સ્વીડનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ઉલ્ફ ક્રિસ્ટરસન અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નોબેલ વિજેતા ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના વારસાની ઉજવણી કરવા માટે વિશેષ સ્મારક ભેટોનું આદાન-પ્રદાન કર્યું હતું.
પ્રધાનમંત્રી ક્રિસ્ટરસન તરફથી આપવામાં આવેલી ભેટમાં એક બોક્સનો સમાવેશ થતો હતો, જેમાં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર દ્વારા હસ્તલિખિત બે એપીગ્રામ્સ (સુભાષિતો/ટૂંકી કવિતાઓ) ની પ્રતિકૃતિઓ (રેપ્લિકા) હતી, જેની સાથે એક સંક્ષિપ્ત વ્યાખ્યાત્મક લેખ અને ગુરુદેવ ટાગોરની 1921 માં ઉપ્સલા યુનિવર્સિટી (Uppsala University) ની મુલાકાત દરમિયાન લેવાયેલી એક તસવીર સામેલ હતી. સ્વીડિશ નેશનલ આર્કાઇવ્સમાં તાજેતરમાં મળી આવેલા આ મૂળ લખાણો ગુરુદેવ ટાગોર દ્વારા 1921 અને 1926 માં સ્વીડનની તેમની મુલાકાતો દરમિયાન તૈયાર કરવામાં આવ્યા હતા.

પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી ક્રિસ્ટરસનને રવીન્દ્રનાથ ટાગોરના સંગ્રહિત કાર્યોનો (પુસ્તકોનો) એક સેટ ભેટમાં આપ્યો હતો, જેની સાથે શાંતિનિકેતનની ખાસ હાથબનાવટની એક બેગ અર્પણ કરી હતી, જેમાં એવા મોટિફ્સ (રૂપાંકન) હતા જે ગુરુદેવે સ્થાનિક કારીગરોને સશક્ત કરવા માટે પસંદ કર્યા હતા. આ બેગ ટાગોરની એ દર્શનનું પ્રતીક છે કે કળા માત્ર ગેલેરીઓ પૂરતી સીમિત રાખવા માટે નથી, પરંતુ રોજિંદી વસ્તુઓમાં પ્રાણ રેડવા માટે છે, જે બૌદ્ધિક અને કાર્યાત્મક બાબતો વચ્ચેના અંતરને દૂર કરે છે.
જોકે ગુરુદેવ ટાગોર 1913 માં નોબેલ પુરસ્કાર મેળવવા માટે સ્વીડનની યાત્રા કરી શક્યા ન હતા, પરંતુ જ્યારે તેમણે 1921 માં સ્વીડનની મુલાકાત લીધી ત્યારે રાજા ગુસ્તાવ V (King Gustav V) દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ભેટો ભારત અને સ્વીડન વચ્ચેના સહિયારા સાંસ્કૃતિક અને બૌદ્ધિક વારસાનું પ્રતીક છે, અને રવીન્દ્રનાથ ટાગોરના કાયમી વારસાને શ્રદ્ધાંજલિ આપે છે. ભેટોનું આ આદાન-પ્રદાન 1926 માં ગુરુદેવની સ્વીડનની ઐતિહાસિક મુલાકાતની શતાબ્દી (100 વર્ષ) સાથે પણ સુસંગત છે.
Deeply touched to receive facsimiles of two handwritten epigrams by Gurudev Rabindranath Tagore. I thank the Government and people of Sweden for this thoughtful gesture, which reflects the enduring cultural bonds between our nations.
— Narendra Modi (@narendramodi) May 18, 2026
Gurudev Tagore’s words continue to illuminate… https://t.co/5NsLPCRuRP
গুরুদেব রবীন্দ্রনাথ ঠাকুরের হাতে লেখা দুটি এপিগ্রামের ফ্যাক্সিমিলি পেয়ে অত্যন্ত অভিভুত। সুইডেনের সরকার ও জনগণকে ধন্যবাদ এই সুচিন্তিত উপহারের জন্যে। এটি আমাদের দুই দেশের দীর্ঘকালীন সাংস্কৃতিক বন্ধনের প্রতিচ্ছবি।
— Narendra Modi (@narendramodi) May 18, 2026
গুরুদেব ঠাকুরের কথা প্রজন্মের পর প্রজন্ম এবং ভৌগোলিক সীমানা… https://t.co/5NsLPCRuRP
Djupt rörd av att motta ett faksimil av två handskrivna dikter av Gurudev Rabindranath Tagore. Jag tackar den svenska regeringen och folket för denna omtänksamma gest, som återspeglar de bestående kulturella banden mellan våra nationer.
— Narendra Modi (@narendramodi) May 18, 2026
Gurudev Tagores ord fortsätter att belysa… https://t.co/5NsLPCRuRP


