"જો આજે વિશ્વ એવું વિચારે છે કે ભારત મોટી છલાંગ લગાવવા માટે તૈયાર છે, તો તેની પાછળ 10 વર્ષનું શક્તિશાળી લોન્ચપેડ છે"
, "આજે 21મી સદીના ભારતે નાનું વિચારવાનું બંધ કરી દીધું છે. આજે આપણે જે કરીએ છીએ તે શ્રેષ્ઠ અને સૌથી મોટું છે"
"ભારતમાં સરકાર અને વ્યવસ્થામાં વિશ્વાસ વધી રહ્યો છે"
"સરકારી કચેરીઓ હવે કોઈ સમસ્યા નથી રહી, પરંતુ દેશવાસીઓની સહયોગી બની રહી છે."
"અમારી સરકારે ગામડાઓને ધ્યાનમાં રાખીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે"
"ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવીને અમે સુનિશ્ચિત કર્યું છે કે, વિકાસનો લાભ ભારતનાં દરેક ક્ષેત્રને સમાન રીતે વહેંચવામાં આવે"
"અમે સંતૃપ્તિના શાસનમાં માનીએ છીએ, અછતના રાજકારણમાં નહીં"
"અમારી સરકાર રાષ્ટ્ર પ્રથમના સિદ્ધાંતને સર્વોપરી રાખીને આગળ વધી રહી છે"
"આપણે 21મી સદીના ભારતને તેના આગામી દાયકાઓ માટે આજે જ તૈયાર કરવાનું છે."
"ભારત એ જ ભવિષ્ય છે"

મારે ત્યાં જૂના જમાનામાં, યુદ્ધમાં જતાં પહેલાં, ખૂબ જ જોરથી ઢોલ-નગારા વગાડવામાં આવતા, મોટા મોટા બ્યુગલ ફૂંકાતા જેથી જનાર વ્યક્તિ થોડો ઉત્સાહિત થઈને જાય, આભાર દાસ! ટીવી નાઈનના તમામ દર્શકોને અને અહીં ઉપસ્થિત તમને બધાને પણ મારી શુભેચ્છાઓ… હું ઘણીવાર ભારતની વિવિધતા વિશે વાત કરું છું. ટીવી નાઈનના ન્યૂઝરૂમ અને તમારી રિપોર્ટિંગ ટીમમાં આ વિવિધતા સ્પષ્ટપણે દેખાય છે. ટીવી નાઈન પાસે ઘણી ભારતીય ભાષાઓમાં મીડિયા પ્લેટફોર્મ છે. તમે ભારતના જીવંત લોકશાહીના પ્રતિનિધિ પણ છો. વિવિધ રાજ્યોમાં, વિવિધ ભાષાઓમાં ટીવી નાઈનમાં કામ કરતા તમામ પત્રકાર સાથીદારો અને તમારી ટેકનિકલ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

મિત્રો,

આજે ટીવી નાઈનની ટીમે આ સમિટ માટે ખૂબ જ રસપ્રદ વિષય પસંદ કર્યો છે. 'ઇન્ડિયાઃ પોસાઇઝ્ડ ફોર ધ બિગ લીપ'  અને બીગ લીપ તો આપણે ત્યારે જ લઈ શકીએ, જ્યારે આપણે ઉત્સાહી અને ઉર્જાથી ભરપૂર હોઈએ. કોઈપણ હતાશ-નિરાશ દેશ અથવા વ્યક્તિ બીગ લીપ વિશે વિચારી પણ શકતો નથી. આજના ભારતનો આત્મવિશ્વાસ કેટલી ઊંચાઈએ છે, તેની આકાંક્ષા શું છે? તે કહેવા માટે આ થીમ જ પૂરતી છે. જો આજે વિશ્વને લાગે છે કે ભારત એક મોટી લીપ લગાવવા માટે તૈયાર છે, તો તેની પાછળ 10 વર્ષનું શક્તિશાળી લોન્ચપેડ છે. તો 10 વર્ષમાં એવું શું બદલાયું છે કે આપણે આજે અહીં પહોંચ્યા છીએ? આ પરિવર્તન માનસિકતાનું છે. આ પરિવર્તન આત્મવિશ્વાસ અને વિશ્વાસનો છે. આ પરિવર્તન ગુડ ગર્વનન્સનું, સુશાસનનું છે.

મિત્રો,

એક બહુ જૂની કહેવત છે - મન કે હારે હાર હૈ, મન કે જીતે જીત. હમણાં જ હું દાસની ક્વોટ સાંભળી રહ્યો હતો પણ મને તેમાં થોડો ફેરફાર કરું છે. તેમણે કહ્યું કે ઈતિહાસ એક રીતે મહાન વ્યક્તિત્વોનું જીવનચરિત્ર છે. આ પશ્ચિમની વિચારસરણી હોઈ શકે છે, પરંતુ ભારતમાં સામાન્ય માનવીનું જીવનચરિત્ર ઇતિહાસ છે. તે જ દેશનું સાચું સામર્થ્ય હોય છે અને તેથી મોટા લોકો આવ્યા, અને જતા રહ્યાં.... દેશ અજર-અમર રહે છે.

 

મિત્રો,

પરાજિત મનથી વિજય મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. તેથી, છેલ્લા 10 વર્ષમાં માનસિકતામાં જે પરિવર્તન આવ્યું છે, જે લીપ અમે લીધો છે, તે ખરેખર અદભૂત છે. આજ પછી દશકાઓ સુધી જેમણે સરકાર ચલાવી, તેમણે ભારતીયતાના સામર્થ્ય પર જ વિશ્વાસ ન હતો. તેમણે ભારતીયોને Underestimate કર્યા, તેમના સામર્થ્યને ઓછા આંક્યા. ત્યારે લાલ કિલ્લા પરથી કહેવામાં આવતું કે અમે ભારતીયો નિરાશાવાદી છીએ અને પરાજિત ભાવનાઓને અપનાવીએ છીએ. લાલ કિલ્લાથી જ, ભારતીયોને આળસુ અને સખત મહેનત માટે પ્રતિકૂળ કહેવાતા. જ્યારે દેશનું નેતૃત્વ નિરાશાથી ભરેલું હોય તો દેશમાં આશા કેવી રીતે ફેલાય? તેથી દેશની મોટાભાગની જનતાએ પણ સ્વીકારી લીધું હતું કે હવેથી દેશ આમ જ ચાલશે. તેના ઉપર ભ્રષ્ટાચાર, હજારો કરોડના કૌભાંડો, નીતિગત લકવો, પરિવારવાદ, આ બધાએ દેશનો પાયો ખતમ કરી નાખ્યો હતો.

છેલ્લા 10 વર્ષોમાં આપણે તે ભયાનક સ્થિતિથી દેશને બહાર કાઢીને અહીં લાવ્યા છીએ. માત્ર 10 વર્ષમાં ભારત, દુનિયાની ટોપ ફાઈવ અર્થવ્યવસ્થામાં આવી ગયો છે. આજે દેશમાં જરુરી નીતિઓ પણ તેજીથી બને છે અને નિર્ણય પણ એટલી જ ઝડપથી કરવામાં આવે છે. માનસિકતામાં પરિવર્તને કમાલનું કામ કર્યું છે. 21મી સદીના ભારતે નાનું વિચારવાનું બંધ કરી દીધું છે. આજે આપણે જે કંઈ કરીએ છીએ, તે શ્રેષ્ઠ અને સૌથી મોટું કરીએ છીએ. આજે વિશ્વ ભારતની સિદ્ધિઓ જોઈને આશ્ચર્યચકિત છે. ભારત સાથે આગળ વધવામાં દુનિયા પોતાનો ફાયદો જોઈ રહી છે. અરે, ભારતે પણ આ કર્યું - આ પ્રતિક્રિયા, ઠીક છે ભારતે આ કર્યું? શું ભારતમાં આવું બન્યું હતું? આ પ્રતિક્રિયા આજના વિશ્વમાં નવી સામાન્ય છે. વિશ્વસનીયતામાં વધારો એ આજે ​​ભારતની સૌથી મોટી ઓળખ છે. તમે 10 વર્ષ પહેલા અને આજના FDIના આંકડા જુઓ. અગાઉની સરકારના 10 વર્ષમાં ભારતમાં 300 બિલિયન ડોલરનું FDI આવ્યું હતું. અમારી સરકારના 10 વર્ષમાં ભારતમાં 640 બિલિયન ડોલરનું FDI આવ્યું. છેલ્લા 10 વર્ષમાં જે ડિજિટલ ક્રાંતિ થઈ છે, કોરોનાના સમયમાં વેક્સીન પર બંધાયેલો વિશ્વાસ, આજે કરદાતાઓની વધતી સંખ્યા, આ બાબતો દર્શાવે છે કે ભારતની જનતાનો સરકાર અને વ્યવસ્થા પર વિશ્વાસ વધ્યો છે.

હું તમને વધુ એક આંકડો આપું છું. અહીં આ હોલમાં, મોટાભાગના લોકો એવા હશે જેઓ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા હશે. વર્ષ 2014માં દેશમાં લોકોએ મ્યુચ્યુઅલ ફંડમાં લગભગ રૂ. 9 લાખ કરોડનું રોકાણ કર્યું હતું. જો હું વર્ષ 2024ની વાત કરું તો આજે દેશના લોકોએ મ્યુચ્યુઅલ ફંડમાં 52 લાખ કરોડ રૂપિયા અને તેનાથી વધુનું રોકાણ કર્યું છે. આવું એટલા માટે થયું છે કારણ કે દરેક ભારતીયોને વિશ્વાસ છે કે દેશ મજબૂત રીતે આગળ વધી રહ્યો છે. અને જેટલો વિશ્વાસ તેમણે દેશ પર છે, તેટલો જ પોતાના પર પણ છે. દરેક ભારતીય વિચારે છે - હું કંઈ પણ કરી શકું છું, મારા માટે કંઈ પણ અશક્ય નથી. અને ટીવી નાઈનના દર્શકો એ પણ નોંધ કરતા હશે કે અનેક લોકોનું પ્રિડિક્શન જ્યાં અટકી જાય છે, તેનાથી પણ ઘણું વધું સારું પરફોર્મ કરીને અમે દેખાડ્યું છે.

મિત્રો,

આજે માનસિકતા અને વિશ્વાસમાં આ પરિવર્તનનું સૌથી મોટું કારણ આપણી સરકારનું કાર્ય સંસ્કૃતિ અને શાસન છે. સમાન અધિકારીઓ, સમાન કચેરીઓ, સમાન સિસ્ટમો, સમાન ફાઇલો, પરંતુ પરિણામો અલગ છે. આજે સરકારી કચેરીઓ દેશવાસીઓની સમસ્યાને બદલે સહયોગી બની રહી છે. આ સિસ્ટમ આવનારા સમય માટે શાસનના નવા આદર્શો સ્થાપિત કરી રહી છે.

મિત્રો,

ભારતના વિકાસને વેગ આપવા અને બીગ લીપ લગાવવા માટે, ભારત અગાઉ જે ગિયર પર ચાલી રહ્યું હતું તેને બદલવું ખૂબ જ જરૂરી હતું. અગાઉની સરકારો દરમિયાન ભારત કેવી રીતે રિવર્સ ગિયરમાં હતું તેના કેટલાક ઉદાહરણો આપું. યૂપીમાં 80ના દશકામાં સરયુ કેનાલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ચાર દાયકા સુધી આ પ્રોજેક્ટ અટવાયેલો રહ્યો. 2014માં સરકાર બન્યા બાદ અમે આ પ્રોજેક્ટ ઝડપથી પૂરો કર્યો. સરદાર સરોવર પ્રોજેક્ટ, તે પ્રોજેક્ટનો શિલાન્યાસ 60ના દાયકામાં પંડિત નેહરુએ કર્યો હતો. સરદાર સરોવર ડેમનું કામ 60 વર્ષથી આમ જ પેન્ડિંગ રહ્યું. સરકાર બન્યા પછી, અમે 2017માં આ ડેમનું કામ પૂર્ણ કર્યું અને  તેનું ઉદ્ઘાટન કર્યું. મહારાષ્ટ્રનો કૃષ્ણ કોયના પ્રોજેક્ટ પણ 80ના દાયકામાં શરૂ થયો હતો. તે પણ વર્ષ 2014 સુધી આ રીતે લટકી રહ્યો હતો. આ ડેમનું કામ પણ અમારી સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું.

 

મિત્રો,

છેલ્લા કેટલાક દિવસોમાં, તમે અટલ ટનલની આસપાસ હિમવર્ષાની અદ્ભુત તસવીરો જોઈ છે. અટલ ટનલનો શિલાન્યાસ 2002માં કરવામાં આવ્યો હતો. 2014 સુધી આ ટનલ પણ અધૂરી રહી હતી. અમારી સરકારે પણ તેનું કામ પૂરું કર્યું અને 2020માં તેનું ઉદ્ઘાટન થયું. તમને આસામનો બોગીબીલ બ્રિજ પણ યાદ હશે. આ પુલને 1998માં મંજૂરી પણ મળી હતી. સરકારમાં આવ્યા પછી, અમે તેનું કામ ઝડપથી પૂર્ણ કર્યું અને વર્ષ 2018માં 20 વર્ષ પછી તેનું ઉદ્ઘાટન કર્યું. ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર, 2008માં મંજૂર. આ પ્રોજેક્ટ પણ લટકતો રહ્યો અને 15 વર્ષ પછી, 2023માં, અમે તેને પૂર્ણ કર્યો. હું તમને આવા ઓછામાં ઓછા 500 પ્રોજેક્ટ ગણાવી શકું છું. 2014માં અમારી સરકાર આવ્યા બાદ આવા સેંકડો પ્રોજેક્ટ ઝડપથી પૂરા થયા.

વડાપ્રધાન કાર્યાલયમાં ટેકનોલોજીની મદદથી અમે એક આધુનિક સિસ્ટમ વિકસાવી છે - પ્રગતિના નામે. દર મહિને હું વ્યક્તિગત રીતે દરેક પ્રોજેક્ટની ફાઇલ સાથે બેસું છું, તમામ ડેટા સાથે બેસું છું, દાયકાઓથી અટવાયેલા પ્રોજેક્ટની સમીક્ષા કરું છું અને મારી સામે ઓનલાઈન, તમામ રાજ્યોના મુખ્ય સચિવ અને ભારત સરકારના તમામ સચિવ પૂરાં સમયે મારી સામે હોય છે. એક-એક વસ્તુની અહીં વિશ્લેષણ થાય છે. હું છેલ્લાં 10 વર્ષમાં... 17 લાખ કરોડ રુપિયાથી વધુના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી ચુક્યો છું. 17 લાખ કરોડ રુપિયા... .ત્યારે જઈને આ પ્રોજેક્ટ પૂરાં થયા.

તમે મને કહો, જે દેશમાં અગાઉની સરકારો જે ઝડપે કામ કરતી હતી, તો પછી દેશ કેવી રીતે બીગ લીપ લગાવી શકે? આજે આપણી સરકારે એ જૂના અભિગમને પાછળ છોડી દીધો છે. હું તમને અમારી સરકાર તરફથી કેટલાક ઉદાહરણો આપીશ. મુંબઈનો અટલ સેતુ, દેશનો સૌથી મોટો બ્રિજ, સી બ્રિજ. તેનો શિલાન્યાસ વર્ષ 2016માં કરવામાં આવ્યો હતો. અમે થોડા અઠવાડિયા પહેલા તેનું લોકાર્પણ પણ કરી દીધું. સંસદની નવી ઇમારત. તેનો શિલાન્યાસ વર્ષ 2020માં કરવામાં આવ્યો હતો. તે ગયા વર્ષે જ લોન્ચ કરવામાં આવ્યું હતું. જમ્મુ એઈમ્સનો શિલાન્યાસ વર્ષ 2019માં કરવામાં આવ્યો હતો. ગયા અઠવાડિયે 20મી ફેબ્રુઆરીએ તેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. રાજકોટ એઈમ્સનો શિલાન્યાસ વર્ષ 2020માં કરવામાં આવ્યો હતો. ગઈકાલે જ તેનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે, IIM સંભલપુરનો શિલાન્યાસ વર્ષ 2021માં કરવામાં આવ્યો હતો… અને વર્ષ 2024માં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્રિચી એરપોર્ટના નવા ટર્મિનલનો શિલાન્યાસ 2019માં કરવામાં આવ્યો હતો અને થોડા અઠવાડિયા પહેલા તેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. IIT ભિલાઈનો શિલાન્યાસ વર્ષ 2018માં કરવામાં આવ્યો હતો અને થોડા દિવસો પહેલા અમે તેનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. ગોવાના નવા એરપોર્ટનો શિલાન્યાસ 2016માં કરવામાં આવ્યો હતો અને 2022માં તેનું ઉદ્ઘાટન પણ થઈ ગયું. લક્ષદ્વીપ સુધી દરિયાની નીચે ઓપ્ટિકલ ફાઈબર નાખવાનું કામ ખૂબ જ પડકારજનક માનવામાં આવતું હતું. અમે આ કામ વર્ષ 2020માં શરૂ કર્યું હતું અને થોડા અઠવાડિયા પહેલા તેને પૂર્ણ કર્યું હતું. બનારસની બનાસ ડેરીનો શિલાન્યાસ વર્ષ 2021માં કરવામાં આવ્યો હતો અને થોડા દિવસો પહેલા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગઈકાલે જ તમે દ્વારકાના સુદર્શન બ્રિજની અદભુત તસવીરો જોઈ હશે. ભારતનો સૌથી લાંબો કેબલ બ્રિજ દેશનું ગૌરવ વધારી રહ્યો છે.  તેનો શિલાન્યાસ પણ અમારી સરકારે વર્ષ 2017માં કર્યો હતો. મોદીની ગેરંટી તરીકે હું જે વાત કરું છું તેનું આ પણ એક પાસું છે. જ્યારે આ સ્પીડ હોય છે, ઝડપથી કામ કરવાની ઈચ્છા હોય છે... જ્યારે કરદાતાઓના પૈસાનું સન્માન થાય છે... ત્યારે દેશ આગળ વધે છે, તો દેશ એક બીગ લીપ માટે તૈયાર હોય છે.

મિત્રો,

ભારત આજે જે સ્કેલ પર કામ કરી રહ્યું છે તે અભૂતપૂર્વ છે, કલ્પના બહારનું છે. હું તમને છેલ્લા એક અઠવાડિયાના કેટલાક વધુ ઉદાહરણો આપવા માંગુ છું… એક સપ્તાહના… 20મી ફેબ્રુઆરીના રોજ, મેં જમ્મુમાંથી IIT-IIM, ટ્રિપલ આઈટી જેવી દેશની ડઝનેક ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું એકસાથે ઉદ્ઘાટન કર્યું. 24મી ફેબ્રુઆરીના રોજ મેં રાજકોટમાંથી એક સાથે દેશની 5 એઈમ્સનું ઉદ્ઘાટન કર્યું. આજે સવારે મેં દેશના 27 રાજ્યોમાં 500થી વધુ રેલ્વે સ્ટેશનોના રી-ડેવલપમેન્ટનો શિલાન્યાસ કર્યો. આજના તે કાર્યક્રમમાં જ દેશમાં 1500થી વધુ ઓવરબ્રિજ અને અંડરપાસ પર એક સાથે કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આવતા પહેલા મેં સોશિયલ મીડિયા સાઇટ-X પર એક થ્રેડ શેર કર્યો છે. જેમાં મેં આવનારા 2 દિવસના મારા કાર્યક્રમો વિશે જણાવ્યું છે. હું કાલે સવારે કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર જઈ રહ્યો છું. ત્યાં સ્પેસના કાર્યક્રમો છે ... MSME ને લગતા કાર્યક્રમો છે, બંદરોને લગતા કાર્યક્રમો છે, ગ્રીન હાઇડ્રોજનને લગતા કાર્યક્રમો છે… ખેડૂતોને લગતા કાર્યક્રમો છે… આટલા પાયા પર કામ કરીને જ ભારત બીગ લીપ લગાવી શકે છે. પ્રથમ, બીજી અને ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિમાં આપણે પાછળ રહી ગયા. હવે આપણે ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં વિશ્વનું નેતૃત્વ કરવાનું છે. અને આ માટે ભારતમાં દરરોજ થઈ રહેલા વિકાસ કાર્યોથી દેશની ગતિને ઉર્જા મળી રહી છે.

ભારતમાં દરરોજ, એક પછી એક તમારા મનને સજાગ રાખો… ભારતમાં, દરરોજ બે નવી કોલેજો ખુલે છે, દર અઠવાડિયે એક યુનિવર્સિટી ખોલવામાં આવે છે. ભારતમાં દરરોજ 55 પેટન્ટ અને 600 ટ્રેડમાર્ક નોંધાય છે. ભારતમાં દરરોજ લગભગ 1.5 લાખ મુદ્રા લોનનું વિતરણ કરવામાં આવે છે. ભારતમાં દરરોજ સાડત્રીસ નવા સ્ટાર્ટઅપ્સ બનાવવામાં આવે છે. ભારતમાં દરરોજ સોળ હજાર કરોડ રૂપિયાના UPI વ્યવહારો થાય છે. ભારતમાં દરરોજ 3 નવા જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવે છે. ભારતમાં દરરોજ 14 કિલોમીટરના રેલ્વે ટ્રેકનું નિર્માણ થાય છે.  ભારતમાં દરરોજ 50 હજારથી વધુ એલપીજી કનેક્શન આપવામાં આવ્યા છે. ભારતમાં દર સેકન્ડે, દર સેકન્ડે… નળના પાણીનું કનેક્શન આપવામાં આવ્યા છે. ભારતમાં દરરોજ 75 હજાર લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા છે. આપણે હંમેશા ગરીબી હટાવવાના નારા જ સાંભળ્યા છે. કોણે વિચાર્યું હશે કે 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવશે. પરંતુ આવું બન્યું છે અને અમારી સરકારમાં જ બન્યું છે.

 

મિત્રો,

ભારતમાં કન્ઝમ્પ્શન અંગે તાજેતરમાં એક રિપોર્ટ સામે આવ્યો છે, જે એક નવો ટ્રેન્ડ દર્શાવે છે. ભારતમાં ગરીબી અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે... એટલે કે સિંગલ ડિજિટમાં. આ ડેટા અનુસાર છેલ્લા દાયકાની સરખામણીમાં કન્ઝમ્પ્શનમાં અઢી ગણો વધારો થયો છે. એટલે કે વિવિધ સેવાઓ અને સુવિધાઓ પર ખર્ચ કરવાની ભારતના લોકોની ક્ષમતામાં વધુ વધારો થયો છે. તે પણ સામે આવ્યું છે કે છેલ્લા 10 વર્ષોમાં, ગામડાઓમાં વપરાશ શહેરોની તુલનામાં ખૂબ ઝડપથી વધ્યો છે. એટલે કે ગામડાના લોકોની આર્થિક શક્તિ વધી રહી છે, તેમની પાસે ખર્ચ કરવા માટે વધુ પૈસા છે. આ આમ જ બન્યું નથી, આ અમારા તે પ્રયાસોનું પરિણામ છે જેનું ધ્યાન ગામડાઓ, ગરીબો અને ખેડૂતો પર છે. 2014થી અમારી સરકારે ગામડાઓને ધ્યાનમાં રાખીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે. ગામડાઓ અને શહેરો વચ્ચેની કનેક્ટિવિટી સુધરી, રોજગારીની નવી તકો ઊભી થઈ, મહિલાઓની આવક વધારવાના માધ્યમો વિકસિત થયા. વિકાસના આ મોડલથી ગ્રામીણ ભારત સશક્ત બન્યું છે. હું તમને વધુ કેટલાંક આંકડા આપીશ. ભારતમાં પ્રથમ વખત ખાદ્યપદાર્થોનો ખર્ચ કુલ ખર્ચના 50 ટકાથી ઓછો થઈ ગયો છે. એટલે કે જે પરિવાર પહેલા પોતાની બધી શક્તિ ખોરાક મેળવવામાં ખર્ચી નાખતો હતો, આજે તેના સભ્યો દરેક વસ્તુ પર પૈસા ખર્ચવા સક્ષમ છે.

મિત્રો,

અગાઉની સરકારોની બીજી વિચારસરણી એ હતી કે તેઓ દેશના લોકોને ગરીબીમાં રાખવાનું પસંદ કરતા હતા. આ લોકો ચૂંટણી સમયે ગરીબીમાં જીવતા લોકોને થોડું થોડું આપીને પોતાનો સ્વાર્થ સંતોષતા હતા. જેના કારણે દેશમાં વોટબેંકની રાજનીતિનો જન્મ થયો. મતલબ કે સરકારે માત્ર તેમના માટે જ કામ કર્યું જેણે તેમને મત આપ્યો.

પરંતુ મિત્રો,

છેલ્લા 10 વર્ષમાં ભારત આ પછાત માનસિકતાને પાછળ છોડીને આગળ વધ્યું છે. ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવીને, અમે સુનિશ્ચિત કર્યું છે કે વિકાસના લાભો ભારતના દરેક ક્ષેત્રમાં સમાનરૂપે વહેંચવામાં આવે. અમે હલકી રાજનીતિમાં માનતા નથી, પરંતુ સંતૃપ્તિના શાસનમાં માનીએ છીએ. તુષ્ટિકરણને બદલે અમે દેશવાસીઓને સંતુષ્ટ કરવાનો માર્ગ પસંદ કર્યો છે. છેલ્લા 10 વર્ષમાં આ જ અમારો મંત્ર રહ્યો છે, આ જ અમારી વિચારસરણી રહી છે. આ જ સૌનો સાથ, સૌનો વિકાસ. અમે વોટ બેંકની રાજનીતિને પ્રદર્શનની રાજનીતિમાં બદલી નાખી છે. જ્યારે અછત હોય છે ત્યારે ભ્રષ્ટાચાર અને ભેદભાવ હોય છે. જ્યારે સંતૃપ્તિ હોય છે ત્યારે સંતોષ અને સદ્ભાવ હોય છે.

આજે સરકાર પોતાના તરફથી ઘરે-ઘરે જઈને લાભાર્થીઓને સુવિધાઓ પૂરી પાડી રહી છે. તમે ભૂતકાળમાં મોદીની ગેરેન્ટેડ ગાડી વિશે સાંભળ્યું જ હશે. દેશમાં આ પહેલા ક્યારેય એવું બન્યું નથી કે સરકારી અધિકારીઓ તેમના વાહનોમાં ગામડે ગામડે જાય અને પૂછે કે તમને આ સરકારી યોજનાઓનો લાભ મળ્યો કે નહીં? આજે અમારી સરકાર ખુદ લોકોના ઘરે જઈને તેમને સરકારી યોજનાઓનો લાભ લેવાનું કહી રહી છે. તેથી જ હું કહું છું, જ્યારે સંતૃપ્તિ એક મિશન બની જાય છે, ત્યારે તમામ પ્રકારના ભેદભાવનો અવકાશ અદૃશ્ય થઈ જાય છે. એટલા માટે હું કહું છું કે અમે રાજનીતિ નહીં રાષ્ટ્રનીતિ પર વિશ્વાસ રાખનારા લોકો છીએ.

મિત્રો,

અમારી સરકાર નેશન ફર્સ્ટના સિદ્ધાંતને સર્વોપરી રાખીને આગળ વધી રહી છે. અગાઉની સરકારો માટે કોઈ કામ ન કરવું… આ સૌથી સરળ કામ બની ગયું હતું. પરંતુ આ વર્ક કલ્ચરથી ન તો રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે છે અને ન તો દેશ પ્રગતિ કરી શકે છે. તેથી, અમે રાષ્ટ્રીય હિતમાં નિર્ણયો લીધા અને જૂના પડકારોને ઉકેલ્યા. આર્ટિકલ 370 રદ કરવાની વાતથી લઈને… હું ફિલ્મોની વાત નથી કરી રહ્યો. આર્ટિકલ 370 નાબૂદથી લઈને રામ મંદિરના નિર્માણ સુધી, ટ્રિપલ તલાકના અંતથી લઈને મહિલા આરક્ષણ સુધી, વન રેન્ક વન પેન્શનથી લઈને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફના પદ સુધી, આવા તમામ અધૂરા કામોને સરકારે નેશન ફર્સ્ટના વિચાર સાથે પૂરા કર્યા.

 

મિત્રો,

આપણે 21મી સદીના ભારતને તેના આવનારા દાયકાઓ માટે આજે જ તૈયાર કરવાનું છે. તેથી, આજે ભારત ભવિષ્યની યોજનાઓમાં પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. અવકાશથી સેમીકન્ડક્ટર સુધી, ડિજિટલથી ડ્રોન સુધી, AI થી સ્વચ્છ ઊર્જા સુધી, 5G થી ફિનટેક સુધી, ભારત આજે વિશ્વમાં મોખરે પહોંચ્યું છે. આજે, ભારત વૈશ્વિક વિશ્વમાં ડિજિટલ ચૂકવણીની સૌથી મોટી શક્તિઓમાંની એક છે. ફિનટેક એડોપ્શન રેટમાં ભારત આજે સૌથી ઝડપથી વિકસતો દેશ છે. ભારત આજે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ છે. આજે, ભારત સૌર સ્થાપિત ક્ષમતામાં વિશ્વના અગ્રણી દેશોમાં છે. આજે ભારતે 5G નેટવર્કના વિસ્તરણમાં યુરોપને પાછળ છોડી દીધું છે.  આજે ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રે પણ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. આજે, ભારત ગ્રીન હાઇડ્રોજન જેવા ભાવિ ઇંધણ પર ઝડપથી કામ કરી રહ્યું છે.

 

આજે ભારત તેના ઉજ્જવળ ભવિષ્ય માટે દિવસ-રાત મહેનત કરી રહ્યું છે. ભારત ભવિષ્યવાદી છે. અને તેથી જ આજે બધા કહેવા લાગ્યા છે કે ભારત ભવિષ્ય છે. આવનારો સમય વધુ મહત્વનો છે, આવનારા 5 વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને હું અહીં બેઠેલા તમામ પ્રેક્ષકોને ખૂબ જવાબદારી સાથે કહું છું - અમારી ત્રીજી ટર્મમાં... અમારી ત્રીજી ટર્મમાં આપણે ભારતની ક્ષમતાને નવી ઊંચાઈઓ પર લઈ જવાની છે. વિકસિત ભારતની સંકલ્પ યાત્રામાં આવનારા પાંચ વર્ષ આપણા દેશની પ્રગતિ અને વખાણના વર્ષો છે. આ ઈચ્છા સાથે અને પૂરા વિશ્વાસ સાથે, આ સેમિનાર થયો હોત કે ન થયો હોત, એક બીગ લીપ ચોક્કસ થઈ હોત. તે ચોક્કસપણે ફાયદાકારક હતું કે તમે બિગ લીપ પ્રોગ્રામનું આયોજન કર્યું, તેથી મને પણ મારા લીપ ખોલવાની તક મળી.આ પ્રોગ્રામ માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ! તમે લોકો સવારથી જ બેસીને વિચાર-મંથન કરતા હશો, તો કેટલીક હસી-ખુશીવાળી સાંજ પણ બની ગઈ.

ખુબ ખુબ આભાર

 

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Auto retail sales surge to all-time high of over 52 lakh units in 42-day festive period: FADA

Media Coverage

Auto retail sales surge to all-time high of over 52 lakh units in 42-day festive period: FADA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Bihar doesn't need ‘Katta Sarkar’: PM Modi in Sitamarhi
November 08, 2025
NDA policies have transformed Bihar into a supplier of fish and aim to take makhana to world markets: PM Modi
PM Modi warns against Congress and RJD’s politics of appeasement and disrespect to faith
Ayodhya honours many traditions and those who disrespect it cannot serve Bihar: PM Modi’s sharp jibe at opposition in Sitamarhi
Congress-RJD protects infiltrators for vote bank politics and such policies threaten job security and women’s safety: PM Modi in Sitamarhi
PM Modi promised stronger action against infiltration and urges voters to back the NDA for security, development and dignity in Sitamarhi

मां जानकी प्रकट स्थली से...माँ जानकी, बाबा हलेश्वरनाथ, पंथपाकर, भगवती स्थान सहित, सम्पूर्ण मिथिलावासी के प्रणाम करैत छी।

साथियों,

पहले चरण के मतदान में बिहार ने कमाल कर दिया है। पहले चरण में जंगलराज वालों को 65 वोल्ट का झटका लगा है। चारों तरफ ये चर्चा है कि...बिहार के नौजवानों ने...विकास को चुना है, NDA को चुना है। बिहार की बहनों-बेटियों ने भी... NDA की रिकॉर्ड विजय पक्की कर दी है।

यहां सीतामढ़ी का जो माहौल है... आपका जो प्यार है और इतना जो उमंग उत्साह है, दुनिया की किसी भी ताकत से बड़ी ताकत होती है जनता जनार्दन का आशीर्वाद। इससे बड़ी कोई ताकत नहीं होती है। और हम आज सीतामढ़ी में जो माहौल देख रहे दिल को छूने वाला है दिल को छूने वाला है और यह माहौल भी यही कह रहा है ये माहौल भी इस बात का सदेश दे रहा है, ये माहौल भी इस संकल्प का परिचय करा रहा है। नहीं चाहिए कट्टा सरकार...फिर एक बार.. फिर एक बार.. फिर एक बार... नहीं चाहिए... नहीं चाहिए... नहीं चाहिए... फिर एक बार.. फिर एक बार... फिर एक बार... NDA सरकार!

साथियों,

आप ने तो कई लोगों की नींद हराम कर दी... आप लोगों ने इन तीन मिनट में अच्छों-अच्छों की नींद उड़ा दी है जी। यही तो जनता जनार्दन की ताकत होती है।

साथियों,

मां सीता की इस पुण्य भूमि पर आया हूं। ये भी बड़ा सौभाग्य है और मुझे 5-6 साल पहले का आज का ही दिन याद आता है। आपको भी याद आ जाएगा। वो तारीख थी 8 नवंबर 2019। याद कीजिए 8 नवंबर 2019। माता सीता की इस धरती पर आया था, और यहां से अगले दिन मुझे सुबह-सुबह पंजाब में करतारपुर साहब कॉरिडोर के लोकार्पण के लिए निकलना था। और अगले ही दिन सुप्रीम कोर्ट में अयोध्या पर फैसला भी आना था। मैं मन ही मन प्रार्थना कर रहा था कि सीता मैया के आशीर्वाद से फैसला, रामलला के पक्ष में ही आए। मैं लगातार प्रार्थना कर रहा था और साथियों, जब सीता माता की धरती से निकलते हुए प्रार्थना करूं वो प्रार्थना कभी भी विफल जाती है क्या। इस धरती की ताकत है कि नहीं है। और यही तो मां का आशीर्वाद है और साथियों ऐसा ही हुआ। सुप्रीम कोर्ट ने, रामलला के पक्ष में ही फैसला दिया। आज मां सीता की इस पुण्य भूमि पर आया हूं...आपका आशीर्वाद ले रहा हूं...और इतने सारे उत्साह से भरे लोगों के बीच वो दिन याद आना बहुत स्वभाविक है।

साथियों,

मां सीता के आशीर्वाद से ही बिहार...विकसित बिहार बनेगा। ये जो चुनाव है...ये विकसित बिहार बनाने के लिए है। ये चुनाव तय करेगा आने वाले सालों में बिहार के बच्चों का भविष्य क्या होगा। आपके संतानों का भविष्य क्या होगा। आपके बेटे-बेटियों के आने वाले कल कैसा होगा। और इसलिए ये चुनाव बहुत अहम है।

साथियों,

आरजेडी वाले, बिहार के बच्चों के लिए क्या करना चाहते हैं... ये इनके नेताओं के चुनाव प्रचार में साफ-साफ दिखता है। आप जरा जंगलराज वालों के गाने और उनके नारे जरा सुन लीजिए। आप कांप जाएंगे, क्या बोलते हैं। क्या सोचते हैं। RJD के मंचों पर मासूम बच्चों से कहलवाया जा रहा है। क्या कहलवाया जा रहा है वो बच्चे कह रहे हैं उन्हें रंगदार बनना है। रंगदार बनना है। आप मुझे बताइए...बिहार का बच्चा रंगदार बनना चाहिए या डॉक्टर बनना चाहिए? रंगदार बनना चाहिए या डॉक्टर बनना चाहिए? क्या हम हमारे बच्चों को रंगदार बनने देंगे? क्या रंगदार बनाने वालों को जीतने देंगे। बिहार का बच्चा रंगदार नहीं बन सकता अब हमारा बच्चा इंजीनियर बनेगा, डॉक्टर बनेगा...एडवोकेट बनेगा, अदालत में जज बनेगा.. मैं बिहार में आपको, यहां फैशन है ना कट्टा लेकर के आ जाते हैं और फिर बोलते हैं हैंड्स अप.. यही है ना, मैं आपको बिहार में हैंड्स-अप कहने वाले के लिए अब बिहार में जगह नही है अब तो बिहार में स्टार्ट-अप के सपने देखने वाले चाहिए.. हैंड्स-अप वाले नहीं चाहिए हमे..

साथियों,

हम बच्चों के हाथ में किताबें, कंप्यूटर-लैपटॉप दे रहे हैं...हमारे बच्चे खेल में आगे बढ़ें...इसलिए हम उन्हें बैट दे रहे हैं, हॉकी स्टिक दे रहे हैं...फुटबॉल दे रहे हैं वॉलीबॉल दे रहे हैं लेकिन RJD के लोग...बिहार के युवाओं को कट्टा और दु-नाली देने की बात कर रहे हैं। ये लोग.खुद के बच्चों को मंत्री बनाना चाहते हैं.. बेटा हो या बेटी कोई सांसद बने कोई एमएलए बने, कोई मंत्री बने कोई मुख्यमंत्री बने। अपनी संतानों के लिए तो वे ये सपने देखते हैं.और आप सभी के बच्चों को रंगदार बनाना चाहते हैं। रंगदार बनाना चाहते हैं। मुझे पूरी ताकत से बताइये भाइयों, ये रंगदार बनाने वाला पाप आपको मंजूर है क्या? ये बिहार को मंजूर है क्या? क्या इन बच्चों को मंजूर होगा क्या?

साथियों,

जंगलराज का मतलब है...कट्टा, क्रूरता, कटुता, कुसंस्कार, करप्शन.. क्या कर रहे हैं ये लोग। ये कुसंस्कार से भरे हुए लोग हैं। कुशासन का राज चाहते हैं। भारत रत्न जन-नायक कर्पूरी ठाकुर जी..भोला पासवान शास्त्री जी...ऐसे महान नेताओं ने बिहार को सामाजिक न्याय और विकास का विश्वास दिया था। लेकिन जैसे ही जंगलराज आया...वैसे ही बिहार में बर्बादी का दौर शुरु हो गया। RJD वालों ने बिहार में विकास का पूरा माहौल ही खत्म कर दिया।

साथियों,

ये RJD और कांग्रेस वाले...उद्योगों की ABC भी नहीं जानते। ये उद्योगों में सिर्फ ताले लगाना जानते हैं...15 वर्ष के जंगलराज में... एक भी नई फैक्ट्री, एक नया कारखाना बिहार में नहीं लगा। यहीं मिथिला में...जो मिलें थीं, फैक्ट्रियां थीं, वो भी बंद हो गईं। 15 वर्ष के जंगलराज में...कोई भी बड़ा अस्पताल, मेडिकल कॉलेज...बिहार में नहीं बना। इसलिए जंगलराज वालों के मुंह से विकास की बातें सिर्फ सफेद झूठ हैं।

साथियों,

जंगलराज के समय में बिहार के लोगों का सरकार से भरोसा ही उठ गया था। भरोसा उठ गया था कि नहीं उठ गया था.. भरोसा बचा था? नीतीश जी के नेतृत्व में NDA सरकार ने बिहार का टूटा हुआ भरोसा लौटाया है। अब निवेशक...बिहार आने के लिए उत्सुक हैं। यहां अच्छी सड़कें बन रही हैं...रेल और हवाई कनेक्टिविटी बेहतर हो गई है...बिजली के नए-नए कारखाने बन रहे हैं... यहां जो रीगा चीनी मिल है...वो फिर से शुरु हो चुकी है। आने वाले समय में...बिहार में ऐसी मिलें और फैक्ट्रियां बनाने का काम और मजबूती के साथ आगे बढ़ेगा। गन्ना किसानों के हितों को देखते हुए..हमारी सरकार गन्ने के इथेनॉल बनाने को भी बढ़ावा दे रही है।

साथियों,

भाजपा- एनडीए जो कहती है...वो करके दिखाती है। और मोदी की गारंटी, मोदी की गारंटी मतलब पूरा होने की गारंटी। बिहार की समृद्धि का बहुत बड़ा आधार आत्मनिर्भर भारत अभियान भी है। मोदी...देश को दुनिया की फैक्ट्री...बहुत बड़ा मैन्युफेक्चरिंग हब बनाने में जुटा है...ये तभी हो सकता है...जब बिहार में खेती से जुड़े उद्योग लगें.. बिहार में पर्यटन का विस्तार हो...यहां टेक्नॉलॉजी से जुड़े उद्यम लगें...मैन्युफेक्चरिंग पर ज्यादा से ज्यादा निवेश हो। आने वाले सालों में हम इस काम को और तेज़ी से करने वाले हैं। और इसका रास्ता NDA ने अपने घोषणापत्र में भी बताया है, बताकर के ऱखा हुआ है।

साथियों,

यहां के हमारे नौजवानों में, हमारी बहनों में अद्भुत सामर्थ्य है। और मोदी आपके श्रम, आपका सामर्थ्य, आपकी कला का ब्रैंड एंबेसेडर है। अब आप कहेंगे मोदी कहां से मेरा ब्रैंड एंबेस्डर बन गया मैं बताता हूं कैसे बन गया.. अभी कुछ महीने पहले मैं अर्जेंटीना गया था...बहुत दूर है यहां से। वहां के जो उपराष्ट्रपति हैं, उनको मैंने यहां की बहनों की बनाई..मधुबनी पेंटिंग भेंट की थी। और वो ऐसे देखते थे, बड़ा अजूबा लगा था उनको, जब मैंने कहा कि मेरी बहनें बनाती हैं इसे, बिहार के एक कोने में बैठी बहनें बनाती हैं इसे गांव की बहनें बनाती हैं इसे… तो ऐसे देख रहे हैं मेरे सामने बताइए, मैं आपका एंबेसडर बना कि नहीं बना। मैं आपका ब्रैंड एंबेसडर बना कि नहीं बना। बिहार की बात दुनिया में पहुंचाई कि नहीं पहुंचाई… आपका मधुबनी पेंटिंग पहुंचाया कि नहीं पहुंचाया। इसी तरह, दिल्ली में G-20 समिट के दौरान... दक्षिण कोरिया के राष्ट्रपति को भी मैंने मधुबनी पेंटिंग देने का काम किया।

साथियों,

ये सब मैं इसलिए करता हूं...क्योंकि मुझे बिहार पर गर्व है। मुझे बिहार की माताओं-बहनों के सामर्थ्य पर गर्व है। मुझे बिहार की बेटियों की ताकत पर गर्व है। मैं चाहता हूं आपकी कला, आपका कौशल दुनिया भर में पहुंचे। भारत में बनी चीज़ों के लिए दुनिया में नए बाज़ार बनें।

साथियों,

एक समय था जब बिहार...दूसरे राज्यों से मछली मंगाता था। लेकिन NDA सरकार की नीतियों का असर है...कि बिहार अब दूसरे राज्यों को मछली भेजने लगा है। और ये हमारे मछली के क्षेत्र में काम करने वालों की ताकत देखिए, बड़े-बड़े लोग भी यहां की मछली देखने आ रहे हैं। पानी में डुबकी लगा रहे हैं। किसी ने मुझे कहा कि बिहार के चुनाव में डूबने की प्रैक्टिस कर रहे हैं। साथियों जैसे मछली के क्षेत्र में बिहार के लोगों ने बड़ी कमाल की है। सरकार ने और बिहार के हमारे मछुआरे भाई-बहनों ने मिलकर के एक नया क्षेत्र खोल दिया है। अब इसी तरह हम मखाने को दुनिया के कोने-कोने तक पहुंचाना चाहते हैं। बिहार का मखाना दुनिया के घर-घर तक पहुंचेगा....तो फायदा छोटे किसानों को होगा।

साथियों,

ये माता सीता की धरती है... नारीशक्ति का सामर्थ्य कैसे, एक परिवार को, पूरे समाज को ताकत देता है...ये धरती उसकी साक्षी रही है। हमारी NDA सरकार भी महिला सशक्तिकरण के मंत्र के साथ आगे बढ़ रही है।

साथियों

सरकार की नीतियों और निर्णयों का असर हम हर क्षेत्र में देख रहे हैं। साथियों, यहीं बिहार के राजगीर में पिछले वर्ष...महिला हॉकी की एशियाई चैंपियन्स ट्रॉफी हुई थी। हमारी बेटियां चैंपियन बनी थीं। कुछ दिन पहले भारत की बेटियों ने क्रिकेट विश्व कप भी जीता है...ये क्रिकेट के इतिहास में पहली बार हुआ है। तीन दिन पहले ही...ये विश्व विजेता हमारी बेटियां, दिल्ली में प्रधानमंत्री आवास पर आई थीं। उनका आत्मविश्वास देखकर, मुझे गर्व हो रहा था। गांव-कस्बों से निकलकर हमारी बेटियां...140 करोड़ भारतीयों का अभिमान बनी हैं।

साथियों,

हमारी बेटियों का ये नया आत्मविश्वास इसलिए आया है..क्योंकि हमारी सरकार कदम-कदम पर नारीशक्ति के साथ खड़ी है। अब आप देखिए, जनधन बैंक खाते, मजाक उड़ाते थे मेरी, कि महिलाओं की जेब में पैसा नहीं होता है खाते कैसे खुलेंगे? मैंने कहा एक रुपया दिए बिना भी मैं खाते खोलूंगा। ये सिर्फ एक पासबुक देने का मामला नहीं था। ये बहनों-बेटियों को आर्थिक रूप से सक्षम बनाने का माध्यम बना है। मैं आपको एक और उदाहरण देता हूं...आजकल मुख्यमंत्री महिला रोजगार योजना की बहुत चर्चा है। बिहार की एक करोड़ चालीस लाख बहनों के खाते में...दस-दस हज़ार रुपए पहुंच चुके हैं। कल्पना कीजिए...अगर बहनों के बैंक खाते ही न खुलते... तो क्या ये योजना बन पाती? मोदी ने बैंक खाते खुलवाए...नीतीश जी की सरकार उनमें बहनों को सहायता भेज रही है। आज पाई-पाई बहनों के खाते में पहुंच रही है। इसलिए आप याद रखिए...अगर कांग्रेस-RJD का जंगलराज होता...तो आपके हक का ये पैसा भी लुट जाता। और ये मैं नहीं कह रहा हूं, ये कांग्रेस के नामदार हैं ना उनके पिताजी खुद कहते थे। वो प्रधानमंत्री थे और पूरे देश में पंचायत से पार्लियामेंट तक सिर्फ कांग्रेस का ही झंडा फहरता था, सारी सरकारें उनकी थीं। मुयनिसपैलिटी उनकी, ग्राम पंचायतें उनकी, पार्षद उनका सब उनका था। उस समय कांग्रेस के एक प्रधानमंत्री, ये नामदार के पिताजी वो कहते थे दिल्ली से एक रुपया निकलता है तो गांव में जाते-जाते 15 पैसा हो जाता है। जरा बताओ वो कौन सा पंजा था, जो एक रुपये को घिसता-घिसता-घिसता 15 पैसे कर देता था, कौन सा पंजा था। आज भाइयो-बहनों अगर पटना से एक रुपया निकलता है तो पूरे सौ पैसे आपके खाते में जमा होते हैं। आज दिल्ली से एक रुपया निकलता है तो सौ के सौ पैसे आपके खाते में जमा होते हैं। और इसलिए मेरे माताओं, बहनों, भाइयों, नौजवानों.. आपको सावधान रहना है...क्योंकि कांग्रेस-RJD आपका पैसा लूटने की फिराक में बैठी है।

साथियों,

कांग्रेस और आरजेडी के लोग...इतने सालों तक सत्ता में रहे...इन लोगों ने...विकास के नाम पर सिर्फ घोटाले किए...जो दूर-दराज के क्षेत्र थे...उनको ये लोग पिछड़ा घोषित कर देते थे। ताकि वहां लोग विकास के बारे में सोच ही न पाएं। देश के सौ से अधिक जिले ऐसे ...जिनको कांग्रेस ने पिछड़ा घोषित कर रखा था। इसमें बिहार के भी अनेक जिले थे...और सीतामढ़ी भी उनमें से एक था। साथियों, जिनको इन्होंने पिछड़ा घोषित किया था...उनको हमने आकांक्षी जिला बनाया...वहां मिशन मोड पर विकास शुरु किया...मुझे गर्व है कि हमारा सीतामढ़ी भी आज विकास के मामले में दूसरे जिलों को टक्कर दे रहा है। आज सीतामढ़ी में, पूरे बिहार में विकास की नई रफ्तार दिखाई दे रही है। नई रेल लाइनें...अमृत भारत जैसी नई रेल सेवा...आधुनिक रेलवे स्टेशन.. नया इंजीनियरिंग कॉलेज... नया मेडिकल कॉलेज....ये सब अब सीतामढ़ी की पहचान बन रहे हैं। और मैं आपको भरोसा दिलाता हूं...बिहार में फिर से NDA सरकार बनते ही...हम विकास की इस गति को और मजबूती देंगे, और आपलोगों का कल्याण का काम करेंगे।

साथियों,

हमारी सरकार...यहां विकास भी कर रही है...और विरासत को भी सम्मान दे रही है। हम इस क्षेत्र को रामायण सर्किट से जोड़ रहे हैं। सीतामढ़ी से अयोध्या के लिए सीधी रेलसेवा भी इसी प्लान का हिस्सा है। आपके पाहुन, आपके दामाद जी तो खुद प्रभु श्रीराम हैं। अयोध्या में सीतामढ़ी के दामाद जी का भव्य मंदिर बन गया है...अब माता के मायके की बारी है। पुनौराधाम की भव्यता अब पूरी दुनिया देखेगी।

साथियों,

एक तरफ NDA सरकार अपने तीर्थों का विकास कर रही है। वहीं दूसरी तरफ...कांग्रेस और आरजेडी के लोग हमारी आस्था का अपमान कर रहे हैं। आपने कांग्रेस के नामदार की बातें सुनी होंगी...उन्होंने छठ पूजा के लिए क्या कहा... छठ महापर्व के लिए क्या कहा। छठ महापर्व आज देश और दुनिया में लोग श्रद्धापूर्वक मनाने लगे हैं। ये छठ महापर्व हमारी बिहार की माताओं और बहनों की तपस्या का एक गौरवपूर्ण याद रखने वाला इतिहास की तारीख में गोल्डेन अक्षरों से लिखने वाला तप है। तीन-तीन दिन तक तपस्या करती है, आखिर में तो पानी तक नहीं पीती है। इतनी बड़ी तपस्या छठ महापर्व की होती है और कांग्रेस के ये नामदार क्या कह रहे हैं.. छठ महापर्व.. छठ पूजा ये तो ड्रामा है ड्रामा, नौटंकी है.. माताओं बहनों ये आपका अपमान है कि नहीं है? ये आपका अपमान है कि नहीं है? ये छठ मैया का अपमान है कि नहीं है? हमारी परंपरा का अपमान है कि नहीं है? हमारी विरासत का अपमान है कि नहीं है? हमारी संस्कृति का अपमान है कि नहीं है? ऐसा अपमान करने वालों को सजा मिलनी चाहिए कि नहीं मिलनी चाहिए? ऐसा करने वालों को आप सजा देंगे कि नहीं देंगे। बड़ी ताकत से सजा देंगे कि नहीं देंगे? और लोकतंत्र में सजा देने का तरीका है वोट। आपका एक वोट उन्हें ऐसी सजा देगा ऐसी सजा देगा कि दुबारा ऐसा कहने की हिम्मत नहीं करेंगे। यही लोग है, जिन्होंने महाकुंभ को लेकर गलत बातें कीं..महाकुंभ को फालतू कहा..। राम मंदिर की प्राण प्रतिष्ठा का भी इन्होंने अपमान किया। अयोध्या में राम मंदिर परिसर में ही...महर्षि वाल्मीकि का भी मंदिर बनाया गया है...निषादराज का भी मंदिर बहां बनाया गया है...माता शबरी का मंदिर भी बनाया गया है...ये RJD-कांग्रेस वाले… अपने वोट बैंक की वजह से राम जी का वहिष्कार करते ऐसा ही नहीं ये निषादराज का बहिष्कार करते हैं, ये वाल्मीकि जी का बहिष्कार करते हैं, शबरी माता का बहिष्कार करते हैं।

साथियों,

जिनकी नीतियां तुष्टिकरण से ही प्रेरित हैं..वो बिहार का भला नहीं कर सकते। ये लोग तो समाज में कटुता ही पैदा कर सकते हैं। आप देखिए...RJD-कांग्रेस के नेता वोटबैंक के तुष्टिकरण के लिए घुसपैठियों तक को बचाने के लिए पूरी शक्ति से लगे हुए हैं। जिन घुसपैठियों का भारत से कोई लेना-देना नहीं...ये लोग उनको बचा रहे हैं।

साथियों,

जो घुसपैठिए हैं...ये आपके हक पर डाका डालते हैं…ये घुसपैठिये आपके संतानों के हक की चोरी करते हैं। और ये उन चोरों को बचाने के लिए मैदान में उतरे हैं। आपकी रोजी-रोटी पर कब्जा कर लेते हैं...हमारी बेटियों की सुरक्षा, देश की सुरक्षा के लिए खतरा बन जाते हैं। अब आप मुझे बताइए साथियों… आप पूरी तरह जवाब देंगे मुझे… सबके सब जवाब देंगे.. पूरी ताकत से जवाब देंगे.. ये जंगलराजवालों के कान फट जाए ना ऐसा जवाब दीजिए मुझे। देंगे? आप मुझे बताइए.. ये घुसपैठियों को निकालना चाहिए कि नहीं निकालना चाहिए? ये घुसपैठिये जाने चाहिए कि नहीं जाने चाहिए? ये घुसपैठिए जहां से आए हैं वहां जाने चाहिए कि नहीं जाने चाहिए? आप मुझे बताइए ये घुसपैठिये का हिसाब कौन कर सकता है। घुसपैठियों का हिसाब कौन कर सकता है? पूरी ताकत से बताइए कि घुसपैठियों का हिसाब कौन कर सकता है? कौन घुशपैठियों को निकाल सकता है? कौन घुसपैठियों को सजा दे सकता है। मोदी नहीं, ये आपका जवाब गलत है। ये घुसपैठियों का हिसाब चुकते करने का काम मोदी नहीं आपका एक वोट कर सकता है.. आपका एक वोट कर सकता है। आपके वोट की ताकत है, NDA को मिला आपका हर वोट... घुसपैठियों के विरुद्ध कार्रवाई को करके रहेगा ये मैं आपसे वादा कर रहा हूं।

साथियों,

पहले चरण में NDA ने बिहार में जीत की तरफ बड़ा मजबूत कदम रख दिया है। 11 नवंबर को आपका वोट NDA के सभी उम्मीदवारों को मिलेगा.. तो NDA की प्रचंड जीत तय हो जाएगी। और तभी गरीबों का कल्याण का काम, गरीबों के लिए पक्के घर बनाने का काम, हमारी बढ़ी हुई पेंशन सभी को पहुंचाने का काम, जिस तरह पहले चरण में बिहार ने मतदान के पुराने सारे रिकॉर्ड तोड़ दिए...वैसे ही आपको दूसरे चरण में भी मतदान का रिकॉर्ड तोड़ना है। तोड़ेंगे? तोड़ेंगे? जरा पूरी ताकत से सब बताइये मतदान का रिकॉर्ड तोड़ेंगे? हर बूथ में ज्यादा मतदान कराएंगे? हर बुथ में पहले से ज्यादा सौ वोट जाना चाहिए। सौ लोग मतदान के लिए जाने का पक्का करेंगे। आप इतनी बड़ी तादाद में हमारे उम्मीदवारों को आशीर्वाद देने आए हैं। मैं सभी चुनाव के उम्मीदवारों को कहता हूं कि आप आगे आ जाइए.. बस यहीं खड़े रह जाइए..हां.. मैं आप सबसे मिलने के लिए आ रहा हूं। आपको शुभकामनाएं देने के लिए आ रहा हूं। इन सबके आशीर्वाद में बोलिए...
भारत माता की... जय!
भारत माता की... जय!
भारत माता की.. जय!
वंदे मातरम के डेढ़ सौ साल.. मेरे साथ बोलिए
वंदे मातरम् वंदे... वंदे... वंदे... वंदे... वंदे... वंदे... वंदे... वंदे... वंदे...