ખેડૂતોને તેમના ઉત્પાદનનું વેચાણ કરવામાં મદદરૂપ થઈને કૃષિ આવક વધારવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી મોદીએ આખા દેશમાં 10,000 ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (એફપીઓ)ની રચના કરી હતી. 

કેન્દ્ર સરકારે રૂ. 6,865 કરોડનાં બજેટની ફાળવણી કરી છે અને દરેક એફપીઓને રૂ. 15 લાખ પ્રદાન કરવામાં આવશે, જે ખેડૂતો માટે અત્યંત લાભદાયક છે. એફપીઓનાં સભ્યો ટેકનોલોજીની વધારે સુલભતા માટે, આંતરિક ખર્ચ પૂર્ણ કરવા, ખેડૂતોની આવકમાં ઝડપથી વધારો કરવા ધિરાણ અને બજારની સુવિધા આપવા જેવી વ્યવસ્થાઓ કરશે. પ્રધાનમંત્રી મોદીએ ચિત્રકૂટમાં કહ્યું હતું કે, ખેડૂતો હંમેશા ઉત્પાદકો રહ્યાં છે, પણ હવે એફપીઓની મદદ સાથે તેઓ તેમના કૃષિ ઉત્પાદનોનું વેચાણ કરી શકે છે. તેઓ પાકનું વાવેતર કરશે અને યોગ્ય કિંમત મેળવવા કુશળ વેપારીઓ પણ બનશે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Mapping the subsurface: How ICAR’s ‘Soil Intelligence’ is reshaping India’s mega infrastructure boom

Media Coverage

Mapping the subsurface: How ICAR’s ‘Soil Intelligence’ is reshaping India’s mega infrastructure boom
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ આચાર્ય વિનોબા ભાવેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
September 11, 2026

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આચાર્ય વિનોબા ભાવેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આચાર્ય વિનોબા ભાવેના 'જય જગત'ના પ્રેરણાદાયી આહ્વાને તમામ સીમાઓ ઓળંગીને માનવતાને સર્વોપરી સ્થાન આપ્યું હતું.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે આચાર્ય વિનોબા ભાવેએ તેમના વિવિધ પ્રયાસો દ્વારા સૌના કલ્યાણ અને સશક્તિકરણ માટે કાર્ય કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે સમાનતા, ગરિમા અને સેવા પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધાએ સમાજના સૌથી વંચિત વર્ગોને શક્તિ પ્રદાન કરી હતી.

શ્રી મોદીએ 'X' પર પોસ્ટ કર્યું:

"આચાર્ય વિનોબા ભાવેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.

તેમના 'જય જગત'ના પ્રેરણાદાયી આહ્વાને તમામ સીમાઓ ઓળંગીને માનવતાને સર્વોપરી સ્થાન આપ્યું હતું.

તેમણે પોતાના વિવિધ પ્રયાસો દ્વારા સૌના કલ્યાણ અને સશક્તિકરણ માટે કાર્ય કર્યું હતું.

સમાનતા, ગરિમા અને સેવા પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધાએ સૌથી વંચિત વર્ગોને શક્તિ પ્રદાન કરી હતી."