પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોરિયામાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું.

 

ભારતીય સમુદાયે તેમને સિઓલમાં ઉષ્માસભર આવકાર આપ્યો હતો, જે બદલ તેમણે ભારતીય સમુદાયનાં સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

તેમણે જણાવ્યું હતું કે, ભારત અને કોરિયા વચ્ચેનાં સંબંધો ફક્ત વ્યાવસાયિક સંપર્કો પર આધારિત નથી. બંને દેશો વચ્ચેનાં સંબંધોનો મુખ્ય આધાર લોકો વચ્ચેનો સીધો સંપર્ક છે.

 

પ્રધાનમંત્રીએ ભારત અને કોરિયા વચ્ચે સદીઓ જૂનાં જોડાણનો સંદર્ભ ટાંક્યો હતો તથા કોરિયાનાં રાજા સાથે લગ્ન કરવા મહારાણી સૂર્યરત્નાએ અયોધ્યાથી હજારો કિલોમીટરની સફર કરી હતી એ પ્રસંગને યાદ કર્યો હતો. તેમણે એ બાબત પણ યાદ કરી હતી કે તાજેતરમાં દિવાળીનાં પ્રસંગે કોરિયાનાં પ્રથમ મહિલા કિમ જૂંગ-સૂકે અયોધ્યાની મુલાકાત લીધી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે બૌદ્ધ સંપ્રદાયે મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ ગાઢ બનાવ્યા હતાં.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય સમુદાય કોરિયામાં વિકાસ, સંશોધન અને નવીનતામાં પ્રદાન કરી રહ્યો છે એ જાણીને તેમને આનંદ થયો છે.

 

તેમણે કોરિયામાં યોગ અને ભારતીય તહેવારોની લોકપ્રિયતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોરિયામાં ભારતીય વાનગીઓ અને વ્યંજનો ઝડપથી લોકપ્રિયતા પણ હાંસલ કરી રહ્યાં છે. તેમણે એશિયન ગેમ્સમાં ભારતીય રમત-કબડ્ડીમાં કોરિયાનાં ઉત્કૃષ્ટ પ્રદર્શન વિશે પણ વાત કરી હતી.

 

પ્રધાનમંત્રીએ દુનિયાભરમાં વસતાં ભારતીય સમુદાયનાં સભ્યોને ભારતનાં પ્રતિનિધિઓ ગણાવ્યાં હતાં, જેમની આકરી મહેનત અને શિસ્તથી દુનિયામાં ભારતની પ્રતિષ્ઠામાં વધારો થયો છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત ચાલુ વર્ષે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, દુનિયાએ બાપૂ વિશે જાણવું જોઈએ અને એમનાં જીવનકવન વિશે દુનિયાને જણાવવાની આપણી જવાબદારી છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કોરિયા સાથે ભારતનો સંબંધ ગાઢ બની રહ્યો છે અને બંને દેશો વિસ્તારમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સંયુક્તપણે કાર્યરત છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો, ભારતની વિવિધ બ્રાન્ડ હવે કોરિયામાં જોવા મળે છે અને કોરિયાની વિવિધ બ્રાન્ડ ભારતમાં ઘરે-ઘરે જાણીતી છે.

 

પ્રધાનમંત્રીએ તાજેતરમાં ભારતમાં થયેલા આર્થિક વિકાસની વિગતવાર વાત કરી હતી.

 

તેમણે જણાવ્યુ હતું કે, ભારત ટૂંક સમયમાં 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની જશે.

 

તેમણે વેપાર વાણિજ્યને સરળ બનાવવા અને જીવનને સરળ બનાવવામાં અભૂતપૂર્વ પ્રગતિ વિશે વાત કરી હતી. તેમણે જીએસટી (ચીજવસ્તુઓ અને સેવા વેરા) અને કેશલેસ અર્થતંત્ર જેવા સુધારાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

 

તેમણે ઉલ્લેખ કર્યો હતો કે દુનિયા ભારતમાં નાણાકીય સમાવેશનની ક્રાંતિ જોઈ રહી છે. આ સંદર્ભમાં તેમણે બેંક ખાતાઓ, વીમો અને મુદ્રા લોન વિશે વાત કરી હતી.

 

તેમણે જણાવ્યું હતું કે, કેટલીક સફળતાઓને કારણે ભારતની પ્રતિષ્ઠામાં વધારો થયો છે. તેમણે ગરીબો માટે નિઃશુલ્ક સારવાર, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ડિજિટલ ઇન્ડિયાનો ઉલ્લેખ કર્યો હતો.

 

 

પ્રધાનમંત્રીએ સ્વચ્છ ઊર્જાનાં ક્ષેત્રમાં ભારતનાં વિકાસ અને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની રચના વિશે પણ વાત કરી હતી.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે ભારતમાં નવી ઊર્જા જોવા મળે છે. તેમણે એવો ઉલ્લેખ પણ કર્યો હતો કે, આવતીકાલે તેઓ ભારતનાં લોકો અને વિદેશમાં વસતાં ભારતીય સમુદાય વતી સિઓલ પીસ પ્રાઇઝ પ્રાપ્ત કરશે.

 

પ્રધાનમંત્રીએ પ્રયાગરાજમાં ચાલતાં કુંભ મેળાની વાત કરી હતી અને કહ્યું હતું કે, દુનિયા ચાલુ કુંભ મેળામાં જાળવવામાં આવેલી સ્વચ્છતા વિશે વાતો કરી રહી છે. તેમણે ભારતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા અંગત પ્રયાસો કરવા બદલ ભારતીય સમુદાયની પ્રશંસા કરી હતી.

 

Click here to read full text speech

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s data centre boom: Mumbai cracks global top 15, Hyderabad pipeline set to surge 15x

Media Coverage

India’s data centre boom: Mumbai cracks global top 15, Hyderabad pipeline set to surge 15x
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રી 27મી ઓગસ્ટે ખેલો ઈન્ડિયા ડાયલોગમાં યુવાનોને સંબોધિત કરશે
August 26, 2026
ખેલો ઈન્ડિયા ડાયલોગ રમતગમત, યુવા નેતૃત્વ, નાગરિક જવાબદારી, સ્વયંસેવા, ફિટનેસ અને રાષ્ટ્ર નિર્માણને એક સામાન્ય મંચ પર લાવશે
ખેલો ઈન્ડિયા ડાયલોગ અંતર્ગત યુવા સંવાદ પાંચ મુખ્ય થીમ પર ધ્યાન કેન્દ્રિત કરશે: રમતગમત, ઓલિમ્પિક આકાંક્ષાઓ, યુવા નેતૃત્વ, વિકસિત ભારત અને નશા મુક્ત યુવા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27મી ઓગસ્ટે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ખેલો ઈન્ડિયા ડાયલોગને સંબોધિત કરશે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય યુવાનોને ભારતની રમતગમતની યાત્રા સાથે જોડાવા, તેમની આકાંક્ષાઓ શેર કરવા અને મજબૂત યુવા સંચાલિત વિકસિત ભારત માટે વિચારોનું યોગદાન આપવામાં મદદ કરવાનો છે.

રાષ્ટ્રીય રમતગમત દિવસ 2026ની ઉજવણીના ભાગરૂપે મેરા યુવા ભારત (MY Bharat) દ્વારા આયોજિત આ કાર્યક્રમ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના દરેક જિલ્લાની બે કોલેજોમાં યુવાનોની ભાગીદારી સાથે દેશભરમાં યોજાશે. રાષ્ટ્રીય વિકાસ એજન્ડાના કેન્દ્રમાં યુવાનોની આકાંક્ષાઓને રાખીને ફિટ, શિસ્તબદ્ધ અને રમતગમત ધરાવતા રાષ્ટ્રના નિર્માણના પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

દેશવ્યાપી ખેલો ઈન્ડિયા ડાયલોગ રમતગમત, યુવા નેતૃત્વ, નાગરિક જવાબદારી, સ્વયંસેવા, ફિટનેસ અને રાષ્ટ્ર નિર્માણને એક સામાન્ય મંચ પર લાવશે. તે યુવાનોને દેશની રમતગમતની આકાંક્ષાઓ સાથે સીધા જોડાવા માટે એક માધ્યમ પૂરું પાડશે, જ્યારે તેમના વિચારો અને દ્રષ્ટિકોણ ભારતની યુવા અને રમતગમત ઈકોસિસ્ટમ પર સતત ચાલતી ચર્ચાનો ભાગ બને તે સુનિશ્ચિત કરશે.

રાષ્ટ્રીય કાર્યક્રમ બાદ યુવા પ્રતિભાગીઓ, માય ભારત સ્વયંસેવકો, સ્થાનિક ખેલાડીઓ અને જનપ્રતિનિધિઓને આવરી લેતી સ્થાનિક ક્રિયાપ્રતિક્રિયાઓ થશે. આ પહેલની એક મુખ્ય વિશેષતા રમતગમતમાં રસ ધરાવતા યુવાનો અને ભારતના અગ્રણી ખેલાડીઓ તથા મેડલ વિજેતાઓ વચ્ચે સીધો સંવાદ હશે. કાર્યક્રમની એક મધ્યસ્થ વિશેષતા યુવા સંવાદ હશે જ્યાં યુવા પ્રતિભાગીઓને તેમના પોતાના વિચારો, દ્રષ્ટિકોણ અને આકાંક્ષાઓ વ્યક્ત કરવા માટે આમંત્રિત કરવામાં આવશે. આ સંવાદ પાંચ થીમની આસપાસ રચાયેલ હશે:

  • વધુ સારી સુવિધાઓ, કોચિંગ, સ્પોર્ટ્સ સાયન્સ અને સમાવેશી ભાગીદારી દ્વારા ભારતની રમતગમત ઈકોસિસ્ટમમાં સુધારો કરવો;
  • વૈજ્ઞાનિક ક્ષમતા ઓળખ, પારદર્શક પસંદગી અને લાંબા ગાળાના એથલીટ વિકાસ દ્વારા 2036 ઓલિમ્પિક માટે પ્રતિભાને પોષવી;
  • ગવર્નન્સ પ્લેટફોર્મ્સ અને માય ભારતની આગેવાની હેઠળની સ્વયંસેવા દ્વારા યુવા નેતાઓ તૈયાર કરવા;
  • નાગરિક માનસિકતા, ભવિષ્ય માટે તૈયાર કૌશલ્યો અને સંરચિત સ્વયંસેવાના નિર્માણ દ્વારા વિકસિત ભારત માટે યુવાનોને સશક્ત બનાવવું;
  • નશા મુક્ત યુવા ચળવળને પ્રોત્સાહન આપવું જે નશાખોરી સામે લડવા માટે રમતગમત અને સમવયસ્ક નેટવર્કનો ઉપયોગ કરે છે, જેને 2 ઓગસ્ટ 2026ના રોજ શરૂ કરાયેલા પ્રધાનમંત્રીના 100-અઠવાડિયાના દેશવ્યાપી અભિયાન હેઠળ સાપ્તાહિક જન ભાગીદારી પ્રવૃત્તિઓ દ્વારા બળ મળે છે.