PM Modi wishes people of China on their National Day on Chinese social network Weibo
India & China reflect, in many ways, similar aspirations, challenges and opportunities, and can be inspired by each other’s successes: PM Modi
Progress and prosperity of China & India, our close cooperation, have the potential to shape a peaceful and stable future for Asia: PM Modi

ચીનના લોકોને તેમના રાષ્ટ્રીય દિવસના પ્રસંગે મારી શુભેચ્છા.

આપણા સંબંધો સદીઓ જૂના છે. આપણે આધ્યાત્મિક, શિક્ષણ, કલા, વેપારના તાંતણે એકબીજા સાથે જોડાયેલા હતા અને જોડાયેલા છીએ. આપણે એકબીજાની સંસ્કૃતિ પ્રત્યે આદર ધરાવીએ છીએ અને એકબીજાની સમૃદ્ધિમાં ભાગીદાર રહ્યા છીએ. વળી આપણે એકબીજાની સફળતાથી પ્રેરિત થઈ શકીએ. જ્યારે દુનિયા એશિયા તરફ મીટ માંડી રહી છે, ત્યારે ભારત અને ચીનની પ્રગતિ અને સમૃદ્ધિ તથા આપણા ગાઢ સંબંધો એશિયામાં શાંતિ, સલામતી અને સ્થિરતા સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ જ સ્વપ્ન મેં તમારા રાષ્ટ્રપતિ ઝિ અને પ્રધાનમંત્રી લી સાથે જોયું છે.

તાજેતરમાં આપણા સંબંધો તમામ ક્ષેત્રોમાં ગાઢ બન્યા છે તથા આપણે પારસ્પરિક વિશ્વાસ અને ભરોસા પર ભાર મૂકી રહ્યા છીએ. આપણે બંને દેશના લોકો વચ્ચે સંબંધનું વિસ્તરણ કરવા પ્રયાસરત છીએ. અને આપણે આ દિશામાં વધારે પ્રયાસ કરીશું.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
In Photos: PM Narendra Modi Prays At Kashi Vishwanath, Holds Trishul-Damru

Media Coverage

In Photos: PM Narendra Modi Prays At Kashi Vishwanath, Holds Trishul-Damru
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જે સમજાવે છે કે ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા કેવી રીતે સફળતા તરફ દોરી જાય છે.
April 30, 2026

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસ્કૃત સુભાષિત શેર કરીને ભાર મૂક્યો છે કે ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા વ્યક્તિને તેમના કાર્યોમાં સતત સક્રિય રહેવા માટે પ્રેરણા આપે છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું કે આ અતૂટ ઉત્સાહ વ્યક્તિ જે પણ પ્રયાસો પૂર્ણ કરવા માટે સંકલ્પ કરે છે તેમાં સફળતા તરફ દોરી જાય છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"દેશના મહેનતુ અને ઉર્જાવાન નાગરિકો રાષ્ટ્રની સૌથી મોટી શક્તિ છે, જેમની સખત મહેનત વિકાસ માટે નવા માર્ગો બનાવે છે. તેમના પ્રયાસો દેશને સમૃદ્ધિ, આત્મનિર્ભરતા અને પ્રગતિના શિખર સુધી પહોંચવામાં મદદ કરે છે.

अनिर्वेदो हि सततं सर्वार्थेषु प्रवर्तकः।

करोति सफलं जन्तोः कर्म यच्च करोति सः॥"

ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા વ્યક્તિને તેમના કાર્યોમાં સતત સક્રિય રહેવા માટે પ્રેરણા આપે છે. આ અતૂટ ઉત્સાહ વ્યક્તિ જે પણ પ્રયાસો પૂર્ણ કરવાનો સંકલ્પ કરે છે તેમાં સફળતા તરફ દોરી જાય છે.