ઉત્તરાખંડના દહેરાદૂનમાં વન સંશોધન સંસ્થાનના પરિસર ખાતે તેઓ ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઉપસ્થિત વિશાળ જન મેદનીને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે યોગ એ વિશ્વને એકત્વના સુત્રથી બાંધનાર સૌથી શક્તિશાળી બળ બની ગયું છે. પ્રધાનમંત્રીએ વન સંશોધન સંસ્થાન પરિસર ખાતે અંદાજે 50,000 યોગ અભ્યાસુઓ અને સ્વયંસેવકો સાથે યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન કર્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આ દરેકને માટે ગૌરવશાળી ક્ષણ છે કે, આજે સમગ્ર વિશ્વમાં લોકો સૂર્યના પ્રકાશ અને ઊર્જાને યોગ સાથે આવકારી રહ્યા છે. દહેરાદૂનથી ડબ્લીન સુધી, શાંઘાઈથી શિકાગો સુધી અને જકાર્તાથી લઈને જોહાનીસ્બર્ગ સુધી, યોગ સર્વત્ર વ્યાપી રહ્યો છે.”

વિશ્વભરમાં ફેલાયેલા યોગ અભ્યાસુઓને એક ખૂબ જ સ્પષ્ટ સંદેશ આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સમગ્ર વિશ્વએ યોગને અપનાવ્યો છે અને તેની ઝાંખી સમગ્ર વિશ્વમાં દર વર્ષે કઈ રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ઉજવવામાં આવે છે તેના પરથી જોઈ શકાય છે. તેમણે આગળ ઉમેર્યું કે યોગ દિવસ સારા આરોગ્ય અને સુખાકારી માટેનું એક સૌથી મોટું જનઆંદોલન બની ગયું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે જો આપણે ઈચ્છીએ છીએ કે સમગ્ર વિશ્વ આપણું સન્માન કરે તો આપણે આપણા પોતાના વારસા અને વિરાસતનું સન્માન કરતા અચકાવું ન જોઈએ. તેમણે જણાવ્યું કે યોગ એ સુંદર છે કારણ કે તે પ્રાચીન છે અને આધુનિક પણ છે; તે સતત છે અને છતાં નવ પલ્લવિત પણ છે; તેની અંદર આપણા ભૂતકાળ અને વર્તમાનની શ્રેષ્ઠ બાબતો રહેલી છે અને તે આપણા ભવિષ્ય માટે આશાનું કિરણ છે.

યોગની ક્ષમતા વિષે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વ્યક્તિગત રીતે અથવા સમાજ તરીકે આપણે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તે દરેકનું સમાધાન યોગમાં રહેલું છે. તેમણે કહ્યું કે, યોગ તણાવ અને અર્થહીન ચિંતાઓને દુર કરીને શાંત, રચનાત્મક તથા સંતોષી જીવન તરફ દોરી જાય છે. “વિભાજીત કરવાના બદલે, યોગ જોડે છે. દુશ્મનાવટ વધારવાના બદલે યોગ તેને ખતમ કરે છે. તકલીફોને વધારવાના બદલે યોગ તેને મટાડે છે.”

 

Click here to read PM's speech

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka

Media Coverage

Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 5 ડિસેમ્બર 2025
December 05, 2025

Unbreakable Bonds, Unstoppable Growth: PM Modi's Diplomacy Delivers Jobs, Rails, and Russian Billions