પ્રધાનમંત્રીએ PM CARES માં પૂરા દિલથી યોગદાન આપવા બદલ ભારતના લોકોની પ્રશંસા કરી
PM CARES માત્ર રાહત સહાય દ્વારા જ નહીં, પરંતુ શમનના પગલાં અને ક્ષમતા નિર્માણ દ્વારા પણ કટોકટીની અને તકલીફની પરિસ્થિતિઓમાં પ્રતિભાવ આપવાના વિશાળ પરિપ્રેક્ષ્ય સાથે કામ કરવાની કાળજી રાખે છે
માનનીય જસ્ટિસ કે.ટી. થોમસ, ભૂતપૂર્વ ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટ, શ્રી કારિયા મુંડા, ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર અને શ્રી રતન ટાટા પીએમ કેર્સ ફંડના ટ્રસ્ટી તરીકે જોડાયા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20.09.2022ના રોજ PM CARES ફંડના ટ્રસ્ટી મંડળની એક બેઠકની અધ્યક્ષતા કરી હતી.

PM CARES ફંડની મદદથી હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલો પર એક પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું, જેમાં PM CARES for Children સ્કીમનો સમાવેશ થાય છે જે 4345 બાળકોને સહાય કરે છે. ટ્રસ્ટીઓએ દેશ માટે નિર્ણાયક સમયે ફંડ દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ PM CARES ફંડમાં પૂરા દિલથી યોગદાન આપવા બદલ દેશના લોકોની પ્રશંસા કરી.

એવી ચર્ચા કરવામાં આવી હતી કે PM CARES પાસે કટોકટીની અને તકલીફની પરિસ્થિતિઓને અસરકારક રીતે પ્રતિસાદ આપવા માટે માત્ર રાહત સહાય દ્વારા જ નહીં, પરંતુ શમનના પગલાં લેવા અને ક્ષમતા નિર્માણ કરવા માટે પણ વિશાળ વિઝન છે.

પ્રધાનમંત્રીએ PM CARES ફંડનો અભિન્ન ભાગ બનવા બદલ ટ્રસ્ટીઓનું સ્વાગત કર્યું.

આ બેઠકમાં PM CARES ફંડના ટ્રસ્ટીઓએ હાજરી આપી હતી, એટલે કે કેન્દ્રીય ગૃહ મંત્રી અને કેન્દ્રીય નાણાં મંત્રી તેમજ PM CARES ફંડના નવા નામાંકિત ટ્રસ્ટીઓ:

  • જસ્ટિસ કે.ટી. થોમસ, ભૂતપૂર્વ ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટ,
  • શ્રી કરિયા મુંડા, ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર,
  • શ્રી રતન ટાટા, ચેરમેન એમેરિટસ, ટાટા સન્સ.

ટ્રસ્ટે આગળ PM CARES ફંડ માટે સલાહકાર બોર્ડની રચના માટે નીચેની પ્રતિષ્ઠિત વ્યક્તિઓને નોમિનેટ કરવાનો નિર્ણય કર્યો:

  • શ્રી રાજીવ મેહર્ષિ, ભારતના ભૂતપૂર્વ કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ
  • શ્રીમતી સુધા મૂર્તિ, ભૂતપૂર્વ ચેરપર્સન, ઇન્ફોસિસ ફાઉન્ડેશન
  • શ્રી આનંદ શાહ, ટીચ ફોર ઈન્ડિયાના સહ-સ્થાપક અને ઈન્ડીકોર્પ્સ અને પિરામલ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ સીઈઓ.

પ્રધાનમંત્રીએ કહ્યું કે નવા ટ્રસ્ટીઓ અને સલાહકારોની ભાગીદારી પીએમ કેર્સ ફંડની કામગીરીને વ્યાપક પરિપ્રેક્ષ્ય પ્રદાન કરશે. જાહેર જીવનનો તેમનો બહોળો અનુભવ ફંડને વિવિધ જાહેર જરૂરિયાતો માટે વધુ પ્રતિભાવશીલ બનાવવા માટે વધુ જોમ પ્રદાન કરશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
West Asia conflict: 59 India-bound vessels transited Hormuz since war

Media Coverage

West Asia conflict: 59 India-bound vessels transited Hormuz since war
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 22 જુલાઈ 2026
July 22, 2026

From Scholarships to Homes to High-Speed Rail: Inclusive Growth Under PM Modi’s Leadership