પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે SEMICON India 2025 દરમિયાન સેમિકન્ડક્ટર્સની દુનિયાના અગ્રણી CEOs સાથે વાતચીત કરી. "મેં આ ક્ષેત્રમાં ભારતની અવિરત સુધારા યાત્રા વિશે વાત કરી, જેમાં મજબૂત માળખાગત સુવિધાઓનું નિર્માણ અને કૌશલ્ય તેમજ નવીનતા પર ભાર સામેલ છે", શ્રી મોદીએ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"આજે અગાઉ, SEMICON India 2025 દરમિયાન સેમિકન્ડક્ટર્સની દુનિયાના અગ્રણી CEOs સાથે વાતચીત કરી. ભારતની સંભાવનામાં તેમનો વિશ્વાસ સ્પષ્ટ છે અને તેઓ સેમિકન્ડક્ટર નવીનતા અને ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ભારત પર મોટો દાવ લગાવી રહ્યા છે. મેં આ ક્ષેત્રમાં ભારતની અવિરત સુધારા યાત્રા વિશે વાત કરી, જેમાં મજબૂત માળખાગત સુવિધાઓનું નિર્માણ અને કૌશલ્ય તેમજ નવીનતા પર ભાર સામેલ છે."
Earlier today, interacted with leading CEOs from the world of semiconductors during SEMICON India 2025. Their confidence in India’s potential is evident and they are betting big on India as a global hub for semiconductor innovation and manufacturing. I talked about India's… pic.twitter.com/9Eba4xyLRI
— Narendra Modi (@narendramodi) September 3, 2025


