ઇન્ડિયન ઓઇલની 518 કિ.મી.ની હલ્દિયા-બરૌની ક્રૂડ ઓઇલ પાઇપલાઇનનું ઉદઘાટન કર્યું
ખડગપુરના વિદ્યાસાગર ઔદ્યોગિક પાર્ક ખાતે 120 ટીએમટીપીએની ક્ષમતા ધરાવતા ઇન્ડિયન ઓઇલના એલપીજી બોટલિંગ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું
શ્યામા પ્રસાદ મુખર્જી બંદર, કોલકાતા ખાતે માળખાગત સુવિધાઓને મજબૂત કરવા માટે વિવિધ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા
આશરે રૂ. 2680 કરોડનાં મૂલ્યનાં મહત્ત્વપૂર્ણ રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું
પશ્ચિમ બંગાળમાં ગંદાપાણીના શુદ્ધિકરણ અને સુએઝ સાથે સંબંધિત ત્રણ પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું
"21મી સદીનું ભારત ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. અમે સાથે મળીને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે"
"કેન્દ્ર સરકાર દેશના અન્ય ભાગોની જેમ જ પશ્ચિમ બંગાળમાં પણ રેલવેનું આધુનિકીકરણ કરવાનો પ્રયાસ કરી રહી છે"
"ભારતે દુનિયાને બતાવ્યું કે પર્યાવરણ સાથે સુમેળ સાધીને વિકાસ કેવી રીતે થઈ શકે છે"
"રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની શરૂઆત રોજગાર માટેના અનેક માર્ગો ખોલે છે"

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના હુગલીના આરામબાગમાં 7,200 કરોડ રૂપિયાની કિંમતની અનેક વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી અને શિલાન્યાસ કર્યો હતો. આજની વિકાસલક્ષી પરિયોજનાઓ રેલવે, બંદરો, ઓઇલ પાઇપલાઇન, એલપીજી પુરવઠો અને ગંદાપાણીના શુદ્ધિકરણ જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલી છે.

અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ 21મી સદીના ભારતની ઝડપી વૃદ્ધિ અને વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવાના સંકલ્પની નોંધ લીધી હતી. તેમણે યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબોનાં સશક્તીકરણની પ્રાથમિકતાઓનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, "અમે ગરીબોનાં કલ્યાણ માટે હંમેશા પ્રયાસરત રહ્યાં છીએ અને તેનાં પરિણામો હવે દુનિયાને દેખાય છે." તેમણે એ હકીકત પર ભાર મૂક્યો હતો કે, 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવી રહ્યાં છે, જે સરકારની દિશા, નીતિઓ અને નિર્ણયોની સચ્ચાઈ સૂચવે છે. તેમણે ઉમેર્યું હતું કે, આ બધાનું મુખ્ય કારણ યોગ્ય ઇરાદાઓ છે.

 

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રૂ. 7,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને પશ્ચિમ બંગાળનાં વિકાસ માટે શિલારોપણ કરવામાં આવ્યું છે, જેમાં રેલવે, બંદરો, પેટ્રોલિયમ અને જલ શક્તિનાં ક્ષેત્રો સામેલ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળમાં રેલવેને અન્ય દેશોની જેમ જ આધુનિક બનાવવા આતુર છે." પ્રધાનમંત્રીએ ઝારગ્રામ-સલગાઝરીને જોડતી ત્રીજી રેલ લાઇનનો ઉલ્લેખ કર્યો હતો, જેનો ઉદ્દેશ રેલવે કનેક્ટિવિટીમાં સુધારો કરવાનો છે, ત્યારે આ વિસ્તારમાં પ્રવાસન અને ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની સાથે-સાથે રેલવે કનેક્ટિવિટીમાં સુધારો કરવાનો છે. તેમણે સોંડાલિયા – ચંપાપુકુર અને દાનકુની – ભટ્ટાનગર– બાલ્તિકુરી રેલવે લાઇનને બમણી કરવા વિશે પણ વાત કરી હતી. પ્રધાનમંત્રીએ કોલકાતાનાં શ્યામા પ્રસાદ મુખર્જી બંદર પર માળખાગત સુવિધાને મજબૂત કરવા માટેનાં વિકાસલક્ષી પ્રોજેક્ટ અને રૂ. 1,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં ત્રણ અન્ય પ્રોજેક્ટ વિશે પણ વાત કરી હતી.

હલ્દિયા બરૌની ક્રૂડ પાઇપલાઇનનું ઉદાહરણ આપતા પીએમ મોદીએ કહ્યું, "ભારતે દુનિયાને બતાવ્યું કે પર્યાવરણ સાથે સુમેળમાં વિકાસ કેવી રીતે કરી શકાય છે." ક્રૂડ ઓઇલને ચાર રાજ્યો - બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાંથી પાઇપલાઇન મારફતે ત્રણ રિફાઇનરીઓમાં પરિવહન કરવામાં આવે છે, જેના પરિણામે બચત અને પર્યાવરણીય સંરક્ષણ થાય છે. તેમણે કહ્યું કે એલપીજી બોટલિંગ પ્લાન્ટથી 7 રાજ્યોને ફાયદો થશે અને આ વિસ્તારમાં એલપીજીની માંગને પહોંચી વળશે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પણ ઘણા જિલ્લાઓમાં લાખો લોકોને લાભ થશે.

 

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "રાજ્યમાં માળખાગત પ્રોજેક્ટની શરૂઆત રોજગારી માટેનાં વિવિધ માર્ગો ખોલે છે." પ્રધાનમંત્રીએ આ વર્ષે પશ્ચિમ બંગાળમાં રેલવેનાં વિકાસ માટે રૂ. 13,000 કરોડથી વધારેનાં બજેટની ફાળવણી વિશે માહિતી આપી હતી, જે વર્ષ 2014 અગાઉની સરખામણીએ ત્રણ ગણી વધારે છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર રેલવે લાઇનોનાં ઇલેક્ટ્રિફિકેશન, પેસેન્જર સુવિધાઓમાં સુધારો અને રેલવે સ્ટેશનોનાં પુનર્વિકાસને પ્રાથમિકતા આપે છે. છેલ્લાં 10 વર્ષમાં પૂર્ણ થયેલા વિલંબિત પ્રોજેક્ટ્સ પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, પશ્ચિમ બંગાળમાં 3,000 કિલોમીટરથી વધારે રેલવે લાઇનનું ઇલેક્ટ્રિફિકેશન થઈ ગયું છે, અમૃત સ્ટેશન યોજના હેઠળ તારકેશ્વર રેલવે સ્ટેશનનાં પુનર્વિકાસ, 150થી વધારે નવી ટ્રેન સેવાઓ શરૂ કરવી, સહિત આશરે 100 રેલવે સ્ટેશનોનું પુનઃવિકાસ કરવામાં આવી રહ્યું છે.  અને 5 નવી વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી આપી હતી.

પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, પશ્ચિમ બંગાળની જનતાનાં યોગદાનથી વિકસિત ભારતનાં સંકલ્પો પૂર્ણ થશે. તેમણે નાગરિકોને આજની વિકાસલક્ષી પરિયોજનાઓ માટે શુભેચ્છા પાઠવી હતી.

 

આ પ્રસંગે પશ્ચિમ બંગાળનાં રાજ્યપાલ ડૉ. સી. વી. આનંદ બોઝ અને કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી શ્રી શાંતનુ ઠાકુર ઉપસ્થિત રહ્યાં હતાં.

પાર્શ્વ ભાગ

પ્રધાનમંત્રીએ આશરે રૂ. 2,790 કરોડનાં ખર્ચે તૈયાર થયેલી ઇન્ડિયન ઓઇલની 518 કિલોમીટરની હલ્દિયા-બરૌની ક્રૂડ ઓઇલ પાઇપલાઇનનું ઉદઘાટન કર્યું હતું. આ પાઈપલાઈન બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાંથી પસાર થાય છે. આ પાઇપલાઇન બરૌની રિફાઇનરી, બોંગાઇગાંવ રિફાઇનરી અને ગુવાહાટી રિફાઇનરીને સલામત, ખર્ચ-કાર્યક્ષમ અને પર્યાવરણને અનુકૂળ રીતે કાચા તેલનો પુરવઠો પૂરો પાડશે.

પ્રધાનમંત્રીએ ખડગપુરમાં વિદ્યાસાગર ઔદ્યોગિક પાર્ક ખાતે 120 ટીએમટીપીએની ક્ષમતા ધરાવતા ઇન્ડિયન ઓઇલના એલપીજી બોટલિંગ પ્લાન્ટનું ઉદઘાટન પણ કર્યું હતું. 200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલો એલપીજી બોટલિંગ પ્લાન્ટ આ ક્ષેત્રનો પ્રથમ એલપીજી બોટલિંગ પ્લાન્ટ હશે. તે પશ્ચિમ બંગાળમાં લગભગ 14.5 લાખ ગ્રાહકોને એલપીજી સપ્લાય કરશે.

 

પ્રધાનમંત્રીએ કોલકાતાનાં શ્યામા પ્રસાદ મુખર્જી બંદર પર આશરે રૂ. 1000 કરોડનાં મૂલ્યનાં માળખાગત સુવિધાને મજબૂત કરવા માટે વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું અને વિવિધ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. જે પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવશે તેમાં બર્થ નંબર 8 એનએસડીનું પુનર્નિર્માણ અને કોલકાતા ડૉક સિસ્ટમના બર્થ નંબર 7 અને 8 એનએસડીના યાંત્રિકરણનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ હલ્દિયા ડોક કોમ્પ્લેક્સ, શ્યામા પ્રસાદ મુખર્જી બંદરની ઓઈલ જેટીમાં અગ્નિશામક પ્રણાલીને વધારવા માટેના પ્રોજેક્ટને પણ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. નવી સ્થાપિત ફાયર-ફાઇટિંગ સુવિધા અત્યાધુનિક સંપૂર્ણ સ્વચાલિત સેટ-અપ છે, જે અત્યાધુનિક ગેસ અને ફ્લેમ સેન્સરથી સજ્જ છે, જે તાત્કાલિક જોખમની તપાસ સુનિશ્ચિત કરે છે. પ્રધાનમંત્રીએ 40 ટનની ઊંચકવાની ક્ષમતા ધરાવતા હલ્દિયા ડોક કોમ્પ્લેક્સની ત્રીજી રેલ માઉન્ટેડ ક્વે ક્રેન (આરએમક્યુસી)નું લોકાર્પણ કર્યું હતું. શ્યામા પ્રસાદ મુખર્જી બંદર, કોલકાતા ખાતેના આ નવા પ્રોજેક્ટ્સ ઝડપી અને સલામત કાર્ગો હેન્ડલિંગ અને સ્થળાંતરમાં મદદ કરીને બંદરની ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો કરશે.

 

પ્રધાનમંત્રીએ આશરે રૂ. 2680 કરોડનાં મૂલ્યનાં મહત્ત્વપૂર્ણ રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં ઝારગ્રામ-સલગાઝરી (90 કિલોમીટર)ને જોડતી ત્રીજી રેલ લાઇન સામેલ છે. સોન્ડલિયા – ચંપાપુકુર રેલવે લાઇનનું ડબલિંગ (24 કિલોમીટર) અને દાનકુની – ભટ્ટાનગર – બાલ્તિકુરી રેલ લાઇન (9 કિલોમીટર)નું ડબલિંગ થશે. આ વિવિધ પ્રોજેક્ટથી આ વિસ્તારમાં રેલવે પરિવહન સુવિધાઓનું વિસ્તરણ થશે, પરિવહનમાં સુધારો થશે અને નૂર પરિવહનની અવિરત સેવા સુલભ થશે, જે વિસ્તારમાં આર્થિક અને ઔદ્યોગિક વિકાસ તરફ દોરી જશે.

પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળમાં ગંદાપાણીના શુદ્ધિકરણ અને સુએઝ સાથે સંબંધિત ત્રણ પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું. લગભગ 600 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ પ્રોજેક્ટ્સને વિશ્વ બેંક દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ્સમાં ઇન્ટરસેપ્શન એન્ડ ડાયવર્ઝન (આઇએન્ડડી) વર્ક્સ અને હાવડામાં 65 એમએલડીની ક્ષમતા ધરાવતા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (એસટીપી) અને 3.3 કિ.મી.નું સીવેજ નેટવર્ક સામેલ છે. માહિતી અને વિકાસ કાર્ય કરે છે અને બલી ખાતે 62 એમએલડીની ક્ષમતા અને 11.3 કિલોમીટરનું સુએજ નેટવર્ક ધરાવે છે તથા માહિતી અને વિકાસ કાર્ય કરે છે તથા 60 એમએલડીની ક્ષમતા ધરાવતા બરારહાટી અને બારાનગરમાં એસટીપી તથા 8.15 કિલોમીટરનું સુએઝ નેટવર્ક ધરાવે છે.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's IT industry to hit $315 billion in FY26 as AI revenues reach $10-12 billion: Nasscom

Media Coverage

India's IT industry to hit $315 billion in FY26 as AI revenues reach $10-12 billion: Nasscom
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Condoles the Passing of Thiru R. Nallakannu
February 25, 2026

The Prime Minister has expressed his condolences over the passing of Thiru R. Nallakannu, highlighting his grassroots connect and his tireless efforts to give a voice to the underprivileged.

The Prime Minister noted that Thiru R. Nallakannu was widely respected by people from every section of society and his simplicity was noteworthy. The Prime Minister shared that his thoughts are with the family and admirers during this time.

The Prime Minister shared on X;

"Thiru R. Nallakannu will be remembered for his grassroots connect and efforts to give voice to the underprivileged, workers and farmers. He was widely respected by people from every section of society. Equally noteworthy was his simplicity. My thoughts are with his family and admirers."