35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તૈયાર કરાયેલા 35 PSA ઓક્સિજન પ્લાન્ટ્સ પ્રધાનમંત્રીએ અર્પણ કર્યા
PSA ઓક્સિજન પ્લાન્ટ્સ હવે દેશના તમામ જિલ્લામાં નિયુક્ત કરવામાં આવ્યા છે
સરકારમાં વડા તરીકેની અખંડ સફરના 21મા વર્ષમાં પ્રવેશેલા શ્રી મોદીએ દેશ અને ઉત્તરાખંડની જનતા પ્રત્યે કૃતજ્ઞતાની ભાવનાથી સૌનો આભાર માન્યો
“ઉત્તરાખંડની ભૂમિ સાથે મારો સંબંધ માત્ર દિલનો નથી પરંતુ કામનો પણ છે, માત્ર સારનો નહીં પરંતુ તત્વનો પણ છે”
“આટલા ટૂંકા સમયગાળામાં કોરોના મહામારી સામે જંગ લડવા માટે ભારતે તૈયાર કરેલી સુવિધાઓ આપણા દેશની ક્ષમતાઓ બતાવે છે. મહામારી પહેલાં માત્ર 1 લેબોરેટરી હતી જ્યારે હવે અંદાજે 3000 પરીક્ષણ લેબોરેટરીઓનું નેટવર્ક તૈયાર થઇ ગયું છે”
“જેમ જેમ માંગ વધી તેમ, ભારતે મેડિકલ ઓક્સિજનના ઉત્પાદનમાં 10 ગણા કરતાં વધુ વૃદ્ધિ કરી”
“ટૂંક સમયમાં ભારત રસીકરણના 100 કરોડના આંકડાને ઓળંગી જશે”
“હવે સરકાર રાહ જોઇને નથી બેસતી કે, લોકો તેમની સમસ્યાઓ લઇને આવે અને પછી કામ કરવામાં આવે. સરકારની માનસિકતા અને પ્રણાલીમાંથી આ ખોટી ધારણાને દૂર કરવામાં આવી છે. હવે સરકાર લોકો સુધી જાય છે.”
“6-7 વર્ષ પહેલાં સુધી, માત્ર અમુક રાજ્યોમાં જ એઇમ્સની સુવિધા હતી, આજે દરેક રાજ્યમાં એઇમ્સને લઇ જવાનું કામ ચાલી રહ્યું છે”
“સરકારનું એવું પણ લક્ષ્ય છે કે, દેશમાં દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ અવશ્ય હોવી જોઇએ”
“માત્ર 2 વર્ષમાં, રાજ્યમાં અંદાજે 6 લાખ ઘરો સુધી પાણીના જોડાણો પહોંચાડવામાં આવ્યા. 2019માં ઉત્તરાખંડમાં 1,30,000 ઘરોમાં જોડાણો હતા જે વધીને હવે ઉત્તરાખંડમાં 7,10,000 પરિવારોને પાઇપ દ્વારા પાણી મળી રહ્યું છે”
“દરેક સૈનિક, ભૂતપૂર્વ સૈનિકના હિતો માટે સરકાર ખૂબ જ ગંભીર છે. અમારી સરકારે 40 વર્ષ જુની સશસ્ત્રદળોના આપણા ભાઇઓની વન રેન્ક વન પેન્શનની માંગને પૂરી કરી છે”

ભારત માતા કી જય,

ભારત માતા કી જય,

ઉત્તરાખંડના રાજ્યપાલ લેફ્ટેનન્ટ જનરલ સેવા નિવૃત્ત ગુરમીત સિંહજી, યુવા ઊર્જાવાન અને ઉત્સાહી મુખ્યમંત્રી મારા મિત્ર-શ્રી પુષ્કર સિંહ ધામીજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી શ્રી મનસુખ માંડવિયાજી, શ્રી અજય ભટ્ટજી, ઉત્તરાખંડ વિધાનસભાના સ્પીકર શ્રી પ્રેમચંદ અગ્રવાલજી, ઉત્તરાખંડ સરકારમાં મંત્રી અને આજે જેમનો જન્મ દિવસ પણ છે તે  ડો. ધનસિંહ રાવતજીને જન્મ દિવસના ખૂબ ખૂબ અભિનંદન. દેશના અનેક સ્થળેથી આ કાર્યક્રમ સાથે જોડાયેલા રાજ્યોના મુખ્યમંત્રીગણ, લેફ્ટેનન્ટ ગવર્નર, રાજ્યોના અન્ય મંત્રીગણ, સાંસદો, ધારાસભ્યો અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!

આ દેવભૂમિ ઋષિઓનું તપ સ્થળ છે અને યોગ નગરી તરીકે પણ તે વિશ્વના લોકોને આકર્ષિત કરતી રહે છે. મા ગંગાની નિકટ આપણને સૌને તેમના આશીર્વાદ મળી રહ્યા છે. આજથી નવરાત્રિનું પવિત્ર પર્વ પણ શરૂ થઈ રહ્યું છે. આજે પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા થાય છે. મા શૈલપુત્રી હિમાલયના પુત્રી છે અને આજના દિવસે મારૂં અહીંયા હોવું, અહીં આવીને આ જમીનને પ્રણામ કરવા, હિમાલયની આ ધરતીને પ્રણામ કરવા તેનાથી જીવનમાં કયો મોટો ધન્યભાવ હોઈ શકે છે. અને આજે હું ઉત્તરાખંડ આવ્યો છું ત્યારે ખાસ કરીને તમને એક અભિનંદન આપવા માંગુ છું, કારણ કે આ વખતે ટોકયો ઓલિમ્પિકમાં દેવભૂમિએ પણ પોતાનો ઝંડો સ્થાપિત કર્યો છે અને એટલા માટે તે અભિનંદનને પાત્ર છે. ઉત્તરાખંડની દિવ્ય ધરાએ મારા જેવા અનેક લોકોના જીવનની ધારા બદલવામાં મોટી ભૂમિકા નિભાવી છે. એટલા માટે પણ આ ભૂમિ મહત્વની છે. આ ભૂમિ સાથેનો મારો નાતો મર્મનો પણ છે અને કર્મનો પણ છે. સત્વનો પણ છે અને તત્વનો પણ છે.

સાથીઓ,

જે રીતે હમણાં મુખ્યમંત્રીજીએ યાદ અપાવ્યું તે મુજબ આજના જ દિવસે 20 વર્ષ પહેલાં મને જનતાની  સેવા કરવાની એક નવી જવાબદારી મળી હતી. લોકોની વચ્ચે રહીને લોકોની સેવા કરવાની મારી યાત્રા તો ઘણાં દાયકા પહેલાંથી ચાલી રહી હતી, પરંતુ આજથી 20 વર્ષ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મને નવી જવાબદારી મળી હતી. એક રીતે કહીએ તો એ પણ એક સંયોગ છે કે ઉત્તરાખંડની રચના વર્ષ 2000માં થઈ અને મારી યાત્રા તેના થોડાંક જ મહિના પછી વર્ષ 2001માં શરૂ થઈ.

સાથીઓ,

સરકારના વડા તરીકે પહેલાં મુખ્યમંત્રી અને તે પછી દેશના લોકોના આશીર્વાદથી દેશના પ્રધાનમંત્રી પદ સુધી પહોંચવાની કલ્પના મેં ક્યારેય કરી ન હતી. 20 વર્ષની આ અખંડ યાત્રા આજે તેના 21મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે અને આવા મહત્વપૂર્ણ વર્ષમાં જે ધરતીએ મને નિરંતર પોતાનો પ્રેમ આપ્યો છે, પોતાપણું આપ્યું છે ત્યાં આવવું તેને મારા માટે ખૂબ મોટું સૌભાગ્ય સમજું છું. હિમાલયની આ તપોભૂમિ કે જે તપ અને ત્યાગનો માર્ગ દેખાડી રહી છે તે ભૂમિ પર આવીને કોટિ કોટિ દેશવાસીઓની સેવા કરવાનો મારો સંકલ્પ વધુ દ્રઢ થયો છે, વધુ મજબૂત થયો છે. અહીં આવતાં મને નવી ઊર્જા મળે છે.

ભાઈઓ અને બહેનો,

યોગ અને આયુર્વેદની શક્તિથી જે વિસ્તારમાં જીવનને આરોગ્યમય બનાવવાનો ઉપાય પ્રાપ્ત થાય છે ત્યાંથી આજે સમગ્ર દેશમાં અનેક નવા ઓક્સિજન પ્લાન્ટસનું લોકાર્પણ થયું છે. આપણાં દેશના અલગ અલગ રાજ્યોમાં ઓક્સિજન પ્લાન્ટસની નવી સુવિધા માટે હું આપ સૌને, દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

સાથીઓ,

100 વર્ષના આ સૌથી મોટા સંકટનો સામનો આપણે ભારતવાસી જે બહાદુરી સાથે કરી રહ્યા છીએ, તેને દુનિયા ખૂબ જ ઝીણવટપૂર્વક જોઈ રહી છે. કોરોના સામે લડવા માટે આટલા ઓછા સમયમાં ભારતે જે સુવિધાઓ તૈયાર કરી તે આપણાં દેશનું સામર્થ્ય દેખાડે છે. માત્ર એક ટેસ્ટીંગ લેબથી આશરે 3000 ટેસ્ટીંગ લેબનું નેટવર્ક બનાવવું, માસ્ક અને કીટસની આયાતથી શરૂઆત કરીને આપણી જિંદગી આજે નિકાસ કરનાર તરીકેની સફર ઝડપભેર પાર કરી રહી છે. દેશના દૂર દૂરના વિસ્તારોમાં પણ વેન્ટીલેટરની નવી સુવિધાઓ, ભારતમાં બનેલી કોરોના વેક્સિનનું મોટાપાયે ઉત્પાદન, દુનિયાનું સૌથી મોટું અને સૌથી ઝડપી રસીકરણ અભિયાન ભારતે કરી બતાવ્યું છે, તે આપણી સંકલ્પ શક્તિ, આપણો સેવાભાવ અને આપણી એકતાનું પ્રતિક છે.

ભાઈઓ અને બહેનો,

ભારતની કોરોના સામેની લડાઈ આપણાં માટે એક મોટો પડકાર આપણી વસતિ પણ હતી. ભારતની વિવિધ ભૂગોળ પણ મોટો પડકાર આપી રહી હતી. ઓક્સિજનના પૂરવઠાથી માંડીને રસી સુધી આ બંને પડકારો દેશ સામે આવતા રહ્યા, નિરંતર આવતા રહ્યા. દેશ તેમની સામે કેવી રીતે લડ્યો તે જાણવું અને સમજવું તે દરેક દેશવાસી માટે ખૂબ જ જરૂરી છે.

સાથીઓ,

સામાન્ય દિવસોમાં ભારતમાં એક દિવસમાં 900 મે.ટન પ્રવાહી ઓક્સિજનનું ઉત્પાદન થતું હતું, પરંતુ તેની માંગમાં વધારો થવાની સાથે જ ઓક્સિજનનું ઉત્પાદન 10 ગણાથી પણ વધુ વધારવામાં આવ્યું. દુનિયાના કોઈ પણ દેશ માટે  આ એક અકલ્પ્ય લક્ષ્ય હતું, પરંતુ ભારતે તેને હાંસલ કરીને બતાવ્યું.

સાથીઓ,

અહીંયા ઉપસ્થિત અનેક મહાનુભવ એ બાબતથી પરિચિત છે કે ઓક્સિજનના ઉત્પાદનની સાથે સાથે તેનું પરિવહન કરવું તે કેટલો મોટો પડકાર છે. ઓક્સિજનને એજ સ્વરૂપે ટેન્કરમાં લાવી શકાતો નથી, તેના માટે ખાસ ટેન્કરની જરૂર પડે છે. ભારતમાં ઓક્સિજનના ઉત્પાદનનું કામ સૌથી વધુ પૂર્વ ભારતમાં થાય છે, પરંતુ મુશ્કેલી એ છે કે જરૂરિયાત સૌથી વધુ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ઊભી થઈ હતી.

ભાઈઓ અને બહેનો,

લોજિસ્ટીક્સના આટલા મોટા પડકારો સામે ઝઝૂમતા આપણા દેશે યુધ્ધના ધોરણે કામ કર્યું છે. દેશ અને દુનિયામાં દિવસ રાત જ્યાંથી પણ શક્ય હોય ત્યાંથી ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજન ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી. સ્પેશિયલ ઓક્સિજન ટ્રેન દોડાવવામાં આવી. આવી ટેન્કરો ઝડપથી પહોંચાડવા માટે વાયુસેનાના વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો. પ્રોડક્શન વધારવા માટે ડીઆરડીઓના માધ્યમથી તેજસ ફાઈટર પ્લેટનની ટેકનોલોજી લાગુ કરવામાં આવી. પીએમ કેર્સ મારફતે દેશમાં પીએસએ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાનું કામ ઝડપભેર હાથ ધરવામાં આવ્યું અને એક લાખથી વધુ ઓક્સિજન કોન્સન્ટ્રેટર માટે પૈસા પણ આપવામાં આવ્યા.

સાથીઓ,

ભવિષ્યમાં કોરોના સામે લડવા માટે આપણી તૈયારી મજબૂત બને તે માટે સમગ્ર દેશમાં પીએસએ ઓક્સિજન પ્લાન્ટસનું નેટવર્ક તૈયાર થઈ રહ્યું છે. વિતેલા થોડાક મહિનામાં પીએમ કેર્સ દ્વારા સ્વિકૃત 1150થી વધુ ઓક્સિજન પ્લાન્ટસ કામ કરવાનું શરૂ કરી ચૂક્યા છે. હવે દેશના દરેક જિલ્લાને પીએમ કેર્સ હેઠળ બનેલા ઓક્સિજન પ્લાન્ટસથી આવરી લેવાયા છે. પીએમ કેર્સના સહયોગથી બનેલા ઓક્સિજન પ્લાન્ટસને જોડવામાં આવે તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, આ બધાના પ્રયાસોથી આશરે 4,000 નવા ઓક્સિજન પ્લાન્ટ ઉપલબ્ધ થઈ રહ્યા છે. ઓક્સિજનના પડકારનો મુકાબલો કરવામાં હવે દેશ અને દેશની હોસ્પિટલ અગાઉ કરતાં પણ વધુ સક્ષમ બની ચૂક્યા છે.

સાથીઓ,

દરેક ભારતવાસી માટે ગર્વ લેવા જેવી બાબત એ છે કે રસીના 93 કરોડથી વધુ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. ખૂબ જલ્દી આપણે 100 કરોડનો આંક પણ પાર કરી દઈશું. ભારતે કોવિડ પ્લેટફોર્મનું નિર્માણ કરીને સમગ્ર દુનિયાને માર્ગ બતાવ્યો છે કે આટલા મોટા પાયા પર રસીકરણ કેવી રીતે કરી શકાય છે. પર્વતો હોય, જંગલ હોય, સમુદ્ર હોય, 10 લોકો હોય કે 10 લાખ લોકો હોય, દરેક વિસ્તાર સુધી આજે આપણે સંપૂર્ણ સુરક્ષા સાથે રસી પહોંચાડી રહ્યા છીએ. આ હેતુ માટે સમગ્ર દેશમાં એક લાખ ત્રીસ હજારથી વધુ રસીકરણ કેન્દ્રો પણ સ્થાપવામાં આવ્યા છે. અહીંયા રાજ્ય સરકારની અસરકારક વ્યવસ્થાને કારણે ઉત્તરાખંડ પણ ખૂબ જલ્દી 100 ટકા પ્રથમ ડોઝનો મુકામ પાર કરી જવાનું છે અને એના માટે હું મુખ્યમંત્રીજીને, તેમની સમગ્ર ટીમને અહીંના દરેક નાના મોટા સરકારના સાથીદારોને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

ભાઈઓ અને બહેનો,

જ્યાં તરાઈ જેવી સમતલ ભૂમિ છે ત્યાં કદાચ આ બધા કામમાં સરળતા રહેતી હશે. હું આ ધરતી સાથે  ખૂબ જ જોડાયેલો રહ્યો છું. અહીંયા રસી પહોંચાડવાનું ખૂબ જ મુશ્કેલ બની રહે છે. હિમાલયના પહાડોની પેલે પાર પહોંચીને લોકો પાસે જવું કેટલું કઠીન હોય છે તે અમે સારી રીતે સમજીએ છીએ. આવી સ્થિતિ હોવા છતાં પણ આટલી મોટી સિધ્ધિ પ્રાપ્ત કરવા માટે આપ સૌ સાચે જ અભિનંદનને પાત્ર છો.

ભાઈઓ અને બહેનો,

21મી સદીનું ભારત જનતાની અપેક્ષાઓ, જનતાની આવશ્યકતાઓ પૂરી કરવાના ઉપાયો શોધતાં આગળ વધતું રહેશે. સરકાર આજે એ બાબતની પ્રતિક્ષા નથી કરતી કે નાગરિક તેની પાસે પોતાની સમસ્યાઓ લઈને આવશે ત્યારે કોઈ પગલાં લઈશું. સરકારી માનસિકતા અને વ્યવસ્થાને આ ભ્રમમાંથી આપણે બહાર કાઢી રહ્યા છીએ. હવે સરકાર નાગરિકોની પાસે જાય છે. ગરીબોને પાકું મકાન આપવાનું હોય, વિજળી, પાણી, શૌચાલય અને ગેસ કનેક્શન હોય, 80 કરોડથી વધુ લોકોને મફત રેશન આપવાનું હોય, ખેડૂતોના બેંકના ખાતામાં સીધા હજારો કરોડ રૂપિયા જમા કરવાના હોય, દરેક ભારતીય સુધી પેન્શન અને વીમા સુવિધા પહોંચાડવાનો પ્રયાસ હોય, લોકહિતના આવા દરેક લાભ ઝડપથી દરેક હક્કદાર સુધી પહોંચી રહ્યા છે.

સાથીઓ,

આરોગ્યના ક્ષેત્રમાં ભારત આવા જ અભિગમ સાથે આગળ ધપી રહ્યું છે. એનાથી ગરીબ અને મધ્યમ વર્ગને બચત પણ થઈ રહી છે અને તેને સુવિધા પણ મળી રહી છે. અગાઉ જ્યારે કોઈને ગંભીર બીમારી થતી હતી ત્યારે તે આર્થિક મદદ માટે એકથી બીજા સ્થળે નેતાઓના કે પછી સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા. આયુષ્માન ભારતે આ મુશ્કેલી હંમેશા માટે ખતમ કરી દીધી છે. હોસ્પિટલની લાંબી લાઈનો હોય, સારવારમાં થતો વિલંબ હોય, તબીબી ઈતિહાસના અભાવ જેવા કારણોથી લોકો કેટલા પરેશાન થતા હતા. હવે આયુષ્માન ભારત ડિજિટલ મિશન દ્વારા પ્રથમ વખત આ પરિસ્થિતિનો ઉપાય શોધવાનો પ્રયાસ શરૂ થઈ ચૂક્યો છે.

સાથીઓ,

નાની નાની સારવાર માટે બિમારી વખતે રૂટિન ચેક-અપ કરાવવા માટે વારંવાર આવવું જવું કેટલું મુશ્કેલ બની રહે છે તે ઉત્તરાખંડના લોકોથી બહેતર કોણ સમજી શકે તેમ છે. લોકોની આ મુશ્કેલી દૂર કરવા માટે હવે ઈ-સંજીવની એપ્પની સુવિધા શરૂ કરવામાં આવી છે અને તેના મારફતે ગામડાંમાં પોતાના ઘેર બેઠા બેઠા દર્દી શહેરોની હોસ્પિટલોના ડોક્ટર સાથે કન્સલ્ટેશન લઈ રહ્યા છે. તેનો લાભ હવે ઉત્તરાખંડના લોકોએ પણ લેવાનું શરૂ કર્યું છે.

ભાઈઓ અને બહેનો,

આરોગ્યની સુવિધાઓ તમામ લોકો સુધી પહોંચાડવા માટે લાસ્ટ માઈલ ડિલિવરી સાથે જોડાયલી સશક્ત આરોગ્યલક્ષી માળખાકીય સુવિધાઓ પણ ખૂબ જ જરૂરી બની રહે છે. 6 થી 7 વર્ષ પહેલા ભારતના થોડાંક રાજ્યોમાં એઈમ્સની સુવિધા હતી, આજે દરેક રાજ્ય સુધી એઈમ્સ પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે. 6 એઈમ્સથી આગળ વધીને 22 એઈમ્સનું સશક્ત નેટવર્ક બનાવવાની દિશામાં આપણે ઝડપથી આગળ વધી રહ્યા છીએ. સરકારનું પણ એ લક્ષ્ય છે કે દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ ચોક્કસ હોય. આ માટે વિતેલા 7 વર્ષમાં દેશમાં 170 મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવી છે. ડઝનબંધ નવી મેડિકલ કોલેજો શરૂ કરવાનું કામ ચાલુ છે. અહીં મારા ઉત્તરાખંડમાં પણ રૂદ્રપુર, હરિદ્વાર અન પિઢોરાગઢમાં નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે.

સાથીઓ,

ઉત્તરાખંડના નિર્માણનું સપનું અટલજીએ પૂરૂં કર્યું હતું. અટલજી માનતા હતા કે કનેક્ટિવિટીનો સીધો સંબંધ વિકાસ સાથે છે. તેમની પ્રેરણાથી આજે દેશમાં કનેક્ટિવિટીની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે અભૂતપૂર્વ ગતિ અને વ્યાપ સાથે કામ કરવામાં આવી રહ્યું છે. મને સંતોષ છે કે ઉત્તરાખંડની સરકાર આ દિશામાં ગંભીરતાથી કામ કરી રહી છે. બાબા કેદારનાથના આશીર્વાદથી કેદાર ધામની ભવ્યતા ખૂબ જ વધારવામાં આવી રહી છે. ત્યાં શ્રધ્ધાળુ માટે નવી સુવિધાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. હું પણ ઘણીવાર ડ્રોન કેમેરાના માધ્યમથી આવા કાર્યોની પ્રગતિની સમીક્ષા કરતો રહું છું. ચાર ધામને જોડનારા બારમાસી રોડ માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે. ચાર ધામ યોજના દેશ અને દુનિયામાંથી આવનારા શ્રધ્ધાળુઓ માટે ખૂબ મોટી સુવિધા તો તૈયાર થઈ જ રહી છે, ગઢવાલ અને કુમાઉના પડકારજનક વિસ્તારોને પણ તે એક બીજા સાથે જોડી રહી છે. કુમાઉથી ચાર ધામ રોડના લગભગ દોઢસો કિલોમીટરના વિસ્તારને નવો વિકાસ હાંસલ થવાનો છે. ઋષિકેશ- કર્ણપ્રયાગ રેલવે લાઈનથી ઉત્તરાખંડની રેલવે કનેક્ટિવિટીનું વિસ્તરણ થશે. સડક અને રેલવે સિવાય એર કનેક્ટિવિટી અંગે થઈ રહેલા કાર્યોનો લાભ પણ ઉત્તરાખંડને મળ્યો છે. દહેરાદૂન એરપોર્ટની ક્ષમતા 250 પેસેન્જરથી વધારીને 1200 સુધી પહોંચાડવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રીમાન ધામીજીના ઉત્સાહી અને ઊર્જાવાન નેતૃત્વ હેઠળ ઉત્તરાખંડમાં હેલિપોર્ટ માળખાકિય સુવિધાને પણ પ્રોત્સાહન પૂરૂં પાડવામાં આવી રહ્યું છે.

સાથીઓ,

પાણીની કનેક્ટિવિટી બાબતે પણ ઉત્તરાખંડમાં આજે પ્રશંસાપાત્ર કામ થઈ રહ્યું છે અને તેનો ખૂબ મોટો  લાભ અહીંની મહિલાઓને મળવાનો શરૂ થઈ ગયો છે. તેમનું જીવન હવે વધુ આસાન બની રહ્યું છે. વર્ષ 2019માં જળ જીવન મિશન શરૂ થયું તે પહેલાં ઉત્તરાખંડના માત્ર 1 લાખ 30 હજાર ઘરમાં નળથી જળ પહોંચતું હતું. આજે ઉત્તરાખંડના 7 લાખ 10 હજારથી વધુ ઘરમાં નળથી જળ પહોંચ્યું છે. આનો અર્થ એ થયો કે માત્ર બે વર્ષમાં રાજ્યના અંદાજે 6 લાખ ઘરને પાણીના જોડાણ મળ્યા છે. જે રીતે ઉજ્જવલા યોજના હેઠળ મળેલા ગેસના જોડાણથી મહિલાઓને રાહત પ્રાપ્ત થઈ છે, તેવી જ રીતે સ્વચ્છ ભારત મિશન હેઠળ બનેલા શૌચાલયથી મહિલાઓને સુરક્ષા અને સન્માન મળ્યું છે. તેવી જ રીતે જળ જીવન મિશનથી મળી રહેલા પાણીના જોડાણ મહિલાઓને ખૂબ જ રાહત પૂરી પાડી રહ્યા છે.

સાથીઓ,

દેશની સુરક્ષામાં ઉત્તરાખંડની ખૂબ મોટી ભૂમિકા છે. અહીંના બહાદુર નવયુવાનો, બહાદુર દીકરીઓ, ભારતના સુરક્ષા દળોની આન, બાન અને શાન છે. અમારી સરકાર દરેક ફૌજી, દરેક પૂર્વ ફૌજીના હિત અંગે પણ ગંભીરતાપૂર્વક કામ કરી રહી છે. એ અમારી સરકાર છે કે જેણે વન રેન્ક, વન પેન્શન લાગુ કરીને આપણાં ફૌજી ભાઈઓની 40 વર્ષ જૂની માંગ પૂરી કરી હતી. અમારા ધામીજી તો ખુદ ફૌજીના દિકરા છે. તે જણાવી રહ્યા હતા કે વન રેન્ક, વન પેન્શન યોજનાના નિર્ણયને કારણે ફૌજીઓને કેટલી મોટી મદદ મળી રહી છે.

સાથીઓ,

અમારી આ સરકાર છે કે જેણે દિલ્હીમાં નેશનલ વૉર મેમોરિયલનું નિર્માણ કરીને દેશના વીર જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે. એ અમારી જ સરકાર છે કે જેણે બેટલ કેઝ્યુલિટીઝ વેલફેર ફંડનો લાભ લશ્કરના જવાનોની સાથે સાથે નૌકાદળ અને વાયુદળના શહિદો માટે પણ પૂરો પાડવાનો નિર્ણય કર્યો છે. એ અમારી જ સરકાર છે કે જેણે જેસીઓ (JCO) અને અન્ય રેન્કના પ્રમોશન બાબતે છેલ્લા 4 દાયકાથી ચાલી રહેલા વિવાદને ઉકેલ્યો છે. પૂર્વ સૈનિકોને પેન્શન સાથે જોડાયેલી બાબતોમાં તકલીફ પડે નહી તે માટે અમે ડિજિટલ ટેકનોલોજીનો વપરાશ પણ વધારી રહ્યા છીએ.

સાથીઓ,

જ્યારે લશ્કરના વીર ઝાંબાઝ પાસે આધુનિક હથિયાર હોય છે, પોતાના રક્ષણ માટે આધુનિક ઉપકરણો હોય છે ત્યારે તે તેના રક્ષણ માટે ખૂબ આસાનીથી દુશ્મનનો મુકાબલો કરી શકે છે. આવા સ્થળોએ જ્યાં મોસમ ખરાબ હોય છે ત્યાં આધુનિક ઉપકરણોના કારણે તેમને ખૂબ જ મદદ મળી રહે છે. અમારી સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાનું જે અભિયાન ચલાવ્યું છે તે પણ આપણાં ફૌજી સાથીઓને ખૂબ જ મદદ કરી રહ્યું છે અને ચોક્કસપણે સરકારના આ બધા પ્રયાસોનો લાભ ઉત્તરાખંડ અને અહીંના લોકોને પણ થશે.

ભાઈઓ અને બહેનો,

અમે દાયકાઓથી થઈ રહેલી ઉપેક્ષામાંથી દેવભૂમિને બહાર કાઢવાનો ખૂબ જ ઈમાનદારીથી, સંપૂર્ણ ગંભીરતાથી પ્રયાસ કરી રહ્યા છીએ. બહેતર માળખાકીય સુવિધાઓ તૈયાર થયા પછી ઉજ્જડ થયેલા ગામડાં ફરીથી આબાદ થવા લાગ્યા છે. કોરોના કાળમાં મેં અનેક યુવાનો સાથે, અનેક ખેડૂતો  સાથે વાતચીત કરી છે. તે લોકો જણાવે છે કે તેમના ઘર સુધી સડક પહોંચી ચૂકી છે. હવે તેમણે હોમ સ્ટે ખોલી નાંખ્યો છે એવું જણાવે છે ત્યારે ખૂબ જ સંતોષ મળે છે. નવી માળખાકીય સુવિધાઓથી ખેતી, પર્યટન, યાત્રા અને ઉદ્યોગોમાં યુવાનો માટે અનેક નવી તકો ખૂલવાની છે.

સાથીઓ,

અહીંયા ઉત્તરાખંડમાં ઊર્જાથી ભરપૂર યુવાનોની ટીમ છે. હવે પછીના થોડાક વર્ષોમાં ઉત્તરાખંડ પોતાની સ્થાપનાના 25મા વર્ષમાં પ્રવેશ કરશે. ખૂબ જ નજીકના ભવિષ્યમાં ઉત્તરાખંડને 25 વર્ષ થવાના છે ત્યારે ઉત્તરાખંડ જે ઉંચાઈ પર હશે તે નક્કી કરવાનો અને તે કામગીરી સાથે જોડાવાનો આ સાચો સમય છે. કેન્દ્રમાં જે સરકાર છે તે ઉત્તરાખંડની આ નવી ટીમને સંપૂર્ણ મદદ પૂરી પાડી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસથી અહીંના લોકોના સપનાં પૂરાં કરવાનો ખૂબ મોટા આધાર પ્રાપ્ત થયો છે. વિકાસનું આ ડબલ એન્જિન ઉત્તરાખંડને નવી ઉંચાઈ સુધી લઈ જવાનું છે. બાબા કેદારની કૃપાથી આપણે દરેક સંકલ્પ સિધ્ધ કરીશું એવી શુભેચ્છા સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

ધન્યવાદ!

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool

Media Coverage

How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
West Bengal must be freed from TMC’s Maha Jungle Raj: PM Modi at Nadia virtual rally
December 20, 2025
Bengal and the Bengali language have made invaluable contributions to India’s history and culture, with Vande Mataram being one of the nation’s most powerful gifts: PM Modi
West Bengal needs a BJP government that works at double speed to restore the state’s pride: PM in Nadia
Whenever BJP raises concerns over infiltration, TMC leaders respond with abuse, which also explains their opposition to SIR in West Bengal: PM Modi
West Bengal must now free itself from what he described as Maha Jungle Raj: PM Modi’s call for “Bachte Chai, BJP Tai”

आमार शोकोल बांगाली भायों ओ बोनेदेर के…
आमार आंतोरिक शुभेच्छा

साथियो,

सर्वप्रथम मैं आपसे क्षमाप्रार्थी हूं कि मौसम खराब होने की वजह से मैं वहां आपके बीच उपस्थित नहीं हो सका। कोहरे की वजह से वहां हेलीकॉप्टर उतरने की स्थिति नहीं थी इसलिए मैं आपको टेलीफोन के माध्यम से संबोधित कर रहा हूं। मुझे ये भी जानकारी मिली है कि रैली स्थल पर पहुंचते समय खराब मौसम की वजह से भाजपा परिवार के कुछ कार्यकर्ता, रेल हादसे का शिकार हो गए हैं। जिन बीजेपी कार्यकर्ताओं की दुखद मृत्यु हुई है, उनके परिवारों के प्रति मेरी संवेदनाएं हैं। जो लोग इस हादसे में घायल हुए हैं, मैं उनके जल्द स्वस्थ होने की कामना करता हूं। दुख की इस घड़ी में हम सभी पीड़ित परिवार के साथ हैं।

साथियों,

मैं पश्चिम बंगाल बीजेपी से आग्रह करूंगा कि पीड़ित परिवारों की हर तरह से मदद की जाए। दुख की इस घड़ी में हम सभी पीड़ित परिवारों के साथ हैं। साथियों, हमारी सरकार का निरंतर प्रयास है कि पश्चिम बंगाल के उन हिंस्सों को भी आधुनिक कनेक्टिविटी मिले जो लंबे समय तक वंचित रहे हैं। बराजगुड़ी से कृष्णानगर तक फोर लेन बनने से नॉर्थ चौबीस परगना, नदिया, कृष्णानगर और अन्य क्षेत्र के लोगों को बहुत लाभ होगा। इससे कोलकाता से सिलीगुडी की यात्रा का समय करीब दो घंटे तक कम हो गया है आज बारासात से बराजगुड़ी तक भी फोर लेन सड़क पर भी काम शुरू हुआ है इन दोनों ही प्रोजेक्ट से इस पूरे क्षेत्र में आर्थिक गतिविधियों और पर्यटन का विस्तार होगा।

साथियों,

नादिया वो भूमि है जहाँ प्रेम, करुणा और भक्ति का जीवंत स्वरूप...श्री चैतन्य महाप्रभु प्रकट हुए। नदिया के गाँव-गाँव में... गंगा के तट-तट पर...जब हरिनाम संकीर्तन की गूंज उठती थी तो वह केवल भक्ति नहीं होती थी...वह सामाजिक एकता का आह्वान होती थी। होरिनाम दिये जोगोत माताले...आमार एकला निताई!! यह भावना...आज भी यहां की मिट्टी में, यहां के हवा-पानी में... और यहाँ के जन-मन में जीवित है।

साथियों,

समाज कल्याण के इस भाव को...हमारे मतुआ समाज ने भी हमेशा आगे बढ़ाया है। श्री हरीचांद ठाकुर ने हमें 'कर्म' का मर्म सिखाया...श्री गुरुचांद ठाकुर ने 'कलम' थमाई...और बॉरो माँ ने अपना मातृत्व बरसाया...इन सभी महान संतानों को भी मैं नमन करता हूं।

साथियों,

बंगाल ने, बांग्ला भाषा ने...भारत के इतिहास, भारत की संस्कृति को निरंतर समृद्ध किया है। वंदे मातरम्...ऐसा ही एक श्रेष्ठ योगदान है। वंदे मातरम् का 150 वर्ष पूरे होने का उत्सव पूरा देश मना रहा है हाल में ही, भारत की संसद ने वंदे मातरम् का गौरवगान किया। पश्चिम बंगाल की ये धरती...वंदे मातरम् के अमरगान की भूमि है। इस धरती ने बंकिम बाबू जैसा महान ऋषि देश को दिया... ऋषि बंकिम बाबू ने गुलाम भारत में वंदे मातरम् के ज़रिए, नई चेतना पैदा की। साथियों, वंदे मातरम्…19वीं सदी में गुलामी से मुक्ति का मंत्र बना...21वीं सदी में वंदे मातरम् को हमें राष्ट्र निर्माण का मंत्र बनाना है। अब वंदे मातरम् को हमें विकसित भारत की प्रेरणा बनाना है...इस गीत से हमें विकसित पश्चिम बंगाल की चेतना जगानी है। साथियों, वंदे मातरम् की पावन भावना ही...पश्चिम बंगाल के लिए बीजेपी का रोडमैप है।

साथियों,

विकसित भारत के इस लक्ष्य की प्राप्ति में केंद्र सरकार हर देशवासी के साथ कंधे से कंधा मिलाकर चल रही है। भाजपा सरकार ऐसी नीतियां बना रही है, ऐसे निर्णय ले रही है जिससे हर देशवासी का सामर्थ्य बढ़े आप सब भाई-बहनों का सामर्थ्य बढ़े। मैं आपको एक उदाहरण देता हूं। कुछ समय पहले...हमने GST बचत उत्सव मनाया। देशवासियों को कम से कम कीमत में ज़रूरी सामान मिले...भाजपा सरकार ने ये सुनिश्चित किया। इससे दुर्गापूजा के दौरान... अन्य त्योहारों के दौरान…पश्चिम बंगाल के लोगों ने खूब खरीदारी की।

साथियों,

हमारी सरकार यहां आधुनिक इंफ्रास्ट्रक्चर पर भी काफी निवेश कर रही है। और जैसा मैंने पहले बताया पश्चिम बंगाल को दो बड़े हाईवे प्रोजेक्ट्स मिले हैं। जिससे इस क्षेत्र की कोलकाता और सिलीगुड़ी से कनेक्टिविटी और बेहतर होने वाली है। साथियों, आज देश...तेज़ विकास चाहता है...आपने देखा है... पिछले महीने ही...बिहार ने विकास के लिए फिर से एनडीए सरकार को प्रचंड जनादेश दिया है। बिहार में भाजपा-NDA की प्रचंड विजय के बाद... मैंने एक बात कही थी...मैंने कहा था... गंगा जी बिहार से बहते हुए ही बंगाल तक पहुंचती है। तो बिहार ने बंगाल में भाजपा की विजय का रास्ता भी बना दिया है। बिहार ने जंगलराज को एक सुर से एक स्वर से नकार दिया है... 20 साल बाद भी भाजपा-NDA को पहले से भी अधिक सीटें दी हैं... अब पश्चिम बंगाल में जो महा-जंगलराज चल रहा है...उससे हमें मुक्ति पानी है। और इसलिए... पश्चिम बंगाल कह रहा है... पश्चिम बंगाल का बच्चा-बच्चा कह रहा है, पश्चिम बंगाल का हर गांव, हर शहर, हर गली, हर मोहल्ला कह रहा है... बाचते चाई….बीजेपी ताई! बाचते चाई बीजेपी ताई

साथियो,

मोदी आपके लिए बहुत कुछ करना चाहता है...पश्चिम बंगाल के विकास के लिए न पैसे की कमी है, न इरादों की और न ही योजनाओं की...लेकिन यहां ऐसी सरकार है जो सिर्फ कट और कमीशन में लगी रहती है। आज भी पश्चिम बंगाल में विकास से जुड़े...हज़ारों करोड़ रुपए के प्रोजेक्ट्स अटके हुए हैं। मैं आज बंगाल की महान जनता जनार्दन के सामने अपनी पीड़ा रखना चाहता हूं, और मैं हृदय की गहराई से कहना चाहता हूं। आप सबकों ध्यान में रखते हुए कहना चाहता हूं और मैं साफ-साफ कहना चाहता हूं। टीएमसी को मोदी का विरोध करना है करे सौ बार करे हजार बार करे। टीएमसी को बीजेपी का विरोध करना है जमकर करे बार-बार करे पूरी ताकत से करे लेकिन बंगाल के मेरे भाइयों बहनों मैं ये नहीं समझ पा रहा हूं कि पश्चिम बंगाल के विकास को क्यों रोका जा रहा है? और इसलिए मैं बार-बार कहता हूं कि मोदी का विरोध भले करे लेकिन बंगाल की जनता को दुखी ना करे, उनको उनके अधिकारों से वंचित ना करे उनके सपनों को चूर-चूर करने का पाप ना करे। और इसलिए मैं पश्चिम बंगाल की प्रभुत्व जनता से हाथ जोड़कर आग्रह कर रहा हूं, आप बीजेपी को मौका देकर देखिए, एक बार यहां बीजेपी की डबल इंजन सरकार बनाकर देखिए। देखिए, हम कितनी तेजी से बंगाल का विकास करते हैं।

साथियों,

बीजेपी के ईमानदार प्रयास के बीच आपको टीएमसी की साजिशों से भी उसके कारनामों से भी सावधान रहना होगा टीएमसी घुसपैठियों को बचाने के लिए पूरा जोर लगा रही है बीजेपी जब घुसपैठियों का सवाल उठाती है तो टीएमसी के नेता हमें गालियां देते हैं। मैंने अभी सोशल मीडिया में देखा कुछ जगह पर कुछ लोगों ने बोर्ड लगाया है गो-बैक मोदी अच्छा होता बंगाल की हर गली में हर खंबे पर ये लिखा जाता कि गो-बैक घुसपैठिए... गो-बैक घुसपैठिए, लेकिन दुर्भाग्य देखिए गो-बैक मोदी के लिए बंगाल की जनता के विरोधी नारे लगा रहे हैं लेकिन गो-बैक घुसपैठियों के लिए वे चुप हो जाते हैं। जिन घुसपैठियों ने बंगाल पर कब्जा करने की ठान रखी है...वो TMC को सबसे ज्यादा प्यारे लगते हैं। यही TMC का असली चेहरा है। TMC घुसपैठियों को बचाने के लिए ही… बंगाल में SIR का भी विरोध कर रही है।

साथियों,

हमारे बगल में त्रिपुरा को देखिए कम्युनिस्टों ने लाल झंडे वालों ने लेफ्टिस्टों ने तीस साल तक त्रिपुरा को बर्बाद कर दिया था, त्रिपुरा की जनता ने हमें मौका दिया हमने त्रिपुरा की जनता के सपनों के अनुरूप त्रिपुरा को आगे बढ़ाने का प्रयास किया बंगाल में भी लाल झंडेवालों से मुक्ति मिली। आशा थी कि लेफ्टवालों के जाने के बाद कुछ अच्छा होगा लेकिन दुर्भाग्य से टीएमसी ने लेफ्ट वालों की जितनी बुराइयां थीं उन सारी बुराइयों को और उन सारे लोगों को भी अपने में समा लिया और इसलिए अनेक गुणा बुराइयां बढ़ गई और इसी का परिणाम है कि त्रिपुरा तेज गते से बढ़ रहा है और बंगाल टीएमसी के कारण तेज गति से तबाह हो रहा है।

साथियो,

बंगाल को बीजेपी की एक ऐसी सरकार चाहिए जो डबल इंजन की गति से बंगाल के गौरव को फिर से लौटाने के लिए काम करे। मैं आपसे बीजेपी के विजन के बारे में विस्तार से बात करूंगा जब मैं वहां खुद आऊंगा, जब आपका दर्शन करूंगा, आपके उत्साह और उमंग को नमन करूंगा। लेकिन आज मौसम ने कुछ कठिनाइंया पैदा की है। और मैं उन नेताओं में से नहीं हूं कि मौसम की मूसीबत को भी मैं राजनीति के रंग से रंग दूं। पहले बहुत बार हुआ है।

मैं जानता हूं कि कभी-कभी मौसम परेशान करता है लेकिन मैं जल्द ही आपके बीच आऊंगा, बार-बार आऊंगा, आपके उत्साह और उमंग को नमन करूंगा। मैं आपके लिए आपके सपनों को पूरा करने के लिए, बंगाल के उज्ज्वल भविष्य के लिए पूरी शक्ति के साथ कंधे से कंधा मिलाकर के आपके साथ काम करूंगा। आप सभी को मेरा बहुत-बहुत धन्यवाद।

मेरे साथ पूरी ताकत से बोलिए...

वंदे मातरम्..

वंदे मातरम्..

वंदे मातरम्

बहुत-बहुत धन्यवाद