પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના પુણેમાં જેજુરી-મોરગાંવ રોડ પર થયેલા માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારજનોને પીએમએનઆરએફ તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
પીએમઓ ઇન્ડિયા હેન્ડલે X પર પોસ્ટ કર્યું:
"મહારાષ્ટ્રના પુણેમાં જેજુરી-મોરગાંવ રોડ પર થયેલા માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિથી ખૂબ દુઃખ થયું છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી, ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.
PMNRF તરફથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: PM @narendramodi"
Deeply saddened by the loss of lives due to a road accident on the Jejuri-Morgaon road in Pune, Maharashtra. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.
— PMO India (@PMOIndia) June 19, 2025
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each…


