પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં નવનિર્મિત વેસ્ટર્ન કોર્ટ એનેક્સીનું લોકાર્પણ કર્યું હતું. આ ભવન સાંસદો માટે અવરજવર દરમિયાન રોકાવાની સગવડ પૂરી પાડશે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ આ યોજના પૂર્ણ કરવા માટે યોગ્ય પ્રયાસો કરવા બદલ લોકસભાનાં અધ્યક્ષ શ્રીમતી સુમિત્રા મહાજનની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, શ્રીમતી સુમિત્રા મહાજન સાંસદોની સુવિધાનો હંમેશા ખ્યાલ રાખે છે. તેમણે કહ્યું હતું કે, આ પ્રોજેક્ટમાં તેમણે ઝીણામાં ઝીણી બાબતો પર ધ્યાન આપ્યું છે, જે તેમના ખંતને પ્રતિબિંબિત કરે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પ્રોજેક્ટ નિશ્ચિત સમય અને ખર્ચની મર્યાદાની અંદર પૂર્ણ થઈ ગયો છે. તેમણે પ્રોજેક્ટનાં નિર્માણમાં સંકળાયેલા તમામ લોકોને અભિનંદન પાઠવ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે નવા સાંસદો ચૂંટાય છે, ત્યારે તેમણે હોટેલમાં રહેવું પડે છે અને આ બાબતો હેડલાઇન બને છે. જોકે તેમણે કહ્યું હતું કે, આ સમાચારોમાં અગાઉનાં સાંસદો નિશ્ચિત સમયથી વધારે સમય સુધી સરકારી બંગલાનો કબજો જમાવીને બેઠા હોય છે એ વાતનો ઉલ્લેખ ઘણી વખત હોતો નથી.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ડૉ. બાબાસાહેબ આંબેડકરે દર્શાવેલા માર્ગને અનુસરી રહી છે, ડૉ. આંબેડકરનાં આદર્શોનાં હાર્દમાં સંવાદિતા અને સમન્વય હતો, ગરીબમાં ગરીબ વ્યક્તિની સેવા કરવી સરકારનું અભિયાન છે.

પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, નવી દિલ્હીમાં 26 અલીપુર રોડ પર બાબાસાહેબ આંબેડકરનાં સ્મારકનું લોકાર્પણ 13 એપ્રિલનાં રોજ – તેમની જન્મજયંતિની પૂર્વસંધ્યાએ થશે. આ ઘરમાં તેમણે અંતિમ શ્વાસ લીધાં હતાં. તેમણે ડૉ. આંબેડકરનાં નામે કેટલાંક ચોક્કસ લોકો દ્વારા રમાતા રાજકારણને વખોડી કાઢ્યું હતું.

Click here to read full text speech

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Republic Day sales see fastest growth in five years on GST cuts, wedding demand

Media Coverage

Republic Day sales see fastest growth in five years on GST cuts, wedding demand
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam emphasising on peace and contentment
January 27, 2026

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam emphasising on peace and contentment :

"शान्तितुल्यं तपो नास्ति न सन्तोषात् परं सुखम्।

न तृष्णायाः परो व्याधिर्न च धर्मो दयापरः।।”

The Subhashitam conveys that, there is no endeavour nobler than peace, no pleasure bigger than contentment, no disease worse than greed and no duty higher than compassion.

The Prime Minister wrote on X;

“शान्तितुल्यं तपो नास्ति न सन्तोषात् परं सुखम्।

न तृष्णायाः परो व्याधिर्न च धर्मो दयापरः।।”