પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 એપ્રિલ, 2021ના રોજ મધ્યાહ્ન 12 વાગ્યે નવી દિલ્હીમાં જનપથ ખાતેના આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં ‘ઉત્કલ કેસરી’ ડો. હરેકૃષ્ણ મહતાબ દ્વારા લિખિત ‘ઓડિશા ઈતિહાસ’ પુસ્તકના હિન્દી અનુવાદનું વિમોચન કરશે. આ પુસ્તક ઓડિયા અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે, જેનો અનુવાદ શ્રી શંકરલાલ પુરોહિત દ્વારા કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ભર્તૃહરી મહતાબ, સાંસદ (એલએસ), કટક પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. હિન્દી સંસ્કરણના વિમોચનના આ કાર્યક્રમનું આયોજન હરેકૃષ્ણ મહતાબ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે.

લેખક વિશે

ડો. હરેકૃષ્ણ મહતાબ ભારતની આઝાદીની ચળવળનું નોંધપાત્ર વ્યક્તિત્વ રહ્યા હતા. તેમણે 1946થી 1950 સુધી અને 1956થી 1961 સુધી ઓડિશાના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તેમણે 194-1945 દરમિયાન જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી જેલવાસ ભોગવ્યો એ અહમદનગર ફોર્ટ જેલમાં ‘ઓડિશા ઈતિહાસ’ પુસ્તક લખ્યું હતું.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Why Amazon, Microsoft, Google are pouring $57 billion to build AI infrastructure in India

Media Coverage

Why Amazon, Microsoft, Google are pouring $57 billion to build AI infrastructure in India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Governor of Gujarat meets the Prime Minister
June 25, 2026

Governor of Gujarat, Shri Acharya Devvrat met with the Prime Minister Shri Narendra Modi, today.

The Prime Minister posted on X;

Governor of Gujarat, Shri @ADevvrat met Prime Minister @narendramodi today.