PM to launch Gangajal Project to Provide Better and More Assured Water Supply
PM to Address a Public Gathering in Agra

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 જાન્યુઆરી, 2019નાં રોજ ઉત્તરપ્રદેશમાં આગ્રાની મુલાકાત લેશે. તેઓ ગંગાજળ પ્રોજેક્ટ અને અન્ય વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શુભારંભ કરશે. તેઓ આગ્રા સ્માર્ટ સિટીનાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનો શિલાન્યાસ કરશે તેમજ એસ એન મેડિકલ કોલેજ વગેરેનાં અપગ્રેડેશનનું ખાતમુહૂર્ત કરશે.
ગંગાજળ કાર્યક્રમ રૂ. 2880 કરોડની પરિયોજના છે, જે આગ્રાને પાણીનો વધારે સારો અને સુનિશ્ચિત પુરવઠો પૂરો પાડશે. તેનાથી શહેરીજનો અને પ્રવાસીઓને લાભ થશે.

આગ્રામાં એસ એન મેડિકલ કોલેજનું અપગ્રેડેશન રૂ. 200 કરોડનાં ખર્ચે કરવામાં આવશે, જેમાં વિમેન્સ હોસ્પિટલમાં 100 બેડની મેટરનિટી વિંગ ઊભી કરવાની બાબત સામેલ છે. એનાથી સમાજનાં નબળા વર્ગો માટે સ્વાસ્થ્ય અને માતૃત્વની વધારે સારી સેવા પ્રદાન થશે. આગ્રા સ્માર્ટ માટે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર રૂ. 285 કરોડનાં ખર્ચ ઊભું કરવામાં આવશે. તેનાથી આગ્રાને આધુનિક વૈશ્વિક કક્ષાનાં સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં મદદ મળશે અને મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે એને ઉચિત સ્થાન મળશે.

પ્રધાનમંત્રી આગ્રામાં કોઠી મીના બાઝારમાં એક જનસભાને પણ સંબોધિત કરશે.

આગ્રાની આ પ્રધાનમંત્રીની બીજી મુલાકાત હશે. અગાઉ 20 નવેમ્બર, 2016નાં રોજ તેમણે આગ્રાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) શરૂ કરી હતી. આ યોજના હેઠળ અત્યાર સુધી 65 લાખ મકાનોનું નિર્માણ થયું છે, જેમાં ઉત્તરપ્રદેશનાં 9.2 લાખ મકાનો સામેલ હશે. તેમણે આ વિસ્તારનાં રેલવેની માળખાગત સુવિધા અને સેવાઓને પણ શરૂ કરી હતી.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
From Health Access to Health Security: Ayushman Bharat is reshaping Indian public healthcare

Media Coverage

From Health Access to Health Security: Ayushman Bharat is reshaping Indian public healthcare
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares a Sanskrit Subhashitam, highlights the divine and benevolent grace of Goddess Brahmacharini
March 20, 2026

Prime Minister Shri Narendra Modi shared a Sanskrit subhashitam today, highlighting the divine and benevolent grace of Goddess Brahmacharini.

The Prime Minister wrote on X:

"मां ब्रह्मचारिणी के चरणों में कोटि-कोटि नमन! देवी मां सभी भक्तों पर अपनी कृपा बनाए रखें।

दधाना करपद्माभ्यामक्षमालाकमण्डलू।
देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा॥"

The Goddess who holds a rosary and a water pot in her lotus-like hands—may that supremely exalted Goddess Brahmacharini be gracious to me.