મહામહિમમારા મિત્રરાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન

શ્રી પિયુષ ગોયલવાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી

શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનાગરિક ઉડ્ડયન મંત્રી

શ્રી રતન ટાટાટાટા ટ્રસ્ટ્સના ચેરમેન

શ્રી એન. ચંદ્રશેખરનચેરમેનટાટા સન્સ

શ્રી કેમ્પબેલ વિલ્સનસીઈઓ એર ઇન્ડિયા

શ્રી ગિલાઉમ ફાઉરીસીઈઓ એરબસ

સૌપ્ર થમ હું આ સીમાચિહ્નરૂપ સમજૂતી માટે એર ઇન્ડિયા અને એરબસને અભિનંદન આપું છું. હું આ કાર્યક્રમમાં જોડાવા બદલ ખાસ કરીને મારા મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોનનો આભાર માનું છું.

આ સોદો ભારત અને ફ્રાન્સ વચ્ચેના ગાઢ સંબંધો તેમજ ભારતના નાગરિક ઉડ્ડયન ઉદ્યોગની સફળતા અને મહત્વાકાંક્ષાઓનો પુરાવો છે. આજે આપણું નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર ભારતના વિકાસનું અભિન્ન અંગ છે. નાગરિક ઉડ્ડયનને મજબૂત બનાવવું એ અમારી રાષ્ટ્રીય માળખાગત વ્યૂહરચનાનું એક મહત્વપૂર્ણ પાસું છે. છેલ્લાં આઠ વર્ષમાં ભારતમાં એરપોર્ટ્સની સંખ્યા 74થી વધીને 147 થઈ ગઈ છે, લગભગ બમણો વધારો છે. અમારી રિજનલ કનેક્ટિવિટી સ્કીમ (ઉડાન)નાં માધ્યમથી દેશના દૂર-સુદૂરના ભાગો પણ એર કનેક્ટિવિટીનાં માધ્યમથી જોડાઈ રહ્યા છે, જે લોકોના આર્થિક અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપી રહ્યા છે.

ભારત ટૂંક સમયમાં જ ઉડ્ડયન ક્ષેત્રે વિશ્વનું ત્રીજું સૌથી મોટું બજાર બની જશે. અનેક અનુમાનો મુજબ આગામી 15 વર્ષમાં ભારતમાં જરૂરી વિમાનોની સંખ્યા 2000થી વધુ હશે. આજની ઐતિહાસિક જાહેરાત આ વધતી માગને પહોંચી વળવામાં મદદરૂપ થશે. ભારતનાં 'મેક ઇન ઇન્ડિયા- મેક ફોર ધ વર્લ્ડ' વિઝન હેઠળ એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગમાં અનેક નવી તકો ખુલી રહી છે. ગ્રીન ફિલ્ડ અને બ્રાઉન ફિલ્ડ એરપોર્ટ માટે ઓટોમેટિક રૂટ મારફતે 100 ટકા એફડીઆઇની જોગવાઈ કરવામાં આવી છે. એ જ રીતે, ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવાઓ, જાળવણી, સમારકામ અને ઓવરહોલ એટલે કે એમઆરઓમાં પણ 100 ટકા એફડીઆઇને મંજૂરી આપવામાં આવી છે. ભારત સંપૂર્ણ ક્ષેત્ર માટે એમઆરઓનું કેન્દ્ર બની શકે છે. આજે તમામ વૈશ્વિક ઉડ્ડયન કંપનીઓ ભારતમાં હાજર છે. હું તેમને આ તકોનો સંપૂર્ણ લાભ લેવા આમંત્રણ આપું છું.

મિત્રો,

એર ઇન્ડિયા અને એરબસ વચ્ચેની સમજૂતી ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી માટે પણ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. થોડા મહિના પહેલાં ઑક્ટોબર, 2022માં મેં વડોદરામાં ડિફેન્સ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પ્રોજેક્ટના શિલાન્યાસ સમારંભમાં હાજરી આપી હતી. ૨.૫ અબજ યુરોનાં રોકાણથી બની રહેલા આ પ્રોજેક્ટમાં ટાટા અને એરબસની પણ ભાગીદારી છે. મને એ જાણીને પણ આનંદ થયો છે કે ફ્રાન્સની કંપની સફરન એરક્રાફ્ટ એન્જિનની સેવા આપવા માટે ભારતમાં સૌથી મોટી એમઆરઓ સુવિધા સ્થાપિત કરી રહી છે.

અત્યારે ભારત અને ફ્રાન્સ વચ્ચેની ભાગીદારી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અને બહુપક્ષીય વ્યવસ્થામાં સ્થિરતા અને સંતુલન સુનિશ્ચિત કરવામાં સીધી ભૂમિકા ભજવી રહી છે. ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષા અને સ્થિરતાનો મુદ્દો હોય કે પછી વૈશ્વિક ખાદ્ય સુરક્ષા અને સ્વાસ્થ્ય સુરક્ષા, ભારત અને ફ્રાન્સ મળીને સકારાત્મક યોગદાન આપી રહ્યા છે.

રાષ્ટ્રપતિ મેક્રોન,

મને વિશ્વાસ છે કે આ વર્ષે આપણા દ્વિપક્ષીય સંબંધો વધુ ઊંચાઈઓને સ્પર્શશે. ભારતનાં જી20 પ્રમુખપદ હેઠળ આપણને સાથે મળીને કામ કરવાની વધુ તકો મળશે. ફરી એક વાર આપ સૌનો ખૂબ-ખૂબ આભાર અને ખૂબ ખૂબ શુભકામનાઓ.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Indian public relations industry pegged to reach ₹4,500 cr by 2030: Report

Media Coverage

Indian public relations industry pegged to reach ₹4,500 cr by 2030: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam greeting all the devotees of Lord Shiva on the commencement of the sacred Shri Amarnath Yatra
July 03, 2026

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam, greeting all the devotees of Lord Shiva on the commencement of the sacred Shri Amarnath Yatra from today:

“वाग्बुद्धिचित्तकरणैश्च तपोभिरुग्रैः
शक्यं समाकलयितुं न यदीयरूपम्।

तं भक्तिभावसुलभं शरणं नतानां
नित्यं भजाम्यऽमरनाथमहं दयालुम्॥"

The Subhashitam says, "I daily worship the merciful Lord Amarnath, whose nature cannot be comprehended through speech, intellect, mind, the senses, or even through severe finances, who is easily attainable through devotion, and who is the refuge of those who bow before him."

The Prime Minister wrote on X;

समस्त शिवभक्तों को पावन-पुनीत श्री अमरनाथ यात्रा के शुभारंभ की अनंत शुभकामनाएं! बाबा बर्फानी के दिव्य दर्शन की यह यात्रा आप सभी के जीवन में सुख-समृद्धि, सौभाग्य और उत्तम स्वास्थ्य लेकर आए।

जय बाबा बर्फानी!

वाग्बुद्धिचित्तकरणैश्च तपोभिरुग्रैः
शक्यं समाकलयितुं न यदीयरूपम्।

तं भक्तिभावसुलभं शरणं नतानां
नित्यं भजाम्यऽमरनाथमहं दयालुम्॥