ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, યશસ્વી અને લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીગણ, કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદગણ, ધારાસભ્યો અને મારા ભાઈઓ અને બહેનો,

ચૌરી-ચૌરાની પવિત્ર ભૂમિ પર દેશની માટે બલિદાન આપનારા, દેશના સ્વતંત્રતા સંગ્રામને એક નવી દિશા આપનારા, વીર શહીદોના ચરણોમાં, હું પ્રણામ કરું છું, આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું. આ કાર્યક્રમમાં જુદા જુદા જિલ્લાઓમાં શહીદો અને સ્વતંત્રતા સંગ્રામ સેનાનીઓના પરિજન પણ ઉપસ્થિત છે. અનેક સ્વતંત્રતા સેનાનીઓના પરિવારો આજે ઓનલાઈન પણ જોડાયેલા છે. આપ સૌને પણ હું અભિનંદન પાઠવું છું, આદર કરું છું.

સાથીઓ,

સો વર્ષ પહેલા ચૌરી ચૌરામાં જે થયું, તે માત્ર એક આગ લાગવાની ઘટના, એક ચોકીમાં આગ લગાડી દેવાની ઘટના માત્ર જ નહોતી. ચૌરી ચૌરાનો સંદેશ બહુ મોટો હતો, ખૂબ વ્યાપક હતો. અનેક કારણોસર પહેલા જ્યારે પણ ચૌરી ચૌરાની વાત થઈ, તેને એક સામાન્ય આગ લગાડવાની ઘટનાના સંદર્ભમાં જ જોવામાં આવી. પરંતુ આગ લાગવાની ઘટના કેવી પરિસ્થિતિમાં થઈ, શું કારણ હતું, તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે. આગ ચોકીમાં નહોતી લાગી, આગ જન–જનના દિલોમાં પ્રજ્વલિત થઈ ચૂકી હતી. ચૌરી ચૌરાના ઐતિહાસિક સંગ્રામને આજે દેશના ઇતિહાસમાં જે સ્થાન આપવામાં આવી રહ્યું છે, તેની સાથે જોડાયેલ દરેક પ્રયાસ ખૂબ પ્રશંસનીય છે. હું યોગીજી અને તેમની સંપૂર્ણ ટીમને તેની માટે અભિનંદન આપું છું. આજે ચૌરી ચૌરાની શતાબ્દી પર એક ટપાલ ટિકિટ પણ જાહેર કરવામાં આવી છે. આજથી શરૂ થઈ રહેલ આ કાર્યક્રમ સંપૂર્ણ વર્ષ દરમિયાન આયોજિત કરતો રહેવામાં આવશે. આ દરમિયાન ચૌરી ચૌરા સાથે જ દરેક ગામ, દરેક ક્ષેત્રના વીર બલિદાનીઓને પણ યાદ કરવામાં આવશે. આ વર્ષે જ્યારે દેશ પોતાની આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે, તે સમયે આવા સમારોહોનું આયોજન થવું, તે તેને વધારે પ્રાસંગિક બનાવી દે છે.

સાથીઓ,

ચૌરી–ચૌરા એ દેશના સામાન્ય માનવીનો સ્વતઃ સ્ફુરિત સંગ્રામ હતો. તે દુર્ભાગ્ય છે કે ચૌરી–ચૌરાના શહીદોની ઘણી વધારે ચર્ચા નથી થઈ શકી. આ સંગ્રામના શહીદોને, ક્રાંતિકારીઓને ઇતિહાસના પન્નાઓમાં ભલે પ્રમુખ સ્થાન ના આપવામાં આવ્યું હોય પરંતુ આઝાદી માટે તેમનું લોહી દેશની માટીમાં જરૂરથી ભળેલું છે કે જે આપણને હંમેશા પ્રેરણા આપતું રહે છે. જુદા–જુદા ગામડાઓ, જુદી–જુદી આયુ, જુદી–જુદી સામાજિક પૃષ્ઠભૂમિ, પરંતુ એક સાથે મળીને તે સૌ મા ભારતીના વીર સંતાનો હતા. આઝાદીના આંદોલનમાં સંભવતઃ એવા બહુ ઓછા પ્રસંગો હશે, એવી બહુ ઓછી ઘટનાઓ હશે જેમાં કોઈ એક ઘટના ઉપર 19 સ્વતંત્ર સેનાનીઓને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યા હોય. અંગ્રેજી હકૂમત તો સેંકડો સ્વતંત્રતા સંગ્રામીઓને ફાંસી આપવા ઉપર લાગેલી હતી. પરંતુ બાબા રાઘવદાસ અને મહામના માલવીયજીના પ્રયાસોના કારણે લગભગ–લગભગ 150 લોકોને ફાંસીની સજામાંથી બચાવી લેવામાં આવ્યા હતા. એટલા માટે આજનો દિવસ વિશેષ રૂપે બાબા રાઘવદાસ અને મહામના મદન મોહન માલવીયજીને પણ પ્રણામ કરવાનો દિવસ છે, તેમનું સ્મરણ કરવાનો છે.

સાથીઓ,

મને ખુશી છે કે આ સંપૂર્ણ અભિયાન વડે આપણાં વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ, યુવાનોને પ્રતિયોગિતાના માધ્યમથી પણ જોડવામાં આવી રહ્યા છે. આપણાં યુવાનો જે અભ્યાસ કરશે તેનાથી તેમને ઇતિહાસના કેટલાય અજાણ્યા પાસાઓ વિષે માહિતી મળશે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે પણ આઝાદીના 75 વર્ષ પૂરા થવાના અવસર પર યુવા લેખકોને સ્વતંત્રતા સેનાનીઓ ઉપર પુસ્તક લખવા માટે, ઘટનાઓ પર પુસ્તક લખવા માટે, સંશોધન પત્રો લખવા માટે આમંત્રિત કર્યા છે. ચૌરી–ચૌરા સંગ્રામના કેટલાય એવા વીર સેનાનીઓ છે જેમના જીવનને તમે દેશની સમક્ષ લાવી શકો તેમ છો. ચૌરી–ચૌરા શતાબ્દીના આ કાર્યક્રમોને સ્થાનિક કળા સંસ્કૃતિ અને આત્મનિર્ભરતા સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રયાસ પણ આપણાં સ્વતંત્રતા સેનાનીઓ પ્રત્યે આપણી શ્રદ્ધાંજલિ હશે. હું આ આયોજન માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી અને યુપી સરકારની પણ પ્રશંસા કરું છું.

સાથીઓ,

સમૂહિકતાની જે શક્તિએ ગુલામીની બેડીઓને તોડી હતી, તે જ શક્તિ ભારતને દુનિયાની મોટી તાકાત પણ બનાવશે. સામુહિકતાની આ જ શક્તિ આત્મનિર્ભર ભારત અભિયાનનો મૂળભૂત આધાર છે. આપણે દેશને 130 કરોડ દેશવાસીઓ માટે પણ આત્મનિર્ભર બનાવી રહ્યા છે અને સંપૂર્ણ વૈશ્વિક પરિવાર માટે પણ. તમે જરા કલ્પના કરો, આ કોરોના કાળમાં, જ્યારે ભારતે 150થી વધુ દેશોના નાગરિકોની મદદ માટે જરૂરી દવાઓ મોકલી હતી, જ્યારે ભારતે દુનિયાના જુદા–જુદા દેશોમાંથી પોતાના 50 લાખથી વધુ નાગરિકોને સ્વદેશ લાવવાનું કામ કર્યું હતું, જ્યારે ભારતે અનેક દેશોના હજારો નાગરિકોને સુરક્ષિત તેમના પોતાના દેશમાં મોકલી આપ્યા હતા, જ્યારે આજે ભારત પોતે કોરોનાની રસી બનાવી રહ્યું છે, દુનિયાના મોટા મોટા દેશો કરતાં પણ વધુ ઝડપી ગતિએ રસીકરણ થઈ રહ્યું છે, જ્યારે ભારત માનવ જીવનની રક્ષાને ધ્યાનમાં રાખીને આખી દુનિયાને રસી આપી રહ્યું છે તો આપણાં સ્વતંત્રતા સેનાનીઓને, જ્યાં પણ તેમની આત્મા હશે ત્યાં જરૂરથી ગર્વ થતો હશે.

સાથીઓ,

આ અભિયાનને સફળ બનાવવા માટે અભૂતપૂર્વ પ્રયાસોની પણ જરૂરિયાત છે. આ ભગીરથ પ્રયાસોની એક ઝલક, આપણને આ વખતના બજેટમાં પણ જોવા મળી છે. કોરોના કાળમાં દેશની સામે જે પડકારો આવ્યા છે તેમના સમાધાનને આ બજેટ નવી ગતિ આપવાનું છે. સાથીઓ, બજેટની પહેલા અનેક દિગ્ગજો એવું કહી રહ્યા હતા કે દેશે આટલા મોટા સંકટનો સામનો કર્યો છે, એટલા માટે સરકારને કર વધારવો જ પડશે, દેશના સામાન્ય નાગરિક પર બોજ નાખવો જ પડશે, નવા નવા કર લગાવવા જ પડશે. પરંતુ આ બજેટમાં દેશવાસીઓ પર કોઈ બોજ વધારવામાં નથી આવ્યો. ઉપરથી દેશને વધારે ઝડપથી આગળ વધારવા માટે સરકારે વધુમાં વધુ ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. આ ખર્ચ દેશમાં પહોળા રસ્તાઓ બનાવવા માટે થશે, આ ખર્ચ તમારા ગામડાઓને શહેરો સાથે, બજારો સાથે, મંડીઓ સાથે જોડવા માટે થશે, આ ખર્ચ વડે પુલ બનશે, રેલવેના પાટા પાથરવામાં આવશે, નવી રેલવે ચાલશે, નવી બસો પણ ચલાવવામાં આવશે. શિક્ષણ, ભણતર ગણતરની વ્યવસ્થા સારી બને, આપણાં યુવાનોને વધુ સારા અવસરો મળે, તેની માટે પણ બજેટમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. અને સાથીઓ, આ બધા જ કામો માટે કામ કરનારા લોકોની પણ તો જરૂર પડશે. જ્યારે સરકાર નિર્માણ પર વધુ ખર્ચ કરશે તો દેશના લાખો નવયુવાનોને રોજગાર પણ મળશે. રોજગારીના નવા રસ્તાઓ ખુલશે.

સાથીઓ,

દાયકાઓથી આપણાં દેશમાં બજેટનો અર્થ માત્ર એટલો જ રહી ગયો હતો કે કોના નામ પર કઈ જાહેરાત કરવામાં આવી! બજેટને વોટ બેન્કના હિસાબ કિતાબનું વહી ખાતું બનાવી દેવામાં આવ્યું હતું. તમે વિચાર કરો, તમે પણ તમારા ઘરમાં આવનાર ખર્ચાઓના લેખાં જોખાં તમારી વર્તમાન અને ભવિષ્યની જવાબદારીઓ અનુસાર કરો છો. પરંતુ પહેલાંની સરકારોએ બજેટને એવી જાહેરાતોનું માધ્યમ બનાવી દીધું હતું કે જે તેઓ પૂરી નહોતી કરી શકતા. હવે દેશે તે વિચારધારા બદલી નાંખી છે, અભિગમ બદલી નાખ્યો છે.

સાથીઓ,

કોરોના કાળમાં ભારતે જે રીતે આ મહામારી સામે લડાઈ લડી છે, આજે તેની પ્રશંસા આખી દુનિયામાં થઈ રહી છે. આપણાં રસીકરણ અભિયાન દ્વારા પણ દુનિયાના અનેક દેશો શીખી રહ્યા છે. હવે દેશનો પ્રયાસ છે કે દરેક ગામ કસ્બામાં પણ ઈલાજની એવી વ્યવસ્થા કરવામાં આવે કે દરેક નાની મોટી બીમારી માટે શહેરની બાજુ ના ભાગવું પડે. એટલું જ નહિ, શહેરોમાં પણ દવાખાનાઓમાં ઈલાજ કરાવવામાં તકલીફ ના પડે, તેની માટે પણ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. અત્યાર સુધી તમારે કોઈ મોટો ટેસ્ટ અથવા ચેક અપ કરાવવું હોય છે તો તમારે તમારા ગામમાંથી બહાર નીકળીને ગોરખપુર જવું પડે છે. અથવા તો પછી ઘણી વાર લખનઉ કે બનારસ સુધી લાંબા થવું પડે છે. તમને આ તકલીફોમાંથી બચાવવા માટે હવે બધા જ જિલ્લાઓમાં આધુનિક ટેસ્ટિંગ લેબ બનાવવામાં આવશે, જિલ્લામાં જ ચેક અપની વ્યવસ્થા હશે અને એટલા માટે દેશે બજેટમાં સ્વાસ્થ્યના ક્ષેત્રમાં પહેલેથી જ ઘણો વધુ ખર્ચ કરવાની વ્યવસ્થા કરી છે.

સાથીઓ,

આપણાં દેશની પ્રગતિનો સૌથી મોટો આધાર આપણો ખેડૂત પણ રહ્યો છે. ચૌરી ચૌરાના સંગ્રામમાં તો ખેડૂતોની બહુ મોટી ભૂમિકા હતી. ખેડૂતો આગળ વધશે, આત્મનિર્ભર બને તેની માટે છેલ્લા 6 વર્ષોમાં ખેડૂતો અંતે સતત પ્રયાસો કરવામાં આવ્યા છે. તેનું પરિણામ દેશે કોરોના કાળમાં જોયું પણ છે. મહામારીના પડકારોની વચ્ચે પણ આપણું કૃષિ ક્ષેત્ર મજબૂતી સાથે આગળ વધ્યું અને ખેડૂતોએ રેકોર્ડ ઉત્પાદન કરીને દેખાડ્યું છે.

આપણો ખેડૂત જો સશક્ત હશે, તો કૃષિ ક્ષેત્રમા આ પ્રગતિ હજી વધારે ઝડપી બનશે. તેની માટે આ બજેટમાં અનેક પગલાઓ ભરવામાં આવ્યા છે. બજારો ખેડૂતોના ફાયદાના બજારો બને, તેની માટે 1000 વધારે બજારોને ઇ-નામ સાથે જોડવામાં આવશે. એટલે કે, બજારોમાં જ્યારે ખેડૂત પોતાનો પાક વેચવા જશે તો તેને વધારે સરળતા રહેશે. તે પોતાનો પાક ગમે ત્યાં વેચી શકશે.

તેની સાથે જ ગ્રામીણ ક્ષેત્ર માટે ઇન્ફ્રાસ્ટ્રકચર ભંડોળને વધારીને 40 હજાર કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. તેનો પણ સીધો લાભ ખેડૂતને મળશે. આ બધા જ નિર્ણયો, આપણાં ખેડૂતોને આત્મનિર્ભર બનાવશે, કૃષિને લાભ વ્યાપાર બનાવશે. અહિયાં યુપીમાં જે કેન્દ્ર સરકારે જે પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના શરૂ કરી છે તે પણ દેશના ગામડાઓના વિકાસમાં મહત્વની ભૂમિકા નિભાવવાની છે. આ યોજના અંતર્ગત ગામડાની જમીનો, ગામના ઘરોના કાગળિયા, ગામના લોકોને આપવામાં આવી રહ્યા છે. જ્યારે આપણી જમીનના સાચા કાગળિયા હશે, પોતાના ઘરના સાચા કાગળિયા હશે તો તેનું મૂલ્ય તો વધશે જ પરંતુ બેન્કો પાસેથી પણ બહુ સરળતાથી ધિરાણ મળી શકશે. ગામના લોકોના ઘર અને જમીન પર કોઈ પોતાની ખોટી દ્રષ્ટિ પણ નહીં નાંખી શકે. તેનો બહુ મોટો લાભ, દેશના નાના ખેડૂતોને, ગામના ગરીબ પરિવારોને થશે.

સાથીઓ,

આજે આ પ્રયાસ કઈ રીતે દેશનું ચિત્ર બદલી રહ્યા છે, ગોરખપુર પોતે પણ તેનું બહુ મોટું ઉદાહરણ છે. ક્રાંતિકારીઓની આ ધરતી, કેટલાય બલિદાનોનું સાક્ષી ક્ષેત્ર છે આ, પરંતુ પહેલા અહિયાં કેવું ચિત્ર રહેતું હતું? અહિયાં કારખાનાઓ બંદ થઈ રહ્યા હતા, રસ્તાઓ જર્જર હાલતમાં હતા, દવાખાના પોતે જ બીમાર જેવા થઈ ગયા હતા. પરંતુ હવે ગોરખપુર ખાતર કારખાનું ફરીથી શરૂ થઈ રહ્યું છે. તેનાથી ખેડૂતોને તો લાભ મળશે જ અને યુવાનોને પણ રોજગાર મળશે.

આજે ગોરખપુરમાં એઈમ્સ બની રહી છે, અહિયાની મેડિકલ કોલેજ અને દવાખાના બાળકોના જીવન બચાવી રહ્યા છે. છેલ્લા અનેક દાયકાઓથી અહિયાં એનસિફેલાઇટીસ કે જેનો ઉલ્લેખ હમણાં યોગીજીએ કર્યો હતો તે બાળકોનું જીવન ભરખી રહી હતી. પરંતુ યોગીજીના નેતૃત્વમાં ગોરખપુરના લોકોએ જે કામ કર્યું, હવે તેની પ્રશંસા દુનિયાની મોટી મોટી સંસ્થાઓ કરી રહી છે. હવે તો દેવરિયા, કુશીનગર, બસ્તી, મહારાજગંજ અને સિદ્ધાર્થનગરમાં પણ નવા મેડિકલ કોલેજો બની રહ્યા છે.

સાથીઓ,

પહેલા પૂર્વાંચલની બીજી પણ એક મોટી સમસ્યા હતી. તમને યાદ હશે, પહેલા કોઈને જો 50 કિલોમીટર પણ જવું પડતું હતું તો પણ ત્રણ ચાર કલાક પહેલા નીકળવું પડતું હતું. પરંતુ આજે અહિયાં ચાર લેન અને છ લેન રસ્તાઓ બની રહ્યા છે. એટલું જ નહિ, ગોરખપુરથી 8 શહેરો માટે ફ્લાઇટની સુવિધા પણ બનાવવામાં આવી છે. કુશીનગરમાં બની રહેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અહિયાં પ્રવાસન ક્ષેત્રને પણ આગળ વધારશે.

સાથીઓ,

આ વિકાસ, આત્મનિર્ભરતા માટે આ પરિવર્તન આજે દરેક સ્વતંત્રતા સેનાનીને દેશની શ્રદ્ધાંજલિ છે. આજે જ્યારે આપણે ચૌરી ચૌરા શતાબ્દી વર્ષ ઉજવી રહ્યા છીએ તો આપણે આ પરિવર્તનને સામૂહિક ભાગીદારી સાથે આગળ વધારવાનો સંકલ્પ લેવાનો છે. આપણે એ પણ સંકલ્પ લેવાનો છે કે દેશની એકતા આપણી માટે સૌથી પહેલા છે, દેશનું સન્માન આપણી માટે સૌથી મોટું છે. આ જ ભાવના સાથે આપણે દરેક દેશવાસીને સાથે લઈને આગળ વધવાનું છે.

મને વિશ્વાસ છે કે જે યાત્રા આપણે શરૂ કરી છે તેને આપણે એક નવા ભારતના નિર્માણ સાથે પૂરી કરીશું.

હું ફરી એકવાર શહીદોની આ શતાબ્દી વેળા પર, આખા વર્ષ દરમિયાન એક વાત ક્યારેય ના ભૂલતા કે તેઓ દેશ માટે શહિદ થયા હતા. તેઓ શહીદ થયા તેના કારણે આજે આપણે સ્વતંત્ર થયા, તેઓ દેશ માટે મરી શક્યા, પોતાની જાતને મારી શક્યા, પોતાના સપનાઓની આહુતિ આપી શક્યા, ઓછામાં ઓછું આપણે મરવાની નોબત તો નથી આવી પરંતુ દેશની માટે જીવવાનો સંકલ્પ જરૂરથી લઈએ. તેમને સૌભાગ્ય મળ્યું દેશની માટે મરવાનું, આપણને સૌભાગ્ય મળ્યું છે દેશની માટે જીવવાનું. આ શતાબ્દી વર્ષ ચૌરી ચૌરાના શહીદોનું સ્મરણ કરીને, આ આપણી માટે સંકલ્પ વર્ષ બનવું જોઈએ. આપણી માટે સપનાઓને સાકાર કરવાનું વર્ષ બનવું જોઈએ. આપણી માટે તન મનથી જન જનની ભલાઈ કરવા લાગી જવા માટેનું બનવું જોઈએ. તો જ આ શહીદીના સો વર્ષ આપણને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો એક પોતાનામાં જ અવસર બની જશે અને તેમની શહીદી આપણી પ્રેરણાનું કારણ બનશે.

આ જ ભાવના સાથે, હું ફરી એકવાર આપ સૌનો ખૂબ-ખૂબ આભાર પ્રગટ કરું છું.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
With HPV vaccine rollout, AIIMS oncologist says it’s the beginning of the end for cervical cancer in India

Media Coverage

With HPV vaccine rollout, AIIMS oncologist says it’s the beginning of the end for cervical cancer in India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
The HPV vaccination campaign, launched from Ajmer, marks a significant step towards empowering the nation’s Nari Shakti: PM Modi in Rajasthan
February 28, 2026
Our government is committed to all-round development: PM
Today, I had the privilege of launching the nationwide HPV vaccination campaign from Ajmer, inaugurating and laying foundation stones for multiple projects and distributing appointment letters to the youth: PM
The HPV vaccination campaign has commenced from Ajmer, this campaign is a significant step towards empowering the Nari Shakti of the country: PM
The double-engine government is moving forward by taking both Rajasthan’s heritage and development together: PM
The campaign to link rivers started by our government will significantly benefit Rajasthan: PM
There is no shortage of sunlight in Rajasthan, this very sunshine is becoming a source of savings and income for the common man: PM
A very significant role is being played by the PM Surya Ghar Free Electricity Scheme, this scheme has the power to change Rajasthan's destiny: PM

भारत माता की जय।

भारत माता की जय।

भारत माता की जय।

तीर्थराज पुष्कर और माता सावित्री की इस पावन भूमि पर, आज मुझे आप सबके बीच आने का, आपके आशीर्वाद प्राप्त करने का अवसर मिला है। इस मंच से मैं सुरसुरा के तेजाजी धाम को, पृथ्वीराज की भूमि अजमेर को प्रणाम करता हूं।

मेरे साथ बोलिए –

तीर्थराज पुष्कर की जय।

तीर्थराज पुष्कर की जय।

वीर तेजाजी महाराज की जय।

वीर तेजाजी महाराज की जय।

भगवान देव नारायण की जय।

भगवान देव नारायण की जय।

वरूण अवतार भगवान झूलेलाल जी की जय।

भगवान झूलेलाल जी की जय।

मंच पर विराजमान राजस्थान के राज्यपाल हरिभाउ बागडे जी, राज्य के लोकप्रिय मुख्यमंत्री श्री भजनलाल शर्मा जी, पूर्व मुख्यमंत्री बहन वसुंधरा जी, केंद्रीय मंत्रिमंडल में मेरे साथी भगीरथ चौधरी जी, उपमुख्यमंत्री प्रेमचंद भैरवा जी, दिया कुमारी जी, संसद में मेरे साथी, भाजपा के प्रदेश अध्यक्ष मदन राठौर जी, उपस्थित अन्य मंत्रिगण, अन्य महानुभाव और राजस्थान के मेरे प्यारे भाई और बहनों। मैं पूज्य संतों का बहुत आभारी हूं, कि हमें आशीर्वाद देने के लिए इतनी बड़ी संख्या में पूज्य संतगण यहां मौजूद हैं।

साथियों,

अजमेर आस्था और शौर्य की धरती है। यहां तीर्थ भी है और क्रांतिवीरों के पदचिन्ह भी हैं। अभी कल ही मैं इजराइल की यात्रा को पूरा करके भारत लौटा हूं। राजस्थान के सपूत मेजर दलपत सिंह के शौर्य को इजराइल के लोग आज भी गौरव से याद करते हैं। मुझे भी इजराइल की संसद में, मेजर दलपत सिंह जी के शौर्य को नमन करने का सौभाग्य मिला। राजस्थान के वीर बाकुरों की, इजराइल के हाइफा शहर को आजाद कराने में जो भूमिका थी, मुझे उसका गौरवगान करने का अवसर मिला है।

साथियों,

कुछ समय पहले ही, राजस्थान में भाजपा की डबल इंजर सरकार को दो साल पूरे हुए हैं, मुझे संतोष है कि आज राजस्थान विकास के नए पथ पर अग्रसर है। विकास के जिन वायदों के साथ भाजपा सरकार आपकी सेवा में आई थी, उन्हें तेजी के साथ पूरा कर रही है। और आज का दिन, विकास के इसी अभियान को तेज करने का दिवस है। थोड़ी देर पहले यहां राजस्थान के विकास से जुड़ी करबी 17 हजार करोड़ रूपयों की परियोजनाओं का शिलान्यास और लोकार्पण हुआ है। सड़क, बिजली, पानी, स्वास्थ्य, शिक्षा, हर क्षेत्र में नई शक्ति जुड़ रही है। ये सारे प्रोजेक्टस राजस्थान की जनता की सुविधा बढ़ाएंगे और राजस्थान के युवाओं के लिए, रोजगार के भी अवसर पैदा करेंगे।

साथियों,

भाजपा की डबल इंजर सरकार लगातार युवा शक्ति को सशक्त कर रही है। दो साल पहले तक राजस्थान से भर्तियों में भ्रष्टाचार और पेपर लीक की ही खबरें चमकती रहती थीं, आती रहती थीं। अब राजस्थान में पेपर लीक पर लगाम लगी है, दोषियों पर सख्त कार्रवाई हो रही है। आज यहां इसी मंच से राजस्थान के 21 हजार से अधिक युवाओं को नियुक्ति पत्र भी सौंपे गए हैं। ये बहुत बड़ा बदलाव आया है। मैं इस बदलाव के लिए, नई नौकरियों के लिए, विकास के सभी कामों के लिए, राजस्थान के आप सभी लोगों को बहुत-बहुत बधाई देता हूं।

साथियों,

आज वीरांगनाओं की इस धरती से, मुझे देशभर की बेटियों के लिए एक अहम अभियान शुरू करने का अवसर मिला है। यहां अजमेर से HPV वैक्सीनेशन अभियान शुरू हुआ है। ये अभियान, देश की नारीशक्ति को सशक्त करने की दिशा में अहम कदम है।

साथियों,

हम सब जानते हैं कि परिवार में जब मां बीमार होती है, तो घर बिखर सा जाता है। अगर मां स्वस्थ है, तो परिवार हर संकट का सामना करने में सक्षम रहता है। इसी भाव से, भाजपा सरकार ने महिलाओं को संबल देने वाली अनेक योजनाएं चलाई हैं।

साथियों,

हमने 2014 से पहले का वो दौर देखा है, जिसमें शौचालय के अभाव में बहनों-बेटियों को कितनी पीड़ा, कितना अपमान झेलना पड़ता था। बच्चियां स्कूल छोड़ देती थीं, क्योंकि वहां अलग टॉयलेट की सुविधा नहीं होती थी। गरीब बेटियां सेनिटरी पैड्स नहीं ले पाती थीं। पहले जो सत्ता में रहे, उनके लिए ये छोटी बातें थीं। इसलिए इन समस्याओं की चर्चा तक नहीं होती थी। लेकिन हमारे लिए ये बहनों-बेटियों को बीमार करने वाला, उनके अपमान से जुड़ा संवेदनशील मसला था। इसलिए, हमने इनका मिशन मोड पर समाधान किया।

साथियों,

गर्भावस्था के दौरान कुपोषण माताओं के जीवन के लिए बहुत बड़ा खतरा होता था। हमने सुरक्षित मातृत्व के लिए योजना चलाई, मां को पोषक आहार मिले, इसके लिए पांच हज़ार रुपए बहनों के खाते में जमा करने की योजना शुरु की। मां धुएं में खांसती रहती थी, लेकिन उफ्फ तक नहीं करती थी। हमने कहा ये नहीं चलेगा। और इसलिए उज्जवला गैस योजना बनाई गई। ये सब इसलिए संभव हुआ, क्योंकि भाजपा सरकार, सत्ता भाव से नहीं, संवेदनशीलता के साथ काम करती है।

साथियों,

21वीं सदी का एक चौथाई हिस्सा बीत चुका है। आज का समय राजस्थान के विकास के लिए बड़ा महत्वपूर्ण है। भाजपा की डबल इंजन सरकार, राजस्थान की विरासत और विकास, दोनों को साथ लेकर चल रही है। हम सब जानते हैं, अच्छी सड़क, अच्छी रेल और हवाई सुविधा सिर्फ सफर आसान नहीं करती, वो पूरे इलाके की किस्मत बदल देती है। जब गांव-गांव तक अच्छी सड़क पहुँचती है, तो किसान अपनी फसल सही दाम पर बेच पाता है। व्यापारी आसानी से अपना सामान बाहर भेज पाते हैं। और हमारा अजमेर-पुष्कर तो, उसकी पर्यटन की ताकत कौन नहीं जानता। अच्छी कनेक्टिविटी का पर्यटन पर सबसे अच्छा असर पड़ता है। जब सफर आसान होता है, तो ज्यादा लोग घूमने आते हैं।

और साथियों,

जब पर्यटक आते हैं तो स्वाभाविक है होटल चलते हैं, ढाबे चलते हैं, कचौड़ी और दाल बाटी ज्यादा बिकती है, यहां राजस्थान के कारीगरों का बनाया सामान बिकता है, टैक्सी चलती है, गाइड को काम मिलता है। यानी एक पर्यटक कई परिवारों की रोज़ी-रोटी बन जाता है। इसी सोच के साथ हमारी सरकार, राजस्थान में आधुनिक कनेक्टिविटी पर बहुत बल दे रही है।

साथियों,

जैसे-जैसे राजस्थान में कनेक्टिविटी का विस्तार हो रहा है, वैसे-वैसे यहां निवेश के लिए भी अवसर लगातार बढ़ते जा रहे हैं। दिल्ली-मुंबई इंडस्ट्रियल कॉरिडोर के इर्द-गिर्द उद्योगों के लिए एक बहुत ही शानदार इंफ्रास्ट्रक्चर बनाया जा रहा है। यानी राजस्थान को अवसरों की भूमि बनाने के लिए, डबल इंजन सरकार हर संभव, अनेक विध काम कर रही है।

साथियों,

राजस्थान की माताएं अपने बच्चों को पालने में ही, राष्ट्र भक्ति का संस्कार देती हैं। राजस्थान की ये धरा जानती है कि देश का सम्मान क्या होता है, और इसीलिए आज राजस्थान की इस धरा पर, मैं आप लोगों से एक और बात कहने आया हूं।

साथियों,

हाल में ही, दिल्ली में, दुनिया का सबसे बड़ा AI सम्मेलन हुआ, Artificial Intelligence इसमें दुनिया के अनेक देशों के प्रधानमंत्री, अनेक देशों के राष्ट्रपति, अनेक देशों के मंत्रि, उस कार्यक्रम में आए थे। दुनिया की बड़ी-बड़ी कंपनियां, उन कंपनियों के कर्ता-धर्ता वो भी एक छत के नीचे इकट्ठे हुए थे। सबने भारत की खुले मन से प्रशंसा की। मैं जरा राजस्थान के मेरे भाई-बहनों से पूछना चाहता हूं। जब दुनिया के इतने सारे लोग, भारत की प्रशंसा करते हैं, ये सुनकर के आपको गर्व होता है की नहीं होता है? आपको गर्व होता है कि नहीं होता है? आपको अभिमान होता है कि नहीं होता है? आपका माथा ऊंचा हुआ या नहीं हुआ? आपका सीना चौड़ा हुआ कि नहीं हुआ?

साथियों,

आपको गर्व हुआ, लेकिन हताशा निराशा में डूबी, लगातार पराजय के कारण थक चुकी कांग्रेस ने क्या किया, ये आपने देखा है। दुनियाभर के मेहमानों के सामने, कांग्रेस ने देश को बदनाम करने की कोशिश की। इन्होंने विदेशी मेहमानों के सामने देश को बेइज्जत करने के लिए पूरा ड्रामा किया।

साथियों,

कांग्रेस, पूरे देश में ल्रगातार हार रही है, और गुस्से में वो इसका बदला, वो भारत को बदनाम करके ले रही है। कभी कांग्रेस, INC यानी इंडियन नेशनल कांग्रेस थी, लेकिन अब INC नहीं बची है, इंडियन नेशनल कांग्रेस नहीं बची है, आज वो INC के बजाय MMC, MMC बन गई है। MMC यानी मुस्लिम लीगी माओवादी कांग्रेस हो चुकी है।

राजस्थान के मेरे वीरों,

इतिहास गवाह है, मुस्लिम लीग भारत से नफरत करती थी, और इसलिए मुस्लिम लीग ने देश बांट दिया। आज कांग्रेस भी वही कर रही है। माओवादी भी, भारत की समृद्धि, हमारे संविधान और हमारे सफल लोकतंत्र से नफरत करते हैं, ये घात लगाकर हमला करते हैं, कांग्रेस भी घात लगाकर, देश को बदनाम करने के लिए कहीं भी घुस जाती है। कांग्रेस के ऐसे कुकर्मों को देश कभी माफ नहीं करेगा।

साथियों,

देश को बदनाम करना, देश की सेनाओं को कमजोर करना, ये कांग्रेस की पुरानी आदत रही है। आप याद कीजिए, यही कांग्रेस है, जिसने हमारी सेना के जवानों को हथियारों और वर्दी तक के लिए तरसा कर रखा था। ये वही कांग्रेस है, जिसने सालों तक हमारे सैनिक परिवारों को वन रैंक वन पेंशन से वंचित रखा था। ये वही कांग्रेस है, जिसके जमाने में विदेशों से होने वाले रक्षा सौदों में बड़े-बड़े घोटाले होते थे।

साथियों,

बीते 11 वर्षों में भारत की सेना ने हर मोर्चे पर आतंकियों पर, देश के दुश्मनों पर करारा प्रहार किया। हमारी सेना, हर मिशन, हर मोर्चे में विजयी रही। सर्जिकल स्ट्राइक से लेकर ऑपरेशन सिंदूर तक, वीरता का लोहा मनवाया, लेकिन कांग्रेस के नेताओं ने इसमें भी दुश्मनों के झूठ को ही आगे बढ़ाया। देश के लिए जो भी शुभ है, जो भी अच्छा है, जो भी देशवासियों का भला करने वाला है, कांग्रेस उस सबका विरोध करती है। इसलिए, देश आज कांग्रेस को सबक सिखा रहा है।

साथियों,

राजस्थान में तो आपने कांग्रेस के कुशासन को करीब से अनुभव किया है। यहां जितने दिन कांग्रेस की सरकार रही, वो भ्रष्टाचार करने और आपसी लड़ाई-झगड़े में ही उलझी रही। कांग्रेस ने हमारे किसानों को भी हमेशा धोखा दिया है। आप याद कीजिए, कांग्रेस ने दशकों तक सिंचाई की परियोजनाओं को कैसे लटकाए रखा। इसका राजस्थान के किसानों को बहुत अधिक नुकसान हुआ है। ERCP परियोजना को कांग्रेस की सरकारों ने केवल फाइलों और घोषणाओं में उलझाकर रखा। हमारी सरकार ने आते ही इस स्कीम को फाइलों से निकालकर धरातल पर उतारने का प्रयास किया है।

साथियों,

हमारी सरकार ने नदियों को जोड़ने का जो अभियान शुरु किया है, उसका बहुत अधिक फायदा राजस्थान को मिलना तय है। संशोधित पार्वती-कालीसिंध-चंबल लिंक परियोजना हो, यमुना-राजस्थान लिंक प्रोजेक्ट हो, डबल इंजन सरकार ऐसी अनेक सिंचाई परियोजनाओं का लाभ किसानों तक पहुंचाने के लिए प्रतिबद्ध है। आज भी झालावाड़, बारां, कोटा और बूंदी जिले के लिए पानी की अनेक परियोजनाओं पर काम शुरु हुआ है। हमारा प्रयास है, कि राजस्थान में भूजल का स्तर भी ऊपर उठे।

साथियों,

भाजपा सरकार, राजस्थान के सामर्थ्य को समझते हुए, योजनाएं बना रही है, उन्हें लागू कर रही है। मुझे खुशी है कि राजस्थान अब, सूरज की ताकत से समृद्धि कमाने वाली धरती बन गया है। हम सब जानते हैं, हमारे राजस्थान में धूप की कोई कमी नहीं। अब यही धूप, सामान्य मानवी के घर की बचत और कमाई का साधन बन रही है। और इसमें बहुत बड़ी भूमिका है, प्रधानमंत्री सूर्यघर मुफ्त बिजली योजना की। इस योजना में राजस्थान का भाग्य बदलने की ताकत है। इस योजना में भाजपा सरकार लोगों को अपनी छत पर सोलर पैनल लगाने के लिए 78 हजार रुपए की सहायता देती है। सरकार सीधे आपके बैंक खाते में पैसे भेजती है। आजादी के बाज सब बजट, सब योजनाएं देख लीजिए, जिसमें मध्यम वर्ग को सबसे ज्यादा लाभ होने वाला है, ऐेसी योजना कभी नजर नहीं आएगी, आज इन परिवारों को सोलर पैनल लगाने के लिए 78 हजार रुपए सीधा सरकार देती है। सबसे अधिक लाभ मध्यम वर्ग के लोग ले रहे हैं। और जिससे घर पर एक छोटा सा बिजली घर तैयार हो जाता है। दिन में सूरज की रोशनी से बिजली बनती है, घर में वही बिजली काम आती है और जो ज्यादा बिजली बनती है, वो बिजली ग्रिड में जाती है। और जिस घर में बिजली बनी होती है, उसे भी इसका लाभ मिलता है।

साथियों,

आज राजस्थान में सवा लाख से अधिक परिवार इस योजना से जुड़ चुके हैं। और इस योजना की वजह से, कई घरों का बिजली बिल लगभग जीरो आ रहा है। यानी खर्च कम हुआ है, बचत ज़्यादा हुई है।

साथियों,

विकसित राजस्थान से विकसित भारत के मंत्र पर हम लगातार काम कर रहे हैं। आज जिन योजनाओं पर काम शुरू हुआ है, वो विकसित राजस्थान की नींव को और अधिक मजबूत करेंगे। जब राजस्थान विकसित होगा, तो यहां के हर परिवार का जीवन समृद्ध होगा। आप सभी को एक बार फिर, विकास परियोजनाओं के लिए बहुत-बहुत शुभकामनाएं। मेरे साथ बोलिये-

भारत माता की जय!

भारत माता की जय!

वंदे मातरम के 150 साल देश मना रहा है। मेरे साथ बोलिये-

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

बहुत-बहुत धन्यवाद।