નાગરનાર ખાતે એનએમડીસી સ્ટીલ લિમિટેડનો સ્ટીલ પ્લાન્ટ અર્પણ કર્યો
જગદલપુર રેલવે સ્ટેશનના અપગ્રેડેશન માટે શિલારોપણ કર્યું
છત્તિસગઢમાં અનેક રેલ અને માર્ગ ક્ષેત્રના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
તરોકી- રાયપુર ડેમુ ટ્રેન સેવાને લીલી ઝંડી આપી
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "વિકસિત ભારતનું સપનું ત્યારે જ સાકાર થશે જ્યારે દેશનાં દરેક રાજ્ય, દરેક જિલ્લો અને દરેક ગામનો વિકાસ થશે."
"વિકસિત ભારત ભૌતિક માટે, સામાજિક અને ડિજિટલ માળખું ભવિષ્યની જરૂરિયાતો અનુસાર હોવું જોઈએ"
"છત્તીસગઢને સ્ટીલનું ઉત્પાદન કરતું મોટું રાજ્ય હોવાનો લાભ મળી રહ્યો છે."
"બસ્તરમાં બનાવવામાં આવતું સ્ટીલ આપણી સેનાને મજબૂત બનાવશે અને સંરક્ષણ નિકાસમાં પણ ભારતની મજબૂત હાજરી રહેશે."
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ છત્તીસગઢના 30થી વધુ સ્ટેશનોને અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "છત્તીસગઢના લોકોનું જીવન સરળ બનાવવા માટે સરકાર શક્ય તમામ પ્રયાસો કરી રહી છે."
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "છત્તીસગઢની વિકાસયાત્રાને સરકાર ટેકો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢનાં બસ્તરનાં જગદલપુરમાં આશરે રૂ. 27,000 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પરિયોજનાઓમાં બસ્તર જિલ્લાના નગરનારમાં એનએમડીસી સ્ટીલ લિમિટેડના સ્ટીલ પ્લાન્ટને 23,800 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના અનેક રેલવે અને માર્ગ ક્ષેત્રના પરિયોજનાઓની સાથે સમર્પિત કરવાનો પણ સમાવેશ થાય છે. તેમણે તરોકી– રાયપુર ડેમુ ટ્રેન સર્વિસને પણ લીલી ઝંડી આપી હતી.

 

અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિકસિત ભારતનું સ્વપ્ન ત્યારે જ સાકાર થશે જ્યારે દેશનાં દરેક રાજ્ય, દરેક જિલ્લો અને દરેક ગામનો વિકાસ થશે. તેમણે જણાવ્યું હતું કે, આજની કિંમતનાં આશરે 27,000 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ આ સંકલ્પોને પૂર્ણ કરવા માટે શરૂ કરવામાં આવ્યાં છે તથા છત્તીસગઢનાં લોકોને વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે અભિનંદન આપ્યાં હતાં. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વિકસિત ભારત ભૌતિક માટે સામાજિક અને ડિજિટલ માળખું ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ હોવું જોઈએ. તેમણે માહિતી આપી હતી કે, માળખાગત સુવિધા માટે આ વર્ષે 10 લાખ કરોડનો ખર્ચ થશે, જે છ ગણો વધારે છે.

રેલવે, રોડ, એરપોર્ટ, પાવર પ્રોજેક્ટ્સ, પરિવહન, ગરીબો માટે ઘર તથા શૈક્ષણિક અને હેલ્થકેર સંસ્થાઓ જેવા વિવિધ પ્રોજેક્ટોમાં સ્ટીલનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકારે છેલ્લાં 9 વર્ષમાં સ્ટીલનાં ઉત્પાદનમાં દેશને આત્મનિર્ભર બનાવવા માટે અનેક પગલાં લીધા છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "છત્તીસગઢ સ્ટીલનું ઉત્પાદન કરતું મોટું રાજ્ય હોવાનો લાભ લઈ રહ્યું છે." તેમણે આજે નાગરનારમાં સૌથી આધુનિક સ્ટીલ પ્લાન્ટમાંના એકના ઉદઘાટન પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આ પ્લાન્ટમાં ઉત્પાદિત સ્ટીલ રાષ્ટ્રના ઓટોમોબાઈલ, એન્જિનિયરિંગ અને સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રને નવી ઉર્જા આપશે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "બસ્તરમાં ઉત્પાદિત સ્ટીલ સંરક્ષણ નિકાસને વેગ આપવાની સાથે સશસ્ત્ર દળોને મજબૂત બનાવશે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સ્ટીલ પ્લાન્ટ બસ્તર અને તેની આસપાસનાં વિસ્તારોમાંથી આશરે 50,000 યુવાનોને રોજગારીની તકો પ્રદાન કરશે. તેમણે ઉમેર્યું હતું કે, "નવો સ્ટીલ પ્લાન્ટ કેન્દ્ર સરકાર દ્વારા બસ્તર જેવા મહત્વાકાંક્ષી જિલ્લાઓનાં વિકાસને પ્રાથમિકતા આપવા નવી ગતિ આપશે."

 

કેન્દ્ર સરકારનાં જોડાણ પર ધ્યાન કેન્દ્રીત કરવાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ છત્તીસગઢમાં આર્થિક કોરિડોર અને આધુનિક રાજમાર્ગોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એવી માહિતી પણ આપી હતી કે, વર્ષ 2014ની સરખામણીમાં છત્તીસગઢનાં રેલવે બજેટમાં આશરે 20 ગણો વધારો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આઝાદીના આટલા વર્ષો પછી તરોકીને નવી રેલ્વે લાઇનની ભેટ મળી રહી છે. નવી ડેમુ ટ્રેને દેશના રેલવે મેપ પર તરોકીને જોડ્યા છે, જેના કારણે રાજધાની રાયપુરની યાત્રા કરવામાં સરળતા રહેશે. જગદલપુર અને દંતેવાડા વચ્ચે રેલવે લાઇન ડબલિંગ પ્રોજેક્ટ લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરશે અને મુસાફરીમાં સરળતા લાવશે.

પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી કે, છત્તીસગઢ રેલવે ટ્રેકનું 100 ટકા વિદ્યુતીકરણ પૂર્ણ કરી ચૂક્યું છે. રાજ્યમાં વંદે ભારત ટ્રેન પણ કાર્યરત છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ છત્તીસગઢના 30થી વધુ સ્ટેશનોને અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. જેમાંથી ૭ સ્ટેશનોના રિડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત થઈ ચૂક્યું છે. બિલાસપુર, રાયપુર અને દુર્ગ સ્ટેશનની સાથે-સાથે આજે જગદલપુર સ્ટેશનને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે." "આગામી દિવસોમાં, જગદલપુર સ્ટેશન શહેરનું મુખ્ય કેન્દ્ર બનશે અને અહીં મુસાફરોની સુવિધાઓને અપગ્રેડ કરવામાં આવશે. છેલ્લાં નવ વર્ષમાં રાજ્યમાં 120થી વધારે સ્ટેશનો પર નિઃશુલ્ક વાઇ-ફાઇ સુવિધા પ્રદાન કરવામાં આવી છે."

 

"છત્તીસગઢના લોકો માટે જીવન સરળ બનાવવા માટે સરકાર શક્ય તમામ પ્રયાસો કરી રહી છે." શ્રી મોદીએ નોંધ્યું હતું કે, આજની વિવિધ પરિયોજનાઓથી વિકાસની ગતિ વધશે, રોજગારીની નવી તકોનું સર્જન થશે અને રાજ્યમાં નવા ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે, સરકાર છત્તીસગઢની વિકાસયાત્રાને ટેકો આપવાનું ચાલુ રાખશે અને રાજ્ય દેશનું ભાગ્ય બદલવામાં પોતાની ભૂમિકા અદા કરશે. તેમણે આ પ્રસંગે રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા બદલ અને રાજ્યનાં વિકાસ માટે વિચારશીલ રહેવા બદલ છત્તીસગઢનાં રાજ્યપાલ શ્રી બિસ્વાભૂષણ હરિચંદનનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે છત્તીસગઢનાં રાજ્યપાલ શ્રી બિસ્વભૂષણ હરિચંદન અને સાંસદ શ્રી મોહન મંડાવી ઉપસ્થિત રહ્યાં હતાં.

પાશ્વભૂમિ

ભારતના વિઝનને મોટું પ્રોત્સાહન પૂરું પાડનારા એક પગલાના ભાગરૂપે પ્રધાનમંત્રીએ બસ્તર જિલ્લામાં નાગરનાર ખાતે એનએમડીસી સ્ટીલ લિમિટેડનો સ્ટીલ પ્લાન્ટ દેશને સમર્પિત કર્યો હતો. 23,800 કરોડથી વધુના ખર્ચે નિર્મિત આ સ્ટીલ પ્લાન્ટ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે જે ઉચ્ચ ગુણવત્તાયુક્ત સ્ટીલનું ઉત્પાદન કરશે. નાગરનાર ખાતે એનએમડીસી સ્ટીલ લિમિટેડનો સ્ટીલ પ્લાન્ટ તેમજ આનુષંગિક અને ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગોમાં હજારો લોકોને રોજગારની તકો પૂરી પાડશે. તે બસ્તરને વિશ્વના સ્ટીલ નકશા પર મૂકશે અને આ ક્ષેત્રના સામાજિક-આર્થિક વિકાસને વેગ આપશે.

 

સમગ્ર દેશમાં રેલવેની માળખાગત સુવિધામાં સુધારો લાવવાના પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ આ કાર્યક્રમ દરમિયાન વિવિધ રેલ પરિયોજનાઓનો શિલાન્યાસ અને દેશને સમર્પિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ અંતાગઢ અને તારોકી વચ્ચે નવી રેલવે લાઇન તથા જગદલપુર અને દંતેવાડા વચ્ચે રેલવે લાઇન ડબલિંગ પ્રોજેક્ટ દેશને સમર્પિત કર્યો હતો. તેમણે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત બોરીદાંડ- સૂરજપુર રેલવે લાઇન ડબલિંગ પ્રોજેક્ટ અને જગદલપુર સ્ટેશનનાં પુનર્વિકાસનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ તરોકી-રાયપુર ડેમુ ટ્રેન સર્વિસને પણ લીલી ઝંડી આપી હતી. આ રેલ પ્રોજેક્ટ્સથી રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં કનેક્ટિવિટીમાં સુધારો થશે. રેલવેનું માળખું સુધારવાથી અને નવી ટ્રેન સેવાથી સ્થાનિક લોકોને લાભ થશે અને આ ક્ષેત્રના આર્થિક વિકાસમાં મદદ મળશે.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ – 43ના 'કુંકુરીથી છત્તીસગઢ-ઝારખંડ સરહદી વિભાગ' સુધીના માર્ગ અપગ્રેડેશન પ્રોજેક્ટને પણ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. નવા રોડથી રોડ કનેક્ટિવિટીમાં સુધારો થશે, જેનો લાભ આ વિસ્તારના લોકોને મળશે.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India Semiconductor Mission 2.0 to boost domestic chip manufacturing

Media Coverage

India Semiconductor Mission 2.0 to boost domestic chip manufacturing
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Seychelles is an integral part of India’s MAHASAGAR Vision: PM Modi at the India and Seychelles joint press meet
February 09, 2026

Your Excellency, डॉक्टर पैट्रिक अर्मिनी,
दोनों देशों के delegates,
मीडिया के साथियों,
नमस्कार,

राष्ट्रपति अर्मिनी और उनके delegation का भारत में स्वागत करते हुए मुझे अत्यंत प्रसन्नता हो रही है।

सेशेल्स के राष्ट्रपति के रूप में चुने जाने पर मैं उन्हें 140 करोड़ भारतवासियों की ओर से हार्दिक बधाई और शुभकामनाएं देता हूँ।

राष्ट्रपति के रूप में यह उनकी पहली भारत यात्रा है। उनकी यह यात्रा ऐसे शुभ वर्ष में हो रही है जब सेशेल्स का पचासवां स्वतंत्रता दिवस और हमारे राजनयिक संबंधों की पचासवीं वर्षगांठ मनाई जा रही है। मुझे विश्वास है कि ये milestones हमें निरंतर नई ऊंचाइयों को छूने के लिए प्रेरित करते रहेंगे।

Friends,

भारत और सेशेल्स के संबंध केवल राजनयिक संपर्क तक सीमित नहीं है। हिंद महासागर की लहरें सदियों से हमारे लोगों को जोड़ती आई हैं। इसके तटों पर दोनों देशों के बीच व्यापार बढ़ा, संस्कृतियाँ मिलीं और विश्वास की परंपराएँ मजबूत होती गईं।

India and Seychelles are connected not just by geography, but by history, trust and a shared vision for the future.

हमारा नाता कल, आज, और आने वाले कल का है। एक maritime neighbour और विश्वसनीय साझेदार के रूप में सेशेल्स भारत के MAHASAGAR Vision का अभिन्न अंग है। हमारा सहयोग जल, थल और नभ को समाहित करता है।

आज की चर्चाओं में हमने इस साझेदारी को और अधिक सशक्त बनाने का मार्ग प्रशस्त किया। अपने आर्थिक सहयोग को और सुदृढ़ बनाने के लिए नए अवसरों की तलाश जारी रखने पर हम सहमत हैं।

Local Currencies में व्यापार बढ़ाने के साथ साथ हम FinTech और Digital Solutions में भी आगे बढ़ेंगे।

विकास साझेदारी भारत–सेशेल्स संबंधों की मजबूत नींव रही है। हमारे सभी प्रयास सेशेल्स की प्राथमिकताओं और आवश्यकताओं पर आधारित रहे हैं। इस दिशा में आगे बढ़ते हुए आज हम 175 मिलियन डॉलर के Special Economic Package की घोषणा करने जा रहे हैं। यह पैकेज social housing, e-mobility, vocational training, स्वास्थ्य, रक्षा, और maritime security जैसे क्षेत्रों में ठोस परियोजनाओं को सपोर्ट देगा। इन पहलों से सेशेल्स के लोगों, विशेषकर युवाओं, के लिए रोज़गार और कौशल के नए अवसर सृजित होंगे।

सेशेल्स की capacity building में भारत के ITEC प्रोग्राम की महत्वपूर्ण भूमिका रही है। मुझे खुशी है कि सेशेल्स के civil servants की भारत में ट्रेनिंग के लिए आज MOU किया जा रहा है।

टेक्नॉलजी के क्षेत्र में करीबी सहयोग से हम अपने सहयोग को एक futuristic दिशा दे रहे हैं। आज Digital Transformation पर MOU हो रहा है। इसके तहत हम भारत का सफल अनुभव सेशेल्स के साथ साझा करेंगे।

स्वास्थ्य क्षेत्र में सेशेल्स के लिए भारत एक स्थिर और भरोसेमंद साझेदार रहा है। किफायती और quality medicines की supply, मेडिकल टूरिज़्म, और health infrastructure के विकास में हम सेशेल्स के साथ मिलकर आगे बढ़ेंगे। ऊर्जा और जलवायु के क्षेत्र में हमारा सहयोग sustainable development की साझा प्रतिबद्धता से प्रेरित है। हम renewable energy, resilience और climate-adaptive solutions पर अपने सहयोग को और विस्तार देंगे।

Friends,

Maritime neighbours के रूप में Blue Economy हमारे लिए स्वाभाविक सहयोग का क्षेत्र है। हम, Marine Research, Capacity Building, Data Sharing जैसे क्षेत्रों में भारत की विशेषज्ञता सेशेल्स के साथ साझा करेंगे।

रक्षा सहयोग और maritime सुरक्षा हमारी साझेदारी के महत्वपूर्ण स्तंभ हैं। Colombo Security Conclave से full member के तौर पर हम सेशेल्स का स्वागत करते हैं। इससे हमारा आपसी समन्वय सुदृढ़ होगा, और हिन्द महासागर में शांति और स्थिरता सुनिश्चित करने के प्रयासों को बल मिलेगा।

Together, we will shape not just bilateral cooperation, but a shared future for the Indian Ocean.

Friends,

भारत–सेशेल्स संबंधों की सबसे बड़ी शक्ति हमारे people-to-people ties हैं। सेशेल्स में बसे भारतीय समुदाय ने सेशेल्स के सामाजिक और आर्थिक जीवन में उल्लेखनीय योगदान दिया है। साथ साथ उन्होंने हमारी मित्रता को पीढ़ी दर पीढ़ी मजबूत भी किया है।

आज हमने पर्यटन, शिक्षा, संस्कृति और खेल के माध्यम इन संबंधों को और सशक्त बनाने पर विचार विमर्श किया। हम दोनों देशों के युवाओं के बीच आदान प्रदान बढ़ाने पर विशेष बल देंगे।

Friends,

आज की बैठक से यह स्पष्ट है कि भारत और सेशेल्स की साझेदारी एक नए चरण में प्रवेश कर रही है। सभी क्षेत्रों में आगे बढ़ने के लिए आज हम India-Seychelles Joint Vision जारी करने जा रहे हैं। यह Vision आने वाले वर्षों में हमारे सहयोग का roadmap बनेगा।

Excellency,

मैं एक बार फिर आपकी भारत यात्रा और भारत के प्रति आपकी अटूट मित्रता और प्रतिबद्धता के लिए आपका हृदय से आभार व्यक्त करता हूँ।