In 2018, the world's largest health insurance scheme 'Ayushman Bharat' was launched, every village of the country got electricity: PM Modi #MannKiBaat
Our festivals represent 'Unity in Diversity' and 'Ek Bharat, Shreshtha Bharat': PM Modi during #MannKiBaat
The global importance that Kumbh holds is very well exemplified from the fact that UNESCO has described it as ‘Intangible Cultural Heritage of Humanity': PM during #MannKiBaat
Kumbh in itself is grand in nature. It is divine as well as beautiful: PM Modi during #MannKiBaat
This time, every devotee will be able to offer prayers at Akshay Vat after the holy bath in the Sangam: Prime Minister Modi during #MannKiBaat
Pujya Bapu’s connect with South Africa is unbreakable. It was in South Africa, where Mohan became the 'Mahatma': Prime Minister Modi #MannKiBaat
Mahatma Gandhi had started his first Satyagraha in South Africa and he stood against the discrimination based on the colour of one's skin: PM #MannKiBaat
Sardar Patel dedicated his entire life towards uniting India. He devoted every moment of his life to protect the nation's integrity: PM Modi during #MannKiBaat
Guru Gobind Singh Ji was born in Patna, His karmabhoomi was North India and He sacrificed His life in Maharashtra’s Nanded: PM during #MannKiBaat
Guru Gobind Singh Ji calm but whenever, an attempt was made to suppress the voice of the poor and the weak, then Guru Gobind Singh Ji raised his voice and stood firmly with the poor: PM #MannKiBaat
Guru Gobind Singh Ji always used to say that strength cannot be demonstrated by fighting weak sections: PM Modi #MannKiBaat

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. વર્ષ 2018 પૂરૂં થઇ રહ્યું છે. આપણે વર્ષ 2019માં પ્રવેશ કરવાના છીએ. સ્વાભાવિક જ, આવા વખતે વીતેલા વર્ષની વાતોની ચર્ચા થતી હોય છે તો સાથે આવનારા વર્ષના સંકલ્પની પણ ચર્ચા સંભળાય છે. પછી તે વ્યક્તિનું જીવન હોય, સમાજનું જીવન હોય, રાષ્ટ્રનું જીવન હોય- દરેકે પાછળ વળી જોવાનું પણ હોય છે અને આગલની તરફ જેટલું દૂર સુધી જોઇ શકે, જોવાનો પ્રયાસ પણ કરવાનો હોય છે અને ત્યારે અનુભવોનો લાભ પણ મળે છે અને નવું કરવાનો આત્મવિશ્વાસ પણ જન્મે છે. આપણે એવું શું કરીએ જેનાથી પોતાના જીવનમાં પરિવર્તન લાવી શકીએ અને સાથોસાથ દેશ અને સમાજને આગળ વધારવામાં પોતાનું યોગદાન દઇ શકીએ. તમને બધાને વર્ષ 2019ની ઘણી બધી શુભકામનાઓ. તમે બધાએ વિચાર્યું હશે કે, વર્ષ 2019ને કેવી રીતે યાદ રાખવું. 2019ને ભારત એક દેશના રૂપમાં, તેની એકસો ત્રીસ કરોડની જનતાના સામર્થ્યના રૂપમાં કેવી રીતે યાદ રાખશે – તે યાદ કરવું પણ મહત્વપૂર્ણ છે. તે આપણને બધાને ગૌરવ અપાવનારૂં છે.

2018માં, વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના “આયુષમાન ભારત”ની શરૂઆત થઇ. દેશના દરેક ગામ સુધી વીજળી પહોંચી ગઇ. વિશ્વની ગણમાન્ય સંસ્થાઓએ માન્યું છે કે, ભારત વિક્રમી ગતિની સીથે, દેશને ગરીબીમાંથી મુક્તિ અપાવી રહ્યું છે. દેશવાસીઓના અડગ સંકલ્પથી સ્વચ્છતા કવરેજ વધીને 95 ટકાને પાર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

સ્વતંત્રતા પછી લાલ કિલ્લા પરથી પહેલીવાર, આઝાદ હિન્દ સરકારની 75મી વર્ષગાંઠ પર તિરંગો ફરકાવાયો. દેશને એકતાના સૂત્રમાં પરોવનાર, સરદાર વલ્લભભાઇ પટેલના સન્માનમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા “Statue of Unity” દેશને મળી. દુનિયામાં દેશનું નામ ઊંચું થયું. દેશને સંયુક્ત રાષ્ટ્રનો સર્વોચ્ચ પર્યાવરણ પુરસ્કાર “Champions of the Earth” એવોર્ડથી સન્માનિત કરાયો. સૌર ઊર્જા અને કલાઇમેન્ટ ચેન્જમાં ભારતના પ્રયાસોને વિશ્વમાં સ્થાન મળ્યું. ભારતમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની પહેલી મહાસભા “International Solar Alliance” નું આયોજન થયું. આપણા સામૂહિક પ્રયાસોનું જ પરિણામ છે કે આપણા દેશની Ease of Doing Business Ranking માં અભૂતપૂર્વ સુધારો થયો છે. દેશના સ્વરક્ષણને નવી મજબૂતી મળી છે. આ વર્ષે આપણા દેશે સફળતાપૂર્વક Nuclear Triad ને પૂરૂં કર્યું છે, એટલે હવે આપણે જળ, સ્થળ અને નભ ત્રણેયમાં પરમાણુ શક્તિ સંપન્ન બની ગયા છીએ. દેશની દીકરીઓએ નાવિકા સાગર પરિક્રમાના માધ્યમથી સમગ્ર વિશ્વનું ભ્રમણ કરી દેશને ગર્વ અપાવ્યો છે. વારાણસીમાં ભારતના પહેલા જળમાર્ગની શરૂઆત થઇ. તેનાથી Water Ways ના ક્ષેત્રમાં નવી ક્રાંતિના સૂત્રપાત થયો છે. દેશના સૌથી લાંબા રેલ – રોડ પૂલ બોગીબિલ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. સિક્કિમના પહેલા અને દેશના સો મા એરપોર્ટ – પાકયોંગની શરૂઆત થઇ. અંડર-19 ક્રિકેટ વિશ્વ કપ અને Blind ક્રિકેટ વિશ્વકપમાં ભારતે જીત મેળવી. આ વખતે એશિયાઇ રમતોમાં ભારતે મોટી સંખ્યામાં ચંદ્રકો જીત્યા. પેરા એશિયન ગેમ્સમાં પણ ભારતે ઘણું સારૂં પ્રદર્શન કર્યું છે. આમ, જો હું દરેક ભારતીયના પુરૂષાર્થની, આપણા સામૂહિક પ્રયાસોની વાતો કરતો રહું, તો આપણી “મન કી બાત” એટલી લાંબી ચાલશે કે કદાચ 2019 આવી જશે. આ બધું 130 કરોડ દેશવાસીઓના અથાગ પ્રયાસોથી સંભવ થઇ શક્યું છે. મને આશા છે કે, 2019માં પણ ભારતની ઉન્નતિ અને પ્રગતિની આ યાત્રા આમ જ ચાલુ રહેશે અને આપણો દેશ વધુ મજબૂતી સાથે નવી ઊંચાઇઓને આંબી શકશે.

મારા પ્રિય દેશવાસીઓ, આ ડિસેમ્બરમાં આપણે કેટલાક અસાધારણ દેશવાસીઓને ગુમાવી દીધા. 19 ડિસેમ્બરે ચેન્નાઇના ડૉકટર જયાચંદ્રનનું નિધન થઇ ગયું. ડોકટર જયાચંદ્રનને પ્રેમથી લોકો “મક્કલ મારૂથુવર” કહેતા હતા કારણ કે, તેઓ જનતાના હૃદયમાં વસેલા હતા. ડોકટર જયાચંદ્રન ગરીબોને સસ્તામાં સસ્તી સારવાર આપવા માટે જાણીતા હતા. લોકો કહે છે કે, તેઓ દર્દીની સારવાર માટે હંમેશા તત્પર રહેતા હતા. પોતાની પાસે સારવાર માટે આવતા વૃદ્ધ દર્દીઓને તેઓ આવવા – જવાનું ભાડું પણ આપતા હતા. મેં thebetterindia.com વેબસાઇટ પર સમાજને પ્રેરણા આપનારા તેમનાં અનેક આવાં કાર્યો વિશે વાંચ્યું છે.

આ જ રીતે, 25 ડિસેમ્બરે કર્ણાટકનાં સુલાગિટ્ટી નરસમ્માના નિધનની જાણકારી મળી. સુલાગિટ્ટી નરસમ્મા ગર્ભવતી માતા-બહેનોને પ્રસવમાં મદદ કરનારા સહાયિકા હતા. તેમણે કર્ણાટકમાં, ખાસ કરીને, ત્યાંના દુર્ગમ વિસ્તારોમાં હજારો માતાઓ-બહેનોને પોતાની સેવા આપી. આ વર્ષની શરૂઆતમાં તેમને “પદ્મશ્રી” થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ડોકટર જયાચંદ્રન અને સુલાગિટ્ટી નરસમ્મા જેવાં અનેક પ્રેરક વ્યક્તિત્વ છે, જેમણે સમાજમાં બધાંની ભલાઇ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. જ્યારે આપણે આરોગ્ય કાળજીની વાત કરીએ છીએ તો હું અહીં ઉત્તરપ્રદેશના બિજનૌરમાં ડોકટરોના સામાજિક પ્રયાસો વિશે પણ ચર્ચા કરવા ઇચ્છીશ. ગત દિવસોમાં અમારા પક્ષના કેટલાક કાર્યકર્તાઓએ મને કહ્યું કે, શહેરના કેટલાક યુવા ડોકટરો કેમ્પ લગાવીને ગરીબોને નિઃશુલ્ક ઉપચાર કરે છે. અહીંના Heart Lungs Critical Centralની તરફથી દર મહિને આવા મેડિકલ કેમ્પ લગાવવામાં આવે છે. જયાં અનેક પ્રકારની બિમારીઓની મફત તપાસ અને ઇલાજની વ્યવસ્થા થાય છે. આજે દર મહિને સેંકડો ગરીબ દર્દીઓ આ કેમ્પથી લાભાન્વિત થઇ રહ્યા છે. નિઃસ્વાર્થ ભાવથી સેવામાં જોડાયેલા આ ડોકટર મિત્રોનો ઉત્સાહ સાચે જ પ્રશંસાને પાત્ર છે. આજે હું આ વાત ખૂબ જ ગર્વથી કહેવા જઇ રહ્યો છું કે સામૂહિક પ્રયાસોના કારણે “સ્વચ્છ ભારત મિશન” એક સફળ અભિયાન બની ગયું છે. મને કેટલાક લોકોએ જણાવ્યું કે, કેટલાક દિવસ પહેલાં મધ્યપ્રદેશના જબલપુરમાં એક સાથે ત્રણ લાખથી વધુ લોકો સફાઇ અભિયાનમાં જોડાયા. સ્વચ્છતાના આ મહાયજ્ઞમાં નગરપાલિકા, સ્વયંસેવી સંગઠન, સ્કૂલ કોલેજના વિદ્યાર્થી, જબલપુરની જનતા જનાર્દન, બધા લોકોએ હોંશપૂર્વક ભાગ લીધો. મેં હમણાં જ thebetterindia.com નો ઉલ્લેખ કર્યો હતો, જયાં મને ડો.જયાચંદ્રન વિશે વાંચવા મળ્યું અને જ્યારે તક મળે ત્યારે thebetterindia.com પર જઇને આવી પ્રેરક ચીજોને જાણવાનો પ્રયાસ કરતો રહું છું. મને આનંદ છે કે, આજકાલ આવી અનેક વેબસાઇટ છે કે જે આવા વિચક્ષણ લોકોના જીવનથી પ્રેરણા આપતી અનેક કથાઓથી આપણને પરિચિત કરાવી રહી છે. જેમ thepositiveindia.com સમાજમાં સકારાત્મકતા ફેલાવવા અને સમાજને વધુ સંવેદનશીલ બનાવવાનું કામ કરી રહી છે. આ રીતે yourstory.comની તેના પર યુવાન શોધકો અને સાહસિકોની સફળતાની વાતને સરસ રીતે મૂકાય છે. આ રીતે sanskritbharati.in ના માધ્યમથી તમે ઘરે બેઠાં સરળ રીતે સંસ્કૃત શીખી શકો છો. શું આપણે એક કામ કરી શકીએ – આવી વેબસાઇટ વિશે પરસ્પર માહિતીનું આદાનપ્રદાન કરીએ. સકારાત્મકતાને સાથે મળીને viral કરીએ. મને વિશ્વાસ છે કે, આમાં વધુમાં વધુ લોકો સમાજમાં પરિવર્તન લાવનારા આપણા નાયકો વિશે જાણી શકશે.

નકારાત્મકતા ફેલાવવી સરળ હોય છે પરંતુ સમાજમાં આપણી આસપાસ ઘણાં સારા કામો થઇ રહ્યાં છે અને તે બધાં 130 કરોડ ભારતવાસીઓના સામૂહિક પ્રયાસોથી થઇ રહ્યાં છે. દરેક સમાજમાં રમતગમતનું આગવું મહત્વ હોય છે. જ્યારે રમતો રમાય છે ત્યારે પ્રેક્ષકોનાં મન પણ ઊર્જાથી ભરાઇ જાય છે. ખેલાડીઓનાં નામ, ઓળખ, સન્માન ઘણી બધી ચીજોનો આપણે અનુભવ, કરીએ છીએ. પરંતુ ક્યારેક ક્યાકેર તેની પાછળની ઘણી બધી વાતો એવી હોય છે જે રમતગમતથી પણ આગળ વધીને એવી હોય છે જે રમતજગતથી પણ આગળ વધીને હોય છે, ઘણી મોટી હોય છે. હું કાશ્મીરની એક દીકરી હનાયા વિસાર વિશે વાત કરવા માંગું છું. જેણે કોરિયામાં કરાટે ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. હનાયા 12 વર્ષની છે અને કાશ્મીરના અનંતનાગરની રહેવાસી છે. હનાયાએ મહેનત અને લગનથી કરાટેનો અભ્યાસ કર્યો અને તેનું ઝીણવટભર્યું અવલોકન કરી પોતાને સાબિત કરી બતાવી. સમસ્ત દેશવાસીઓ વતી તને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવું છું. હનાયાને ઘણી બધી શુભકામનાઓ અને આશીર્વાદ. આ જ રીતે 16 વર્ષની એક દીકરી રજની વિશે મિડિયામાં ઘણી ચર્ચા થઇ છે. તમે પણ જરૂર વાંચ્યું હશે. રજનીએ જુનિયર મહિલા મુક્કાબાજી સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો છે. રજનીએ ચંદ્રક જીતતાવેંત દૂધના એક સ્ટોલ પર ગઇ અને એક ગ્લાસ દૂધનો પીધો. તે પછી રજનીએ પોતાના ચંદ્રકને એક કપડામાં લપેટ્યો અને બેગમાં મૂકી દીધો. વિચારી રહ્યા હશો કે, રજનીએ એક ગ્લાસ દૂધ શા માટે પીધું ? તેણે આવું પોતાના પિતા જસમેરસિંહજીના સન્માનમાં કર્યું, તે પાણીપતના એક સ્ટોલ પર લસ્સી વેચે છે. રજનીએ જણાવ્યું કે, તેના પિતાએ તેને અહીં સુધી પહોંચાડવામાં ઘણો ત્યાગ કર્યો છે, ઘણું કષ્ટ વેઠ્યું છે. જસમેરસિંહ રોજ સવારે રજની અને તેનાં ભાઇ-બહેનો ઉઠે તે પહેલાં જ કામ પર ચાલ્યા જતા હતા. રજનીએ જ્યારે તેના પિતા સમક્ષ બોક્સિંગ શીખવાની ઇચ્છા વ્યક્ત કરી તો પિતાએ તે માટે બધી શક્ય સહાય-સાધનો પ્રાપ્ત કરાવી તેનો ઉત્સાહ વધાર્યો. રજનીને મુક્કેબાજી અભ્યાસ જૂનાં મોજાં સાથે શરૂ કરવો પડ્યો કારણ કે, તે સમયે તેના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. આટલા બધાં વિઘ્નો છતાં પણ રજની હિંમત ન હારી અને મુક્કેબાજી શીખતી રહી. તેણે સર્બિયામાં પણ એક ચંદ્રક જીત્યો છે. હું રજનીને શુભેચ્છા અને આશીર્વાદ આપું છું. અને રજનીનો સાથ આપવા માટે અને તેનો ઉત્સાહ વધારવા માટે તેનાં માતાપિતા જસમેરસિંહજી અને ઉષારાનીજીને પણ અભિનંદન આપું છું. આ મહિને પૂણેની એક 20 વર્ષની દિકરી વેદાંગી કુલકર્ણી સાઇકલથી દુનિયાનું ભ્રમણ કરનારી સૌથી ઝડપી એશિયાઇ બની ગઇ છે. તે 159 દિવસ સુધી રોજ લગભગ 300 કિલોમીટર સાઇકલ ચલાવતી હતી. તમે વિચારી શકો – રોજ 300 કિલોમીટર સાઇકલ ચલાવવી! સાઇકલ ચલાવવા માટે તેનું જનુન ખરેખર પ્રશંસનીય છે. શું આ પ્રકારની સિદ્ધિ વિશે જાણીને આપણને પ્રેરણા ન મળે? ખાસ કરીને મારા યુવા મિત્રો, જ્યારે આવી ઘટનાઓ વિશે સાંભળીએ છીએ ત્યારે આપણે પણ મુશ્કેલીઓ વચ્ચે કંઇક કરી બતાવવાની પ્રેરણા મેળવીએ છીએ. જો સંકલ્પમાં સામર્થ્ય છે, ઉત્સાહ ભરપૂર છે તો અડચણો પોતે જ હટી જાય છે. મુશ્કેલીઓ ક્યારેય અડચણો ન બની શકે. આવાં અનેક ઉદાહરણો આપણે સાંભળીએ છીએ તો આપણને પણ આપણા જીવનમાં હર પળે એક નવી પ્રેરણા મળે છે.

મારા પ્યારા દેશવાસીઓ, જાન્યુઆરીમાં ઉમંગ અને ઉત્સાહથી ભરપૂર અનેક તહેવારો આવવાના છે – જેમ કે, લોહડી, પોંગલ, મકરસંક્રાંતિ, ઉત્તરાયણ, માઘ બિહૂ, માઘી; પર્વોના અવસરે સમગ્ર ભારતમાં ક્યાંક પારંપરિક નૃત્યોનો રંગ જોવા મળશે તો ક્યાંક પાક તેયાર થવાની ખુશીઓમાં લોહડી પ્રગટાવાશે, ક્યાંક આકાશમાં રંગબેરંગી પતંગો ઉડતી દેખાશે તો ક્યાંક મેળાની છટા વિખરાશે તો ક્યાંક રમતોમાં સ્પર્ધા થશે. તો ક્યાંક એકબીજાને તલના લાડુ ખવડાવાશે. લોકો એક બીજાને કહેશે – તિલ ગુડ ધ્યા આણિ ગોડ બોલા, આ બધા તહેવારોનાં નામ ભલે અલગ અલગ હોય પરંતુ બધાને ઉજવવાની ભાવના એક છે. આ ઉત્સવો ક્યાંકને ક્યાંક પાક અને કૃષિ સાથે જોડાયેલા છે, ખેડૂતો સાથે જોડાયેલા છે, ગામડાંઓ સાથે જોડાયેલાં છે, ખેતરો સાથે જોડાયેલાં છે. દરમિયાન સુર્ય ઉતરાયણ થઇને મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ દિવસ પછી દિવસ ધીરે-ધીરે મોટો થવા લાગે છે અને ઠંડીના પાકની કાપણી થવા લાગે છે. આપણા અન્નદાતા ખેડૂત ભાઇઓ-બહેનોને પણ ઘણી બધી શુભકામનાઓ. “વિવિધતામાં એકતા” “એક ભારત – શ્રેષ્ઠ ભારત”ની ભાવનાની મહેંક આપણા તહેવારોએ પોતાનામાં સમેટી છે. આપણે જોઇ શકીએ છીએ કે આપણા પર્વો, તહેવારો પ્રકૃતિ સાથે કેટલી નિકટતાથી જોડાયેલા છે. ભારતીય સંસ્કૃતિમાં સમાજ અને કુદરતને અલગ – અલગ માનવામાં નથી આવતા. અહીં વ્યક્તિ અને સમષ્ટિ એક જ છે. પ્રકૃતિ સાથે આપણો નિકટના સંબંધનું એક સારૂં ઉદાહરણ છે. તહેવારો પર આધારિત કેલેન્ડર. તેમાં આપણે વર્ષભરના પર્વ. તહેવારોની સાથેસાથે ગ્રહ-નક્ષત્રોની યાદી પણ હોય છે. આ પારંપરિક કેલેન્ડરથી ખબર પડે છે કે, પ્રાકૃતિક અને ખગોળીય ઘટનાઓ સાથે આપણો સંબંધ કેટલો જૂનો છે. ચંદ્ર અને સૂર્યની ગતિ પર આધારિત ચંદ્ર અને સૂર્ય કેલેન્ડર મુજબ પર્વ અને તહેવારોની તિથિ નિર્ધારિત થાય છે. આ એના પર નિર્ભર કરે છે કે, કોણ કયા કેલેન્ડરને માને છે. અનેક ક્ષેત્રોમાં ગ્રહ નક્ષત્રોની સ્થિતિ અનુસાર પણ પર્વ-તહેવારો મનાવાય છે. ગુડી પડવો, ચેટીચંડ, ઉગાદિ આ બધા ચંદ્ર કેલેન્ડર મુજબ મનાવાય છે. તો તમિલ પુથાંડું, વિષુ, વૈશાખ, બૈસાખી, પોઇલા બૈસાખ, બિહુ – આ બધા પર્વ સૂર્ય કેલેન્ડરના આધારે મનાવાય છે. આપણા અનેક તહેવારોમાં નદીઓ અને પાણી બચાવવાનો ભાવ વિશેષ રીતે સમાહિત છે. છઠ પર્વ – નદીઓ, તળાવો સૂર્ય ઉપાસના સાથે જોડાયેલું છે. મકર સંક્રાંતિ પર પણ લાખો કરોડો લોકો પવિત્ર નદીઓમાં ડૂબકી લગાવે છે. આપણા પર્વ, તહેવાર આપણને સામાજિક મૂલ્યોની સમજ પણ આપે છે. એક તરફ તેનું પૌરાણિક મહત્વ છે, ત્યાં બીજી તરફ દરેક તહેવાર જીવનના પાઠ – એક બીજા સાથે ભાઇચારાથી રહેવાની પ્રેરણા ઘણી સહજતાથી શીખવી જાય છે. હું તમને સહુને 2019ની ઘણી ઘણી શુભકામનાઓ પાઠવું છું અને આવનારા તહેવારોનો તમે ભરપૂર આનંદ ઉઠો તેની કામના કરૂં છું. આ ઉત્સવો પર લેવામાં આવેલી તસવીરોને બધા સાથે શેર કરો, જેથી ભારતની વિવિધતા અને ભારતી સંસ્કૃતિની સુંદરતાને બધા જોઇ શકે.

મારા પ્રિય દેશવાસીઓ, આપણી સંસ્કૃતિમાં એવી ચીજોની ભરમાર છે જેના પર આપણે ગર્વ કરી શકીએ છીએ અને સમગ્ર દુનિયાને અભિમાન સાથે દેખાડી શકીએ છીએ અને તેમાં એક છે, કુંભ મેળો. તમે કુંભ વિશે ઘણું બધું સાંભળ્યું હશે. ફિલ્મોમાં પણ તેની ભવ્યતા અને વિશાળતા વિશે ઘણું બધું જોયું હશે અને તે સાચું પણ હશે. કુંભનું સ્વરૂપ વિરાટ હોય છે – જેટલું દિવ્ય એટલું જ ભવ્ય. દેશ અને દુનિયાભરના લોકો આવે છે અને કુંભ સાથે જોડાઇ જાય છે. કુંભ મેળામાં આસ્થા અને શ્રદ્ધાનો જનસાગર ઉમટે છે. એક સાથે એક જગ્યા પર દેશવિદેશના લાખો કરોડો લોકો જોડાય છે. કુંભની પરંપરા આપણા મહાન સાંસ્કૃતિક વારસાથી પુષ્પિત અને પલ્લવિત થઇ છે. આ વખતે 15 જાન્યુઆરીએ પ્રયાગરાજમાં આયોજિત થવા જઇ રહેલો વિશ્વ પ્રસિદ્ધ કુંભમેળો જેની કદાચ તમે બધાં પણ ઘણી જ ઉત્સુકતાથી પ્રતિક્ષા કરી રહ્યા હશો. કુંભમેળા માટે અત્યારથી જ સંત-મહાત્માઓના પહોંચવાનો સિલસિલો શરૂ પણ થઇ ગયો છે. તેના વૈશ્વિક મહત્વનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે ગયા વર્ષે યુનેસ્કોએ કુંભમેળાને Intangible Cultutal Heritage of Humanity ની સૂચિમાં ચિન્હિત કર્યો છે. કેટલાક દિવસ પહેલાં અનેક દેશોના રાજદૂતોએ કુંભની તૈયારીઓને જોઇ, ત્યાં એક સાથે અનેક દેશોના રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યા. પ્રયાગરાજમાં આયોજિત થનારા આ કુંભ મેળામાં 150થી પણ વધુ દેશોના લોકોના આવવાની સંભાવના છે. કુંભની દિવ્યતાથી ભારતની ભવ્યતા સમગ્ર દુનિયામાં પોતાનો રંગ ફેલાવશે. કુંભ મેળા સ્વ શોધનું પણ એક મોટું માધ્યમ છે. જ્યાં આવનારી દરેક વ્યક્તિને અલગઅલગ અનૂભુતિ થાય છે. સાંસારિક ચીજોને આધ્યાત્મિક દ્રષ્ટકોણથી જુએ છે – સમજે છે. ખાસ કરીને યુવાઓ માટે આ એક ઘણો જ મોટો શીખવાનો અનુભવ હોઇ શકે છે. હું પોતે થોડા દિવસો પહેલાં પ્રયાગરાજ ગયો હતો. મેં જોયું કે, કુંભની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. પ્રયાગરાજના લોકો પણ કુંભ માટે ઘણા ઉત્સાહી છે. ત્યાં મેં Integrated Command & Control Centre નું લોકાર્પણ કર્યું. શ્રદ્ધાળુઓને તેમાં ઘણી સહાયતા મળશે. આ વખતે કુંભમાં સ્વચ્છતા પર પણ ઘણો ભાર મૂકવામાં આવી રહ્યો છે. આયોજનમાં શ્રદ્ધાની સાથોસાથ સફાઇ પણ રહેશે તો દૂર-દૂર સુધી તેનો સારો સંદેશ પહોંચશે. આ વખતે દરેક શ્રદ્ધાળુ સંગમમાં પવિત્ર સ્નાન પછી અક્ષયવડના પણ પુણ્યદર્શન કરી શકશે. લોકોની આસ્થાના પ્રતીક આ અક્ષયવડ સેંકડો વર્ષોથી કિલ્લામાં બંધ હતો, જેના શ્રદ્ધાળુઓ દર્શન કરી શકતા ન હતા. હવે અક્ષયવડનાં દ્વાર બધા માટે ખોલી દેવામાં આવ્યા છે. મારો આપ સહુને અનુરોધ છે કે, તમે જ્યારે કુંભ આવો તો કુંભનાં અલગ-અલગ પાસાં અને તસવીરો Social Media પર જરૂર મૂકો જેથી વધુમાં વધુ લોકોને કુંભમાં જવાની પ્રેરણા મળે.

આધ્યાત્મનો કુંભ ભારતીય દર્શનનો મહાકુંભ બને.

આસ્થાનો આ કુંભ રાષ્ટ્રીયતાનો પણ કુંભ બને.

રાષ્ટ્રીય એકતાનો પણ મહાકુંભ બને.

શ્રદ્ધાળુઓનો આ કુંભ વૈશ્વિક પર્યટકોનો પણ મહાકુંભ બને.

કલાત્મકતાનો આ કુંભ, સૃજન શક્તિઓનો પણ મહાકુંભ બને.

મારા પ્રિય દેશવાસીઓ, 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ સમારોહ માટે આપણા દેશવાસીઓના મનમાં ઘણી ઉત્સુકતા રહે છે. તે દિવસે આપણે આપણી એ મહાન વિભૂતિઓને યાદ કરીએ છીએ, જેમણે આપણને સંવિધાન આપ્યું.

આ વર્ષે આપણે પૂજય બાપુની 150મી જયંતિનું પર્વ મનાવી રહ્યા છીએ. આપણા માટે સૌભાગ્યની વાત છે કે, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખશ્રી સિરિલ રામાફોસા વર્ષે ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિના રૂપમાં ભારત પધારી રહ્યા છે. પૂજય બાપુ અને દક્ષિણ આફ્રિકાનો એક અતૂટ સંબંધ રહ્યો છે. તે દક્ષિણ આફ્રિકા જ હતું જયાંથી મોહન, “મહાત્મા” બની ગયા. દક્ષિણ આફ્રિકામાં જ મહાત્મા ગાંધીએ પોતાનો પહેલો સત્યાગ્રહ આરંભ્યો હતો અને રંગભેદના વિરોધમાં મજબૂતીથી ઊભા થયા હતા. તેમણે ફિનિક્સ અને ટોલ્સ્ટોય ફાર્મ્સની પણ સ્થાપના કરી હતી, જયાંથી સમગ્ર વિશ્વમાં શાંતિ અને ન્યાય માટે ગૂંજ ઊઠી હતી. 2018 – નેલ્સન મંડેલાના જન્મ શતાબ્દિના વર્ષના રૂપમાં પણ મનાવાઇ રહ્યું છે. તેઓ “મડીબા” ના નામથી પણ જાણીતા હતા. આપણે બધાં જાણીએ છીએ કે, નેલ્સન મંડેલા સમગ્ર વિશ્વમાં રંગભેદ વિરૂદ્ધ સંઘર્ષના એક ઉદાહરણ હતા અને મંડેલાના પ્રેરણાસ્ત્રોત કોણ હતા ? તેમને આટલાં વર્ષ જેલમાં ગાળવાની સહનશક્તિ અને પ્રેરણા પૂજય બાપુ પાસેથી જ તો મળી હતી. મંડેલાએ બાપુ માટે કહ્યું હતું – “મહાત્મા આપણા ઇતિહાસના અભિન્ન અંગ છે કારણ કે, અહીં તેમણે સત્યને પોતાનો પ્રયોગ કર્યો હતો, અહીં જ તેમણે ન્યાય પ્રત્યે પોતાના સત્યાગ્રહનું દર્શન અને સંઘર્ષની પદ્ધતિ વિકસિત કરી.” તેઓ બાપુને આદર્શ માનતા હતા. બાપુ અને મંડેલા બંને, સમગ્ર વિશ્વ માટે ન માત્ર પ્રેરણાસ્ત્રોત છે, પરંતુ તેમના આદર્શો આપણને પ્રેમ અને કરૂણાથી ભરેલા સમાજના નિર્માણ માટે પણ સદૈવ પ્રોત્સાહિત કરે છે.

મારા પ્રિય દેશવાસીઓ, કેટલાક દિવસો પહેલાં ગુજરાતના નર્મદા તટ પર કેવડિયામાં ડીજીપી પરિષદ થઇ જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા Statue of Unity છે, ત્યાં દેશના પોલીસ કર્મચારીઓ સાથે સાર્થક ચર્ચા થઇ. દેશ અને દેશવાસીઓની સુરક્ષાને વધુ મજબૂતી આપવા માટે ક્યા પ્રકારનાં પગલાં ભરવાં જોઇએ તેના પર વિસ્તારથી વાત થઇ. તે દરમ્યાન મેં રાષ્ટ્રીય એકતા માટે “સરદાર પટેલ પુરસ્કાર” શરૂ કરવાની પણ ઘોષણા કરી. આ પુરસ્કાર એવા લોકોને આપવામાં આવશે જેમણે કોઇ પણ રૂપમાં રાષ્ટ્રીય એકતા માટે પોતાનું યોગદાન આપ્યું હોય. સરદાર પટેલ પોતાનું સમગ્ર જીવન દેશની એકતા માટે સમર્પિત કરી દીધું. તેઓ હંમેશા ભારતની અખંડતાને અક્ષુણ્ણ રાખવા પ્રયાસરત્ રહ્યા. સરદાર સાહેબ માનતા હતા કે, ભારતની શક્તિ અહીંની વિવિધતામાં નિહિત છે. સરદાર પટેલજીની તે ભાવનાનું સન્માન કરતા એકતાના આ પુરસ્કારના માધ્યમથી તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ.

મારા પ્રિય દેશવાસીઓ, 13 જાન્યુઆરીએ ગુરૂ ગોવિંદસિંહજીની જયંતિનું પાવનપર્વ છે. ગુરૂ ગોવિંદસિંહજીનો જન્મ પટનામાં થયો હતો. જીવનના મોટા ભાગના સમય સુધી તેમની કર્મભૂમિ ઉત્તર ભારત રહી અને મહારાષ્ટ્રના નાંદેડમાં તેમણે પોતાના પ્રાણ ત્યાગ્યા. જન્મભૂમિ પટનામાં, કર્મભૂમિ ઉત્તર ભારતમાં અને જીવનની અંતિમ ક્ષણ નાંદેડમાં. એક રીતે કહીએ તો સમગ્ર ભારતવર્ષને તેમના આશીર્વાદ પ્રાપ્ત થયા. તેમના જીવનકાળને જોઇએ તો તેમાં સમગ્ર ભારતની ઝલક મળે છે. તેમના પિતાશ્રી ગુરૂ તેગ બહાદુરજીના શહીદ થયા પછી ગુરૂ ગોવિંદસિંહજીએ નવ વર્ષની અલ્પઆયુમાં જ ગુરૂનું પદ પ્રાપ્ત કરી લીધું હતું. ગુરૂ ગોવિંદસિંહજીને ન્યાયની લડાઇ લડવા માટેનું સાહસ શીખ ગુરૂઓ પાસેથી વારસમાં મળ્યું. તેઓ શાંત અને સરળ વ્યક્તિત્વ ધરાવતા હતા, પરંતુ જ્યારેજ્યારે ગરીબો અને નબળા લોકોના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, તેમની સાથે અન્યાય કરાયો, ત્યારે ત્યારે ગુરૂ ગોવિંદસિંહજીએ ગરીબો અને નબળા લોકો માટે પોતાનો અવાજ દ્રઢતા સાથે બુલંદ કર્યો અને આથી જ કહે છે –

“સવા લાખ સે એક લડાઉં,

ચિડિયો સોં મૈં બાજ તુડાઉં

તબે ગોવિંદ સિંહ ના કહાઉં!”

તેઓ કહેતા કે નબળા વર્ગના લોકો સાથે લડીને તાકાતનું પ્રદર્શન ન કરી શકાય. શ્રી ગોવિંદસિંહજી જાણતા હતા કે સૌથી મોટી સેવા છે – માનવીય દુઃખોને દૂર કરવાં. તેઓ વીરતા, શૌર્ય, ત્યાગ, ધર્મપરાયણતાથી ભરપૂર એક દિવ્ય પુરૂષ હતા જેમને શસ્ત્ર અને શાસ્ત્ર બંનેનું એક અલૌકિક જ્ઞાન હતું. તેઓ એક તીરંદાજ તો હતા જ, તેની સાથે ગુરૂમુખી, બ્રજભાષા, સંસ્કૃત, ફારસી, હિન્દી અને ઉર્દુ સહિત અનેક ભાષાઓના જ્ઞાતા પણ હતા. હું ફરી એક વાર શ્રી ગુરૂગોવિંદ સિંહજીને નમન કરૂં છું.

મારા પ્રિય દેશવાસીઓ, દેશમાં અનેક એવાં સારાં પ્રકરણો થતાં રહે છે, જેની વ્યાપક ચર્ચા થઇ શકતી નથી, આવો જ એક અનોખો પ્રયાસ F.S.S.A.I. અર્થાત્ Food Safety And Standard Authority Of india દ્વારા થઇ રહ્યો છે. મહાત્મા ગાંધીની 150મી જયંતિના વર્ષના ઉપલક્ષ્યમાં દેશભરમાં અનેક કાર્યક્રમો આયોજિત થઇ રહ્યા છે. આ શ્રૃંખલામાં F.S.S.A.I., Safe અને Healthy Diet habits – ભોજનની સારી ટેવોને પ્રોત્સાહિત આપવામાં લાગેલું છે. “Eat Right India” અભિયાન હેઠળ દેશભરમાં સ્વસ્થ ભારત યાત્રાઓ નીકળી રહી છે. આ અભિયાન 27મી જાન્યુઆરી સુધી ચાલશે. ક્યારેક ક્યારેક સરકારી સંગઠનોનો પરિચય એક નિયંત્રકની જેવો હોય છે પરંતુ એ પ્રશંસનીય છે કે, F.S.S.A.I. તેનાથી આગળ વધીને જનજાગૃતિ અને લોકશિક્ષણનું કામ કરી રહ્યું છે. જ્યારે ભારત સ્વચ્છ થશે, સ્વસ્થ થશે ત્યારે ભારત સમૃદ્ધ પણ થશે. સારા સ્વાસ્થ્ય માટે સૌથી જરૂરી છે – પૌષ્ટિક ભોજન. આ સંદર્ભમાં, આ પહેલ માટે F.S.S.A.I. ને હાર્દિક અભિનંદન આપું છું. મારો તમને બધાને અનુરોધ છે કે, આવો આ પહેલ સાથે જોડાઇએ. તમે પણ તેમાં ભાગ લો અને ખાસ કરીને હું આગ્રહ કરીશ કે બાળકોને આ ચીજો જરૂર દેખાડો. ખાવાપીવાનું મહત્વનું શિક્ષણ બાળપણથી જ જરૂરી હોય છે.

મારા પ્રિય દેશવાસીઓ, 2018નો આ અંતિમ કાર્યક્રમ છે. 2019માં આપણે ફરીથી મળીશું, ફરીથી “મનની વાતો” કરીશું, વ્યક્તિનું જીવન હોય, રાષ્ટ્રનું જીવન હોય, સમાજનું જીવન હોય, પ્રેરણા જ પ્રગતિનો આધાર હોય છે. આવો, નવી પ્રેરણા, નવી ઉમંગ, નવા સંકલ્પ, નવી સિદ્ધિ, નવી ઊંચાઇ – આગળ ચાલીએ, આગળ વધતા રહીએ, પોતે પણ બદલાઇએ, દેશને પણ બદલીએ, ખૂબ – ખૂબ આભાર..

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Parliament on verge of history, says PM Modi, as it readies to take up women's bills

Media Coverage

Parliament on verge of history, says PM Modi, as it readies to take up women's bills
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Booth strength, people’s trust and grassroots outreach - PM Modi’s interaction with BJP Karyakartas from West Bengal
April 14, 2026
The citizens across West Bengal have described the BJP’s Sankalp Patra (manifesto) as practical, implementable and focused on holistic development and welfare: PM Modi
PM Modi constantly reiterated to the BJP karyakartas of West Bengal that booth-level strength is the foundation of electoral success
The scale of victory in West Bengal will directly translate into relief and better governance for its people: PM Modi to BJP karyakartas

PM Modi interacted with BJP karyakartas from across West Bengal under the ‘Mera Booth, Sabse Mazboot’ initiative, extending his best wishes for the Bengali New Year to all citizens of the state.


During the interaction, the PM reflected on his recent visits across various parts of West Bengal, highlighting the remarkable enthusiasm, energy and growing support for the BJP among the people. He credited this momentum to the tireless efforts and dedication of booth-level karyakartas.

The PM appreciated the positive response to the BJP’s Sankalp Patra (manifesto), stating that citizens across the state have described it as practical, implementable, and focused on holistic development and welfare.

During the interaction, several karyakartas shared their on-the-ground experiences, highlighting key concerns among the people, including safety, employment, corruption, political violence, and governance challenges. Women karyakartas spoke about concerns over security and dignity, while youth-related issues such as migration due to lack of opportunities were also raised.

PM Modi acknowledged these concerns and emphasised the need for continuous engagement with citizens at the grassroots level. He urged karyakartas to strengthen booth-level organisation through regular outreach and small group meetings, actively connect with women, youth, farmers and first-time voters , clearly communicate the benefits and vision outlined by the BJP, ensure transparency, development and safety, use social media and digital tools effectively to amplify facts and counter misinformation.
He also stressed the importance of documenting and communicating local issues, ensuring that the voices of the people are consistently heard and represented.

The PM constantly reiterated that booth-level strength is the foundation of electoral success, stating that “Booth jeeta, toh chunav jeeta.” He expressed confidence that the growing trust of the people in BJP presents a significant opportunity to bring transformation in West Bengal.

Concluding the interaction, PM Modi said that the scale of victory in West Bengal will directly translate into relief and better governance for its people. He encouraged all karyakartas to work with renewed energy, expand outreach, and ensure that every household becomes a partner in this journey of development.