દરભંગાથી અનેક વિકાસ કાર્યોના ઉદઘાટન અને શિલાન્યાસ સાથે જ રાજ્યની જનતાનું જીવન સરળ બનશેઃ પ્રધાનમંત્રી
દરભંગા એઈમ્સના નિર્માણથી બિહારના સ્વાસ્થ્ય ક્ષેત્રમાં મોટા પાયે પરિવર્તન આવશેઃ પ્રધાનમંત્રી
અમારી સરકાર દેશમાં સ્વાસ્થ્ય પ્રત્યે સંપૂર્ણ અભિગમ સાથે કામ કરી રહી છે: પ્રધાનમંત્રી
એક જિલ્લા એક ઉત્પાદન યોજના મખાનાના ઉત્પાદકોને તેનો લાભ મળ્યો છે, મખાના રિસર્ચ સેન્ટરને રાષ્ટ્રીય સંસ્થાનો દરજ્જો આપવામાં આવ્યો છે, મખાનાઓને પણ જીઆઇ ટેગ મળ્યો છેઃ પ્રધાનમંત્રી
અમે પાલી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છેઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારનાં દરભંગામાં આશરે રૂ. 12,100 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું હતું. વિકાસ યોજનાઓમાં સ્વાસ્થ્ય, રેલ, માર્ગ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પડોશી રાજ્ય ઝારખંડમાં મતદાન ચાલી રહ્યું છે અને રાજ્યનાં લોકો વિકસિત ભારત માટે મતદાન કરી રહ્યાં છે. તેમણે ઝારખંડના નાગરિકોને મોટી સંખ્યામાં આગળ આવવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ સ્વ. શારદા સિંહાજીને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી અને સંગીતમાં તેમનાં અતુલનીય પ્રદાનની પ્રશંસા કરી હતી, ખાસ કરીને ચઠહ મહાપર્વની તેમની રચનાઓની.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સમગ્ર ભારતની સાથે બિહાર રાજ્ય પણ વિકાસલક્ષી મુખ્ય લક્ષ્યાંકોની પ્રગતિનાં સાક્ષી છે. તેમણે ઉમેર્યું હતું કે, ભૂતકાળમાં જ્યારે યોજનાઓ અને વિવિધ પ્રોજેક્ટ ફક્ત કાગળ પર હતાં, તેનાથી વિપરીત આજે તેનો જમીની સ્તરે સફળતાપૂર્વક અમલ થઈ રહ્યો છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, "અમે વિકાસશીલ ભારત તરફ દ્રઢતાપૂર્વક આગળ વધી રહ્યા છીએ." તેમણે ઉમેર્યું હતું કે, આપણી વર્તમાન પેઢી ભાગ્યશાળી છે કે, તેઓ આ ધ્યેયમાં યોગદાન આપવાની સાથે-સાથે વિકસિત ભારતની સાક્ષી બની છે.

 

લોકોનાં કલ્યાણ અને દેશની સેવા માટે સરકારની કટિબદ્ધતા પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, આજની આશરે રૂ. 12,000 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓ છે, જે માર્ગ, રેલવે અને ગેસ માળખાગત સુવિધાને આવરી લે છે. વધુમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે દરભંગામાં એઈમ્સનું સ્વપ્ન સાકાર કરવા માટે મહત્ત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે, જે બિહારનાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં મોટા પરિવર્તનો લાવશે. તેમણે માહિતી આપી હતી કે પશ્ચિમ બંગાળના વિસ્તારો અને નજીકના વિસ્તારો ઉપરાંત મિથિલા, કોસી અને તિરહુતના પ્રદેશોને પણ આનો લાભ મળશે, જ્યારે નેપાળથી ભારત આવતા દર્દીઓને પણ સેવા પૂરી પાડશે. તેમણે કહ્યું હતું કે, રોજગારી અને સ્વરોજગાર માટે અનેક નવી તકોનું સર્જન પણ થશે. પ્રધાનમંત્રીએ મિથિલા, દરભંગા અને સમગ્ર બિહારનાં લોકોને આજની વિકાસલક્ષી પરિયોજનાઓ માટે અભિનંદન પાઠવ્યાં હતાં.

ભારતમાં સૌથી વધુ વસતિ ગરીબો અને મધ્યમ વર્ગનાં લોકોની છે એ બાબતનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આ વર્ગોનાં લોકો પર રોગોની સૌથી વધુ અસર થાય છે, જે સારવાર માટે ખિસ્સામાંથી મોટા પાયે ખર્ચ કરવા તરફ દોરી જાય છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, તેઓ સારી રીતે જાણે છે કે, જો પરિવારમાં કોઈ વ્યક્તિ બીમારીથી પીડાતી હોય, તો સંપૂર્ણ પરિવાર કેવી રીતે પરેશાન થઈ જશે. તેમણે ઉમેર્યું હતું કે, ભૂતકાળમાં હોસ્પિટલો અને ડૉક્ટર્સ, વધારે પડતી કિંમત ધરાવતી દવાઓ અને ઓછા નિદાન અને સંશોધન કેન્દ્રોની અછતને કારણે તબીબી માળખાગત સુવિધાઓની સ્થિતિ ખૂબ જ નબળી હતી. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, સ્વાસ્થ્ય સાથે સંબંધિત નબળી માળખાગત સુવિધાઓ અને ગરીબોને પડતી મુશ્કેલીઓને કારણે દેશની પ્રગતિ અટકી પડી છે. તેમણે ઉમેર્યું હતું કે, એટલે જૂના વિચારો અને અભિગમમાં પરિવર્તન આવ્યું છે.

 

પ્રધાનમંત્રીએ સ્વાસ્થ્યનાં સંબંધમાં સરકારે અપનાવેલા સંપૂર્ણ અભિગમ પર ભાર મૂક્યો હતો. તેમણે સરકારના મુખ્ય ક્ષેત્રોની રૂપરેખા આપી હતી અને કહ્યું હતું કે, પ્રથમ ધ્યાન કેન્દ્રિત ક્ષેત્ર રોગોથી બચવાનું છે; બીજું, માંદગીનું યોગ્ય નિદાન; ત્રીજું, મફત અથવા ઓછા ખર્ચે સારવાર અને દવાઓની ઉપલબ્ધતા; ચોથું, નાના શહેરોને વધુ સારી તબીબી સુવિધાઓથી સજ્જ કરવા; અને પાંચમું આરોગ્ય ક્ષેત્રમાં ટેકનોલોજીનું વિસ્તરણ.

શ્રી મોદીએ યોગ, આયુર્વેદ, પોષણ મૂલ્ય, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ પર સરકારનાં ભાર પર ભાર મૂક્યો હતો. જંક ફૂડ અને નબળી જીવનશૈલી સામાન્ય બિમારીઓનું મુખ્ય કારણ છે એ બાબતનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ સરકારનાં પ્રયાસોની યાદી આપી હતી અને સ્વચ્છ ભારત, દરેક ઘરમાં શૌચાલયો અને નળનાં પાણીનાં જોડાણ જેવા અભિયાનોનો ઉલ્લેખ કર્યો હતો, જેનો ઉદ્દેશ સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાનો અને રોગોનો વ્યાપ ઘટાડવાનો છે. પ્રધાનમંત્રીએ છેલ્લાં થોડાં દિવસોથી દરભંગામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવા અને આ આંદોલનને મજબૂત કરવા માટે મુખ્ય સચિવ, તેમની ટીમ અને રાજ્યનાં લોકોનાં પ્રયાસોની પ્રશંસા પણ કરી હતી. તેમણે આ અભિયાનને બીજા કેટલાક દિવસો માટે લંબાવવાની વિનંતી પણ કરી.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, જો વહેલાસર નિદાન થાય તો ઘણાં રોગોની તીવ્રતામાં ઘટાડો થઈ શકે છે. જો કે, તેમણે નોંધ્યું હતું કે, નિદાન અને સંશોધનના ઊંચા ખર્ચને કારણે લોકો તેની અસર વિશે જાણી શકતા નથી. "અમે દેશમાં 1.5 લાખથી વધુ આયુષ્માન આરોગ્ય મંદિરો શરૂ કર્યા છે." શ્રી મોદીએ જણાવ્યું હતું કે, જે રોગોની વહેલી તકે તપાસ કરવામાં મદદ કરશે.

 

અત્યાર સુધીમાં આયુષ્માન ભારત યોજના હેઠળ 4 કરોડથી વધારે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ યોજનાનો અભાવ ઘણાં બીમાર લોકોને હોસ્પિટલમાં દાખલ થવાથી પણ દૂર કરી દેત. શ્રી મોદીએ કહ્યું હતું કે, આ યોજનાએ આયુષ્માન ભારત યોજનાને કારણે ઘણાં ગરીબ લોકોની ચિંતા દૂર કરી છે. તેમણે નોંધ્યું હતું કે, આયુષ્માન યોજનાને કારણે કરોડો પરિવારોએ આશરે રૂ. 1.25 લાખ કરોડની બચત કરી છે તથા આ યોજના હેઠળ સરકારી અને ખાનગી એમ બંને હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રીએ ચૂંટણી દરમિયાન 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને આયુષ્માન ભારત યોજનાનાં ક્ષેત્રમાં સામેલ કરવાની કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરતાં કહ્યું હતું કે, "આ ગેરન્ટી પૂર્ણ થઈ છે. પરિવારની આવકને ધ્યાનમાં લીધા વિના 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે મફત સારવાર શરૂ થઈ ગઈ છે." તેમણે જણાવ્યું હતું કે, તમામ લાભાર્થીઓ પાસે ટૂંક સમયમાં જ આયુષ્માન વય વંદના કાર્ડ હશે. તેમણે જન ઔષધિ કેન્દ્રોનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે અત્યંત ઓછા ખર્ચે દવાઓ પ્રદાન કરે છે.

નાનાં શહેરોને ભારતમાં શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ અને ડૉક્ટરોને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સુવિધાથી સજ્જ કરવાનું ચોથું પગલું પ્રકાશિત કરતાં પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, આઝાદીનાં 60 વર્ષ પછી સમગ્ર દેશમાં ફક્ત એક જ એઈમ્સ છે અને અગાઉની સરકારોમાં નવી એઈમ્સની સ્થાપનાની યોજના પૂર્ણ થઈ નથી. તેમણે માહિતી આપી હતી કે, હાલની સરકાર માત્ર બિમારીઓનું ધ્યાન રાખતી નથી તે ઉપરાંત દેશનાં તમામ ખૂણામાં નવી એઈમ્સની સ્થાપના પણ કરી છે, જેનાથી કુલ સંખ્યા આશરે 24 થઈ ગઈ છે. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, છેલ્લાં 10 વર્ષમાં મેડિકલ કોલેજોની સંખ્યા બમણી થઈ ગઈ છે, જેના પગલે વધારે ડૉક્ટર્સ બન્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, "દરભંગા એઈમ્સ બિહાર અને દેશની સેવા માટે ઘણાં નવા ડૉક્ટર તૈયાર કરશે." પ્રધાનમંત્રીએ માતૃભાષામાં ઉચ્ચ શિક્ષણને સક્ષમ બનાવવા પર પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, કરપુરી ઠાકુરજીનાં સ્વપ્નોને આ તેમની સૌથી મોટી શ્રદ્ધાંજલિ છે. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, છેલ્લાં 10 વર્ષમાં મેડિકલની 1 લાખ નવી બેઠકો ઉમેરવામાં આવી છે અને આગામી 5 વર્ષમાં વધુ 75,000 બેઠકોનો ઉમેરો કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હિન્દી અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ ચિકિત્સાનો અભ્યાસ કરવાનો વિકલ્પ બનાવવામાં આવ્યો છે.

 

કેન્સર સામે લડવા માટે સરકારનાં પ્રયાસો પર ભાર મૂકીને શ્રી મોદીએ નોંધ્યું હતું કે, મુઝફ્ફરપુરમાં કેન્સરની સુવિધાનું નિર્માણ થવાથી બિહારનાં કેન્સરનાં દર્દીઓને લાભ થશે. તેમણે ઉમેર્યું હતું કે, આ એક જ સુવિધા વિવિધ પ્રકારના કેન્સરની જરૂરિયાતોને પૂર્ણ કરશે અને દર્દીઓને દિલ્હી કે મુંબઇ જવું પડશે નહિં. પ્રધાનમંત્રીએ ટૂંક સમયમાં બિહારમાં આંખની નવી હોસ્પિટલ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરતાં આનંદ થયો હતો. તેમણે ઉમેર્યું હતું કે, તેમણે કાંચી કામકોટી શ્રી શંકરાચાર્યજીને બિહારમાં આંખની હોસ્પિટલ માટે વિનંતી કરી હતી, જેમ કે વારાણસીમાં તાજેતરમાં ઉદ્ઘાટન થયેલી શંકર આંખની હોસ્પિટલ અને તેની કામગીરી ચાલુ છે.

પ્રધાનમંત્રીએ સુશાસનનું મોડલ વિકસાવવા બદલ બિહારનાં મુખ્યમંત્રીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ડબલ એન્જિનની સરકાર બિહારમાં ઝડપથી વિકાસ કરવા કટિબદ્ધ છે તથા લઘુ ખેડૂતો અને ઉદ્યોગોને મજબૂત કરવા રોડમેપ પર કામ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, માળખાગત વિકાસ, એરપોર્ટ અને એક્સપ્રેસવે સાથે બિહારની ઓળખને વેગ મળી રહ્યો છે, કારણ કે તેમણે દરભંગામાં નવા એરપોર્ટનાં વિકાસ માટે ઉડાન યોજનાને શ્રેય આપ્યો હતો. તેમણે આજનાં અન્ય વિકાસલક્ષી પ્રોજેક્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં                 રૂ. 5,500 કરોડનાં મૂલ્યનાં એક્સપ્રેસવે અને આશરે રૂ. 3,400 કરોડનાં મૂલ્યનાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (સીજીડી) નેટવર્ક સામેલ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "વિકાસનું મહાયજ્ઞ બિહારને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યું છે." તેમણે ઉમેર્યું હતું કે, રોજગારીની નવી તકો ઊભી થઈ રહી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ખેડૂતો, મખાના ઉત્પાદકો અને મત્સ્યપાલન ક્ષેત્રનો વિકાસ સરકારની ટોચની પ્રાથમિકતાઓ છે. તેમણે માહિતી આપી હતી કે, બિહારના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ 25,000 કરોડ રૂપિયાથી વધુની રકમ મળી છે, જેમાં મિથિલાના ખેડૂતોનો પણ સમાવેશ થાય છે. તેમણે મખાના ઉત્પાદકોની પ્રગતિ માટે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ યોજનાનો શ્રેય આપ્યો હતો અને મખાના રિસર્ચ સેન્ટરને રાષ્ટ્રીય સંસ્થાનો દરજ્જો આપવામાં આવ્યો હોવાની માહિતી પણ આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, "મખાનાઓને જીઆઈ ટેગ પણ મળ્યો છે." તેમણે કિસાન ક્રેડિટ કાર્ડ અને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનો લાભ લેનાર માછલી સંવર્ધકોનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારનું લક્ષ્ય વિશ્વમાં ભારતને એક વિશાળ માછલી નિકાસકાર તરીકે વિકસિત કરવાનું છે.

 

પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે, સરકાર કોસી અને મિથિલામાં વારંવાર આવતા પૂરમાંથી લોકોને રાહત પ્રદાન કરવા તમામ પ્રયાસો કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, બિહારમાં પૂરને પહોંચી વળવા માટે આ વર્ષના વાર્ષિક બજેટમાં એક વ્યાપક યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નેપાળના સહયોગથી પૂરનું સમાધાન લાવવામાં આવશે અને રૂ. 11,000 કરોડથી વધુના સંબંધિત વિકાસ કાર્યો ચાલી રહ્યા છે.

શ્રી મોદીએ કહ્યું હતું કે, "બિહાર ભારતના વારસાનું સૌથી મોટું કેન્દ્ર છે." શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, આ વારસાને વળગી રહેવું એ આપણા બધાની જવાબદારી છે. એટલે તેમણે ઉમેર્યું હતું કે, સરકાર વિકાસ ભી, વિરાસત ભીનાં મંત્રને અનુસરી રહી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નાલંદા વિશ્વવિદ્યાલય તેની લાંબા સમયથી ખોવાયેલી લોકપ્રિયતાને પુનઃ પ્રાપ્ત કરવા માટે આજે આગળ વધી રહી છે.

ભાષાઓના સંરક્ષણની જરૂરિયાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, પાલી ભાષા, જે ભગવાન બુદ્ધ અને બિહારનાં ગૌરવશાળી ભૂતકાળનાં શિક્ષણનું લિપિ લખે છે, તેને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમણે યાદ અપાવ્યું કે તે વર્તમાન સરકાર છે જેણે ભારતના બંધારણની 8મી અનુસૂચિમાં મૈથિલી ભાષાનો સમાવેશ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, "મૈથિલીને ઝારખંડમાં રાજ્યની બીજી ભાષા આપવામાં આવી છે."

પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, દરભંગા દેશનાં 12થી વધારે શહેરોમાંનું એક છે, જેને રામાયણ સર્કિટ સાથે જોડવામાં આવશે, જેથી પ્રવાસનને પ્રોત્સાહન મળશે. તેમણે કહ્યું હતું કે, દરભંગા – સીતામઢી – અયોધ્યા રુટ પર અમૃત ભારત ટ્રેનથી નાગરિકોને ઘણો લાભ થયો છે.

 

શ્રી મોદીએ દરભંગા એસ્ટેટના મહારાજ, શ્રી કામેશ્વરસિંહજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેમણે સ્વતંત્રતા પહેલાં અને પછી નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, શ્રી કામેશ્વરસિંહજીનું સામાજિક કાર્ય દરભંગાનું ગૌરવ છે અને દરેક માટે પ્રેરણારૂપ છે. તેમણે નોંધ્યું હતું કે, તેમનાં સારાં કાર્યની ચર્ચા કાશીમાં પણ અવારનવાર થાય છે. સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ રાજ્ય અને કેન્દ્ર સરકારનાં લોકો માટે મહત્તમ લાભ મેળવવાનાં પ્રયાસો પર ભાર મૂક્યો હતો તથા તેમને ફરી એકવાર અભિનંદન આપ્યાં હતાં.

આ પ્રસંગે બિહારનાં રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર આર્લેકર, બિહારનાં મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર અને કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી શ્રી ચિરાગ પાસવાન પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

પાશ્વ ભાગ

પ્રદેશમાં સ્વાસ્થ્ય સાથે સંબંધિત માળખાગત સુવિધાઓને મોટું પ્રોત્સાહન આપવાનાં ભાગરૂપે પ્રધાનમંત્રીએ દરભંગામાં રૂ. 1260 કરોડથી વધારેનાં મૂલ્યની એઈમ્સનો શિલાન્યાસ કર્યો હતો. તેમાં સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલ/આયુષ બ્લોક, મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ, નાઇટ શેલ્ટર અને રેસિડેન્શિયલ સુવિધાઓ હશે. તે બિહાર અને તેની આસપાસનાં વિસ્તારોનાં લોકોને તૃતિયક સ્વાસ્થ્ય સુવિધા પ્રદાન કરશે.

માર્ગો અને રેલ બંને ક્ષેત્રોમાં નવા પ્રોજેક્ટ્સ દ્વારા આ ક્ષેત્રમાં કનેક્ટિવિટીને વેગ આપવા માટે પ્રોજેક્ટ્સનું વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ બિહારમાં આશરે રૂ. 5,070 કરોડનાં મૂલ્યનાં વિવિધ રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો.

 

તેમણે રાષ્ટ્રીય રાજમાર્ગ – 327Eનાં ચાર લેનનાં ગલગાલિયા-અરરિયા સેક્શનનું ઉદઘાટન કર્યું હતું. આ કોરિડોર પૂર્વ-પશ્ચિમ કોરિડોર (NH-27) પર અરરિયાથી પડોશી રાજ્ય પશ્ચિમ બંગાળ સુધી ગલગાલિયામાં વૈકલ્પિક માર્ગ પ્રદાન કરશે. તેમણે NH-322 અને NH-31 પર બે રેલવે ઓવર બ્રીજ (ROB)નું ઉદઘાટન પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ બંધુગંજમાં રાષ્ટ્રીય રાજમાર્ગ – 110 પર એક મોટા પુલનું ઉદઘાટન કર્યું હતું, જે જહાનાબાદથી બિહારશરીફને જોડશે.

પ્રધાનમંત્રીએ આઠ રાષ્ટ્રીય રાજમાર્ગ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો, જેમાં રામનગરથી રોઝેરા સુધી પાકા રસ્તા સાથે બે લેનનો રોડ, બિહાર-પશ્ચિમ બંગાળની સરહદેથી રાષ્ટ્રીય રાજમાર્ગ – 131Aનો મણિહારી વિભાગ, હાજીપુરથી બછવાડા વાયા માહનાર અને મોહિઉદ્દીન નગર, સરવન-ચકાઈ સેક્શન સહિત અન્ય માર્ગોનું નિર્માણ સામેલ છે. તેમણે NH-327E પર રાનીગંજ બાયપાસનો શિલાન્યાસ પણ કર્યો હતો. કટોરિયા, લખપુરા, બાંકા અને પંજવાડા, NH-333A પર બાયપાસ અને NH-82થી NH-33 સુધી ચાર લેનનો લિન્ક રોડ બનશે.

 

પ્રધાનમંત્રીએ રૂ. 1740 કરોડથી વધારેનાં મૂલ્યનાં રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. તેમણે રૂ. 220 કરોડથી વધુના મૂલ્યના ચિરાલાપોથુથી બાઘા બિશુનપુર સુધીની સોનનગર બાયપાસ રેલવે લાઇનનો શિલાન્યાસ કર્યો હતો.

તેમણે રૂ. 1520 કરોડથી વધારેનાં મૂલ્યનાં રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કર્યું હતું. તેમાં ઝાંઝરપુર-લૌકા બાઝાર રેલ સેક્શન, દરભંગા બાયપાસ રેલવે લાઇનનું ગેજ કન્વર્ઝન, દરભંગા બાયપાસ રેલવે લાઇન સામેલ છે, જે દરભંગા જંક્શન પર રેલવે ટ્રાફિકની ગીચતાને હળવી કરશે, રેલવે લાઇન પ્રોજેક્ટને બમણો કરશે, જેનાથી પ્રાદેશિક જોડાણને વધારે સારી સુવિધા મળશે.

પ્રધાનમંત્રીએ ઝાંઝરપુર-લૌકાહા બજાર સેક્શનમાં ટ્રેન સેવાઓને લીલી ઝંડી પણ આપી હતી. આ વિભાગમાં મેમુ ટ્રેન સેવાઓ શરૂ કરવાથી નજીકનાં નગરો અને શહેરોમાં રોજગારી, શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓ સરળતાપૂર્વક ઉપલબ્ધ થશે.

પ્રધાનમંત્રીએ ભારતનાં વિવિધ રેલવે સ્ટેશનો પર 18 પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રોનું લોકાર્પણ કર્યું હતું. આ મુસાફરો માટે રેલવે સ્ટેશનો પર સસ્તી દવાઓની ઉપલબ્ધતાની ખાતરી કરશે. તે જેનરિક દવાઓની સ્વીકૃતિ અને જાગૃતિને પ્રોત્સાહન પણ આપશે, જેથી આરોગ્યસંભાળ પરના એકંદર ખર્ચમાં ઘટાડો થશે.

 

 

પ્રધાનમંત્રીએ રૂ. 4,020 કરોડથી વધારેનાં મૂલ્યનાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસનાં ક્ષેત્રમાં વિવિધ પહેલોનો શિલાન્યાસ કર્યો હતો. ઘરોમાં પાઇપ્ડ નેચરલ ગેસ (પીએનજી) લાવવા અને વાણિજ્યિક અને ઔદ્યોગિક ક્ષેત્રોને સ્વચ્છ ઊર્જાનાં વિકલ્પો પ્રદાન કરવાનાં વિઝનને અનુરૂપ પ્રધાનમંત્રીએ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બિહારનાં પાંચ મુખ્ય જિલ્લાઓમાં દરભંગા, મધુબની, સુપૌલ, સીતામઢી અને શિવહરમાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (સીજીડી) નેટવર્કનાં વિકાસ માટે શિલારોપણ કર્યું હતું. તેમણે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની બરૌની રિફાઇનરીના બિટ્યુમેન મેન્યુફેક્ચરિંગ યુનિટનો શિલાન્યાસ પણ કર્યો હતો, જે આયાતી બિટ્યુમેન પરની નિર્ભરતા ઘટાડવામાં સ્થાનિક સ્તરે બિટ્યુમેનનું ઉત્પાદન કરશે.

 

Click here to read full text speech

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi Praises Farmers For Taking India's Rich Mango Heritage To Global Markets

Media Coverage

PM Modi Praises Farmers For Taking India's Rich Mango Heritage To Global Markets
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister hold talks with Myanmar President U Min Aung Hlaing
June 01, 2026

The Prime Minister, Shri Narendra Modi, today held productive talks with the President of Myanmar, U Min Aung Hlaing.

The Prime Minister noted that India is honoured that President U Min Aung Hlaing chose India for his first foreign visit as President. He also expressed happiness that the President began his programme in India from Bodh Gaya with the blessings of Lord Buddha.

During the talks, the two leaders reviewed the full range of India-Myanmar relations and discussed ways to further strengthen bilateral cooperation.

The discussions covered avenues to deepen cooperation in trade, rare earths, healthcare, connectivity, heritage restoration and capacity building. The two sides also agreed to work closely in areas such as maritime security, cyber security and other sectors of mutual interest.

The Prime Minister underlined that Myanmar is vital to India’s ‘Neighbourhood First’, ‘Act East’ and Indo-Pacific policies, reaffirming the importance India attaches to its relations with Myanmar.

The Prime Minister wrote on X;

“Had a productive meeting with President U Min Aung Hlaing of Myanmar. We in India are honoured that he has chosen India for his first foreign visit as President. Equally gladdening is the fact that he began the visit from Bodh Gaya, with the blessings of Lord Buddha. We reviewed the full range of India-Myanmar relations. Myanmar is vital to India’s policies of ‘Neighbourhood First’, ‘Act East’ and Indo-Pacific.”

“Our talks covered ways to deepen cooperation in trade, rare earths, healthcare, connectivity, heritage restoration and capacity building. We also agreed to work closely in areas such as maritime security, cyber security and more.”