ભારત એક જીવંત સભ્યતા છે જે હજારો વર્ષોથી સમૃદ્ધ થઈ રહી છે: પ્રધાનમંત્રી
વિશ્વમાં એવા બહુ ઓછા ઉદાહરણો છે જ્યાં પરંપરાઓ આટલા લાંબા સમય સુધી સતત અકબંધ રહી હોય: પ્રધાનમંત્રી
આપણા સમાજમાં સમયાંતરે આવી મહાન હસ્તીઓ ઉભરતી રહી છે, જેઓ માત્ર આધ્યાત્મિક માર્ગદર્શન પૂરતા સીમિત નથી રહ્યા: પ્રધાનમંત્રી
તેઓ લોકોની વચ્ચે રહ્યા છે, તેમના સુખ-દુઃખને સમજ્યા છે, તેમના સંઘર્ષોને અનુભવ્યા છે અને સમાજને દુઃખ, પીડા અને મુશ્કેલીમાંથી બહાર લાવવાનો માર્ગ બતાવ્યો છે: પ્રધાનમંત્રી
મારી પ્રથમ અપીલ એ છે કે આપણે સૌ પાણી બચાવવા અને તેના વધુ સારા સંચાલનનો સંકલ્પ કરીએ: પ્રધાનમંત્રી
મારી બીજી અપીલ વૃક્ષો અને પ્રકૃતિ સાથે સંબંધિત છે, ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ લાખો લોકોએ પોતાની માતાના નામે વૃક્ષો વાવ્યા છે; ચાલો આપણે પણ આપણી માતાના સન્માનમાં વૃક્ષો વાવીએ અને ધરતી માતાની રક્ષા કરવાનો સંકલ્પ કરીએ: પ્રધાનમંત્રી
મારી ત્રીજી અપીલ સ્વચ્છતા અંગે છે; ધાર્મિક સ્થળ હોય, જાહેર સ્થળ હોય, ગામ હોય કે શહેર, દરેક જગ્યાએ સ્વચ્છતા જાળવવી એ આપણી જવાબદારી છે: પ્રધાનમંત્રી
મારી ચોથી અપીલ સ્વદેશી અને સ્વનિર્ભરતા સાથે સંબંધિત છે; ચાલો આપણે ભારતીય ઉત્પાદનો અપનાવીએ, ભારતીય ઉત્પાદકો અને ઉદ્યોગોને મજબૂત કરીએ: પ્રધાનમંત્રી
મારી પાંચમી અપીલ આપણા દેશની સુંદરતાની પ્રશંસા કરવા સંબંધિત છે; ચાલો આપણે આપણા દેશને જાણીએ, દેશમાં મુસાફરી કરીએ અને સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપીએ: પ્રધાનમંત્રી
ખેડૂતોને મારી છઠ્ઠી અપીલ એ છે કે તેઓ પ્રાકૃતિક ખેતી તરફ વળે: પ્રધાનમંત્રી
મારી સાતમી અપીલ તંદુરસ્ત આહાર સાથે સંબંધિત છે; મેદસ્વીપણું (Obesity) આપણા દેશમાં એક મોટો પડકાર બની રહ્યો છે. આના નિરાકરણ માટે, તમારા ખોરાકમાં તેલનું પ્રમાણ 10% ઘટાડવાનો પ્રયાસ કરો: પ્રધાનમંત્રી
મારી આઠમી અપીલ યોગ, રમતગમત અને ફિટનેસ સાથે સંબંધિત છે. આપણે સૌએ આને આપણા જીવનનો અભિન્ન ભાગ બનાવવો જોઈએ: પ્રધાનમંત્રી
મારી નવમી અપીલ સેવાની ભાવના સાથે સંબંધિત છે: પ્રધાનમંત્રી

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના માંડ્યામાં શ્રી ક્ષેત્ર આદિચુંચનાગિરી ખાતે શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમના ઊંડા આધ્યાત્મિક પડઘા પર પ્રકાશ પાડતાપ્રધાનમંત્રીએ શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરના ભવ્ય ઉદ્ઘાટનના સાક્ષી બનવાની અને ઉચ્ચ કોટિના સંતો સાથે વાર્તાલાપ કરવાની તક બદલ ઊંડો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે નોંધ્યું હતું કે ઐતિહાસિક જ્વાલા પીઠ પર સમય વિતાવવો અને ભક્તોની વિશાળ જનમેદનીને સંબોધિત કરવાથી એવી શક્તિશાળી લાગણીઓ જાગી છે જે શબ્દોની બહાર છે. પ્રધાનમંત્રી મોદીએ ટિપ્પણી કરી, "આ દૈવી અનુભવો મારી સ્મૃતિમાં કાયમ માટે અંકિત રહેશે."

સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ 'તત્વજ્ઞાન' (તત્વચિંતન) અને 'તંત્રજ્ઞાન' (ટેકનોલોજી)ના અનોખા મિશ્રણ પર ભાર મૂક્યો હતો જે કર્ણાટકને વ્યાખ્યાયિત કરે છેઅને માંડ્યાના 'સક્કારે નગરા' (ખાંડનું શહેર)ના લોકોના સ્વાગતશીલ સ્વભાવ પર વિશેષ ધ્યાન દોર્યું હતું. તેમણે અવલોકન કર્યું કે શ્રી આદિચુંચનાગિરી મહાસંસ્થાન મઠ જેવી સંસ્થાઓ આ પ્રદેશ માટે નૈતિક અને આધ્યાત્મિક હોકાયંત્ર તરીકે સેવા આપે છે. "કર્ણાટક એક એવી ભૂમિ છે જ્યાં તત્વજ્ઞાનની ઊંડાઈ આધુનિક ટેકનોલોજીની શક્તિ સાથે સંપૂર્ણ રીતે મળે છે," એમ શ્રી મોદીએ જણાવ્યું હતું.

ભારતની જીવંતસહસ્ત્રાબ્દી જૂની સભ્યતા પર પ્રતિબિંબ પાડતાપ્રધાનમંત્રીએ શ્રી આદિચુંચનાગિરી મઠના 2000 વર્ષ જૂના ઈતિહાસ દ્વારા મૂર્તિમંત પરંપરાઓની દુર્લભ અને અતૂટ સાતત્યતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ડૉ. બાલગંગાધરનાથ મહાસ્વામીજી જેવા ભૂતકાળના તેજસ્વી સંતોના ઊંડા આધ્યાત્મિક માર્ગદર્શનની પ્રશંસા કરી હતી અને વર્તમાન નેતૃત્વની આ વારસાને નવી ઊર્જા સાથે આગળ વધારવા બદલ પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ નોંધ્યું હતું કે, "આ પવિત્ર સંસ્થાએ પેઢીઓથી સેવાની તેની પરંપરા સાથે આપણી ભૂમિને સમૃદ્ધ બનાવી છે."

સમાજમાં મહાન સંતોની પરિવર્તનકારી ભૂમિકાની વિગત આપતા પ્રધાનમંત્રીએ નિર્દેશ કર્યો કે ડૉ. બાલગંગાધરનાથ મહાસ્વામીજીનું આધ્યાત્મિક પરાક્રમ સામાન્ય માણસ અને ગ્રામીણ યુવાનોના સંઘર્ષોને ઉકેલવા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલું હતું. તેમણે વિગતવાર જણાવ્યું કે કેવી રીતે દિવ્ય વ્યક્તિત્વ ભક્તિને પલાયનવાદ તરીકે નહીંપરંતુ જનતાના ઉત્થાન માટેની સક્રિય જવાબદારી તરીકે જોતા હતા. "સાચી ભક્તિ એ છે કે સમાજના કલ્યાણ માટે જવાબદારી લેવા આગળ વધવું," એમ શ્રી મોદીએ જણાવ્યું હતું.

મહાસ્વામીજીની વ્યાપક પરોપકારી પહેલો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ વંચિત બાળકો માટે પ્રાથમિક શિક્ષણથી લઈને વ્યાવસાયિક ડિગ્રીઓ સુધીની બધી જ સુવિધાઓ પૂરી પાડતી અસંખ્ય શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપનાની નોંધ લીધી હતી. તેમણે ઉમેર્યું હતું કે આરોગ્યસંભાળ પ્રત્યે મઠના સ્વપ્નદ્રષ્ટા અભિગમે એ સુનિશ્ચિત કર્યું કે ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ ભેદભાવ વિના દરેક સુધી પહોંચે. શ્રી મોદીએ કહ્યું હતું કે "ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ એ દરેક નાગરિક માટે સુલભ અધિકાર હોવો જોઈએપસંદગીના થોડા લોકો માટે વિશેષાધિકાર નહીં,"

 

મઠના માનવીય પ્રયાસો અને સરકારની કલ્યાણકારી નીતિઓ વચ્ચે સમાનતા દર્શાવતા પ્રધાનમંત્રીએ કરોડો ગરીબ નાગરિકોને હોસ્પિટલમાં મફત સારવાર પૂરી પાડવામાં આયુષ્માન ભારત યોજનાની સફળતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે 70 વર્ષથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને આવરી લેવા માટે યોજનાના તાજેતરના વિસ્તરણ વિશે વધુ વિગત આપી. "અમે સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે આપણા વડીલો ગૌરવ સાથે મહત્વપૂર્ણ આરોગ્ય સુવિધાઓ મેળવે," એમ શ્રી મોદીએ કહ્યું.

તમામ જીવંત પ્રાણીઓ પ્રત્યે મહાસ્વામીજીની અપાર કરુણા પર પ્રતિબિંબ પાડતા પ્રધાનમંત્રીએ મોરના રક્ષણ માટેના તેમના સમર્પિત સામાજિક આંદોલનની પ્રશંસા કરી હતીઅને તેને પર્યાવરણીય સંરક્ષણ અને ભારતની સાંસ્કૃતિક વિરાસત બંને સાથે જોડી હતી. તેમના દિલ્હી નિવાસસ્થાને તેમના વ્યક્તિગત અવલોકનો પરથીતેમણે રાષ્ટ્રીય પક્ષી સાથેની તેમની આત્મીયતાની વાતો વ્યકત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, "મોર માત્ર આપણું રાષ્ટ્રીય ગૌરવ જ નથી પરંતુ એક અત્યંત સુંદર અને શાંત પ્રાણી પણ છે."

વર્તમાન જગદગુરુ ડૉ. નિર્મલાનંદનાથ મહાસ્વામીજીની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ તેમના ગુરુના પગલે નિષ્ઠાપૂર્વક ચાલીને લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટેના તેમના સમર્પણ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે નવનિર્મિત શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિર માત્ર ભૌતિક માળખાથી આગળ વધીને ઊંડી આધ્યાત્મિક ભક્તિની સાચી અનુભૂતિ સમાન છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "આ મંદિર નિઃશંકપણે સેવા અને પ્રેરણાની કાયમી દીવાદાંડી તરીકે સેવા આપશે,"

 

ખોરાકશિક્ષણઆરોગ્યઆધ્યાત્મિકતા અને કરુણા સુધી ફેલાયેલા શ્રી આદિચુંચનાગિરી મઠના નવ પાયાના સિદ્ધાંતોની રૂપરેખા આપતાપ્રધાનમંત્રીએ સામૂહિક રાષ્ટ્રીય સંકલ્પનો પ્રસ્તાવ મૂકવાની પ્રેરણા લીધી હતી. તેમણે નાગરિકોને સામાજિક હિતના નવ વિશિષ્ટ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને આ મૂલ્યોને અપનાવવા વિનંતી કરી. શ્રી મોદીએ નોંધ્યું, "આપણા સામૂહિક સંકલ્પને મજબૂત કરવા માટે હું આજે તમારી સમક્ષ નવ મહત્વની વિનંતીઓ મૂકું છું."

પ્રથમ પાંચ વિનંતીઓની વિગત આપતા પ્રધાનમંત્રીએ માંડ્યાના લોકોને જળ સંરક્ષણ માટે અગ્રેસર બનવા, ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષો વાવવા અને તમામ જાહેર અને ધાર્મિક સ્થળોએ સખત સ્વચ્છતા જાળવવા વિનંતી કરી હતી. તેમણે ભારતીય ઉત્પાદનો અપનાવીને સ્વનિર્ભરતા પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવા અને રાષ્ટ્રની અપાર સુંદરતાને જાણવા માટે ઘરેલું પર્યટનને પ્રોત્સાહન આપવા પણ આહવાન કર્યું હતું. શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, "આપણે ધરતી માતાની રક્ષા કરવી જોઈએ અને આપણા ઘરેલું ઉદ્યોગોને સક્રિયપણે મજબૂત કરવા જોઈએ."

 

આરોગ્ય અને કૃષિના મહત્વ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કર્યા અને યુવા પેઢીને મિલેટ્સ (જાડા અનાજ) અને શ્રી એચ.ડી. દેવેગૌડા દ્વારા પ્રચલિત પ્રાદેશિક મુખ્ય આહાર 'રાગી મુદ્દેઅપનાવવા વિનંતી કરી. તેમણે મેદસ્વીતા સામે લડવા માટે રાંધણ તેલમાં 10 ટકાનો ઘટાડો કરવારોજિંદા જીવનમાં ફિટનેસને સંકલિત કરવા અને આજીવન સેવાની ભાવના જાળવી રાખવા માટે પણ હિમાયત કરી હતી. શ્રી મોદીએ અવલોકન કર્યું, "યોગ અને તંદુરસ્ત આહારને પ્રાથમિકતા આપવી એ આપણા રોજિંદા જીવન માટે આવશ્યક છે."

 

તેમના સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ ખાસ જણાવ્યું હતું કે જરૂરિયાતમંદોની સેવા કરવાથી જીવનમાં એક ભવ્ય ઉદ્દેશ્ય આવે છે અને સામાજિક તાણાવાણાને ઊંડાણપૂર્વક મજબૂત બનાવે છે. તેમણે અપાર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ નવ વિનંતીઓનું પાલન કરવાથી વિકસિત કર્ણાટક અને વિકસિત ભારત તરફની સહિયારી મુસાફરી વેગવંતી બનશે. શ્રી મોદીએ "પ્રામાણિક સંકલ્પ સાથેઆપણે વિકસિત ભારતના વિઝન તરફ ઝડપથી આગળ વધીશું." એ વાત પર ભાર મૂક્યો હતો.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India identifies 102 GWp floating solar potential, eyes new push for reservoir-based projects

Media Coverage

India identifies 102 GWp floating solar potential, eyes new push for reservoir-based projects
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 11 જૂન 2026
June 11, 2026

Vikas Bhi, Virasat Bhi: PM Modi’s Decade-Plus Journey of Development Rooted in Civilizational Pride