"આજે જમ્મુ-કાશ્મીરના લોકોએ યોગ પ્રત્યે જે ઉત્સાહ અને પ્રતિબદ્ધતા દર્શાવી છે, તે દ્રશ્યો અમર રહેશે"
"યોગ કુદરતી રીતે આવડવા જોઈએ અને જીવનનો સહજ ભાગ બની જવા જોઈએ"
"ધ્યાન એ આત્મા સુધારણા માટેનું શ્રેષ્ઠ સાધન છે"
"યોગ સ્વયં માટે જેટલો મહત્વપૂર્ણ, ઉપયોગી અને શક્તિશાળી છે તેટલો જ સમાજ માટે પણ છે"

મિત્રો,

આજે જે દ્રશ્ય છે, તે સમગ્ર વિશ્વના માનસ પટલ પર હંમેશા જીવંત રહેશે. જો વરસાદ ન પડ્યો હોત તો કદાચ તેટલું ધ્યાન આકર્ષિત ન થયું હોત, જેટલું વરસાદ પડ્યા  બાદ પણ, અને જ્યારે શ્રીનગરમાં વરસાદ પડે છે ત્યારે ઠંડી પણ વધી જાય છે. મારે પણ સ્વેટર પહેરવાનું પડ્યું. તમે લોકો તો અહીંના છો, તમે તેનાથી ટેવાઈ ગયા છો, તમારા માટે કોઈ સમસ્યા નથી. પરંતુ વરસાદને કારણે થોડો વિલંબ થયો, અમારે તેને બે-ત્રણ ભાગમાં વહેંચવું પડ્યું. તેમ છતાં, વિશ્વ સમુદાયે જાણવું જોઈએ કે પોતાના અને સમાજ માટે યોગનું શું મહત્વ છે, યોગ જીવનની સહજ પ્રવૃત્તિ કેવી રીતે બની શકે છે. જેમ તમારા દાંત સાફ કરવા એ એક નિયમિત દિનચર્યા બની જાય છે, તમારા વાળને માવજત કરવા એ એક નિયમિત દિનચર્યા બની જાય છે, તેવી જ રીતે, જ્યારે યોગ જીવનમાં સરળતાથી એકીકૃત થઈ જાય છે, ત્યારે તે એક કુદરતી પ્રવૃત્તિ બની જાય છે, અને તે દરેક ક્ષણે લાભ આપતી રહે છે.

કેટલીકવાર જ્યારે ધ્યાનની વાત આવે છે, જે યોગનો એક ભાગ છે, મોટાભાગના લોકો વિચારે છે કે તે એક મોટી આધ્યાત્મિક યાત્રા છે. આ અલ્લાહને પ્રાપ્ત કરવાનો, અથવા ભગવાનને પ્રાપ્ત કરવાનો, અથવા ગૉડને પ્રાપ્ત કરવાનો, સાક્ષાત્કાર કરવાનો આ કાર્યક્રમ છે. અને જ્યારે લોકો કહે…અરે ભાઈ, આ મારીથી નહીં થઈ શકે, હું તો સામર્થ્યથી બહાર જ છું, તે અટકી જાય છે. પણ જો આપણે તેને સરળ રીતે સમજવું હોય તો ધ્યાન આપો, જે બાલકો સ્કૂલમાં ભણતા હશે... આપણે પણ જ્યારે સ્કૂલમાં ભણતા હતા, દિવસમાં દસ વખત આપણાં ટીચર કહેતા હતા, ભાઈ, કરીને ધ્યાન રાખો, ધ્યાનથી જુઓ, ધ્યાનથી સાંભળો, અરે તારું ધ્યાન ક્યાં છે? આ ધ્યાન એ આપણી એકાગ્રતા સાથે સંબંધિત બાબત છે, આપણે વસ્તુઓ પર કેટલું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, આપણું મન કેટલું કેન્દ્રિત છે, તેની સાથે જોડાયેલો વિષય છે.

 

તમે જોયું જ હશે કે ઘણા લોકો યાદશક્તિ વધારવા માટેની તકનીકો વિકસાવે છે અને શીખવે છે. અને જે લોકો તેનું નિયમિતપણે પાલન કરે છે તેમની યાદશક્તિ ધીમે ધીમે વધે છે. તેવી જ રીતે, કોઈપણ કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ટેવ, એકાગ્રતાથી કામ કરવાની આદત શ્રેષ્ઠ પરિણામો આપે છે, પોતાને શ્રેષ્ઠ રીતે વિકસાવે છે અને ઓછામાં ઓછા થાક સાથે મહત્તમ સંતોષ આપે છે.

જેનું મન એક કામ કરતાં દસ જગ્યાએ ભટકે છે તે થાકી જાય છે. તેથી, હવે આ ધ્યાન, આધ્યાત્મિક યાત્રા છોડી દો, જ્યારે સમય આવશે ત્યારે કરી લો. અત્યારે તો તમારા વ્યક્તિગત જીવનમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે પોતાની જાતને ટ્રેઇન્ડ કરવા માટે યોગ એક ભાગ છે. જો આટલી સહજ રીતે તમે તેની સાથે જોડાઈ જશો, તો હું દૃઢપણે માનું છું કે મિત્રો તમને ઘણો ફાયદો થશે, તે તમારી વિકાસ યાત્રાનું ખૂબ જ મજબૂત પાસું બની જશે.

 

અને તેથી, યોગ પોતાના માટે જેટલો જરૂરી છે, જેટલો ઉપયોગી છે, જેટલી તે શક્તિ આપે છે, તેના વિસ્તરણથી સમાજને પણ ફાયદો થાય છે. અને જ્યારે સમાજને ફાયદો થાય છે, ત્યારે સમગ્ર માનવજાતને ફાયદો થાય છે, વિશ્વના દરેક ખૂણાને ફાયદો થાય છે.

હમણાં જ બે દિવસ પહેલાં મેં એક વિડિયો જોયો, ઇજિપ્તે એક સ્પર્ધાનું આયોજન કર્યું. અને તેમણે પર્યટનને લગતા આઇકોનિક કેન્દ્રો પર યોગના શ્રેષ્ઠ ફોટા અથવા વીડિયો લેનારને એવોર્ડ આપ્યા. અને મેં જે ચિત્રો જોયા તેમાં ઇજિપ્તના પુત્રો અને પુત્રીઓ તમામ પ્રતિષ્ઠિત પિરામિડની નજીક ઉભા રહીને યોગની મુદ્રાઓ કરી રહ્યા હતા. ખૂબ જ આકર્ષણ પેદા કરી રહ્યા હતા. અને કાશ્મીર માટે, તે લોકો માટે રોજગારનું એક વિશાળ સ્ત્રોત બની શકે છે. પ્રવાસન માટે આકર્ષણનું મોટું કેન્દ્ર બની શકે છે.

 

તેથી આજે મને ખૂબ સારું લાગ્યું, ઠંડી વધી, હવામાને પણ કેટલાક પડકારો સર્જ્યા, છતાં તમે અડગ રહ્યા. હું જોઈ રહ્યો હતો કે અમારી ઘણી દીકરીઓ આ કાર્પેટનો ઉપયોગ કરી રહી હતી, જે યોગા મેટ હતી, વરસાદથી પોતાને બચાવવા માટે, પરંતુ તેઓ જતી ન રહી, તેઓ અડગ રહી. આ પોતાનામાં એક મહાન સુકૂન છે.

હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, તમને શુભેચ્છા પાઠવું છું.

Thank You.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
IIM Bangalore to set up first overseas campus in Indonesia: PM Modi

Media Coverage

IIM Bangalore to set up first overseas campus in Indonesia: PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the strength of courage and resilience
July 08, 2026

The Prime Minister, Shri Narendra Modi said that courage is the greatest strength of a nation. He noted that it inspires the country to remain united even in the face of difficult challenges and to move steadily towards progress, prosperity and self-reliance.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

“चलन्ति गिरयः कामं युगान्तपवनाहताः।

कृच्छ्रेऽपि न चलत्येव धीराणां निश्चलं मनः।। ”

The Subhashitam conveys that even mountains, lashed by tempestuous winds, are shaken and set in motion at the time of dissolution; yet amid the gravest trials, the mind of the steadfast remains unwavering and undisturbed.

The Prime Minister wrote on X;

“धैर्य किसी राष्ट्र की सबसे बड़ी शक्ति है। इससे कठिन चुनौतियों के बीच भी देश को एकजुट रहने के साथ ही प्रगति, समृद्धि और आत्मनिर्भरता की दिशा में निरंतर आगे बढ़ने की प्रेरणा मिलती है।

चलन्ति गिरयः कामं युगान्तपवनाहताः।

कृच्छ्रेऽपि न चलत्येव धीराणां निश्चलं मनः।।”