The role of civil servants should be of minimum government and maximum governance: PM Modi
Take decisions in the national context, which strengthen the unity and integrity of the country: PM to civil servants
Maintain the spirit of the Constitution as you work as the steel frame of the country: PM to civil servants

શાસન વ્યવસ્થામાં ખૂબ મોટી ભૂમિકા સંભાળનારી અમારી યુવાન પેઢી કશુંક નવુ વિચારવા માટે તૈયાર છે. કશુંક નવુ કરી બતાવવાનો ઈરાદો પણ ધરાવે છે. મને આ બાબતે એક આશાનો સંચાર થયો છે. અને એટલા માટે જ હું આપને અભિનંદન પાઠવુ છું. ગઈ વખતે, આજના જ દિવસે કેવડિયામાં તમારી અગાઉના અધિકારીઓને ટ્રેનિંગ અંગે મારી સાથે વિસ્તારથી વાત થઈ હતી. અને એ સમયે નક્કી એવુ થયું હતં કે દર વર્ષે આ વિશેષ આયોજન આરંભ માટે અહીં સરદાર પટેલની જે પ્રતિમા છે, જે મા નર્મદાના કાંઠે આવેલુ છે. ત્યાંજ આપણે મળીશું અને અને સાથે રહીને આપણે ચિંતન- મનન કરીશું અને પ્રારંભિક અવસ્થામાં જ આપણે આપણા વિચારોને આકાર આપવાનુ કામ કરીશું. પરંતુ કોરોનાને કારણે આ વખતે એ શક્ય બની શક્યુ નથી. આ વખતે આપ સૌ મસૂરીમાં છો અને વર્ચ્યુઅલ પધ્ધતિથી જોડાયેલા છો. આ વ્યવસ્થા સાથે જોડાયેલા તમામ લોકોને મારો આગ્રહ છે કે જ્યારે પણ કોરોનાની અસર હાલ કરતાં ઓછી થાય, હું તમામ અધિકારીઓને પણ કહી રહ્યો છું કે આપ સૌ એક સાથે એક નાની સરખી શિબિર સરદાર પટેલની આ ભવ્ય પ્રતિમાના સાનિધ્યમાં શરૂ કરો. અહીં થોડો સમય વિતાવો અને ભારતના આ અનોખું શહેર એટલે કે એક પ્રવાસન મથક કેવી રીતે વિકસી રહ્યું છે તેનો પણ આપ ચોક્કસ અનુભવ કરો.

સાથીઓ, એક વર્ષ પહેલાં જે સ્થિતિ હતી અને આજે જે સ્થિતિ છે તેમાં ઘણો ફર્ક છે. મને વિશ્વાસ છે કે સંકટના આ સમયમાં દેશે જે રીતે કામ કર્યું છે, દેશની વ્યવસ્થાઓએ જે રીતે કામ કર્યું છે તેમાંથી તમે પણ ઘણું બધુ શિખ્યા હશો. તમે જો માત્ર જોયું જ નહીં હોય, નિરીક્ષણ પણ કર્યું હશે તો તમને પણ ઘણું બધુ આત્મસાત કરવા જેવું લાગ્યું હશે. કોરોના સાથેની લડાઈ માટે એવી ચીજો, કે જેના માટે દેશ બીજા દેશો ઉપર આધાર રાખતો હતો. આજે ભારતા તેમાંથી ઘણી બધી ચીજોની નિકાસ કરવાની સ્થિતિમાં આવી ગયું છે. સંકલ્પની સિધ્ધિનું આ એક ખૂબ જ શાનદાર ઉદાહરણ છે.

સાથીઓ, આજે ભારતની વિકાસ યાત્રાના એક ખૂબ જ મહત્વના કાલખંડમાં તમે છો. જે સમયે તમે નાગરિક સેવાઓના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે તે ખૂબ જ વિશેષ છે. જ્યારે કામ કરવાનું શરૂ થશે, જ્યારે સાચા અર્થમાં તમે ફીલ્ડમાં જવાનું શરૂ કરશો ત્યારે એ સમય હશે કે ત્યારે ભારત પોતાની સ્વતંત્રતાના 75મા વર્ષમાં હશે, આ ખૂબ મોટું સિમાચિહ્ન છે. એટલે કે તમારો આ વ્યવસ્થાઓમાં પ્રવેશ અને ભારતનું આઝાદીનું 75મું પર્વ અને સાથીઓ, તમે એવા અધિકારીઓ છો કે મારી એ વાત ભૂલશો નહીં કે આજે બની શકે તો રૂમમાં જઈને ડાયરીમાં નોંધી લેજો કે તમે એ જ અધિકારીઓ હશો કે તે સમયે પણ દેશની સેવામાં હશો, જ્યારે તમે પોતાની કારકીર્દિના પોતાના જીવનના એવા મહત્વપૂર્ણ મુકામમાં હશો કે જ્યારે ભારત પોતાની સ્વતંત્રતાના 100 વર્ષની ઉજવણી કરતું હશે. ભારતની આઝાદીના 75 વર્ષથી 100 વર્ષ વચ્ચેના 25 વર્ષ ભારત માટે ખૂબ જ મહત્વના છે અને તમે એ ભાગ્યશાળી પેઢીમાં છો, તમે એ લોકો છો કે જે 25 વર્ષમાં સૌથી મહત્વની શાસન વ્યવસ્થાનો હિસ્સો બની રહેશો. હવે પછીના 25 વર્ષમાં દેશની રક્ષા- સુરક્ષા, ગરીબોનું કલ્યાણ, ખેડૂતોનું કલ્યાણ, મહિલાઓ અને નવયુવાનોનું હિત, વૈશ્વિક સ્તર ઉપર ભારતનું એક એક ઉચિત સ્થાન સ્થાપિત કરવા માટેની ખૂબ મોટી જવાબદારી તમારા શિરે છે. અમારામાંથી અનેક લોકો એ સમયે તમારી સાથે નહીં હોય, પરંતુ આપ હશો, તમારા સંકલ્પો હશે, તમારા સંકલ્પોની સિધ્ધિ પણ હશે અને એટલા માટે જ આજના આ પવિત્ર દિવસે મારે તમારી સાથે ઘણાં બધા વાયદા કરવાના છે. મને નહીં, તમારી જાત સાથે એ વાયદો કરો કે જેના સાક્ષી માત્ર તમે જ હોવ, તમારો આત્મા હોય. તમને મારો એ આગ્રહ છે કે આજની રાત્રે સૂતાં પહેલા પોતાની જાત સાથે અડધો કલાક જરૂર ફાળવશો. મનમાં જે ચાલી રહ્યું હોય, જે આપણું કર્તવ્ય હોય, આપણી જવાબદારી હોય, પોતાના વચન બાબતે વિચારી રહ્યા હોવ તો તે પણ લખી રાખજો.

સાથીઓ, જે કાગળ ઉપર તમે તમારા સંકલ્પો લખશો, તમે તમારા સપનાના શબ્દો જે કાગળ પર લખશો તે કાગળનો એ ટૂકડો માત્ર કાગળ જ નહીં હોય, તમારા દિલનો પણ એક ટૂકડો હશે. સમગ્ર જીવન દરમ્યાન પોતાના સંકલ્પોને સાકાર કરવા માટે તમારા હૃદયની ધડકન બનીને તે તમારી સાથે રહેશે. જે રીતે તમારૂં હૃદય, શરીરમાં નિરંતર પ્રવાહ લાવે છે, તેવી જ રીતે આ કાગળ પર લખેલો દરેક શબ્દ તમારા જીવનમાં સંકલ્પોના, તેના પ્રવાહને નિરંતર ગતિ આપતો રહેશે. દરેક સપનાંને સંકલ્પ અને સંકલ્પને સિધ્ધિના પ્રવાહમાં આગળ લઈ જતો રહેશો. તે પછી તમને કોઈની પ્રેરણા, કોઈની શિખામણની જરૂર પડશે નહીં. તમારો જ લખેલો કાગળ તમારા હૃદયના શબ્દોમાં ભાવ પ્રગટ કરતો કાગળ તમારા મન મંદિરમાંથી નિકળેલી એક એક બાબત તમને આજન દિવસની યાદ અપાવતી રહેશે. તમારા સંકલ્પોની યાદ અપાવતી રહેશે.

સાથીઓ, એક પ્રકારે કહીએ તો સરદાર વલ્લભભાઈ પટેલ જ આ દેશની સિવિલ સર્વિસના પિતામહ હતા. 21 એપ્રિલ, 1947ના દિવસે એડમિનીસ્ટ્રેટીવ સર્વિસીસ ઓફિસર્સની પહેલી બેચને સંબોધન કરતી વખતે સરદાર પટેલને સનદી અધિકારીઓને દેશની પોલાદની ફ્રેમ કહ્યા હતા. તે અધિકારીઓને સરદાર સાહેબે એવી સલાહ આપી હતી કે દેશના નાગરિકોની સેવા હવે તમારૂં સર્વોચ્ચ કર્તવ્ય છે. મારો પણ એ આગ્રહ છે કે સિવિલ સર્વન્ટ જે કોઈપણ નિર્ણય લે તે રાષ્ટ્રીય સંદર્ભમાં લેવામાં આવે. દેશની અખંડતા અને એકતાને મજબૂત કરવા માટે લેવામાં આવે. બંધારણની ભાવનાને ટકાવી રાખવા માટે લેવામાં આવે. તમારૂં ક્ષેત્ર ભલેને નાનું હોય, તમે જે વિભાગ સંભાળી રહ્યા હોય, તેનો વ્યાપ ભલે ઓછો હોય, પરંતુ નિર્ણયો બાબતે હંમેશા દેશનું હિત, લોકોનું હિત કેન્દ્રમાં રહેવું જોઈએ. એક રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ હોવો જોઈએ.

સાથીઓ, પોલાદની ફ્રેમનું કામ માત્ર આધાર આપવાનું કે માત્ર ચાલી રહેલી વ્યવસ્થાઓને સંભાળવાનું જ નથી હોતું. પોલાદની ફ્રેમનું કામ દેશને એવી ખાત્રી અપાવવાનું હોય છે કે સંકટ નાનું હોય કે પછી મોટું, પરિવર્તન નાનું હોય કે મોટું, તમે એક તાકાત બનીને દેશને આગળ વધારવામાં તમારી જવાબદારી નિભાવશો. તમે સુગમતા કરી આપનારની જેમ સફળતાપૂર્વક તમારી જવાબદારીઓ પૂરી કરશો. ફીલ્ડમાં ગયા પછી જાત જાતના લોકો સાથે ઘેરાયેલા રહ્યા પછી તમારે પોતાની ભૂમિકાને નિરંતર યાદ રાખવાની રહેશે. તેને ભૂલી જવાની ભૂલ ક્યારેય પણ કરશો નહીં. તમારે એ બાબત પણ યાદ રાખવાની છે કે ફ્રેમ કોઈપણ હોય, ગાડીની હોય, ચશ્માની હોય કે પછી કોઈ તસવીરની હોય, જ્યારે તે એક જૂથ હોય છે ત્યારે જ સાર્થક થઈ શકે છે. તમે પોલાદની જે ફ્રેમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો તેની અસર પણ એવા સમયે વધારે હશે કે જ્યારે તમે જૂથમાં રહેશો, જૂથની જેમ કામ કરશો. આગળ વધીને તમારે સમગ્ર જીલ્લાની સંભાળ રાખવાની રહેશે. અલગ અલગ વિભાગોનું નેતૃત્વ કરવું પડશે. ભવિષ્યમાં તમે એવા નિર્ણયો કરશો કે જેની અસર સમગ્ર રાજ્ય પર પડશે, પૂરા દેશમાં પડશે. તે સમયે તમારી જૂથ ભાવના તમને વધુ કામમાં આવશે. જ્યારે તમે પોતાના વ્યક્તિગત સંકલ્પો સાથે, દેશ હિતના વ્યાપક લક્ષને જોડી દેશો ત્યારે ભલેને કોઈપણ સર્વિસ હોય, તમે એક ટીમની જેમ પૂરી તાકાત લગાવી દેશો તો તમે પણ સફળ થશો અને વિશ્વાસ સાથે કહું છું કે દેશ પણ ક્યારેય નિષ્ફળ જશે નહીં.

સાથીઓ, સરદાર પટેલે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ નું સપનું જોયું હતું. તેમનું આ સપનું ‘આત્મનિર્ભર ભારત’ સાથે જોડાયેલું હતું. કોરોના વૈશ્વિક મહામારીના સમય દરમ્યાન પણ આપણને જે સૌથી મોટી શીખ પ્રાપ્ત થઈ છે તે આત્મનિર્ભરતાની જ છે. આજે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ની ભાવના, ‘આત્મનિર્ભર ભારત’ ની ભાવના, ‘એક નવિન ભારત’ નું નિર્માણ થતું જોવા મળશે. નવિન હોવાના અનેક અર્થ થતા હોય છે, અનેક ભાવ હોઈ શકે છે, પરંતુ મારા માટે નવિનનો અર્થ એવો નથી કે તમે માત્ર જૂનું હોય તેને હટાવી દો અને કશુંક નવું લઈને આવો. મારા માટે નવિનનો અર્થ છે કાયાકલ્પ કરવો, સર્જનાત્મક બનવું, તાજા હોવું અને ઉર્જામય હોવું ! મારા માટે નવિન હોવાનો અર્થ એ છે કે જે જૂનું છે તેને વધુ પ્રાસંગિક બનાવવું, કાળના ગર્ભમાં જે પડેલું છે તેને છોડીને જવું, કશુંક છોડવા માટે પણ સાહસ કરવું પડતું હોય છે અને એટલા માટે જ આજે નવિન, શ્રેષ્ઠ અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે કેવી કેવી જરૂરિયાતો છે તે તમારા માધ્યમથી જ પૂરી થશે. તમારે આ બાબતે નિરંતર મંથન કરવું પડશે. સાથીઓ, એ બાબત પણ સાચી છે કે આત્મનિર્ભર ભારતના લક્ષને પૂર્ણ કરવા માટે આપણને વિજ્ઞાન અને ટેકનોલોજીની પણ જરૂર પડવાની છે. સાધનો અને નાણાંની પણ જરૂર પડશે, પરંતુ મહત્વની બાબત એ છે કે આ વિઝનને પૂર્ણ કરવા માટે એક સિવિલ સર્વન્ટ તરીકે તમારી ભૂમિકા શું હશે. લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે તમારા કામની ગુણવત્તામાં, ઝડપમાં તમારે દેશના આ લક્ષને ચોવીસે કલાક ધ્યાનમાં રાખવાનું રહેશે.

સાથીઓ, દેશમાં નવા પરિવર્તન માટે નવા લક્ષ્યોની પ્રાપ્તિ માટે નવા માર્ગો અને નવી પધ્ધતિઓ અપનાવવા માટે ખૂબ મોટી ભૂમિકા તાલિમની પણ હોય છે. સ્કીલ- સેટના વિકાસની પણ હોય છે. અગાઉના સમયમાં આ બાબતે ખાસ ભાર મૂકવામાં આવતો ન હતો. તાલિમમાં આધુનિક અભિગમ કેવી રીતે આવે, તે બાબતે ખાસ વિચારવામાં આવતું ન હતું, પરંતુ હવે દેશમાં માત્ર માનવ સંશાધન જ નહીં, પણ આધુનિક તાલિમ ઉપર પણ ભાર મૂકવામાં આવે છે. તમે ખુદ પણ જોયું હશે કે જે રીતે વિતેલા બે- ત્રણ વર્ષોમાં જ સિવિલ સર્વન્ટની તાલિમમાં પણ ઘણાં બધા પરિવર્તનો આવ્યા છે. ‘આરંભ’ જ નથી એક પ્રતિક પણ છે અન એક નવી પરંપરા પણ છે. એક રીતે કહીએ તો સરકારે થોડાક દિવસ પહેલાં જ વધુ એક અભિયાન શરૂ કર્યું છે અને તે છે- મિશન કર્મયોગી. મિશન કર્મયોગી ક્ષમતા નિર્માણની દિશામાં પોતાના પ્રકારનો એક નવો પ્રયોગ છે. આ મિશનના માધ્યમથી સરકારી કર્મચારીઓને તેમની વિચારધારા અને અભિગમને આધુનિક બનાવવાનો તથા તેમના સ્કીલ સેટને સુધારવાનો ઉદ્દેશ છે. તેમને કર્મયોગી બનવાનો અવસર પૂરો પાડવાનો છે.

સાથીઓ, ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું હતું કે यज्ञ अर्थात् कर्मणः अन्यत्र लोकः अयम् कर्म बंधनः નો અર્થ એ થાય કે યજ્ઞ એટલે કે સેવા સિવાય સ્વાર્થ માટે કરવામાં આવેલા કામ કર્તવ્ય હોતા નથી. તે ઉલ્ટું આપણને બંધનમાં મૂકનારા કામ છે. કર્મ એ છે કે જે એક મોટા વિઝનની સાથે કરવામાં આવે, એક મોટા લક્ષ્ય માટે કરવામાં આવે. આપણે સૌએ આવા કર્મના કર્મયોગી બનવાનું છે, તમારે પણ બનવાનું છે. આપણે સૌએ બનવાનું છે. સાથીઓ, આપ સૌ જે મોટી અને લાંબી સફર માટે આગળ ધપી રહ્યા છો તેમાં નિયમોનું ખૂબ મોટું યોગદાન છે, પરંતુ તેની સાથે સાથે તમારે તમારી ભૂમિકા ઉપર પણ ખૂબ વધારે કેન્દ્રિત બનવાનું રહેશે. નિયમ અને ભૂમિકા વચ્ચે સતત સંઘર્ષ રહેશે. સતત તણાવ ઉભો થશે, નિયમોનું પોતાનું મહત્વ છે, ભૂમિકાની પોતાની મહત્વપૂર્ણ જવાબદારી છે. તમારા માટે આ બંને વચ્ચે સમતુલા જાળવવી તે તંગ દોરડા પર ચાલવાનો ખેલ છે. વિતેલા થોડા સમયમાં સરકારે પણ ભૂમિકા આધારિત અભિગમ ઉપર ઘણો ભાર મૂક્યો છે અને તેના પરિણામો પણ મળી રહ્યા છે. અગાઉ સિવિલ સર્વિસીસમાં ક્ષમતા અને સ્પર્ધાત્મકતા તથા તેના નિર્માણ માટે નવું આર્કિટેક્ચર ઉભુ થયું. બીજુ, શિખવાના નિયમો પણ લોકશાહી યુક્ત થયા અને ત્રીજુ, દરેક ઓફિસર માટે તેની ક્ષમતા અને અપેક્ષા મુજબ તેની જવાબદારી પણ નક્કી થઈ રહી છે. આવા અભિગમની સાથે કામ કરવા પાછળ એવી વિચારધારા કામ કરે છે કે તમે જ્યારે દરેક ભૂમિકામાં પોતાની ભૂમિકા સારી રીતે નિભાવશો તો તમે પોતાના એકંદર જીવનમાં પણ સકારાત્મક બની રહેશો. આ સકારાત્મકતા તમારી સફળતાના દ્વાર ખોલી દેશે અને તે તમારા માટે એક કર્મયોગી તરીકે જીવનમાં સંતોષનું ખૂબ મોટું કારણ બનશે.

સાથીઓ, કહેવાય છે કે જીવન એક ગતિશીલ પરિસ્થિતિ છે. ગવર્નન્સ પણ એક ગતિશીલ ઘટના જ છે. એટલે, અમે રિસ્પોન્સિવ ગવર્નમેન્ટની વાત કરીએ છીએ. એક સિવિલ સર્વન્ટ માટે સૌથી પહેલા એ જરૂરી છે કે તેઓ દેશના સામાન્ય માનવી સાથે સતત જોડાયેલા રહે. જ્યારે તમે લોકો સાથે જોડાશો, ત્યારે લોકશાહીમાં કામ કરવું વધુ સરળ બની શકશે. તમે ફાઉન્ડેશન ટ્રેનિંગ અને પ્રોફેશનલ ટ્રેનિંગ પૂરી કર્યા પછી ફિલ્ડ ટ્રેનિંગ માટે જશો. મારી તમને સલાહ છે કે તમે ફિલ્ડમાં લોકો સાથે જોડાવ, કટ-ઓફ ન રહો. દિમાગમાં ક્યારેય અમલદારને ઘૂસવા ન દો. તમે જે ધરતીમાંથી આવ્યા છો, જે પરિવાર, સમાજમાંથી આવ્યા છો, તેને ક્યારેય ભૂલો નહીં. સમાજ સાથે જોડાઈને ચાલો, જોડાઈને ચાલો, જોડાઈને ચાલો. એક રીતે સમાજ જીવનમાં વિલીન થઈ જાઓ, સમાજ તમારી શક્તિનો સહારો બની જશે. તમારા બે હાથ હજાર હાથ બની જશે. આ હજાર હાથની જન-શક્તિ હોય છે, તેને સમજવાની, તેને શીખવાની કોશિષ ચોક્કસ કરજો. હું ઘણીવાર કહું છું, સરકાર ટોચ ઉપરથી નથી ચાલતી. જે જનતા માટે નીતિઓ છે, તેમને સામેલ કરવી ખૂબ જરૂરી છે. જનતા ફક્ત સરકારની નીતિઓની, કાર્યક્રમોની રિસિવર નથી, જનતા જનાર્દન જ સાચું ચાલક બળ છે. એટલે આપણે ગવર્નમેન્ટથી ગવર્નન્સ તરફ જવાની જરૂર છે.

સાથીઓ, એક અકાદમીમાંથી નીકળીને જ્યારે તમે આગળ વધશો, ત્યારે તમારી સામે બે રસ્તા હશે. એક રસ્તો સરળતાભર્યો, સુવિધાઓનો, નામ અને પ્રસિદ્ધિનો રસ્તો હશે. એક રસ્તો હશે, જ્યાં પડકારો હશે, મુશ્કેલીઓ હશે, સંઘર્ષ હશે, સમસ્યાઓ હશે. પરંતુ હું પોતાના અનુભવથી આજે તમને એક વાત કહેવા માગું છું. તમને સાચી મુશ્કેલીઓ ત્યારે પડશે, જ્યારે તમે આસાન રસ્તો પકડ્યો હશે. તમે જોયું હશે, જે સડક સીધી જતી હોય, કોઈ વળાંક ન હોય, ત્યાં સૌથી વધુ અકસ્માત થાય છે. પરંતુ જે આડા-અવળા વળાંકવાળી સડક હોય છે, ત્યાં ડ્રાયવર ખૂબ સાવધાન હોય છે, ત્યાં અકસ્માત ઓછા થાય છે અને એટલે જ સીધા-સરળ રસ્તા ક્યારેકને ક્યારેક ખૂબ મુશ્કેલ બની જતા હોય છે. રાષ્ટ્ર નિર્માણના, આત્મનિર્ભર ભારતના જે મોટા લક્ષ્ય તરફ તમે કદમ ભરી રહ્યા છો, તેમાં સરળ રસ્તા મળે, એ જરૂરી નથી, અરે, મનમાં એવી ઈચ્છા પણ ન કરવી જોઈએ. એટલે, જ્યારે તમે દરેક પડકારનો ઉકેલ કરતા કરતા આગળ વધશો, લોકોની જિંદગી સુગમ રીતે પસાર થાય તે માટે નિરંતર કામ કરશો તો તેનો લાભ ફક્ત તમને જ નહીં, સમગ્ર દેશને મળશે અને તમારી નજર સામે જ આઝાદીના 75 વર્ષથી આઝાદીનાં 100 વર્ષની યાત્રા સમૃદ્ધ બનતા જતા હિન્દુસ્તાનને જોવાનો સમય હશે. આજે દેશ જે મોડમાં કામ કરી રહ્યો છે, તેમાં તમે સહુ બ્યુરોક્રેટ્સની ભૂમિકા લઘુતમ સરકાર મહત્તમ શાસનની છે. તમારે એ સુનિશ્ચિત કરવાનું છે કે નાગરિકોના જીવનમાં તમારી દખલ કેવી રીતે ઓછી થાય, સામાન્ય માનવીને સશક્ત કેવી રીતે બનાવાય. આપણે ત્યાં ઉપનિષદમાં કહેવાયું છે – ‘न तत् द्वतीयम् अस्ति’ એટલે કે, કોઈ બીજું નથી, કોઈ મારાથી ભિન્ન નથી. જે પણ કામ કરો, જેને પણ માટે કરો, પોતાનું સમજીને કરો. અને હું મારા અનુભવથી જ કહું છું કે જ્યારે તમે તમારા વિભાગને, સામાન્ય લોકોને પોતાનો પરિવાર સમજીને કામ કરશો, તો તમને ક્યારેય થાક નહીં લાગે, હંમેશા તમે નવી ઉર્જાથી ભરેલા રહેશો. સાથીઓ, ફિલ્ડ પોસ્ટિંગ દરમ્યાન, અમે એ પણ જોઈએ છીએ કે અધિકારીઓની ઓળખ કઈ બાબતે થાય છે કે તેઓ એક્સ્ટ્રા શું કરી રહ્યા છે, જે ચાલી રહ્યું છે, તેમાં અલગ શું કરી રહ્યા છે. તમે પણ ફિલ્ડમાં, ફાઈલોની બહાર નીકળીને, રૂટિનથી અલગ હટીને પોતાના ક્ષેત્રના વિકાસ માટે લોકો માટે જે પણ કરસો, તેનો પ્રભાવ અલગ હશે, તેનું પરિણામ અલગ હશે. ઉદાહરણ તરીકે, તમે જે જિલ્લામાં, બ્લોક્સમાં કામ કરશો, ત્યાં ઘણી એવી ચીજો હશે, ઘણી એવી પ્રોડક્ટ્સ હશે, જેની એક વૈશ્વિક સંભાવના હોય. પરંતુ એ પ્રોડેક્ટ્સને એ કળાને, તેના કલાકારને વૈશ્વિક સ્તરે જવા માટે સ્થાનિક સ્તરે સપોર્ટની જરૂર છે. આ સપોર્ટ તમારે જ આપવો પડશે. આ વિઝન તમારે જ આપવું પડશે. આ રીતે, તમે કોઈ એક લોકલ નવપ્રવર્તકની શોધ કરીને તેના કામમાં એક મિત્રની જેમ તેની મદદ કરી શકો છો. શક્ય છે કે તમારા સહયોગથી તે નવપ્રવર્તન સમાજ માટે અત્યંત મોટું યોગદાનના રૂપે સામે આવે ! આમ તો હું જાણું છું કે તમે વિચારી રહ્યા હશો કે, આ બધું કરી તો લઈશું, પરંતુ વચ્ચે જ અમારી ટ્રાન્સફર થઈ જાય તો શું થશે ? મેં જે ટીમ ભાવનાની વાત શરૂઆતમાં કરી હતી ને, તે આના માટે જ કરી હતી. જો તમે આજે એક જગ્યાએ છો, કાલે બીજી જગ્યાએ છો, તો પણ તે ક્ષેત્રમાં તમારા પ્રયાસોને છોડી દેશો નહીં, પોતાનાં લક્ષ્યો ભૂલશો નહીં. તમારા પછી જે લોકો આવનારા છે, તેમને વિશ્વાસમાં લેજો. તેમનો વિશ્વાસ વધારજો, તેમનો ઉત્સાહ વધારજો. તેમને પણ તમે જ્યાં હો, ત્યાંથી મદદ કરતા રહેજો. તમારાં સપનાં તમારા પછીની પેઢી પણ પૂરાં કરશે. જે નવા અધિકારી આવશે, તેમને પણ તમે તમારાં લક્ષ્યોના ભાગીદાર બનાવી શકો છો.

સાથીઓ, તમે જ્યાં પણ જાવ, તમારે વધુ એક વાત ધ્યાન રાખવાની છે. તમે જે કાર્યાલયમાં હશો, તેના બૉર્ડમાં નોંધાયેલા તમારા કાર્યકાળથી જ તમારી ઓળખાણ ન થવી જોઈએ. તમારી ઓળખાણ તમારા કામથી થવી જોઈએ. હા, વધતી જતી ઓળખાણમાં, તમને મીડિયા અને સોશિયલ મીડિયા પણ ખૂબ આકર્ષિત કરશે. કામને કારણે મીડિયામાં ચર્ચા થવી એક વાત છે અને મીડિયામાં ચર્ચા માટે જ કામ કરવું એ બીજી વાત છે. તમારે બંનેનો તફાવત સમજીને આગળ વધવાનું છે. તમારે યાદ રાખવું પડશે કે સિવિલ સર્વન્ટ્સની એક ઓળખાણ- અનામી રહીને કામ કરવાની રહી છે. તમે આઝાદી પછીના સમયને જોશો તો તમને જણાશે કે પ્રતિભાવના ચહેરા ક્યારેક-ક્યારેક આપણે સાંભળીએ છીએ કે તેઓ પોતાના સમગ્ર કાર્યકાળ દરમ્યાન અજ્ઞાત જ રહ્યા. કોઈ તેમનાં નામ જાણતું ન હતું, રિટાયર થયા પછી કોઈએ કંઈ લખ્યું ત્યારે ખબર પડી કે આ અધિકારી દેશને આટલી મોટી સોગાદ આપીને ગયા છે, તમારા માટે પણ એ જ આદર્શ છે. તમારી અગાઉના 4-5 દાયકામાં જે તમારા સીનિયર્સ રહ્યા છે, તેમણે આ બાબતનું ચુસ્ત અનુશાસન સાથે પાલન કર્યું છે. તમારે પણ આ વાત ધ્યાનમાં રાખવાની છે.

સાથીઓ, હું જ્યારે મારા નવયુવાન રાજકીય મિત્રો, જે આપણા વિધાનસભ્યો છે, સાંસદ છે, તેમને મળું છું તો હું વાતો-વાતોમાં અવશ્ય કહું છું કે દિખાસ અને છપાસ – આ બે બીમારીથી દૂર રહેજો. હું તમને પણ આ જ કહીશ કે દિખાસ અને છપાસ – ટીવી પર દેખાવું અને અખબારોમાં છપાવું – આ દિખાસ અને છપાસના રોગ જેને લાગે છે, પછી તે સિવિલ સેવામાં પોતાનું જે લક્ષ્ય લઈને આવ્યા હોય છે, તે હાંસલ નથી કરી શકતા.
સાથીઓ, મને વિશ્વાસ છે, તમે સહુ તમારી સેવાથી, તમારા સમર્પણથી દેશની વિકાસ યાત્રામાં દેશને આત્મનિર્ભર બનાવવામાં ઘણું મોટું યોગદાન આપશો. મારી વાત પૂરી કરતાં પહેલાં હું તમને એક કામ સોંપવા માંગું છું. તમે કરશો, સહુ પોતાનો હાથ ઊંચો કરશે તો હું સમજીશ કે તમે કરશો. સહુના હાથ ઉપર થશે, કરોશો, અચ્છા, સાંભળી લો, તમારે પણ વોકલ ફોર લોકલ સાંભળવું સારું લાગતું હશે, સારું લાગે છે ને, ખરેખર સારું જ લાગતું હશે. તમે એક કામ કરજો, આગામી બે-ચાર દિવસોમાં તમે તમારી પાસે જે ચીજો છે, જે રોજિંદા ઉપયોગમાં છે, તેમાંથી કેટલી એવી ચીજો છે, જે ભારતીય બનાવટની છે, જેમાં ભારતના નાગરિકના પરસેવાની સુગંધ ભળી છે. જેમાં ભારતના નવયુવાનની પ્રતિભા ઝળકી છે, તે સામાનની એક યાદી બનાવજો અને બીજી એવી યાદી બનાવજો કે તમારાં પગરખાંથી માંડીને માથાના વાળ સુધી વપરાતી કઈ કઈ વિદેશી ચીજો તમારા ઓરડામાં છે, તમારી બેગમાં છે, તમે શેનો શેનો ઉપયોગ કરી રહ્યા છો. જરા જોજો અને મનમાં નક્કી કરજો કે આ જે તદ્દન અનિવાર્ય છે, જે ભારતમાં આજે ઉપલબ્ધ નથી, સંભવ નથી, જેને રાખવી જ પડે તેમ છે, હું માની શકું છું, પરંતુ આ 50માંથી 30 એવી ચીજો છે, જે તો મને સ્થાનિક રીતે ઉપલબ્ધ છે કે હું તેના પ્રચારની અસરમાં નથી આવ્યો, હું તેમાંથી કેટલી ચીજો ઓછી કરી શકું તેમ છું.

જુઓ, આત્મનિર્ભર બનવાની શરૂઆત આત્મથી – પોતાનાથી થવી જોઈએ. તમે પોતાના માટે વોકલ ફોર લોકલ શરૂ કરી શકો છો. બીજું – જે સંસ્થાનું નામ લાલ બહાદુર શાસ્ત્રી સાથે જોડાયેલું છે, તે સમગ્ર પરિસરમાં પણ તમારા ઓરડામાં, તમારા ઓડિટોરિયમમાં, તમારા વર્ગખંડમાં, દરેક જગ્યાએ કેટલી વિદેશી ચીજો છે, તેની યાદી અવશ્ય બનાવજો અને તમે વિચારજો કે આપણે જે દેશને આગળ વધારવા માટે આવ્યા છીએ, જ્યાંથી દેશને આગળ વધારનારી એક સમગ્ર પેઢી તૈયાર થાય છે, જ્યાં બીજ રોપવામાં આવી રહ્યાં છે, શું તે જગ્યાએ પણ વોકલ ફોર લોકલ – એ અમારા દૈનિક જીવનનો હિસ્સો છે કે નથી. તમે જોજો કે તમને મઝા આવશે. હું એમ નથી કહેતો કે તમે તમારા મિત્રો માટે પણ આ જ રસ્તો ખોલો, આ પોતાના માટે જ છે. તમે જોશો કે વિના કારણે એવી એવી ચીજો તમારી પાસે પડી હશે, જે હિન્દુસ્તાનની હોવા છતાં પણ તમે બહારથી લાવ્યા હશો. તમને ખબર પણ નથી કે આ બહારની છે. જુઓ, ભારતને આત્મનિર્ભર બનાવવા માટે આપણે સહુએ પોતાની જાતથી શરૂઆત કરીને દેશને આત્મનિર્ભર બનાવવાનો છે.

મારા નવયુવાન મિત્રો, દેશની આઝાદીના 100 વર્ષ આઝાદીના 100 વર્ષનાં સપનાં, આઝાદીનાં 100 વર્ષનાં સંકલ્પ, આઝાદીની આવનારી પેઢીઓ, તમારા હાથમાં દેશ સોંપી રહી છે. દેશ તમારા હાથમાં આવનારાં 25-35 વર્ષ સોંપી રહ્યો છે. આટલી મોટી ભેટ તમને મળી રહી છે. તમે તેને જીવનનું એક અહોભાગ્ય સમજીને પોતાના હાથમાં લેજો, તમારા કરકમળોમાં લેજો. કર્મયોગીનો ભાવ જગાવજો. કર્મયોગના માર્ગ ઉપર ચાલવા માટે તમે આગળ વધો એ જ શુભકામના સાથે તમને સહુને એકવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હું તમને વિશ્વાસ અપાવું છું કે હું દરેક પળે તમારી સાથે જ છું. હું પળે-પળે તમારી સાથે છું. જ્યારે પણ જરૂર પડે, તમે મારો દરવાજો ખખડાવી શકો છો. જ્યાં સુધી હું છું, જ્યાં પણ છું, હું તમારો દોસ્ત છું, તમારો મિત્ર છું, આપણે સહુ સાથે મળીને આઝાદીનાં 100 વર્ષનાં સપનાં સાકાર કરવા માટે અત્યારથી જ પ્રારંભ કરીએ, આવો, આપણે સહુ આગળ વધીએ.

ખૂબ ખૂબ આભાર.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Govt directs faster processing of city gas projects, hikes commercial LPG allocation to ease supply stress

Media Coverage

Govt directs faster processing of city gas projects, hikes commercial LPG allocation to ease supply stress
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Dialogue and diplomacy are the only solutions: PM Modi in Lok Sabha on West Asia conflict
March 23, 2026
The situation in West Asia is concerning at this time: PM
In the past two-three weeks, Mr. Jaishankar and Mr. Hardeep Puri have provided the necessary information to the House on this matter: PM
This crisis has been going on now for more than three weeks, It is having a very adverse impact on the global economy and on people's lives, the entire world is urging all parties for the earliest resolution of this crisis: PM
This region is important to us for yet another reason ,as nearly one crore Indians live and work in the Gulf countries: PM
Among the commercial ships that sail in these seas, the number of Indian crew members is also very high: PM
Due to these several reasons, India's concerns are naturally high, it is essential that a unanimous and united voice from India's Parliament on this crisis reaches the world: PM
India has extensive trade relations with countries at war and affected by war, The region where the war is taking place is also an important route for our trade with other countries of the world: PM
A large quantity of essential items such as crude oil, gas, and fertilizers come to India through the Strait of Hormuz, Since the war began, the movement of ships through the Strait of Hormuz has become highly challenging: PM
Despite this, our government has been trying to ensure that the supply of petrol, diesel and gas is not affected much and common families of the country face minimum inconvenience, This has been our focus: PM
India has always stood for peace in the interest of humanity, Dialogue and diplomacy are the only solutions to this problem: PM
Our efforts are aimed at reducing tensions and ending this conflict: PM
Putting anyone's life at risk in this war is not in the interest of humanity, India's efforts are to encourage all parties to reach a peaceful resolution as soon as possible: PM

आदरणीय अध्यक्ष महोदय,

मैं सम्मानित सदन में पश्चिम एशिया में चल रहे संघर्ष और इसकी वजह से भारत के सामने आई चुनौतियों पर बात रखने के लिए उपस्थित हुआ हूं। इस समय पश्चिमी एशिया की हालत चिंताजनक है। बीते दो-तीन हफ्तों में, जयशंकर जी ने और हरदीप पुरी जी ने इस विषय पर सदन को जरूरी जानकारी दी है। अब इस संकट को 3 सप्ताह से ज्यादा हो रहा है। इसका पूरे विश्व की अर्थव्यवस्था पर, लोगों के जीवन पर, बहुत ही विपरीत असर हो रहा है, इसलिए पूरी दुनिया इस संकट के जल्द से जल्द समाधान के लिए सभी पक्षों से आग्रह भी कर रही है।

अध्यक्ष महोदय,

भारत के सामने भी इस युद्ध ने अप्रत्याशित चुनौतियां खड़ी कर दी हैं। यह चुनौतियां आर्थिक भी हैं, नेशनल सिक्योरिटी से जुड़ी भी हैं और मानवीय भी हैं। युद्धरत और युद्ध से प्रभावित देशों के साथ भारत के व्यापक व्यापारिक रिश्ते हैं। जिस क्षेत्र में युद्ध हो रहा है वो दुनिया के दूसरे देशों के साथ हमारे व्यापार का भी एक महत्वपूर्ण रास्ता है। विशेष रूप से कच्चे तेल और गैस की हमारी जरूरतों का एक बड़ा हिस्सा यही क्षेत्र पूरा करता है। हमारे लिए यह रीजन एक और कारण से भी अहम है। लगभग एक करोड़ भारतीय खाड़ी देशों में रहते हैं और वहां काम करते हैं। वहां समंदर में जो कमर्शियल शिप चलते हैं, उनमें भारतीय क्रू मेंबर की संख्या भी बहुत अधिक है। ऐसे अलग-अलग कारणों के चलते भारत की चिंताएं स्वाभाविक रूप से अधिक हैं, इसलिए यह आवश्यक है कि भारत की संसद से, इस संकट को लेकर एकमत और एकजुट आवाज दुनिया में जाए।

अध्यक्ष जी,

जब से ये युद्ध शुरू हुआ है, तब से ही प्रभावित देशों में हर भारतीय को जरूरी मदद दी जा रही है। मैं खुद पश्चिम एशिया के ज्यादातर देश के राष्ट्र अध्यक्षों के साथ दो राउंड फोन पर बात की है। सभी ने भारतीयों की सुरक्षा का पूरा आश्वासन दिया है। दुर्भाग्य से इस दौरान कुछ लोगों की दुखद मृत्यु हुई है और कुछ घायल हुए हैं। ऐसे मुश्किल हालात में परिवारजनों को आवश्यक मदद दी जा रही है। जो घायल है, उनका बेहतर इलाज सुनिश्चित कराया जा रहा है।

अध्यक्ष जी,

प्रभावित देशों में हमारे जितने भी मिशन हैं वो निरंतर भारतीयों की मदद करने में जुटे हैं। वहां काम करने वाले भारतीय हो या फिर जो टूरिस्ट वहां गए हैं, सभी को हर संभव मदद दी जा रही है। हमारे मिशन नियमित रूप से एडवाइजरी जारी कर रहे हैं। यहां भारत में और अन्य प्रभावित देशों में 24/7 कंट्रोल रूम और आपातकालीन हेल्पलाइन स्थापित की गई है। इनके माध्यम से सभी प्रभावितों को त्वरित जानकारी दी जा रही है

अध्यक्ष जी,

संकट की स्थिति में देश-विदेश में भारतीयों की सुरक्षा हमारी बहुत बड़ी प्राथमिकता रही है। युद्ध शुरू होने के बाद से लेकर अब तक, 3 लाख 75 हजार से अधिक भारतीय सुरक्षित भारत लौट चुके हैं। ईरान से ही अभी तक लगभग 1000 भारतीय सुरक्षित वापस लौटे हैं। इनमें 700 से अधिक मेडिकल की पढ़ाई करने वाले युवा हैं। खाड़ी देशों में, भारतीय स्कूलों में हजारों विद्यार्थी पढ़ते हैं, सीबीएसई ने ऐसे सभी भारतीय स्कूलों में होने वाले कक्षा दसवीं और बारहवीं की निर्धारित परीक्षाओं को रद्द कर दिया है। इन बच्चों के पढ़ाई निर्बाध चलती रहे, इसके लिए सीबीएसई उचित कदम उठा रही है। यानी सरकार संवेदनशील भी है, सतर्क भी है और हर सहायता के लिए तत्पर भी है।

माननीय अध्यक्ष जी,

भारत में बड़ी मात्रा में कच्चा तेल, गैस और फर्टिलाइजर जैसी अनेक जरूरी चीजें होर्मुज स्ट्रेट के रास्ते से आती हैं। युद्ध के बाद से ही होर्मुज स्ट्रेट में जहाजों का आना-जाना बहुत चुनौतीपूर्ण हो गया है। बावजूद इसके, हमारी सरकार का यह प्रयास रहा है कि पेट्रोल, डीजल और गैस की सप्लाई बहुत ज्यादा प्रभावित न हो। देश के सामान्य परिवारों को परेशानी भी कम से कम हो, इस पर हमारा फोकस रहा है। हम सभी जानते हैं, देश अपनी जरूरत के के 60% एलपीजी आयात करता है, इसकी सप्लाई में अनिश्चिता के कारण सरकार ने एलपीजी के डोमेस्टिक उपयोग को प्राथमिकता दी है, साथ ही एलपीजी के देश में ही उत्पादन को भी बढ़ाया जा रहा है। पेट्रोल डीजल की सप्लाई पूरे देश में सुचारू रूप से होती रहे, इस पर भी लगातार काम किया गया है।

अध्यक्ष जी,

आज की इन परिस्थितियों में एनर्जी सिक्योरिटी को लेकर बीते एक दशक में उठाए गए कदम और भी प्रासंगिक हो गए हैं। भारत ने बीते 11 वर्षों में अपनी एनर्जी इंपोर्ट का डायवर्सिफिकेशन किया है। पहले क्रूड ऑयल, एलएनजी, एलपीजी, ऐसी एनर्जी जरूरतों के लिए 27 देशों से इंपोर्ट किया जाता था, वहीं आज भारत 41 देशों से एनर्जी इंपोर्ट करता है।

अध्यक्ष जी,

बीते दशक में भारत ने संकट के ऐसे ही समय के लिए कच्चे तेल के भंडारण को भी प्राथमिकता दी है। आज भारत के पास 53 लाख मैट्रिक टन से अधिक का स्ट्रैटेजिक पैट्रोलियम रिजर्व है और 65 लाख मैट्रिक टन से अधिक के रिजर्व की व्यवस्था पर देश काम कर रहा है। हमारी तेल कंपनियों के पास जो रिजर्व रहता है, वो अलग है। बीते 11 वर्षों में हमारी रिफायनिंग कैपेसिटी में भी उल्लेखनीय वृद्धि हुई है।

अध्यक्ष जी,

सरकार अलग-अलग देशों के सप्लायर्स के साथ भी लगातार संपर्क में है। प्रयास यह है कि जहां से संभव हो, वहां से तेल और गैस की सप्लाई होती रहे। भारत सरकार गल्फ और आसपास के शिपिंग रूट्स पर निरंतर नजर बनाए हुए हैं। हमारा प्रयास है कि तेल हो, गैस हो, फर्टिलाइजर हो, ऐसे हर जरूरी सामान से जुड़े जहाज भारत तक सुरक्षित पहुंचे। हम अपने सभी वैश्विक सहयोगों के साथ निरंतर संवाद कर रहे हैं, ताकि हमारे मैरिटाइम कॉरिडोर सुरक्षित रहें। ऐसे प्रयासों के कारण बीते दिनों होर्मुज स्ट्रेट में फसे हमारे कई जहाज भारत आए भी है।

अध्यक्ष जी,

संकट के इस समय में देश की एक और तैयारी भी बहुत काम आ रही है। पिछले 10-11 साल में एथेनॉल का उत्पादन और उसकी ब्लेंडिंग पर अभूतपूर्व काम हुआ है। एक दशक पहले तक देश में सिर्फ एक डेढ़ परसेंट इथेनॉल ब्लेंडिंग कैपेसिटी थी। आज हम पेट्रोल में 20% इथेनॉल ब्लेंडिंग के करीब पहुंच गए हैं। इसके कारण प्रतिवर्ष करीब साढ़े चार करोड़ बैरल कम ऑयल इंपोर्ट करना पड़ रहा है, ऐसे ही रेलवे के बिजलीकरण से भी बहुत बड़ा फायदा हो रहा है। अगर रेलवे का इतना बिजलीकरण ना होता, तो हर साल करीब 180 करोड़ लीटर डीजल अतिरिक्त लगता। ऐसे ही हमने मेट्रो का नेटवर्क बढ़ाया है, 2014 में जहां देश में मेट्रो नेटवर्क 250 किलो मीटर से भी काम था, आज ये बढ़कर करीब 1100 किलोमीटर हो गया है। हमने इलेक्ट्रिक मोबिलिटी पर बहुत अधिक बल दिया। केंद्र सरकार ने राज्यों को 15000 इलेक्ट्रिक बसें चलाने के लिए दी हैं। आज जिस स्केल पर वैकल्पिक ईंधन पर काम हो रहा है, उससे भारत का भविष्य और सुरक्षित होगा।

आदरणीय अध्यक्ष जी,

हम जानते हैं की एनर्जी आज इकोनॉमी की रीड है और ग्लोबल एनर्जी नीड्स को पूरा करने वाले एक बड़ा सोर्स वेस्ट एशिया है। स्वाभाविक है कि दुनिया भर की अर्थव्यवस्था वर्तमान संकट से प्रभावित हो रही है और भारत पर इसका कम से कम दुष्प्रभाव हो, इसके लिए निरंतर प्रयास किया जा रहे हैं। सरकार इसके शॉर्ट टर्म, मीडियम टर्म और लॉन्ग टर्म ऐसे हर असर के लिए एक रणनीति के साथ काम कर रही है। आज भारत की इकॉनमी के फंडामेंटल्स मजबूत हैं, इससे भी देश को बहुत मदद मिली है। हम हर सेक्टर के स्टेकहोल्डर्स के साथ चर्चा कर रहे हैं। जहां भी जरूरत है, उस सेक्टर को आवश्यक सपोर्ट दिया जा रहा है। भारत सरकार ने एक इंटर मिनिस्टीरियल ग्रुप भी बनाया है, ये ग्रुप हर रोज मिलता है और हमारे इंपोर्ट एक्सपोर्ट में आने वाली हर दिक्कत का आकलन करता है, और ये ग्रुप आवश्यक समाधान पर भी निरंतर काम करता है। मुझे पूरा भरोसा है कि सरकार और इंडस्ट्री के साझा प्रयासों से, हम परिस्थितियों का बेहतर सामना कर पाएंगे।

माननीय अध्यक्ष जी,

एक बड़ा सवाल यह है कि युद्ध का खेती पर क्या प्रभाव होगा? देश के किसानों ने हमारे अन्न के भंडार भर रखे हैं, इसलिए भारत के पास पर्याप्त खाद्यान्न है। हमारा ये भी प्रयास है कि खरीफ सीजन की ठीक से बुआई हो सके। सरकार ने बीते सालों में आपात स्थिति से निपटने के लिए खाद की पर्याप्त व्यवस्था भी की है। अतीत में भी हमारी सरकार ने दुनिया के संकटों का बोझ किसानों पर नहीं पड़ने दिया था। कोरोना और उस समय को युद्धों के दौरान, उस समय भी ग्लोबल सप्लाई चैन में disruption आ गई थी। दुनिया के बाजार में यूरिया की एक बोरी 3000 रूपये तक पहुंच गई, लेकिन भारत के किसानों को वही बोरी 300 रूपये से भी कम कीमत पर उपलब्ध कराई गई।

अध्यक्ष जी,

देश के किसानों को इस प्रकार के संकटों से बचने के लिए भी, बीते वर्षों में अनेक कदम उठाए गए हैं। पिछले एक दशक में देश में 6 यूरिया प्लांट शुरू किए गए हैं, इससे सालाना 76 लाख मीट्रिक टन से अधिक की यूरिया प्रोडक्शन कैपेसिटी जुड़ी है। इस दौरान DAP और NPKS जैसी खाद का घरेलू उत्पादन भी करीब 50 लाख मीट्रिक टन बढ़ाया गया है। इतना ही नहीं तेल और गैस की तरह खाद के आयात को भी डायवर्सिफाई किया गया है। ऐसे ही DAP और NPKA के आयात के लिए भी, हमने अपने विकल्पों को विस्तार किया है।

अध्यक्ष जी,

सरकार ने देश के किसानों को मेड इन इंडिया नैनो यूरिया का विकल्प भी दिया है। सरकार किसानों को प्राकृतिक खेती के लिए भी प्रोत्साहित कर रही है। पीएम कुसुम योजना के तहत किसानों को 22 लाख से ज्यादा सोलर पंप दिए गए हैं, इससे भी डीजल पर उनकी निर्भरता कम हुई है। मैं इस सदन के माध्यम से देश के किसानों को विश्वास दिलाता हूं कि सरकार किसानों कर हर संभव मदद करती रहेगी।

आदरणीय अध्यक्ष जी,

युद्ध का एक बहुत बड़ा चैलेंज ये भी है कि भारत में गर्मी का मौसम शुरू हो रहा है। आने वाले समय में बढ़ती गर्मी के साथ बिजली के डिमांड बढ़ती जाएगी। फिलहाल देश के सभी पावर प्लांट्स के पर्याप्त कोल स्टॉक्स उपलब्ध हैं। भारत में लगातार दूसरे साल 100 करोड़ टन कोयला उत्पादन करने का रिकॉर्ड बनाया है। पावर जेनरेशन से लेकर पावर सप्लाई तक के हमारे सभी सिस्टम की निरंतर मॉनिटरिंग भी की जा रही है, और सरकार की तैयारियां उसको रिन्यूएबल एनर्जी से अभी मदद मिली है। बीते दशक में रिन्यूएबल एनर्जी की तरफ देश ने बड़े कदम उठाए हैं। आज हमारी टोटल इंस्टॉल पावर जेनरेशन कैपेसिटी का आधा हिस्सा रिन्यूएबल सोर्स से आता है। हमारी कुल रिन्यूएबल क्षमता आज 250 गीगावॉट के ऐतिहासिक आंकड़े को पार कर गई है। बीते 11 वर्षों में देश ने अपनी सोलर पावर कैपेसिटी करीब तीन गीगावाट से बढ़कर 140 गीगा वाट तक पहुंचाइ है। बीते वर्षों में देश में करीब 40 लाख रूफटॉप सोलर लगे हैं, इसमें पीएम सूर्यघर मुफ्त बिजली योजना से भी लोगों को काफी मदद मिली है। गोबरधन योजना के तहत देश में आज 200 कंप्रेस बायोगैस प्लांट भी काम करना शुरू कर चुके हैं। ये सारे प्रयास आज देश के बहुत काम आ रहे हैं। सरकार ने भविष्य की तैयारी और बढ़ते हुए शांति एक्ट माध्यम से देश में न्यूक्लियर एनर्जी के उत्पादन को भी प्रोत्साहित किया है। कुछ ही दिन पहले स्मॉल हाइड्रो पावर डेवलपमेंट स्कीम को भी हरी झंडी दी गई है, जिससे आने वाले वर्षों में 1500 मेगावाट नई हाइड्रो पावर कैपेसिटी जोड़ी जाएगी।

आदरणीय अध्यक्ष जी,

जहां तक डिप्लोमेसी की बात है, भारत की भूमिका स्पष्ट है शुरुआत से ही हमने इस संघर्ष को लेकर अपनी गहरी चिंता व्यक्त की है। मैंने स्वयं भी पश्चिम एशिया के सभी संबंधित नेताओं से बातचीत की है। मैंने सभी से तनाव को कम करने और इस संघर्ष को खत्म करने का आग्रह किया है। भारत ने नागरिकों, एनर्जी और ट्रांसपोर्ट से जुड़े इंफ्रास्ट्रक्चर पर हमलों का विरोध किया है। कमर्शियल जहाजों पर हमला और होर्मुज स्ट्रेट जैसे अंतरराष्ट्रीय जलमार्ग में रुकावट अस्वीकार्य है। भारत डिप्लोमेसी के जरिए युद्ध के माहौल में भी, भारतीय जहाजों के सुरक्षित आवागमन के लिए निरंतर प्रयास कर रहा है।

अध्यक्ष महोदय,

भारत हमेशा से मानवता के हित में और शांति के पक्ष में अपनी आवाज उठाता रहा है। मैं फिर कहूंगा, कि बातचीत और कूटनीति ही इस समस्या का समाधान है। हमारे हर प्रयास तनाव को कम करने, इस संघर्ष को समाप्त करने के लिए है। इस युद्ध में किसी के भी जीवन पर संकट मानवता के हित में नहीं है, इसलिए भारत का प्रयास सभी पक्षों को जल्द से जल्द शांतिपूर्ण समाधान के लिए प्रोत्साहित करने का है।

अध्यक्ष जी,

जब ऐसे संकट आते हैं, तो कुछ तत्व इसका गलत फायदा उठाने की कोशिश भी करते हैं। इसलिए कानून व्यवस्था सुनिश्चित करने वाली सभी एजंसियों को अलर्ट पर रखा गया है। कोस्टल सिक्योरिटी हो, बॉर्डर सिक्योरिटी हो, साइबर सिक्योरिटी हो, स्ट्रैटेजिक इंस्टालेशंस हो, सब की सुरक्षा को और मजबूत किया जा रहा है।

अध्यक्ष जी,

इस युद्ध के कारण, दुनिया में जो कठिन हालात बने हैं, उनका प्रभाव लंबे समय तक बने रहने की आशंका है, इसलिए हमें तैयार रहना होगा, हमें एकजुट रहना होगा। हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं। अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है। धीरज के साथ, संयम के साथ, शांत मन से हमें हर चुनौती का मुकाबला करना है, और यही हमारी पहचान है, यही हमारी ताकत है, और हां हमें बहुत सावधान और सतर्क भी रहना है, हालात का फायदा उठाने वाले झूठ फैलाने का प्रयास करेंगे, ऐसे लोगों की कोशिशें को सफल नहीं होने देना है। मैं देश के सभी राज्य सरकारों से भी इस सदन के माध्यम से आग्रह करूंगा, ऐसे समय में काला बाजारी करने वाले, जमाखोरी करने वाले, एक्टिव हो जाते हैं, इसके लिए कड़ी मॉनिटरिंग जरूरी है, जहां से भी ऐसी शिकायतें आती हैं, वहां त्वरित कार्यवाही होनी चाहिए। देश की हर सरकार और देश का हर नागरिक जब मिलकर चलेंगे, तो हम हर चुनौती को चुनौती दे सकते हैं। इसी आग्रह के साथ मैं अपना वक्तव्य समाप्त करता हूं।

बहुत-बहुत धन्यवाद।