નેપાળનાં પ્રવાસ માટે પ્રસ્થાન કરતા અગાઉ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વક્તવ્ય નીચે મુજબ છેઃ
“હું 30-31 ઓગસ્ટનાં રોજ ચોથા BIMSTEC સંમેલનમાં ભાગ લેવા માટે કાઠમંડુમાં બે દિવસનાં પ્રવાસે જઈશ.
આ શિખર સંમેલનમાં મારી ભાગીદારી ભારતનાં પડોશી દેશો પ્રત્યે સર્વોચ્ચ પ્રાથમિકતા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં પડોશી દેશોની સાથે આપણાં ગાઢ બનતાં સંબંધોની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

શિખર સંમેલનમાં મને પ્રાદેશિક સહયોગને વધારે મજબૂત બનાવવા, વેપારી સંબંધો વધારવા તથા શાંતિપૂર્ણ અને પ્રગતિશીલ બંગાળની ખાડીનાં ક્ષેત્રનું નિર્માણ કરવા માટે અમારાં સામૂહિક પ્રયાસોમાં ઝડપ લાવવા માટે BIMSTECનાં સભ્ય દેશોનાં તમામ નેતાઓ સાથે સંવાદ કરવાની તક મળશે.

શિખર સંમેલનનો વિષય છે – ‘શાંતિપૂર્ણ, સમૃદ્ધ અને ટકાઉ બંગાળની ખાડીના ક્ષેત્ર તરફ’ (Towards a Peaceful, Prosperous and Sustainable Bay of Bengal Region) આ વિષય આપણી સહિયારી આકાંક્ષાઓ પૂર્ણ કરવા અને પડકારોનું સમાધાન કરવા માટે આપણાં સંકલિત પ્રયાસોને વ્યવહારિક સ્વરૂપ પ્રદાન કરશે.

મને ખાતરી છે કે ચોથુ BIMSTEC શિખર સંમેલન, સંગઠન અંતર્ગત અત્યાર સુધી થયેલી પ્રગતિને વધારે મજબૂત બનાવશે તેમજ એક શાંતિપૂર્ણ અને સમૃદ્ધ બંગાળની ખાડીનાં ક્ષેત્રોમાં નિર્માણની રૂપરેખા નક્કી કરશે.
BIMSTEC શિખર સંમેલન દરમિયાન મને બાંગ્લાદેશ, ભૂટાન, મ્યાનમાર, શ્રીલંકા અને થાઇલેન્ડનાં રાજનેતાઓ સાથે વાતચીત કરવાની પણ તક મળશે.

હું નેપાળનાં પ્રધાનમંત્રી શ્રી કે પી શર્મા ઓલીની સાથેની મુલાકાત અને મે, 2018માં મારી અગાઉની નેપાળ યાત્રા પછી દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષાને લઈને ઉત્સાહિત છું.

પ્રધાનમંત્રી ઓલી અને મને, પશુપતિનાથ મંદિર સંકુલમાં નેપાળ-ભારત મૈત્રી ધર્મશાળાનું ઉદઘાટન કરવાનું સન્માન પ્રાપ્ત થશે.”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
From discovery of India to trust in Bharat

Media Coverage

From discovery of India to trust in Bharat
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
વિશ્વના નેતાઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ભારતના સૌથી લાંબી મુદત સુધી સતત સેવા આપનારા લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા
June 09, 2026

ભારતના સૌથી લાંબી મુદત સુધી સેવા આપનારા લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવાની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને વિશ્વના નેતાઓ તરફથી હાર્દિક અભિનંદન મળ્યા હતા. સમગ્ર વિશ્વના નેતાઓએ પ્રધાનમંત્રીના પરિવર્તનકારી શાસન, ગ્લોબલ સાઉથ (વૈશ્વિક દક્ષિણ) માટેની તેમના પ્રયાસો  અને સર્વસમાવેશી તેમજ આર્થિક રીતે ગતિશીલ ભારતના તેમના વિઝનની પ્રશંસા કરી હતી.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ અનુરા કુમારા દિસનાયકાએ પ્રધાનમંત્રીને સંબોધિત 8 જૂન 2026 ના પત્રમાં, શ્રીલંકાની સરકાર અને જનતા વતી તેમને હાર્દિક અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે: "આ સીમાચિહ્ન માત્ર તમારા શાસનના વર્ષોનું પ્રમાણ નથી, પરંતુ વિશ્વની સૌથી મોટી લોકશાહીના લોકોએ તમારા નેતૃત્વમાં વારંવાર જે વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે તેની સાબિતી છે." રાષ્ટ્રપતિએ ભારતના નોંધપાત્ર આર્થિક અને સામાજિક પરિવર્તન પર પણ પ્રકાશ પાડ્યો હતો અને નોંધ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના વિઝને શ્રીલંકા સહિત ભારતની સરહદોની બહાર પણ ઘણા લોકોને પ્રેરિત કર્યા છે. પ્રધાનમંત્રી મોદીએ 4-6 એપ્રિલ 2025 દરમિયાન શ્રીલંકાની મુલાકાત લીધી હતી, જે આ ટાપુ રાષ્ટ્રની તેમની ચોથી મુલાકાત હતી, જે દરમિયાન તેમને વિદેશી મહાનુભાવને આપવામાં આવતું શ્રીલંકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'મિત્ર વિભૂષણ' એનાયત કરવામાં આવ્યું હતું. આ મુલાકાતે ભારતની 'નેબરહુડ ફર્સ્ટ' (પાડોશી પ્રથમ) ની નીતિનો પુનરોચ્ચાર કર્યો હતો, જેમાં શ્રીલંકા ભારતની અડીખમ ભાગીદારીના સૌથી નજીકના લાભાર્થીઓમાં સામેલ છે, જેમાં 2022 માં શ્રીલંકાની આર્થિક મુશ્કેલીઓ દરમિયાન ભારત દ્વારા આપવામાં આવેલો મહત્વપૂર્ણ સહયોગ પણ સામેલ છે.

પાપુઆ ન્યૂ ગિનીના પ્રધાનમંત્રી મહામહિમ જેમ્સ મરાપેએ એક વ્યક્તિગત વીડિયો સંદેશમાં પ્રધાનમંત્રી મોદીને "એક રોલ મોડેલ અને નેતૃત્વનું ઉદાહરણ" ગણાવ્યા હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે - "200 મિલિયન (20 કરોડ) થી વધુ લોકોને ગરીબીમાંથી બહાર લાવીને આજે સારું જીવન પ્રદાન કરવું એ એક અદ્ભુત સિદ્ધિ છે." પ્રધાનમંત્રી મરાપેએ પાપુઆ ન્યૂ ગિનીની ઉષ્માભરી મિત્રતા અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાની તેની ઈચ્છા વ્યક્ત કરી હતી. મે 2023 માં ત્રીજી ફોરમ ફોર ઇન્ડિયા-પેસિફિક આઇલેન્ડ્સ કોઓપરેશન (FIPIC-III) સમિટ માટે પ્રધાનમંત્રી મોદીની પાપુઆ ન્યૂ ગિનીની ઐતિહાસિક મુલાકાત, જે કોઈપણ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા લેવાયેલી સૌપ્રથમ મુલાકાત હતી, તે પ્રશાંત મહાસાગરના ટાપુ રાષ્ટ્રો સાથે ભારતના જોડાણમાં એક સીમાચિહ્નરૂપ ક્ષણ હતી. આ મુલાકાતે ગ્લોબલ સાઉથના એક પ્રતિબદ્ધ ભાગીદાર તરીકે ભારતની ભૂમિકાને રેખાંકિત કરી હતી.

ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી મહામહિમ કમલા પ્રસાદ-બિસેસરે આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવતા નોંધ્યું હતું કે "પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ ભારત વૈશ્વિક બાબતોમાં એક અગ્રણી અવાજ તરીકે ઉભરી આવ્યું છે." તેમણે પ્રધાનમંત્રી મોદીની એક નમ્ર શરૂઆતથી લઈને ત્રણ ટર્મ સુધી 1.4 અબજ લોકોના દેશનું નેતૃત્વ કરવા સુધીની સફર પર પ્રકાશ પાડ્યો હતો, અને વિદેશ નીતિ, આર્થિક વૃદ્ધિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સામાજિક-આર્થિક વિકાસમાં ભારતની નોંધપાત્ર સિદ્ધિઓને રેખાંકિત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ 3-4 જુલાઈ 2025 દરમિયાન ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી હતી, જે 26 વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી, જે ત્રિનિદાદ અને ટોબેગોમાં ભારતીય પ્રવાસીઓના આગમનની 180મી વર્ષગાંઠ સાથે સુસંગત હતી.