આ અગ્રણી સંસ્થાઓમાં 6500 થી વધુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની સુવિધા આપવા માટે વિસ્તરણ કરવામાં આવ્યું
ઉદ્યોગ-શૈક્ષણિક જોડાણને મજબૂત બનાવવા માટે પાંચ નવા અત્યાધુનિક સંશોધન ઉદ્યાનો પણ બનાવવામાં આવી રહ્યા છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે આંધ્રપ્રદેશ (IIT તિરુપતિ), કેરળ (IIT પલક્કડ), છત્તીસગઢ (IIT ભિલાઈ), જમ્મુ અને કાશ્મીર (IIT જમ્મુ) અને કર્ણાટક (HT ધારવાડ) રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થાપિત પાંચ નવા ILTs ની શૈક્ષણિક અને માળખાગત ક્ષમતા (ફેઝ-`B' બાંધકામ)ના વિસ્તરણને મંજૂરી આપી છે.

2025-26 થી 2028-29 સુધીના ચાર વર્ષના સમયગાળામાં આ માટે કુલ ખર્ચ રૂ. 11,828.79 કરોડ છે.

મંત્રીમંડળે આ IITs માં 130 ફેકલ્ટી પદો (પ્રોફેસર સ્તર એટલે કે 14 અને તેથી વધુ)ની રચનાને પણ મંજૂરી આપી છે.

ઉદ્યોગ-શૈક્ષણિક જોડાણને મજબૂત બનાવવા માટે પાંચ નવા અત્યાધુનિક સંશોધન પાર્ક પણ બનાવવામાં આવી રહ્યા છે.

અમલીકરણ વ્યૂહરચના અને લક્ષ્યો:

આગામી ચાર વર્ષમાં આ IITમાં વિદ્યાર્થીઓની સંખ્યા 6500 થી વધુ વધશે, જેમાં અંડર ગ્રેજ્યુએટ (UG), પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) અને પીએચડી પ્રોગ્રામમાં પ્રથમ વર્ષમાં 1364 વિદ્યાર્થીઓ, બીજા વર્ષમાં 1738 વિદ્યાર્થીઓ, ત્રીજા વર્ષમાં 1767 વિદ્યાર્થીઓ અને ચોથા વર્ષમાં 1707 વિદ્યાર્થીઓનો વધારો થશે.

લાભાર્થીઓ:

બાંધકામ પૂર્ણ થયા પછી, આ પાંચ IIT 13,687 વિદ્યાર્થીઓને શિક્ષણ આપી શકશે, જ્યારે વર્તમાન વિદ્યાર્થી સંખ્યા 7,111 છે, એટલે કે 6,576 વિદ્યાર્થીઓનો વધારો થશે. બેઠકોની કુલ સંખ્યામાં આ વધારા સાથે, 6,500 થી વધુ વિદ્યાર્થીઓ હવે દેશની સૌથી પ્રતિષ્ઠિત અને ઇચ્છિત શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરવાની તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરી શકશે. આ કુશળ કાર્યબળ બનાવીને, નવીનતા ચલાવીને અને આર્થિક વિકાસને વેગ આપીને રાષ્ટ્ર નિર્માણને પ્રોત્સાહન આપશે. તે સામાજિક ગતિશીલતામાં વધારો કરે છે, શૈક્ષણિક અસમાનતા ઘટાડે છે અને ભારતની વૈશ્વિક સ્થિતિને મજબૂત બનાવે છે.

રોજગાર સર્જન:

વિદ્યાર્થીઓ અને સુવિધાઓની વધતી સંખ્યાને સંચાલિત કરવા માટે ફેકલ્ટી, વહીવટી સ્ટાફ, સંશોધકો અને સહાયક કર્મચારીઓની ભરતી દ્વારા સીધી રોજગારીનું સર્જન કરવામાં આવશે. ઉપરાંત, IIT કેમ્પસનું વિસ્તરણ આવાસ, પરિવહન અને સેવાઓની માંગ પેદા કરીને સ્થાનિક અર્થતંત્રોને ઉત્તેજિત કરે છે. IIT માંથી સ્નાતકો અને અનુસ્નાતકોની વધતી સંખ્યા નવીનતા અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ વેગ આપે છે, જે વિવિધ ક્ષેત્રોમાં રોજગાર સર્જનમાં ફાળો આપે છે.

રાજ્યો અને જિલ્લાઓ:

આ પાંચ IIT આંધ્ર પ્રદેશ (IIT તિરુપતિ), કેરળ (IIT પલક્કડ), છત્તીસગઢ (IIT ભિલાઈ), જમ્મુ અને કાશ્મીર (IIT જમ્મુ) અને કર્ણાટક (IIT ધારવાડ) રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થિત છે. જો કે, IIT માં પ્રવેશ સમગ્ર ભારતમાં થાય છે અને તેથી આ વિસ્તરણથી દેશભરના તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને ફાયદો થશે.

2025-26ની બજેટ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે:

'છેલ્લા 10 વર્ષમાં 23 IITમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 65,000 થી 100 ટકા વધીને 1.35 લાખ થઈ છે. 2014 પછી શરૂ થયેલા પાંચ IITમાં વધારાના માળખાકીય સુવિધાઓ બનાવવામાં આવશે જેથી 6,500 વધુ વિદ્યાર્થીઓને શિક્ષણની સુવિધા મળશે.

પૃષ્ઠભૂમિ:

આ પાંચ નવા IIT રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશ આંધ્ર પ્રદેશ (IIT તિરૂપતિ), કેરળ (IIT પલક્કડ), છત્તીસગઢ (IIT ભિલાઈ), જમ્મુ અને કાશ્મીર (IIT જમ્મુ) અને કર્ણાટક (IIT ધારવાડ)માં સ્થાપિત કરવામાં આવ્યા હતા. પલક્કડ અને તિરુપતિ ખાતે IITsના શૈક્ષણિક સત્ર 2015-16માં શરૂ થયા હતા અને બાકીના ત્રણ IITs ના શૈક્ષણિક સત્ર 2016-17 માં તેમના કામચલાઉ કેમ્પસમાંથી શરૂ થયા હતા. આ IITs હવે તેમના કાયમી કેમ્પસમાંથી કાર્યરત છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Defence ministry inks Rs 5,083 cr pact for acquisition of six Mk-III light helicopters and missiles

Media Coverage

Defence ministry inks Rs 5,083 cr pact for acquisition of six Mk-III light helicopters and missiles
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister thanks President Emmanuel Macron for Holi greetings
March 04, 2026

The Prime Minister, Shri Narendra Modi, today thanked the President of the French Republic, H.E. Emmanuel Macron, for his Holi greetings.

Responding to the X post of French President about Holi Greetings, Shri Modi posted on X;

“बहुत-बहुत धन्यवाद, मेरे मित्र!

होली के पावन अवसर पर आपको और फ्रांस के लोगों को ढेर सारी खुशियां और समृद्धि की हार्दिक शुभकामनाएं।”