અવકાશ માત્ર એક ગંતવ્ય સ્થાન નથી, પરંતુ જિજ્ઞાસા, હિંમત અને સામૂહિક પ્રગતિની ઘોષણા છે: પ્રધાનમંત્રી
ભારતીય રોકેટ પેલોડ કરતાં ઘણું વધારે વહન કરે છે - તેઓ 1.4 અબજ ભારતીયોના સપના વહન કરે છે: પ્રધાનમંત્રી
ભારતનું પ્રથમ માનવ અવકાશ ઉડાન મિશન - ગગનયાન, અવકાશ ટેકનોલોજીમાં દેશની વધતી જતી આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે: પ્રધાનમંત્રી
ભારતના ઘણા અવકાશ મિશનનું નેતૃત્વ મહિલા વૈજ્ઞાનિકો કરી રહ્યા છે: પ્રધાનમંત્રી
ભારતની અવકાશ દ્રષ્ટિનું મૂળ 'વસુધૈવ કુટુંબકમ'ના પ્રાચીન દર્શનમાં છે: પ્રધાનમંત્રી

વિશ્વભરના પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ, આદરણીય વૈજ્ઞાનિકો, ઈનોવેટર્સ, અવકાશયાત્રીઓ અને મિત્રો,

નમસ્તે!

ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશન કોન્ફરન્સ 2025માં આપ સૌ સાથે જોડાવાનો મને ખૂબ આનંદ છે. અવકાશ એ માત્ર એક ગંતવ્ય સ્થાન નથી. તે જિજ્ઞાસા, હિંમત અને સામૂહિક પ્રગતિની ઘોષણા છે. ભારતની અવકાશ યાત્રા આ ભાવનાને પ્રતિબિંબિત કરે છે. 1963માં એક નાનું રોકેટ લોન્ચ કરવાથી લઈને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરાણ કરનાર પ્રથમ દેશ બનવા સુધી, અમારી સફર નોંધપાત્ર રહી છે. આપણા રોકેટ પેલોડ કરતાં ઘણું વધારે વહન કરે છે. તેઓ 1.4 અબજ ભારતીયોના સપનાઓને સાકાર કરે છે. ભારતની સિદ્ધિઓ મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક સીમાચિહ્નો છે. વધુમાં, તેઓ એ વાતનો પુરાવો છે કે માનવ ભાવના ગુરુત્વાકર્ષણને પડકારી શકે છે. ભારતે 2014માં પોતાના પહેલા પ્રયાસમાં મંગળ પર પહોંચીને ઇતિહાસ રચ્યો હતો. ચંદ્રયાન-1 એ ચંદ્ર પર પાણીની શોધમાં મદદ કરી. ચંદ્રયાન-2 એ આપણને ચંદ્રની સૌથી વધુ રિઝોલ્યુશનવાળી ઈમેજ આપી. ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિશેની આપણી સમજમાં વધારો કર્યો. આપણે રેકોર્ડ સમયમાં ક્રાયોજેનિક એન્જિન બનાવ્યા. આપણે એક જ મિશનમાં 100 ઉપગ્રહો લોન્ચ કર્યા. આપણે આપણા લોન્ચ વાહનો પર 34 દેશોના 400 થી વધુ ઉપગ્રહો લોન્ચ કર્યા છે. આ વર્ષે આપણે બે ઉપગ્રહો અવકાશમાં મોકલ્યા, જે એક મોટું પગલું છે.

 

મિત્રો,

ભારતની અવકાશ યાત્રા અન્ય લોકો સાથે સ્પર્ધા કરવા વિશે નથી. તે સાથે મળીને નવી ઊંચાઈઓ સુધી પહોંચવા વિશે છે. માનવતાના ભલા માટે અવકાશનું અન્વેષણ કરવાનું આપણે સાથે મળીને એક સામાન્ય ધ્યેય ધરાવીએ છીએ. અમે દક્ષિણ એશિયાઈ દેશો માટે એક ઉપગ્રહ લોન્ચ કર્યો. હવે, અમારા અધ્યક્ષતા દરમિયાન જાહેર કરાયેલ G20 સેટેલાઇટ મિશન ગ્લોબલ સાઉથ માટે ભેટ હશે. આપણે વૈજ્ઞાનિક સંશોધનની સીમાઓને આગળ ધપાવીને નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનું ચાલુ રાખીએ છીએ. આપણું પહેલું માનવ અવકાશ-ઉડાન મિશન, 'ગગનયાન', આપણા દેશની વધતી જતી આકાંક્ષાઓને ઉજાગર કરે છે. આગામી અઠવાડિયામાં, એક ભારતીય અવકાશયાત્રી આંતરરાષ્ટ્રીય અવકાશ મથકના ઇસરો-નાસાના સંયુક્ત મિશનના ભાગ રૂપે અવકાશમાં પ્રવાસ કરશે. 2035 સુધીમાં ભારતીય અવકાશ મથક સંશોધન અને વૈશ્વિક સહયોગમાં નવા પરિમાણો ખોલશે. 2040 સુધીમાં ચંદ્ર પર એક ભારતીયના પગલાનું નિશાન હશે. મંગળ અને શુક્ર પણ આપણા રડાર પર છે.

મિત્રો,

ભારત માટે, અવકાશ એ શોધખોળની સાથે સશક્તિકરણનો પણ વિષય છે. તે શાસનને સશક્ત બનાવે છે, આજીવિકામાં વધારો કરે છે અને પેઢીઓને પ્રેરણા આપે છે. માછીમારોની ચેતવણીઓથી લઈને ગતિ શક્તિ પ્લેટફોર્મ સુધી, રેલવે સલામતીથી લઈને હવામાન આગાહી સુધી, આપણા ઉપગ્રહો દરેક ભારતીયના કલ્યાણનું ધ્યાન રાખે છે. અમે આપણા અવકાશ ક્ષેત્રને સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગસાહસિકો અને યુવા દિમાગ માટે ખુલ્લું મૂક્યું છે. આજે ભારતમાં 250થી વધુ અવકાશ સ્ટાર્ટઅપ્સ છે. તેઓ સેટેલાઇટ ટેકનોલોજી, પ્રોપલ્શન સિસ્ટમ્સ, ઇમેજિંગ અને વધુમાં અત્યાધુનિક પ્રગતિમાં યોગદાન આપી રહ્યા છે. અને તમે જાણો છો, તે વધુ પ્રેરણાદાયક છે કે આપણા ઘણા મિશન મહિલા વૈજ્ઞાનિકો દ્વારા સંચાલિત છે.

 

મિત્રો,

ભારતનો અવકાશ દ્રષ્ટિકોણ 'વસુધૈવ કુટુંબકમ' ના પ્રાચીન જ્ઞાન પર આધારિત છે, જેનો અર્થ થાય છે કે, વિશ્વ એક પરિવાર છે. આપણે ફક્ત પોતાને વિકસાવવા માટે જ નહીં, પણ વૈશ્વિક જ્ઞાનને સમૃદ્ધ બનાવવા, સામાન્ય પડકારોનો ઉકેલ લાવવા અને ભાવિ પેઢીઓને પ્રેરણા આપવા માટે પણ પ્રયત્નશીલ છીએ. ભારતનો અર્થ સાથે મળીને સપના જોવા, સાથે મળીને નિર્માણ કરવા અને સાથે મળીને તારાઓ સુધી પહોંચવાનો છે. ચાલો આપણે સાથે મળીને સારી આવતીકાલ માટે સહિયારા સપનાઓ અને વિજ્ઞાન દ્વારા માર્ગદર્શન મેળવીને, સાથે અવકાશ સંશોધનમાં એક નવો અધ્યાય લખીએ.  હું આપ સૌને ભારતમાં સુખદ અને ફળદાયી રોકાણની શુભેચ્છા પાઠવું છું.

આભાર.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Textiles sector driving growth, jobs

Media Coverage

Textiles sector driving growth, jobs
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the importance of grasping the essence of knowledge
January 20, 2026

The Prime Minister, Shri Narendra Modi today shared a profound Sanskrit Subhashitam that underscores the timeless wisdom of focusing on the essence amid vast knowledge and limited time.

The sanskrit verse-
अनन्तशास्त्रं बहुलाश्च विद्याः अल्पश्च कालो बहुविघ्नता च।
यत्सारभूतं तदुपासनीयं हंसो यथा क्षीरमिवाम्बुमध्यात्॥

conveys that while there are innumerable scriptures and diverse branches of knowledge for attaining wisdom, human life is constrained by limited time and numerous obstacles. Therefore, one should emulate the swan, which is believed to separate milk from water, by discerning and grasping only the essence- the ultimate truth.

Shri Modi posted on X;

“अनन्तशास्त्रं बहुलाश्च विद्याः अल्पश्च कालो बहुविघ्नता च।

यत्सारभूतं तदुपासनीयं हंसो यथा क्षीरमिवाम्बुमध्यात्॥”