પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી રોબ સાથે ધ હેગ ખાતે ડચ પ્રધાનમંત્રીના નિવાસસ્થાન પર સત્તાવાર વાર્તાલાપ કર્યો હતો.

બંને પ્રધાનમંત્રીઓએ ભારત-નેધરલેન્ડ્સ સંબંધોને મજબૂત કરવા પર વ્યાપક ચર્ચાઓ કરી હતી. પરસ્પરના મૂલ્યો અને વિશ્વાસ તેમજ બંને દેશો વચ્ચે વધતી જતી સમાનતા અને વધતા સહયોગને પ્રતિબિંબિત કરતા, નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને " વ્યૂહાત્મક ભાગીદારી" સુધી લઈ જવાનો નિર્ણય કર્યો છે. તેઓ વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, ઊભરતી અને જટિલ ટેકનોલોજી, દરિયાઈ ક્ષેત્ર, નવીનીકરણીય ઉર્જા અને શિક્ષણના ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવા માટે વ્યૂહાત્મક ભાગીદારી માટે એક મહત્વાકાંક્ષી રોડમેપ અપનાવવા પર પણ સહમત થયા હતા. વ્યાપાર, રોકાણ, ટેકનોલોજી અને નવીનતાની ભાગીદારીના વિસ્તરણની નોંધ લેતા, નેતાઓએ નોંધ્યું કે ભારતીય વિકાસ ગાથા દ્વારા પ્રસ્તુત તકો ડચ કંપનીઓ માટે આશાસ્પદ વ્યવસાયિક સંભાવનાઓ પ્રદાન કરે છે.

બંને નેતાઓએ સતત ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાન દ્વારા સંચાલિત દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. WAH [Water, Agriculture and Health - પાણી, કૃષિ અને આરોગ્ય]માં સહયોગના મહત્વને રેખાંકિત કરતા, તેઓ મોટા પાયાના જળ પ્રોજેક્ટ્સ પર સહયોગ દ્વારા પાણી પરની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ તીવ્ર બનાવવા સંમત થયા હતા. પ્રધાનમંત્રીઓએએ હેલ્થકેર રિસર્ચ, ડિજિટલ હેલ્થ, એગ્રીકલ્ચર અને ફૂડ સેફ્ટી સહિતના મુખ્ય ક્ષેત્રોમાં વિસ્તરી રહેલા સહયોગને પણ આવકાર્યો હતો.

 

વાર્તાલાપ દરમિયાન, નેતાઓએ બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ સંબંધોના વિસ્તરણને મહત્વ આપ્યું હતું. ભારત-ઈયુ મુક્ત વ્યાપાર કરારની પરિવર્તનકારી ક્ષમતાને સ્વીકારતા, તેઓએ તેના વહેલા હસ્તાક્ષર અને અમલીકરણ માટે આહવાન કર્યું. તેઓએ એમ પણ ભારપૂર્વક જણાવ્યું કે જટિલ ખનિજોમાં ભારત-નેધરલેન્ડ્સ સહયોગ સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇનને ટેકો આપશે.

બંને નેતાઓએ AI અને સેમિકન્ડક્ટર્સ સહિતની ઊભરતી ટેકનોલોજીમાં વધુ સહયોગ માટે પણ આહવાન કર્યું હતું. તેઓએ બંને દેશોના યુવાનોને સામેલ કરીને હેકાથોન (hackathon) યોજવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા. નવીનીકરણીય ઉર્જામાં સહયોગ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવતા, તેઓએ ટકાઉ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે ગ્રીન હાઇડ્રોજન, બાયોફ્યુઅલ, ગ્રીન શિપિંગ અને મેરીટાઇમ લોજિસ્ટિક્સમાં સહયોગના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. બંને પ્રધાનમંત્રીઓએ ગતિશીલતા ભાગીદારી અને ઉચ્ચ શિક્ષણમાં સહયોગને મજબૂત કરવા માટે હાથ ધરવામાં આવેલી નવી પહેલોને સમર્થન આપ્યું હતું. આ સંદર્ભમાં, તેઓએ નાલંદા યુનિવર્સિટી અને ગ્રોનિંગન યુનિવર્સિટી વચ્ચે થયેલા કરારની વિશેષ નોંધ લીધી હતી.

 

 

બંને નેતાઓએ AI અને સેમિકન્ડક્ટર્સ સહિતની ઊભરતી ટેકનોલોજીમાં વધુ સહયોગ માટે પણ આહવાન કર્યું હતું. તેઓએ બંને દેશોના યુવાનોને સામેલ કરીને હેકાથોન (hackathon) યોજવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા. નવીનીકરણીય ઉર્જામાં સહયોગ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવતા, તેઓએ ટકાઉ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે ગ્રીન હાઇડ્રોજન, બાયોફ્યુઅલ, ગ્રીન શિપિંગ અને મેરીટાઇમ લોજિસ્ટિક્સમાં સહયોગના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. બંને પ્રધાનમંત્રીઓએ ગતિશીલતા ભાગીદારી અને ઉચ્ચ શિક્ષણમાં સહયોગને મજબૂત કરવા માટે હાથ ધરવામાં આવેલી નવી પહેલોને સમર્થન આપ્યું હતું. આ સંદર્ભમાં, તેઓએ નાલંદા યુનિવર્સિટી અને ગ્રોનિંગન યુનિવર્સિટી વચ્ચે થયેલા કરારની વિશેષ નોંધ લીધી હતી.

બંને રાષ્ટ્રો વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક સંબંધો પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રી મોદીએ 11મી સદીની ચોલ પ્લેટ્સ પરત કરવાની સુવિધા આપવા બદલ ડચ સરકારનો આભાર માન્યો હતો. આ સંદર્ભમાં, બંને નેતાઓએ લીડેન યુનિવર્સિટી લાઇબ્રેરી અને આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા વચ્ચેના સહયોગને પણ આવકાર્યો હતો, જે આ ઐતિહાસિક કલાકૃતિઓ વિશેના જ્ઞાનને આગળ વધારવામાં મદદ કરશે.

 

સત્તાવાર વાર્તાલાપ બાદ, ટેકનોલોજી, ગ્રીન એનર્જી, વેપાર, ગતિશીલતા, WAH, શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં 14 કરારો અને સમજૂતી જ્ઞાપનો પૂર્ણ કરવામાં આવ્યા હતા [Link]. મુલાકાતના અવસરે સંયુક્ત નિવેદન [Link] તેમજ વ્યૂહાત્મક ભાગીદારી પરનો રોડમેપ [Link] અપનાવવામાં આવ્યા હતા.

પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી જેટેનને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું જે તેમણે સ્વીકાર્યું હતું.

ભારત અને નેધરલેન્ડ્સ વહેંચાયેલા લોકશાહી મૂલ્યો અને વિવિધ ક્ષેત્રોમાં બહુપક્ષીય સહયોગ પર આધારિત મજબૂત દ્વિપક્ષીય સંબંધો ધરાવે છે. પ્રધાનમંત્રી મોદીની નેધરલેન્ડ્સની મુલાકાત આ ભાગીદારીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Pvt sector banks log robust growth in deposits and advances in Q1FY27

Media Coverage

Pvt sector banks log robust growth in deposits and advances in Q1FY27
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister extends birthday greetings to His Holiness the Dalai Lama
July 06, 2026

The Prime Minister, Shri Narendra Modi, extended greetings to His Holiness the Dalai Lama on the occasion of his birthday. Shri Modi remarked that His Holiness's message of peace and harmony has been a guiding force for people across the world.

The Prime Minister posted on X:

Warm birthday greetings to His Holiness the Dalai Lama. His message of peace and harmony has been a guiding force for people across the world. His moral and spiritual strength and his commitment to global good are commendable. Wishing him a long and healthy life.

@DalaiLama