NPKS ગ્રેડ સહિત સૂચિત P&K ખાતરો ખેડૂતોને સબસિડીવાળા, સસ્તા અને વાજબી દરે ઉપલબ્ધ થશે
સિંગલ સુપર ફોસ્ફેટ (SSP) પર નૂર સબસિડી 2025 સુધી લંબાવવામાં આવી છે
સૂચિત P&K ખાતરો માટે સબસિડી દરોને મંજૂરી એ સરકાર દ્વારા કૃષિ ક્ષેત્ર અને ભારતીય ખેડૂતોને આપવામાં આવેલા મહત્વનું બીજું એક ઉદાહરણ છે
P&K ખાતરો પર સબસિડી આપવાથી ખેડૂતોને વાજબી ભાવે જરૂરી પોષક તત્વો મળે છે, સ્વસ્થ જમીન સ્વસ્થ પાક તરફ દોરી જાય છે અને રાષ્ટ્ર માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત થાય છે
કેબિનેટે દેશભરમાં P&K ખાતરો પર સસ્તા, સબસિડીવાળા અને વાજબી દરે ખાતરી કરવા માટે ખરીફ 2025 માટે રૂ. 37216.15 કરોડની NBS સબસિડીને મંજૂરી આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ફોસ્ફેટિક અને પોટાસિક (પીએન્ડકે) ખાતરો પર ખરીફ સિઝન, 2025 (01.04.2025થી 30.09.2025 સુધી) માટે પોષકતત્વો આધારિત સબસિડી (એનબીએસ) દરો નક્કી કરવા માટે ખાતર વિભાગની દરખાસ્તને મંજૂરી આપી હતી.

ખરીફ સિઝન 2024 માટે અંદાજપત્રીય જરૂરિયાત અંદાજે રૂ. 37,216.15 કરોડ હશે. આ રકમ રવી સિઝન 2024-25 માટે અંદાજપત્રીય જરૂરિયાત કરતાં અંદાજે રૂ. 13,000 કરોડ વધારે છે.

લાભો:

· ખેડૂતોને સબસિડીવાળા, વાજબી અને યોગ્ય ભાવે ખાતરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવશે.

· ખાતરો અને ઇનપુટ્સના આંતરરાષ્ટ્રીય ભાવોમાં તાજેતરના વલણોને ધ્યાનમાં રાખીને પી એન્ડ કે ખાતરો પરની સબસિડીને તર્કસંગત બનાવવી.

અમલીકરણની વ્યૂહરચના અને લક્ષ્યાંકોઃ

એનપીકેએસ ગ્રેડ સહિત પીએન્ડકેએસ ખાતરો પરની સબસિડી ખરીફ 2025 (01.04.2025થી 30.09.2025 સુધી લાગુ) માટે માન્ય દરોના આધારે પ્રદાન કરવામાં આવશે, જેથી ખેડૂતોને વાજબી કિંમતે આ ખાતરો સરળતાપૂર્વક ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરી શકાય.

પાર્શ્વભૂમિ:

સરકાર ખેડૂતોને ખાતર ઉત્પાદકો/આયાતકારો મારફતે સબસિડીના ભાવે 28 ગ્રેડના પીએન્ડકે ખાતર ઉપલબ્ધ કરાવી રહી છે. પીએન્ડકે ખાતરો પરની સબસિડીનું સંચાલન એનબીએસ યોજના દ્વારા થાય છે, જે 01.04.2010થી લાગુ પડશે. ખેડૂત મૈત્રીપૂર્ણ અભિગમ અનુસાર, સરકાર ખેડૂતોને પોષણક્ષમ કિંમતે પીએન્ડકે ખાતરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. યુરિયા, ડીએપી, એમઓપી અને સલ્ફર જેવા ખાતરો અને ઇનપુટની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં તાજેતરના પ્રવાહોને ધ્યાનમાં રાખીને સરકારે ખરીફ 2025 માટે એનબીએસના દરોને મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. જે એનપીકેએસ ગ્રેડ સહિત ફોસ્ફેટિક અને પોટાસિક (પીએન્ડકે) ખાતરો પર 01.04.25થી 30.09.25 સુધી અસરકારક રહેશે. ખાતર કંપનીઓને માન્ય અને સૂચિત દરો મુજબ સબસિડી આપવામાં આવશે, જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવે ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
One App For 2,400-Plus Government Services: How UMANG Is Changing Access In India

Media Coverage

One App For 2,400-Plus Government Services: How UMANG Is Changing Access In India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister witnesses Surya Tilak at Shri Ram Janmabhoomi Mandir
March 27, 2026

The Prime Minister, Shri Narendra Modi, today, witnessed Surya Tilak at the Shri Ram Janmabhoomi Mandir, Ayodhya. “May the blessings of Prabhu Shri Ram always remain upon us”, Shri Modi stated.

Shri Modi posted on X:

“Earlier today, witnessed the Surya Tilak that took place at the Shri Ram Janmabhoomi Mandir, Ayodhya. May the blessings of Prabhu Shri Ram always remain upon us.”