Inculcate team spirit, and work towards breaking silos: PM to IAS Officers
The decisions taken should never be counter to national interest: PM to IAS Officers
The decisions should not harm the poorest of the poor: PM to IAS Officers

આસિસ્ટન્ટ સચિવોના વિદાય સમારંભના ભાગ તરીકે 2014ની બેચના આઈએએસ ઓફિસરોએ આજે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સમક્ષ પ્રેઝન્ટેશન કર્યું હતું

વહિવટના વિવિધ વિષયો ઉપર ઓફિસરો દ્વારા 8 પ્રેઝન્ટેશન રજૂ કરાયા હતા. આ વિષયોમાં ડીબીટી, સ્વચ્છ ભારત, ઈ-કોર્ટસ, ટુરિઝમ હેલ્થ અને વહિવટમાં સેટેલાઈટ એપ્લિકેશનના ઉપયોગ જેવા વિષયોનો સમાવેશ થતો હતો.

આ પ્રસંગે વાત કરતા પ્રધાનમંત્રીએ યુવાન અધિકારીઓને તેમના ઊંડાણ ભર્યા પ્રેઝન્ટેશન માટે અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે આઈએએસ ઓફિસરો આસિ. સેક્રેટરી તરીકે જોડાવાથી એક એવી તંત્ર વ્યવસ્થા ઊભી થશે કે જેમાં યુવાન અને અનુભવી અધિકારીઓનો સમન્વય થશે. તેમણે કહ્યું કે, આજે રજૂઆત થઈ છે તે પ્રકારના પરિણામોથી તેમને સંતોષ થયો છે. આ વિઝન હાંસલ થવાના માર્ગે છે.

પ્રધાનમંત્રીશ્રીએ ઓફિસરોને સંઘ ભાવના વિકસાવવાનો અનુરોધ કર્યો હતો અને જણાવ્યુ હતું કે તે જે કોઈ ક્ષમતામાં કામ કરે એક જૂથ થઈને કામ કરે.

 રાજકારણ નીતિથી આગળ વધવું જોઈએ નહીં તેવો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ અધિકારીઓને અનુરોધ કર્યો કે તેમની નિર્ણય પધ્ધતિમાં બે મંત્ર અપનાવે (1) નિર્ણય કોઈ દિવસ રાષ્ટ્રહિતની વિરૂધ્ધ નહીં હોવો જોઈએ અને (2) આ નિર્ણયથી ગરીબોમાં પણ ગરીબને નુકશાન નહીં થવું જોઈએ.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's manufacturing outlook remains resilient despite global headwinds; machine tools, metals and auto lead optimism

Media Coverage

India's manufacturing outlook remains resilient despite global headwinds; machine tools, metals and auto lead optimism
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 1 જુલાઈ 2026
July 01, 2026

PM Modi's Vision: Driving Digital Empowerment, Inclusive Development and India's Global Rise