આ યોજનામાં ₹ 12,031 કરોડના કુલ અંદાજિત ખર્ચે સ્થપાવાનો લક્ષ્યાંક
આ યોજનાથી 2030 સુધીમાં 450 ગિગાવૉટ સ્થાપિત આરઈ ક્ષમતાનો લક્ષ્યાંક હાંસલ કરવામાં મદદ મળશે
 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી આર્થિક બાબતો અંગેની કેન્દ્રીય મંત્રીમંડળની સમિતિએ આજે આશરે 10750 સર્કિટ કિલોમીટર્સ (સીકેએમ) ટ્રાન્સમિશન લાઇન્સ અને આશરે સબ સ્ટેશનોની  27500 મેગા વૉલ્ટ એમ્પિયર્સ (એમવીએ) ટ્રાન્સફોર્મેશન ક્ષમતાને ઉમેરવા આંતર રાજ્ય ટ્રાન્સમિશન સિસ્ટમ્સ (આઇએનએસટીએસ) માટેની ગ્રીન એનર્જી કૉરિડોર (જીઈસી) તબક્કો બીજા અંગેની યોજનાને મંજૂરી આપી હતી. આ યોજના સાત રાજ્યો જેમ કે ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, રાજસ્થાન, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં અંદાજે 20 ગિગા વૉટ રિન્યુએબલ એનર્જી (આરઈ) વિદ્યુત પરિયોજનાના ગ્રિડ ઇન્ટિગ્રેશન અને વીજળી ખેંચવાને સુગમ બનાવશે.

આ યોજના કુલ અંદાજિત ₹ 12,031.33 કરોડના ખર્ચે સ્થપાવાનો લક્ષ્યાંક છે અને યોજના ખર્ચના 33 ટકા લેખે કેન્દ્રીય નાણાકીય મદદ (સીએફએ) ₹ 3970.34 કરોડ છે. નાણાકીય વર્ષ 2021-22થી 2025-26 એમ પાંચ વર્ષના ગાળામાં ટ્રાન્સમિશન સિસ્ટમ્સ સર્જવામાં આવશે. કેન્દ્રીય નાણાકીય મદદ (સીએફએ) આંતર-રાજ્ય ટ્રાન્સમિશન ચાર્જીસ ઑફસેટ કરવામાં મદદ કરશે અને એ રીતે વીજળીનો ખર્ચ નીચો જશે. આ રીતે, સરકારી મદદ છેવટે અંતિમ વપરાશકાર એટલે કે ભારતના નાગરિકોને લાભ કરશે.

આ યોજનાથી 2030 સુધીમાં 450 ગિગા વૉટની સ્થાપિત આરઈ ક્ષમતાનો લક્ષ્યાંક હાંસલ કરવામાં મદદ મળશે.

આ યોજના દેશની લાંબા ગાળાની ઊર્જા સલામતીમાં પણ યોગદાન આપશે અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડીને પર્યાવરણીય રીતે ટકાઉ વૃદ્ધિને પ્રોત્સાહન આપશે. તે વિદ્યુત અને અન્ય સંબંધી ક્ષેત્રોમાં કુશળ અને અકુશળ બેઉ લોકો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારની મોટી તકો સર્જશે.

આ યોજના જીઈસી-તબક્કો પહેલા ઉપરાંતની છે જે આંધ્ર પ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને તમિલનાડુ રાજ્યોમાં આશરે 24 ગિગા વૉટ આરઈ પાવરને ખેંચવા અને ગ્રિડ ઇન્ટિગ્રેશન માટે અમલીકરણ હેઠળ છે જ અને 2022 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ યોજના ₹ 4056.67 કરોડની કેન્દ્રીય નાણાકીય મદદ (સીએફએ) સાથે ₹ 10,141.68 કરોડના અંદાજિત ખર્ચના ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સના 9700 સીકેએમ ટ્રાન્સમિશન લાઇન્સ અને સબ સ્ટેશનોની 22600 એમવીએ ક્ષમતા ઉમેરવા માટે છે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India, US achieve diplomatic breakthrough with trade deal; tariffs on Indian goods cut to 18%

Media Coverage

India, US achieve diplomatic breakthrough with trade deal; tariffs on Indian goods cut to 18%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares a Sanskrit Subhashitam emphasising the Power of Self-Confidence in Building a Developed India
February 03, 2026

Prime Minister Shri Narendra Modi today shared a Sanskrit Subhashitam emphasizing the transformative role of self-confidence in realizing the vision of a developed India.

In a post on X, he wrote:

"आत्मविश्वास वह शक्ति है, जिसके बल पर सब कुछ संभव है। विकसित भारत के सपने को साकार करने में देशवासियों की यही शक्ति बहुत काम आने वाली है।

श्रीर्मङ्गलात् प्रभवति प्रागल्भ्यात् सम्प्रवर्धते।

दाक्ष्यात् तु कुरुते मूलं संयमात् प्रतितिष्ठति॥ "