પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલના પ્રધાનમંત્રી મહામહિમ બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના હેઠળ થયેલી પ્રગતિ બદલ તેમને અભિનંદન આપ્યા હતા.
શ્રી મોદીએ બંધકોને મુક્ત કરવા અને ગાઝાના લોકોને માનવતાવાદી સહાય વધારવાના કરારનું સ્વાગત કર્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કોઈપણ સ્વરૂપ કે અભિવ્યક્તિમાં આતંકવાદ વિશ્વમાં ક્યાંય પણ અસ્વીકાર્ય છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
"રાષ્ટ્રપતિ ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના હેઠળ થયેલી પ્રગતિ બદલ અભિનંદન આપવા માટે મારા મિત્ર, પ્રધાનમંત્રી નેતન્યાહૂને ફોન કર્યો. અમે બંધકોની મુક્તિ અને ગાઝાના લોકોને માનવતાવાદી સહાય વધારવાના કરારનું સ્વાગત કરીએ છીએ. તે વાત ભાર આપ્યો કે વિશ્વમાં ગમે ત્યાં કોઈપણ સ્વરૂપ કે અભિવ્યક્તિમાં આતંકવાદ અસ્વીકાર્ય છે.
@netanyahu"
Called my friend, Prime Minister Netanyahu, to congratulate him on the progress made under President Trump’s Gaza peace plan. We welcome the agreement on the release of hostages and enhanced humanitarian assistance to the people of Gaza. Reaffirmed that terrorism in any form or…
— Narendra Modi (@narendramodi) October 9, 2025


