"કોઈપણ તણાવ વિના ઉત્સવના મૂડમાં પરીક્ષા આપો"
"ટેક્નોલોજીને તક તરીકે ગણો, પડકાર તરીકે નહીં"
"રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માટે પરામર્શ સંપૂર્ણ રહ્યો છે. આ અંગે ભારતભરના લોકોની સલાહ લેવામાં આવી હતી”
“20મી સદીની શિક્ષણ પ્રણાલિ અને વિચારો 21મી સદીમાં આપણી વિકાસની દિશા નક્કી કરી શકતા નથી. આપણે સમય સાથે બદલાવું જ પડશે"
“શિક્ષકો અને માતા-પિતાનાં અધૂરાં સપના વિદ્યાર્થીઓ પર લાદી શકાય નહીં. બાળકો માટે તેમનાં પોતાનાં સપનાને અનુસરવું મહત્વપૂર્ણ છે”
“પ્રેરણા માટે કોઈ ઈન્જેક્શન કે ફોર્મ્યુલા નથી. તેના બદલે, તમારી જાતને વધુ સારી રીતે શોધો અને તમને શેનાથી ખુશી મળે છે તે શોધો અને તેના પર કામ કરો”
"તમને આનંદ આવે તેવી વસ્તુઓ કરો અને ત્યારે જ તમને મહત્તમ પરિણામ મળશે"
“તમે એક ખાસ પેઢીના છો. હા, હરીફાઈ વધુ છે પણ તકો પણ વધુ છે”
"દીકરી પરિવારની તાકાત છે. જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં આપણી નારી શક્તિની ઉત્કૃષ્ટતા જોવાથી વધુ સારું શું હોઈ શકે.”
"બીજામાં રહેલા ગુણોની કદર કરવાની અને તેમની પાસેથી શીખવાની ક્ષમતાનો વિકાસ કરો"
જેમ જેમ હું તમારી સાથે જોડાઈશ તેમ મને તમારી આકાંક્ષાઓ અને સપનાઓની ઝલક મળે છે અને તે મુજબ મારાં જીવનને ઘડવાનો પ્રયત્ન કરું છું. તેથી, આ પ્રોગ્રામ મને વિકાસ કરવામાં મદદ કરી રહ્યો છે”

પરીક્ષા પે ચર્ચા (PPC)ની 5મી આવૃત્તિમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતા સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે વાર્તાલાપ પહેલા સ્થળ પર પ્રદર્શિત વિદ્યાર્થીઓનાં પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રીઓ  શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, શ્રીમતી અન્નપૂર્ણા દેવી, ડો. સુભાષ સરકાર, ડો. રાજકુમાર રંજન સિંહ અને શ્રી રાજીવ ચંદ્રશેખર આ પ્રસંગે રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને માતાપિતાની વર્ચ્યુઅલ સહભાગિતા સાથે ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ સમગ્ર વાતચીત દરમિયાન પરસ્પર, આનંદિત વાતાવરણમાં વાતચીતનો સ્વર જાળવી રાખ્યો હતો.

સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ ગયા વર્ષે વર્ચ્યુઅલ વાર્તાલાપ પછી તેમના આ યુવા મિત્રોને સંબોધિત કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે પીપીસી એ તેમનો પ્રિય કાર્યક્રમ છે. તેમણે આવતીકાલે વિક્રમ સંવતના નવાં વર્ષની શરૂઆતની નોંધ લીધી હતી અને આવનારા ઘણા તહેવારો માટે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. પ્રધાનમંત્રીએ PPCની 5મી આવૃત્તિમાં એક નવી પ્રથા રજૂ કરી હતી. તેમણે કહ્યું કે જે પ્રશ્નો તેઓ હાથ પર લઈ શક્યા નથી તે નમો એપ પર વીડિયો, ઓડિયો અથવા ટેક્સ્ટ મેસેજ દ્વારા સંબોધવામાં આવશે.

પહેલો પ્રશ્ન દિલ્હીની ખુશી જૈનનો આવ્યો હતો. બિલાસપુર, છત્તીસગઢથી, વડોદરાનાં કિની પટેલે પણ પરીક્ષાઓને લગતા તણાવ અને તંગદિલી વિશે પૂછ્યું હતું. પ્રધાનમંત્રીએ તેમને તણાવમાં ન આવવા માટે કહ્યું હતું કેમ કે આ તેમના દ્વારા આપવામાં આવેલી પ્રથમ પરીક્ષા નથી. "એક રીતે તમે પરીક્ષા-પ્રૂફ છો", એમ તેમણે કહ્યું. અગાઉની પરીક્ષાઓમાંથી મળેલો અનુભવ તેમને આવનારી પરીક્ષાઓને પાર કરવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે અભ્યાસનો અમુક ભાગ ચૂકી જવાયો હોઈ શકે છે પરંતુ તેમને તેના પર ચિંતા કે તણાવ ન કરવા જણાવ્યું હતું. તેમણે સૂચવ્યું કે તેઓએ તેમની તૈયારીની તાકાત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તેમની રોજિંદી દિનચર્યામાં હળવા અને સહજ રહેવું જોઈએ. બીજાનું અનુકરણ કરીને કંઈ પણ અજમાવવાનો કોઈ અર્થ નથી, પરંતુ તમારી દિનચર્યા સાથે રહો અને ઉત્સવની હળવાશની રીતે કામ કરો.

આગળનો પ્રશ્ન કર્ણાટકના મૈસુરુના તરુણનો હતો. તેણે પૂછ્યું કે યુટ્યુબ વગેરે જેવા ઘણા ઓનલાઈન વિક્ષેપો હોવા છતાં અભ્યાસના ઓનલાઈન મોડને કેવી રીતે આગળ વધારવું. દિલ્હીના શાહિદ અલી, કેરળના તિરુવનંતપુરમના કીર્થાના અને તમિલનાડુના કૃષ્ણાગિરીના શિક્ષક ચંદ્રચુડેશ્વરનના મનમાં પણ આ જ પ્રશ્ન હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે સમસ્યા ઓનલાઈન કે ઓફલાઈન અભ્યાસની પદ્ધતિઓમાં નથી. અભ્યાસના ઑફલાઇન મોડમાં પણ મન ખૂબ જ વિચલિત થઈ શકે છે. " માધ્યમ નહીં પરંતુ મન સમસ્યા છે", એમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું કે ભલે તે ઓનલાઈન હોય કે ઓફલાઈન જ્યારે મન અભ્યાસમાં હોય ત્યારે વિદ્યાર્થીઓને વિક્ષેપો-ખલેલ પરેશાન કરશે નહીં. તેમણે કહ્યું કે ટેકનોલોજીનો વિકાસ થશે અને વિદ્યાર્થીઓએ શિક્ષણમાં નવી ટેકનોલોજીને અપનાવવી જોઈએ. શીખવાની નવી રીતોને તક તરીકે લેવી જોઈએ, પડકાર તરીકે નહીં. ઑનલાઇન તમારા ઑફલાઇન શિક્ષણમાં વધારો કરી શકે છે. તેમણે કહ્યું કે ઓનલાઈન કલેક્શન માટે છે અને ઓફલાઈન સંવર્ધન કરવા માટે છે. તેણે ઢોસા બનાવવાનું ઉદાહરણ આપ્યું હતું. ઢોસા ઓનલાઈન બનાવતા શીખી શકાય છે પરંતુ તૈયારી અને વપરાશ ઓફલાઈન થશે. તેમણે કહ્યું કે વર્ચ્યુઅલ દુનિયામાં જીવવાની સરખામણીમાં પોતાના વિશે વિચારવામાં અને પોતાની સાથે રહેવામાં ઘણી ખુશી છે.

હરિયાણાનાં પાણીપતનાં શિક્ષિકા સુમન રાનીએ પૂછ્યું કે કેવી રીતે નવી શિક્ષણ નીતિની જોગવાઈઓ ખાસ કરીને વિદ્યાર્થીઓનાં જીવનને અને સામાન્ય રીતે સમાજમાં, સશક્ત બનાવશે અને તે કેવી રીતે નવા ભારત માટે માર્ગ મોકળો કરશે. પૂર્વ ખાસી હિલ્સ, મેઘાલયની શિલાએ પણ આ જ રીતે પૂછ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે તે 'રાષ્ટ્રીય' શિક્ષણ નીતિ છે અને 'નવી' શિક્ષણ નીતિ નથી. તેમણે જણાવ્યું હતું કે વિવિધ હિતધારકો સાથે ઘણાં વિચાર-મંથન પછી નીતિનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો. જે પોતાનામાં એક રેકોર્ડ હશે. "રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માટે પરામર્શ સંપૂર્ણ રહ્યો છે. આ અંગે સમગ્ર ભારતમાં લોકોની સલાહ લેવામાં આવી હતી. તેમણે આગળ કહ્યું, આ નીતિ સરકાર દ્વારા નહીં પરંતુ નાગરિકો, વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકો દ્વારા દેશના વિકાસ માટે બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે અગાઉ, શારીરિક શિક્ષણ અને તાલીમ અભ્યાસેતર પ્રવૃત્તિઓ હતી. પરંતુ હવે તેમને શિક્ષણનો એક ભાગ બનાવવામાં આવ્યા છે અને નવી પ્રતિષ્ઠા મેળવી રહ્યા છે. તેમણે કહ્યું કે 20મી સદીની શિક્ષણ પ્રણાલિ અને વિચારો 21મી સદીમાં આપણી વિકાસની દિશા નક્કી કરી શકતા નથી. તેમણે કહ્યું કે જો આપણે બદલાતી પ્રણાલિઓ સાથે વિકાસ નહીં કરીએ તો આપણે બાકાત રહી જઈશું અને પાછળ  રહી જઈશું. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વ્યક્તિના જુસ્સા-પૅશનને અનુસરવાની તક આપે છે. તેમણે જ્ઞાનની સાથે કૌશલ્યનાં મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ભાગરૂપે કૌશલ્યોનો સમાવેશ કરવાનું આ જ તો કારણ છે. તેમણે વિષયોની પસંદગીમાં NEP દ્વારા પૂરી પાડવામાં આવેલ સુગમતાની પણ રૂપરેખા આપી હતી. તેમણે કહ્યું કે NEPનું યોગ્ય અમલીકરણ નવી તકોનાં સ્થળો ખોલશે. તેમણે દેશભરની શાળાઓને વિદ્યાર્થીઓ દ્વારા શોધેલી નવી ટેક્નોલોજીના અમલીકરણ માટે નવા રસ્તાઓ શોધવા વિનંતી કરી હતી.

ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશનાં રોશિનીએ પૂછ્યું કે પરિણામો વિશે તેના પરિવારની અપેક્ષાઓ સાથે કેવી રીતે સામનો કરવો અને માતાપિતા દ્વારા અનુભવાય તે રીતે શિક્ષણને ગંભીરતાથી લેવું કે પછી તેને તહેવાર તરીકે માણવું. પંજાબના ભટિંડાનાં કિરણ પ્રીત કૌરે આવો જ પ્રશ્ન પૂછ્યો હતો. પ્રધાનમંત્રીએ વાલીઓ અને શિક્ષકોને વિદ્યાર્થીઓ પર તેમનાં સપના ન લાદવાં જણાવ્યું હતું. “શિક્ષકો અને માતા-પિતાનાં અધૂરાં સપના વિદ્યાર્થીઓ પર લાદી શકાય નહીં. દરેક બાળક પોતાનાં સપનાને અનુસરે તે મહત્વનું છે,” એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું. તેમણે વાલીઓ અને શિક્ષકોને અનુરોધ કર્યો કે દરેક વિદ્યાર્થીમાં કોઈને કોઈ વિશિષ્ટ ક્ષમતા હોય છે તે સ્વીકારે અને તે શોધે. તેમણે વિદ્યાર્થીને પોતાની શક્તિને ઓળખવા અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનું કહ્યું હતું.

દિલ્હીના વૈભવ કનૌજિયાએ પૂછ્યું કે જ્યારે આપણી પાસે વધુ બેકલોગ હોય ત્યારે કેવી રીતે પ્રેરિત રહેવું અને સફળ થવું. ઓડિશાના માતા-પિતા સુજીત કુમાર પ્રધાન, જયપુરનાં કોમલ શર્મા અને દોહાના એરોન એબેને પણ સમાન વિષય પર પ્રશ્ન પૂછ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું, "પ્રેરણા માટે કોઈ ઇન્જેક્શન અથવા ફોર્મ્યુલા નથી. તેના બદલે, તમારી જાતને વધુ સારી રીતે શોધો અને તમને શેનાથી ખુશી મળે છે તે શોધો અને તેના પર કામ કરો." તેમણે વિદ્યાર્થીઓને એવી વસ્તુઓ ઓળખવા કહ્યું કે જે તેમને કુદરતી રીતે પ્રોત્સાહિત કરે છે, તેમણે આ પ્રક્રિયામાં સ્વાયત્તતા પર ભાર મૂક્યો અને વિદ્યાર્થીઓને તેમની મુશ્કેલીઓ માટે સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ ન કરવા કહ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને બાળકો, દિવ્યાંગો અને પ્રકૃતિ તેમના ધ્યેયો સિદ્ધ કરવા માટે કેવી રીતે પ્રયાસ કરે છે તે માટે આસપાસનું અવલોકન કરવાની સલાહ પણ આપી હતી. "આપણે આપણી આસપાસના પ્રયત્નો અને શક્તિઓનું અવલોકન કરવું જોઈએ અને તેમાંથી પ્રેરણા લેવી જોઈએ", એમ તેમણે કહ્યું. તેમણે તેમનાં પુસ્તક એક્ઝામ વોરિયરમાંથી પણ યાદ કર્યું કે કેવી રીતે વ્યક્તિ પોતે 'પરીક્ષા'ને પત્ર લખીને અને પોતાની તાકાત અને તૈયારી સાથે પરીક્ષાને પડકારવાથી પ્રેરિત થઈ શકે છે.

ખમ્મમ, તેલંગાણાથી અનુષાએ કહ્યું કે જ્યારે શિક્ષકો તેમને શીખવે છે ત્યારે તે વિષયોને સમજે છે પરંતુ થોડા સમય પછી ભૂલી જાય છે કે તેનો સામનો કેવી રીતે કરવો. નમો એપ દ્વારા ગાયત્રી સક્સેનાએ યાદશક્તિ અને સમજણ વિશે પણ પ્રશ્ન પૂછ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે જો વસ્તુઓ સંપૂર્ણ ધ્યાન સાથે શીખવામાં આવે તો કંઈ પણ ભૂલાશે નહીં. તેમણે વિદ્યાર્થીને વર્તમાનમાં સંપૂર્ણ હાજર રહેવા જણાવ્યું હતું. વર્તમાન વિશેની આ માઇન્ડફુલનેસ તેમને વધુ સારી રીતે શીખવામાં અને યાદ રાખવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે વર્તમાન સૌથી મોટો 'વર્તમાન' છે અને જે વર્તમાનમાં જીવે છે અને તેને સંપૂર્ણ રીતે સમજે છે તે જીવનમાંથી મહત્તમ લાભ મેળવે છે. તેમણે તેમને યાદશક્તિની શક્તિનો ખજાનો રાખવા અને તેને વિસ્તારતા રહેવાનું કહ્યું. તેમણે એમ પણ કહ્યું કે વસ્તુઓને યાદ કરવા માટે સ્થિર મન સૌથી યોગ્ય છે.

ઝારખંડની શ્વેતા કુમારીએ કહ્યું કે તે રાત્રે અભ્યાસ કરવાનું પસંદ કરે છે પરંતુ તેને દિવસના સમયે અભ્યાસ કરવાનું કહેવામાં આવે છે. રાઘવ જોશીએ પણ નમો એપ દ્વારા અભ્યાસ માટે યોગ્ય સમયપત્રક વિશે પૂછ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે કોઈના પ્રયાસનાં પરિણામ અને સમય કેવી રીતે પસાર થઈ રહ્યો છે તેનું મૂલ્યાંકન કરવું સારું છે. તેમણે કહ્યું કે આઉટપુટ અને પરિણામનું વિશ્લેષણ કરવાની આ આદત એ શિક્ષણનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેમણે કહ્યું કે ઘણી વાર આપણે એવા વિષયો માટે વધુ સમય ફાળવીએ છીએ જે આપણને સરળ લાગતા હોય અને જેમાં આપણને  રસ હોય. તેમણે કહ્યું કે આ માટે 'મન, હૃદય અને શરીરની છેતરપિંડી' દૂર કરવા માટે ઇરાદાપૂર્વકના પ્રયત્નોની જરૂર છે. "તમને આનંદ થાય તેવી વસ્તુઓ કરો અને તે ત્યારે જ તમે મહત્તમ પરિણામ મેળવશો", એમ તેમણે ઉમેર્યું.

જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરનાં એરિકા જ્યોર્જે પૂછ્યું કે એવા લોકો માટે શું કરી શકાય જેઓ જાણકાર છે પરંતુ અમુક કારણોસર યોગ્ય પરીક્ષા આપી શક્યા નથી. ગૌતમ બુદ્ધ નગરના હેર ઓમ મિશ્રાએ પૂછ્યું કે તેઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની જરૂરિયાતો અને બોર્ડની પરીક્ષા માટે અભ્યાસ કેવી રીતે કરવો જોઈએ. પ્રધાનમંત્રીએ  કહ્યું કે પરીક્ષા માટે અભ્યાસ કરવો ખોટું છે. તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિ પૂરા મનથી અભ્યાસક્રમનો અભ્યાસ કરે તો વિવિધ પરીક્ષાઓથી કોઈ ફરક પડતો નથી. તેમણે કહ્યું કે વ્યક્તિએ પરીક્ષા પાસ કરવાને બદલે વિષયમાં નિપુણતા મેળવવાનું લક્ષ્ય રાખવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે રમતવીરો સ્પર્ધા માટે નહીં પરંતુ રમતગમત માટે તાલીમ લે છે. “તમે એક ખાસ પેઢીના છો. હા, ત્યાં વધુ સ્પર્ધા છે પરંતુ ત્યાં વધુ તકો પણ છે”, એમ તેમણે કહ્યું. તેમણે વિદ્યાર્થીને સ્પર્ધાને તેમના સમયની સૌથી મોટી ભેટ ગણવા કહ્યું હતું.

ગુજરાતના નવસારીનાં એક પેરન્ટ સીમા ચેતન દેસાઈએ પ્રધાનમંત્રીને ગ્રામીણ કન્યાઓનાં ઉત્થાનમાં સમાજ કેવી રીતે યોગદાન આપી શકે તે વિશે પૂછ્યું હતું. શ્રી મોદીએ કહ્યું કે જ્યારે કન્યાઓનાં શિક્ષણની અવગણના કરવામાં આવતી હતી ત્યારથી લઈને અત્યાર સુધીની પરિસ્થિતિમાં ઘણો બદલાવ આવ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે છોકરીઓનાં યોગ્ય શિક્ષણની ખાતરી કર્યા વિના કોઈ પણ સમાજ સુધરી શકે નહીં. તેમણે કહ્યું કે દીકરીઓની તકો અને સશક્તીકરણનું સંસ્થાકીયકરણ થવું જોઈએ. છોકરીઓ વધુ મૂલ્યવાન સંપત્તિ બની રહી છે અને આ પરિવર્તન આવકાર્ય છે. તેમણે કહ્યું કે આઝાદી કા અમૃત મહોત્સવનાં વર્ષમાં સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં ભારતમાં સૌથી વધુ સંસદ સભ્યો છે. "દીકરી પરિવારની તાકાત છે. જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં આપણી નારી શક્તિની ઉત્કૃષ્ટતા જોવાથી વધુ સારું બીજું શું હોઈ શકે,” એમ પ્રધાનમંત્રીએ પૂછ્યું હતું.

દિલ્હીના પવિત્ર રાવે પૂછ્યું હતું કે નવી પેઢીએ પર્યાવરણનાં સંરક્ષણમાં યોગદાન આપવા શું કરવું જોઈએ? ચૈતન્યએ તેના વર્ગ અને પર્યાવરણને સ્વચ્છ અને હરિયાળું કેવી રીતે બનાવવું તે પૂછ્યું. પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓનો આભાર માન્યો અને આ દેશને સ્વચ્છ અને હરિયાળો બનાવવાનો શ્રેય આપ્યો હતો. બાળકો ટીકાકારોને ખોટાં સાબિત કરી અને પ્રધાનમંત્રીના સ્વચ્છતાના સંકલ્પને સાચા અર્થમાં સમજ્યા. તેમણે કહ્યું કે આપણે જે પર્યાવરણનો આનંદ લઈ રહ્યા છીએ તે આપણા પૂર્વજોનાં યોગદાનને કારણે છે. એ જ રીતે, આપણે પણ ભાવિ પેઢી માટે સારું વાતાવરણ છોડવું જોઈએ. તેમણે કહ્યું કે નાગરિકોનાં યોગદાનથી જ આ શક્ય બની શકે છે. તેમણે “P3 ચળવળ” - પ્રો પ્લેનેટ પીપલ એન્ડ લાઈફસ્ટાઈલ ફોર ધ એન્વાયર્નમેન્ટ-લાઈફનાં મહત્વ પર ભાર મૂક્યો. આપણે 'ઉપયોગ કરો અને ફેંકો' કલ્ચરથી દૂર રહેવું પડશે અને ચક્રીય અર્થતંત્રની જીવનશૈલી તરફ આગળ વધવું પડશે, એમ તેમણે જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ અમૃત કાલનાં મહત્વને રેખાંકિત કર્યું જે દેશના વિકાસમાં વિદ્યાર્થીના શ્રેષ્ઠ વર્ષો સાથે મેળ ખાય છે. તેમણે પોતાની ફરજ બજાવવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે રસીકરણ કરાવીને ફરજ બજાવવા બદલ વિદ્યાર્થીઓની પ્રશંસા કરી હતી.

અંતમાં, પ્રધાનમંત્રીએ કાર્યક્રમનું સંચાલન કરનાર વિદ્યાર્થીઓને બોલાવ્યા અને તેમની કુશળતા અને આત્મવિશ્વાસની પ્રશંસા કરી હતી. તેમણે અન્યમાં ગુણોની કદર કરવાની અને તેમની પાસેથી શીખવાની ક્ષમતા વિકસાવવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો. ઈર્ષ્યાને બદલે શીખવાની વૃત્તિ હોવી જોઈએ. જીવનમાં સફળતા માટે આ ક્ષમતા મહત્વપૂર્ણ છે.

તેમણે તેમના માટે PPCનાં મહત્વને સ્વીકારીને વ્યક્તિગત નોંધ પર નિષ્કર્ષ કાઢી સમાપન કર્યું. તેમણે કહ્યું કે જ્યારે તેઓ યુવા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરે છે ત્યારે તેઓ 50 વર્ષ નાના અનુભવે છે. “હું તમારી પેઢી સાથે જોડાઈને તમારી પાસેથી શીખવાનો પ્રયત્ન કરું છું. જેમ જેમ હું તમારી સાથે જોડાઈશ તેમ મને તમારી આકાંક્ષાઓ અને સપનાઓની ઝલક મળે છે અને તે મુજબ મારાં જીવનને ઘડવાનો પ્રયત્ન કરું છું. તેથી આ પ્રોગ્રામ મને વિકાસ કરવામાં મદદ કરી રહ્યો છે. મને મારી મદદ કરવા અને વિકાસ કરવા માટે સમય આપવા બદલ હું આપ સૌનો આભાર માનું છું”, દેખીતી રીતે ઉત્સાહિત પ્રધાનમંત્રીએ સમાપન કર્યું હતું.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Why The SHANTI Bill Makes Modi Government’s Nuclear Energy Push Truly Futuristic

Media Coverage

Why The SHANTI Bill Makes Modi Government’s Nuclear Energy Push Truly Futuristic
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
‘Restoring Balance’ is a global urgency: PM Modi highlights global health challenges at WHO Global Summit on Traditional Medicine
December 19, 2025
It is India’s privilege and a matter of pride that the WHO Global Centre for Traditional Medicine has been established in Jamnagar: PM
Yoga has guided humanity across the world towards a life of health, balance, and harmony: PM
Through India’s initiative and the support of over 175 nations, the UN proclaimed 21 June as International Yoga Day; over the years, yoga has spread worldwide, touching lives across the globe: PM
The inauguration of the WHO South-East Asia Regional Office in Delhi marks another milestone. This global hub will advance research, strengthen regulation & foster capacity building: PM
Ayurveda teaches that balance is the very essence of health, only when the body sustains this equilibrium can one be considered truly healthy: PM
Restoring balance is no longer just a global cause-it is a global urgency, demanding accelerated action and resolute commitment: PM
The growing ease of resources and facilities without physical exertion is giving rise to unexpected challenges for human health: PM
Traditional healthcare must look beyond immediate needs, it is our collective responsibility to prepare for the future as well: PM

WHO के डायरेक्टर जनरल हमारे तुलसी भाई, डॉक्टर टेड्रोस़, केंद्रीय स्वास्थ्य में मेरे साथी मंत्री जे.पी. नड्डा जी, आयुष राज्य मंत्री प्रतापराव जाधव जी, इस आयोजन से जुड़े अन्य देशों के सभी मंत्रीगण, विभिन्न देशों के राजदूत, सभी सम्मानित प्रतिनिधि, Traditional Medicine क्षेत्र में काम करने वाले सभी महानुभाव, देवियों और सज्जनों !

आज दूसरी WHO Global Summit on Traditional Medicine का समापन दिन है। पिछले तीन दिनों में यहां पारंपरिक चिकित्सा के क्षेत्र से जुड़े दुनिया भर के एक्सपर्ट्स ने गंभीर और सार्थक चर्चा की है। मुझे खुशी है कि भारत इसके लिए एक मजबूत प्लेटफार्म का काम कर रहा है। और इसमें WHO की भी सक्रिय भूमिका रही है। मैं इस सफल आयोजन के लिए WHO का, भारत सरकार के आयुष मंत्रालय का और यहां उपस्थित सभी प्रतिभागियों का हृदय से आभार व्यक्त करता हूं।

साथियों,

ये हमारा सौभाग्य है और भारत के लिए गौरव की बात है कि WHO Global Centre for Traditional Medicine भारत के जामनगर में स्थापित हुआ है। 2022 में Traditional Medicine की पहली समिट में विश्व ने बड़े भरोसे के साथ हमें ये दायित्व सौंपा था। हम सभी के लिए खुशी की बात है कि इस ग्लोबल सेंटर का यश और प्रभाव locally से लेकर के globally expand कर रहा है। इस समिट की सफलता इसका सबसे बड़ा उदाहरण है। इस समिट में Traditional knowledge और modern practices का कॉन्फ्लूएंस हो रहा है। यहां कई नए initiatives भी शुरू हुए हैं, जो medical science और holistic health के future को transform कर सकते हैं। समिट में विभिन्न देशों के स्वास्थ्य मंत्रियों और प्रतिनिधियों के बीच विस्तार से संवाद भी हुआ है। इस संवाद ने ज्वाइंट रिसर्च को बढ़ावा देने, नियमों को सरल बनाने और ट्रेनिंग और नॉलेज शेयरिंग के लिए नए रास्ते खोले हैं। ये सहयोग आगे चलकर Traditional Medicine को अधिक सुरक्षित, अधिक भरोसेमंद बनाने में महत्वपूर्ण भूमिका निभाएगा।

साथियों,

इस समिट में कई अहम विषयों पर सहमति बनना हमारी मजबूत साझेदारी का प्रतिबिंब है। रिसर्च को मजबूत करना, Traditional Medicine के क्षेत्र में डिजिटल टेक्नोलॉजी का उपयोग बढ़ाना, ऐसे रेगुलेटरी फ्रेमवर्क तैयार करना जिन पर पूरी दुनिया भरोसा कर सके। ऐसे मुद्दे Traditional Medicine को बहुत सशक्त करेंगे। यहां आयोजित Expo में डिजिटल हेल्थ टेक्नोलॉजी, AI आधारित टूल्स, रिसर्च इनोवेशन, और आधुनिक वेलनेस इंफ्रास्ट्रक्चर, इन सबके जरिए हमें ट्रेडिशन और टेक्नोलॉजी का एक नया collaboration भी देखने को मिला है। जब ये साथ आती हैं, तो ग्लोबल हेल्थ को अधिक प्रभावी बनाने की क्षमता और बढ़ जाती है। इसलिए, इस समिट की सफलता ग्लोबल दृष्टि से बहुत ही अहम है।

साथियों,

पारंपरिक चिकित्सा प्रणाली का एक अहम हिस्सा योग भी है। योग ने पूरी दुनिया को स्वास्थ्य, संतुलन और सामंजस्य का रास्ता दिखाया है। भारत के प्रयासों और 175 से ज्यादा देशों के सहयोग से संयुक्त राष्ट्र द्वारा 21 जून को योग दिवस घोषित किया गया था। बीते वर्षों में हमने योग को दुनिया के कोने-कोने तक पहुंचते देखा है। मैं योग के प्रचार और विकास में महत्वपूर्ण योगदान देने वाले हर व्यक्ति की सराहना करता हूं। आज ऐसे कुछ चुनींदा महानुभावों को पीएम पुरस्कार दिया गया है। प्रतिष्ठित जूरी सदस्यों ने एक गहन चयन प्रक्रिया के माध्यम से इन पुरस्कार विजेताओं का चयन किया है। ये सभी विजेता योग के प्रति समर्पण, अनुशासन और आजीवन प्रतिबद्धता के प्रतीक हैं। उनका जीवन हर किसी के लिए प्रेरणा है। मैं सभी सम्मानित विजेताओं को हार्दिक बधाई देता हूं, अपनी शुभकामनाएं देता हूं।

साथियों,

मुझे ये जानकर भी अच्छा लगा कि इस समिट के आउटकम को स्थायी रूप देने के लिए एक महत्वपूर्ण कदम उठाया गया हैं। Traditional Medicine Global Library के रूप में एक ऐसा ग्लोबल प्लेटफॉर्म शुरू किया गया है, जो ट्रेडिशनल मेडिसिन से जुड़े वैज्ञानिक डेटा और पॉलिसी डॉक्यूमेंट्स को एक जगह सुरक्षित करेगा। इससे उपयोगी जानकारी हर देश तक समान रूप से पहुंचने का रास्ता आसान होगा। इस Library की घोषणा भारत की G20 Presidency के दौरान पहली WHO Global Summit में की गई थी। आज ये संकल्प साकार हो गया है।

साथियों,

यहां अलग-अलग देशों के स्वास्थ्य मंत्रियों ने ग्लोबल पार्टनरशिप का एक बेहतरीन उदाहरण प्रस्तुत किया है। एक साझेदार के रूप में आपने Standards, safety, investment जैसे मुद्दों पर चर्चा की है। इस संवाद से जो Delhi Declaration इसका रास्ता बना है, वो आने वाले वर्षों के लिए एक साझा रोडमैप की तरह काम करेगा। मैं इस joint effort के लिए विभिन्न देशों के माननीय मंत्रियों की सराहना करता हूं, उनके सहयोग के लिए मैं आभार जताता हूं।

साथियों,

आज दिल्ली में WHO के South-East Asia Regional Office का उद्घाटन भी किया गया है। ये भारत की तरफ से एक विनम्र उपहार है। ये एक ऐसा ग्लोबल हब है, जहां से रिसर्च, रेगुलेशन और कैपेसिटी बिल्डिंग को बढ़ावा मिलेगा।

साथियों,

भारत दुनिया भर में partnerships of healing पर भी जोर दे रहा है। मैं आपके साथ दो महत्वपूर्ण सहयोग साझा करना चाहता हूं। पहला, हम बिमस्टेक देशों, यानी दक्षिण और दक्षिण-पूर्व एशिया में हमारे पड़ोसी देशों के लिए एक Centre of Excellence स्थापित कर रहे हैं। दूसरा, हमने जापान के साथ एक collaboration शुरू किया है। ये विज्ञान, पारंपरिक पद्धितियों और स्वास्थ्य को एक साथ जोड़ने का प्रयास है।

साथियों,

इस बार इस समिट की थीम है- ‘Restoring Balance: The Science and Practice of Health and Well-being’, Restoring Balance, ये holistic health का फाउंडेशनल थॉट रहा है। आप सब एक्स्पर्ट्स अच्छी तरह जानते हैं, आयुर्वेद में बैलेन्स, अर्थात् संतुलन को स्वास्थ्य का पर्याय कहा गया है। जिसके शरीर में ये बैलेन्स बना रहता है, वही स्वस्थ है, वही हेल्दी है। आजकल हम देख रहे हैं, डायबिटीज़, हार्ट अटैक, डिप्रेशन से लेकर कैंसर तक अधिकांश बीमारियों के background में lifestyle और imbalances एक प्रमुख कारण नजर आ रहा है। Work-life imbalance, Diet imbalance, Sleep imbalance, Gut Microbiome Imbalance, Calorie imbalance, Emotional Imbalance, आज कितने ही global health challenges, इन्हीं imbalances से पैदा हो रहे हैं। स्टडीज़ भी यही प्रूव कर रही हैं, डेटा भी यही बता रहा है कि आप सब हेल्थ एक्स्पर्ट्स कहीं बेहतर इन बातों को समझते हैं। लेकिन, मैं इस बात पर जरूर ज़ोर दूँगा कि ‘Restoring Balance, आज ये केवल एक ग्लोबल कॉज़ ही नहीं है, बल्कि, ये एक ग्लोबल अर्जेंसी भी है। इसे एड्रैस करने के लिए हमें और तेज गति से कदम उठाने होंगे।

साथियों,

21वीं सदी के इस कालखंड में जीवन के संतुलन को बनाए रखने की चुनौती और भी बड़ी होने वाली है। टेक्नोलॉजी के नए युग की दस्तक AI और Robotics के रूप में ह्यूमन हिस्ट्री का सबसे बड़ा बदलाव आने वाले वर्षों में जिंदगी जीने के हमारे तरीके, अभूतपूर्व तरीके से बदलने वाले हैं। इसलिए हमें ये भी ध्यान रखना होगा, जीवनशैली में अचानक से आ रहे इतने बड़े बदलाव शारीरिक श्रम के बिना संसाधनों और सुविधाओं की सहूलियत, इससे human bodies के लिए अप्रत्याशित चुनौतियां पैदा होने जा रही हैं। इसलिए, traditional healthcare में हमें केवल वर्तमान की जरूरतों पर ही फोकस नहीं करना है। हमारी साझा responsibility आने वाले future को लेकर के भी है।

साथियों,

जब पारंपरिक चिकित्सा की बात होती है, तो एक सवाल स्वाभाविक रूप से सामने आता है। ये सवाल सुरक्षा और प्रमाण से जुड़ा है। भारत आज इस दिशा में भी लगातार काम कर रहा है। यहां इस समिट में आप सभी ने अश्वगंधा का उदाहरण देखा है। सदियों से इसका उपयोग हमारी पारंपरिक चिकित्सा प्रणालियों में होता रहा है। COVID-19 के दौरान इसकी ग्लोबल डिमांड तेजी से बढ़ी और कई देशों में इसका उपयोग होने लगा। भारत अपनी रिसर्च और evidence-based validation के माध्यम से अश्वगंधा को प्रमाणिक रूप से आगे बढ़ा रहा है। इस समिट के दौरान भी अश्वगंधा पर एक विशेष ग्लोबल डिस्कशन का आयोजन किया गया। इसमें international experts ने इसकी सुरक्षा, गुणवत्ता और उपयोग पर गहराई से चर्चा की। भारत ऐसी time-tested herbs को global public health का हिस्सा बनाने के लिए पूरी तरह कमिटेड होकर काम कर रहा है।

साथियों,

ट्रेडिशनल मेडिसिन को लेकर एक धारणा थी कि इसकी भूमिका केवल वेलनेस या जीवन-शैली तक सीमित है। लेकिन आज ये धारणा तेजी से बदल रही है। क्रिटिकल सिचुएशन में भी ट्रेडिशनल मेडिसिन प्रभावी भूमिका निभा सकती है। इसी सोच के साथ भारत इस क्षेत्र में आगे बढ़ रहा है। मुझे ये बताते हुए खुशी हो रही है कि आयुष मंत्रालय और WHO-Traditional Medicine Center ने नई पहल की है। दोनों ने, भारत में integrative cancer care को मजबूत करने के लिए एक joint effort किया है। इसके तहत पारंपरिक चिकित्सा प्रणालियों को आधुनिक कैंसर उपचार के साथ जोड़ने का प्रयास होगा। इस पहल से evidence-based guidelines तैयार करने में भी मदद मिलेगी। भारत में कई अहम संस्थान स्वास्थ्य से जुड़े ऐसे ही गंभीर विषयों पर क्लिनिकल स्टडीज़ कर रहे हैं। इनमें अनीमिया, आर्थराइटिस और डायबिटीज़ जैसे विषय भी शामिल हैं। भारत में कई सारे स्टार्ट-अप्स भी इस क्षेत्र में आगे आए हैं। प्राचीन परंपरा के साथ युवाशक्ति जुड़ रही है। इन सभी प्रयासों से ट्रेडिशनल मेडिसिन एक नई ऊंचाई की तरफ बढ़ती दिख रही है।

साथियों,

आज पारंपरिक चिकित्सा एक निर्णायक मोड़ पर खड़ी है। दुनिया की बड़ी आबादी लंबे समय से इसका सहयोग लेती आई है। लेकिन फिर भी पारंपरिक चिकित्सा को वो स्थान नहीं मिल पाया था, जितना उसमें सामर्थ्य है। इसलिए, हमें विज्ञान के माध्यम से भरोसा जीतना होगा। हमें इसकी पहुंच को और व्यापक बनाना होगा। ये जिम्मेदारी किसी एक देश की नहीं है, ये हम सबका साझा दायित्व है। पिछले तीन दिनों में इस समिट में जो सहभागिता, जो संवाद और जो प्रतिबद्धता देखने को मिली है, उससे ये विश्वास गहरा हुआ है कि दुनिया इस दिशा में एक साथ आगे बढ़ने के लिए तैयार है। आइए, हम संकल्प लें कि पारंपरिक चिकित्सा को विश्वास, सम्मान और जिम्मेदारी के साथ मिलकर के आगे बढ़ाएंगे। एक बार फिर आप सभी को इस समिट की मैं बहुत-बहुत बधाई देता हूं। बहुत-बहुत धन्यवाद।