"વૈશ્વિક ભાઈચારાની ભાવના જી-20 લોગો દ્વારા પ્રતિબિંબિત થઈ રહી છે"
“જી-20ના લોગોમાં કમળ આ મુશ્કેલ સમયમાં આશાનું પ્રતીક છે"
"જી-20નું પ્રમુખપદ એ માત્ર ભારત માટે રાજદ્વારી બેઠક જ નથી, પરંતુ આ એક નવી જવાબદારી છે અને ભારતમાં વિશ્વના વિશ્વાસનો માપદંડ છે"
"જ્યારે આપણે આપણી પ્રગતિ માટે પ્રયત્નશીલ હોઈએ છીએ, ત્યારે આપણે વૈશ્વિક પ્રગતિની કલ્પના પણ કરીએ છીએ"
"પર્યાવરણ આપણા માટે વૈશ્વિક કારણની સાથે વ્યક્તિગત જવાબદારી પણ છે"
"અમારો પ્રયાસ રહેશે કે પ્રથમ કે ત્રીજું વિશ્વ ન હોવું જોઈએ, પરંતુ ફક્ત એક જ વિશ્વ હોવું જોઈએ"
"અમારો જી-20 મંત્ર છે - એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય"
"જી-20 દિલ્હી અથવા કેટલાંક સ્થળો સુધી મર્યાદિત રહેશે નહીં. દરેક નાગરિક, રાજ્ય સરકાર અને રાજકીય પક્ષે તેમાં ભાગ લેવો જોઈએ"

નમસ્કાર,

મારા પ્રિય દેશવાસીઓ અને વિશ્વ સમુદાયના તમામ પરિવારજનો, થોડા દિવસો પછી, 1 ડિસેમ્બરથી, ભારત જી-20ની અધ્યક્ષતા કરશે. આ ભારત માટે એક ઐતિહાસિક અવસર છે. આજે આ સંદર્ભમાં આ સમિટની વેબસાઇટ, થીમ અને લોગો લૉન્ચ કરવામાં આવ્યાં છે. હું આ પ્રસંગે તમામ દેશવાસીઓને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

સાથીઓ,

જી-20 એવા દેશોનું એક જૂથ છે, જેનું આર્થિક સામર્થ્ય વિશ્વની 85 ટકા જીડીપીનું પ્રતિનિધિત્વ કરે છે. જી-20 એ વીસ દેશોનો એક સમૂહ છે જે વિશ્વના 75 ટકા વેપારનું પ્રતિનિધિત્વ કરે છે. જી-20 એ 20 દેશોનું એક જૂથ છે જે વિશ્વની બે તૃતીયાંશ વસ્તી ધરાવે છે. અને ભારત, હવે આ જી -20 જૂથનું નેતૃત્વ કરવા જઈ રહ્યું છે, તેની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે.

તમે કલ્પના કરી શકો છો કે આઝાદીના અમૃતકાળમાં દેશ સામે કેટલી મોટી તક આવી છે. આ દરેક ભારતીય માટે ગર્વની વાત છે, તેનું ગૌરવ વધારતી વાત છે. અને મને ખુશી છે કે જી-20 સમિટને લઈને, ભારતમાં તેની સાથે જોડાયેલાં આયોજનોને લઇને ઉત્સુકતા અને સક્રિયતા સતત વધી રહી છે. આજે જે લોગો લૉન્ચ થયો છે એ લોગોનાં નિર્માણમાં પણ દેશવાસીઓની મોટી ભૂમિકા રહી છે. અમે દેશવાસીઓ પાસેથી લોગો માટે તેમનાં મૂલ્યવાન સૂચનો માગ્યાં હતાં. અને મને એ જાણીને ખૂબ જ આનંદ થયો કે હજારો લોકોએ સરકારને તેમના સર્જનાત્મક વિચારો મોકલ્યા. આજે તે વિચારો, તે સૂચનો, આટલા મોટા વૈશ્વિક કાર્યક્રમનો ચહેરો બની રહ્યા છે. હું આ પ્રયાસ માટે દરેકને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

સાથીઓ,

જી-20નો આ લોગો માત્ર એક પ્રતીક ચિહ્ન નથી. તે એક સંદેશ છે. તે એક એવી ભાવના છે જે આપણી નસોમાં છે. આ એક એવો સંકલ્પ છે જે આપણી વિચારસરણીમાં સામેલ રહ્યો છે. 'વસુધૈવ કુટુમ્બકમ્‌'ના મંત્ર દ્વારા આપણે જે વૈશ્વિક ભાઈચારાની ભાવના જીવતા આવ્યા છીએ તે વિચાર આ લોગો અને થીમમાં પ્રતિબિંબિત થઈ રહ્યો છે. આ લોગોમાં કમળનું ફૂલ ભારતની પૌરાણિક વિરાસત, આપણી આસ્થા, આપણી બૌદ્ધિકતાને દર્શાવે છે.

આપણે ત્યાં અદ્વૈતનું ચિંતન એ જીવમાત્રનાં એકત્વનું દર્શન રહ્યું છે. આ લોગો અને થીમનાં માધ્યમથી આપણે એ સંદેશ આપ્યો છે કે આ ફિલોસોફી આજના વૈશ્વિક સંઘર્ષો અને દુવિધાઓને ઉકેલવાનું માધ્યમ બને. યુદ્ધથી મુક્તિ માટે બુદ્ધનો જે સંદેશ છે, હિંસાની સામે મહાત્મા ગાંધીના જે ઉપાયો છે, જી-20નાં માધ્યમથી ભારત એની વૈશ્વિક પ્રતિષ્ઠાને નવી ઊર્જા આપી રહ્યું છે.

મિત્રો,

વિશ્વમાં સંકટ અને અરાજકતાના સમયે ભારતનું જી-20નું પ્રમુખ પદ આવી રહ્યું છે. વિશ્વ સદીમાં એક વખત થતી વિક્ષેપિત મહામારી, સંઘર્ષો અને ઘણી આર્થિક અનિશ્ચિતતાની અસરોમાંથી પસાર થઈ રહ્યું છે. જી ૨૦ લોગોમાં કમળનું પ્રતીક આ સમયમાં આશાનું પ્રતિનિધિત્વ છે. ગમે તેટલા વિપરીત સંજોગો હોય તો પણ કમળ ખીલે છે. વિશ્વ એક ઊંડી કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે, તો પણ આપણે પ્રગતિ કરી શકીએ છીએ અને વિશ્વને એક વધુ સારું સ્થાન બનાવી શકીએ છીએ.

ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાન અને સમૃદ્ધિની દેવી બંને કમળ પર બિરાજમાન છે. વિશ્વને આજે આની જ સૌથી વધુ જરૂર છે: વહેંચાયેલું જ્ઞાન જે આપણને આપણા સંજોગોને દૂર કરવામાં મદદ કરે છે, અને વહેંચાયેલી સમૃદ્ધિ જે છેલ્લા માઇલ પર છેલ્લી વ્યક્તિ સુધી પહોંચે છે.

આ જ કારણ છે કે, જી-20ના લોગોમાં પૃથ્વીને કમળ પર પણ મૂકવામાં આવી છે. લોગોમાં કમળની સાત પાંખડીઓ પણ નોંધપાત્ર છે. તે સાત ખંડોનું પ્રતિનિધિત્વ કરે છે. સાત એ સંગીતની સાર્વત્રિક ભાષામાં સૂરોની સંખ્યા પણ છે. સંગીતમાં, જ્યારે સાત સૂરો એક સાથે આવે છે, ત્યારે તેઓ સંપૂર્ણ સુમેળ બનાવે છે. પરંતુ દરેક સૂરની પોતાની આગવી વિશિષ્ટતા હોય છે. એ જ રીતે, જી-20નો ઉદ્દેશ વિવિધતાનું સન્માન કરવાની સાથે વિશ્વને સંવાદિતામાં લાવવાનો છે.

સાથીઓ,

તે વાત સાચી છે કે જ્યારે પણ વિશ્વમાં જી -20 જેવાં મોટાં પ્લેટફોર્મ્સનું કોઇ સંમેલન હોય છે, ત્યારે તેનો પોતાનો રાજદ્વારી અને ભૂ-રાજકીય અર્થ હોય છે. તે સ્વાભાવિક પણ છે. પરંતુ ભારત માટે આ સમિટ માત્ર ડિપ્લોમેટિક બેઠક નથી. ભારત આને પોતાના માટે એક નવી જવાબદારી તરીકે જુએ છે. ભારત આને પોતાના પ્રત્યે વિશ્વના વિશ્વાસ તરીકે જુએ છે. આજે વિશ્વમાં ભારતને જાણવા માટે, ભારતને સમજવા માટે અભૂતપૂર્વ જિજ્ઞાસા છે. આજે ભારતનો અભ્યાસ એક નવા પ્રકાશમાં થઈ રહ્યો છે. આપણી વર્તમાન સફળતાઓનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આપણાં ભવિષ્ય વિશે અભૂતપૂર્વ આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આવી સ્થિતિમાં, આ આશાઓ અને અપેક્ષાઓ કરતા ઘણું સારું કામ કરવાની જવાબદારી આપણા દેશવાસીઓની છે. ભારતની વિચારસરણી અને સામર્થ્યથી, ભારતની સંસ્કૃતિ અને સામાજિક શક્તિથી દુનિયાને પરિચિત કરાવવાની જવાબદારી આપણી છે. આપણી હજારો વર્ષ જૂની સંસ્કૃતિની બૌદ્ધિકતા અને તેમાં સમાયેલી આધુનિકતા સાથે વિશ્વનું જ્ઞાન વધારવું એ આપણી જવાબદારી છે.

જે રીતે આપણે સદીઓ અને હજારો વર્ષોથી 'જય-જગત'ના વિચારને જીવતા આવ્યા છીએ, આજે આપણે તેને જીવંત બનાવવાનો છે અને આધુનિક વિશ્વ સમક્ષ રજૂ કરવાનો છે. આપણે બધાને જોડવાના છે. દરેકને વૈશ્વિક કર્તવ્યોનો બોધ કરાવવાનો છે. વિશ્વનાં ભવિષ્યમાં તેમની પોતાની ભાગીદારી માટે તેમને જાગૃત કરવા પડશે, પ્રેરિત કરવા પડશે.

સાથીઓ,

આજે જ્યારે ભારત જી-20ની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે, ત્યારે આ કાર્યક્રમ આપણા માટે 130 કરોડ ભારતીયોની શક્તિ અને સામર્થ્યનું પ્રતિનિધિત્વ કરે છે. આજે ભારત આ મુકામ પર પહોંચ્યું છે. પરંતુ, તેની પાછળ હજારો વર્ષોની આપણી ખૂબ મોટી યાત્રા જોડાયેલી છે, અનંત અનુભવો જોડાયેલા છે. આપણે હજારો વર્ષોની પ્રગતિ અને વૈભવ પણ જોયો છે. આપણે વિશ્વનો સૌથી અંધકારમય સમયગાળો પણ જોયો છે. આપણે સદીઓની ગુલામી અને અંધકારને જીવવાની મજબૂરીના દિવસો જોયા છે. કેટલાય આક્રમણકારો અને અત્યાચારોનો સામનો કરીને ભારત એક જીવંત ઇતિહાસ સાથે આજે અહીં સુધી પહોંચ્યું છે.

તે અનુભવો ભારતની આજની વિકાસયાત્રામાં તેની સૌથી મોટી તાકાત છે. આઝાદી પછી, આપણે શિખરને લક્ષ્યમાં રાખીને શૂન્યથી શરૂ કરીને એક મોટી યાત્રા શરૂ કરી. આમાં છેલ્લાં 75 વર્ષોમાં જેટલી પણ સરકારો રહી, તે તમામના પ્રયત્નો સામેલ છે. તમામ સરકારો અને નાગરિકોએ પોતપોતાની રીતે મળીને ભારતને આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે. આ ભાવના સાથે આજે આપણે એક નવી ઊર્જા સાથે સમગ્ર દુનિયાને સાથે લઈને આગળ વધવાનું છે.

સાથીઓ,

ભારતની હજારો વર્ષ જૂની સંસ્કૃતિએ આપણને વધુ એક વસ્તુ શીખવી છે. જ્યારે આપણે આપણી પ્રગતિ માટે પ્રયાસ કરીએ છીએ, ત્યારે આપણે વૈશ્વિક પ્રગતિની કલ્પના પણ કરીએ છીએ. આજે ભારત દુનિયામાં એક એવું સમૃદ્ધ અને જીવંત લોકતંત્ર છે.આપણી પાસે લોકશાહીનાં સંસ્કારો પણ છે, અને લોકશાહીની જનનીનાં રૂપમાં એક ગૌરવપૂર્ણ પરંપરા પણ છે. ભારત જેટલી વિશિષ્ટતા ધરાવે છે તેટલી જ વિવિધતા પણ ધરાવે છે. આ લોકશાહી, આ વિવિધતા, આ સ્વદેશી અભિગમ, આ સર્વસમાવેશક વિચારસરણી, આ સ્થાનિક જીવનશૈલી, આ વૈશ્વિક વિચારો, આજે વિશ્વ આ જ વિચારોમાં તેના તમામ પડકારોના ઉકેલ જોઈ રહ્યું છે.

અને, જી-20 આ માટે એક મોટી તક તરીકે કામમાં આવી શકે છે. આપણે દુનિયાને બતાવી શકીએ છીએ કે લોકશાહી, જ્યારે તે એક વ્યવસ્થાની સાથે સાથે એક સંસ્કાર અને સંસ્કૃતિ બની જાય છે, ત્યારે સંઘર્ષોનો અવકાશ કેવી રીતે સમાપ્ત થઈ જાય છે.

આપણે વિશ્વના દરેક માનવીને ખાતરી આપી શકીએ છીએ કે પ્રગતિ અને પ્રકૃતિ બંને એકબીજાની સાથે ચાલી શકે છે. આપણે ટકાઉ વિકાસને માત્ર સરકારોની વ્યવસ્થાને બદલે વ્યક્તિગત જીવનનો એક ભાગ પણ બનાવવાનો છે, તેનો વિસ્તાર કરવો પડશે. પર્યાવરણ એ આપણા માટેવૈશ્વિક કારણની સાથે સાથે વ્યક્તિગત જવાબદારી પણ બનવું જોઈએ.

સાથીઓ,

આજે દુનિયા ઈલાજને બદલે સ્વાસ્થ્યની શોધમાં છે. આપણું આયુર્વેદ, આપણો યોગ, જેના વિશે વિશ્વમાં એક નવો વિશ્વાસ અને ઉત્સાહ છે, તેનાં વિસ્તરણ માટે આપણે એક વૈશ્વિક વ્યવસ્થા ઊભી કરી શકીએ છીએ. આવતાં વર્ષે વિશ્વ આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ ઉજવવા જઈ રહ્યું છે, પરંતુ આપણે સદીઓથી ઘણાં બરછટ અનાજને આપણા ઘરનાં રસોડામાં સ્થાન આપતાં આવ્યા છીએ.

સાથીઓ,

અનેક ક્ષેત્રોમાં ભારતની સિદ્ધિઓ એવી છે કે તે વિશ્વના અન્ય દેશોને પણ ઉપયોગી થઈ શકે છે. ઉદાહરણ તરીકે, ભારતે જે રીતે વિકાસ માટે, સમાવેશ માટે, ભ્રષ્ટાચાર નાબૂદ કરવા, ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસ અને ઈઝ ઑફ લિવિંગને વધારવા માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, તે તમામ વિકાસશીલ દેશો માટેના મૉડલ્સ છે, નમૂનાઓ છે.

એ જ રીતે આજે ભારત મહિલા સશક્તીકરણ, એથીય વધીને મહિલા સંચાલિત વિકાસમાં પ્રગતિ કરી રહ્યું છે. આપણાં જન ધન ખાતાંઓ અને મુદ્રા જેવી યોજનાઓએ મહિલાઓને નાણાકીય સર્વસમાવેશકતા સુનિશ્ચિત કરી છે. આવાં જ વિવિધ ક્ષેત્રોમાં આપણો અનુભવ વિશ્વને ઘણી મદદ કરી શકે છે. અને જી-20માં ભારતનું પ્રમુખપદ આ તમામ સફળ અભિયાનોને વિશ્વ સુધી પહોંચાડવા માટે એક મહત્વપૂર્ણ માધ્યમ બનીને આવી રહ્યું છે.

સાથીઓ,

આજની દુનિયા સામૂહિક નેતૃત્વ તરફ મોટી આશા સાથે જોઈ રહી છે. પછી તે જી-7 હોય, જી-77 હોય કે પછી યુએનજીએ હોય. આ વાતાવરણમાં જી-20ના પ્રમુખ તરીકે ભારતની ભૂમિકા ઘણી મહત્વની છે. એક તરફ ભારત વિકસિત દેશો સાથે ગાઢ સંબંધો જાળવી રાખે છે અને સાથે સાથે વિકાસશીલ દેશોના દૃષ્ટિકોણને પણ સારી રીતે સમજે છે, એની અભિવ્યક્તિ કરે છે. આ આધાર પર આપણે 'ગ્લોબલ સાઉથ'ના એ તમામ મિત્રો સાથે જી-20ના પ્રમુખપદની રૂપરેખા તૈયાર કરીશું, જેઓ વિકાસના પથ પર દાયકાઓથી ભારતના સહ-યાત્રી રહ્યા છે. અમારો પ્રયાસ એ રહેશે કે વિશ્વમાં કોઈ પણ પ્રથમ કે ત્રીજું વિશ્વ ન હોવું જોઈએ, પરંતુ માત્ર એક જ વિશ્વ હોય. ભારત એક સમાન ઉદ્દેશ માટે, ઉજ્જવળ ભવિષ્ય માટે સમગ્ર વિશ્વને એકમંચ પર લાવવાનાં વિઝન પર કામ કરી રહ્યું છે. વન સન, વન વર્લ્ડ, વન ગ્રિડના મંત્ર સાથે ભારતે વિશ્વમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ક્રાંતિ લાવવાનું આહ્વાન કર્યું છે. ભારતે વન અર્થ, વન હેલ્થના મંત્ર સાથે વૈશ્વિક સ્વાસ્થ્યને મજબૂત કરવાનું અભિયાન શરૂ કર્યું છે. અને હવે જી-20માં પણ આપણો મંત્ર છે - વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર. ભારતના આ જ વિચારો, આ જ સંસ્કારો, વિશ્વ કલ્યાણનો માર્ગ મોકળો કરે છે.

સાથીઓ,

આજે મારા દેશની તમામ રાજ્ય સરકારો, તમામ રાજકીય પક્ષોને પણ એક વિનંતી છે. આ આયોજન માત્ર કેન્દ્ર સરકારનું નથી. આ આયોજન આપણા ભારતીયોનું આયોજન છે. 'અતિથિ દેવો ભવઃ'ની આપણી પરંપરાનાં દર્શન કરાવવાનો પણ જી-20 એક ઉત્તમ અવસર છે. જી-20 સાથે જોડાયેલાં આ આયોજનો દિલ્હી કે અમુક જગ્યાઓ સુધી સીમિત નહીં રહે. આ અંતર્ગત દેશના ખૂણે ખૂણે કાર્યક્રમો યોજાશે. આપણાં દરેક રાજ્યની પોતાની લાક્ષણિકતાઓ છે, તેનો પોતાનો વારસો છે. દરેક રાજ્યની પોતાની સંસ્કૃતિ છે, પોતાનું સૌંદર્ય છે, તેની પોતાની આભા છે, પોતાની મહેમાનગતિ છે.

રાજસ્થાનનું આતિથ્ય આમંત્રણ છે – પધારો મ્હારે દેસ! ગુજરાતના પ્રેમાળ અભિનંદન - તમારું સ્વાગત છે! આ જ પ્રેમ કેરળમાં મલયાલમમાં જોવા મળે છે – એલ્લાવર્ક્કુમ સ્વાગતમ્‌! ‘અતુલ્ય ભારતનું દિલ’મધ્યપ્રદેશ કહે છે- આપ કા સ્વાગત હૈ! પશ્ચિમ બંગાળમાં મીઠી બાંગ્લામાં આપનું સ્વાગત થાય છે - અપના કે સ્વાગત ઝાનાઇ! તામિલનાડુ, કડેગલ મુડી-વદિલ્યે, તે કહે છે - થંગલ વરવ નલ-વર-વહુહા!, યુપીનો આગ્રહ હોય છે - યુપી નહીં દેખા તો ભારત નહીં દેખા. હિમાચલ પ્રદેશ આપણને 'દરેક ઋતુ માટે, દરેક કારણસર' એટલે ‘હર મૌસમ, હર વજહ કે લિયે’ આપણને બોલાવે છે. ઉત્તરાખંડ તો “એક સ્વર્ગ" જ છે. આ આતિથ્ય-સત્કાર, આ વિવિધતા દુનિયાને આશ્ચર્યચકિત કરી દે છે. જી-20નાં માધ્યમથી આપણે આ પ્રેમને દુનિયા સુધી પહોંચાડવાનો છે.

સાથીઓ,

મારે હમણાં આવતા અઠવાડિયે ઇન્ડોનેશિયા જવાનું છે. ત્યાં ભારતને જી-20નું પ્રમુખપદ આપવાની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. હું દેશનાં તમામ રાજ્યોને, તમામ રાજ્ય સરકારોને પણ આગ્રહ કરું છું કે, આમાં તેઓ તેમનાં રાજ્યની ભૂમિકાને શક્ય તેટલી વિસ્તૃત કરે. તમારાં રાજ્ય માટે આ તકનો લાભ લો. દેશના તમામ નાગરિકો, બુદ્ધિજીવીઓએ પણ આ કાર્યક્રમનો હિસ્સો બનવા આગળ આવવું જોઈએ. હમણાં જ લૉન્ચ થયેલી વેબસાઇટ પર, તમે બધા આ માટે તમારાં સૂચનો મોકલી શકો છો, તમારા મંતવ્યો જાહેર કરી શકો છો.

વિશ્વ કલ્યાણ માટે ભારત કેવી રીતે તેની ભૂમિકાને આગળ ધપાવે, એ દિશામાં તમારાં સૂચનો અને સહભાગીતા જી-20 જેવાં આયોજનની સફળતાને નવી ઊંચાઈ આપશે. મને વિશ્વાસ છે કે આ આયોજન માત્ર ભારત માટે યાદગાર નહીં રહે, પરંતુ ભવિષ્ય પણ વિશ્વના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ તક તરીકે તેનું મૂલ્યાંકન કરશે.

આ જ ઇચ્છા સાથે આપ સૌને ફરી એક વાર ખૂબ ખૂબ શુભકામનાઓ.

ખૂબ ખૂબ આભાર!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Govt directs faster processing of city gas projects, hikes commercial LPG allocation to ease supply stress

Media Coverage

Govt directs faster processing of city gas projects, hikes commercial LPG allocation to ease supply stress
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
This is the New India that leaves no stone unturned for development: PM Modi
March 23, 2026
Today, India is moving forward with a new confidence; Now India faces challenges head-on: PM
From the Gulf to the Global West and from the Global South to neighbouring countries, India is a trusted partner for all: PM
What gets measured gets improved and ultimately gets transformed: PM
This is the new India, It is leaving no stone unturned for development: PM

नमस्कार!

पिछले कुछ समय में मुझे एक-दो बार टीवी9 भारतवर्ष देखने का मौका मिला है। नॉर्मली भी युद्धों और मिसाइलों पर आपका बहुत फोकस होता है और आजकल तो आपको कंटेंट की ओवरफीडिंग हो रही है। बड़े-बड़े देश टीवी9 को इतना सारा कंटेंट देने पर तुले हुए हैं, लेकिन On a Serious Note, आज विश्व जिन गंभीर परिस्थितियों से गुजर रहा है, वो अभूतपूर्व है और बेहद गंभीर है। और इन स्थितियों के बीच, आज टीवी-9 नेटवर्क ने विचारों का एक बेहद महत्वपूर्ण मंच बनाया है। आज इस समिट में आप सभी India and the world, इस विषय पर चर्चा कर रहे हैं। मैं आप सबको बधाई देता हूं। इस समिट के लिए अपनी शुभकामनाएं देता हूं। सभी अतिथियों का अभिनंदन करता हूं।

साथियों,

आज जब दुनिया, conflicts के कारण उलझी हुई है, जब इन conflicts के दुष्प्रभाव पूरी दुनिया पर दिख रहे हैं, तब India and the world की बात करना बहुत ही प्रासंगिक है। भारत आज वो देश है, जिसकी अर्थव्यवस्था तेजी से आगे बढ़ रही है। 2014 के पहले की स्थितियों को पीछे छोड़कर के आज भारत एक नए आत्मविश्वास के साथ आगे बढ़ रहा है। अब भारत चुनौतियों को टालता नहीं है बल्कि चुनौतियों से टकराता है। आप बीते 5-6 साल में देखिए, कोरोना की महामारी के बाद चुनौतियां एक के बाद एक बढ़ती ही गई हैं। ऐसा कोई साल नहीं है, जिसने भारत की, भारतीयों की परीक्षा न ली हो। लेकिन 140 करोड़ देशवासियों के एकजुट प्रयास से भारत हर आपदा का सामना करते हुए आगे बढ़ रहा है। इस समय युद्ध की परिस्थितियों में भी भारत की नीति और रणनीति देखकर, भारत का सामर्थ्य देखकर दुनिया के अनेकों देश हैरान हैं। हमारे यहां कहावत है, सांच को आंच नहीं। 28 फरवरी से दुनिया में जो उथल-पुथल मची है, इन कठोर विपरीत परिस्थितियों में भी भारत प्रगति के, विकास के, विश्वास के संकल्प के साथ आगे बढ़ रहा है। इन 23 दिनों में भारत ने अपनी Relationship Building Capacity दिखाई है, Decision Making Capacity दिखाई है और Crisis Management Capacity दिखाई है।

साथियों,

आज जब दुनिया इतने सारे खेमों में बंटी हुई है, भारत ने अभूतपूर्व और अकल्पनीय bridges बनाए हैं। Gulf से लेकर Global West तक, Global South से लेकर पड़ोसी देशों तक भारत सभी का trusted partner है। कुछ लोग पूछते हैं, हम किसके साथ हैं? तो उनको मेरा जवाब यही है कि हम भारत के साथ हैं, हम भारत के हितों के साथ हैं, शांति के साथ हैं, संवाद के साथ हैं।

साथियों,

संकट के इसी समय में जब global supply chains डगमगा रही हैं, भारत ने diversification और resilience का मॉडल पेश किया है। Energy हो, fertilizers हों या essential goods अपने नागरिकों को कम से कम परेशानी हो, इसके लिए भारत ने निरंतर प्रयास किया है और आज भी कर रहे है।

साथियों,

जब राष्ट्रनीति ही राजनीति का मुख्य आधार हो, तब देश का भविष्य सर्वोपरि होता है। लेकिन जब राजनीति में व्यक्तिगत स्वार्थ हावी हो जाता है, तब लोग देश के फ्यूचर के बजाय अपने फ्यूचर के बारे में सोचते हैं। आप ज़रा याद कीजिए 2004 से 2010 के बीच क्या हुआ था? तब कांग्रेस सरकार के समय पेट्रोल-डीजल और गैस की कीमतों का संकट आया था और तब कांग्रेस ने देश की नहीं बल्कि अपनी सत्ता की चिंता की। उस वक्त कांग्रेस ने एक लाख अड़तालीस हज़ार करोड़ रुपए के ऑयल बॉन्ड जारी किए थे और प्रधानमंत्री मनमोहन सिंह जी ने खुद कहा था कि वो आने वाली पीढ़ी पर कर्ज का बोझ डाल रहे हैं। यह जानते हुए भी कि ऑयल बॉन्ड का फैसला गलत है, जो रिमोट कंट्रोल से सरकार चला रहे थे, उन लोगों ने अपनी सत्ता बचाने के लिए यह गलत निर्णय किया क्योंकि जवाबदेही उस समय नहीं होनी थी, उस बॉन्ड पर री-पेमेंट 2020 के बाद होनी थी।

साथियों,

बीते 5-6 वर्षों में हमारी सरकार ने कांग्रेस सरकार के उस पाप को धोने का काम किया है, और इस धुलाई का खर्चा कम नहीं आया है, ऐसी लाँड्री आपने देखी नहीं होगी। 1 लाख 48 हज़ार करोड़ रुपए की जगह, देश को 3 लाख करोड़ रुपए से अधिक की पेमेंट करनी पड़ी क्योंकि इसमें ब्याज भी जुड़ गया था। यानी हमने करीब-करीब दोगुनी राशि चुकाने के लिए मजबूर हुए। आजकल कांग्रेस के जो नेता बयानों की मिसाइलें दाग रहे हैं, मिसाइल आई तो टीवी9 को मजा आएगा, उनकी इस विषय का जिक्र आते ही बोलती बंद हो जाती है।

साथियों,

पश्चिम एशिया में बनी परिस्थितियों पर मैंने आज लोकसभा में अपना वक्तव्य दिया है। दुनिया में जहां भी युद्ध हो रहे हैं, वो भारत की सीमा से दूर हैं। लेकिन आज की व्यवस्थाओं में कोई भी देश युद्धों से दुष्प्रभाव से दूर रहे, ऐसा संभव नहीं होता। अनेक देशों में तो स्थिति बहुत गंभीर हो चुकी है। और इन हालातों में हम देख रहे हैं कि राजनीतिक स्वार्थ से भरे कुछ लोग, कुछ दल, संकट के इस समय में भी अपने लिए राजनीतिक अवसर खोज रहे हैं। इसलिए मैं टीवी9 के मंच से फिर कहूंगा, यह समय संयम का है, संवेदनशीलता का है। हमने कोरोना महासंकट के दौरान भी देखा है, जब देशवासी एकजुट होकर संकट का सामना करते हैं, तो कितने सार्थक परिणाम आते हैं। इसी भाव के साथ हमें इस युद्ध से बनी परिस्थितियों का सामना करना है।

साथियों,

दुनिया की हर उथल-पुथल के बीच, भारत ने अपनी प्रगति की गति को भी बनाए रखा है। अगर मैं 28 फरवरी को युद्ध शुरू होने के बाद, बीते 23 दिनों का ही ब्यौरा दूं, तो पूरब से पश्चिम तक, उत्तर से दक्षिण तक देश में हजारों करोड़ के डेवलपमेंट प्रोजेक्ट्स का काम हुआ है। दिल्ली मेट्रो रेल के महत्वपूर्ण कॉरिडोर्स का लोकार्पण, सिलचर का हाई स्पीड कॉरिडोर का शिलान्यास, कोटा में नए एयरपोर्ट का शिलान्यास, मदुरै एयरपोर्ट को इंटरनेशनल एयरपोर्ट का दर्जा देना, ऐसे अनेक काम बीते 23 दिनों में ही हुए हैं। बीते एक महीने के दौरान ही औद्योगिक विकास को गति देने के लिए भव्य स्कीम को मंजूरी दी गई है। इसके तहत देशभर में 100 plug-and-play industrial parks विकसित किए जाएंगे। देश में Small Hydro Power Development Scheme को भी हरी झंडी दी गई है। इससे आने वाले वर्षों में 1,500 मेगावाट नई hydro power capacity जोड़ी जाएगी। इसी दौरान जल जीवन मिशन को साल 2028 तक बढ़ाने का निर्णय लिया गया है। किसानों के हित में भी अनेक बड़े निर्णय लिए गए हैं। बीते एक महीने में ही पीएम किसान सम्मान निधि के तहत 18 हजार करोड़ रुपए से अधिक सीधे किसानों के खातों में ट्रांसफर किए गए हैं। और जो हमारे MSMEs हैं, जो हमारे निर्यातक हैं, उनके लिए भी करीब 500 करोड़ रुपए के राहत पैकेज की भी घोषणा की गई है। यह सारे कदम इस बात का प्रमाण हैं कि विकसित भारत बनाने के लिए देश कितनी तेज गति से काम कर रहा है।

साथियों,

Management की दुनिया में एक सिद्धांत कहा जाता है - What gets measured, gets managed. लेकिन मैं इसमें एक बात और जोड़ना चाहता हूं, What gets measured, gets improved और ultimately, gets transformed. क्योंकि आकलन जागरूकता पैदा करता है। आकलन जवाबदेही तय करता है और सबसे महत्वपूर्ण आकलन संभावनाओं को जन्म देता है।

साथियों,

अगर आप 2014 से पहले के 10-11 साल और 2014 के बाद के 10-11 साल का आप आकलन करेंगे, तो यही पाएंगे कि कैसे इसी सिद्धांत पर चलते हुए, भारत ने हर सेक्टर को Transform किया है। जैसे पहले हाईवे बनते थे, करीब 11-12 किलोमीटर प्रति दिन की रफ्तार से, आज भारत करीब 30 किलोमीटर प्रतिदिन की स्पीड से हाईवे बना रहा है। पहले पोर्ट्स पर शिप का Turnaround Time, 5-6 दिन का होता था। आज वही काम, करीब-करीब 2 दिन से भी कम समय में पूरा हो रहा है। पहले Startup Culture के बारे में चर्चा ही नहीं होती थी। 2014 से पहले, हमारे देश में 400-500 स्टार्ट अप्स ही थे। आज भारत में 2 लाख से ज्यादा रजिस्ट्रर्ड स्टार्ट अप्स हैं। पहले मेडिकल education में सीटें भी सीमित थीं, करीब 50-55 हजार MBBS seats थीं, आज यह बढ़कर सवा लाख से ज्यादा हो चुकी हैं। पहले देश के Banking system से भी करोड़ों लोग बाहर थे। देश में सिर्फ 25 करोड़ के आसपास ही बैंक account थे। वहीं जनधन योजना के माध्यम से 55 करोड़ से ज्यादा बैंक अकाउंट खुले हैं। पहले हमारे देश में airports की संख्या भी 70 से कम थी। आज एयरपोर्ट्स की संख्या भी बढ़कर 160 से ज्यादा हो चुकी है।

साथियों,

पहले भी योजनाएं तो बनती थीं, लेकिन आज फर्क है, आज परिणाम दिखते हैं। पहले गति धीमी थी, आज भारत fastrack पर है। पहले संभावनाएं भी अंधकार में थीं, आज संकल्प सिद्धियों में बदल रहे हैं। इसलिए दुनिया को भी यह संदेश मिल रहा है कि यह नया भारत है। यह अपने विकास के लिए कोई कोर-कसर बाकी नहीं छोड़ रहा है।

साथियों,

आज हमारा प्रयास है कि अतीत में विकास का जो असंतुलन पैदा हो गया था, उसको अवसरों में बदला जाए। अब जैसे हमारा पूर्वी भारत है। हमारा पूर्वी भारत संसाधनों से समृद्ध है, दशकों तक वहां जिन्होंने सरकारें चलाई हैं, उनकी उपेक्षा ने पूर्वी भारत के विकास पर ब्रेक लगा दी थी। अब हालात बदल रहे हैं। जिस असम में कभी गोलियों की आवाज सुनाई देती थी, आज वहां सेमीकंडक्टर यूनिट बन रही है। ओडिशा में सेमीकंडक्टर से लेकर पेट्रोकेमिकल्स तक अनेक नए-नए सेक्टर का विकास हो रहा है। जिस बिहार में 6-7 दशक में गंगा जी पर एक बड़ा पुल बन पाया था एक, उस बिहार में पिछले एक दशक में 5 से ज्यादा नए पुल बनाए गए हैं। यूपी में कभी कट्टा मैन्युफैक्चरिंग की कहानियां कही जाती थीं, आज यूपी, मोबाइल फोन मैन्युफैक्चरिंग में दुनिया में अपनी पहचान बना रहा है।

साथियों,

पूर्वी भारत का एक और बड़ा राज्य पश्चिम बंगाल है। पश्चिम बंगाल, एक समय में भारत के कल्चर, एजुकेशन, इंडस्ट्री और ट्रेड का हब होता था। बीते 11 वर्षों में केंद्र सरकार ने पश्चिम बंगाल के विकास के लिए बड़ी मात्रा में निवेश किया है। लेकिन दुर्भाग्य से, आज वहां एक ऐसी निर्मम सरकार है, जो विकास पर ब्रेक लगाकर बैठी है। TV9 बांग्ला के जो दर्शक हैं, वो जानते हैं कि बंगाल में आयुष्मान योजना पर निर्मम सरकार ने ब्रेक लगाया हुआ है। पीएम सूर्यघर मुफ्त बिजली योजना पर ब्रेक लगाया हुआ है। पीएम आवास योजना पर ब्रेक लगाया हुआ है। चाय बागान श्रमिकों के लिए शुरू हुई योजना के लिए ब्रेक लगाया हुआ है। यानी विकास और जनकल्याण से ज्यादा प्राथमिकता निर्मम सरकार अपने राजनीतिक स्वार्थ को दे रही है।

साथियों,

देश में इस तरह की राजनीति की शुरुआत जिस दल ने की है, वो अपने गुनाहों से बच नहीं सकती और वो पार्टी है - कांग्रेस। कांग्रेस पार्टी की राजनीति का एक ही लक्ष्य रहा है, किसी भी तरह विकास का विरोध और कांग्रेस यह तब से कर रही है, जब मैं गुजरात में था। गुजरात में वर्षों तक जनता ने हमें आशीर्वाद दिया, तो कांग्रेस ने उस जनादेश को स्वीकार नहीं किया। उन्होंने गुजरात की छवि पर सवाल उठाए, उसकी प्रगति को कटघरे में खड़ा किया और जब यही विश्वास पूरे देश में दिखाई दिया, तो कांग्रेस का विरोध भी रीजनल से नेशनल हो गया।

साथियों,

जब राजनीति में विरोध, विकास के विरोध में बदल जाए, जब आलोचना देश की उपलब्धियों पर सवाल उठाने लगे, तब यह सिर्फ सरकार का विरोध नहीं रह जाता, यह देश की प्रगति से असहज होने की मानसिकता बन जाती है। आज कांग्रेस इसी मानसिकता की गुलाम बन चुकी है। आज स्थिति यह है कि देश की हर सफलता पर प्रश्न उठाया जाता है, हर उपलब्धि में कमी खोजी जाती है और हर प्रयास के असफल होने की कामना की जाती है। कोविड के समय, देश ने अपनी वैक्सीन बनाई, तो कांग्रेस ने उस पर भी संदेह जताया। Make in India की बात हुई, तो कहा गया कि यह सफल नहीं होगा, बब्बर शेर कहकर इसका मजाक उड़ाया गया। जब देश में डिजिटल इंडिया अभियान शुरू हुआ, तो उसका मजाक उड़ाया गया। लेकिन हर बार यह कांग्रेस का दुर्भाग्य और देश का सौभाग्य रहा कि भारत ने हर चुनौती को सफलता में बदला। आज भारत दुनिया की सबसे बड़ी वैक्सीनेशन ड्राइव का उदाहरण है। भारत डिजिटल पेमेंट्स में दुनिया का अग्रणी देश है। भारत मैन्युफैक्चरिंग और स्टार्टअप्स में नई ऊंचाइयों को छू रहा है।

साथियों,

लोकतंत्र में विरोध जरूरी होता है। लेकिन विरोध और विद्वेष के बीच एक रेखा होती है। सरकार का विरोध करना लोकतांत्रिक अधिकार है। लेकिन देश को बदनाम करना, यह कांग्रेस की नीयत पर सवाल खड़ा करता है। जब विरोध इस स्तर तक पहुंच जाए कि देश की उपलब्धियां भी असहज करने लगें, तो यह राजनीति नहीं, यह दृष्टिकोण की समस्या है। अभी हमने ग्लोबल AI समिट में भी देखा है। जब पूरी दुनिया भारत में जुटी हुई थी, तो कांग्रेस के लोग कपड़े फाड़ने वहां पहुंच गए थे। इन लोगों को देश की इज्जत की कितनी परवाह है, यह इसी से पता चलता है। इसलिए आज आवश्यकता है कि देशहित को, दलहित से ऊपर रखा जाए क्योंकि अंत में राजनीति से ऊपर, राष्ट्र होता है, राष्ट्र का विकास होता है।

साथियों,

आज का यह दिन भी हमें यही प्रेरणा देता है। आज के ही दिन शहीद भगत सिंह, शहीद राजगुरु और शहीद सुखदेव ने देश के लिए सर्वोच्च बलिदान दिया था। आज ही, समाजवादी आंदोलन के प्रखर आदर्श डॉ. राम मनोहर लोहिया जी की जयंती भी है। यह वो प्रेरणाएं हैं, जिन्होंने देश को हमेशा स्व से ऊपर रखा है। देशहित को सबसे ऊपर रखने की यही प्रेरणा, भारत को विकसित भारत बनाएगी। यही प्रेरणा भारत को आत्मनिर्भर बनाएगी। मुझे पूरा विश्वास है कि टीवी9 की यह समिट भी भारत के आत्मविश्वास और दुनिया के भरोसे पर, भारतीयों पर जो भरोसा है, उस भरोसे को और सशक्त करेगी। आप सभी को मेरी तरफ से बहुत-बहुत शुभकामनाएं हैं और आपके बीच आने का अवसर दिया, आप सबसे मिलने का मौका लिया, इसलिए बहुत-बहुत धन्यवाद!

नमस्‍कार!