જાહેર પ્રશાસનમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ 16 પુરસ્કારો વિજેતાઓને પ્રધાનમંત્રીના પુરસ્કારો એનાયત કર્યા
ઇ-પુસ્તકો- ‘વિકસિત ભારત - નાગરિકોનું સશક્તિકરણ અને છેવાડાની વ્યક્તિ સુધીની પહોંચ’ની આવૃત્તિ I અને આવૃત્તિ IIનું વિમોચન કર્યું
“વિકસિત ભારત માટે, સરકારી તંત્રએ સામાન્ય લોકોની આકાંક્ષાઓને સમર્થન આપવું જોઇએ”
“પહેલાંના સમયમાં એવી વિચારસરણી હતી કે સઘળું કામ સરકાર જ કરશે, પરંતુ હવે એવું વિચારવામાં આવે છે કે, સરકાર સૌના માટે કામ કરશે”
“સરકારનું સૂત્ર છે 'રાષ્ટ્ર પ્રથમ - નાગરિક પ્રથમ', વર્તમાન સરકાર વંચિતોને પ્રાથમિકતા આપી રહી છે”
“આજના મહત્વાકાંક્ષી નાગરિકો વ્યવસ્થાતંત્રમાં પરિવર્તન જોવા માટે લાંબા સમય સુધી રાહ જોવા માટે તૈયાર નથી”
“દુનિયા કહી રહી છે કે ભારતનો સમય આવી ગયો છે એટલે અત્યારે દેશના અમલદારવર્ગ પાસે વેડફવા માટેનો કોઇ સમય નથી”
“તમારા તમામ નિર્ણયોનો આધાર હંમેશા રાષ્ટ્રીય હિત જ હોવું જોઇએ”
“અમલદારોની ફરજ છે કે, કોઇપણ રાજકીય પક્ષ કરદાતાઓના નાણાંનો ઉપયોગ પોતાની સંસ્થાના ફાયદા માટે કરી રહ્યો છે કે રાષ્ટ્ર માટે તેનું વિશ્લેષણ કરે”
“સુશાસન એ ચાવી છે. લોકો-કેન્દ્રિત શાસન સમસ્યાઓનું નિરાકરણ લાવે છે અને વધુ સારાં પરિણામો આપે છે”
“આઝાદીની સદી એ દેશની સુવર્ણ સદી હશે જ્યારે આપણે આપણા કર્તવ્યને પ્રથમ પ્રાધાન્ય આપીશું. ફરજ એ આપણા માટે કોઇ વિકલ્પ નથી પરંતુ સંકલ્પ છે”
“મિશન કર્મયોગીનો ઉદ્દેશ્ય સનદી અધિકારીઓની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવાનો છે”
“તમે તમારા માટે શું કર્યું છે તેના આધારે તમારું મૂલ્યાંકન નહીં કરવામાં આવે, પરંતુ તમે લોકોના જીવનમાં શું પરિવર્તન લાવ્યા છો તેના આધારે મૂલ્યાંકન થશે”
“નવા ભારતમાં દેશના નાગરિકોની તાકાત વધી છે, ભારતની તાકાત વધી છે”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 16મા નાગરિક સેવા દિવસ, 2023ના ઉપક્રમે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં નાગિરક અધિકારીઓને સંબોધન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ જાહેર પ્રશાસનમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પુરસ્કાર મેળવનારા અધિકારીઓને ‘જાહેર સેવામાં ઉત્કૃષ્ટતા બદલ પ્રધાનમંત્રીના પુરસ્કાર’ એનાયત કર્યા હતા.

 

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ નાગરિક સેવા દિવસ નિમિત્તે તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આ વર્ષે નાગરિક સેવા દિવસનો પ્રસંગ વધુ વિશેષ બની ગયો છે કારણ કે દેશે તેની સ્વતંત્રતાના 75 વર્ષ પૂરાં કર્યા છે અને વિકસિત ભારતના લક્ષ્યો તેમજ ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માટે આગેકૂચ કરવાનું શરૂ કરી દીધું છે. તેમણે 15-25 વર્ષ પહેલાંના સમયમાં સેવામાં જોડાયા હતા તેવા સનદી કર્મચારીઓએ આપેલા યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો અને અમૃતકાળના આગામી 25 વર્ષમાં રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપનારા યુવા અધિકારીઓની ભૂમિકા પર ખાસ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, યુવા અધિકારીઓ ખૂબ જ ભાગ્યશાળી છે કે, આ અમૃતકાળમાં દેશની સેવા કરવાની તેમને તક મળી છે. પ્રધાનમંત્રીએ સમયનો અભાવ હોવા છતાં દેશમાં સામર્થ્ય અને હિંમત વિપુલ પ્રમાણમાં હોવાનું નોંધીને ટિપ્પણી કરી હતી કે, “રાષ્ટ્રના દરેક સ્વાતંત્ર્ય સેનાનીના સપનાને સાકાર કરવાની જવાબદારી દરેકના ખભા પર રહેલી છે”.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા 9 વર્ષમાં કરેલા કામને કારણે દેશ હવે ઊંચી ઉડાન ભરવા માટે તૈયાર છે. તેમણે ઉમેર્યું હતું કે, એક જ અમલદાર અને કર્મચારી પાસેથી અલગ-અલગ પરિણામો મળી રહ્યા છે. તેમણે વૈશ્વિક મંચ પર દેશની પ્રોફાઇલમાં વૃદ્ધિ થઇ રહી છે તેવી સ્થિતિમાં, 'સુશાસન'માં ગરીબમાં ગરીબ લોકોના વધતા વિશ્વાસ અને દેશના વિકાસની નવી ગતિ માટે કર્મયોગીઓની ભૂમિકા મહત્વની હોવાનું સ્વીકાર્યું હતું. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ભારત ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં નંબર વન છે, સૌથી સસ્તો મોબાઇલ ડેટા ધરાવતા દેશો પૈકી એક છે અને વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે તેના કારણે ભારત સમગ્ર વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી રહ્યું છે, ફિનટેકમાં પ્રગતિ કરી રહ્યું છે. તેમણે ગ્રામીણ અર્થવ્યવસ્થા, રેલ્વે, ધોરીમાર્ગો, બંદરોની ક્ષમતામાં વૃદ્ધિ અને હવાઇમથકોની સંખ્યામાં પરિવર્તનકારી ફેરફારો વિશે ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજે આપવામાં આવેલા પુરસ્કારો કર્મયોગીઓના યોગદાન અને સેવાની ભાવનાને દર્શાવે છે.

પ્રધાનમંત્રીએ ગયા વર્ષે 15 ઑગસ્ટના રોજ લાલ કિલ્લાની પ્રાચીર પરથી આપેલા સંબોધનને યાદ કરીને તેમણે ઉલ્લેખ કરેલા 'પંચ પ્રણ' એટલે કે, ‘વિકસિત ભારત’, ‘ગુલામીના કાળના ચિહ્નોને દૂર કરવા’, ‘ભારતના વારસાનું ગૌરવ લેવું’, ‘દેશની એકતા અને વિવિધતાને મજબૂત બનાવવી’ અને ‘પોતાની ફરજોને સર્વોપરી રાખવી’ને યાદ કરીને તેમણે ખાસ કહ્યું હતું કે, આ પાંચ સંકલ્પોમાંથી જે ઉર્જા નીકળશે તે દેશને સમગ્ર દુનિયામાં એવા મુકામ પર લઇ જશે જેના માટે તે ખરેખરમાં હકદાર છે.

 

આ વર્ષના નાગરિક સેવા દિવસની થીમ ‘વિકસિત ભારત’ની કલ્પના પર આધારિત છે તે અંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વિકસિત ભારતની વિભાવના માત્ર આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ સુધી મર્યાદિત નથી. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “વિકસિત ભારત માટે એ પણ મહત્વનું છે કે ભારતનું સરકારી વ્યવસ્થાતંત્ર દરેક ભારતીયની આકાંક્ષાઓને સમર્થન આપે અને દરેક સરકારી કર્મચારી દરેક નાગરિકને તેમનાં સપનાં સાકાર કરવામાં મદદ કરે અને અગાઉના વર્ષોમાં પ્રણાલી સાથે સંકળાયેલી નકારાત્મકતા સકારાત્મકતામાં ફેરવવામાં આવે.”

ભારતને આઝાદી મળી તે પછીના દાયકાઓના અનુભવ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ સરકારી યોજનાઓના અમલીકરણમાં છેવાડાની વ્યક્તિ સુધી સેવાઓનો લાભ પહોંચાડવાનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે અગાઉની સરકારોની નીતિઓનાં પરિણામોનાં ઉદાહરણો આપ્યા હતા અને ઉલ્લેખ કર્યો હતો કે, 4 કરોડથી વધુ નકલી ગેસ કનેક્શન, 4 કરોડથી વધુ નકલી રેશનકાર્ડ હતા તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 1 કરોડ બનાવટી મહિલાઓ અને બાળકોને સહાય પૂરી પાડવામાં આવતી હતી. આ ઉપરાંત, લઘુમતી કલ્યાણ મંત્રાલય દ્વારા આશરે 30 લાખ યુવાનોને નકલી શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી, અને ક્યારેય અસ્તિત્વમાં જ ન હોય તેવા કામદારોના લાભો ટ્રાન્સફર કરવા માટે મનરેગા હેઠળ લાખો નકલી ખાતા ખોલવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, આ નકલી લાભાર્થીઓના બહાના હેઠળ દેશમાં ભ્રષ્ટ ઇકોસિસ્ટમ ઉભરી આવી છે. તેમણે સમગ્ર વ્યવસ્થાતંત્રમાં થયેલા પરિવર્તનનો શ્રેય સનદી અધિકારીઓને આપ્યો હતો. આ પરિવર્તનના કારણે આશરે 3 લાખ કરોડ રૂપિયા ખોટા લોકોના હાથમાં જવાથી બચી ગયા છે, જેનો ઉપયોગ હવે ગરીબોના કલ્યાણ માટે થઇ રહ્યો છે.

 

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે સમય મર્યાદિત હોય છે, ત્યારે દિશા અને કાર્યશૈલી નક્કી કરવામાં આવે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. તેમણે કહ્યું હતું કે “આજનો પડકાર કાર્યક્ષમતા અંગેનો નથી પરંતુ ખામીઓને કેવી રીતે શોધી અને કેવી રીતે તેને દૂર કરવી તે નક્કી કરવાનો છે”. તેમણે એ સમયને યાદ કર્યો હતો જ્યારે અભાવની આડશમાં નાના પરિબળને પણ નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. તેમણે પોતાની વાતને આગળ વધારવાનું ચાલુ રાખીને કહ્યું હતું કે, આજે એ જ ખામીને કાર્યક્ષમતામાં રૂપાંતરિત કરવામાં આવી રહી છે અને વ્યવસ્થાતંત્રમાં રહેલા અવરોધો દૂર કરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ દરેક વ્યક્તિ સુધી સેવાઓ પહોંચાડવા માટે સમય અને સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગ પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે, “પહેલાંના સમયમાં એવી વિચારસરણી હતી કે સઘળું કામ સરકાર જ કરશે, પરંતુ હવે એવું વિચારવામાં આવે છે કે, સરકાર સૌના માટે કામ કરશે”. સરકાર મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમને હવે મહત્વાકાંક્ષી તાલુકા કાર્યક્રમના સ્તરે લઇ જઇ રહી હોવાની માહિતી આપીને પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, “સરકારનું સૂત્ર 'રાષ્ટ્ર પ્રથમ - નાગરિક પ્રથમ' છે, આજની સરકારની પ્રાથમિકતા વંચિતોને પ્રાધાન્ય આપવાની છે”. તેમણે આગળ જણાવ્યું હતું કે, આજની સરકાર સરહદી ગામોને દેશના છેલ્લા ગામો માનવાના બદલે દેશના પ્રથમ ગામો તરીકે માની રહી છે. તેમણે જણાવ્યું હતું કે, યોજનાઓના અમલની 100 ટકા સંતૃપ્તિ માટે, આપણે વધુ સખત મહેનત કરવી પડશે અને આવિષ્કારી ઉકેલો લાવવાની જરૂર પડશે. તેમણે પ્રણાલીમાં ક્યાંક ઉપલબ્ધ હોય તેવા NoC અને માહિતી માગી રહેલા વિભાગોનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે આપણે આના ઉકેલો શોધવા પડશે.

પ્રધાનમંત્રીએ પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાનનું ઉદાહરણ આપીને સમજાવ્યું હતું કે, કોઇપણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તમામ ડેટા સ્તરો એક જ પ્લેટફોર્મ પર મેળવી શકાય છે અને સામાજિક ક્ષેત્રમાં વધુ સારા આયોજન તેમજ અમલીકરણ માટે તેનો મહત્તમ ઉપયોગ કરવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. આગળ તેમણે ઉમેર્યું હતું કે, નાગરિકોની જરૂરિયાતોને ઓળખવામાં, ભવિષ્યમાં ઉદ્ભવતી શિક્ષણ સંબંધિત સમસ્યાઓને ઉકેલવામાં અને વિભાગો, જિલ્લાઓ તેમજ તાલુકાઓ વચ્ચે કમ્યુનિકેશનમાં વધારો કરવામાં અને ભવિષ્યની વ્યૂહરચના ઘડવામાં મદદ કરવા માટે તે ઘણો ફાયદો કરશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમૃતકાળ આપણી સમક્ષ મહાન તકોની સાથે સાથે વિરાટ પડકારો લઇને આવ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજના મહત્વાકાંક્ષી નાગરિકો વ્યવસ્થાતંત્રમાં પરિવર્તનો જોવા માટે વધુ રાહ જોવા માટે તૈયાર નથી. તેમણે આગળ સમજાવ્યું હતું કે, આના માટે આપણે સંપૂર્ણ પ્રયત્નો કરવાની જરૂર પડશે. ઝડપી નિર્ણયો લેવા અને તેનો ઝડપથી અમલ કરવો એ વધુ મહત્વનું બની ગયું છે કારણ કે ભારત પાસેથી વિશ્વની અપેક્ષાઓમાં પણ નાટકીય રીતે વધારો થઇ રહ્યો છે. જેમ દુનિયા કહી રહી છે કે ભારતનો સમય આવી ગયો છે એટલે અત્યારે દેશના અમલદારવર્ગ પાસે વેડફવા માટેનો કોઇ સમય નથી. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, “દેશે તમારામાં વિશ્વાસ મૂક્યો છે, તે વિશ્વાસ જાળવીને કામ કરો. તમારા તમામ નિર્ણયોનો આધાર હંમેશા રાષ્ટ્રીય હિત હોવું જોઇએ”.

 

પ્રધાનમંત્રીએ લોકશાહીમાં વિવિધ વિચારધારા ધરાવતા રાજકીય પક્ષોના મહત્વ અને આવશ્યકતા પર પ્રકાશ પાડીને, સત્તામાં રહેલા રાજકીય પક્ષ કરદાતાઓના નાણાંનો રાષ્ટ્રના હિત માટે ઉપયોગ કરી રહ્યા છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવા માટે અમલદારશાહીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ આગળ કહ્યું હતું કે “કોઇ રાજકીય પક્ષ કરદાતાઓના નાણાંનો ઉપયોગ પોતાની સંસ્થાના હિત માટે કરે છે કે રાષ્ટ્રના હિત માટે કરે છે કે તેનું વિશ્લેષણ કરવાની અમલદારશાહીની ફરજ છે”. તેમણે આગળ કહ્યું હતું કે, “નાણાંનો ઉપયોગ મત બેંક ઉભી કરવા માટે થઇ રહ્યો છે કે પછી નાગરિકોના જીવનને સરળ બનાવવા માટે થઇ રહ્યો છે; સરકારી ખજાનાનો ઉપયોગ તેઓ પોતાની જાહેરાત કરવા માટે કરી રહ્યા છે કે પછી લોકોને જાગૃત કરવા માટે કરી રહ્યા છે; તેઓ પોતાના પક્ષના કાર્યકરોને વિવિધ સંગઠનોમાં નિયુક્તિ આપી રહ્યા છે કે પછી ભરતી માટે પારદર્શક પ્રક્રિયાનો ઉપયોગ કરી રહ્યા છે આ તમામ બાબતોની તપાસ કરવી જોઇએ.” અમલદારવર્ગને ભારતનું લોખંડી માળખું કહેનારા સરદાર પટેલના શબ્દોને યાદ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો અને કરદાતાઓના પૈસાની સાથે યુવાનોના સપનાંઓને બરબાદ થતા રોકવાનો સમય આવી ગયો છે.

પ્રધાનમંત્રીએ સરકારી અધિકારીઓને કહ્યું હતું કે, જીવનના બે અભિગમો હોય છે, પ્રથમ, કામ પૂરા કરવા અને બીજો કે, કામને તેની જાતે થવા દેવું. પ્રથમ એક સક્રિય વલણ છે અને બીજું નિષ્ક્રિય વલણને પ્રતિબિંબિત કરે છે. કામ પૂરું કરવામાં વિશ્વાસ ધરાવતા લોકો સક્રિય રીતે માલિકી લે છે અને તેમની ટીમનું પ્રેરક બળ બની જાય છે. પ્રધાનમંત્રીએ કર્મયોગીઓને કહ્યું હતું કે, “લોકોના જીવનમાં પરિવર્તન લાવવાની આ પ્રબળ ઇચ્છાથી તમે એક યાદગાર વારસો છોડી શકશો. તમે તમારા માટે શું કર્યું છે તેના આધારે તમારું મૂલ્યાંકન નહીં કરવામાં આવે પરંતુ તમે લોકોના જીવનમાં કેવા ફેરફારો લાવ્યા છે તેના આધારે તમારું મૂલ્યાંકન કરવામાં આવશે”. તેમણે આગળ કહ્યું હતું કે, “તેથી, સુશાસન એ ચાવી છે. લોકો-કેન્દ્રિત શાસન સમસ્યાઓનું નિરાકરણ લાવે છે અને વધુ સારા પરિણામો આપે છે.” તેમણે સુશાસન અને ઉર્જાવાન યુવા અધિકારીઓના પ્રયાસોને કારણે વિકાસના અનેક માપદંડો પર અન્ય જિલ્લાઓની સરખામણીએ વધુ સારી કામગીરી બજાવતા મહત્વાકાંક્ષી જિલ્લાઓના ઉદાહરણો આપ્યા હતા. આ વાત સમજાવતા તેમણે જણાવ્યું હતું કે, લોકોની ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરીને લોકોમાં માલિકીની ભાવના પેદા થાય છે અને આ લોકોની માલિકી અભૂતપૂર્વ પરિણામોની ખાતરી આપે છે. તેમણે સ્વચ્છ ભારત, અમૃત સરોવર અને જલ જીવન મિશનના ઉદાહરણોનો ઉલ્લેખ કરીને આ અંગે વિગતે સમજાવ્યું હતું.

 

પ્રધાનમંત્રીએ જિલ્લા વિઝન@100નો ઉલ્લેખ કર્યો હતો જે તૈયાર કરવામાં આવી રહ્યું અને કહ્યું હતું કે, આવા વિઝન પંચાયત સ્તર સુધી તૈયાર કરવા જોઇએ. પંચાયતો, તાલુકાઓ, જિલ્લા અને રાજ્યમાં કયા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ, રોકાણને આકર્ષવા માટેના ફેરફારો અને નિકાસ માટે લઇ શકાય તેવા ઉત્પાદનોની ઓળખ, આ બધા માટે સ્પષ્ટ દૃષ્ટિકોણ વિકસાવવો જોઇએ. તેમણે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે MSME અને સ્વ-સહાય જૂથોની સાંકળને જોડવા પર ભાર મૂક્યો અને જણાવ્યું હતું કે “તમારા બધા માટે ખૂબ જ મહત્વનું છે કે, સ્થાનિક પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે તમે સ્થાનિક ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટ-અપ સંસ્કૃતિને પ્રોત્સાહન આપો.”

પ્રધાનમંત્રીએ પોતે 20 વર્ષથી વધુ સમયથી સરકારના વડા તરીકે કામ કરી રહ્યા છે તે વાતને રેખાંકિત કરીને, સનદી અધિકારીઓ સાથે કામ કરવાની તક મળવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે ક્ષમતા નિર્માણ પર ભાર મૂક્યો અને ખુશી વ્યક્ત કરી કે ‘મિશન કર્મયોગી’ તમામ સરકારી કર્મચારીઓમાં એક વિશાળ અભિયાન બની ગયું છે. તેમણે રેખાંકિત કર્યું હતું કે, ક્ષમતા નિર્માણ આયોગ આ અભિયાનને સંપૂર્ણ તાકાત સાથે આગળ લઇ જઇ રહ્યું છે અને કહ્યું હતું કે , “મિશન કર્મયોગીનો ઉદ્દેશ્ય નાગરિક કર્મચારીઓની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવાનો છે.” દરેક જગ્યાએ ગુણવત્તાયુક્ત તાલીમ સામગ્રીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવેલા iGOT પ્લેટફોર્મ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તાલીમ અને શિક્ષણ થોડા મહિનાઓ માટેની ઔપચારિકતા ન રહેવા જોઇએ. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, “હવે, ભરતી થનારા તમામ લોકોને પણ 'કર્મયોગી પ્રારંભ'ના ઓરિએન્ટેશન મોડ્યુલ સાથે iGOT પ્લેટફોર્મ પર તાલીમ આપવામાં આવી રહી છે”.

 

પ્રધાનમંત્રીએ પદાનુક્રમના પ્રોટોકોલને દૂર કરવાની સરકારની પહેલ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, તેઓ સતત સચિવો, સહાયક સચિવો અને તાલીમાર્થી અધિકારીઓને મળે છે. તેમણે નવા વિચારો માટે વિભાગમાં દરેકની ભાગીદારી વધારવા માટે મંથન શિબિરોનું ઉદાહરણ પણ આપ્યું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, અધિકારીઓને શરૂઆતના વર્ષોમાં રાજ્યોમાં જ સેવા આપ્યા પછી કેન્દ્ર સરકારમાં કામ કરવાનો અનુભવ મેળવવાનો મુદ્દો હવે અંતરાય દૂર કરવા માટે સહાયક સચિવ કાર્યક્રમનો અમલ કરીને ઉકેલવામાં આવ્યો છે. આમાં યુવાન IAS અધિકારીઓને હવે તેમની કારકિર્દીમાં ખૂબ જ શરૂઆતના તબક્કે જ કેન્દ્ર સરકારમાં કામ કરવાની તક મળે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 25 વર્ષની અમૃત યાત્રાને ફરજનો સમય (કર્તવ્ય કાળ) માનવામાં આવે છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આઝાદીની સદી એ દેશની સુવર્ણ સદી હશે જ્યારે આપણે આપણા કર્તવ્યને પ્રથમ પ્રાધાન્ય આપીશું. ફરજ એ આપણા માટે કોઇ વિકલ્પ નથી પરંતુ સંકલ્પ છે”. તેમણે ઉમેર્યું હતું કે, “અત્યારે ઝડપી પરિવર્તનનો સમય છે. તમારી ભૂમિકા પણ તમારા અધિકારો દ્વારા નહીં, પરંતુ તમારી ફરજો અને તેમની કામગીરી દ્વારા નક્કી કરવામાં આવશે. નવા ભારતમાં દેશના નાગરિકોની તાકાત વધી છે, ભારતની તાકાત વધી છે. તમને આ નવા ઉભરતા ભારતમાં મહત્વની ભૂમિકા ભજવવાની તક મળી છે”.

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનના સમાપનમાં જણાવ્યું હતું કે, આઝાદીના 100 વર્ષ પછી રાષ્ટ્રની સિદ્ધિઓનું મૂલ્યાંકન કરવામાં આવશે ત્યારે ઇતિહાસમાં પોતાની આગવી ઓળખ બનાવવાની તક અત્યારે યુવાન સનદી અધિકારીઓ પાસે આવી છે. શ્રી મોદીએ સમાપનમાં કહ્યું હતું કે, “તમે ગૌરવ સાથે કહી શકો છો કે મેં દેશ માટે નવું વ્યવસ્થાતંત્ર બનાવવામાં અને તેને સુધારવામાં ભૂમિકા ભજવી છે. મને ખાતરી છે કે તમે બધા રાષ્ટ્રનિર્માણમાં તમારી ભૂમિકાનું એકધારું વિસ્તરણ કરવાનું ચાલુ રાખશો”.

 

આ કાર્યક્રમમાં કેન્દ્રીય કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ, પ્રધાનમંત્રીના અગ્ર સચિવ શ્રી પી. કે. મિશ્રા, કેબિનેટ સચિવ શ્રી રાજીવ ગૌબા તેમજ વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગના સચિવ શ્રી વી. શ્રીનિવાસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પૃષ્ઠભૂમિ

પ્રધાનમંત્રી રાષ્ટ્રનિર્માણમાં સનદી અધિકારીઓના યોગદાનની નિરંતર પ્રશંસા કરતા રહે છે અને તેમને વધુ સખત મહેનત કરવા માટે પ્રોત્સાહન આપે છે. આ કાર્યક્રમ પ્રધાનમંત્રી માટે દેશભરના સનદી અધિકારીઓને પ્રોત્સાહિત કરવા અને તેમને પ્રેરણા આપવા માટે એક યોગ્ય મંચ તરીકે સેવા આપે છે, જેથી ખાસ કરીને અમૃતકાળના આ નિર્ણાયક તબક્કા દરમિયાન તેઓ એ જ ઉત્સાહ સાથે રાષ્ટ્રની સેવા કરતા રહે.

આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા બદલ પ્રધાનમંત્રી પુરસ્કાર પણ એનાયત કર્યા હતા. સામાન્ય નાગરિકોના કલ્યાણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોના જિલ્લાઓ અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા અસાધારણ અને આવિષ્કારી કાર્યને બિરદાવવાના ઉદ્દેશતી આ પુરસ્કારોની શરૂઆત કરવામાં આવી છે.

ઓળખી કાઢવામાં આવેલા અગ્રતાના ચાર કાર્યક્રમોમાં કરવામાં આવેલ અનુકરણીય કાર્ય બદલ આ પુરસ્કારો આપવામાં આવ્યા હતા. આ ચાર કાર્યક્રમો: હર ઘર જલ યોજના દ્વારા સ્વચ્છ જલને પ્રોત્સાહન આપવું; આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો દ્વારા સ્વસ્થ ભારતને પ્રોત્સાહન આપવું; સમગ્ર શિક્ષા દ્વારા સમાન અને સમાવિષ્ટ વર્ગખંડના માહોલ દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રોત્સાહન આપવું; મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમ દ્વારા સર્વાંગી વિકાસ - સંતૃપ્તિ અભિગમ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને એકંદર પ્રગતિ છે. ઉપરોક્ત ચાર ઓળખી કાઢવામાં આવેલા કાર્યક્રમો માટે આઠ પુરસ્કારો આપવામાં આવ્યા છે જ્યારે સાત પુરસ્કારો આવિષ્કાર બદલ આપવામાં આવ્યા છે.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's strong growth outlook intact despite global volatility: Govt

Media Coverage

India's strong growth outlook intact despite global volatility: Govt
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Harivansh Ji plays a key role in instilling confidence that the country can make a significant leap forward: PM Modi in the Rajya Sabha
April 17, 2026

आदरणीय सभापति जी,

सदन की ओर से, मेरी तरफ से, मैं श्रीमान हरिवंश जी को बहुत-बहुत बधाई देता हूं और शुभकामनाएं भी देता हूं। राज्यसभा उपसभापति के रूप में लगातार तीसरी बार निर्वाचित होना, यह अपने आप में इस सदन का आपके प्रति जो गहरा विश्वास है और बीते हुए कालखंड में आपके अनुभव का जो सदन को लाभ मिला है, सबको साथ लेकर चलने का आपका जो प्रयास रहा है, उसको एक प्रकार से सदन ने आज एक मोहर लगा दी है और यह अपने आप में यह एक अनुभव का सम्मान है, एक सहज कार्य शैली का सम्मान है और एक सहज कार्य शैली की स्वीकृति भी है। हमने सबने हरिवंश जी के नेतृत्व में सदन की शक्ति को और अधिक प्रभावी होते हुए भी देखा है और मैं कह सकता हूं कि केवल सदन की कार्यवाही का संचालन ही नहीं, वह अपने जीवन के जो भूतकाल के अनुभव हैं, उसको भी बहुत ही सटीक तरीके से सदन को समृद्ध करने में उपयोग लाते हैं। उनका यह अनुभव पूरी कार्यवाही को, संचालन को और सदन के माहौल को और अधिक परिपक्व को बनाता है। मुझे विश्वास है, उपसभापति जी का नया कार्यकाल उसी भावना, संतुलन और समर्पण के साथ आगे बढ़ेगा और हम सबके प्रयासों से सदन की गरिमा को नई ऊंचाई प्राप्त होगी।

आदरणीय सभापति जी,

हरिवंश जी का जन्म यूपी के गांव में हुआ और सहज रूप से ग्रामीण पृष्ठभूमि के कारण उन्हें अपने गांव के विकास में विद्यार्थी काल से भी कुछ ना कुछ करते रहे। उनकी शिक्षा-दीक्षा काशी में हुई और इन सारे विषयों पर मुझे भूतकाल में बोलने का अवसर मिला, तो मैं काफी कुछ कह चुका हूं। इसलिए मैं आज इसको दोहराता नहीं हूं। एक बात का उल्लेख आज जरूर मैं करूंगा, आज 17 अप्रैल है और 17 अप्रैल 1927, हमारे पूर्व प्रधानमंत्री चंद्रशेखर जी की जन्म जयंती भी है और विशेषता यह है कि आज 17 अप्रैल को आप जब तीसरी बार इस दायित्व को संभालने जा रहे हैं और वह भी चंद्रशेखर जी की जन्म जयंती पर और चंद्रशेखर जी के साथ आपका जुड़ाव, उनके प्रति आपका लगाव और एक प्रकार से आप उनके सहयात्री रहे, उनके पूरे कार्यकाल में, तो यह एक अपने आप में एक बहुत ही बड़ा सुयोग है। अपने चंद्रशेखर जी के जीवन पर किताबें भी लिखी हैं और चंद्रशेखर जी के एक वृहद जीवन को नई पीढ़ी तक पहुंचाने का एक बहुत बड़ा काम भी आपने किया है और इसलिए आपके लिए एक बहुत बड़ा विशेष अवसर बन जाता है कि चंद्रशेखर जी की जन्म जयंती पर आपके तीसरा कार्यकाल का प्रारंभ हो रहा है। हरिवंश जी का सार्वजनिक जीवन केवल संसदीय कामों तक सीमित नहीं रहा है। पत्रकारिता के उच्च मानदंड, यह आज भी आदर्श के रूप में रेखांकित किए जाते हैं। लंबा जीवन पत्रकारिता का रहा है, लेकिन पत्रकारिता में भी उन्होंने उच्च मानदंड को हमेशा आधार माना। हम सब जानते हैं, उनके लेखनी में धार है, लेकिन उनकी वाणी में और व्यवहार में सौम्‍यता और शिष्‍टता भरी-भरी रहती है, यह अपने आप में और मैं जब गुजरात में था, तब भी मैं उनकी लेखों को पढ़ने की मेरी आदत रही थी और मैं देखता था कि वह अपना पक्ष बड़ी दृढ़ता के साथ रखते थे और मैं अनुभव करता था कि उसमें काफी अध्ययन के बाद उसका निचोड़ उसमें प्रकट होता था। पत्रकारिता में भी अंतिम व्यक्ति तक पहुंचाने का उनका निरंतर प्रयास रहा और एक सफल प्रयास भी रहा और हम देखते हैं, सदन में भी चाहे पॉलिसी हो या प्रोसेस हो, उन बातों का कहीं ना कहीं छाया हमें हमेशा नजर आती है और यह हम सबके लिए सुखद अनुभव है। वह समाज की वास्तविकताओं के साथ गहरे जुड़ाव के साथ काम करने वाले व्यक्ति रहे हैं। मैं तो कहूंगा, जो चाहे लोकसभा हो या राज्यसभा हो, जो नए सांसद आते हैं, जो हरिवंश जी से बहुत कुछ सीख सकते हैं, बहुत कुछ बातें करके उनसे जान सकते हैं, क्योंकि जब वह पत्रकारिता में थे, तो उनकी कॉलम चलती थी, हमारा सांसद कैसा हो, हमारा पार्लियामेंट मेंबर कैसा हो, तब उनको शायद पता नहीं होगा, कभी उनको ही बैठना पड़ेगा। लेकिन वह लिखते थे और वह बातों में बहुत व्यापकता रहती थी। सदन की गरिमा और बैठने वाले सदस्य का दायित्व, अब उसके आचार विचार को लेकर भी बहुत गहरा उनका अध्ययन रहता था और उन बातों का उपयोग आज हमारे सदन के साथी, उनके साथ बैठकर के बहुत कुछ जान सकते हैं, सीख सकते हैं। समय की पाबंदी एक डिसिप्लिन लाइफ में और अपने कर्तव्‍यों के प्रति गंभीरता, यह आपकी विशेषता रही है और शायद इसी के कारण आप सर्व स्वीकृत व्‍यक्‍तित्‍व आपका विकसित हुआ है। हमने देखा होगा जब से वह राज्यसभा के सदस्य बने हैं, मैं कह सकता हूं कि पूर्ण समय वह सदन में होते हैं। सभापति जी की अनुपस्थिति में सदन को संभालने का काम तो करते ही हैं, लेकिन बाकी समय भी यहां कमेटी का कोई भी व्यक्ति बैठा हो, तो भी वह सदन में हमेशा अपनी मौजूदगी रहती है। हर बात को सुनते हैं, उस समय सदन का जो संचालन करते हैं, उनके कार्य को भी देखते हैं और यह इसके पीछे उनको अपना जो दायित्व है, उसके प्रति उनकी जो प्रतिबद्धता है, उसके कारण यह संभव होता है और यह हम सबके लिए सीखने जैसा है और मैंने देखा है कि वह पूरा समय इन चीजों के लिए वह खपा देते हैं।

आदरणीय सभापति जी,

उपसभापति के तौर पर सदन को कैसे चलाया, सदन में सदस्य के तौर पर क्या योगदान दिया, इस बारे में हम स्वाभाविक रूप से एक सकारात्मक चर्चा करते रहते हैं। लेकिन सदन के बाहर, जनता के बीच वह कैसे अपने लोकतांत्रिक और सामाजिक दायित्‍वों को निभाते हैं, यह भी हम सार्वजनिक जीवन में जो लोग हैं, उनके लिए सचमुच में ध्यान आकर्षित करने वाले विषय हैं और हमें उसको देखना चाहिए। मैं अपने अनुभव से कह सकता हूं कि काम सराहनीय तो है ही हैं, अनुकरणीय भी हैं। हमारा देश युवा देश है और मैंने देखा है कि हरिवंश जी ने अपने समय का उपयोग सबसे ज्यादा युवाओं के बीच में बिताना पसंद किया है। युवाओं में लगातार गंभीर विषयों पर जागरूकता बने, एक प्रकार से लोक शिक्षा का काम निरंतर चलता रहे, यह अपने आप में वह लगातार करते रहते हैं, तो देश भर में उनका भ्रमण रहता है। वह मीडिया की नजरों में बहुत ज्यादा रहने का उनका शौक नहीं है, लेकिन भ्रमण और कार्यक्रमों की संख्या उनकी लगातार चलती रहती है। 2018 में, जब उन्होंने राज्यसभा के उपसभापति की भूमिका निभानी शुरू की, उसके बाद जो मेरी जानकारी है, कॉलेजेस और यूनिवर्सिटीज में 350 कार्यक्रम किए हैं। यह एक बहुत बड़ा काम है। देश की यूनिवर्सिटीज और कॉलेजेस में 350 से अधिक कार्यक्रम, जाना-आना, उनके साथ बैठना, बातें करना, उसके लिए विषयों की तैयारी करना, यह अपने आप में बहुत बड़ा, एक प्रकार से आपने बृहतस्य के रूप में इस काम को किया है और युवाओं से ही जुड़ने के लक्ष्य को आपने जरा भी ओझल नहीं होने दिया है। और विकसित भारत का सपना युवाओं के लिए भी क्यों होना चाहिए, इस मूल विषय को अलग-अलग तरीके से जिस प्रकार से विद्यार्थियों का मूड हों, वह बताते रहते हैं। विद्यार्थियों में, युवा पीढ़ी में एक आत्मविश्वास कैसे पैदा हो, निराशा से वह हमेशा-हमेशा बाहर रहें, इन सारे विषयों की चर्चा वह करते हैं। उनके कुछ ऐतिहासिक रेफरेंस के साथ बात करते हैं कि हम ऐसे क्या कारण हैं कि हम जितनी तेजी से जाना चाहिए था, आगे नहीं जा पाए, अब अवसर क्या आया है, सारी बातें हो और देश इतनी बड़ी छलांग लगा सकता है, उसका आत्मविश्वास भरने का काम उनके द्वारा होता है। आजकल देश में लिटरेचर फेस्टिवल, एक बड़ा सिलसिला चला है और अब तो वह टीयर-2, टीयर-3 सिटीज़ तक भी वह सिलसिला चला है। लिटरेचर फेस्टिवल्स में भी हरिवंश जी का अक्सर जाना होता है और उस समाज का, उस तबके को भी वह अपने विचारों से प्रभावित करते रहते हैं, प्रेरित करते रहते हैं।

आदरणीय सभापति जी,

मैंने उनके जीवन का एक प्रसंग जो सुना है, शायद हो सकता है, सार्वजनिक तौर में मेरी जानकारी सटीक ना भी हो। मैंने सुना है कि 1994 में हरिवंश जी पहली बार विदेश यात्रा की और वह अमेरिका गए। जब अमेरिका गए, तो अपने सारे कार्यक्रमों के अलावा उनसे पूछा गया कि आप कहीं और जाना चाहते हैं, कुछ करना चाहते हैं। तो उन्होंने आग्रह से कहा कि मैं जरूर यह विकसित देश है, तो मैं उसकी यूनिवर्सिटी को देखना-समझना चाहता हूं और वहाँ की ऐसी कौन सी शिक्षा और कल्चर है, जिसके कारण यह देश इतना आगे बढ़ रहा है और उन्होंने काफी समय अपने निर्धारित कार्यक्रमों के सिवाय वह पहली अमेरिका की यात्रा में सिर्फ और सिर्फ यूनिवर्सिटीज में बिताया, उसका अध्ययन करने का काम किया। यानी यह जो ललक थी उनके मन में, यह अगर यह विकसित देश की यूनिवर्सिटी से जो निकलता है, तो हिंदुस्तान की यूनिवर्सिटीज़ भी ऐसी हों, ताकि विकसित भारत का सपना वहीं से रेखांकित किया जा सके।

आदरणीय सभापति जी,

MPs को MPLAD फंड के संबंध में तो काफी चर्चा रहती है और एक बड़ा प्रसंगी का विषय भी रहता है MPs में और कभी-कभी तो यह भी संघर्ष रहता है कि MPLAD फंड इतना है और वहां उधर एमएलए फंड ज्यादा है, उसकी चर्चा रहती है। लेकिन एमपी फंड का उपयोग कैसे हो, MPLAD जो फंड की बातें हैं, उसमें हरिवंश जी के विचारों को तो मैंने स्वयं भी सुना है, मैं प्रभावित हूं इससे, लेकिन हमारी भी कुछ मजबूरी रही है। शायद हम उनकी अपेक्षा के अनुसार उसको कर नहीं पाए हैं, क्योंकि सबको ऐसे विषय में साथ लेना जरा कठिन होता है। लेकिन उन्होंने खुद की उस जिम्मेदारी को कैसे निभाया है, मैं समझता हूं वह भी हम लोगों ने, उन्होंने यह MPLAD फंड था, जो अपने जो विचार हैं, उसके विचार को भी नीचे धरातल पर उतारने के लिए उपयोग किया, शिक्षा क्षेत्र और युवा पीढ़ी, यह उसके सारे केंद्र में रहा, MPLAD फंड उन्होंने इस्तेमाल करने के लिए एक मिसाल पेश की है। उन्होंने विश्वविद्यालय, शिक्षण संस्थानों में ऐसे अध्ययन केंद्र स्थापित किया और उसका प्रभाव लंबे अरसे तक रहने वाला है और उसमें भी उन्होंने प्रोजेक्ट ओरिएंटेड, समस्या के समाधान को केंद्र में रखा। जैसे लुप्त होती जा रही भारतीय भाषाओं, उनके संरक्षण के लिए उन्होंने आईआईटी पटना में एक अध्ययन केंद्र के लिए MPLAD फंड का उपयोग किया, तो उस काम को वह लगातार वहां हो रहा है। एक और उन्होंने काम किया, जो बिहार में कुछ क्षेत्र हैं, जहां भयावह भूकंप की घटनाएं रोज घटती रहती हैं, नेपाल में भी एक छोटा सा भूकंप आ जाए, तो भी उस क्षेत्र का प्रभावित करता है। इस काम को ध्यान में रखते हुए उन्होंने MPLAD फंड से सेंटर फॉर अर्थक्वेक इंजीनियरिंग के रूप में एक स्टडी सेंटर रिसर्च के लिए खुलवाया है। यानी वह स्टडी का काम करना, रिसर्च करना, उस पर लगातार काम कर रहा है। हम जानते हैं कि जैसा मैंने कहा है, जय प्रकाश जी का गांव सिताब दियारा हरिवंश जी वहीं हैं और वहां गंगा और घाघरा दो नदी के बीच में एक गांव है, तो हमेशा ही जल के कारण जो कटाव की समस्या रहती है, वो गांव परेशान रहता है और नदी धारा भी बदलती रहती है, तो विनाश भी बहुत होता रहता है। उसको भी ध्यान में रखते हुए उन्होंने MPLAD फंड से इसके वैज्ञानिक अध्ययन के लिए उन्होंने पटना की आर्यभट्ट नॉलेज यूनिवर्सिटी में एक नदी अध्ययन केंद्र खुलवाया है। पटना के ही चंद्रगुप्त प्रबंधन संस्था में वो बिजनेस इनक्यूबेशन एंड इनोवेशन सेंटर बनवा रहे हैं। एआई के इस दौर में मगध विश्वविद्यालय में आर्टिफिशियल इंटेलिजेंस सेंटर बनाया है। यानी MPLAD फंड का एक निर्धारित दिशा में काम कैसे किया जा सकता है, इसका एक उदाहरण आपने प्रस्तुत किया है।

आदरणीय सभापति जी,

हम सभी ने अनुभव किया है कि लोग जब अपने गांव से स्थानांतरण करते हैं, एक दूसरे शहर में जाते हैं, तो जीवन में एक प्रकार से गांव से कट जाते हैं। हरिवंश जी का जीवन आज भी गांव से जुड़ा रहता है, अपने गांव से जुड़ा रहता है। वह लगातार वहां के सुख दुख के साथी बन करके वह अपना जो भी कंट्रीब्यूशन कर सकते हैं, वह करते रहते हैं।

आदरणीय सभापति जी,

जिस संसद की नई इमारत में बैठे हैं, उसका जब निर्माण कार्य चल रहा था, तब मुझे उनके साथ निकट से काम करने का अवसर आया। और मैं अनुभव कर रहा था कि जो विचार मेरे मन में आते थे, मैं हरिवंश जी से कहता था, हम ऐसा करें तो कैसा होगा, दो दिन में वो बराबर परफेक्ट उसको लेकर आते थे, कहीं नामकरण करना है, उसके पहचान इस सदन की कैसे बने, तो काफी कुछ कंट्रीब्यूशन सदन के निर्माण में, उसकी आर्ट गैलरी में, विभिन्न द्वार के नाम रखने हों, यानी हर प्रकार से मेरे एक साथी के रूप में हम दोनों को और मुझे बड़ा आनंददायक रहा वो अनुभव काम का।

आदरणीय सभापति जी,

हरिवंश जी के सदन को चलाने की कुशलता को तो हम भली भांति देखे हैं, लेकिन साथ-साथ उन्होंने राज्यों की विधानसभाएं, विधान परिषदें और वहां जो प्रीसाइडिंग ऑफिसर्स हैं, उनको भी कैसे मदद रूप होना, उनके लिए किस प्रकार से आवश्यक उनके ट्रेनिंग के लिए काम किया जाना, उसके लिए भी काफी समय दिया और उन्होंने लगातार उनके लिए समय दिखाया। कॉमनवेल्थ पार्लियामेंट्री एसोसिएशन में भी उन्होंने भारत की डेमोक्रेटिक व्यवस्था की छाप छोड़ने में बहुत बड़ी सक्रिय भूमिका निभाई है। मुझे पूरा विश्वास है कि 21वीं सदी का यह दूसरा क्वार्टर यह सदन को बहुत कुछ कंट्रीब्यूट करना है। देश को प्रगति के पथ पर ले जाने में, विकास के लक्ष्य को प्राप्त करने में, मुझे विश्वास है कि सदन के द्वारा बहुत कुछ होगा और उसके कारण पीठाधीश सबका दायित्व बहुत बड़ा होता है। हम सबका बड़े विश्वास से मैं कह सकता हूं कि सभी साथी आप जो चाहते होंगे, उसको पूरा करने के लिए सहयोग करते रहेंगे और आपके काम को कठिनाइयों में ना परिवर्तित करें इसके लिए ताकि आप ज्यादा आउटकम दे सकते हैं और मुझे विश्वास है सब लोग इसको करेंगे और मैंने पहले भी कहा था कि हरि कृपा पर है सब कुछ और हरि तो यहां के भी है, हरि वहां के भी है और हरि यही बैठेंगे। तो हरि कृपा बनी रहे। इसी एक अपेक्षा के साथ मेरी आपको बहुत-बहुत शुभकामनाएं हैं।

बहुत-बहुत धन्यवाद!