PM to inaugurate the Dr. Ambedkar International Centre tomorrow

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 15 જનપથ દિલ્હી ખાતે ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. તેઓ ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સોશિયો-ઇકોનોમિક ટ્રાન્સફોર્મેશનનો (ડીએઆઇસીએસઇટી) પણ શુભારંભ કરશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આવતીકાલે સવારે 11 વાગે હું 15 જનપથ, દિલ્હી ખાતે ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરનું ઉદ્ઘાટન કરીશ. આ પ્રસંગ વધારે વિશેષ છે, કારણ કે મને આ સેન્ટરનું શિલારોપણ કરવાની તક મળી હતી. આપણી રાષ્ટ્રીય રાજધાનીનાં હાર્દમાં ડો. આંબેડકરને આ યોગ્ય શ્રદ્ધાંજલિ છે. ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર બૌદ્ધ સંપ્રદાયનું જોડાણ છે અને સમકાલીન સ્થાપત્ય છે. તેમાં સેમિનાર અને કોન્ફરન્સ હોલ સામેલ છે. તેમાં ત્રણ ઓડિટોરિયમ અને ડિજિટલ પુસ્તકોનાં ખજાના સાથે વિસ્તૃત પુસ્તકાલય છે. આવતીકાલે ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સોશિયો-ઇકોનોમિક ટ્રાન્સફોર્મેશનનો (ડીએઆઇસીએસઇટી) પણ શુભારંભ થશે. આ સંસ્થા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવાનો માર્ગ પ્રશસ્ત કરશે તેમજ યુવાનો વચ્ચે સંશોધન, મૌલિક વિચારસરણીને પ્રોત્સાહન આપશે.”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
In Photos: PM Narendra Modi Prays At Kashi Vishwanath, Holds Trishul-Damru

Media Coverage

In Photos: PM Narendra Modi Prays At Kashi Vishwanath, Holds Trishul-Damru
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જે સમજાવે છે કે ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા કેવી રીતે સફળતા તરફ દોરી જાય છે.
April 30, 2026

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસ્કૃત સુભાષિત શેર કરીને ભાર મૂક્યો છે કે ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા વ્યક્તિને તેમના કાર્યોમાં સતત સક્રિય રહેવા માટે પ્રેરણા આપે છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું કે આ અતૂટ ઉત્સાહ વ્યક્તિ જે પણ પ્રયાસો પૂર્ણ કરવા માટે સંકલ્પ કરે છે તેમાં સફળતા તરફ દોરી જાય છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"દેશના મહેનતુ અને ઉર્જાવાન નાગરિકો રાષ્ટ્રની સૌથી મોટી શક્તિ છે, જેમની સખત મહેનત વિકાસ માટે નવા માર્ગો બનાવે છે. તેમના પ્રયાસો દેશને સમૃદ્ધિ, આત્મનિર્ભરતા અને પ્રગતિના શિખર સુધી પહોંચવામાં મદદ કરે છે.

अनिर्वेदो हि सततं सर्वार्थेषु प्रवर्तकः।

करोति सफलं जन्तोः कर्म यच्च करोति सः॥"

ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા વ્યક્તિને તેમના કાર્યોમાં સતત સક્રિય રહેવા માટે પ્રેરણા આપે છે. આ અતૂટ ઉત્સાહ વ્યક્તિ જે પણ પ્રયાસો પૂર્ણ કરવાનો સંકલ્પ કરે છે તેમાં સફળતા તરફ દોરી જાય છે.