિનો ઉષ્માભર્યો આતિથ્ય અને સમિટના સફળ આયોજન બદલ આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રીએ "રિફોર્મ ઓફ ગ્લોબલ ગર્વનન્સ એન્ડ પીસ એન્ડ સિક્યોરિટી" વિષય પર ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. બાદમાં, પ્રધાનમંત્રીએ "બહુપક્ષીયવાદ, આર્થિક-નાણાકીય બાબતો અને આર્ટિફિશયલ ઈન્ટેલીજન્સને મજબૂત બનાવવા" વિષય પર એક સત્રને પણ સંબોધિત કર્યું હતું. આ સત્રમાં બ્રિક્સ ભાગીદાર અને આમંત્રિત દેશોએ હાજરી આપી હતી.

ગ્લોબલ ગવર્નન્સ અને પીસ એન્ડ સિક્યુરિટી પરના સત્રને સંબોધતા, પ્રધાનમંત્રીએ ગ્લોબલ સાઉથનો અવાજ વધારવા માટે ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે વિકાસશીલ દેશોને જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે નાણાકીય સહાય અને ટેકનોલોજીની સુલભતાના સંદર્ભમાં ટકાઉ વિકાસ માટે વધુ સમર્થનની જરૂર છે. 20મી સદીના વૈશ્વિક સંગઠનોમાં 21મી સદીના પડકારોનો સામનો કરવાની ક્ષમતાનો અભાવ છે તે દર્શાવતા, તેમણે તેમાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બહુધ્રુવીય અને સમાવેશી વિશ્વ વ્યવસ્થા માટે હાકલ કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે યુએન સુરક્ષા પરિષદ, આઇએમએફ, વિશ્વ બેંક અને વિશ્વ વેપાર સંગઠન જેવી વૈશ્વિક શાસન સંસ્થાઓએ વર્તમાન વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરવા માટે તાત્કાલિક સુધારા કરવા જોઈએ. તેમણે સમિટ ઘોષણામાં યુએન સુરક્ષા પરિષદમાં સુધારાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકવા અને આ મુદ્દા પર મજબૂત ભાષા અપનાવવા બદલ નેતાઓનો આભાર માન્યો હતો.

 

શાંતિ અને સુરક્ષા અંગે પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આતંકવાદ માનવતા માટે ગંભીર ખતરો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે એપ્રિલ 2025માં પહેલગામમાં થયેલો આતંકવાદી હુમલો ફક્ત ભારત પર જ નહીં પરંતુ સમગ્ર માનવતા પર હુમલો હતો. આતંકવાદ સામે મજબૂત વૈશ્વિક કાર્યવાહીનું આહ્વાન કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે જે લોકો આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડે છે, પ્રોત્સાહન આપે છે અથવા સુરક્ષિત આશ્રય આપે છે તેમની સાથે શક્ય તેટલી કડક રીતે વ્યવહાર કરવો જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આતંકવાદ સાથે વ્યવહાર કરવામાં કોઈ બેવડા ધોરણો ન હોવા જોઈએ. તેમણે પહેલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરવા બદલ બ્રિક્સ નેતાઓનો આભાર માન્યો હતો. આતંકવાદ સામે વૈશ્વિક લડાઈને મજબૂત બનાવવા માટે બ્રિક્સ દેશોને હાકલ કરતા, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ખતરાનો સામનો કરવામાં શૂન્ય સહિષ્ણુતા હોવી જોઈએ.

આ વિષય પર વિગતવાર વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે પશ્ચિમ એશિયાથી યુરોપ સુધીના સંઘર્ષો ખૂબ જ ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે ભારતે હંમેશા આવા સંઘર્ષોના ઉકેલ માટે સંવાદ અને રાજદ્વારી નીતિ અપનાવી છે અને આવા પ્રયાસોમાં યોગદાન આપવા તૈયાર છે.

 

"બહુપક્ષીયવાદ, આર્થિક-નાણાકીય બાબતો અને આર્ટિફિશયલ ઈન્ટેલીજન્સને મજબૂત બનાવવા" વિષય પરના સત્રને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે વિવિધતા અને બહુધ્રુવીયતા બ્રિક્સની મુખ્ય શક્તિઓ છે. તેમણે કહ્યું કે જ્યારે વિશ્વ વ્યવસ્થા દબાણ હેઠળ છે અને વૈશ્વિક સમુદાય અનિશ્ચિતતા અને પડકારોનો સામનો કરી રહ્યો છે, ત્યારે બ્રિક્સની સુસંગતતા સ્પષ્ટ છે. તેમણે કહ્યું કે બ્રિક્સ બહુધ્રુવીય વિશ્વને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ સંદર્ભમાં, તેમણે ચાર સૂચનો કર્યા: પ્રથમ- બ્રિક્સ ન્યૂ ડેવલપમેન્ટ બેંકે પ્રોજેક્ટ્સને મંજૂરી આપવા માટે માંગ-આધારિત અને લાંબા ગાળાના ટકાઉપણાના સિદ્ધાંતનું પાલન કરવું જોઈએ; બીજું, જૂથે એક વિજ્ઞાન અને સંશોધન ભંડાર સ્થાપિત કરવાનું વિચારવું જોઈએ જે વૈશ્વિક દક્ષિણ દેશોને લાભ આપી શકે; ત્રીજું, મહત્વપૂર્ણ ખનિજોની સપ્લાય ચેઇનને સુરક્ષિત અને સ્થિતિસ્થાપક બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને ચોથું, જૂથે જવાબદાર AI માટે કામ કરવું જોઈએ - AI શાસનની ચિંતાઓને ધ્યાનમાં રાખીને, તેણે પ્રદેશમાં નવીનતાને પ્રોત્સાહન આપવા માટે પણ સમાન મહત્વ આપવું જોઈએ.

 

નેતાઓના સત્રના સમાપન સમયે, સભ્ય દેશોએ 'રિયો ડી જાનેરો ઘોષણા' અપનાવી હતી.

Click here to read full text speech of Reform of Global Governance

Click here to read full text speech of Peace and Security

Click here to read full text speech of Strengthening Multilateral, Economic-Financial Affairs and Artificial Intelligence

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
15 of 20 fertiliser ships cross Strait of Hormuz safely, centre assures no supply disruption

Media Coverage

15 of 20 fertiliser ships cross Strait of Hormuz safely, centre assures no supply disruption
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister extends birthday greetings to His Holiness the Dalai Lama
July 06, 2026

The Prime Minister, Shri Narendra Modi, extended greetings to His Holiness the Dalai Lama on the occasion of his birthday. Shri Modi remarked that His Holiness's message of peace and harmony has been a guiding force for people across the world.

The Prime Minister posted on X:

Warm birthday greetings to His Holiness the Dalai Lama. His message of peace and harmony has been a guiding force for people across the world. His moral and spiritual strength and his commitment to global good are commendable. Wishing him a long and healthy life.

@DalaiLama